• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - સુરત
Tag:

સુરત

રાજ્ય

Surat Diamond Traders : હીરા વ્યાપારની બદલશે દિશા! ડાયમંડ સીટી સુરત ખાતે નવા વ્યાપારિક સંગઠન SDTAની થઇ રચના, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે થયું લોન્ચિંગ..

by Dr. Mayur Parikh July 1, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Surat Diamond Traders – સુરતમાં હીરાના વેપારીઓ દ્વારા નવા વ્યાપારિક સંગઠન સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન-SDTAની રચના કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે SDTAનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હીરા ઉદ્યોગકારોને સંબોધતા ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત હીરા અને ટેક્સટાઇલ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી આપતું શહેર બન્યું છે. સુરતના ખજોદ ખાતે નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સ આવનારી પેઢીનું ભવિષ્ય અને હીરા વ્યાપારની દિશા બદલશે, જે હીરા ઉદ્યોગકારો, વ્યાપારીઓની એકતાનું પ્રતિક બનશે.
સુરતની ધરતી પર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોનું મિલનની નિમિત્ત બની છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, હીરા બજારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો એક સાથે બેઠા હોય તો ક્યારેય ખબર નથી પડતી કે આ ઉત્તર ગુજરાતના લોકો છે કે સૌરાષ્ટ્રના છે. સામૂહિક પ્રયાસોથી સુરત અને સુરતી ઉદ્યોગોને બ્રાન્ડ બનાવવા હીરા ઉદ્યોગપતિઓને આહ્વાન કર્યું હતું.
વધુમાં ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતની ધરતીની ક્ષમતા અને સામર્થ્ય જ કંઈક અલગ છે. જેટલી સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એટલી જ સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં કોઈ શહેર સફળ થયું હોય તો તે આપણું આ સુરત છે. સાથે એસોસિએશન એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોનો અવાજ છે, એટલે એસોસિએશનની કમિટીમાં એ પ્રકારની વ્યવસ્થા ઉભી થવી જરૂરી છે કે ટ્રેડર્સ સાથે છેતરપિંડી થઈ હોય ત્યારે આરોપીઓ સામે સરળતાથી કાર્યવાહી કરી શકે.

આ સમાચાર પણ વાંચો: નમ્રતા મલ્લાએ સાડી અને બ્રેલેટ માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર, તસવીરો થઇ ઇન્ટરનેટ પર વાયરલ

સસ્તા ભાવે, અડધા ભાવની લાલચમાં આવી માલ લીધો હશે તેવા કેસમાં જે વેપારીનો માલ હોય છે તે જ હીરાના માલનો સાચો હકદાર ગણાશે. અને હીરા વ્યવસાય વિશ્વાસ પર ટકી રહ્યો છે, ત્યારે ઉત્તમ વ્યાપારિક પ્રણાલી સ્થાપિત થાય એ માટે ચિઠ્ઠીની જગ્યાએ ચેક લેવાનો આગ્રહ રાખવા હાજર સૌ ટ્રેડર્સને અનુરોધ કર્યો હતો.
આ અવસરે મેયર હેમાલીબેન બોઘાવાલા, હીરા ઉદ્યોગ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગણમાન્ય ઉદ્યોગકારો સર્વશ્રી સેવંતીભાઈ શાહ, લાલજીભાઈ પટેલ, બકુલભાઈ ગજેરા, ચંદ્રકાંતભાઈ સંઘવી, કેશુભાઈ ગોટી, દિનેશભાઈ નાવડીયા, જનકભાઈ મિસ્ત્રી, અશોકભાઈ દોશી, હસમુખભાઈ કોઠારી, મુકેશભાઈ અજબાણી, પ્રવિણભાઈ આંબાણી, કમલેશભાઈ, ચેતનભાઈ મહેતા, નાનુભાઈ વેકરિયા, દિનેશભાઈ લાબડીયા, નંદલાલ નાકરાણી, બાબુભાઈ વાઘાણી, વિજયભાઈ માંગુકિયા, સહિત મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ટ્રેડર્સ એસોસિએશન ઉમદા પ્લેટફોર્મ બનશે

આ સંગઠનના ફાઉન્ડર કમિટીના સદસ્ય હિતેશ મહેતાના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ ટ્રેડિંગ એસો. સાથે અત્યાર સુધી ૬૦૦ જેટલા ડાયમંડ ટ્રેડર્સ જોડાયા છે. સૌ વેપારીઓ માટે ઉમદા પ્લેટફોર્મ બની રહેશે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે આવનારા સમયમાં વૈશ્વિક પડકારો છે તેની સામે યોગ્ય માર્કેટિંગ કરીને માલ મોકલી શકાય, વ્યાપારની ઉજ્જવળ તકો ટ્રેડર્સને મળી રહે અને તે દિશામાં સંગઠન દ્વારા કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવશે.

July 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Deputy Director of Agriculture-Surat issued more than 18 thousand PSC from South Gujarat in last five years
રાજ્ય

નાયબ ખેતી નિયામક-સુરતની કચેરીએ છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાંથી અધધ આટલા હજાર ફાયટોસેનિટરી સર્ટીફિકેટ(PSC) ઇસ્યુ કર્યા

by kalpana Verat June 13, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • તા.૧૨મીએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ
  • દક્ષિણ ગુજરાતમાંથી ખાંડ, ગુવાર ગમ, ફળ, શાકભાજી, ધાન્ય પાકોની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે

આજના યુગમાં લોકોના મુખેથી કવોરેન્ટાઈન શબ્દ સંભળાઈ એટલે કોરોના કપરોકાળ સામે આવી જાય. એક સમય હતો કે, કોરોના કાળમાં કોઈ વ્યકિતને કોરોના થયો હોય તો આજુબાજુનો સમગ્ર વિસ્તાર કવોરેન્ટાઈન કરવામાં આવતો હતો. પરંતુ આજે આપણે વાત કરવી છે દક્ષિણ ગુજરાતમાં થતા કૃષિપેદાશોના પ્લાન્ટ કોરેન્ટાઈનની. એક દેશમાંથી બીજા દેશમાં આયાત-નિકાસ થતી કૃષિ પેદાશો થકી રોગ અને જીવાતને નવા વિસ્તારમાં દાખલ થતાં અને તેનો ફેલાવો થતો અટકાવવા માટે આંતર રાષ્ટ્રીય કક્ષાએથી નક્કી થયેલાં ધોરણો પ્રમાણે ‘ફાયટો સેનેટરી સર્ટિફિકેટ (PSC)’ ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે થયેલી હરીયાળી ક્રાંતી, ખેત પેદાશોના ઉત્પાદનની વૃદ્ધિ અને વિશ્વવ્યાપારની સુવિધા વધવાના કારણે ખેત પેદાશની આયાત-નિકાસમાં પણ વેગ આવ્યો છે. હાલમાં વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી અને વિવિધ પ્રકારે વિકસતા આંતરરાષ્ટ્રીય વેપાર ધંધામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. આના કારણે જે દેશોમાં અમુક જીવાતો અને રોગ અસ્તિત્વમાં ન હતા તેવા દેશોમાં આયાત થતી ખેત પેદાશો દ્વારા નવી જીવાત અને રોગ દાખલ થયા અને ફેલાતા ગયા છે. પરીણામે ત્યાંના ખેત પેદાશ ઉત્પાદનને કરોડો રૂપીયાનું નુકશાન થવા લાગ્યું. આમ આયાત

નિકાસ થતી ખેત પેદાશોની આર્થિક દ્રષ્ટીએ ઘણી અગત્યતા હોવા છતા પણ જો તેને વૈજ્ઞાનિક પરીક્ષણ, નિરીક્ષણ કર્યા વિના આયાત નિકાસ કરવામાં આવે તો તે દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માં ઘણી નુકશાન કારક બની રહે છે.

ખેત પેદાશની દેશ-પરદેશમાં આયાત નિકાસ દરમ્યાન તેનુ રોગ જીવાતથી કાનુની નિયંત્રણ થાય તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી નિયત થયા મુજબ ધોરણો પ્રમાણે ખેત પેદાશોનું પરીક્ષણ કરવુ જરૂરી બને છે. છેક ૧૯૧૪ થી ભારત સરકાર દ્વારા પાકમાં આવતા રોગ અને જીવાતને અટકાવવા માટે કાનુની નિયંત્રણના પગલાઓ ભરેલા છે. તે માટે “ધી ડિસ્ટ્રક્ટીવ ઈન્સેક્ટ એન્ડ પેસ્ટ એક્ટ-૧૯૧૪” નો કાયદો ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ખેત પેદાશના નિરીક્ષણ કે ચકાસણી કર્યા બાદ જ તેનુ આયાત કે નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવે છે. એટલે કે ખેત પેદાશો રોગ અને જીવાતથી મુક્ત છે, તે અંગેનું ફાયટોસેનિટરી સર્ટીફિકેટ નિકાસકારોએ લેવુ જરૂરી છે.

નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરી :

ભારત સરકાર દ્વારા આ કામગીરી માટે પ્લાન્ટ ક્વોરેન્ટાઈન સ્ટેશનોની સ્થાપના કરવામાં આવેલી છે. અને તેમને ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની સત્તાઓ આપવામાં આવેલી છે. ભારત સરકાર હસ્તકના પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન સ્ટેશન કંડલા, મુંદ્રા, જામનગર, પીપાવાવ, સાણંદ, અમદાવાદ ખાતે આવેલા છે. જેમા આયાત તથા નિકાસ થતી ખેત પેદાશો માટે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.ગુજરાત સરકાર હસ્તકના જામનગર, ગાંધીનગર અને સુરત ખાતે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ ઇસ્યુઈંગ ઓથોરીટીની ઓફીસ આવેલી છે. જામનગર ખાતેની કચેરી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ, ગાંધીનગર ખાતેની કચેરી દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સુરત ખાતેની કચેરી દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી નિકાસ થતી ખેત પેદાશો માટે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Cyclone ‘Biparjoy’ :16 જૂનથી બંધ થતી ગીર-ગિરનાર જંગલ સફારી આજથી બંધ, ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય

નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરીના કાર્યક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા જેવા કે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ તથા નર્મદાનો સમાવેશ થાય છે. આ કચેરી અસ્તિત્વમાં આવી એ પહેલા આ સાત જિલ્લાઓમાંથી નિકાસ થતા ખેત ઉત્પાદનો જેવા કે, લીલા શાકભાજી, કેળા, ચોખા, કઠોળ, વુડન ફર્નીચર, ખાંડ, કપાસ તેમજ અન્ય મુલ્યવર્ધિત ખાધ્ય અને કૃષિપેદાશો માટે નિકાસકારોએ ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ મુંબઈ અથવા ગાંધીનગર ખાતેની કચેરીએથી મેળવવા પડતા હતા જેમા નિકાસકારોનો ઘણો સમય તથા સંસાધનોનો વ્યય થતો હતો. જ્યારે હવે નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી દ્વારા ડીજીટલ ઓનલાઈન પધ્ધતિથી ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ ઈસ્યુ કરવામાં આવે છે. આથી દક્ષિણ ગુજરાતના નિકાસકારો ઝડપી અને સરળતાથી ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ મેળવી શકે છે. જેના થકી દક્ષિણ ગુજરાતમાંથી કૃષિપેદાશોના નિકાસને વેગ મળ્યો છે. પરીણામે ગુજરાત તથા દેશનું કુલ એક્ષપોર્ટ તથા તેના દ્વારા પ્રાપ્ત થતા વિદેશી હુંડીયામણમાં ઘણો વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય કૃષિપેદાશો:

કેરીની ઈગ્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, જર્મની ભીંડાની ઈગ્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, જર્મની કેળાની ઓમાન, યુ.એ.ઈ., ઈરાન મગફળીની ફીલીપાઈન્સ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, રશિયા કપાસની ચીન, પોર્ટુગલ દેશોમાં મીશ્ર ખાદ્ય ઉત્પાદન યુરોપ, કેનેડા, આફ્રીકા, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ખાડી દેશો, ધાન્ય (ચોખા) આફ્રીકા, ઈંગ્લેન્ડ, ખાડી દેશો ખાંડ ઈન્ડોનેશીયા ગુવાર ગમને ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુ.એસ.એ, યુરોપીયન દેશો, બ્રાઝીલ, કઠોળ જેવા પાકોને કેનેડા, યુ.એસ.એ, આફ્રીકા દેશોમાં નિકાસ થાય છે.

તાજા ફળ અને શાકભાજીને કેનેડા, યુરોપીયન દેશો પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફુડકેનેડા, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુરોપીયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતમાંથી નિકાસ કરતા મુખ્ય પેકહાઉસ

(૧) કેય બી એક્સ્પોર્ટ- બેડચીત, જી.તાપી

(૨) કાશી એક્સ્પોર્ટ મુ.પો. ધરમપુરા, જી.તાપી

(૩) રેવા ફ્રેશ ફ્રુટ એક્સ્પોર્ટ મુ.પો. થરી, તા.જી. રાજપીપળા

(૪) ABNN ફ્રેશ એક્સ્પો. લી. મુ.પો. રાજપારડી, જી.ભરૂચ

(૫) દેસાઈ ફ્રુટ્સ & વેજીટેબલ્સ મુ.પો. આમદપોર, તા.જી.નવસારી વગેરે આવેલા છે. જેમાં કેરી, કેળા અને તાજા શાકભાજીની નિકાસ કરે છે.

દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા નિકાસલક્ષી પ્રોસેસીંગ યુનિટ આવેલા છે. જેમાથી મુખ્ય પ્રોસેસીંગ યુનિટ જેવા કે…

(૧) વિમલ એગ્રો પ્રોડક્ટ્સ પ્રા. લિ., બારડોલી, (૨) વિવેક એગ્રો પ્રોડક્ટ્સ, બારડોલી, (૩) NTM વેજી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પ્રા. લિ. ૪) 360 ડીગ્રી એક્સ્પોર્ટ, અંક્લેશ્વર ૫) સત્યમ ટ્રેડર્સ- વ્યારા, જી.તાપી (૬) વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ધરમપુર (૭) જેબસન ફુડ્સ પ્રા.લિ. ભરુચ (૮) પેટસન ફુડ્સ ઈન્ડીયા પ્રા. લિ. નવસારી ૯) રવિરાજ રાઈસ ઈંડસ્ટ્રીઝ, સોનગઢ વગેરે પ્રોસેસ્ડ ફુડ, ફ્રોઝન ફુડ, મગફળી, ચણા, ચોખા, કઠોળ, લોટ તથા અન્ય ખાધ્ય પદાર્થોની નિકાસ કરે છે.

નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી માટેના નવા મકાનના બાંધકામની કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ૮૬૪.૫૬ સ્ક્વેર મીટર એરીયામાં કુલ રૂ. ૧.૮૧ કરોડના ખર્ચે નવા મકાનનું બાંધકામ પુર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવનને તા.૧૨/૦૬/૨૦૨૩ના રોજ કૃષિ મંત્રીશ્રી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સાંજે ૫.૦૦ વાગે ઉદ્દધાટન કરવામાં આવશે. આ કચેરીથી સમગ્ર દક્ષિણ ગુજરાતના નિકાસકારો ઝડપથી તથા સરળતાથી ફાયટોસેનિટરી સર્ટીફિકેટ મેળવી શકશે જે ગુજરાત તથા સમગ્ર દેશના કુલ નિકાસમાં વધારો કરવા માટે મદદરૂપ સાબિત થશે.

નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા પાછલા પાંચ વર્ષમાં ઈસ્યુ કરવામાં આવેલા ફાયટોસેનિટરી સર્ટીફિકેટ( PSC) – આ કચેરી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૩-૨૪(મે-૨૦૨૩ના અંત સુધીમાં એકસપોર્ટ કરેલા ખાદ્ય કૃષિ પેદાશોની વિગતો જોઈએ તો ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન મીશ્ર ખાદ્ય ઉત્પાદન, ધાન્યો, ખાંડ, મગફળી, ગુવાર ગમ, કઠોળ, કપાસ, તાજા ફળ અને શાકભાજી, તમાકુ, વુડન પેલેટ અન્ય મળી કુલ ૨૮૨૯૭ મેટ્રીક ટન માલ એકસપોર્ટ કરવામાં આવ્યો હતો. જયારે ૧૭૧૨ જેટલા પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ૨૦૧૯-૨૦ના વર્ષમાં ૧૬૭૫૧ મેટ્રીક ટન તથા ૨૧૯૮ પી.એસ.સી, ૨૦૨૦-૨૧માં ૧૧૬૭૬૩ મે.ટન તથા ૪૭૩૮ પી.એસ.સી., ૨૦૨૧-૨૨માં ૧૭૮૨૦૫ મે.ટન તથા ૪૭૧૫ પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવય હતા.

૨૦૨૨-૨૩ના વર્ષમાં ૨૨૩૭૭૫ મે.ટન તથા ૪૪૯૦ પી.એસ.સી. તથા ૨૦૨૩-૨૪માં ૨૯૪૮૭ મે.ટન તથા ૧૧૦૬ પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવ્યા છે.

June 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Adani Foundation will provide training to 1400 beloved students of seven schools in Surat...
રાજ્ય

પ્રેરક પ્રયાસ.. અદાણી ફાઉન્ડેશન સુરતની સાત શાળાના આટલા ‘પ્રિય વિદ્યાર્થી’ઓને આપશે તાલીમ…

by kalpana Verat June 9, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન-હજીરા વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે. ગત વર્ષોમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ સરકારી શાળાના ૩૧૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ૧૨૨ જેટલી સરકારી શાળાના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ લઈ રહ્યા છે.

 સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન-હજીરા વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે. ગત વર્ષોમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ સરકારી શાળાના ૩૧૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ૧૨૨ જેટલી સરકારી શાળાના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mutual Fund : આ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, સાત ફંડ્સ સાથે મજબૂત શરૂઆત

અદાણી ફાઉન્ડેશન-હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ.દિપક દરજી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

‘ઉત્થાન સહાયક’ નામના પૂરક શિક્ષકોના સહયોગથી અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું બીડું ઉઠાવ્યું છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ ઉભી કરાઈ છે. ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં ૭૫ શાળાના ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ, દહેજ (ભરૂચ)ની ૧૫ શાળાના 3,00૦ વિદ્યાર્થીઓ અને સુરતના હજીરા પાસેના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ શાળામાં ૩૧૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકાના સાત સરકારી શાળાના ૧૪૦૦ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

શિક્ષણમાં નબળા વિદ્યાર્થીઓ (પ્રિય વિદ્યાર્થી)ઓના ઉત્થાનનો પ્રેરક પ્રયાસ

દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારોમાં શૈક્ષણિક રીતે પાછળ રહેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે; આવા બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવવામાં આવશે. તેમજ ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણ અને વિદ્યાર્થીઓના જ્ઞાનસ્તરને ઊંચું લઇ જવાનું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું લક્ષ્ય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

June 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
After Surat, child died due to dog attack in Amreli, 3 year old child was attacked
રાજ્ય

સુરત બાદ અમરેલીમાં શ્વાનના હુમલાથી બાળકનું નિપજ્યું મોત, 3 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો

by Akash Rajbhar May 31, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
અમરેલીમાં દામનગરમાં આ ઘટના બની હતી. જેમાં શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. અગાઉ સુરતમાં આ પ્રકારની ઘટનામાં બાળકનું સારવાર બાદ મોત થયું હતું ત્યારે ફરી આ પ્રકારે કિસ્સો સામે આવ્યો છે. વાડી કામ કરતા શ્રમજીવી પરીવારના બાળક પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો. બચકા ભરતા નાની કુમળી વયના બાળકો માટે આ હુમલો સહન કરવો મુશ્કેલ બની જાય છે. કેમ કે, અગાઉ સુરતમાં પણ શ્વાને બાળક પર હુમલો કરતા 40 જેટલા બચકા ભર્યા હતા. અમરેલીમાં દાનગરની ઘટનામાં પણ બાળકનો જીવ બચાવી શકાયો નથી.  

આ સમાચાર પણ વાંચો: કાશ્મીરમાં આતંક મચાવવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, ઘૂસણખોરી કરતા 3 આતંકીઓને એલઓસી પરથી આ રીતે પકડ્યા

દામનગરની આ ઘટનાની વાત કરીએ તો ગઈકાલે શ્રમજીવી પરીવારના 3 વર્ષના બાળકનો જીવ ગયો હતો. છોટાઉદેપુરથી પરીવાર દામનગર આવ્યો હતો ત્યારે શ્રમજીવીના પરીવારના બાળક સાથે આ પ્રકારની ઘટના ઘટી હતી. એક તરફ શ્વાનના ખસીકરણ માટે મોટો ખર્ચ થાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ શ્વાન કાબુમાં ના આવતા બની રહી છે. જેથી ખરા અર્થમાં એક તરફ આ પ્રકારની ઘટનાઓ ગંભીર કહી શકાય છે.  

આ પ્રકારની ઘટનાઓ ખરા અર્થમાં ચિંતાજનક છે. તંત્ર સામે આ પ્રકાર રખડતા અને ઘાતકી હુમલો કરતા શ્વાન ચિંતાજનક છે. અગાઉ એક વૃદ્ધા પર પણ સુરતમાં શ્વાનના ટોળાએ હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આમ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ એક પછી એક બની રહી છે.

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Free survey at surat for deaf and dumb
મુંબઈ

સુરત સિવિલ હોસ્પિટલમાં બીજી વખત ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર બે ભૂલકાઓને મળી નવી જિંદગી

by Akash Rajbhar May 27, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
સુરતના ઉધનાના પાટિલ પરિવારની જન્મથી મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) ૩ વર્ષની બાળકી વૈષ્ણવી અને બોળીયા પરિવારના ૪ વર્ષીય બાળક રૂદ્રને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી બન્ને બાળકોમાં સફળતાપૂર્વક સર્જરી કરી છે.
રૂદ્ર અને વૈષ્ણવીના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
વૈષ્ણવી પાટિલના પિતા હરીશભાઈ પાટિલ ખાનગી કંપનીમાં નોકરી કરી ૬ જણના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરતમાં ઘરઆંગણે જ આ યોજનાનો નિઃશુલ્ક લાભ મળી રહેતા આ બંને પરિવારે આનંદિત થઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે મૂળ સુરેન્દ્રનગરના વતની બોળીયા પરિવારના ભવાનભાઈ બોળીયાના ૪ વર્ષીય દીકરા રુદ્રને વાણી અને શ્રવણશક્તિ પાછી મળતા તેમના પિતા ભવાનભાઈએ ભાવુક થઈ જણાવ્યું કે, ગરીબ લોકો માટે સરકાર દેવદૂત બનીને મદદ કરે છે. જેના કારણે આજે મારા દીકરા અને સમગ્ર પરિવારને સુખની એક નવી દુનિયા મળી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : અદ્ભુત FD ઓફર! આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.85 ટકા વ્યાજ દર ઓફર કરે છે

‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.
નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, અમદાવાદ ENT વિભાગના વડા ડૉ.નીના ભાલોડિયા, સહ પ્રાધ્યાપક ડૉ. દેવાંગ ગુપ્તા, પ્રિન્સિપલ ઓડિયોલોજીસ્ટ ડૉ.ગુંજન મહેતા, સિનિ. રેસિડન્ટ ડૉ. ખુશાલી પટેલ, સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટર, સહ પ્રાધ્યાપક ડૉ. રાહુલ પટેલ, ટી. બી. વિભાગના વડા અને નર્મદ યુનિ. સિન્ડિકેટ સભ્ય ડો. પારૂલ વડગામા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

 

May 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
'બ્રિજ સિટી' સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેડ-વરિયાવ બ્રિજનું લોકાર્પણ, 8 લાખની વસ્તીને આવાગમનમાં મળશે મોટી રાહત
રાજ્ય

‘બ્રિજ સિટી’ સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેડ-વરિયાવ બ્રિજનું લોકાર્પણ, 8 લાખની વસ્તીને આવાગમનમાં મળશે મોટી રાહત

by kalpana Verat May 19, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત મહાનગરપાલિકાના રૂ.૨૪૯ કરોડ અને સુડાના રૂ.૪૩ કરોડ મળી કુલ રૂા.૨૯૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પો ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત મનપા દ્વારા રૂા.૧૧૮.૪૨ કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા ફોર લેન રિવર બ્રિજને પણ રેલવેમંત્રીશ્રીએ ખૂલ્લો મૂક્યો હતો. આ બ્રિજ સાકાર થવાથી કતારગામ-વેડરોડ તેમજ વરિયાવ-અમરોલી-છાપરાભાઠા વિસ્તારની અંદાજે ૮ લાખની વસ્તીને સરળ આવાગમનનો લાભ થશે.
વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ પાસે તાપી નદી કાંઠે આયોજિત સમારોહમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત પાલિકા, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ટ્રિપલ એન્જિનના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે આ ટ્રિપલ એન્જિનથી આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં શ્રીમતી જરદોશે જણાવ્યું કે, આવનાર સમયમાં સુરત રેલવે સ્ટેશન દેશનું સૌપ્રથમ મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે, જ્યાં રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે.

આ સમાચાર પણ વાંચો: લોકસભા ચૂંટણી બનશે રસપ્રદ.. મુંબઈમાં આ પિતા-પુત્રની જોડી આવશે આમને સામને… જાણો શું છે ઠાકરે જૂથની રણનીતિ?

મંત્રીશ્રીએ કહ્યું કે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે અમે સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો લોકો માટે કરેલી કામગીરી, સુખાકારીના કાર્યો, પ્રયાસો અને પરિણામોનો હિસાબ લઈને જનતા પાસે જવાના છીએ. પ્રજાભિમુખ અભિગમને ઉજાગર કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર જનતા માટે જ કાર્યરત છે એવો વિશ્વાસ આપીશું.
તેમણે વેડ વરિયાવનો નવો બ્રિજ ઓલપાડ તાલુકાને સુરત સાથેની સુગમ કનેક્ટિવિટી પણ પૂરી પાડશે એમ જણાવી વિવિધ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સુરત મનપાને અભિનંદન પાઠવી વિકાસની આ ગતિને અવિરત જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશમાં રોડ-રસ્તા, વીજળી, પાણી, આવાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ મળી છે. દેશમાં આજે દૈનિક ૨૮ કિલોમીટરના હાઈવે બની રહ્યા છે, જે વિકાસની ગતિના સૂચક છે.
સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી સુરત પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. નવનિર્મિત બ્રિજ સુરત શહેર અને ઓલપાડ તાલુકાના જોડાણ, આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું.

ધારાસભ્યશ્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, વર્ષોથી સ્થાનિક નાગરિકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે. છેલ્લા ૧૫ વર્ષમાં જ આ સાતમો બ્રિજ કતારગામ વિસ્તારમાં બન્યો છે. જનપ્રતિનિધિઓની માંગણી, રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપીને રાજ્ય સરકાર પણ પ્રોત્સાહક અનુદાન આપી રહી છે, જેના કારણે મિની ભારત સમાન સુરતમાં વિકાસકામો તીવ્ર ગતિથી થઈ રહ્યા છે. કતારગામમાં રાજ્યની આધુનિકતમ સ્ટેટ ઓફ ધ આર્ટ એવી લાઈબ્રેરી નિર્માણ જેવા અનેકવિધ પ્રકલ્પો પ્રગતિમાં છે એની વિગતો તેમણે આપી હતી.

આ સમાચાર પણ વાંચો: Shani Jayanti 2023 : આજે છે ન્યાયના દેવતા શનિ દેવની જયંતિ, જાણો શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું અને શું ન કરવું

પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોને આવકારતા સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપીને સુરત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશ પટેલ, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત મહાનુભાવો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

May 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Unseasonal rain causes crop loss for crop farmers
રાજ્ય

સુરતમાં વરસેલા વરસાદના કમોસમી માવઠાનો માર, વાવાઝોડામાં ખેડૂતનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો.

by Dr. Mayur Parikh May 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનું નિકંદન માટે જવાબદાર આજનો માનવી પોતાના પગ પર જાણે કુહાડી મારી રહ્યું છે. પરિણામ સર્જાય રહ્યું છે ભર ઉનાળે પણ ચોમાસુ. પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં છાસવારે પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે ગત રોજ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં કામરેજ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ નુકસાન નોતર્યું હતું. જેમાં ઘલા ગામના ખેડૂત પરેશ જેરામભાઈ પટેલના સાડા ત્રણ વીંધા જેટલા કેળના પાકને ભયંકર નુકસાન થયું હતું. તેમના ખેતરમાં આવેલા આંબા પરની કાચી કેરીઓ પણ જમીન પર ટપોટપ ખરી પડી હતી. તેમના ખેતરમાં માવતરની માફક ઉછેર કરેલા કેળાની લુમ સાથેના છોડ જમીન દોસ્ત થયા હતા.

Unseasonal rain causes crop loss for crop farmers

પરેશ પટેલના જણાવ્યા મુજબ કેળને નીઘલ પડી ગયો હતો અને આવનાર ટુંક સમયમાં જ પાક તૈયાર થવાનો હતો. ત્યાં જ ગત રોજ કમોસમી વરસાદ સહિતના વાવાઝોડાએ તેમનો મોમાં આવેલો કોળીયો ઝૂંટવી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો:   આસારામ બાપુને જોધપુર હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, છતાં રહેશે જેલમાં જ, જાણો શું છે કારણ…

May 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahul Gandhi did not get relief from Surat Court
દેશ

મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા આંચકો લાગ્યો છે.

by Akash Rajbhar April 20, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
સુરતની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવેલા ચુકાદા પર રોક લગાવવામાં આવે. આ સંદર્ભેની અરજી સુનવણી પર આવી હતી પરંતુ સુરતની હાઇકોર્ટે આ અરજીને રદ બાદલ કરી છે.

સુરત કોર્ટ દ્વારા અરજી રદ થવાને કારણે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે કે નીચલી કોર્ટની ભૂલને ઉપલી કોર્ટ સુધારી દેશે.

આ અરજી રદ થવાનો મામલો ઘણો ગંભીરતાથી જોવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા જેને કારણે તેમનું સાંસદ પદ અને ઘર બંનેઉ જતા રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં રોપ ટ્રીક. ઉભા ઉભા ઝોંઘા ખાવા માટેનો જુગાડ. ફોટોગ્રાફ થયો વાયરલ…

 

April 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
33 47 lakh ganja seized from parbagam area of surat two caught
રાજ્ય

યુવા ધનને બરબાદ કરવાના નેટવર્કનો પર્દાફાશ, સુરતમાંથી અધધ ₹.33.47 લાખના કેફી દ્રવ્ય ગાંજા સહિત આટલા પકડાયા.

by Akash Rajbhar April 15, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં સતત વધી રહેલો ગુનાખોરી તેમજ નશાખોરીનો ગ્રાફ ચિંતા જનક છે. સુરત શહેર સહિત જિલ્લામાં દિવસે ને દિવસે યુવાનોને લક્ષ્યાંક બનાવી નશાના કારભારીઓ તેમનો કાળો કારોબાર ધમધમતો રાખતા જ આવ્યા છે. પછી તે વિદેશી દારૂનો હોય કે નશાકારક માદક દ્રવ્યનો. પરંતુ નશાના કાળા કાળા કારોબારના કારભારીઓને નાથવામાં ઉણપ ક્યાં રહી જાય તે યક્ષ પ્રશ્ન કહી શકાય એમ છે. ત્યારે સુરત જિલ્લા SOG પોલીસે કામરેજના પરબ ગામેથી અધધ કહી શકાય એટલા ₹ 33.47 લાખની કિંમતના 334.740 કિલો ગાંજાના જથ્થા સહિત બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે ગાંજાનો જથ્થો મંગવનાર વેડ રોડ કતારગામના એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ, IMD એ આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું.. જાણો મુંબઈમાં કેવું રહેશે વાતાવરણ

SOG પોલીસની રેઇડ દરમિયાન પકડાયેલા બે ઈસમો પાસેથી માદક દ્રવ્ય ગાંજાનો 334.740 કિલો કિંમત ₹.33.47 લાખ,ડ્રીમ યુગ બાઈક નંબર કિંમત ₹.25 હજાર તેમજ ₹.7 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ 33.79 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર વેડ રોડ કતારગામના એમ.જે પ્રધાન નામના ઇસમને SOG પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો હતો.

April 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
This area of Surat is a dump of dirt
રાજ્ય

ક્યાં છે સ્વચ્છતા? સુરતના આ વિસ્તારની હાલત તો ‘નર્ક’ જેવી, ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો

by kalpana Verat April 3, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથક એવા કામરેજ ચાર રસ્તા વિસ્તારની આજુબાજુની સોસાયટીઓ નવાગામ,ખોલવડ અને કામરેજ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. કામરેજ ચાર રસ્તા પરના બોટલ નેક નજીકના અગાઉના સમયમાં થોડા ઘણા અંશે દબાણો દૂર કરી તંત્રએ રાહતનો શ્વાસ લીધો. કામરેજ વિસ્તારના સત્તાધીશો દ્વારા જાહેરનામું બહાર પાડી સર્કલ આજુબાજુના અમુક વિસ્તાર સુધીને ટ્રાફિક મુક્ત કરવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. જાહેરાત થાય છે પરંતુ તેની અમલવારી થાય છે કે નહીં અને અમલવારી નથી થતી તો કરાવવાની ફરજ કોના માથે અને ના જેમાથે એ ફરજ અને જવાબદારી છે એ કરાવે છે કે નહીં ?? માત્ર જાહેરાતથી કામરેજ ચાર રસ્તાની સમસ્યાની ભરમાળનો ઉકેલ નથી આવી જતો. 

કામરેજ સર્કલ નજીકના ઓવર બ્રીજ પર ભાતચિત્ર સહિતની ડિઝાઇન બનાવી મોટા ઉપાડે કામરેજની કાયા પલટ માટેની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આજુબાજુ વિસ્તારમાં કાયમી ઘર કરી ગયેલી સમસ્યાનો થપ્પો પ્રજાના માથે લાગી ચૂક્યો છે. ત્યારે ખાટલે મોટી ખોડ તો એ છે કે કામરેજ વિસ્તારના ખોલવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી આરોગ્ય અને સ્વાસ્થ્યની  સારવાર માટે જાણીતી દિનબંધુ હોસ્પિટલ તરફ જતા ખોલવડ ગરનાળા પાસે હોસ્પિટલના પ્રવેશદ્વાર નજીક જ ગંદકી યુક્ત દૂષિત પાણીનો સંગ્રહ કાયમ માટે જોવા મળે છે. સાથે સાથે તેની નજીકમાં જ પ્લાસ્ટિકની કોથળી સહિતનો ગંદવાડનો અડ્ડો બની ગયો છે. બીજી તરફ કામરેજના ખોલવડ તરફ જતા સર્વિસ રોડ પાસે આવેલી અઝીમ હોસ્પિટલ નજીક ગંદવાડ ત્યાં મંદવાડના સૂત્રને સાર્થક કરતી દૂષિત પાણીનો ખાડો ભરેલો સૂકવાનું નામ નથી લેતો. જાહેર માર્ગને અડીને આવેલા સર્વિસ રોડ નજીકનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. 

આ સમાચાર પણ વાંચો: અનેક ફૂટ ઉંચે હોટ એર બલુનમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી મોતની છલાંગ.. જુઓ વિડીયો

ગટર લાઇનના દૂષિત પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ સહિત રોગચાળો ફેલાવવાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે કામરેજની દિનબંધુ તેમજ અઝીમ હોસ્પિટલ ખાતે આવતા દર્દીની સારવાર પહેલા બંને હોસ્પિટલ નજીકની ગંદકીની સારવાર લાગતા વળગતા સત્તાધીશો દ્વારા  કરવામાં આવે એવી તાતી જરૂરિયાત વર્તાય રહી છે. 

April 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક