• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - aarey-colony
Tag:

aarey-colony

Mumbai Mumbai's crime branch unit busted a fake call center in Goregaon, arrested seven.
મુંબઈ

Mumbai: મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે ગોરેગાવમાં કર્યો નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, સાતની ધરપકડ..

by Bipin Mewada February 26, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 એ ગોરેગાંવમાં ( Goregaon ) રોયલ પામ્સમાંથી કથિત રીતે કાર્યરત એક નકલી કોલ સેન્ટરનો ( fake call center )  પર્દાફાશ કર્યો હતો અને કેનેડિયન નાગરિકોને છેતરવા બદલ સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસના મિડીયા સાથે વાત કરતા જણાવ્યા અનુસાર, આરોપીએ એમેઝોન અને કેનેડિયન એટર્ની જનરલની ઓફિસના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને લોકોને છેતર્યા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ( Mumbai Crime Branch ) યુનિટ 9ને મળતી માહિતીના આધારે ગોરેગાંવના આરે કોલોની ( aarey colony ) વિસ્તારમાં રોયલ પામ્સમાંથી ( Royal Palms ) ઝોહો ટેક સોલ્યુશનના નામે કથિત નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસે દરોડો પાડી સાત લોકોની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કોલ સેન્ટરમાં ફોન કરનારાઓ ઇન્ટરનેટ કોલ દ્વારા અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતા હતા. આરોપી કોલ કરનારાઓ પહેલા એમેઝોનનો એક્ઝિક્યુટીવનો હોવાનો દાવો કરીને તેમને ફોન કરતા હતા અને તેમને કહેતા કે તેમણે જે ગિફ્ટ કે પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. તેમાં માદક દ્રવ્ય છે, જ્યારે વ્યક્તિએ કંઈપણ ઓર્ડર કરવાનો ઇનકાર કરી દેતા હતા. તો આ કોલ સેન્ટરના બીજા આરોપીઓ તે જ ગ્રાહકને કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી હોવાનો દાવો કરતો કોલ કરતા હતા.

 છેતરપિંડી કરનારાઓ પછી તેઓને ટેક્સ્ટ નાઉ એપ્લિકેશન દ્વારા તેમના બિટકોઇન વૉલેટ સરનામાં પર QR કોડ મોકલતા હતા..

કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી હોવાનો દાવો કરી, ગ્રાહકોને કહેતા હતા કે, તમારા ખાતાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો છે અને તેમના ખાતામાં તેમના પૈસા સુરક્ષિત નથી. પીડિતોને એમેઝોન તરફથી પહેલા જ એક કોલ આવ્યા હોવાથી, તેઓ કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી આવેલ નકલી કોલ પર વિશ્વાસ કરી લેતા હતા.

આ સમાચાર પણ વાંચો : Aditya Thackeray: આદિત્ય ઠાકરેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું, ભાજપ- શિંદે સરકાર પાસે સામાન્ય લોકોની જરુરિયાતો પૂર્ણ કરવાનો સમય નથી.. જાણો બીજુ શું કહ્યું.

છેતરપિંડી કરનારાઓ પછી તેઓને ટેક્સ્ટ નાઉ એપ્લિકેશન દ્વારા તેમના બિટકોઇન વૉલેટ સરનામાં પર QR કોડ મોકલતા હતા અને તેમને સલામતી માટે ત્યાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા હતા. એકવાર પીડિતોએ પૈસા ટ્રાન્સફર કર્યા પછી, આરોપીઓએ કોલ કાપી નાખતા હતા. જે બાદ પીડિતોને સમજાતું કે તેઓ તેમના પૈસા ગુમાવી ચૂક્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે નકલી કોલ સેન્ટરના સાત લોકોની ધરપકડ કરી છે અને અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે. જે બાદ સ્થાનિક કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં દીધા હતા. પોલીસને શંકા છે કે આ કોલ સેન્ટર છેલ્લા બે મહિનાથી ચાલતું હતું.

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Two people died, one injured due to wall collapse in Goregaon, Mumbai, police investigation started
મુંબઈ

Mumbai: મુંબઈના ગોરેગાંવમાં દિવાલ ધરાશાયી થવાથી બે લોકોના મોત, એક ઘાયલ, પોલીસ તપાસ શરુ..

by Hiral Meria February 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં એક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દિવાલ ધરાશાયી ( wall collapse ) થવાને કારણે બે લોકો તેની નીચે દટાઈ ગયા જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ, ગોરેગાંવમાં ફિલ્મ સિટી ( Goregaon Film City ) પાસે દિવાલ પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના આરે કોલોની રોડ (  aarey colony ) પર ફિલ્મ સિટીના ગેટ નંબર 2 પાસે સાંજે 6.30 વાગ્યે બની હતી.

 લગભગ 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઉંચી દિવાલ ધરાશાયી થઈ હતી..

ફાયર વિભાગના એક નિવેદનમાં અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઉંચી દિવાલ ધરાશાયી થઈ હતી, જેની નીચે ઓછામાં ઓછા ત્રણ લોકો દટાય ગયા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચે, તે પહેલા જ ત્રણેય લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : New York: ન્યૂયોર્કના એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એક ભારતીય નાગરિકનું મોત, 17 લોકો ઘાયલ..

આ પછી, ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે બે લોકોને મૃત જાહેર કર્યા હતા. તેમજ એકની હાલ સારવાર ચાલુ છે.

મિડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પર્ક્યુસિવ રેસ્ક્યુ ટૂલ (PRT) કીટની મદદથી કાટમાળની શોધ કરવામાં આવી રહી છે. તેમજ બચાવ કામગીરી ( rescue operations ) હાથ ધરવામાં આવી હતી.. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

February 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Leopard enters Aarey Milk Factory in Aarey Colony, Mumbai
મુંબઈ

મુંબઈની આરે કોલોનીમાં આવેલી આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ વીડિયો

by Dr. Mayur Parikh February 27, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દીપડો એક ખાનગી કંપનીમાં ઘૂસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મુંબઈની આરે કોલોનીનો છે, જ્યાં રવિવારે ધોળાદિવસે એક દીપડો ફેક્ટરી અંદર ઘૂસી ગયો હતો. ફેક્ટરીની અંદર તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

#મુંબઈની આરે કોલોનીમાં આવેલી #આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો #દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ #વીડિયો#Mumbai #aareymilkfactory #aareycolony #wildlife #leapord #viralvideo pic.twitter.com/Aqi5IMI4ls

— news continuous (@NewsContinuous) February 27, 2023

તમને જણાવી દઈએ કે, આરે જંગલ મુંબઈ શહેરની અંદર આવેલ એક હરિયાળી ધરતી છે. જ્યાં લગભગ 5 લાખ વૃક્ષો છે, અને પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળે છે. આટલી હરિયાળીને કારણે તેને ‘ગ્રીન લંગ ઑફ મુંબઈ’ કહેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  જંગલમાં ફરી રહ્યા હતા ટૂરિસ્ટ્સ, પાછળ પડી ગયો ગેંડો, લગાવી એવી દોડ કે થઇ ગયો અકસ્માત.. જુઓ વિડીયો

February 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

Mumbai Metro aarey car shade: મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડના નિર્માણમાં અવરોધ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે 84 વૃક્ષો કાપવાનો નિર્ણય ટ્રી ઓથોરિટીને સોંપ્યો.

by kalpana Verat November 30, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Metro aarey car shade: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. તેની સાથેજ, ટ્રી ઓથોરીટીને 84 વૃક્ષો કાપવાની અરજી પર નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) ને મુંબઈની આરે કોલોનીમાં કારશેડ પ્રોજેક્ટમાં ટ્રેન રેમ્પના નિર્માણ માટે 84 વૃક્ષો કાપવાની અરજી સંબંધિત સત્તાધિકારી સમક્ષ મૂકવાની મંજૂરી આપી છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે મુંબઈ મેટ્રોના સોલિસિટર જનરલ તુષાર મહેતાની અરજીની નોંધ લીધી હતી કે કાર શેડમાં ટ્રેનો માટે રેમ્પ બનાવવા માટે 84 વૃક્ષો કાપવાની જરૂર છે. બેન્ચે કહ્યું કે MMRCLને 84 વૃક્ષો કાપવા માટે ટ્રી ઓથોરિટી સમક્ષ અરજી દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ સાથે બેન્ચે મેટ્રો પ્રોજેક્ટ સામેની મુખ્ય અરજીઓ પર અંતિમ સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નક્કી કરી છે.

 આ સમાચાર પણ વાંચો: Viral Video: 500 રૂપિયાની નોટ બની 20 રૂપિયા; વીડિયોમાં રેલવે કર્મચારીનો ઝોલો ઝડપાયો, વીડિયો થયો વાયરલ

2019માં સુપ્રીમ કોર્ટે સુમોટો નોટિસ લીધી હતી

અગાઉ 7 ઓક્ટોબર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ મામલો સુમોટો ના માધ્યમથી પોતાના હાથમાં લીધો હતો. જે સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી ભવિષ્યમાં કોઈ વૃક્ષ કાપવામાં આવશે નહીં. પરંતુ 5 ઓગસ્ટ, 2022ના રોજ કોર્ટે આ મામલાને અંતિમ સુનાવણી માટે રાખ્યો હતો. વર્તમાન અરજીમાં મેટ્રો લાઇન 3 માટે 84 વૃક્ષો કાપવાની પરવાનગી માંગવામાં આવી છે. અગાઉ 2018માં ટ્રી ઓથોરિટીની મંજુરીથી 212 વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને હવે કોર્ટ પાસે 84 વૃક્ષોની મંજુરી માંગવામાં આવી છે.

MMRCLએ 84 વૃક્ષો કાપવા માટે અરજી કરી હતી. જ્યારે અરજદાર એનજીઓની પેન્ડિંગ અરજીમાં આરે જંગલ વિસ્તારમાં બાંધકામ અટકાવવાની માંગ કરવામાં આવી હતી. એસજીએ કહ્યું કે પ્રોજેક્ટની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમજ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જનહિતને ધ્યાનમાં રાખીને કોર્ટે 84 વૃક્ષો કાપવાની મંજૂરી આપવી જોઈએ. આના પગલે સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં મેટ્રો કારશેડ સ્થાપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને 84 વૃક્ષો કાપવાની અરજી પર નિર્ણય લેવાની વૃક્ષ સત્તાધિકારીને સ્વતંત્રતા આપી હતી.

   આ સમાચાર પણ વાંચો: Aarey colony fire: ગોરેગાંવની આરે કોલોનીમાં આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ વિડિયો.

November 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

Aarey colony fire: ગોરેગાંવની આરે કોલોનીમાં આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ વિડિયો. 

by kalpana Verat November 30, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai: ગોરેગાંવની આરે કોલોની ( Aarey colony ) માં મંગળવારે મોડી રાત્રે આગ (Fire) લાગી હતી. ફાયર બ્રિગેડવિભાગના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ રાત્રે 10.02 વાગ્યે નોંધાઈ હતી. પ્રાથમિક માહિતી દર્શાવે છે કે આગ આરે કોલોનીમાં ઘાસ સૂકવવા માટે લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફાયર એન્જિન, બે જમ્બો વોટર ટેન્કર અને એક ફાયર બાઇક સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. હજુ સુધી ઈજાના કોઈ અહેવાલ નથી.

#Aarey colony #fire: #ગોરેગાંવની આરે કોલોનીમાં #આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ #વિડિયો. #Mumbai #goregaon #Aarey #forest #fire #newscontinuous pic.twitter.com/JPeeAiQ6mb

— news continuous (@NewsContinuous) November 30, 2022

સ્થાનિક વોર્ડ કક્ષાના સ્ટાફ સાથે વનકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલાકોની મહેનત પછી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.  આશરે બે એકર જેટલી જમીન પર સૂકું ઘાસ હતું જે બળીને નાશ પામ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી

 

November 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હદ થઈ ગઈ- કોઈ ગામડા કરતા પણ મુંબઈના આરે કોલોનીના રસ્તાની હાલત ભયાનક- રસ્તા પર પ્રતિ એક કિલોમીટરમાં 74 ખાડા- જુઓ ફોટોસ

by Dr. Mayur Parikh September 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) મુંબઈ સહિત મહારાષ્ટ્રના રસ્તા દુનિયાના સર્વશ્રેષ્ઠ બનાવવાની જાહેરાત કરે છે. તે માટે કરોડો રૂપિયાની જોગવાઈની જાહેરાત કરે છે. તો મુંબઈ મહાનગરપાલિકા(BMC) પણ રસ્તા પર ખાડા તરત પૂરી દેવામા આવતા હોવાનો દાવો કરી રહી છે. ત્યારે મુંબઈનો એકદમ લીલોતરી (Greenery) હરિયાળો અને ઘટાદાર વિસ્તાર ગણાતા આરે કોલોનીમાં(Aarey Colony) રસ્તાની હાલત કોઈ ગામડાના રસ્તા કરતા પણ દયનીય હાલતમાં છે. સ્થાનિક રહેવાસીઓની સાથે જ આ રસ્તાનો રોજબરોજમાં ઉપયોગ કરનારાઓને આ ખાડાઓએ(Potholes ) નાકેદમ લાવી દીધો છે.

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના રસ્તાની હાલત જોઈને કોઈને પણ શરમ આવી જાય એવી છે. કરોડો રૂપિયા ખર્ચયા બાદ અને સરકારની મોટી મોટી જાહેરાત બાદ પણ મુંબઈના રસ્તાની(Mumbai road) હાલત દયનીય છે.

Local residents submit photographs of pothole laced Aarey Road to High Court of Bombay BMC submits counter photos High court asks both parties to give photos with date amp; time etched on it Report by Jitendra Gupta pic.twitter.com/9DHEn7xblD

— MUMBAI NEWS (@Mumbaikhabar9) September 25, 2022

આ સમાચાર પણ વાંચો : જીવદયા પ્રેમીઓ નારાજ-મુંબઈના આ વિસ્તારમાં આવેલા કબુતરખાના પર BMCનો હથોડો

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આરે કોલોનીના 4.7 કિલોમીટરના રસ્તાના પટ્ટામાં 349 જેટલા ખાડાઓ છે. તે મુજબ જોઈએ તો પ્રતિ કિલોમીટરે રસ્તા પર 74 ખાડા પડેલા છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનચાલકો(Motorists) તો ઠીક સામાન્ય રાહદારીએ પણ આ રસ્તા પરથી કેવી રીતે ચાલવું એ સવાલ છે.

વેસ્ટર્ન એક્સપ્રેસથી(Western Express) દર આરે કોલોનીમાં પ્રવેશ કરવાની સાથે જ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ નજર પડે છે. ત્યારે પાલિકાના દાવા મુજબ આરે કોલોનીની અંદરનો રોડ આરે પ્રશાસન હેઠળ આવે છે. જયારે ગોરેગામથી(Goregaon) પવઈ વચ્ચેના રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે. રસ્તા પરના ખાડા પૂરવાની જવાબદારી કોન્ટ્રેક્ટરની છે. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ખાડા પડવાનું ચાલુ જ છે. તેથી આ રસ્તાને સિમેન્ટ કોંક્રીટ(Cement concrete) બનાવવાની યોજના છે.
 

September 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

by Dr. Mayur Parikh July 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકાર(MVA govt)નો આરેમાં કારશેડ(Aarey metro carshed) સામે વિરોધ હોવા છતાં છેલ્લાં દોઢેક વર્ષથી આરેના પ્રજાપુર પાડા ગામમાં રેમ્પ(ramp) બનાવવાનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું, તેનું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. હવે બહુ જલદી આરેમાં મેટ્રો-3ની ટ્રાયલ કરવામાં આવવાની છે. તે માટે સોમવારે આરે કોલોનીમાં ઝાડની ડાળખીઓનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણવાદીઓના ભારે વિરોધ બાદ પણ શિંદે-ફડણવીસ સરકારે આરે કોલોનીમાં જ મેટ્રો-3નો કારશેડ બનાવવાનો નિર્ણય લીધો છે, કારશેડ બનાવવા સામે ભારે વિરોધ વચ્ચે પણ હવે બહુ જલદી આરેમાં કારશેડને જોડતો મેટ્રો-નો રેમ્પ તૈયાર થઈ જવાનો છે અને તેના પર હવે ટ્રાયલ પણ કરવામાં આવવાની છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનો આરે કોલોનીમાં કારશેડ સામે વિરોધ હોવા છતાં આરેમાં રેમ્પનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. ભાજપના  સમર્થનવાળી એકનાથ શિંદેની સરકારે આરેમાં કારશેડ બનાવવાની કામગીરીમાં સ્ટે ઉઠાવી લીધો છે, તેથી ફરી એક વખત આરે કોલોનીમાં કામે સ્પીડ પકડી છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- મુંબઈના પોલીસ સ્ટેશનોમાં પણ અંધશ્રદ્ધા- અષાઢી અમાસને લઈને મુંબઈ પોલીસે કમિશનરે બહાર પાડ્યો આ આદેશ

મેટ્રો-3નો રેમ્પનું કામ એક મહિના પહેલા પૂરું થઈ ગયું હતું. હાલ અહીં અન્ય કામ ચાલુ છે. આ રેમ્પ મેટ્રો-થ્રીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ છે અને તે ભૂગર્ભ સિપ્ઝ મેટ્રો સ્ટેશનની બહાર નીકળતી મેટ્રો ટ્રેનોની જાળવણી માટે કારશેડમાં પ્રવેશવાની મંજૂરી આપશે.

કેન્દ્ર સરકાર સાથે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) સાથે પચાસ ટકા ભાગીદારી ધરાવનારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કહેવા મુજબ  મેટ્રો-થ્રી માટે જરૂરી રેમ્પનું કામકાજ પૂરું થયું છે. આરેમાં રેમ્પ બનાવવાના કામકાજમાં સ્ટે મૂકવામાં આવ્યો નહોતો. ફક્ત ડેપોના ભાગને સંરક્ષિત કરવામાં આવ્યો હતો. હવે આરેમાં કારશેડને મંજૂરી મળી ગઈ છે, તેથી કારશેડમાં પ્રવેશવા માટે રેમ્પ માટે જરૂરી કામ ખૂબ જ ઝડપથી થઈ શકશે.

July 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મહત્વના સમાચાર- મુંબઈનો આ રસ્તો ત્રણ દિવસ માટે ટ્રાફિક માટે બંધ રહેશે- જાણો વિગત

by Dr. Mayur Parikh July 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આરે કોલોની(Aarey Colony)માં મુંબઈ મેટ્રો-3ના કારશેડ(Mumbai metro-3 carshed)નું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી આજથી ત્રણ દિવસ માટે આરે કોલોનીનો રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.

મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) આજથી ત્રણ દિવસ માટે આરે કોલોની રોડ ટ્રાફિક માટે બંધ કર્યો હોઈ પર્યાયી રસ્તો વાપરવાની અપીલ મુંબઈગરા(Mumbaikars)ને કરી છે, તેને લગતી ટ્વિટ પણ સોશિયલ મીડિયા પર કરીને લોકોને જાણ કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે કરેલી ટ્વીટ મુજબ આરે કોલોનીનો રોડ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, અહી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA) અને મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા કામ કરવામાં આવવાનું છે. તેથી વાહનચાલકોએ પવઈ અને મરોલ જવા માટે પર્યાયી રસ્તો જોગેશ્ર્વરી વિક્રોલી લિંક રોડનો ઉપયોગ કરવો.

આ સમાચાર પણ વાંચો : સબસે સસ્તા- મુંબઈમાં BESTની બસમાં હવે માત્ર આટલા રૂપિયા પ્રવાસ કરવા મળશે- જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) અને શિંદેની સરકારે આરે કોલોની મેટ્રો કારશેડના કામને ફરી મંજૂરી આપી દીધી છે. તેથી  છેલ્લા અનેક દિવસથી મેટ્રો કાર શેડના બાંધકામના વિરોધમાં આરે કોલોનીમાં આંદોલન(Protest) ચાલી રહ્યું છે. તેથી મુંબઈ પોલીસે અહીં બંદોબસ્ત પણ વધારી દીધો છે. વિરોધ કરનારાઓને નોટિસ(Notice) પણ મોકલવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

 

July 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મુંબઈના આરે વિસ્તારમાં(Aarey area) મેટ્રો કાર શેડના(Metro car shed) કામ પર ઠાકરે સરકાર(Thackeray Govt) મૂકેલા પ્રતિબંધને શિંદે સરકાર(Shinde Govt) દ્વારા હટાવી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) ગુરુવારે આ અંગેના આદેશ જારી કર્યા છે.

આરે વિસ્તારમાં જંગલ હોવાના કારણે અહીં મેટ્રો પ્રોજેક્ટના(Metro Project) આરે કાર શેડના નિર્માણનો વિરોધ થયો હતો. જો કે ફડણવીસ સરકાર(Fadnavis Govt) દરમિયાન આ પ્રોજેક્ટના કામ માટે રાતોરાત વૃક્ષો કાપી(Cut the trees) નાખવામાં આવ્યા હતા. ઠાકરેની(Thackeray) મહાવિકાસ આઘાડી સરકારે(MVA Govt) જોકે સત્તા સંભાળ્યા પછી, આરેમાં મેટ્રો કાર શેડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેના બદલે વૈકલ્પિક જગ્યાની શોધ શરૂ કરવામાં આવી હતી.

હવે જોકે, શિંદે-ફડણવીસ સરકારે રાજ્યની બાગડોર સંભાળતાની સાથે જ આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે સત્તાવાર રીતે તેના પર મહોર મારી હતી. તેથી હવે ફરી એકવાર આરેમાં મેટ્રો કારશેડનું કામ શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સરકાર દ્વારા આરેમાં કાર શેડ પરનો પ્રતિબંધ હટાવવાની સાથે, મુંબઈવાસીઓ અને પર્યાવરણવાદીઓ(Environmentalists) વધુ આક્રમક બને તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની પાર્કિંગ સમસ્યા બની માથાનો દુખાવો- BMCએ જાહેર કર્યા અહીં પાર્કિંગ પ્લોટ- જાણો વિગત

મુંબઈ મેટ્રો રેલ્વેના કાર શેડ માટે આરે કોલોનીમાં(Aarey Colony) વૃક્ષોને રાતોરાત કાપી નાખવાના બનાવ બાદ વિવાદાસ્પદ બનેલા મુંબઈ મેટ્રો રેલ્વેના(Metro Railways) તત્કાલીન મેનેજીંગ ડિરેક્ટર(Managing Director) અશ્વિની ભીડેને(Ashwini Bhide) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) સત્તામાં આવતાની સાથે જ હટાવી દીધા હતા. હવે, નવી રચાયેલી શિંદે-ફડણવીસ સરકારે મેટ્રોને લઈને સુપર-ફાસ્ટ નિર્ણય લીધો છે અને અશ્વિની ભીડેને ફરીથી મુંબઈ મેટ્રોની જવાબદારી સોંપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે આરે ડિફેન્સ ગ્રુપ (ACG) એ શુક્રવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે આરે કોલોનીમાં મેટ્રો 3 કારશેડની જગ્યા હંમેશાથી જંગલ હતી. આરેમાં કારશેડ બનાવવા પાછળ 60 હજાર કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો આરોપ પણ કરવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ 2019 માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી, તેમણે પહેલો નિર્ણય આરે કારશેડના કામને સ્થગિત કરવાનો હતો. તે પહેલા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) પ્રભારી હતા ત્યારે આ કામને વેગ મળ્યો હતો. આ કામનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. અઢી થી ત્રણ હજાર જેટલા વૃક્ષો હોવાનો વૃક્ષપ્રેમીઓએ દાવો કર્યો હતો. તત્કાલીન ફડણવીસ સરકારના આ નિર્ણય સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આની સામે પર્યાવરણવાદીઓ કોર્ટમાં પણ ગયા હતા.
 

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

તો આરે કોલોનીમાં મળતા આરે ના ઠંડા દૂધ અને લસ્સી બંધ થઈ જશે- મહારાષ્ટ્ર સરકારે આરે ડેરીને લઈને લીધો આ નિર્ણય -જાણો વિગત

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના ગોરેગામમાં(Goregaon) આવેલી આરે કોલોનીમાં(Aarey Colony) ફરવા જતા વખતે અથવા આરે કોલોનીમાં પસાર થતા સમયે અનેક લોકો આરેની ઠંડી લસ્સી(Cold lassi) અને એનર્જી ડ્રીન્ક (Energy drink) પીવા માટે ખાસ ઉતરતા હોય છે. જોકે બહુ જલદી હવે આરેના આ ઠંડા પીણા મળતા બંધ થઈ જાય એવી શક્યતા છે. સરકારની માલિકીની(Government-owned) સૌથી મોટી કહેવાતી આરે ડેરી વેચી દેવાની યોજના મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) બનાવી છે. 

મહારાષ્ટ્રની એક વખતે સૌથી મોટી અને આર્થિક રીતે સધ્ધર આરે ડેરી કંપની(Aarey Dairy Company) બહુ જલદી ખાનગી કંપનીના હાથમાં જતી રહેવાની શક્યતા છે. આરેને નુકસાન પહોંચાડીને અત્યાર સુધીની દરેક રાજ્ય સરકારે ખાનગી અને સહકારી ક્ષેત્રની(Private and cooperative sector) ડેરી કંપનીઓને મોટી કરવામાં હાથ રહ્યો છે. હવે જ્યારે મહાવિકાસ આઘાડી સરકારના(Mahavikas Aghadi Government) છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે સોમવાર, 27 જૂન, 2022 ના રોજ, કૃષિ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ વિભાગે(Department of Fisheries) સરકારી ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. નિર્ણય અનુસાર, સરકારી ડેરી અથવા શીતકરણ કેન્દ્રને ખરીદ-વેચાણના ધોરણે કાયમી સહકારી મંડળીઓને હસ્તાંતરણ  કરતા સમયે સંબંધિત સંસ્થામાં કામ કરતા કર્માચારીઓનો પણ સમાવેશ કરવાનો રહેશે. ખરીદી કરનારાઓ ભાવ/ભાડામાં રાહત આપવામાં આવી છે. તેથી હવે એ નક્કી થઈ ગયું છે  આરે, એકમાત્ર સરકારી ડેરી કંપની સંપૂર્ણપણે વેચવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  સોનાના દાગીના આંચકી ભાગી જનારો ચોરટો પકડાયો- બોરીવલી એમ એચ બી પોલીસની ઉલ્લેખનીય કામગીરી-જાણો વિગત

ડેરી વ્યવસાયમાં(Dairy business) ખાનગી અને સહકારી ક્ષેત્રની વધતી જતી ભાગીદારીને ધ્યાનમાં લઈને સરકારની ભાગીદારી ઘટાડવાની સરકારની નીતિ છે. પરિણામે, રાજ્યમાં ઘણી સરકારી દૂધ યોજનાઓ અને સરકારી દૂધ શીત કેન્દ્રો પર દૂધ સંગ્રહમાં ભારે ઘટાડો થયો છે. આ ક્ષેત્રે સરકારની ભાગીદારી ઘટાડતી વખતે સહકારી ક્ષેત્રને જગ્યા આપવાના હેતુથી સરકારી દૂધ યોજનામાં જમીન તથા મશીનરી સહકારી દૂધ કેન્દ્રને હંગામી કે કાયમી ધોરણે તબદીલ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવાયો છે.

11 નવેમ્બર, 2002  ના સરકારી ઠરાવ દ્વારા લેવામાં આવેલ છે. આ G.R ની જોગવાઈઓ અનુસાર ખરીદ અને વેચાણના સિદ્ધાંત પર ડેરી અથવા ચિલિંગ સેન્ટર કાયમી સહકારી મંડળીઓને(cooperatives) સ્થાનાંતરિત કરવાના કિસ્સામાં ભાવ/ભાડામાં રાહત આપવામાં આવી છે. 11 નવેમ્બર, 2002ના રોજ, મોટાભાગના માનવબળ સંબંધિત સરકારી દૂધ યોજના/ઠંડક કેન્દ્રમાં કામ કરી રહ્યા હતા. તેથી, સરકાર પર નાણાકીય બોજ ઘટાડવા માટે, માનવબળનું ટ્રાન્સફર ક્રમમાં હતું અને તે સ્વાભાવિક બાબત હતી. જો કે, હાલમાં અન્ય ઘણા દૂધ કેન્દ્રોમાં બીજા વર્ગના 4 કર્મચારી છે. (મશીનરીના રક્ષણ માટે) તેથી સ્ટાફની બદલીનો કોઈ અવકાશ નથી. આવી સ્થિતિમાં, આ જોગવાઈ મુજબ 50% સ્ટાફને સ્થાનાંતરિત કરવાની તૈયારી સાથે સહકારી દૂધ સંઘો તરફથી સરકારી દૂધ યોજનાઓ/ઠંડક કેન્દ્રોની માંગ છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ- કોંકણ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને કરવામાં આવી આ આગાહી- જાણો કયારે પડશે વરસાદ

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક