• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - advice
Tag:

advice

Avoid These 4 Facials at Parlours – Dermatologist Warns
સૌંદર્ય

Avoid Facials: પાર્લર માં ભૂલથી પણ ન કરાવો આ 4 ફેશિયલ, બ્યુટિશિયન એ આપી ચેતવણી – “ચહેરાની ત્વચા બગડી શકે છે”

by Zalak Parikh September 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Avoid  Facials: મહિલાઓ ચહેરાને ગ્લો આપવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરાવે છે, જેમાં ફેશિયલ સૌથી સામાન્ય છે. પરંતુ ડર્મેટોલોજિસ્ટ કહે છે કે દરેક ફેશિયલ ત્વચા માટે યોગ્ય નથી. જો તમે રેસ્ટોરન્ટના મેન્યૂની જેમ કોઈ પણ ફેશિયલ પસંદ કરીને કરાવી લો, તો તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.તેમણે 4 એવા ફેશિયલ્સ વિશે ચેતવણી આપી છે, જે ભૂલથી પણ કરાવા ન જોઈએ

 ફ્રૂટ ફેશિયલ

સસ્તું અને નેચરલ લાગતું ફ્રૂટ ફેશિયલ ત્વચાના સ્કિન બેરિયરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને એક્ને હોય, તો આ ફેશિયલ તેને વધુ ટ્રિગર કરી શકે છે.

 સેલૂન હાઈડ્રા ફેશિયલ

હાઈડ્રા ફેશિયલ સામાન્ય રીતે મોંઘું હોય છે, પણ કેટલાક પાર્લર સસ્તામાં કરે છે. એક્સપર્ટ કહે છે કે આવા પાર્લરમાં ઉપયોગ થતા પ્રોડક્ટ્સ અને સાધનો વિશે કોઈ ખાતરી નથી. આ ફેશિયલ માત્ર પ્રમાણિત ડર્મેટોલોજિસ્ટ પાસેથી જ કરાવવો જોઈએ.

 ગોલ્ડ ફેશિયલ

ગોલ્ડ ફેશિયલમાં શિમર અને બ્લીચ હોય છે, જે ત્વચા પર કેમિકલ બર્ન કરી શકે છે. એક્સપર્ટ કહે છે કે આ સૌથી ખરાબ ફેશિયલ્સમાંના એક છે.

આ સમાચાર પણ વાંચો :  Home Remedies for White Hair: ડાઈ માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, કાંદા ના છીલકા સાથે આ એક વસ્તુ કરો મિક્સ

 અરોમા ફેશિયલ

અરોમા ફેશિયલ ત્વચાની સેન્સિટિવિટી, એક્ઝિમા અને એલર્જી જેવી સમસ્યાઓને વધુ ઉગ્ર બનાવી શકે છે. સેન્સિટિવ સ્કિન ધરાવતી વ્યક્તિઓએ આ ફેશિયલ ટાળવો જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
abhishek bachchan advice to married men amid aishwarya rai divorce rumours
મનોરંજન

Abhishek bachchan: ઐશ્વર્યા સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક એ પરણિત પુરુષોને આપી આવી સલાહ, જુનિયર બી નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh December 2, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે.છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે. જોકે બંને એ હજુ સુધી આ વિષય પર કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હાલ અભિષેક એ ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ 2024 માં હાજરી આપી હતી આ દરમિયાન અભિષેક એ પરણિત પુરુષો ને જે સલાહ આપી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Yeh jawaani hai deewani 2: શું રણબીર કપૂર અને દીપિકા ની ‘યે જવાની હૈ દીવાની’ ની બની રહી છે સિક્વલ? ફિલ્મ ની અદિતિ એટલે કે કલ્કિ એ કર્યો ખુલાસો

અભિષેક બચ્ચને પરણિત પુરુષો ને આપી આવી સલાહ 

અભિષેક બચ્ચને મુંબઈ માં આયોજિત ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ 2024 માં હાજરી આપી હતા આ દરમિયાન ઇવેન્ટ ના હોસ્ટ એ અભિષેક ને પૂછ્યું, ‘મારે તમારા માટે એક નાનકડો પ્રશ્ન છે, તમે એટલું શાનદાર પર્ફોર્મન્સ આપો છો કે ટીકાકારો સવાલો જ ઉઠાવતા નથી. તમે આ કેવી રીતે કરી લો છો?’ જેના જવાબ માં અભિષેક કહે છે ‘તે ખૂબ જ સરળ છે, તેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી. ડાયરેક્ટર જે કરવાનું કહે તે અમે કરીએ છીએ. અમે શાંતિથી અમારું કામ પૂરું કરીને ઘરે જઈએ છીએ. કોઈ ફિલ્મના દિગ્દર્શક તેની પત્નીથી ઓછા નથી. અમારા જેવા લોકો પાસે તેમની આજ્ઞા પાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હા, બધા પરિણીત પુરુષોએ આ કરવું પડશે. તમારી પત્ની જે કહે તે કરો.’

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)


અભિષેક બચ્ચન નું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

December 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss 18 update Vivian gave this advice to Shahejada Dhami
મનોરંજન

Bigg boss 18 Update: બિગ બોસના ઘરમાં વિવિયન એ આપી શહેજાદા ધામી ને આવી સલાહ, યે રિશ્તા ફેમ અભિનેતા નું રિકેશન થયું વાયરલ

by Zalak Parikh October 8, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bigg boss 18 Update: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ ના ઘરમાં 18 સ્પર્ધકો એ એન્ટ્રી કરી છે. ઘરમાં પહેલા જ દિવસે શહેજાદા એ ચુંમ દરંગ ની મજાક ઉડાવી હતી. જેને લઈને તેને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે વિવિયન ડીસેના એ શહેજાદા ધામી સાથે કારકિર્દી ને લઈને વાત કરી હતી જેના પર શહેજાદા એ રિએક્ટ કર્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે.  

આ સમાચાર પણ વાંચો : Nia sharma: બિગ બોસ 18 માં લાસ્ટ મોમેન્ટ પર ભાગ ન લેવા બદલ નિયા પાસે ચાહકે કરી માફી ની માંગણી,અભિનેત્રી નો જવાબ થયો વાયરલ

વિવિયન અને શહેજાદા વચ્ચે થઇ બોલાચાલી 

ગાર્ડન એરિયામાં, વિવિયન શહેજાદા ને અભિનયનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે, શહેજાદા નિર્માતા રાજન શાહી સાથેના તેના ભૂતકાળના ઝઘડા વિશે વાત કરવાનું શરૂ કરે છે.વિવિયનએ કહ્યું કે ‘અગાઉના કલાકારોને હીરો બનવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, અગાઉ સોશિયલ મીડિયા નહોતું અને દર્શકો માત્ર ટેલિવિઝન સુધી જ મર્યાદિત હતા.’ આ સાંભળી શહેજાદા ગુસ્સે થાય છે અને તેની સાથે દલીલબાજી કરે છે. વિવિયન એ વધુમાં કહ્યું કે ‘હવે ટીવી કલાકારો, જેઓ તેમના જીવનની શરૂઆતમાં સફળતા મેળવે છે, તેઓ ઘમંડી બની ગયા છે.’

#BiggBoss18 Promo: Vivian Dsena gives tips to Shehzadapic.twitter.com/LilcoZEd5n

— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) October 7, 2024


શહેજાદા એ વિવિયન ના આ વાક્ય પર સવાલ ઉઠાવતા પૂછ્યું, ‘શું તે કહેવા માંગે છે કે આજના કલાકારો મહેનત નથી કરતા?’ વિવિયન શહેજાદા ને જવાબ ની સાથે સલાહ આપતા કહે છે કે ‘વ્યક્તિએ પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ અને અંતિમ પરિણામ વિશે વિચારવું જોઈએ નહીં’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor follows this advice of mukesh ambani
મનોરંજન

મુકેશ અંબાણી એ રણબીર કપૂર ને આપી હતી આ સલાહ, એવોર્ડ ફંક્શનમાં એનિમલ અભિનેતા એ કર્યો ખુલાસો

by Zalak Parikh February 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor:  રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં જ રણબીર કપૂર એક એવોર્ડ ફંક્શન માં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીરે તેના જીવનના ત્રણ મજબૂત સ્તંભો વિશે વાત કરી હતી. આ સાથે અભિનેતાએ એ વિશે પણ ખુલીને વાત કરી કે તે કોને જીવનમાં પોતાનો રોલ મોડલ માને છે અને તેમની પાસેથી તેમને શું સૂચનો મળ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Dunki: ડંકી નું રાતોરાત બદલાઈ ગયું ડિજિટલ પ્લેટફોર્મ, જિયો સિનેમા નહીં પરંતુ આ ઓટિટિ પર રિલીઝ થઇ શાહરુખ ખાન ની ફિલ્મ

રણબીર કપૂર ને મુકેશ અંબાણી એ આપી હતી સલાહ 

એવોર્ડ શો દરમિયાન રણબીર કપૂરે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પોતાની પ્રેરણા અને રોલ મોડલ ગણાવ્યા હતા. રણબીર કપૂરે તેને મુકેશ અંબાણી તરફ થી મળેલી સલાહ વિશે પણ ખુલાસો કર્યો હતો.  રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણી એ  તેને કહ્યું હતું કે, ‘તમારી સફળતા કે નિષ્ફળતાને ક્યારેય તમારા પર હાવી ન થવા દો.’ આ સિવાય રણબીરે આગળ કહ્યું, ‘તેના જીવનનો પહેલો આધાર સારું કામ કરવું છે, સાથે જ એક સારો વ્યક્તિ, સારો પુત્ર, સારો ભાઈ અને સારો મિત્ર બનવું છે’.

 

February 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
abhishek bachchan comment on salman khan muscular body and aishwarya rai reaction goes viral
મનોરંજન

abhishek bachchan: કોફી વિથ કરણ ચેટ શો માં અભિષેક બચ્ચને સલમાન ખાન ને આપી હતી આ સલાહ, ઐશ્વર્યા રાયનું રિએક્શન થયું વાયરલ

by Zalak Parikh August 19, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને(abhishek bachchan) એકવાર સુપરસ્ટાર સલમાન ખાન (salman khan)ને સલાહ આપી હતી કે તેણે વર્કઆઉટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. રિયાલિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ (koffee with karan)પર વાતચીત દરમિયાન અભિષેક બચ્ચને કરણ જોહરને કહ્યું હતું કે હવે સલમાન ખાન વારંવાર શર્ટ (muscular body) ઉતારવા માટે જાણીતો છે, જ્યારે મને લાગે છે કે તે તેના કરતા વધુ કાબેલિયત ધરાવે છે.

 

કરણ જોહરે અભિષેક બચ્ચન ને પૂછ્યા સવાલ  

આ ચેટ શોમાં અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય બચ્ચન (aishwarya rai)પણ હાજર રહી હતી. જ્યારે અભિષેક બચ્ચન આ વાત કહી રહ્યો હતો ત્યારે ઐશ્વર્યા રાય ના એક્સપ્રેશન(reaction) જોવા જેવા હતા. ઐશ્વર્યા રાય બચ્ચને આ મુદ્દે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો અને ચૂપ રહી હતી. વાતચીત દરમિયાન કરણ જોહરે (Karan johar)અભિષેક બચ્ચનને પૂછ્યું કે બોલિવૂડમાં સૌથી વધુ સ્ટાઈલિસ્ટ કોની જરૂર છે? આના પર અભિષેક (abhishek bachchan)પોતાનું નામ લે છે. એ જ રીતે, જ્યારે તેઓ પૂછે છે કે ડાન્સિંગ ક્લાસ ની જરૂર કોને છે, ત્યારે અભિષેક કહે છે કે તમે. તમે નાનપણથી એક જ સ્ટેપ કરતા આવ્યા છો.દરમિયાન, પ્રશ્નોની શ્રેણી ચાલુ રહે છે અને કરણ જોહર કહે છે કે તમારે આ લોકો વિશે એક શબ્દ કહેવાનો છે. રિતિકના નામ પર અભિષેક કહે છે, “ચિલ આઉટ (મજા કરો). આ પછી, કરણ સલમાનનું નામ લે છે, જેના પર અભિષેક બચ્ચન (abhishek bachchan) કહે છે, “વર્કઆઉટ બંધ કરવું જોઈએ. આનું કારણ એ છે કે તે શર્ટ ઉતારવા માટે જાણીતો છે અને મને લાગે છે કે તે તેના કરતા ઘણો વધારે છે.જ્યારે અભિષેક બચ્ચન સલમાન ખાન (salman khan)પર જવાબ આપે છે, ત્યારે ઐશ્વર્યા રાયે કોઈ પ્રતિક્રિયા નથી આપતી. તે ચુપચાપ કંઈક વિચારી રહી હોય તેવું લાગે છે

અભિષેક બચ્ચન નું વર્ક ફ્રન્ટ 

અભિષેક બચ્ચન ની ફિલ્મ ઘૂમર હાલમાં રિલીઝ થઇ છે જેમાં તેની સાથે સૈયામી ખેર, અંગદ બેદી અને શબાના આઝમી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સિનેમાઘરો માં સારું પ્રદર્શન કરી રહી છે. લોકોને આ ફિલ્મમાં અભિષેક બચ્ચન નો અભિનય ખુબ પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક સમયે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો અને વિવાદો બાદ તેઓ અલગ થઈ ગયા હતા. બાદમાં ઐશ્વર્યા રાયે અભિષેક સાથે લગ્ન કર્યા અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાને એક પુત્રી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે.

આ સમાચાર પણ વાંચો : Ghoomar: ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સ સીનમાં આ બાળકી એ આપ્યો હતો ડાન્સનો આઈડિયા, અભિષેક બચ્ચન સાથે છે ખાસ કનેક્શન

August 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prashant Kishore warns congress not to be too happy with Karnataka win
દેશMain Post

કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: “કોંગ્રેસે કર્ણાટકની જીતથી બહુ ખુશ ન હોવી જોઈએ કારણ કે…”; રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસને સલાહ

by Dr. Mayur Parikh May 16, 2023
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને સલાહ આપી છે . તેમણે સોમવારે (15 મે) કહ્યું કે કોંગ્રેસને કર્ણાટકમાં જીતથી બહુ ખુશ ન થવું જોઈએ કારણ કે 2013માં પણ કર્ણાટક ચૂંટણી જીત્યા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

13 મેના રોજ કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસે રાજ્યમાં જોરદાર વાપસી કરી છે. પાર્ટીએ 224 સભ્યોની વિધાનસભામાં 135 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 66 અને જેડી(એસ)ને 19 બેઠકો મળી હતી. જ્યારે અન્યોને 4 બેઠકો મળી છે.

જન સૂરજ યાત્રાથી દૂર રહેશે

પ્રશાંત કિશોરે કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હોવાથી તે લગભગ એક મહિના સુધી બિહારમાં તેમની ‘જન સૂરજ’ પદયાત્રાથી દૂર રહેશે. તેમણે સમસ્તીપુરમાં મીડિયાને કહ્યું કે ગાંધી જયંતિ પર શરૂ થયેલી પદયાત્રા લગભગ 15 દિવસ પછી ફરી શરૂ થઈ શકે છે. પ્રશાંત કિશોર નાદુરસ્ત તબિયતના કારણે યાત્રાથી દૂર રહેશે.

કર્ણાટકના આગામી મુખ્યપ્રધાનની પસંદગી માટે કોંગ્રેસ મંથન કરી રહી છે

કોંગ્રેસ કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે મંથન કરી રહી છે. કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો માંગ્યા બાદ સોમવારે (15 મે) ના રોજ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે.

આ સમાચાર પણ વાંચો:  પાકિસ્તાન સેનાએ ઈમરાન ખાન વિરુદ્ધ આર્મી એક્ટ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે

સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સલાહ લેશે

સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે હવે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે UPA અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સલાહ લેશે. આ સાથે જ આગામી 24 કલાકમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

દરમિયાન ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાને અભિનંદન પાઠવ્યા છે. વાસ્તવમાં, જ્યારે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેમની સાથે વધુ બહુમતી છે, તમે આ વિશે શું કહો છો? ડીકે શિવકુમારે કહ્યું, હું તેમને શુભેચ્છા પાઠવું છું. હું અહીં બેઠો છું, મારી ફરજ બજાવી રહ્યો છું.

હું એકલો બહુમતી છું: ડીકે શિવકુમાર

સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે તેમની પાસે ધારાસભ્યોની બહુમતી છે. તેના જવાબમાં ડીકે શિવકુમારે કહ્યું કે હિંમત ધરાવનાર વ્યક્તિ એકલો બહુમત બનાવી શકે છે. હું એકલો બહુમતી છું. આજે મારા નેતૃત્વમાં કર્ણાટકમાં 135 ધારાસભ્યો ચૂંટાયા છે. મેં કર્ણાટક જીતવા માટે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આપેલું વચન પૂરું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં શું થયું છે તે હું જાહેર નહીં કરું.

આ સમાચાર પણ વાંચો:  મોબાઈલ ક્ષેત્રે ભારતની હરણફાળ: ટાટા કંપનીએ એપલના મોબાઈલ ફોનનું ઉત્પાદન શરૂ કર્યું.

May 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
alia bhatt case in police entry advised the actress
મનોરંજન

આલિયા ભટ્ટના પ્રાઇવેટ ફોટો લીક મામલા માં પોલીસની થઇ એન્ટ્રી, અભિનેત્રીને આપી આવી સલાહ

by Zalak Parikh February 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

હકીકતમાં, અભિનેત્રીએ તાજેતરમાં જ એક પોર્ટલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા તેના ખાનગી ફોટા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ વિશે, તેણીની ઇન્સ્ટા સ્ટોરી પર તે પોર્ટલને ટેગ કરતી વખતે, અભિનેત્રીએ તેમને ખૂબ ઠપકો આપ્યો હતો અને મુંબઈ પોલીસને પણ ટેગ કર્યા હતા.

 

આલિયા એ મુંબઈ પોલીસ ને કરી ટેગ 

તાજેતર માં આલિયા ભટ્ટે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોર્ટલને ટેગ કર્યું અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, ‘તમે ખરેખર મજાક કરી રહ્યા છો. હું મારા ઘરે છું અને હંમેશની જેમ હું મારા લિવિંગ રૂમમાં બેઠી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં ઉપર જોયું તો મારા પાડોશીના મકાનની છત પર બે લોકો છે અને તેમનો કેમેરા મારી તરફ છે. આ કેવી રીતે યોગ્ય છે અને તમને આ કરવાની પરવાનગી કોણે આપી છે. આ કોઈના અંગત જીવનમાં સંપૂર્ણ ઘૂસણખોરી છે. એક મર્યાદા છે જેને તમારે ઓળંગવી ન જોઈએ, પરંતુ આજે તે મર્યાદા પણ ઓળંગી ગઈ છે. અભિનેત્રીએ આ પોસ્ટ સાથે મુંબઈ પોલીસને ટેગ કર્યું હતું.

 

 મુંબઈ પોલીસે આલિયા ને આપી આ સલાહ 

હવે આલિયા ભટ્ટ ઘ્વારા ટેગ કરાયા પછી, મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ અને અભિનેત્રીનો સંપર્ક કર્યો. આ અંગે એક ન્યૂઝ એજન્સી એ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે મુંબઈ પોલીસે આ અંગે આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો. આના પર આલિયા ભટ્ટે મુંબઈ પોલીસને તેના ખાનગી ફોટા પાડનાર ફોટોગ્રાફર અને તેને પ્રકાશિત કરનાર ઓનલાઈન પોર્ટલ સામે ફરિયાદ દાખલ કરવા જણાવ્યું છે. આ સાથે મુંબઈ પોલીસ આ મામલે આલિયા ભટ્ટની પીઆર ટીમ સાથે સતત જોડાયેલી છે.આ મામલામાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ આલિયાના સમર્થનમાં આવ્યા છે કારણ કે આ કોઈના અંગત જીવનનો મામલો છે. આ પહેલા પણ ઘણા મામલાઓમાં આવું થતું આવ્યું છે કારણ કે ફોટોગ્રાફર્સ ઘણીવાર સ્ટાર્સના પ્રાઈવેટ ફોટો લીક કરતા હોય છે.

February 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shatrughan sinha face mark reason dev anand advice changed whole life
મનોરંજન

દેવાનંદ સાહેબની એક સલાહે બદલ્યું શત્રુઘ્ન સિન્હાનું ભાગ્ય, જાણો કેવી રીતે આવ્યો અભિનેતા ના ચેહરા પર નો કટ માર્ક

by Zalak Parikh February 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હાના ચહેરા પર નો કટ નો  નિશાન તેમની ઓળખ બની ગયો છે. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મોટા કલાકારો એ કબૂલ્યું છે કે તેની નાની ઉંમરમાં તે પણ તેના ચહેરા પર શત્રુઘ્ન સિન્હા જેવો કટ બનાવવાનો પ્રયત્ન કરતો હતો જેથી તે તેના જેવો દેખાય. પરંતુ શત્રુઘ્ન સિન્હાના ચહેરા પરના આ કટ પાછળની વાર્તા શું છે? શું તે ઘાયલ થયો હતો કે વાર્તા કંઈક બીજી છે? આવો જાણીયે 

 

 આ રીતે થઇ હતી ઇજા  

શત્રુઘ્ન સિન્હાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કેવી રીતે તેને બાળપણમાં રમતા રમતા આ ઈજા થઈ હતી જે પછીથી તેની ઓળખ બની ગઈ હતી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “કેટલાક લોકો એવું વિચારે છે કે આ મારપીટ અથવા ઈજાનું નિશાન છે, કદાચ કોઈ પુસ્તકમાં તે ખોટી રીતે લખવામાં આવ્યું છે. મને આ નિશાન વિશે યાદ નથી, મારા પિતા ત્યારે અમેરિકા ભણવા ગયા હતા અને હું ઘણો નાનો હતો.. અઢી વર્ષનો બાળક હતો અને, તોફાની હતો.”શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “મારા મામા તે સમયે અભ્યાસ કરવા માટે અમેરિકા જતા હતા. મારા મામા અને મારી માતા તૈયારીમાં વ્યસ્ત હતા. મારા મામાએ મુંડન કરાવ્યું હતું અને પછી ઉતાવળમાં ત્યાં બ્લેડ છોડી દીધી હતી. મેં પહેલા મારી બહેન ના ગાલને શેવ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના ગાલ પર ઇજા થઇ, મેં તેણીને કહ્યું કે તને ખબર નથી કે હું કેવી રીતે હજામત કરીશ. પછી મેં મારા ગાલ પર બ્લેડ ફેરવી અને પછી મારા ગાલ પર ઇજા થઇ.”

 

દેવ આનંદે આપી સલાહ

શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે તેમના મામાના જવાને કારણે તેમના પરિવારના સભ્યો એટલી ઉતાવળમાં હતા કે તેઓ તેમને ન તો હોસ્પિટલ લઈ ગયા અને ન તો તેમને ટાંકા લીધા. સ્ટવની રાખ લગાવવામાં આવી, જેનાથી લોહી વહેતું બંધ થઈ ગયું પણ તેના ચહેરા પર હજુ પણ તે ઈજાના નિશાન છે. પરંતુ ફિલ્મી સફરની શરૂઆતમાં શત્રુઘ્ન પોતાની ઈજાને કારણે પોતાને બદસુરત માનતા હતા. તે હંમેશા ફિલ્મોમાં તેના ચહેરા પર હાથ રાખતો હતો જેથી કેમેરા પર તેની નિશાની ન દેખાય. આવી સ્થિતિમાં દેવ આનંદે તેમને આવી મોટી સલાહ આપી હતી, જેને તેઓ જીવનભર યાદ રાખશે.શત્રુઘ્ન સિન્હાના કહેવા પ્રમાણે, ‘મેં પ્લાસ્ટિક સર્જન સાથે વાત કરી હતી. સર્જરી કરાવવા પટના જઈ રહ્યો હતો. પણ દેવ સાહેબે મને કહ્યું કે તમારું કામ ચાલુ છે, આગળ સુધી નામ ચાલુ રહેશે. જો તમારું નામ અને કામ ચાલશે તો ભવિષ્યમાં આ નિશાન તમારી સ્ટાઈલ બની જશે. દેવ આનંદ સાહેબે કહ્યું કે મારા દાંતમાં પોલાણ છે અને આજે તે એક સ્ટાઈલ બની ગઈ છે. તો તમે જેવા છો તેવા બનો. તે દિવસ પછી શત્રુઘ્ન ની અંદર આત્મવિશ્વાસ આવ્યો અને તેણે પોતાના નિશાન છુપાવવાનું બંધ કરી દીધું.

February 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranveer Singh advice to varun dhawan
મનોરંજન

Ranveer Singh Career: રણવીર સિંહે વરુણ ધવનને આપી સલાહ; ભાઈ, બધું કરો, બસ આ કામ ન કરો.

by Dr. Mayur Parikh December 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Career: બધા જાણે છે કે રણવીર સિંહ ગોવિંદાનો મોટો ફેન છે. તેઓ તેમને પોતાના ગુરુ માને છે. તે કહે છે કે તે ગોવિંદાની ફિલ્મો જોઈને મોટો થયો છે અને તેની ફિલ્મો જોઈને રણવીરે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું… ગુરુ ગોવિંદા પ્રત્યેની તેમની ભક્તિ એ વાત પરથી જાણી શકાય છે કે જ્યારે તેઓ છેલ્લા દિવસોમાં એક કાર્યક્રમમાં ગોવિંદા સાથે હાજર હતા ત્યારે તેઓ તેમના ચરણોમાં પાછા ફર્યા હતા. તે ગોવિંદાને એટલો પ્રેમ કરે છે કે તેની ફિલ્મોની રિમેક બનાવનાર વરુણ ધવનને ભાઈ તુ સબ કરના કરવાની સલાહ આપવાનું તેણે ચૂક્યું ન હતું પરંતુ ગોવિંદાની રાજા બાબુની રિમેકમાં કામ ન કરો.

વરુણ ધવને તેના પિતા ડેવિડ ધવનની બે ફિલ્મો જુડવા અને કુલી નંબર 1 માં કામ કર્યું છે. બંને ફિલ્મોએ ગોવિંદાના ચાહકોને નારાજ કર્યા હતા. જ્યારે કુલી નંબર 1 સીધી OTT પર રીલિઝ થવા છતાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આટલું જ નહીં લોકોએ આ ફિલ્મની ખૂબ જ મજાક ઉડાવી. સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી હતી અને ઘણા મીમ્સ અને કાર્ટૂન પણ બનાવવામાં આવ્યા હતા. વરુણના પિતા ડેવિડ ધવન અને ગોવિંદાએ 1990ના દાયકામાં ધૂમ મચાવી હતી અને એકથી વધુ હિટ ફિલ્મો આપી હતી. પરંતુ પછી તેઓ અલગ થઈ ગયા. એ વાત ચોક્કસ છે કે ડેવિડ ધવન પોતાના પુત્ર વરુણ સાથે મળીને ગોવિંદાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Anupamaa Spoiler Alert: Ma’an માં અણબનાવ? અનુજે અનુપમાને આ અંગે કડક ચેતવણી આપી

રણવીર ઈચ્છે છે

દરમિયાન રણવીર સિંહ શુક્રવારે તેની ફિલ્મ સર્કસની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન જ્યારે ગોવિંદાનો ઉલ્લેખ આવ્યો ત્યારે રણવીર સિંહે કહ્યું કે ગોવિંદાની બે ફિલ્મો મારી ફેવરિટ છે. એક જોડિયા અને બીજો રાજા બાબુ. તેણે કહ્યું કે મને ખબર નથી કે મેં આ ફિલ્મો કેટલી વાર જોઈ છે અને તેનું સંગીત પણ અદ્ભુત છે. આ ફિલ્મોના વખાણ કરતાં રણવીર સિંહ અહીં જ ન અટક્યો અને કહ્યું કે હું વરુણ ધવનને કહેતો રહું છું કે તે ગમે તેટલી આ ફિલ્મોમાં કામ કરતો રહે, પણ ભાઈ રાજા બાબુ એવું ન કરે! તે સ્પષ્ટ છે કે રણવીર રાજા બાબુની રિમેક બનવા માંગતો નથી અને જો ક્યારેય હોય તો પણ વરુણ ધવન તેમાં કામ ન કરે. જો કે, રણવીરે સ્પષ્ટ કર્યું નથી કે શું તે પોતે રાજા બાબુની રિમેકમાં હીરો બનવા માંગે છે.

 

December 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
kbc 14 amitabh bachchan-advice-to-mens-never argue-their wives
મનોરંજન

પત્ની પીડિત પતિઓ ને લગ્ન જીવન માં સુખ શાંતિ બની રહે તે માટે અમિતાભ બચ્ચને આપી આ સલાહ

by Dr. Mayur Parikh November 25, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી ( KBC 14 ) સીઝન ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) દર વખતે કંઈક ખાસ કરીને એપિસોડને રસપ્રદ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. આ માટે ઘણી વખત તે પોતાના અંગત જીવન  સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરે છે, જેથી દર્શકોનું મનોરંજન થઈ શકે. તાજેતરમાં, અમિતાભ બચ્ચન સેટ પર કંઈક આવું જ કરતા જોવા મળ્યા હતા અને તેમણે એક સ્પર્ધકને લગ્ન જીવન ( mens wives )  વધુ સારી રીતે ચાલી શકે તે માટે કેટલીક સલાહ ( advice ) આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

હાલમાં જ સ્પર્ધક બિરેન અમિતાભની સામે હોટ સીટ પર બેઠેલો હતો. બિરેન વાલા  અમિતાભને કહે છે કે તેણે તેની પત્ની સાથે એક શરત કરી હતી. બીરેન કહે છે કે તેણે તેની પત્ની સાથે શરત લગાવી છે કે જો તે અમિતાભ બચ્ચનની ( amitabh bachchan ) સામે હોટ સીટ પર બેસી શકશે તો તેની પત્ની ( wives ) તેના પસંદ ની શાકભાજી  બનાવશે અને જો તેમ નહીં થાય તો તેની પત્ની જે ઈચ્છે તે ખાશે. હવે બીરેને આ શરત જીતી લીધી છે.એટલે બીરેન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. આ દરમિયાન અમિતાભે બીરેનને એક સલાહ  ( advice ) આપી અને કહ્યું, ‘જુઓ સાહેબ, પત્નીને લઈને બહુ ઉતાર-ચઢાવ ન હોવા જોઈએ. તે જે પણ કહે તે ચૂપચાપ સ્વીકારી લેવું જોઈએ. તે જ સમયે, આ શો દરમિયાન બીરેન ત્રણ લાખ 20 હજારની રકમ જીતવામાં પણ સફળ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન બીરેને અમિતાભને KBCનો એક વીડિયો પણ બતાવ્યો હતો. આ વીડિયો ગયા વર્ષનો હતો. જ્યારે અમિતાભ ની પત્ની જયા બચ્ચન અને પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી પણ સેટ પર આવ્યા હતા. આ જોઈને અમિતાભ બીરેન ને સલાહ આપે છે કે તે પોતાની પત્નીની વાત શાંતિથી સાંભળે. બિગ બીની વાત સાંભળીને શોમાં બેઠેલા દર્શકો જોરથી હસે છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત.. 

અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) કહે છે કે ‘તમને રીંગણ,ભીંડા કે બટાકા ન મળે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો  માટે શું યોગ્ય છે. કારણ કે મહિલાઓ ( wives ) બાળકોના હિસાબે ભોજન બનાવે છે અને પતિએ શાંતિથી ખાઈ લેવું જોઈએ. અને મહિલાઓ જાણે છે કે તેના પરિવાર  માટે શું યોગ્ય છે. હવે જોવાનું એ રહેશે કે અમિતાભની સલાહ બીરેન અને તેના લગ્ન જીવન પર કેવી અસર કરે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આવી ખાટી-મીઠી વાતો શો માં ચાર ચાંદ લગાવે છે.

 

November 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક