• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - against
Tag:

against

Shiv Sena leader's murder Charges against Maurice Noronha's bodyguard appear justified - court
મુંબઈ

અભિષેક ઘોસાળકરના હત્યારા મોરિસ નોરોન્હાના બોડીગાર્ડને ઝટકો; જામીન અરજી ફગાવી, કોર્ટે મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપો ગણાવ્યા યોગ્ય

by kalpana Verat March 13, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

 Shiv Sena leader’s murder: ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર અને મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની દહીસર માં ગત મહિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દહિસરમાં એક કાર્યક્રમમાં મોરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાલકરને પાંચ ગોળીઓ મારી હતી. ઘોસાલકરને ગોળી માર્યા બાદ મોરિસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી મૌરીસ નોરોન્હાના બોડીગાર્ડની ધરપકડ કરી હતી. આ પછી બોર્ડીગાડે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અરજીમાં તેણે દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.

કોર્ટે બોડીગાર્ડ સામેના આરોપોને વ્યાજબી ગણાવ્યા

હવે આ મામલે કોર્ટે જામીન અરજી ફગાવતા મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપોને વ્યાજબી ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે એ તપાસ થવી જોઈએ કે શું બોર્ડીગાર્ડએ નોરોન્હાને બંદૂક આપી હતી અને ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એડિશનલ સેશન્સ જજ રાજેશ સસાણેએ 5 માર્ચે અમરેન્દ્ર મિશ્રાની જામીન નકારતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ઘોસાલકરની હત્યા માટે અંગરક્ષકની બંદૂકનો ઉપયોગ કર્યો 

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે નોરોન્હાએ મિશ્રાની બંદૂકનો ઉપયોગ ઘોસાલકરને ગોળી મારવા માટે કર્યો હતો અને બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે મૌરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાલકરને તેના અંગરક્ષકની બંદૂકનો ઉપયોગ કરીને માર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હૈદરાબાદમાં આ રેસ્ટોરન્ટે રમઝાન દરમિયાન કરી એવી ઓફર આપી, લોકોની ઉમટી ભીડ… પોલીસે કર્યો લાઠીચાર્જ… જુઓ વિડીયો..

અમરેન્દ્ર મિશ્રાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ 

મહત્વનું છે કે અમરેન્દ્ર મિશ્રાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મિશ્રા પર આર્મ્સ એક્ટની કલમ 29(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે વ્યક્તિ પાસે તેને રાખવાની કાયદેસરની પરવાનગી છે કે કેમ તેની ખાતરી કર્યા વિના કોઈને હથિયાર સોંપવાના ગુના સાથે સંબંધિત છે. વિગતવાર ઓર્ડર મંગળવારે ઉપલબ્ધ થયો.

જણાવી દઈએ કે મોરિસ નોરોન્હા ઘણા કેસોમાં આરોપી છે, અગાઉ  તેની બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેણે લગભગ પાંચ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા. તેની પત્નીએ પોલીસને પુછપરછમાં જણાવ્યું હતું કે નોરોન્હા અને ઘોસાલકર વચ્ચે ઝઘડો થયો હતો. નોરોન્હાને શંકા હતી કે ઘોસાલકરે તેને બળાત્કારના કેસમાં ફસાવ્યો હતો.

 

March 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

શું અફઘાનીસ્તાનમાં ફરી આંતરીક સંઘર્ષ શરુ થશે? અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો, ઈદ બાદ તાલિબાન સામે યુદ્ધ શરૂ થશે ! 

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનમાં તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા કબજે કરી હતી. હવે ત્યાં અફરાતફરી અને યુદ્ધ છે. અફઘાનિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ સામી સદાતે તાલિબાનને લડવાનો પડકાર ફેંક્યો છે. સદાતે કહ્યું છે કે તે પૂર્વ સૈનિકો અને રાજકારણીઓને સાથે રાખી તાલિબાન સામે નવું યુદ્ધ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. લેફ્ટનન્ટ જનરલ સામી સદાતે તાલિબાનના હુમલા દરમિયાન દક્ષિણ પ્રાંત હેલમંદમાં અફઘાનિસ્તાનના સરકારી સુરક્ષા દળોની કમાન સંભાળી હતી. બીબીસીએ તેમને ટાંકીને જણાવ્યું છે કે, આઠ મહિનાના તાલિબાન શાસને ઘણા અફઘાનોને વિશ્વાસ અપાવ્યો છે કે લશ્કરી કાર્યવાહી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.

આ સમાચાર પણ વાંચો : સવાધાન રહેજો. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ

સામી સદાતે કહ્યું કે, આગામી મહિને ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેઓ આ સમયગાળામાં જ અફઘાનિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અને અન્ય લોકો અફઘાનિસ્તાનને તાલિબાનથી મુક્ત કરવા અને લોકશાહી વ્યવસ્થા ફરીથી સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય એટલું બધું જ કરશે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી અમને આઝાદી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. તાલિબાનના આઠ મહિનાના શાસનમાં અમે અફઘાનિસ્તાનમાં જે જોયું છે તે રાજકીય હેતુઓ માટે ધાર્મિક પ્રતિબંધો અને પવિત્ર કુરાનને ખોટી રીતે ટાંકવા, ખોટું અર્થઘટન અને દુરૂપયોગ કરવા સિવાય બીજું કશું જ નથી. અફઘાનિસ્તાનમાં ૩૬ વર્ષીય સામી સદાત અફઘાન સેનાના સર્વોચ્ચ પદ પર રહેનાર અધિકારી હતા. એમની આગેવાની હેઠળની અફઘાન સેનાએ પ્રાંતની રાજધાનીમાં તાલિબાનને ઘૂંટણિયે પાડી દીધું હતું.

 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bombay HC asks police not to take action against Rakhi Sawant till Jan 24 in case filed by Sherlyn Chopra
મનોરંજન

બોલિવૂડ ની ડ્રામા ક્વીન ની મુશ્કેલી વધી, અભિનેત્રી વિરુદ્ધ કેસ થયો દાખલ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh April 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત 9Rakhi Sawant) અવારનવાર પોતાના અસામાન્ય લુકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી એક વિચિત્ર પ્રકારના કપડામાં જોવા મળી હતી. આ લુકને અભિનેત્રીએ આદિવાસી લુક (Aadivasi look)ગણાવ્યો હતો. તેણે ડાન્સ પણ કર્યો.આ લુકને લઈને હવે રાખી સાવંતની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેત્રી વિરુદ્ધ રાંચીના પોલીસ 9Ranchi police station) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાખીનો પોશાક 'આદિવાસી' ગણાવતો વીડિયો વાયરલ થયા બાદ ઝારખંડની (Jhgarkhand) સેન્ટ્રલ સરના કમિટીએ કેસ નોંધ્યો છે. સેન્ટ્રલ સરના કમિટીએ ફરિયાદ નોંધાવી છે અને અભિનેત્રી પાસેથી માફી માંગવાની માંગ કરી છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઝારખંડની સેન્ટ્રલ સરના કમિટી (Jharkhand central sir comeete) રાખી સાવંતના વાયરલ વીડિયોથી (Viral video) ખુશ નથી. વીડિયોમાં રાખી પોતાના લુકને 'આદિવાસી' કહી રહી છે. વીડિયોમાં તે કહે છે, "હે મિત્રો, આજે તમે મારો ડ્રેસ જોઈ રહ્યા છો… આખો આદિવાસી જેને આપણે કહીએ છીએ તે છે." વાસ્તવમાં, રાખી સાવંતનું નવું ગીત 'મેરે વર્ગા' રિલીઝ થવાનું છે. આ ગીતને પ્રમોટ કરવા માટે રાખી સાવંત અતરંગી આઉટફિટમાં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : આ OTT પ્લેટફોર્મની સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડરના સબસ્કાઈબ માં ધરખમ ઘટાડો, કંપનીના શેરો ઉંધા માથે પટકાયા

રાખી સાવંતના (Rakhi Sawant) પોશાક વિશે વાત કરીએ તો, તેણીએ ન્યૂડ રંગ નો મલ્ટી-લેયર્ડ મીની સ્કર્ટ, સ્ટોન સ્ટડેડ બ્રાલેટ  ટોપ અને તેના માથા પર પીંછાઓથી સજ્જ ભારે તાજ પહેર્યો હતો. આ લુકમાં ડાન્સ કરતી વખતે તેણે કહ્યું કે આ મારો 'આદિવાસી લૂક' છે. સેન્ટ્રલ સરના કમિટીએ તેમના વાયરલ વીડિયો (Viral video)સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે રાખીએ તેના ડ્રેસને આદિવાસી ગણાવીને આદિવાસી સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આ ઈવેન્ટને લઈને અભિનેત્રીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.

April 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શાહિદ કપૂરની મૂવી ‘જર્સી’ પર લાગ્યો આ આરોપ, ફિલ્મ વિરુદ્ધ દાખલ થયો કેસ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh April 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ જર્સીની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય લીધો છે. પહેલા આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે તે 22 એપ્રિલે રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જર્સીની રિલીઝ ડેટ ફિલ્મ KGF ચેપ્ટર 2 સાથે ક્લેશ ના થાય તે માટે તેને આગળ વધારવામાં આવી છે.આ દરમિયાન ફિલ્મ જર્સીને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.એક મીડિયા હાઉસ ના અહેવાલો અનુસાર, એક લેખકે  ફિલ્મના નિર્માતાઓ પર વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. લેખક  દાવો કરે છે કે ફિલ્મની વાર્તા તેમની છે, જે નિર્માતાઓએ તેમની ફિલ્મ માટે ચોરી કરી છે. જેના માટે તેણે જર્સીના નિર્માતાઓ સામે કેસ પણ દાખલ કર્યો છે.

મુંબઈ હાઈકોર્ટમાં ગઈકાલે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવા પાછળ પણ આ કારણ હોવાનું કહેવાય છે. અગાઉ એક નિવેદનમાં, જર્સીના નિર્માતા અમન ગિલે કહ્યું હતું કે, "એક ટીમ તરીકે, અમે જર્સીમાં અમારું લોહી, પરસેવો અને આંસુ વહાવ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારી પ્રિય ફિલ્મ તમારા બધા સુધી વ્યાપક રીતે પહોંચે. જર્સી હવે 22 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મ 'જર્સી'માં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ત્યાં અભિનેત્રી મૃણાલ ઠાકુર તેની પત્નીના રોલમાં જોવા મળશે. ફિલ્મ જર્સી સાઉથ સિનેમામાં આ જ નામની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બીજી તરફ શાહિદ કપૂરની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2019માં આવેલી ફિલ્મ કબીર સિંહમાં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન એક સમયે તેની આ આદતથી હતો પરેશાન, એક પુસ્તકની મદદથી મળ્યો છુટકારો; જાણો વિગત

શાહિદ ની ફિલ્મ કબર સિંહ પણ સાઉથની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. જે બાદ શાહિદ કપૂરના ફેન્સ તેને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ એવા પણ અહેવાલ છે કે ફિલ્મ KGF ચેપ્ટર 2ને કારણે જર્સીની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. કન્નડ અભિનેતા યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. યશના ચાહકો KGF ચેપ્ટર 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે.

April 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડ ના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની મુસીબત વધી,આ કેસમાં તેની વિરુદ્ધ ચાર્જશીટ થઇ દાખલ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh April 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વર્ષ 2020માં નોંધાયેલા યૌન ઉત્પીડન અને પીછો કરવાના કેસમાં પોલીસે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગણેશ આચાર્ય પર એક મહિલા કો-ડાન્સરે આરોપ લગાવ્યો હતો. પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ગણેશ આચાર્ય અને તેમના એક સહાયક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદની તપાસ કરી રહેલા ઓશિવારા પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે આ અંગે  તાજેતરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, અંધેરીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

મહિલાના જણાવ્યા અનુસાર, ગણેશ આચાર્યએ તેને વર્ષ 2019માં કથિત રીતે કહ્યું હતું કે જો તેણીને સફળતા જોઈતી હોય તો તેણે તેની સાથે સેક્સ કરવું પડશે. જ્યારે તેણીએ 2020 માં આયોજિત મીટિંગમાં આચાર્યની કાર્યવાહીનો વિરોધ કર્યો, ત્યારે કોરિયોગ્રાફરે કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના સહાયકે તેના પર હુમલો કર્યો. તેણીની ફરિયાદમાં, નૃત્યાંગનાએ કહ્યું છે કે જ્યારે ગણેશ આચાર્ય તેની જાતીય માંગને નકારી કાઢતા ત્યારે તેણીને અપમાનિત કરતા હતા. તેણે કહ્યું છે કે કોરિયોગ્રાફર્સ તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા, તેને પોર્ન ફિલ્મો બતાવતા હતા અને તેની છેડતી કરતા હતા.મહિલાની ફરિયાદ પર ગણેશ આચાર્ય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. બાદમાં, ગણેશ આચાર્યએ પણ આ કેસમાં મહિલા સામે માનહાનિનો દાવો કર્યો હતો.છ મહિના પછી, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા તેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ મામલો હવે 2 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાન અને આલિયા ભટ્ટ પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે! આ ખાસ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ ;જાણો વિગત

ગણેશ આચાર્ય અને તેમના સહાયક પર કલમ ​​354-A (જાતીય સતામણી), 354-C, (વોય્યુરિઝમ), 354-D (પીછો કરવો), 509 (મહિલાની મર્યાદાનું અપમાન ), 323 ( ઇજા પહોંચાડવી), 504 (ઇરાદાપૂર્વક અપમાન), 506 (ગુનાહિત ધમકી) અને 34 (ગુના કરવાનો ઇરાદો). હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હજુ સુધી આ મામલે ગણેશ આચાર્ય કે તેમના વકીલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

April 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સતત 29 વર્ષ સુધી જીતનારી ટીમ ઈંડિયા ક્યાં ચૂકી ગઇ? જાણો કારણો

by Dr. Mayur Parikh October 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021

સોમવાર

વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ-યુદ્ધમાં વિજય હંમેશાં ભારતના નામે જ લખાયો છે. રવિવારે દુબઈમાં ટીમ ઈંડિયા હારી ગઇ. 29 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું. વર્ષ 1992 પછી પ્રથમવાર કેપ્ટન વિરાટ કોહલીના નામે આ અનિચ્છનીય રેકોર્ડ ઉમેરવામાં આવ્યો છે. મોહમ્મદ અઝહરુદ્દીનથી લઈને મહેન્દ્રસિંહ ધોની સુધી કોઇપણ કેપ્ટને આ દિવસ જોવો પડ્યો નથી. જોકે ક્રિકેટ એ તો માત્ર ખેલ છે. દરેક કેપ્ટનની કારકિર્દી અને ટીમમાં ઉતાર-ચઢાવ આવે છે.

ક્યાં ચૂકી ગઇ ટીમ ઈંડિયા?

– પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલી ટોસ હારી ગયો અને આ સાથે ભારતની હાર પણ નક્કી થઈ ગઈ.

– ભારતીય ટીમને સૌથી વધુ અપેક્ષા તેના ઓપનરો પાસેથી હતી, પરંતુ રોહિત શર્મા અને કે.એલ રાહુલ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.

– ભારતીય ટીમે કુલ 46 ડોટ બોલ રમ્યા, જેના કારણે દબાણ વધ્યું. 

– પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ મેચની શરૂઆતમાં જ જોરદાર બોલિંગ કરી હતી. ભારતની ટીમ ત્યાં જ ફેલ થઈ.

– આઈપીએલમાં જેના વખાણ થયેલા એ વરુણ ચક્રવર્તીની બોલિંગ અહીં સંપૂર્ણ નિષ્ફળ રહી હતી.

થાણેના હાઈ ક્લાસ વિસ્તારોમાં ઉગાડ્યા ગાંજાના છોડ; યુવા વર્ગને લાગી કેવી લત? જાણો વિગત

આ વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી T-20ની કેપ્ટનશિપ છોડી દેશે, પરંતુ જતા જતા વિરાટે પાકિસ્તાન સામે હારવાની પીડા લઈને જવું પડશે. ખબર નહિ હવે આ વર્લ્ડકપમાં કે આગળ પાકિસ્તાન વિરુદ્ધ તેમને પોતાની હારનો બદલો લેવાનો મોકો મળશે કે નહીં. 

– આ છે ટીમ ઇન્ડિયાના પહેલાંના રેકોર્ડ 

ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 12-0 હતો. વન-ડે વર્લ્ડકપમાં 7 વાર પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. જ્યારે T20 વર્લ્ડ કપમાં 5 વખત ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી હતી. આજ સુધી વન-ડેમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી ક્યારેય હારી નથી. વર્ષ 1997માં લાહોરમાં ભારતે 9 વિકેટની હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીના નેતૃત્વમાં આ બીજી હાર હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ લિમિટેડ ઓવર ક્રિકેટમાં 10 વિકેટથી હારવું પડ્યું છે. આ પહેલાં જાન્યુઆરી 2020માં વિરાટ કોહલીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને મુંબઈમાં 10 વિકેટથી હરાવી હતી.

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મમતા બેનર્જી સામે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે આ મહિલા; જાણો તેમનો પોલિટિકલ પ્રોફાઇલ

by Dr. Mayur Parikh September 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

 

પશ્ચિમ બંગાળમાં થનારી પેટાચૂંટણીમાં મમતા બેનર્જી સામે ભવાનીપુર સીટથી ભાજપનાં પ્રિયંકા ટીબરેવાલ ઝંપલાવી શકે છે. બંગાળની આ સહુથી હૉટ સીટ છે. ભાજપ ગુરુવારે વકીલ પ્રિયંકા ટીબરેવાલના નામની જાહેરાત કરી શકે છે.

આ સંદર્ભે પ્રિયંકા ટીબરેવાલે જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને ભવાનીપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા છે કે નહીં તે બાબતે પૂછ્યું છે. આ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે બીજેપીમાં ઘણાં નામો પર ચર્ચા ચાલી રહી છે.  

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

 પ્રિયંકા ટીબરેવાલ રાજકારણમાં આવ્યાં એ પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનાં કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યાં છે. સુપ્રિયોના કહેવા ઉપર જ તેઓ વર્ષ ૨૦૧૪માં બીજેપીમાં જોડાયાં હતાં. વર્ષ ૨૦૧૫માં ટીબરેવાલે ભાજપના ઉમેદવાર તરીકે એટલીથી કોલકાતા નગર પરિષદની ચૂંટણી લડી હતી પણ તેઓ હારી ગયાં હતાં. ભાજપમાં જોડાયાંનાં છ વર્ષમાં પ્રિયંકા ટીબરેવાલે ઘણા મહત્ત્વપૂર્ણ મોરચે કામ સંભાળ્યું છે. ઑગસ્ટ ૨૦૨૦માં તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યાં હતાં.

September 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

નહેરુ-ગાંધી પરિવાર પરના ‘બદનક્ષીભર્યા’ વીડિયો માટે પાયલ રોહતગી વિરુદ્ધ FIR; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh September 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

બુધવાર

પુણેમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, પાયલ રોહતગીએ એક વીડિયોમાં આ લોકો વિશે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ IPC કલમ 153A, 500, 505 (2) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમજ, અગાઉ તેમણે સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના વિશે મોટો વિવાદ ઉભો થયો હતો. પાયલે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, 'મને લાગે છે કે કોંગ્રેસ પરિવાર ત્રિપલ તલાકની વિરુદ્ધ હતો કારણ કે મોતીલાલ નહેરુને પાંચ પત્નીઓ હતી. તેમજ  મોતીલાલ જવાહરલાલ નહેરુના સાવકા પિતા હતા. તેમણે પોતાના દાવા પાછળ એલેના રામકૃષ્ણ ની બાયોગ્રાફી નો હવાલો આપ્યો હતો. તેના આ વીડિયો પર ભારે હંગામો કર્યા બાદ રાજસ્થાન પોલીસે IT એક્ટની કલમ 66 અને 67 હેઠળ કેસ નોંધ્યો હતો.

દીપિકા પાદુકોણ હૉલિવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં, બીજી હૉલિવુડ ફિલ્મ કરી સાઇન

જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાયલ મુશ્કેલીમાં હોય અથવા તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હોય. આ પહેલા પણ અભિનેત્રીની અનેક વખત ધરપકડ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા પાયલ પર સોસાયટીના ચેરમેન સાથે દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

September 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક