Tag: agents

  • Janseva Kendra: અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઉધના અને મજુરાના મામલતદારોએ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરા પોલીસને રજૂઆત કરી

    Janseva Kendra: અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઉધના અને મજુરાના મામલતદારોએ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરા પોલીસને રજૂઆત કરી

    News Continuous Bureau | Mumbai

    Janseva Kendra: સુરતના ( Surat ) મજુરા તથા ઉધના વિસ્તાર માટે કાર્યરત અઠવાલાઈન્સ ( Athwalines ) સ્થિત જનસેવા કેન્દ્રમાં આવકના, નોન ક્રિમિલીયર સર્ટીફિકેટ, EWS સહિતના વિવિધ દાખલાઓ માટે મોટા પ્રમાણમાં અરજદારોનો ધસારો રહે છે. હાલમાં શાળા/કોલેજના એડમિશનની પ્રક્રિયા તેમજ “નમો લક્ષ્મી યોજના” ( Namo Lakshmi Yojana ) હેઠળ સહાય આપવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલતી હોવાથી કામ અર્થે મોટી સંખ્યામાં અરજદારો, વિદ્યાર્થીઓની અવરજવર રહે છે, ત્યારે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ કેટલીક ન્યુઝ ચેનલ તથા તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ VTV ન્યુઝ ચેનલમાં અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો ( Agents ) દ્વારા દાખલાઓની જરૂરિયાત ધરાવતા અરજદારો પાસેથી નાણા લઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવા અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. 

    જેથી મામલતદારોએ તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે જનસેવા કેન્દ્રની ( Janseva Kendra ) આકસ્મિક મુલાકાત લેતા રમેશભાઈ ઠાકરશીભાઈ દેસાઈ અને ઉમાકાન્ત રમેશભાઈ કોથળે નામના બે શંકાસ્પદ વ્યક્તિઓ આ પ્રકારનું કામ કરતા હોવાનું જણાતા આ બંન્ને વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉધના અને મજુરા મામલતદારોએ ( Mamlatdars ) ઉમરા પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખીને રજૂઆત રજૂઆત કરી છે. 

    આ સમાચાર  પણ વાંચો: Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માર્ચ 2023ની ઉજવણી વુમન્સ મન્થ તરીકે કરશે જેમાં તમામ મહિલાઓ અને એજન્ટો માટે વિશેષ ઑફર્સ છે

    આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માર્ચ 2023ની ઉજવણી વુમન્સ મન્થ તરીકે કરશે જેમાં તમામ મહિલાઓ અને એજન્ટો માટે વિશેષ ઑફર્સ છે

    News Continuous Bureau | Mumbai

    • સમગ્ર ભારતમાં તમામ મહિલાઓને આરોગ્ય તપાસ અને મોટર આસિસ્ટન્સની ઓફર
    • IL ના મહિલા એજન્ટો માટે સર્વસમાવેશક નોલેજ વર્કશોપ

    મુંબઈ, તા. 06 માર્ચ, 2023: ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે જાહેરાત કરી કે તે મહિલાઓને તેમની ભૌતિક અને નાણાકીય સુખાકારીમાં સશક્તિકરણ કરવાના પ્રયાસરૂપે માર્ચ મહિનાની ઉજવણી વુમન્સ મન્થ તરીકે કરશે. કંપની સર્વસમાવેશક આરોગ્ય તપાસની ઓફર કરશે, જે ભારતમાં મુખ્ય સ્થળોએ વહેલો તે પહેલોના ધોરણે 10,000 મહિલાઓ માટે ઉપલબ્ધ હશે. વધુમાં, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કંપની મહિલા એજન્ટો અને બ્રોકરોની ભરતી અને શિક્ષિત કરવા માટે એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. મહિલાઓ આ સમગ્ર મહિના દરમિયાન રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ (આરએસએ)નો પણ લાભ લઈ શકશે.

    આ પહેલના ભાગરૂપે, હેલ્થ ડાયગ્નોસ્ટિક ચેક-અપ્સમાં સીબીસી, થાઇરોઇડ પ્રોફાઇલ, વિટામિન ડી અને બી12, આરબીએસ, ફેરાટીન (આયર્ન સ્ટડી)ને આવરી લેવામાં આવશે. ભારતમાં તમામ સ્થળોએ મહિલાઓ અમારી IL TakeCare એપ દ્વારા આ સેવાઓનો લાભ લઈ શકે છે, જે તેમના આરોગ્ય અને વીમાની જરૂરિયાતો પૂરી કરવા માટે અનુકૂળ અને ઉપયોગમાં સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

    આ ઉપરાંત, વીમાદાતા મહિલા મોટરચાલકોને કોમ્પલિમેન્ટરી રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ (આરએસએ) પણ ઓફર કરે છે જ્યાં તેઓ કારના બ્રેકડાઉન, અકસ્માત, ફ્લેટ ટાયર, ઇંધણ ખૂટી જવું, ઈલેક્ટ્રીકલ ફેલ્યોર વગેરે માટે ઓડ અવર્સમાં સહાય મેળવી શકશે. મહિલા મોટરચાલક આખા મહિના દરમિયાન સહાયતા માટે IL ની કસ્ટમર કેરને કૉલ કરી શકશે.

    નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-5) અનુસાર, ભારતમાં 15-49 વય જૂથની માત્ર 30 ટકા મહિલાઓ આરોગ્ય માટે કવચ ધરાવે છે. આને કારણે મહિલાઓનો વિશાળ વર્ગ વીમા કવચ વગરનો રહે છે. આ માટે મુખ્યત્વે જાગૃતિ, નાણાકીય શિક્ષણ અને સુલભતાના અભાવના કારણો જવાબદાર છે. આજે, જેમ જેમ મહિલાઓ સફળતાની સીડી સર કરી રહી છે અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં પોતાની છાપ ઉપસાવી રહી છે, ત્યારે માત્ર તેમના આરોગ્યની જ નહીં પરંતુ તેમના નાણાકીય સ્વાસ્થ્યની પણ સુરક્ષા કરીને, તેમને આરોગ્ય વીમાના સ્તરમાં લાવવા હિતાવહ છે અને તેમના પરિવારો અને સમાજમાં તેમનું મૂલ્યવાન યોગદાન જાળવી રાખવું જરૂરી છે.

    આ સમાચાર પણ વાંચો :  સુવર્ણ તક.. હોળી પર સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની ઓફર, આ 4 જ દિવસ મોકો મળશે

    આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં અમે મહિલાઓના શારીરિક અને નાણાકીય બંને આરોગ્ય સંબંધે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પરંપરાગત રીતે સમગ્ર પરિવારની સંભાળ રાખતી મહિલાઓ ઘણીવાર તેમના પોતાના આરોગ્યની અવગણના કરે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (આઈડબલ્યુડી) પર, અમે એક કંપની તરીકે તેમના ભરપૂર યોગદાનને સન્માનવા માંગીએ છીએ અને આ પહેલ દ્વારા મહિલાઓમાં તેમના આરોગ્યની જવાબદારી સંભાળવા માટે જાગૃતિ પ્રસરાવવા માંગીએ છીએ. વધુમાં, એક સેગમેન્ટ તરીકે વીમા ક્ષેત્રે મહિલાઓને ખૂબ ઓછું કવચ છે, તેથી તે પરિવર્તનને વેગ આપવા અને વધુ મહિલાઓને તેમના વીમા અને નાણાકીય નિર્ણય લેવામાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયાસ છે.

    આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ભારતમાં સામાન્ય વીમા પ્રત્યે મહિલાઓની જાગૃતિ અને વલણ અંગેના તાજેતરના સર્વેક્ષણમાં કેટલાક મુદ્દાને પણ સ્પર્શવામાં આવ્યા હતા જે દેખીતી રીતે મહિલાઓ દ્વારા વીમા પ્રોડક્ટ્સની ખરીદીને નિયંત્રિત કરે છે. સર્વેક્ષણ મુજબ, 40 વર્ષથી વધુ ઉંમરની 60 ટકા આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓએ સામાન્ય વીમો ખરીદ્યો હતો.

    વધુ મહિલાઓને તેમની નાણાકીય સ્વતંત્રતાની જવાબદારી સંભાળવા પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના રિપોર્ટના તારણો પર આધારિત, વીમા અને નાણાકીય સાક્ષરતા પરના વિશિષ્ટ દરજ્જાના કાર્યક્રમ માટે તેના મહિલા એજન્ટોની પણ નોંધણી કરશે. મહિલાઓ માટે આ વિશેષ ઓફરો જાગરૂકતા કેળવવા અને વીમા પોલિસીના લાભો દર્શાવવા માટે પણ સજ્જ છે. આ પહેલ તેના કર્મચારીઓ, ગ્રાહકો, એજન્ટો અને ચેનલ ભાગીદારો માટે સર્વસમાવેશક અને વૈવિધ્યસભર વાતાવરણ બનાવવાના કંપનીના વિઝનને અનુરૂપ છે.

    આ સમાચાર પણ વાંચો :  મિશન ઝીરો સ્ક્રેપ… ભંગાર વેચીને વેસ્ટર્ન રેલવેએ અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી.. આવકનો આંકડો જાણીને ચોંકી જશો..