Tag: Ahmedabad Police

  • Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો

    Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai 

    Tiku Talsania and Mansi Parekh: ગુજરાતી ફિલ્મ ‘મિસ્રી’ ના પ્રમોશન દરમિયાન 71 વર્ષના દિગ્ગ્જ એક્ટર ટીકૂ તલસાનિયા અને અભિનેત્રી માનસી પારેખ એ અમદાવાદ ના  વ્યસ્ત રસ્તાઓ પર ખતરનાક બાઈક સ્ટંટ કર્યો હતો.આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.

    આ સમાચાર પણ વાંચો : Battle of Galwan: સલમાન ખાન ની ‘બેટલ ઑફ ગલવાન’માં થઇ આ સુપરસ્ટાર ની એન્ટ્રી? એક તસવીરથી શરૂ થઈ ચર્ચા

    વિડિયો વાયરલ: ટાઇટાનિક પોઝ અને બાઈક પર ઊભા રહી સ્ટંટ

    વિડિયોમાં માનસી પારેખને ટાઇટાનિક પોઝમાં બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા અને ટીકૂ તલસાનિયાને બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા જોઈ શકાય છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટી હોવું એનો અર્થ નથી કે તમે કાયદા તોડો.અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે – ક્રાઈમ રજિસ્ટર નંબર 11191051250588/2025. IPC કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ આ કેસ નોંધાયો છે, જે લાપરવાહી અને જાહેર સુરક્ષા માટે જોખમ ઉભું કરવાના ગુનાઓ સાથે સંકળાયેલ છે.


    સોશિયલ મીડિયા પર લોકોમાં બે મત છે – કેટલાકે આને “ક્રિએટિવ પ્રમોશન” ગણાવ્યું છે, જ્યારે ઘણા લોકોએ તેને “ખતરનાક અને બેદરકાર” પગલું ગણાવ્યું છે. ઘણા યુઝર્સે જાહેર માફી અને કડક દંડની માંગ કરી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sarangpur Bridge: કાલુપુર રિડેવલપમેન્ટ માટે આ તારીખથી દોઢ વર્ષ માટે રહેશે બંધ સારંગપુર બ્રિજ, જાણો વૈકલ્પિક રૂટ…

    Sarangpur Bridge: કાલુપુર રિડેવલપમેન્ટ માટે આ તારીખથી દોઢ વર્ષ માટે રહેશે બંધ સારંગપુર બ્રિજ, જાણો વૈકલ્પિક રૂટ…

    News Continuous Bureau | Mumbai

    Sarangpur Bridge: અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી નીચે મુજબની વિગતે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવે છે.

    હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશન રી-ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. જેના ભાગરૂપે રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને ટ્રાફિકની કોઇ સમસ્યા ઉદભવે નહિ તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરું છું.

    આ સમાચાર પણ વાંચો  :CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.

    વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :-

    આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ ધરાવતો સારંગપુર બ્રિજ બન્ને છેડાથી વાહનવ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

    વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની વિગત :
    ૧. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

    ૨. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.

    ૩. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરિયા ગીતા મંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

    ૪. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
    તેમજ ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે.

    આ સમાચાર પણ વાંચો  :Ration Card Rules: જલ્દી કરો, આજે અંતિમ દિવસ, આવતીકાલથી બદલાઈ જશે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ …

    આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨/૧/૨૦૨૫થી તા.૩૦/૬/૨૦૨૬ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા સુધી કરવાનો રહેશે.

    આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

    આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ahmedabad Road Accidents: અમદાવાદમાં માર્ગ અકસ્માતોમાં થયો ઘટાડો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની આ કામગીરીની કરી સરાહના.

    Ahmedabad Road Accidents: અમદાવાદમાં માર્ગ અકસ્માતોમાં થયો ઘટાડો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની આ કામગીરીની કરી સરાહના.

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Road Accidents: અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી છે.  

    અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના ( Road Accidents ) બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ ( Ahmedabad Police ) શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે. 

    અમદાવાદ ( Ahmedabad Road Accidents ) શહેરના બંને ટ્રાફિક ઝોનમાં તા.૧લી જાન્યુઆરી થી તા. ૩૧મી ઓક્ટોબર-૨૦૨૩ સુધી ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં આ જ સમયગાળા દરમિયાન ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩માં ૧૨૦૩ માર્ગ અકસ્માતો અને ૪૧૯ માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં આ માર્ગ અકસ્માતો ઘટીને ૧૦૯૭ થયા છે અને માનવ મૃત્યુ ઘટીને ૩૨૯ થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં ૧૦૬ માર્ગ અકસ્માતો ( Ahmedabad traffic ) અને ૯૦ માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.

    આ સમાચાર પણ વાંચો :  Thar On Railway Track: મોતને આમંત્રણ!? રીલ બનાવવા માટે યુવકે રેલવે ટ્રેક પર દોડાવી થાર, ત્યારે અચાનક આવી માલગાડી; જીવ થયો અધ્ધર, જુઓ વિડીયો.. 

    અમદાવાદ ( Ahmedabad ) પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૨૯ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૫૫ થઇ છે. એટલે કે, ૭૪ માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૧૯૦ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૭૪ થઇ છે. એટલે કે, ૧૬ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Amit Shah Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહના હસ્તે થયું અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનરની ઓફિસનું લોકાર્પણ, કર્યું આ પોર્ટલનું ઉદઘાટન.

    Amit Shah Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહના હસ્તે થયું અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનરની ઓફિસનું લોકાર્પણ, કર્યું આ પોર્ટલનું ઉદઘાટન.

    News Continuous Bureau | Mumbai 

    Amit Shah Ahmedabad:  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

    અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ ( Ahmedabad Police  ) કમિશનર કચેરીનું નવું બિલ્ડીંગ બનવાથી મકાનની સુવિધાઓમાં વધારો થશે એટલું જ નહીં અમદાવાદ પોલીસ એક નવી કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરી શકશે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આશરે રૂ.140 કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીથી નિર્મિત અને આશરે 18000 સ્ક્વેર મીટરના વિસ્તારને આવરી લેતી સાત માળની પોલીસ કમિશનર કચેરીમાં કર્મચારીઓની ફિટનેસ માટેની સુવિધાઓ જેવી કે જીમ, નાગરિકો માટે પાર્કિંગ, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટીના સાધનો અને સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ આધુનિક ઇમારત માત્ર સુરક્ષા સુનિશ્ચિત કરશે એટલું જ નહીં, પણ અહીં એક પોલીસ મ્યુઝિયમ પણ છે, જે શરૂઆતથી અત્યાર સુધી અમદાવાદની ( Ahmedabad  ) સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંને પ્રદર્શિત કરશે.

    તેમણે ( Amit Shah ) કહ્યું કે નાગરિકોની સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ કર્મચારીઓની યાદમાં અહીં એક સુંદર સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સુવિધા કેન્દ્ર અને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જે અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લેશે અને સમગ્ર શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

    અમિત શાહે જણાવ્યું હતું કે, નવા પોલીસ કમિશનરની કચેરીની ( Police Commissioner Office ) ઇમારતમાં ‘સાયબર સાથી’ પુસ્તકના શુભારંભની સાથે ‘જોઇન્ટ ઇન્કવાયરી સેન્ટર’ અને ‘તેરા તુઝકો અર્પણ’ પોર્ટલનું ઉદઘાટન પણ થયું હતું. પ્રથમ બે પહેલનો હેતુ સાયબર ક્રાઇમથી ( Cyber Saathi ) પ્રભાવિત લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેમના ખોવાયેલા નાણાંને પુન:પ્રાપ્ત કરવામાં સહાય કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ‘સંયુક્ત પૂછપરછ કેન્દ્ર’ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે જેથી કેન્દ્રીય એજન્સીઓ અને અમદાવાદ પોલીસ રમખાણો, આતંકવાદી હુમલાઓ અને અશાંતિની અન્ય પરિસ્થિતિઓમાં યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરી શકે.

    કેન્દ્રીય ગૃહ મંત્રીએ સમજાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતની આંતરિક સુરક્ષાનાં પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક દાયકા પહેલાં દેશમાં ત્રણ મુખ્ય હૉટસ્પૉટ હતાં – કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલપ્રભાવિત વિસ્તારો – જ્યાં બૉમ્બધડાકા એટલા સામાન્ય હતા કે તેઓ ભાગ્યે જ સમાચાર આપતા હતા. તેને સામાન્ય ગણવામાં આવતું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં સ્થાયી અને વ્યવસ્થિત પગલાં લેવાને કારણે તથા સુરક્ષા અને વિકાસનાં પરિપ્રેક્ષ્યમાં સમર્પિત કામગીરીને કારણે આ ત્રણ હોટસ્પોટમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, રાજ્યનાં પોલીસ દળો સાથે દેશભરની સુરક્ષા એજન્સીઓએ કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મૃત્યુદરમાં 72 ટકા સુધીનો ઘટાડો કરવા સંયુક્તપણે કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, આ સફળતા દર્શાવે છે કે, આગામી દિવસોમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘આતંકવાદ મુક્ત ભારત’ એક વાસ્તવિકતા બનવા જઈ રહી છે.

    અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસની સંસ્કૃતિમાં કેટલાંક પરિવર્તનો લાવવા પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સક્રિય પોલીસ વ્યવસ્થા માટે સક્રિય, આગાહીયુક્ત અને વૈજ્ઞાનિક અભિગમની વિભાવના દેશ સમક્ષ રજૂ કરી છે. શ્રી શાહે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે ત્રણ નવા ફોજદારી કાયદાઓની રચના કરીને સંસ્થાનવાદી-યુગના ફોજદારી કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે અને તેનો અમલ સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે. આ કાયદાઓમાં ગુનાઓનો ઉકેલ લાવવા, ગુનાઓ અટકાવવા, ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવા અને વધુમાં વધુ ગુનેગારોને સજા કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી 100 વર્ષને ધ્યાનમાં રાખીને, કાયદાઓ ભવિષ્યની તકનીકીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેથી આગામી સદીમાં આ કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં. તપાસ, કાર્યવાહી અને અન્ય ન્યાયિક પ્રક્રિયાઓમાં થતા વિલંબને રોકવા માટે, ન્યાયિક પ્રક્રિયાના 83 કિસ્સાઓ પર પોલીસ, વકીલો અને ન્યાયાધીશો પર સમય મર્યાદા લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણ નવા કાયદાઓ લાગુ થયા બાદ જરૂરી માળખાગત સુવિધા વિકસાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક વખત આ સ્થિતિ અમલી બની ગયા બાદ આગામી ત્રણ વર્ષમાં ભારતની ગુનાહિત ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, નવા કાયદાઓ અમલી બનવાથી ન્યાયની સંપૂર્ણ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટમાંથી માંડીને ન્યાય સુધીની તમામ પ્રક્રિયા ત્રણ વર્ષની અંદર પૂર્ણ થઈ જશે, જેથી લોકોને સમયસર ન્યાય મળશે.

     અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતનાં અર્થતંત્રને 11મા સ્થાનેથી 5મું સ્થાન અપાવ્યું છે અને વર્ષ 2027 સુધીમાં આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનાં માર્ગે અગ્રેસર છીએ. આવા કટોકટીના સમયે, સાયબર સુરક્ષા સહિત આપણા રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને આર્થિક ગુનાઓને રોકવા માટે પોલીસ અધિકારીઓને મજબૂત કાનૂની સહાયની જરૂર છે. ત્રણ નવા ફોજદારી કાયદા પોલીસ અધિકારીઓને તેમના પ્રયત્નોમાં મજબૂત ટેકો પૂરો પાડશે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે તેના ભવ્ય ઇતિહાસમાં અનેક ટેકનોલોજીકલ ઇનોવેશન કર્યા છે. ‘ઇ-ગુજકોપ’, ‘બોડી-વોર્ન કેમેરા’ અને ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ જેવી પહેલથી ગુજરાત પોલીસને દેશના સૌથી આધુનિક પોલીસ દળોમાંના એક તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદ મળી છે, જે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે જે રીતે માદક દ્રવ્યો સામે એક મક્કમ ઝુંબેશ શરૂ કરી છે તે પ્રશંસનીય છે અને હવે તેની તપાસ માટે તેમને સમગ્ર દેશમાં એક ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો :  Organic Cotton Farming: સફેદ સોના તરીકે ઓળખાતા કપાસની પ્રાકૃતિક ખેતી કરવાથી થશે આ ફાયદાઓ, મળશે બમ્પર ઉત્પાદન.

     અમિત શાહે ઉલ્લેખ પણ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું સ્વપ્ન જોયું હતું. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં 1980 અને 1990ના દાયકામાં વારંવાર કરફ્યુનો અનુભવ થતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, અને રાજ્યમાં એક સુરક્ષિત વાતાવરણ ઊભું થયું છે.

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમ યોજ્યો

    Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમ યોજ્યો

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Police: નાગરિકો વ્યાજખોરોની ( Usury ) ચુંંગાલમાં ફસાઇ ઘણીવાર જીવનભરની બચત, દાગીના અને મિલકત ગુમાવતા હોય છે. એટલું જ નહીં વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે આત્મહત્યાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે વ્યાજખોરીનું ચક્ર અટકે અને તેમાં ફસાયેલા નાગરિકોને ત્વરિત છુટકારો મળે તે માટે ( Ahmedabad  ) અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ કરી છે. જેમાં ખોટી રીતે વ્યાજ વસૂલાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવવાની હિંમત આપવા તેમજ જરૂરિયાત ધરાવતા લોકોને વિશ્વસનીય સ્ત્રોત તરફથી ધિરાણ અપાવવા માટે આ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું ( Mega Lawn programme ) આયોજન થયું હતું. 

    શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.માલિકના અધ્યક્ષસ્થાને અને ઝોન-૪ના નાયબ પોલીસ કમિશ્નરશ્રી કાનન દેસાઈના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમમાં આશરે ૪૫૦થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી અનેક નાગરિકોને ધિરાણ માટે સ્થળ પર જ લોનની પ્રોસેસ ( Loan Interest ) કરાઈ હતી. આ ઉપક્રમથી અનેક નાગરિકો તણાવમુક્ત બન્યા હતા.

    આ અવસરે પોલીસ કમિશ્નરશ્રીએ નાગરિકોને વ્યાજખોરીના કિસ્સામાં ભયમુક્ત બની ફરિયાદ કરવા તેમજ જરૂરિયાતના સમયમાં બેન્ક જેવી આધારભૂત જગ્યાએથી પરવડે તેવા વ્યાજ સાથે ધિરાણ મેળવવા સૂચવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો: PM Vishwakarma Yojana: PM વિશ્વકર્મા યોજના કારીગરો અને 18 વેપારના કારીગરો કે જેઓ તેમના હાથ અને સાધનો વડે કામ કરે છે તેમને એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે

    કાર્યક્રમમાં અમદાવાદ મનપાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ ઝોન-૪ સમગ્ર પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી ‘પોલીસ પ્રજાનો મિત્ર’ હોવાની અનુભૂતિ કરાવી હતી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)