• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - allegations - Page 3
Tag:

allegations

મુંબઈ

શોકિંગ! સત્તાધારીએ બેસ્ટના ઈ-બસના કોન્ટ્રેક્ટ પાકિસ્તાની એજેન્ટને આપ્યા, ભાજપના આ નેતાએ વિધાનસભામાં કર્યો ચોંકાવનારો આરોપ… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની ઈ-બસના કોન્ટ્રેક્ટને લઈને ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં ગંભીર જ આરોપ કર્યા છે.
યુરોપિયન યુનિયન સહિત વિશ્વના અનેક દેશોએ જેને કૌભાંડબાજ તરીકે જાહેર કર્યો છે અને પનામા પેપર્સમાં જેનું નામ આવ્યું છે, તે પાકિસ્તાની એજેન્ટને બેસ્ટની ઈ-બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનો આરોપ વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં કર્યો છે.

વિધાનસભાના બજેટની ચાલી રહેલી ચર્ચા દરમિયાન આશિષ શેલારે એવો આરોપ કર્યો હતો કે બેસ્ટના કાફલામાં નવી ઈ-બસ લેવામાં આવવાની છે. આ બસના પહેલા ટેન્ડર એ ફક્ત 200 બસ માટે કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી બસની સંખ્યા વધારીને 900 કરવામાં આવી હતી. ફરી તેમાં વધારો કરીને 1400 કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાના માથે કોરોનાની ચોથી લહેરનું જોખમ, મુંબઈ મનપા થઈ સજ્જ. કરી લીધી આ તૈયારીઓ.. જાણો વિગતે

મુંબઈના રસ્તા પર તેની ટેસ્ટ નહીં કરતા આટલી મોટી સંખ્યામાં બસ ખરીદવામાં આવી રહી છે અને જે કંપની સાથે આ કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તેના વ્યવહારમાં ગડબડ હોવાનો આરોપ પણ શેલારે કર્યો હતો. જે વિદેશી કંપની પાસેથી બસ ખરીદવામાં આવવાની છે, તેને 2,800 કરોડ રૂપિયા આપવાનું માન્ય કરવામાં આવ્યું છે. આ કંપનીની ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એ કેનેડાનો નાગરિક છે અને તેનુ નામ તુમુલૂરી છે અને તેને વૈશ્ર્વિક સ્તરે કૌભાંડબાજ જાહેર કરવામાં આવ્યો છે. તેણે યુરોપિયન યુનીયન સિહત માલ્ટા, કેનેડામાં હજારો કરોડ રૂપિયાના કૌંભાડ કર્યા હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. તુમુલૂરી સામે વિવિધ દેશમાં  ગંભીર સ્વરૂપના ગુના નોંધાયા છે.

જે કંપની સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તે કંપનીમાં બે મોટા રોકાણકારોના પૈસા છે, તેમના નામ પનામ પેપરમાં જાહેર થયા હતા. તેમાનો એક માણસ પાકિસ્તાની એજન્ટ હોઈ તે લિબિયામાં કામ કરે છે. તે હવાલા રેકેટ ચલાવવાનો કામ કરે છે અને તે શસ્ત્રો પણ પૂરા પાડે છે એવો આરોપ પણ આશિષ શેલારે કર્યો હતો.

March 19, 2022 0 comments
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પર લાગ્યો છેતરપિંડી નો ગંભીર આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh February 15, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022

મંગળવાર 

સોનમ કપૂર અવારનવાર તેના પતિ એટલે કે આનંદ આહુજા સાથે ફોટા શેર કરતી રહે છે. લોકો ભલે આનંદ આહુજાને સોનમના પતિ તરીકે જાણતા હોય પરંતુ તે એક સફળ બિઝનેસમેન છે. હાલમાં જ આનંદ વિશે એક સમાચાર આવી રહ્યા છે કે સોનમ કપૂરના પતિ બિઝનેસમેન આનંદ આહુજા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સોનમના પતિ પર આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપની સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે અને ટેક્સ અને કસ્ટમ્સ ડ્યુટીને બચાવવા માટે કાગળો સાથે કથિત રીતે ચેડા કર્યા છે. અગાઉ જાન્યુઆરીમાં પણ આનંદ આહુજાએ કંપનીના એક શિપમેન્ટમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો.આવી સ્થિતિમાં, તેમણે એક ટ્વિટ દ્વારા કહ્યું હતું – શું કોઈ MyUS માં કોઈ વ્યક્તિને ઓળખે છે? કંપની સત્તાવાર કાગળોની કાર્યવાહીને નકારી રહી છે. આનંદ આહુજાએ ટ્વિટર પર કરેલી ફરિયાદના જવાબમાં કંપનીએ પ્રતિક્રિયા આપી હતી. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સમસ્યા તેમની તરફથી નહીં પરંતુ આહુજા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોમાં હતી. ઉપરાંત, કંપનીએ દાવો કર્યો હતો કે સામાન સાથે આપવામાં આવેલ ઇનવોઇસમાં માલ માટે ચૂકવવામાં આવેલી રકમ કરતાં 90 ટકા ઓછું મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર, બાદમાં શિપિંગ કંપનીના ટ્વિટ્સ વાયરલ થવા લાગ્યા, ત્યારબાદ આનંદ આહુજાએ MyUS PDF રસીદ અને બેંક સ્ટેટમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેણે એમ પણ કહ્યું કે તેની પાસેથી વધુ ચાર્જ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લાંબા સમય સુધી કંપનીએ સામાન પોતાની પાસે રાખ્યો. આ મામલે સોનમ તેના પતિના સમર્થનમાં ઉભી છે. તમને જણાવી દઈએ કે સોનમ તેના પતિ સાથે ન્યૂયોર્કમાં રહે છે. અને કામના સંબંધમાં મુંબઈ આવતી જતી  રહે છે.

રાખી સાવંતે કંગના રનૌતને આપી ચેલેન્જ, તેના શો 'લોકઅપ' ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે સોનમ અને આનંદે 2018માં મુંબઈમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. અનિલ કપૂરે પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. લગ્નમાં આખું બોલિવૂડ સામેલ થયું હતું. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન સોનમના લગ્ન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. જણાવી દઈએ કે સોનમ લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે 2019માં ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ બ્લાઈન્ડ છે, જેનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

February 15, 2022 0 comments
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કિરીટ સોમૈયાનો આક્ષેપ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો જરંડેશ્વર સુગર ફૅક્ટરી પર બેનામી રીતે કબજો; જાણો વિગતે

by Dr. Mayur Parikh October 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

ગુરુવાર

છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ દ્વારા પવાર પરિવારનાં ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અત્યાર સુધીની સૌથી લાંબી છાપામારી હશે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાસે બેનામી સંપત્તિ છે. સોમૈયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં એના પ્રમાણપત્રો આપ્યાં હોવાથી પવારની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. સોમૈયાએ માગણી કરી છે કે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે.

હવે શરદ પવારે NCB અને કેન્દ્રીય તપાસ પર નિશાન તાક્યું; ભાજપ કેન્દ્રીય તપાસ પ્રણાલીનો ગેરઉપયોગ કરે છે

શરદ પવાર, રોહિત પવાર, અજિત પવાર, પાર્થ પવાર અને સુપ્રિયા સુલેને અમારો સીધો પ્રશ્ન એ છે કે જરંડેશ્વર સુગર ફૅક્ટરીના માલિકો જે મુખ્ય શૅરહોલ્ડરો છે તે પૈકી એક નામ મોહન પાટીલનું છે. જે વિજયા પાટીલના પતિ છે. બીજી નીતા પાટીલ છે. આ લોકો કોણ છે? અજિત પવારનો તેમની સાથે શું સંબંધ છે? સોમૈયાએ એમ પણ કહ્યું કે પવારે આનો ખુલાસો કરવો જોઈએ.

જરંડેશ્વર સુગર ફૅક્ટરી ખરીદવામાં આવી ત્યારે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન, નાણાપ્રધાન હતા. બૅન્કમાં રાજ્ય સરકારના રૂપિયા છે. રાજ્ય સરકારનાં નાણાં નાણાપ્રધાનની મંજૂરી બાદ વાપરી શકાય છે. અજિત પવારે પોતે ફૅક્ટરી વેચી, એની હરાજી કરી અને એને પોતાની કંપની માટે ખરીદી. તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું. જરંડેશ્વર સુગર ફૅક્ટરી પર બેનામી રીતે કબજો લીધો છે. હવે તેઓ હોદ્દા પર રહી શકે નહીં, અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે એવી માગણી સોમૈયાએ કરી છે.

October 14, 2021 0 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક