• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Amreli
Tag:

Amreli

Gujarat Civil Aviation Approximately 1.43 lakh aircraft operated from 19 airports in Gujarat in the year 2024.
રાજ્ય

Gujarat Civil Aviation : ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગની જેટની ગતિએ ઉડાન… ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોની આવન-જાવન

by kalpana Verat May 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Civil Aviation : 

 ગુજરાતમાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત
 રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
 તબીબી હેતુસર અત્યાર સુધીમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ એમ કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ
 મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં તાલીમ બાદ ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું
 કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ ૦૭ ફ્લાઇટ સેવારત
 
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૭૩થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ‘નાગરિક ઉડ્ડયન’ વિભાગ તરીકે કાર્યરત છે. આ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.

રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર અને આઈ.સી.યુ. સુવિધાઓ સાથે એર-એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી, જેમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.

હાલમાં ગુજરાતમાં ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ એરપોર્ટ સેવારત છે. જેમાં
રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ડિસામાં એરફોર્સ સ્ટેશનના રન-વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દેશના મોટાભાગના રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનનું માળખું ખૂબ મજબૂત છે. રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( Airport Authority Of India ) ના ૦૯ એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના ૦૩, રાજ્ય સરકાર હસ્તક ૦૪ તથા ૦૩ ખાનગી એરપોર્ટ મળી ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ૦૪ એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra HSC Board 12th Result 2025 : મહારાષ્ટ્ર ધોરણ 12 ના પરિણામો જાહેર, રાજ્યનું પરિણામ 91.88 ટકા; આ વર્ષે પણ છોકરીઓએ મારી બાજી…

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ( Infrastrucutre ) માં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.

યુવાઓને પાયલોટ બનવા માટે તાલીમ પુરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંશાધન તૈયાર કરવાના હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦થી વધારે યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે, જેમાંથી ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટ ( Commercial Pilot ) નું લાયસન્સ પણ મેળવ્યું છે. આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૨માં નાગરિક ઉડ્ડયન વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગ દ્વારા ઉડ્ડયન પાર્ક, નવી હવાઈ પટ્ટીઓનો વિકાસ, પ્રાદેશિક એરલાઇન, એરબોર્ન કાયદા અમલીકરણ કાર્યક્રમ, એર એમ્બ્યુલન્સ સેવા તથા નવા જેટ વિમાનની ખરીદી જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.

Gujarat Civil Aviation : ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL

નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવી સુવિધાઓ અને સેવાઓમાં રોકાણને સરળ બનાવવા માટે વર્ષ ૨૦૧૦માં ‘ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL ની રચના કરવામાં આવી હતી. જે ગુજરાતમાં ઉડ્ડયન અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. ગુજસેઇલ ગુજરાતમાં ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે.

દેશનો સામાન્ય નાગરિક કે જે ‘હવાઈ ચપ્પલ’ પહેરીને ‘હવાઈ જહાજ’ પર ઉડાન ભરે તેવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘નેશનલ સિવિલ એવિએશન પોલિસી-૨૦૧૬’ અંતર્ગત ‘ઉડાન યોજના’-‘ઉડે દેશ કા આમ નાગરિક’ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતભરમાં ‘ઉડાન યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન ૩ લાખ જેટલી ઉડાન ફ્લાઈટથી અંદાજે ૧.૪૯ કરોડ મુસાફરોએ સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરી કરી હતી.

ગુજરાતમાં ‘ઉડાન’ યોજના હેઠળ ભાવનગર-પુણે-ભાવનગર, અમદાવાદ-મુંદ્રા-અમદાવાદ, અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત, અમદાવાદ-નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-અમદાવાદ અને અમદાવાદ-જલગાંવ-અમદાવાદ એમ ૦૭ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના-વી.જી.એફ હેઠળ રાજ્યમાં સુરત-અમદાવાદ-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-ભાવનગર-સુરત તેમજ અમદાવાદ-ભુજ-અમદાવાદ ખાતે આંતરિક હવાઈ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેનો બહોળો લાભ રાજ્યના નાગરિકો લઈ રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dr.kalam Innovative School School in Gujarat’s Amreli Turns Students into Young Entrepreneurs
રાજ્ય

Dr.kalam Innovative School : ગુજરાતની અનોખી શાળા! અહીંના વિદ્યાર્થીઓ કમાય છે લાખો રૂપિયા.. આ રીતે કરે છે નવરાશના સમયનો સદુપયોગ

by kalpana Verat May 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Dr.kalam Innovative School : “શું તમે કલ્પના કરી શકો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે? અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં આ કલ્પના હકીકત બની છે! ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ – એનું નામ જ ઇનોવેશનનું પ્રતિક બની ગયું છે, જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે. તો ચાલો, જાણીએ કે કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે.

 અમરેલી જિલ્લાના આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી એક અનોખી પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે. જેથી તેઓ અભ્યાસની સાથે-સાથે પૈસા કમાઈ શકે. પોતાની મહેનતથી કમાણી કરી તેમના પરિવારને તો મદદ કરે જ છે, પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવામાં પણ કરી શકે છે.

શાળાનો આ ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ ‘કલામ યુથ સેન્ટર’ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટીંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે છે – જેમ કે ટી-શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી, તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું ?

આ સમાચાર પણ વાંચો : Ayushman Card : આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્રને મળ્યુ નવું જીવન , PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ

ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડલ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે એક ઉદાહરણ બની રહ્યું છે. અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા , પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે.આ રીતે ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે, જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે, તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે.

 

May 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.
રાજ્યTop Post

PM Modi Gujarat: PM મોદી લેશે ગુજરાતની મુલાકાત, અમરેલી સહીત આ જિલ્લાઓના ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ.

by Hiral Meria October 25, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

PM Modi Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા ( NHAI ) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 

PM Modi Gujarat:  પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે અમરેલી ( Amreli ) જિલ્લા ખાતેથી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ₹644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

આ સમાચાર પણ વાંચો :   Sports Awards 2024: સરકારે સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024 માટે અરજીઓ કરી આમંત્રિત, હવે ધ્યાનચંદ લાઇફટાઇમ એવોર્ડની જગ્યાએ આપવામાં આવશે આ પુરસ્કાર

PM Modi Gujarat: ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર ( Gujarat Government ) અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે, અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi Gujarat:  ₹2800 કરોડથી વધુના NHAIના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને  ₹626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં ₹768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા – પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને ₹256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ ₹626 કરોડના ખર્ચે જામનગર ( Jamnagar ) જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi Gujarat:  ₹1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

આ સમાચાર પણ વાંચો :  PMMY Loan Limit: ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા મોદી સરકાર પ્રતિબદ્ધ, ‘આ’ યોજના હેઠળ લોન મર્યાદા વધારીને કરી રૂ.20 લાખ. 

આ સાથે જ વડાપ્રધાન પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CM Bhupendra Patel gave the gift of development to the residents of Amreli, inaugurated the newly built busport
રાજ્ય

Bhupendra Patel Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને આપી વિકાસકાર્યોની ભેટ, અધધ આટલા કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કર્યું લોકાર્પણ.

by Hiral Meria September 20, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Bhupendra Patel Amreli:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને રુપિયા  ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે કુલ ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે, ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સૌ નગરજનો જોડાય અને સ્વચ્છતાને માત્ર ફરજ નહીં પણ આદત બનાવી, ગુજરાતને વધુ નિર્મળ બનાવવામાં યોગદાન આપે એવું સૌને આહવાન કર્યું.

અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન કર્યું અને… pic.twitter.com/n0QvMbw99T

— Bhupendra Patel (@Bhupendrapbjp) September 20, 2024

મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં સરકારની દરેક યોજનાઓ અને સુવિધાઓ રાજ્યના છેવાડાના ગામો અને નાગરિકો સુધી પહોંચી છે. તેમણે વિકાસના દરેક કાર્યોમાં ગુણવત્તા જાળવવાની સાથે ( Swachhta Hi Seva 2024 ) ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના મંત્રને અનુસરીને સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા હતા તેમજ સૌના સથવારે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  SIH 2024: ગોદરેજ અપ્લાયન્સિસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે કરી ભાગીદારી, જાણો યુવાનો માટે આ વર્ષની થીમ શું છે?

  • – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને ( Amreli ) આપી વિકાસકાર્યોની ભેટ

  • – રુપિયા  ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • – મુખ્યમંત્રીએ અમરેલી ખાતે ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું

  • – મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું ( Chandresh Kumar Borisagar ) કર્યું સન્માન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Meteorological department predicts six more days of heavy to very heavy rain in Gujarat
રાજ્યMain Post

Gujarat Rainfall Alert:ગુજરાતમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી

by Akash Rajbhar August 29, 2024
written by Akash Rajbhar

 News Continuous Bureau | Mumbai 

  • આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
  • રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે
  • સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ થયો છે.

આ સમાચાર પણ વાંચો: DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat's Asiatic Lions 14 Lions cross highway in Gujarat's Amreli Video goes viral
પાલતુ અને પ્રાણીઓ

Gujarat’s Asiatic Lions : સિંહોના પણ ટોળાં હોય! રાતના અંધારામાં એકસાથે 14 સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા, જુઓ આ દુર્લભ નજારો…

by kalpana Verat May 16, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat’s Asiatic Lions : ગુજરાત ના રસ્તાઓ પર ફરતા 14 સિંહોના ગૌરવનું એક દુર્લભ અને મનમોહક દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

Gujarat’s Asiatic Lions : અદભુત દ્રશ્ય કેમેરામાં કેદ 

ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ( Amreli district ) ગીર નેશનલ પાર્ક પાસે આ અદભુત દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. રાત્રે કેપ્ચર થયેલા આ વીડિયોમાં સિંહણ અને બચ્ચા પણ લટાર મારતા જોઈ શકાય છે. આ વીડિયોમાં દેખાતી પ્રકૃતિની સુંદરતાના નજારાએ મંત્રમુગ્ધ કરી દીધા. તેમાં પણ અંધારામાં એકસાથે ચાલતા જાજરમાન સિંહો દેખાઈ રહ્યા છે, જે ઘણા લોકોએ ભાગ્યે જ જોયા હશે.

સિંહોના પણ ટોળાં હોય!
અમરેલીમાં એકસાથે 14 સિંહોનું ભાગ્યે જ જોવા મળતું અદભુત દ્રશ્ય#AsiaticLions #Gir #Gujarat pic.twitter.com/rQLZFnlssC

— Parimal Nathwani (@mpparimal) May 15, 2024

Gujarat’s Asiatic Lions : શિયાટિક સિંહોની વસ્તીમાં વધારો 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલ નથવાણીએ X પર આ વિડીયો શેર કર્યો છે. આ દ્રશ્ય ગુજરાતમાં, ખાસ કરીને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસની સમૃદ્ધ જૈવવિવિધતા અને સંરક્ષણ પ્રયાસોને પ્રકાશિત કરે છે, જે એશિયાઇ સિંહના છેલ્લા બાકી રહેલા કુદરતી નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે.

આ સમાચાર  પણ વાંચો : Andhra Pradesh: સિંહ સાથે સેલ્ફી લેવાની ઘેલછામાં એક યુવક ઘેરામાં ઘૂસ્યો, પછી થયું આ.. જાણો શું છે આ આખો કિસ્સો..

વન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોની વસ્તી 2015માં 523 હતી જે વધીને 2020માં 674 થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

May 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lion Viral Video 4 lions roam on the streets of Gujarat's Amreli
રાજ્યપાલતુ અને પ્રાણીઓ

Lion Viral Video: સિંહ પરિવાર શેરીમાં આવી ચડ્યો, અમરેલીમાં માનવ વસાહતમાં સિંહ પરિવારે મારી લટાર.. જુઓ વિડીયો

by kalpana Verat December 19, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Lion Viral Video: સિંહને વિશ્વના સૌથી ક્રૂર પ્રાણીઓમાંથી એક ગણવામાં આવે છે, કોઈ પ્રાણી અથવા મનુષ્ય જીવ એકવાર તેની ચુંગાલમાં ફસાઈ જાય તો તેનું બચવું અશક્ય છે. જંગલનો રાજા તેના શિકારને નિર્દયતાથી ત્રાસ આપીને ખાય છે અને તેના ટુકડા કરી નાખે છે. આવા વિડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેમાં સિંહનો શિકાર કરતા જોઈને કોઈની પણ આત્મા કંપી જાય છે, પરંતુ જરા વિચારો, સિંહોનું આખું ‘કુળ’ એકસાથે રસ્તા પર ફરવા નીકળે તો શું થશે? ચોક્કસ આ દ્રશ્ય ભયાનક હશે, પરંતુ તાજેતરમાં ગુજરાતના ( Gujarat ) અમરેલીમાં ( Amreli ) આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં વિકરાળ સિંહોનું ( lions ) એક જૂથ રસ્તા પર મુક્તપણે વિહરતું જોવા મળ્યું હતું, જેના પછી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. 

ये गुजरात के अमरेली का गाँव हे, यहाँ गलीओ में कुत्ते नहीं शेर घुमते हैं। pic.twitter.com/DKhGrSIJqP

— Gopi Maniar ghanghar (@gopimaniar) December 18, 2023

હાલમાં જ ગુજરાતના અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સિંહોનું એક જૂથ અચાનક રોડ પર આવી ગયું હતું. વિડીયોમાં ઘણા સિંહો એકસાથે મુક્તપણે ફરતા જોવા મળે છે. રાજૌલાના રામપુરા ગામમાં જેણે પણ આ દ્રશ્ય જોયું તે સ્તબ્ધ થઈ ગયા. જો કે અમરેલીમાં માનવ વસાહત અને રસ્તાઓ પર સિંહો આવતા હોવાની અનેક તસવીરો આ પહેલા પણ સામે આવી ચુકી છે. પરંતુ આ પહેલા આટલા સિંહો ભાગ્યે જ એક સાથે જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Lion Viral Video ) થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Parliament Session: TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની ઉડાવી મજાક, સંસદની બહાર કરી મિમિક્રી; રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમરેલીમાં અનેક વખત દીપડા જોવા મળ્યા છે. પરંતુ હવે દીપડાની સાથે સિંહો પણ ગામમાં પ્રવેશવા લાગ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ નેટીઝન્સ જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

December 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai CISF jawan committed suicide in Mumbai, committed this act with his own gun.. Police investigation continues..
મુંબઈ

Mumbai: મુંબઈમાં CISF જવાને કરી આત્મહત્યા, પોતાની બંદુક વડે કર્યું આ કૃત્ય.. પોલીસ તપાસ ચાલુ.. જાણો વિગતે..

by Bipin Mewada December 17, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ( Mumbai ) ના BKC વિસ્તારમાં જિયો ગાર્ડન ( Jio Garden ) પાસે CISF જવાને આત્મહત્યા ( Suicide ) કરી હોવાની આશંકા છે 40 વર્ષીય જવાનનું નામ મુકેશ ખોડાભાઈ ખેતરિયા છે. મૃતક જવાન ગુજરાતના અમરેલી ( Amreli ) જિલ્લાનો રહેવાસી હતો.

મુકેશે પોતે જે AK 47 રાઈફલ ( AK 47 rifle ) લઈને જઈ રહ્યો હતો તેનાથી પોતાને ગોળી મારી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 16 ડિસેમ્બરે બની હતી. મુકેશની ડ્યુટી જીઓ ગાર્ડનના ગેટ નંબર 5 પર હતી. મુકેશે ત્યાં ફરજ પર હતો ત્યારે આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે BKC પોલીસ સ્ટેશન માં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો…

મૃત્યુ બાદ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને BKC પોલીસ ( BKC Police ) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓ મુકેશને શિવની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ મુકેશને મૃત જાહેર કર્યો. પોલીસે મુકેશના પિતા ખોડાભાઈનો સંપર્ક કરી ઘટના અંગે જાણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુંબઇકર માટે મોટા સમાચાર.. મુંબઈની આ રેલવે લાઈન પર ફ્લાયઓવરના કામ માટે આઠ ટ્રેનો રદ્દ ..

આ કેસમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી 29 કારતૂસ કબજે કર્યા છે. આ મામલે BKC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી ગળામાંથી શરીરમાં પ્રવેશી હતી. આથી ગોળી વાગી હતી કે અકસ્માતે વાગી હતી તેની તપાસ ચાલી રહી છે.

December 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amreli 9th class student heart attack in Amreli... read this shocking case..
રાજ્ય

Amreli: અમરેલીમાં નવમા ધોરણની વિદ્યાર્થીની ને હાર્ટ અટેક… વાંચો આ ચોંકાવનારો કિસ્સો..

by Bipin Mewada November 4, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Amreli : રાજ્યમાં હાર્ટએટેક (Heart Attack) થી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. એક સમયે કોરોના (Corona)અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે વર્તમાનમાં હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

અમરેલીની ( Amreli )  શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં (Shantaba Gajera Vidya School ) ચાલી રહેલી ઘોરણ નવની પરીક્ષા દરમિયાન વિદ્યાથનીનું ( Vidyathani ) ચાલુ પરીક્ષા એ ઢળી પડતા મોત ( Dead )  નિપજતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

 ચાલુ પરીક્ષામાં આવ્યો હાર્ટ અટેક..

અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ઘોરણ નવની પરીક્ષા ચાલી રહી છે ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી હરેશભાઇ રોજાસરા રહે વિછીયા તાલુકો જસદણ નામની વિદ્યાથની ઘોરણ નવની પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી રોજાસરા પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ તે અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાથનીના મોતને પગલે પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો. અમરેલી સિવિલ હોસ્પિટલના ડોકટરના કહેવા પ્રમાણે આ વિઘાથીનું મોત હાર્ટએટેક થયુ છે કે પછી અન્ય કોઈ કારણસર જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ જીતવા માટે સિક્સર નો સહારો…. દક્ષિણ આફ્રિકાની આ સ્ટેટજી ભારત માટે ખતરનાક… વાંચો વિગતે અહીં..

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amrit Kalash Yatra organized under the chairmanship of Union Minister Mr. Parshottam Rupalaji
રાજ્ય

Amrit Kalash Yatra : કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીની અધ્યક્ષતામાં અમૃત કલશ યાત્રાનું આયોજન

by Akash Rajbhar September 25, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Amrit Kalash Yatra : નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ “અમૃત કલશ યાત્રા”ના બીજા તબક્કાનું અમરેલીના(Amreli) વાંકિયાન ગ્રામ પંચાયતમાં સ્થાનિક વહીવટીતંત્ર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમરેલી જીલ્લા વિકાસ અધિકારી શ્રી ગુરવ રમેશ જી અને જીલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા માનનીય પરષોત્તમ રૂપાલાજી(Parashottam Rupalaji) અને શ્રી દિલીપ સંઘાણીજીને કળશ અર્પણ કરવામાં આવ્યું  હતું. મહેમાનો દ્વારા કળશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને તમામ ગ્રામજનોએ પોતાના ઘરેથી મુઠ્ઠીભર માટી(soil) કળશમાં અર્પણ કરી હતી. ત્યારબાદ માનનીય મુખ્ય મહેમાન અને મહેમાનોએ પથ્થરની તકતી પર કલશ મૂકીને વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ માનનીય શ્રી પરશોતમ રૂપાલાજી દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત(National Anthem) વગાડવામાં આવ્યું હતું. જે બાદ મહેમાનો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરવામાં આવિયું હતું. ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાંકીયા ગામના પૂર્વ સેના શ્રી મગનભાઈ મહિડાજી નું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી, શ્રી દિલીપભાઈ સંઘાણી અને શ્રી કૌશિકભાઈ વેકરીયાજી દ્વારા શાલ અને  પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાજીનું જિલ્લા યુવા અધિકારી અને નહેરુ યુવા કેન્દ્રની સમગ્ર ટીમ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લા ભાજપ વતી શ્રી રાજેશભાઈ કાબરિયા અને તેમની ટીમે પણ મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું. ત્યાર બાદ ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પછી ઉપસ્થિત મહેમાનોમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુરવ રમેશ.જી, અમદાવાદના ધારાસભ્ય અને સ્થાનિક શ્રીમતી કંચનબેન રાદડિયાજી, લાઠી/બાબરા/દામનગરના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી. મુખ્ય શ્રી કિશોરભાઈ કાનપરીયા અને ઘનશ્યામભાઈ પ્રપસીયા. અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા અને ભુપેન્દ્રભાઈ બસીયા તથા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણીએ સ્વાગત કરેલ. ત્યાર બાદ મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : 7 Muslim countries : સાઉદી બાદ આ 7 મુસ્લિમ દેશો ઈઝરાયેલ સાથે શાંતિ સ્થાપશે.. વિદેશ મંત્રી કોહેનએ આપ્યું આ મોટું નિવેદન.. જાણો શું છે આ સમગ્ર મામલો.

ત્યાર બાદ શ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉપસ્થિત સૌ યુવાનોને મેરી માટી મેરા દેશ વિશે સંબોધન કર્યું હતું. ત્યાર બાદ જિલ્લા યુવા અધિકારી દ્વારા દરેકને અમૃતકલના પંચ પ્રણના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય શ્રી પરષોતમ રૂપાલાજીએ ઉપસ્થિત તમામ ગ્રામજનોને સંબોધીને આ કાર્યક્રમનું મહત્વ જણાવ્યું હતું અને તમામ ધારાસભ્યો દ્વારા અમૃત-વનમાં અમરેલીની સુવાસ ફેલાવવા અનુરોધ કર્યો હતો. માનનીય મંત્રીશ્રીએ વાંકીયા ગામના સરપંચ શ્રીમતી નયનાબેન દંતેવાડિયા નું પણ સન્માન કરી કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. માનનીય મંત્રીએ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમોની પણ પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ આયોજિત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમના પ્રથમ તબક્કામાં દરેક ગ્રામ પંચાયતમાં તકતીઓનું સ્થાપન, નાયકોને વંદન, અમૃત વાટીકાનું નિર્માણ અને તેમાં 75 રોપાઓનું વાવેતર,અમૃત કાલના સ્મરણ સાથે. પંચપ્રણ  શપથ લેવાયા હતા. તે પછી, આ કાર્યક્રમનો બીજો ભાગ “અમૃત કલશ યાત્રા” જિલ્લા પંચાયત દ્વારા દેશની દરેક ગ્રામ પંચાયતોમાં યોજવામાં આવી રહી છે. જેમાં અમૃત કળશમાં દરેક ઘરમાંથી મુઠ્ઠીભર માટી એકત્ર કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતમાંથી એકત્રિત કરવામાં આવેલી માટી આ કલશમાંથી તાલુકા પંચાયતમાં, ત્યાંથી રાજ્ય સ્તરે અને ત્યાંથી રાષ્ટ્રીય સ્તરે જશે. દેશની રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના બહાદુર શહીદોની યાદમાં ‘અમૃત વન’ બનાવવામાં આવશે, જેમાં આ માટીનો છોડ રોપવામાં આવશે.

કાર્યક્રમનું સંચાલન શ્રી કિશન શીલુ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક, નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલીના તાલુકા વિકાસ અધિકારી, નહેરુ યુવા કેન્દ્રના એકાઉન્ટન્ટ શ્રી વિકાસ કુમાર, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક શિવમ ગોસાઈ, યુવા મંડળના સભ્ય ભૂષણ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

September 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક