• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - animal husbandry
Tag:

animal husbandry

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry
સુરત

Animal husbandry Business : સુરતના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ, પશુપાલન થકી મહિને મેળવી રહ્યો છે રૂ.૩૦ હજારની આવક

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Animal husbandry Business :

  • સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ
  • બારમા ધોરણ સુધી ભણેલો આદિવાસી યુવાન પશુપાલન થકી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યો છે
  • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા રૂ.૩૫ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો
  • ચાફ કટર મશીનની મદદથી ઘાસની યોગ્ય માત્રામાં કાપણી કરી પશુઓને સરળતાથી ઘાસ ખવડાવવાથી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ છેઃ પશુપાલક પ્રદિપભાઇ પટેલ

ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે. પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે. ચાફ કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે, જેની સહાયથી પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે. યોગ્ય સાઈઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદિપભાઇ રમણભાઈ પટેલને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ચાફ કટર યોજના હેઠળ રૂ.૩૫ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે.

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry

 

પશુપાલન થકી આત્મનિર્ભર બનેલા પ્રદિપભાઈ પટેલ જણાવે છે કે, મારો પરિવાર પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલો છે, હું પણ ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ આ ક્ષેત્રમાં જોડાયો. હાલમાં હું સાત પશુઓ વડે વાછાવડ ગામની દુધ ડેરીમાં દર મહિને રૂ.૩૦ હજારનું દુધ ભરૂ છું. જેનાથી મારા પરિવારનું ગુજરાન સુખમય રીતે ચાલી રહ્યું છે.

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry

સરકારની સાધન સહાયથી ધંધામાં પ્રગતિ થઈ છે એમ જણાવી પ્રદિપભાઈ ઉમેરે છે છે કે, મને અન્ય પશુપાલક મિત્રો પાસેથી જાણકારી મળી કે માંડવી ટ્રાયબલ સબ પ્લાનની કચેરી દ્વારા ઘાસ કાપવાના મશીનની સહાય મળી શકે છે. આ કચેરીમાં રૂબરૂ જઇને માહિતી મેળવી, ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કર્યા. ટૂંક સમયમાં મને ઘાસ કાપવાના મશીન પર રૂ. ૩૫ હજારની ૭૫% સહાય મળી, જેથી માત્ર રૂ. ૩ હજારમાં ઘાસ કટર મશીન મળ્યું. સરકારની આ યોજનાએ મને પશુપાલનમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપી છે.

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીને લાગ્યો જેકપોટ, JioHotstar ને માત્ર દોઢ મહિનામાં અધધ આટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા..

 

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘાસ કાપવાના મશીનથી ઘણો ફાયદો છે. અગાઉ વાઢેલા ઘાસને સીધું પશુઓને નીરવાથી ખૂબ બગાડ થતો હતો. તેમજ ઘાસને હાથથી કાપતા હતા, જેના પરિણામે ઘાસ વેસ્ટેજ જતું હતું. હવે મશીન દ્વારા ઘાસ કાપવાના કારણે ઘાસ બારીક ટુકડાઓમાં વહેંચાઇ જતા બગાડ નહિવત થાય છે. મશીનની મદદથી પશુઓને યોગ્ય સમયે અને સરળતાથી ઘાસ ખવડાવી શકાય છે, જેના પરિણામે દુધ-ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે એમ જણાવી મશીનની સહાય બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry

. . . . . . . . . . . . . . .
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.
રાજ્ય

Saras Mela 2025: અંજનાબેન પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી મેળવી રહ્યાં છે વાર્ષિક રૂ.૯.૫૦ લાખની આવક..

by kalpana Verat March 13, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Saras Mela 2025: ખેતી એ એવો વ્યવસાય છે જેમાં મોટાભાગે મહિલાઓ પોતાના ભાઇ, પિતા કે પતિને મદદરૂપ બને છે. જાતે ખેતી કરનાર અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવનાર મહિલાઓ ખૂબ ઓછી છે. ત્યારે સુરત સરસ મેળામાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાકોનું વેચાણ કરવા આવેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાટડી ગામના મહિલા ખેડૂત અંજનાબેન વસાવા છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેઓ પ્રગતિ સેવા સહાય જૂથ નામથી સખી મંડળ ચલાવે છે અને મંડળની બહેનો અને ગ્રામજનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યાં છે. આ બહેનો સાથે મળીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા પાકોનું વેચાણ કરીને આત્મનિર્ભર બન્યા છે.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ જયારે તેમણે ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ ઝુકાવ થયો. હાલમાં હું પતિ સહિત પરિવારના અન્ય સભ્યો સાથે સાત એકરમાં પ્રાકૃતિક ખેતી કરૂ છું. સાથે જ, આજુબાજુની મહિલાઓને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરીને દસ સભ્યોનું સખી મંડળ બનાવ્યું છે, જે તમામ બહેનો પણ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

‘મારા ખેતરમાં એકસાથે ૨૦ થી ૨૫ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી કરીએ છીએ. ફળોની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ અને સીતાફળ, જ્યારે અનાજમાં જુવાર, બાજરી, મકાઈ અને ચોખાના પાકો છે. ઉપરાંત, તુવેર, મગ, ચણા, ચોળી અને અડદ જેવા કઠોળ પાક પણ ઉગાડીએ છીએ. આ ખેતીના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે, અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી પાકનું ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

અંજનાબેન કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

આ સમાચાર પણ વાંચો : સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

તેમણે વધુમાં કહ્યું છે કે, પ્રાકૃતિક એટલે સંપૂર્ણપણે પ્રાકૃતિક જ ખેતી કરવી એવો અમારો નિર્ધાર છે. ખેતરમાં જવાનું, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. પ્રાકૃતિક ખેતીની સાથે વર્મી કંપોસ્ટ ખાતર પણ જાતે બનાવીએ છીએ. રસાયણ વિનાની પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન પણ કરીએ છીએ એના છાણમાંથી જ ખાતર બનાવી ઉપયોગ કરીએ છીએ.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

 અંતે તેમણે કહ્યું કે,આવી રીતે પ્રથમ વખત સરસ મેળામાં વેચાણ કરવા માટે આવ્યાં છીએ, જેમાં સારો પ્રતિસાદ મળ્યો, એક દિવસ ૮ થી ૧૦ હજારનું વેચાણ થઇ રહ્યું છે. સરકારના આભારી છીએ કે અમે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરવા બજાર અને માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

Saras Mela 2025 Anjanaben is earning an annual income of Rs. 9.50 lakhs by doing natural farming and animal husbandry.

મહિલા ખેડૂતના પતિ ફતેસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આવક બમણી થઈ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા વર્ષે લગભગ રૂ.૩.૫૦ લાખનો ચોખ્ખો નફો મળે છે, જ્યારે પશુપાલન વ્યવસાયથી રૂ.૫ લાખની વધારાની આવક પ્રાપ્ત થાય છે. આ રીતે, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી દ્વારા સંયુક્ત રીતે વર્ષમાં કુલ રૂ.૯.૫૦ લાખની આવક મેળવી રહ્યા છે. તેથી, તમામ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ, જેથી ખર્ચ ઘટાડીને વધુ નફાકારક ખેતી કરી શકાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat government will provide assistance to the animals who get pregnant through IVF.
રાજ્યપાલતુ અને પ્રાણીઓ

Animal IVF Pregnancy: ગુજરાત સરકારે પશુપાલકો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે સરકાર આપશે સહાય..

by Hiral Meria September 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Animal IVF Pregnancy:  આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન ( Animal husbandry ) થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે. સેક્સડ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે IVF કરાવતા પશુ માટે પણ રૂ. ૫,૦૦૦ સહાય આપવામાં આવશે. પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.  

પશુપાલન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “રાષ્ટ્રીય ગોકુલ મિશન” ( Rashtriya Gokul Mission ) અંતર્ગત IVF ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ ( Animal Pregnancy ) થયું હોય તેવા પશુપાલકોને IVF માટે થતાં રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ સહાય આપવામાં આવે છે. ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ. ૪,૮૯૦ તેમજ GCMMF દ્વારા રૂ. ૪,૮૯૦ સહાય આપવામાં આવે છે. 

રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી IVફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર ( Gujarat Government ) , જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ રૂ. ૧૯,૭૮૦ સહાય મળશે. પરિણામે પશુપાલકને IVF ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર રૂ. ૫,૦૦૦નો જ ખર્ચ થશે. સાથે જ, ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Olympic Council of Asia: ડૉ. મનસુખ માંડવિયાએ ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાની 44મી જનરલ એસેમ્બલીને કર્યું સંબોધન, આટલા દેશોનાં સ્પોર્ટ્સ લીડર્સ રહ્યાં ઉપસ્થિત.

પશુપાલન મંત્રીશ્રીએ IVF ટેકનોલોજીના લાભ અંગે વાત કરતા કહ્યું હતું કે, સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. 

IVF ટેકનોલોજીમાં ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં તેનું ફલીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય છે. વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas
સુરત

Surat : સુરતમાં પશુ સખી બહેનોને ‘એ હેલ્પ’ ની અપાઈ તાલીમ, આ તાલુકાઓની તાલીમબદ્ધ બહેનોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા

by Hiral Meria August 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat : ભારતીય  ડેરી વિકાસ બોર્ડ( NDDB ), ગુજરાત લાઈવલીહુડ મિશન, કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલય, ગુજરાત સરકારના ( Gujarat Government )  પશુપાલન વિભાગ અને ગ્રામીણ વિકાસ વિભાગ તેમજ બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન-નવી પારડી, સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૨૯ જુલાઈથી તા.૧૩ ઓગસ્ટ સુધી સુરત જિલ્લાની પશુ સખી બહેનોને એ હેલ્પની તાલીમ નવી ( A Help Training ) પારડી સ્થિત બેંક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થા ખાતે આપવામાં આવી હતી. આ તાલીમના અંતિમ દિવસે તાલીમબદ્ધ ૨૫ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.  

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

 

              બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, માગરોળ તાલુકાના વિવિધ ગામોની ૨૫ બહેનોને ( Women ) તાલીમબદ્ધ કરાઈ હતી,  જેઓ પોતાના વિસ્તારમાં પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરશે તેમજ પશુ રસીકરણ, પશુપોષણ ( Animal husbandry ) અને સારવારમાં કડીરૂપ બનશે. તાલીમ પૂર્ણ થયા બાદ N.D.D.B. તથા N.A.R. દ્વારા તાલીમાર્થીઓ લેખિત, મૌખિક તેમજ પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી પાંચ બેસ્ટ પરફોર્મર તાલીમાર્થીઓને મેમેન્ટો અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

              આ પ્રસંગ્રે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.મયુર ભીમાણીએ જણાવ્યું હતું કે, ‘‘એ હેલ્પ’ની ( A Help  ) તાલીમનો ઉદ્દેશ દરેક ગ્રામ પંચાયતમાં પશુપાલકોના માર્ગદર્શક, સહાયક રૂપે એક ‘એ હેલ્પ વર્કર’ ઉપલબ્ધ કરાવવાનો છે, આ એ હેલ્પ વર્કર હેલ્થ વિભાગના આશાવર્કરની કાર્યપદ્ધતિ સમાન છે. જે સોંપવામાં આવેલા પોતાના કાર્ય ક્ષેત્રના પશુપાલકોના સંપર્કમાં રહી તેમના પશુધનની વિગતો પોતાની પાસે રાખશે તેમ જ પશુપાલકોને તેમના પશુઓને ઓળખ પદ્ધતિ માટે કાનમાં કડી લગાવી  ભારત પશુધન એપમાં રજિસ્ટર કરાવવા માટેની સમજ આપશે. તેમ જ પશુપાલકોને તેમના પશુઓ માટે સમતોલ પશુ આહાર પશુ આહાર ગોપાલા એપ મારફતે કેવી રીતે નિયોજિત કરી શકાય તેનું માર્ગદર્શન પૂરૂ પાડશે. 

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

આ સમાચાર પણ વાંચો :  Odisha Menstrual Leave: ઓરિસ્સાને સરકારે મહિલાઓને આપી મોટી રાહત, હવે પિરિયડ દરમિયાન એક દિવસની રજા મળશે.

          વધુમાં તેમણે જણાવ્યું કે, પશુ સખી- એ હેલ્પ વર્કર પશુઓમાં થતાં જુદા જુદા રોગો વિશે પ્રાથમિક જાણકારી આપશે. રસીકરણ કરાવવા પશુપાલકોને પ્રોત્સાહિત કરશે. કૃમિનાશક દવા પીવડાવવા માટેની કામગીરી પશુચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરશે. રોગચાળાના સમયે પશુચિકિત્સક સાથે સંકલનમાં રહી કામગીરી કરશે.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

                        આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.ડી.સી.ચૌધરી, પ્રોગામના નોડલ ઓફિસર અને મદદનીશ પશુપાલન નિયામક(ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) શ્રી ડો.કે.એસ.મોદી, મદદનીશ પ્રધ્યાપકશ્રી ડો.યોગેશ પઢેરીયા, માસ્ટર ટ્રેનરશ્રી ડો.એચ.એમ.પાટીદાર, વેટરનરી ઓફિસરશ્રી ડો.બીનલ પ્રજાપતિ, RSETI નિદર્શકશ્રી પાશુ અટકલીકર, કોર્ડીનેટરશ્રી રિદ્ધિ ગોહિલ સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sagar Parikrama Union Minister for Fisheries, Animal Husbandry and Dairy Shri Parshottam Rupala will participate in the Sagar Parikrama
દેશTop Post

Sagar Parikrama :કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આંધ્રપ્રદેશ અને પુડુચેરીના વિવિધ સ્થળોએ 1લી જાન્યુઆરી 2024 થી 6મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા (તબક્કો X) કાર્યક્રમમાં ભાગ લેશે

by kalpana Verat January 1, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Sagar Parikrama : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા  ( Parshottam Rupala ) અને રાજ્ય મંત્રી ડો. એલ મુરુગન સાથે આંધ્રપ્રદેશ ( Andhra Pradesh ) અને પુડુચેરી ( Puducherry ) ના વિવિધ સ્થળોએ 1લી જાન્યુઆરી 2024 થી 6ઠ્ઠી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા (તબક્કો X) કાર્યક્રમમાં ભાગ લેશે. 

કેન્દ્રીય મંત્રીઓ પ્રગતિશીલ માછીમારો ( Fisheries ) , ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને મત્સ્ય ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેને ઇવેન્ટ દરમિયાન લાભાર્થીઓ જેવા કે માછીમારો, મત્સ્ય ખેડૂતો અને અન્ય હિતધારકોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)નું વિતરણ કરશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા લેવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પહેલ. (PMMSY) યોજના, KCC અને અન્ય યોજનાઓનો વ્યાપકપણે માછીમારોને તેમના લાભો માટે પ્રસાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ વિભાગ, આંધ્રપ્રદેશ સરકાર, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast guard ) , ફિશરી સર્વે ઓફ ઈન્ડિયા, માછીમાર સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ભાગ લેશે.

સાગર પરિક્રમા યાત્રામાં માછીમારો, મત્સ્ય ખેડૂતો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે મંત્રીની વાતચીત દર્શાવવામાં આવી છે. આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં KCC અને અન્ય પ્રવૃત્તિઓ પર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. રાજ્યના મત્સ્યોદ્યોગ અધિકારીઓ, માછીમારોના પ્રતિનિધિઓ, માછલી-ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, માછીમાર સહકારી મંડળીના આગેવાનો, વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો અને દેશભરમાંથી અન્ય હિતધારકો આ કાર્યક્રમમાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો : Tahreek-E-Hurriyat: ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

“સાગર પરિક્રમા” ના પ્રથમ તબક્કાની યાત્રા 5મી માર્ચ 2022 ના રોજ માંડવી, ગુજરાતથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં, સાગર પરિક્રમાના કુલ નવ તબક્કાઓ ગુજરાતના દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, દમણ અને દીવ, મહારાષ્ટ્ર, ગોવામાં આવરી લેવામાં આવ્યા છે. તેના દસમા તબક્કાની શરૂઆત દરમિયાન કર્ણાટક, આંદામાન અને નિકોબાર, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના ભાગમાં સાગર પરિક્રમા તબક્કો-X ચાલુ રહેશે અને આંધ્ર પ્રદેશના બાકીના દરિયાકાંઠાના જિલ્લાઓને આવરી લેશે જેમ કે નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ અને યાનમ (પુડુચેરીનો કેન્દ્રશાસિત પ્રદેશ).

આંધ્રપ્રદેશ રાજ્ય 974 કિમી દરિયાકિનારા, 33,227 કિમી ખંડીય શેલ્ફ વિસ્તાર, 555 દરિયાઈ માછીમાર ગામો, 2 માછીમારી બંદરો, 350 ફિશ લેન્ડિંગ કેન્દ્રો, 31147 માછીમારી હસ્તકલા, 65 કોલ્ડ સ્ટોરેજ, 64 પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સાથે સંભવિત અને વૈવિધ્યસભર જળ સંસાધનોથી સમૃદ્ધ છે. 235 બરફના છોડ, 28 ફીડ મિલો, 357 હેચરી અને 234 મત્સ્યલેબ્સ.

આંધ્ર પ્રદેશમાં, ભારત સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ, 5 વર્ષ માટે મત્સ્ય ઉદ્યોગમાં કુલ રોકાણની કલ્પના કરવામાં આવી છે. 2300 કરોડ. PMMSY હેઠળ હાથ ધરવામાં આવેલા કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સમાં ફિશ લેન્ડિંગ કેન્દ્રોનું નિર્માણ, માછીમારીના બંદરોનું નિર્માણ, કોલ્ડ સ્ટોરેજ/આઇસ પ્લાન્ટનું નિર્માણ, પરંપરાગત માછીમારો માટે નવા ઊંડા સમુદ્રમાં માછીમારીના જહાજોનું સંપાદન, બ્રૂડ બેંકનું બાંધકામ, મીઠા પાણીની ફિશ ફિશ અને બ્રેકવોટરનું નિર્માણ સામેલ છે. હેચરી, મત્સ્યકલ્ચર માટે વિસ્તરણ વિસ્તાર, ફિંગરલિંગનો સ્ટોકિંગ, રોગ નિદાન અને ગુણવત્તા પરીક્ષણ લેબની સ્થાપના, VHF/ટ્રાન્સપોન્ડર વગેરે જેવા પરંપરાગત અને મોટરચાલિત જહાજો માટે સંચાર અને ટ્રેકિંગ ઉપકરણો.

સાગર પરિક્રમા માછીમારી સમુદાયના કલ્યાણ અને દરિયાકાંઠાના વિકાસ માટે દૂરંદેશી નેતૃત્વની પરિવર્તનશીલ શક્તિનો પુરાવો છે. સરકાર દ્વારા માછીમારો, અન્ય હિતધારકોના પ્રશ્નોના નિરાકરણ અને વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને કિસાન દ્વારા તેમના આર્થિક ઉત્થાનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ફિશરીઝ માટે ક્રેડિટ કાર્ડ (KCC) સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલ છે.

સાગર પરિક્રમા લોકોની સમસ્યાઓને સમજીને તેમના જીવનની ગુણવત્તા અને આર્થિક સુખાકારીમાં સુધારો કરવા માટે પ્રભાવ પાડી રહી છે અને તે માછીમારોને તેમના ઘરઆંગણે મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરવાની અપાર તક આપે છે. સાગર પરિક્રમા માછીમારો, મત્સ્ય ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણમાં સતત મદદ કરશે અને વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY), કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ અન્ય કાર્યક્રમ દ્વારા તેમના આર્થિક ઉત્થાનને સરળ બનાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Minister for Fisheries, Animal Husbandry and Dairy Shri Parshottam Rupala launched Phase-5 of Sagar Parikrama Yatra
દેશ

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રાના તબક્કા-5નો પ્રારંભ કર્યો

by kalpana Verat May 19, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ગઈકાલે મહારાષ્ટ્રના રાયગઢના કરંજા ખાતે સાગર પરિક્રમા યાત્રા તબક્કા-5નો પ્રારંભ કર્યો હતો. સાગર પરિક્રમા યાત્રા તબક્કો-5 દરિયાકાંઠાના પ્રદેશો તરફ આગળ વધશે જેમ કે ગેટવે ઓફ ઈન્ડિયા, કરંજા (રાયગઢ જિલ્લો), મીરકરવાડા (રત્નાગિરી જિલ્લો), દેવગઢ (સિંધુદુર્ગ જિલ્લો), માલવણ, વાસ્કો, મોર્મુગાંવ, કાનાકોના (દક્ષિણ ગોવા).

તેમના સંબોધનમાં શ્રી પરષોત્તમ રૂપાલાએ પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના (PMMSY) યોજના અને વાદળી ક્રાંતિની અન્ય બહુપરીમાણીય પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મત્સ્યઉદ્યોગના ઉત્પાદન અને ઉત્પાદકતા (અંતર્દેશીય અને દરિયાઈ બંને માટે) અને તેની સાથે સંકળાયેલી પ્રવૃતિઓ, જેમાં ઈન્ફ્રા ડેવલપમેન્ટ, માર્કેટિંગ, નિકાસ અને સંસ્થાકીય વ્યવસ્થા વગેરે પર ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વયંસેવકોને યોજનાઓની જાગરૂકતા વધારવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી જેથી કરીને લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે છે. કારંજા (રાયગઢ જિ.) ખાતેના કાર્યક્રમમાં લગભગ 6000 માછીમારો, મત્સ્ય ખેડૂતો અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. ક્ષેત્ર વધુમાં તેમણે વાદળી ક્રાંતિ અને PMMSY જેવી યોજનાઓ હેઠળ મહારાષ્ટ્રમાં મંજૂર કરાયેલા ફિશ હાર્બર સેન્ટર, ફિશ લેન્ડિંગ સેન્ટર વગેરે માટે રૂ. 140 કરોડના પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરી. તેમણે સાગર પરિક્રમા કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ કોસ્ટ ગાર્ડ અને મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો.

આ સમાચાર પણ વાંચો: Bihar Caste Census : સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્ણયને યથાવત રાખ્યો, બિહાર સરકારને મોટો ફટકો

શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત માછલી ખેડૂતો, માછીમારો જેવા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. ઘણા લાભાર્થીઓએ તેમના અનુભવો શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી સાથે શેર કર્યા હતા અને તેમની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમજ માછીમારો અને માછીમારી સમુદાયના જીવનમાં PMMSY યોજના દાખલ કરવામાં આવેલ જબરદસ્ત યોગદાન માટે પ્રશંસા કરી હતી. આગળ વધીને, તેમણે KCC ના પ્રમોશન પર વિચાર-વિમર્શ કર્યો અને ઉત્સાહપૂર્વક ઉમેર્યું કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શિબિરો યોજવામાં આવી છે, જ્યાં માછીમારો અને માછલી ખેડૂતોને KCC નોંધણી અને તેના લાભો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં, તેમણે લાભાર્થીઓ જેવા કે માછીમારો, માછલી ખેડૂતો અને અન્ય હિતધારકોને કિસાન ક્રેડિટ કાર્ડ અને QR કોડ આધાર કાર્ડ/ઈ-શ્રમ કાર્ડથી સન્માનિત કર્યા. વિવિધ લાભાર્થીઓની યાદી નીચે મુજબ છે i) માછીમારોનું સન્માન (ડૉ. સુયોગ ચંદ્રકાંત આહેર, શ્રીમતી અસ્મિતા વિવેક પાટીલ, વિઠ્ઠલ કોલેકર, પ્રોજેક્ટ મેનેજર, શ્રમજીવી જનતા સહાયક મંડળ સંચલિત), ii) માછીમારોનો જીવ બચાવનાર માછીમારોનું સન્માન (Om) કાંતિલાલ પાગધરે, રાજુ પાટીલ), iii) આધાર કાર્ડ હેમંત પરશુરામ કોલી, હર્ષદ સખારામ કોલી, શંકર નારાયણ નાખાવા), iv) ઇ-શ્રમ કાર્ડ લાભાર્થીની યાદી (રુષિરાજ જનાર્દન કોલી, વિનાયક રામચંદ્ર કોલી, રવિન્દ્ર ખાંડુકોલી), v) કેસીસી કાર્ડ લાભાર્થી યાદી (રૂપિકા રામદાસ નિશાનદાર, ગજાનન રામકૃષ્ણ કોલી, ઉમેશ ગજાનન કોલી, રામચંદ્ર રામા કોલી, મનોજ જાનુ કોલી), vi) માછીમારોની વળતર યાદી (પીટર ઈનાસગરીબા, ફ્રાન્સિસપુલપેદ્રુ, જેમ્સ મોજેસ પાલેકર, સફ્રુસપાસ્કુલાકરી, રાજેશ કોલી, રાજેશ કોલી, રાજેશ કોળી, પીટર એનસગરીબા, ફ્રાન્સિસપુઅલપેડ્રુ , જહોનસન સેન્ડોમર એન્ટોન પકુલાકડી, વાસુદેવ પાંડુરંગ કોલી).

શ્રી. પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીએ સાગર પરિક્રમાની વિભાવના શેર કરીને પ્રબુદ્ધ કર્યા અને નીચેનાને પ્રકાશિત કર્યા: i) લોકો કેન્દ્રીત શાસન મોડલ, ii) 1950 થી 2014 સુધીમાં, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં રોકાણ લગભગ રૂ. 3,681 કરોડ હતું. 2014 થી શરૂ કરીને સરકારે રૂ. 20,500 કરોડના બજેટ સાથે PMMSY જેવી યોજનાઓ રજૂ કરી., આશરે રૂ. 8,000 કરોડના બજેટ સાથે FIDF અંતર્ગત બ્લુ રિવોલ્યુશનમાં અંદાજે 3000 કરોડ, રૂ. 32,000 કરોડ જમીની વાસ્તવિકતાઓને સમજીને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે કુલ રોકાણ કરવામાં આવ્યું છે. iii) આજે વિશ્વના તમામ દેશો ઉકેલો માટે ભારત તરફ જોઈ રહ્યા છે અને આ શક્ય બન્યું છે કારણ કે અમારી સરકારે લોકોની સામાન્ય શાણપણ પર વિશ્વાસ રાખ્યો હતો. અને તેમને મત્સ્ય ઉદ્યોગના વિકાસ સહિત દેશની પ્રગતિમાં બુદ્ધિપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા, iv) તેમની સમસ્યાઓ અને આકાંક્ષાઓનું ઉદ્દેશ્યપૂર્વક મૂલ્યાંકન કરવા વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો. ઉપરાંત, વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં PMMSY વગેરે જેવી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે KCCના પ્રચાર માટે માછલીના ખેડૂતોમાં જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂક્યો, v) સમુદ્રની સંપત્તિ પર ઉદ્દેશ્ય મૂલ્યાંકન અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે અર્થતંત્રમાં યોગદાન માટેની તેની સંભવિતતા પર ચર્ચા કરી.

આ સમાચાર પણ વાંચો: ત્ર્યંબકેશ્વર મંદિર બાદ હવે મહારાષ્ટ્રના આ મંદિરની બહાર લાગ્યા બોર્ડ, ભક્તો માટે લાગુ થયો ડ્રેસકોડ, તેના વગર મંદિરમાં નહીં મળે એન્ટ્રી

શ્રી સુધીર મુનગંટીવાર, વન, સાંસ્કૃતિક બાબતો, મત્સ્યોદ્યોગ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર; અતુલ પટને, IAS, સચિવ (ફિશરીઝ), મહારાષ્ટ્ર સરકાર, vi) ડૉ. જે. બાલાજી, IAS, જોઈન્ટ સેક્રેટરી (મરીન ફિશરીઝ), vii) સુવર્ણાચંદ્રપ્પાગારી, ચીફ એક્ઝિક્યુટિવ, NFDB, viii) ડૉ. એલ.એન. મૂર્તિ, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

 સાગર પરિક્રમાની જર્ની એક ઉત્ક્રાંતિકારી છે, જે તમામ માછીમારો, માછલી ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવતી દરિયાકાંઠાના પટ્ટામાં સમુદ્રમાં પરિકલ્પના છે. તે ભારત સરકાર દ્વારા એક પહેલ છે, જેનો હેતુ માછીમારો, અન્ય હિસ્સેદારોના પ્રશ્નોના ઉકેલ લાવવા અને ભારત સરકાર દ્વારા અમલી કરવામાં આવતી વિવિધ મત્સ્યોદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો જેમ કે પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના (PMMSY) અને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા તેમના અર્થશાસ્ત્રના ઉત્થાનને સરળ બનાવવાનો છે. સાગર પરિક્રમા રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા માટે દરિયાઇ માછીમારી સંસાધનોના ઉપયોગ, દરિયાકાંઠાના માછીમાર સમુદાયોની આજીવિકા અને દરિયાઇ ઇકોસિસ્ટમના રક્ષણ વચ્ચેના ટકાઉ સંતુલન પર ધ્યાન કેન્દ્રીત કરશે જેથી માછીમાર સમુદાયો અને તેમની અપેક્ષાઓના અંતરને દૂર કરવામાં આવે, ઇકોસિસ્ટમ અભિગમ દ્વારા ટકાઉ અને જવાબદાર વિકાસ સુનિશ્ચિત કરવા માટે માછીમારીના ગામોનો વિકાસ, ફિશિંગ બંદરો અને ઉતરાણ કેન્દ્રો જેવા માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને નિર્માણ કરાય.

ગુજરાતમાં ‘સાગર પરિક્રમા’નો પ્રથમ તબક્કો કાર્યક્રમ યોજાયો હતો, જે 5મી માર્ચ 2022ના રોજ માંડવીથી શરૂ થયો હતો અને 6મી માર્ચ 2022ના રોજ પોરબંદર, ગુજરાત ખાતે સમાપ્ત થયો હતો. સાગર પરિક્રમા તબક્કો -II કાર્યક્રમ તરીકે 22મી સપ્ટેમ્બર 2022ના રોજ માંગરોળથી વેરાવળ સુધી શરૂ થયો હતો અને 23મી સપ્ટેમ્બર 2022ના રોજ મૂળ દ્વારકાથી માધવડ સુધી મુળ દ્વારકા ખાતે સમાપ્ત થયો હતો. ‘સાગર પરિક્રમા’નો ત્રીજો તબક્કો કાર્યક્રમ 19મી ફેબ્રુઆરી 2023ના રોજ સુરત, ગુજરાતથી શરૂ થયો હતો અને 21મી ફેબ્રુઆરી 2023ના રોજ સાસન ડોક, મુંબઈ ખાતે સમાપ્ત થયો હતો. ચતુર્થ તબક્કાનો કાર્યક્રમ 17મી માર્ચ 2023ના રોજ ગોવાના મોરમુગાવ પોર્ટથી શરૂ થયો હતો અને 19મી માર્ચ 2023ના રોજ મેંગ્લોરમાં સમાપ્ત થયો હતો.

આ સાગર પરિક્રમાની અસર આબોહવા પરિવર્તન અને ટકાઉ માછીમારી સહિત માછીમારો અને માછીમાર લોકોના આજીવિકા અને સર્વગ્રાહી વિકાસ પર દૂર સુધી પહોંચશે.

May 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

લો કરો વાત- આ દેશનો વિચિત્ર પ્રસ્તાવ- અહીં ગાય અને ઘેટાં ઓડકાર ખાય તો ખેડૂતોએ ભરવો પડશે ટેક્સ 

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ઘણી માનવ પ્રવૃત્તિઓ(Human activities) પર્યાવરણને(environment) નુકસાન પહોંચાડે છે. દુનિયાના અલગ-અલગ દેશો તેમને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે આ ક્રમમાં ન્યુઝીલેન્ડે(New Zealand) હવે એક મોટું પગલું ભર્યું છે. કૃષિમાંથી ગ્રીનહાઉસ ગેસ(Greenhouse gas) ઉત્સર્જનને પહોંચી વળવા દેશે અનોખો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડમાં એક એવો ડ્રાફ્ટ કાયદો લાવવામાં આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

ટચુકડા દેશ ન્યૂઝીલેન્ડે ગાય(Cow) અને ઘેટાંના(sheep) ઓડકાર(Burps) ઉપર ટેક્સ(Tax) લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. હજુ આ દરખાસ્ત જ છે પણ અમલી બને તો ગાય અને ઘેટાં જયારે ઓડકાર ખાશે ત્યારે તેના પાલકે આ દંડ ભરવો પડશે. પર્યાવરણ મંત્રાલયના(Ministry of Environment) જણાવ્યા અનુસાર, જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો ન્યુઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ હશે જે ખેડૂતોને(Farmers) તેમના પ્રાણીઓના(Animals) ઓડકાર માટે ચાર્જ કરશે.   

આ સમાચાર પણ વાંચો :  સંભવિત મિનિ કોરોના લહેરને લઈને WHOની મુખ્ય વૈજ્ઞાનિકનું નિવેદન- અહી જાણો શું કહ્યું

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 50 લાખની વસતી ધરાવતા આ દેશમાં 1 કરોડ જેટલી ગાય છે અને 2.6 કરોડ જેટલા ઘેટાં. ડેરી(Dairy), પશુપાલન(Animal Husbandry) અને ઉન અહી એક મોટી આર્થિક પ્રવૃત્તિ(Economic activity) છે. દેશ મુખ્ય કૃષિ નિકાસકાર(agricultural exporter) છે. આવી દલીલ છે કે ન્યૂઝીલેન્ડ જેટલી માત્રમાં કુલ મિથેન ગેસનું(Methane gas) ઉત્પાદન કરે છે તેમાંથી 97 ટકા માત્ર ગાયના કારણે આવે છે. આ ગેસની માત્ર ઉપર અંકુશ મેળવવા માટે આ ટેક્સ લાદવાની દરખાસ્ત કરવામાં આવી છે.  

સરકાર અને ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પ્લાન મુજબ વર્ષ 2025થી ખેડૂતોએ તેમના ગાય અને ઘેટાં જયારે ઓડકાર ખાશે ત્યારે તેના પાલકે આ દંડ ભરવો પડશે. હવે જોવાનું એ રહેશે કે સરકારના આ નિર્ણય પર ત્યાંના ખેડૂતોની શું પ્રતિક્રિયા આવે છે?

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક