• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ankleshwar
Tag:

Ankleshwar

Amit Shah congratulated Delhi and Gujarat police For Ankleshwar seizing Drugs worth 13,000 crores
દેશરાજ્ય

Amit Shah Delhi Police: દિલ્હી અને ગુજરાત પોલીસને મળી મોટી સફળતા! અંકલેશ્વરમાં રૂ. 13,000 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન

by Hiral Meria October 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah Delhi Police: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આપણા યુવાનોને ડ્રગ્સના ત્રાસથી બચાવીને ડ્રગ મુક્ત ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. 

Amit Shah Delhi Police: X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું

એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો અને નાર્કોના વેપાર સામેનો શિકાર કોઈ પણ પ્રકારની શિથિલતા વિના ચાલુ રહેશે. શ્રી શાહે રૂ. 13,000 કરોડનાં મૂલ્યનાં નશીલા દ્રવ્યો જપ્ત કરવાનાં શ્રેણીબદ્ધ સફળ ઑપરેશનો માટે દિલ્હી પોલીસને અભિનંદન આપ્યાં હતાં, જેમાં તાજેતરમાં ગુજરાત પોલીસે રૂ. 5,000 કરોડનું કોકેઇન ( Drugs Seized ) મેળવ્યું હતું.

ડ્રગ્સના વેપાર પર તાજેતરમાં કડક કાર્યવાહીમાં, દિલ્હી પોલીસ ( Delhi Police ) અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે, 13 ઓક્ટોબર 2024 ના રોજ, ગુજરાતના અંકલેશ્વર સ્થિત એક કંપનીમાં સર્ચ ઓપરેશન દરમિયાન 518 કિલોગ્રામ કોકેન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરવામાં આવેલા કોકેઇનની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા છે.

I congratulate Delhi Police for the series of successful operations seizing drugs worth ₹13,000 crore, including the recent one with Gujarat Police recovering cocaine worth ₹5,000 crore.

The hunt against drugs & narco trade will continue with no laxity.

The Modi government… https://t.co/87YtC9Tyin

— Amit Shah (@AmitShah) October 14, 2024

આ પહેલા 01 ઓક્ટોબર, 2024ના રોજ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં એક વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા અને 562 કિલોગ્રામ કોકેઇન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન, 10 ઓક્ટોબર 2024ના રોજ, દિલ્હીના રમેશ નગરની એક દુકાનમાંથી લગભગ 208 કિલોગ્રામ વધારાનું કોકેઇન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મળી આવેલી દવા ગુજરાતના ( Gujarat Police ) અંકલેશ્વર સ્થિત એક કંપનીની છે.

આ સમાચાર પણ વાંચો:  BIS Rajkot WSD 2024: BIS રાજકોટએ કરી વિશ્વ માનક દિવસ 2024ની ઉજવણી, WSD 2024ના ભાગ રૂપે કરવામાં આવ્યું આ કોન્ક્લેવનું આયોજન.

આ કેસમાં અત્યાર સુધીમાં ( Ankleshwar ) કુલ 1,289 કિલોગ્રામ કોકેઇન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક થાઇલેન્ડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 13,000 કરોડ રૂપિયા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ankleshwar turned into a bat, water seeps up to first floor of 15 Hansot Road society
રાજ્ય

Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Bharuch: રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નર્મદા નદી ( Narmada river ) બે કાંઠે થતા ભરૂચ-અંકલેશ્વરમાં ( Ankleshwar  )  સ્થિતિ વિકટ બની છે. નર્મદાનું જળસ્તર ( water level ) ઐતિહાસિક 41 ફૂટને સ્તરને પાર કરી ગયું છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા વાગરા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે, ગુજરાતની ( Gujarat ) જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

અંકલેશ્વર બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ઘૂસ્યા

અંકલેશ્વરની વાત કરીએ તો છેલ્લા 1-2 દિવસથી સતત પડી રહેલા વરસાદના ( Rainfall ) કારણે આખું શહેર બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ, ભરૂચ – અંક્લેશ્વર માર્ગ, સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે. માહિતી મુજબ, અંકલેશ્વરના બોરભાઠા બેટ, છાપરા, કાશિયા, ખાલપિયા અને સરફુદીન ગામમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે.

આ સમાચાર પણ વાંચો : CM Nitish Kumar: ‘હું પત્રકારોના સમર્થનમાં છું’, I.N.D.I.A. ગઠબંધનના 14 ટીવી એન્કર પર પ્રતિબંધના મુદ્દે બોલ્યા સીએમ નીતીશ કુમાર

સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી

અંકલેશ્વરના હાંસોટ રોડ ખાતે આવેલી 15 જેટલી સોસાયટીઓમાં મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને મકાનની છત પર રહેવા ફરજ પડી છે. સોસાયટીઓના પહેલા માળ સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર દ્વારા પણ રાત-દિવસ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચની સ્થિતિ પણ વિકટ બની છે. ભરૂચમાં પણ નર્મદાના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ankleshwar earns huge income by cultivating Lal Jambu
હું ગુજરાતી

અંકલેશ્વરના યુવા ખેડૂતનો અનોખો પ્રયોગ, લાલ જાંબુની ખેતી કરી મેળવે છે મોટી કમાણી

by Akash Rajbhar April 20, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

અંકલેશ્વર તાલુકાના એક ગામના યુવા ખેડૂતે લાલ જાબુંની ખેતી કરી છે. આ અનોખા પ્રકારના જાંબુમાં થઈ રહેલી સારા ઉત્પાદનને લઈને ખેડૂતને મોટી કમાણીની આશા જાગી છે. ત્યારે તમને જણાવીશું કે, કેવી રીતે આ ખેતી કરવામાં આવી છે અને આ જાંબુની ખાસ વાત શું છે.
ભારત દેશમાં અવનવા ફળ-ફળાદિ ફ્રૂટ બજારોમાં જોવા મળી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં કુદરતી રીતે ખાડી કિનારે કુદરતી ઊગી નીકળેલ જાંબલી કલરના જાંબુડા જોવા મળે છે. પરંતુ ભરૂચના ખેડૂતે અનોખા જાંબુનું વાવેતર કર્યું હતું. જણાવી દઈએ કે, આ ખેડૂતે મહારાષ્ટ્રથી છોડ લાવીને લાલ જાંબુનું ઉત્પાદન કર્યું છે. જેના કારણે તેમને સારી આવક મળે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફ્રૂટ બજારોમાં છેલ્લા 4 કે 5 વર્ષથી લાલ જાંબુનું વેચાણ

હાલ બદલાતા સમયમાં નામ પણ નહીં સાંભળ્યા હોય તેવા વિદેશી ફળો ભારતીય બજારોમાં વેચાતા મળી રહ્યા છે. આથી, સ્વાદ પ્રિય લોકો ફળોના સ્વાદનો આનંદ પણ લૂંટી રહ્યા છે. જણાવી દઈએ કે, ભરૂચના ખેડૂત ફ્રૂટ બજારોમાં છેલ્લા 4 કે 5 વર્ષથી લાલ જાંબુ વેચાતા નજરે પડી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ‘સ્ટાઇલ’ ફેમ અભિનેતા સાહિલ ખાન ની મુશ્કેલી વધી, આ મામલે દાખલ થઇ FIR, લાગ્યા ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

નોકરી છોડી યુવાને ખેતીમાં ઝંપલાવ્યુ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાનકડા બોરભાઠા બેટ ગામમાં રહેતા યુવા ખેડૂત અતુલકુમાર બી.પટેલ છેલ્લા 7 વર્ષથી ખેતી કરી રહ્યા છે. અભ્યાસમાં ITI AOCPનો કોર્ષ કર્યો છે,. આ ખેડૂતે ઘણા વર્ષ નોકરી પણ કરી હતી, પરંતુ નોકરી કરતા ખેતીમાં વધુ પડતો રસ હોવાથી યુવાને ખેતીમાં ઝપલાવ્યું છે.

મહારાષ્ટ્રથી લાવ્યા લાલ જાંબુના છોડ

અતુલકુમાર પટેલે પોતાના ખેતરના શેઢા ઉપર લાલ જાંબુના છોડ ઉગાડ્યા છે. મહારાષ્ટ્રથી ખાસ ટ્રાયલ માટે લાવીને લાલ જાંબુના છોડની માવજત કરી ખાતર અને દેશી પદ્ધતિથી છોડ મોટું કરવા માટે મહેનત કરી રહ્યા હતા. જણાવી દઈએ કે, આ છોડને ત્રણ વર્ષ થતા જ તેના ઉપર એક નહિ પણ હજારો ફળ બેસ્યા હતા અને ગત વર્ષે 3 કવિન્ટલથી વધુનું ઉત્પાદન થતા ખેડૂતને મણના 1 હજાર રૂપિયાની આવક થઈ હતી. આ ખેડૂતને ગત વર્ષે આ જાંબુમાંથી 3 કવિન્ટલે 5 હજારથી વધુની આવક થઈ હતી.
આ સમાચાર પણ વાંચો: ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતે ચોમાસાની સીઝનમાં થતા સોયાબીનની ખેતી ઉનાળાની સિઝનમાં કરી ઓછા ખર્ચે મબલક આવક મેળવી રહ્યા છે.
આ વર્ષે યોગ્ય પ્રાકૃતિક ખાતર અને માવજાતને લઈ સારું ઉત્પાદન થાય તેવી આશા ખેડૂતે સેવી છે. ખેડૂતને 4 કવિન્ટલથી પણ વધુ લાલ જાંબુનું ઉત્પાદન મળવા સાથે 8 હજારથી વધુની આવક મળશે. હાલ તો ખેડૂત લાલ જાંબુના ઉત્પાદનને લઈ આનંદિત જોવા મળ્યા હતા.
લાલ જાંબુનો ફાલ આવતા જ તેને તોડી સ્થાનિક અંકલેશ્વર-ભરૂચના બજારોમાં પહોંચાડવામાં આવશે. આ લાલ જાંબુના અનેક ફાયદા પણ છે. વિટામિન અને લોહ તત્વો તેમજ તેને ખાવાથી શરીર તંદુરસ્ત, નિરોગી રહેવા સાથે સ્વસ્થ રહે છે. આથી જ ભરૂચ જિલ્લામાં પણ આ લાલ જાંબુનું ચલણ વધ્યું છે.
April 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક