• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - asit modi
Tag:

asit modi

'Taarak Mehta Ka Ooltah Chashmah' be closed soon Makers themselves told the truth
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!

by Zalak Parikh December 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) છેલ્લા ૧૮ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો ભારતનો સૌથી પ્રિય સિટકોમ છે. આ શોના કલાકારોએ દર્શકોમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી શો વિવાદોનો હિસ્સો બનતો રહ્યો છે, અને કેટલાક કલાકારોએ મેકર્સ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા હતા કે આ શો ટૂંક સમયમાં બંધ થવાનો છે, જેના કારણે ચાહકોને આઘાત લાગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ

પ્રોડ્યુસરે અટકળોનું ખંડન કર્યું

૨૦૦૮ માં શરૂ થયેલા આ શોને લગભગ ૧૮ વર્ષ થઈ ચૂક્યા છે. ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીની ૨૫મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન, શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ શો બંધ થવાના સમાચારોનું ખુલ્લેઆમ ખંડન કર્યું છે.તાજેતરમાં, ગોકુલધામ સોસાયટીમાં શાકભાજી વેચનાર ‘સુનીતા’નું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રાજક્તા શિસોદેએ શો છોડી દીધો છે. પ્રાજક્તાએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી, જેના કારણે શો બંધ થવાની અફવાઓને વધુ વેગ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Prajaktaa 5 💕😝 (@actor_prajaktashisode_official)


પ્રાજક્તાએ તેના સોશિયલ મીડિયા પર લખ્યું: “તમારે એવા લોકો સાથે કામ ન કરવું જોઈએ જે તમારી ભાવનાઓની કદર ન કરે અને તમારા આત્મસન્માનનું બલિદાન આપે. આ સુનીતાના પાત્ર માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આભાર. હું મારી મહિલા મંડળ ટીમને ખૂબ જ યાદ કરીશ.” પ્રાજક્તાનું શો છોડવું એ ચાહકો માટે મોટા આંચકાથી ઓછું ન હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak Mehta Ka Ooltah Chashmah Completes 4500 Episodes Amid Mixed Reactions
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત

by Zalak Parikh September 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Taarak Mehta Ka Ooltah Chashmah : સબ ટીવીના લોકપ્રિય સિટકૉમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ 4500 એપિસોડ્સ પૂર્ણ કર્યા. આ અવસરે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સમગ્ર ટીમ સાથે ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ શો 2008થી શરૂ થયો હતો અને આજે પણ ટીઆરપી લિસ્ટમાં ટોચના 10 શોમાં સ્થાન ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો

અસિત મોદીની ભાવનાત્મક પોસ્ટ

અસિત મોદીએ લખ્યું – “એક બીજ થી શરૂ થયેલું સપનું આજે હજારો સ્મિતો નો બગીચો બની ગયો છે. પ્રથમ દિવસથી જોડાયેલા સાથીઓ, મહેનતી ટીમ અને દર્શકોનો દિલથી આભાર.” તેમણે શોના પાત્રો સાથેની ઉજવણીની તસવીરો પણ શેર કરી.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પ્રથમ એપિસોડ 28 જુલાઈ, 2008ના રોજ પ્રસારિત થયો હતો. આ દરમિયાન ઘણા પાત્રો જોડાયા અને ઘણા શોને અલવિદા પણ કહી ચૂક્યા છે. શો અનેક વખત વિવાદોમાં પણ રહ્યો છે, છતાં તેની લોકપ્રિયતા યથાવત છે.

 

View this post on Instagram

 

A post shared by Asit Kumarr Modi (@officialasitkumarrmodi)


જ્યાં એક તરફ ચાહકો શોને 4500 એપિસોડ્સ માટે શુભેચ્છા આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક યુઝર્સે શોની ગુણવત્તા અંગે નિરાશા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું – “હવે શોમાં પહેલો જેવી મજા નથી.” બીજાએ લખ્યું – “જૂના પાત્રોને અવગણશો નહીં.” કેટલાકે તો શોને બંધ કરવાની પણ માંગ કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak Mehta Ka Ooltah Chashmah to Introduce New Dayaben, Says Asit Modi
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત

by Zalak Parikh September 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન અનેક પાત્રો આવ્યા અને ગયા, પણ દયાબેન ના પાત્રની ખોટ આજે પણ દર્શકોને ખલે છે. દિશા વકાની એ 2017માં શો છોડ્યો હતો, ત્યારથી ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે પ્રોડ્યુસર અસિત મોદી એ જાહેરાત કરી છે કે શોમાં નવી દયાબેન આવશે.

આ સમાચાર પણ વાંચો : TRP Week 34: આ અઠવાડિયા ના ટીઆરપી લિસ્ટ માં જોવા મળી અનુપમા અને તુલસી વચ્ચે ટક્કર, જાણો બે માંથી કયા શો એ મારી બાજી

અસિત મોદી નો  ખુલાસો – હવે નવી દયા લાવવી પડશે

અસિત મોદીએ કહ્યું કે, “શોએ તાજેતરમાં 17 વર્ષ પૂર્ણ કર્યા છે… હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે અને હવે સમય આવી ગયો છે કે હું નવી દયાબેન લાવું.” તેમણે સ્વીકાર્યું કે 2022-23થી દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રી શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.અસિત મોદીએ કહ્યું કે જ્યારે દિશા વાકાણી 2017માં શો છોડ્યો ત્યારે તેઓ ખૂબ ઘબરાઈ ગયા હતા. “દયાબેન અને જેઠાલાલ ના પાત્રો શોના પાયાના પથ્થર છે. દયાબેન ની બોલવાની રીત અને અંદાજ આખા દેશમાં લોકપ્રિય થયો હતો.”

 

View this post on Instagram

 

A post shared by Asit Kumarr Modi (@officialasitkumarrmodi)


અસિત મોદીએ દિશા સાથેના સંબંધો વિશે કહ્યું, “દિશા સાથે મારા ખૂબ સારા સંબંધ છે અને કોઈ ખટાસ નથી. હું ફરીથી તેમના સાથે કામ કરવું પસંદ કરીશ. પણ હાલ તેઓ પરિવારિક જીવન પર વધુ ધ્યાન આપી રહી છે.” રક્ષાબંધન પર દિશા સાથેની તસવીરો શેર થતાં ફેન્સમાં આશા જાગી હતી કે કદાચ તેઓ ફરીથી શોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jennifer Mistry Claims Dilip Joshi Grabbed Asit Modi’s Collar During Fight in Hong Kong
મનોરંજન

Jennifer Mistry Claims: જેનિફર મિસ્ત્રીનો દાવો: “હોંગકોંગમાં દિલીપ જોશીએ અસિત મોદી સાથે કરી હતી આવી હરકત”

by Zalak Parikh August 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jennifer Mistry Claims: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) શો 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. શોમાં મિસિસ રોશનનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry) હવે શોનો ભાગ નથી, પરંતુ તે સતત શોના પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi) પર આરોપ લગાવી રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે દાવો કર્યો કે હોંગકોંગમાં એક ઇવેન્ટ દરમિયાન અસિત મોદી અને દિલીપ જોશી (Dilip Joshi) વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Aamir Khan In Coolie: ‘કુલી’ માં આમિર ખાન ની થઇ એન્ટ્રી, રજનીકાંત ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

હોંગકોંગમાં જાહેરમાં થયેલી ઉગ્ર લડાઈ

જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry)એ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે “હોંગકોંગમાં ખૂબ ખરાબ લડાઈ થઈ હતી. આખી પબ્લિક વચ્ચે ચીસા-ચીસી થઈ હતી. દિલીપ જોશીએ અસિત મોદી નો કોલર પકડી લીધો હતો.” તેણે ઉમેર્યું કે “એક સમયે તો વાત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી અને બધાને લાગ્યું કે હવે તો હદ થઈ ગઈ.”

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)


આ પહેલા પણ બંને વચ્ચેના મતભેદોની ચર્ચા થઈ હતી. અસિત મોદીએ આ અંગે નિવેદન આપ્યું હતું કે “આ બધું ખોટું છે, લોકો શોની સફળતા (Success)થી ઈર્ષ્યા કરે છે.” જ્યારે દિલીપ જોશીએ કહ્યું હતું કે “આફવા દુઃખદ છે. ‘તારક મહેતા’ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajasthani Family Joins TMKOC After 17 Years, Major Twist Ahead
મનોરંજન

TMKOC: 17 વર્ષ બાદ ‘તારક મહેતા’માં મોટો ફેરફાર, ગોકુલધામમાં થશે આ પરિવારની એન્ટ્રી

by Zalak Parikh August 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC:  લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) હવે 17 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે અને આ ખાસ અવસરે શોમાં મોટો ફેરફાર જોવા મળશે. પહેલીવાર ગોકુલધામ સોસાયટીમાં એક નવો રાજસ્થાની પરિવાર જોડાઈ રહ્યો છે. આ પરિવારે શોમાં નવી તાજગી લાવવાની આશા છે અને સાથે રાજસ્થાની સંસ્કૃતિ (Culture) પણ દર્શાવાશે.

આ સમાચાર પણ વાંચો : TRP War Heats Up: TRPની રેસમાં ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ અને ‘અનુપમા’ વચ્ચે કાંટાની ટક્કર, આ મામલે રાજન શાહી એ આપી પ્રતિક્રિયા

ગોકુલધામમાં રાજસ્થાની પરિવારની ધમાકેદાર એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ, આ રાજસ્થાની પરિવાર ચાર સભ્યોનો હશે – પતિ, પત્ની અને બે બાળકો. તેઓ ઊંટ (Camel) પર સવાર થઈને રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં ગોકુલધામના દરવાજે પહોંચશે. આ દ્રશ્ય દર્શકો માટે એક નવી અનુભૂતિ લાવશે.શોની 17મી વર્ષગાંઠના સેલિબ્રેશન દરમિયાન પ્રોડ્યુસર આસિત મોદી (Asit Modi)એ આ નવી એન્ટ્રીની વાત કરી હતી. હવે આ પરિવાર શૂટિંગ શરૂ કરી ચૂક્યો છે. TMKOCના ચાહકો માટે આ એક નવી શરૂઆત છે, જે શોને વધુ રસપ્રદ બનાવશે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ રાજસ્થાની પરિવાર શોના લોકપ્રિય પાત્રો જેમ કે જેઠાલાલ (Jethalal), પોપટલાલ (Popatlal) અને ભિડે (Bhide) સાથે કેવી રીતે જોડાય છે. શું તેઓ ગોકુલધામમાં શાંતિ લાવશે કે નવો હંગામો સર્જશે? આવનારા એપિસોડ્સમાં આ બધું જાણવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah jethalal dilip joshi to leave show asit modi reacts
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: ‘જેઠાલાલ’ ના તારક મહેતા શો છોડવાના સવાલ પર અસિત મોદી એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh July 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  માં ‘જેઠાલાલ’ નું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશી શો છોડી રહ્યા હોવાની અટકળો વચ્ચે, એક ઇન્ટરવ્યુમાં તેમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો. જોકે, દિલીપ જોશી જવાબ આપે તે પહેલા જ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પ્રતિક્રિયા આપતા મજાકમાં કહ્યું કે આવા સવાલથી તેમને ટેન્શન થઈ જાય છે, કારણ કે શોને 17 વર્ષ પૂરા થયા છે અને આવા સમયે આવા સવાલ પૂછવા યોગ્ય નથી.

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાનની 25 IPS અધિકારીઓ સાથે મુલાકાત બન્યો ચર્ચા નો વિષય, હવે તેમના મળવા પાછળ નું સાચું કારણ આવ્યું સામે

જેઠાલાલે સંભળાવ્યો ફિલ્મની પાર્ટીઓનો કિસ્સો

અસિત મોદીએ કહ્યું, “આજે હજુ 17 વર્ષ પૂરા થયા છે. આવા પ્રસંગે આવા સવાલ ન પૂછો. મને ટેન્શન   થઈ જશે.” આના પર દિલીપ જોષીએ જવાબ આપ્યો, “કહેવાય છે કે હાસ્યથી મોટી દવા કોઈ નથી. જ્યારે તમને આટલું સારું વાતાવરણ આટલા નસીબથી મળે છે, ત્યારે મને લાગે છે કે…. મને ઘણા મોટા-મોટા કલાકારોએ  ઘણી વાર કહ્યું છે, ક્યારેક કોઈ પાર્ટીમાં તો ક્યારેક ક્યાંક બીજી જગ્યાએ કે ‘ઓર ક્યા ચલ રહા હૈ?'” વર્ષોથી આ શો કરી રહેલા દિલીપ જોષીએ જણાવ્યું કે હું તેમને હસતા-હસતા કહી દઉં છું કે ‘કંઈ નહીં સર નોકરી ચાલી રહી છે.’ આના પર તે કલાકારો જવાબ આપે છે કે ‘અરે સર, દરેક કલાકારને તમારી જેવી નોકરી મળી જાય!’ આ દર્શાવે છે કે આ શો કેટલો લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


દિલીપ જોષીએ કહ્યું કે આટલા સારા-સારા કલાકારો  છે, તેમની પાસે સ્કિલ છે અને બધું જ છે, પરંતુ કામ નથી તે અફસોસની વાત છે. આજે ભગવાને આપણને એવું કામ આપ્યું છે કે જેનાથી આપણે આખી દુનિયામાં આપણું ગૌરવ બતાવી શકીએ છીએ. ખુશીઓ વહેંચી શકીએ છીએ. આજે એકબીજાને જોશો તો કોઈની પાસે એકબીજા સાથે વાત કરવાનો સમય જ નથી. આવા કામને ઠુકરાવીને ક્યાં જઈશું ભાઈ? જો આ કામને ઠુકરાવીને જઈશું તો આ તો મૂર્ખતા થઈ જશે ને. તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ શો છોડવાનો કોઈ ઇરાદો ધરાવતા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Disha Vakani Audition Asit Modi Reveals Casting Secrets of Taarak Mehta Ka Ooltah Chashmah
મનોરંજન

Disha Vakani Audition: તારક મહેતા માં દિશા વાકાણી ના ઓડિશન થી લઈને દિલીપ જોશી ના કાસ્ટિંગ સુધી, અસિત મોદી એ ખોલ્યો જૂની યાદો નો પિટારો

by Zalak Parikh April 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Disha Vakani Audition: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનનું સૌથી લાંબા સમય સુધી ચાલતો શો છે. 2008થી શરૂ થયેલા આ શોને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. દયાબેન ના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી કેવી રીતે થઈ, તે અંગે પ્રોડ્યુસર અસિત મોદી એ તાજેતરમાં ખુલાસા કર્યા છે. આ ઉપરાંત અસિત મોદી એ દિલીપ જોશી ના કાસ્ટિંગ અંગે પણ વાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ ની મુશ્કેલી વધી, આ મામલે ઇડી એ મોકલ્યું અભિનેતા ને સમન

દયાબેનના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી

અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દિશા વાકાણી એક ઉત્તમ અભિનેત્રી છે. જ્યારે તેમને દયાબેન પાત્ર માટે ઓડિશન આપવામાં આવ્યું, ત્યારે તેમની નિર્દોષતા અને કુટુંબપ્રેમી સ્વભાવ જોઈને તેઓને તરત જ પસંદ કરવામાં આવ્યા.અસિત મોદીએ જણાવ્યું કે દયાબેનનું ‘હે મા, માતાજી!’ સંવાદ ગુજરાતમાં સામાન્ય રીતે સાંભળવા મળે છે. દયાબેનના પાત્રમાં કુટુંબપ્રેમ અને નિર્દોષતા દર્શાવવાની કોશિશ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


અસિત મોદીએ ખુલાસો કર્યો કે દયાબેન ના ગરબા સ્ટાઇલ સ્ક્રિપ્ટમાં નહોતું, પરંતુ દિશા વાકાણી એ શૂટિંગ દરમિયાન તેને ઉમેર્યું, જે આજે શોની એક ઓળખ બની ગઈ છે.આ ઉપરાંત, દિલીપ જોશીના કાસ્ટિંગ અંગે અસિત મોદી એ કહ્યું, ‘અમે ઘણી વર્કશોપ કરી. ઘણા કલાકારો લાંબા ફોર્મેટમાં નવા હતા. દિલીપને ગુજરાતી રંગભૂમિનો અનુભવ છે અને તેમણે મદદ કરી. તે ઇમ્પ્રુવાઇઝ કરે છે. આનાથી તેમના પાત્રમાં ઊંડાણ આવ્યું. પણ બાકીના બધા નવા ચહેરા હતા. હું દરેકમાં કુદરતી નિર્દોષતા શોધી રહ્યો હતો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asit Modi opens up about actors leaving 'Taarak Mehta Ka Ooltah Chashmah'
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા…’ છોડીને ગયેલા કલાકારો પર અસિત મોદી એ તોડ્યું મૌન, તેમના વિશે કહી આવી વાત

by Zalak Parikh April 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યું છે. ઘણા કલાકારો શરુઆતથી શો સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે. આ અંગે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ખુલ્લેઆમ વાત કરી છે. અસિત મોદીએ કહ્યું કે તેમને દુખ થાય છે જ્યારે કલાકારો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડીને જાય છે.

આ સમાચાર પણ વાંચો: Preetika Rao: અમૃતા રાવની બહેન પ્રતિકાએ સહ-અભિનેતા પર લગાવ્યા ગંભીર આરોપ, અભિનેત્રી ની ચેટ થઇ વાયરલ

કલાકારોના શો છોડવા પર અસિત મોદીની પ્રતિક્રિયા

અસિત મોદીએ કહ્યું કે ‘અમે બધા સાથે શરુઆત કરી હતી અને જ્યારે તમે કોઈ સાથે લાંબા સમય સુધી કામ કરો છો અને તેઓ શો છોડે છે, ત્યારે દુખ થાય છે. પહેલા હાથી ભાઈ (કવિ કુમાર આઝાદ) બીમાર થયા અને તેમનું અવસાન થયું. મને ઘનશ્યામ નાયક (નટ્ટુ કાકા) પણ યાદ છે. જો તેઓ હજી પણ હોત, તો વસ્તુઓ મજેદાર હોત.’પ્રોડ્યુસર કહે છે કે ‘લોકો અમારા સાથે 15 વર્ષ, 12 વર્ષ સુધી રહ્યા છે. કેટલાક લોકો વચ્ચેમાં શો છોડીને ગયા અને પછી પાછા આવ્યા. અમે તેમને લીધા, ભૂતકાળની વાતોને ભૂલી દીધા.’

 

View this post on Instagram

 

A post shared by Asit Kumarr Modi (@officialasitkumarrmodi)


અસિત મોદીએ ગુરુચરણ સિંહ (સોડી) વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ‘ગુરુચરણજી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે સારું નથી. મને તેમના માટે ખરાબ લાગે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah kajal pisal audition for dayaben
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ ને મળી ગઈ નવી દયાભાભી? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

by Zalak Parikh March 31, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોને હસાવતો આવ્યો છે. આ શોની પાત્ર દયાબેને દર્શકો પર ખાસ અસર કરી છે. 2018માં દયાભાભી શો છોડીને ગયા પછી આજ સુધી કોઈ એ દિશા વકની નું સ્થાન લીધું નથી. હવે મેકર્સ નવી દયાબેનની શોધમાં છે.હવે લાગે છે કે શો ના મેકર્સ ને નવી દયાભાભી મળી ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો: Anupama twist: રાઘવ અને મોહિત ની એન્ટ્રી થી આવશે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન, કોઠારી પરિવાર સાથે ખ્યાતીજી ના રહસ્ય પરથી ઉઠશે પડદો

તારક મહેતા ના મેકર્સ ને મળી નવી દયાભાભી 

મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સે કદાચ દયાબેનના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. કાજલ પિસલ, જે ઝનક માં જોવા મળી હતી તેને દયાબેન ના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ માં કાજલે ,જણાવ્યું હતું કે, ‘ઓડિશન પછી, હું નિર્માતાઓના ફોનની રાહ જોતી હતી, પરંતુ મને ક્યારેય ફોન આવ્યો નહીં. પછી મને લાગ્યું કે આ ભૂમિકા મારા માટે નથી.’

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


2025ની શરૂઆતમાં અસિત કુમાર મોદી એ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી તેમના પરિવાર અને બાળકો સાથે વ્યસ્ત રહેવા માંગે છે અને હવે શોમાં પરત નહીં આવે

 

March 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah asit modi slams on palak sidhwani alligation
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતાના અસિત મોદીએ પલક સિધવાની ના આરોપો નો આપ્યો સણસણતો જવાબ, અભિનેત્રી વિશે કહી આવી વાત

by Zalak Parikh January 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો લોકપ્રિય છે. છેલ્લા ઘણા સમય થી આ શો વિવાદો થી ઘેરાયેલો છે. વાસ્તવ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અભિનેત્રી પલક સિધવાની એ નિર્માતાઓ અને અસિત મોદી પર માનસિક રીતે હેરાન કરવાનો અને પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો હવે શોના નિર્માતા અસિત મોદીએ તે આરોપો નો સણસણતો જવાબ આપ્યો છે.    

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: 20 મિનિટ ના બોનસ સીન સાથે રિલીઝ થશે પુષ્પા 2, જાણો ક્યારે જોઈ શકશો અલ્લુ અર્જુન ની આ બ્લોકબસ્ટર ફિલ્મ

અસિત મોદી એ આપ્યો જવાબ 

એક મીડિયા હાઉસ સાથે ના ઇન્ટરવ્યુ દરમિયાન અસિત મોદી એ પલક સિધવાની ના આરોપો પર જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘પલકે કોઈ કારણ વગર હોબાળો મચાવ્યો છે.આ ઉપરાંત અસિત મોદી એ કહ્યું, “દરેક વ્યક્તિએ શિસ્ત સાથે કામ કરવું પડશે. હું સબ ટીવી માટે પણ એક શો બનાવી રહ્યો છું. હું પણ આદર સાથે કામ કરું છું. મારો તેમની સાથે કરાર છે. તેવી જ રીતે, કલાકારનો મારી સાથે શિસ્તબદ્ધ સંબંધ છે. એક કરાર છે. આપણે દર મહિને 26 એપિસોડ બનાવવા પડે છે. તેના માટે એક શિસ્ત હોવી જોઈએ. તે તમારા મૂડ પર આધાર રાખી શકતી નથી. દરેક વ્યક્તિ કામ કરી રહી છે. તેનું એક કારણ છે.કરારનો ભંગ અસ્વીકાર્ય “

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly)


અસિત મોદીને પૂછવામાં આવ્યું કે શું તેમણે પલકને કાનૂની નોટિસ પણ મોકલી છે? આનો અસિત મોદીએ હામાં જવાબ આપતા કહ્યું, “અમે તેમને કરારની અંદર કામ કરવાનું કહ્યું હતું. અમે કંઈપણ નકારી રહ્યા નથી, પરંતુ તમારે તે માટે અમને પૂછવું પડશે. તમે કંઈક કરવાનું નક્કી કરો છો, તે આ રીતે ચાલી શકે નહીં. અમે તેમને કહ્યું હતું કે નોટિસ મોકલી છે. અમે તેમને કોર્ટમાં ખેંચી રહ્યા નથી. અમારા વકીલે તેમને બધું સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ સમજી શક્યા નહીં. આ જ કારણે બિનજરૂરી હોબાળો થયો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક