• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - AtalBihariVajpayee
Tag:

AtalBihariVajpayee

PM pays tributes to former Prime Minister Atal Bihari Vajpayee on his 100th birth anniversary
દેશ

PM Modi: પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

by Akash Rajbhar December 25, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની 100મી જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિઝન અને મિશન વિકસિત ભારત માટેના સંકલ્પમાં નિરંતર શક્તિનો સંચાર કરતો રહેશે.”

पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी 100वीं जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने सशक्त, समृद्ध और स्वावलंबी भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। उनका विजन और मिशन विकसित भारत के संकल्प में निरंतर शक्ति का संचार करता रहेगा। pic.twitter.com/pHEoDRsi8Y

— Narendra Modi (@narendramodi) December 25, 2024

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi to Inaugurate Key Development Projects in Madhya Pradesh, Including the Ken-Betwa River Interlinking Project
રાજ્ય

PM Modi: મધ્યપ્રદેશમાં PM મોદી આવતીકાલે કેન-બેતવા નદીના આંતર લિંકિંગ પ્રોજેક્ટ સહિત મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન…

by Akash Rajbhar December 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • પ્રધાનમંત્રી 1153 અટલ ગ્રામ સુશાસન ઈમારતોનો શિલાન્યાસ પણ કરશે

PM Modi: પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો પણ થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડશે. આ સાથે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ગ્રીન એનર્જીમાં 100 મેગાવોટથી વધુનું યોગદાન આપશે. આ પ્રોજેક્ટ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરશે.

આ સમાચાર પણ વાંચો  : Natural Farming: આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રધાનમંત્રી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે. તેઓ 1153 અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે. આ ભવન સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓના વ્યવહારિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉર્જા પર્યાપ્તતા અને હરિયાળી ઉર્જાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર ખાતે સ્થાપિત ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના સરકારના મિશનમાં યોગદાન આપશે. તે પાણીના બાષ્પીભવનને ઘટાડીને જળ સંરક્ષણમાં પણ મદદ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
My India Good Governance Day' walk to be held in Vadnagar tomorrow
રાજ્ય

Good Governance Day: આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યોજાશે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે અધ્યક્ષતા

by Akash Rajbhar December 23, 2024
written by Akash Rajbhar
News Continuous Bureau | Mumbai
Good Governance Day: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે.
આ સમાચાર પણ વાંચો  : Rojgar Mela 2024: 71 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર…
આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટ કુમાર પટેલ, શ્રી કરસનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી અને શ્રી સી. જે. ચાવડા ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક