Tag: ayushman bharat

  • Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…

    Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…

    Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.

    આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Amrit Snan: મકર સંક્રાંતિ પર આજે અખાડાઓનું પ્રથમ અમૃત સ્નાન, ડૂબકી માટે ત્રિવેણી સંગમના કિનારે શ્રદ્ધાળુઓનું પૂર ઉમટી પડ્યું

    ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યુ:

    “ઓડિશાના લોકોને અભિનંદન!

    તે ખરેખર એક કરુણતા હતી કે ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોને પાછલી સરકાર દ્વારા આયુષ્માન ભારતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે. તે ખાસ કરીને ઓડિશાની નારી શક્તિ અને વૃદ્ધોને લાભ આપશે.”

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

    Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

    News Continuous Bureau | Mumbai

    • સુરત શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬,૨૯૫ વડીલોને આધારથી એનરોલ કરી યોજના હેઠળ લાભાન્વિત કરાયા

    Ayushman Bharat: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય- ‘આયુષ્માન ભારત’ યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. પરિવારદીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતી આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પારવાના ઉદ્દેશ સાથે વયવંદના કાર્યક્રમ અમલી બનાવાયો છે. આ યોજના હેઠળ ૭૦+ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના થકી તેઓ નિયત બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
    સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાને લીધા વગર આયુષ્માન વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં કુલ ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા છે, જેમાં શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. PMJAY યોજનામાં જોડાયેલી હોસ્પિટલોમાં આયુષ્માન વય વંદના કાર્ડ રજૂ કરી સારવાર મેળવી શકશે.

    Salute to the elders 2,42,178 senior citizens covered in Surat city-district under Ayushman Vayavand's 70+ program

    આ સમાચાર પણ વાંચો  : PM Modi: પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

    સુરત શહેરી વિસ્તારોમાં ૭૦ વર્ષથી વધુ વયના આશરે ૩ લાખ જેટલા પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરીકોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે. હાલ ૧,૮૫,૮૮૩ વરિષ્ઠ નાગરિકોને કાર્ડ આપી વયવંદના યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા આયુષ્માન વયવંદના યોજના હેઠળ બાકી રહેલા વડીલોને પણ આધારકાર્ડથી એનરોલ કરી લાભ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે એમ સુરત મનપાના ડે. કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.
    સુરત જિલ્લાના ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. ઘણા બાકી રહેલા વડીલોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી.ની થઈ રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ઈસ્યુ થશે. આ કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની ટીમો સંલગ્ન વિભાગોના સંકલનમાં રહીને ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે એમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડો.પરેશ સુરતીએ જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  :Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ IPOનું બમ્પર લિસ્ટિંગ! રોકાણકારો સબ્સ્ક્રિપ્શન માટે તૂટી પડ્યા, જાણો GMP
    સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના ૬૨ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નિયત આરોગ્ય કેન્દ્રો પર નોંધણી કરી વયવંદના કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ છે. સિનીયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ કાઢવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
    • ગુગલ પ્લે સ્ટોર પરથી “આયુષ્માન” એપ ડાઉનલોડ કરો
    • ત્યારબાદ આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
    • ૭૦ થી વધુ વયના વડીલો માટે નોંધણી માટે એક બટન મળશે
    • આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
    • એક કેમેરા બટન પર ક્લિક કરો
    • વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો
    • આયુષ્માન કાર્ડ “નોંધાયેલ” સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે – આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો. તમામ સ્ટેપમાં મોબાઇલ પર ઓટીપી આવશે જે કાળજીપૂર્વક દાખલ કરવો.
    • આ ઉપરાંત https://beneficiary.nha.gov.in પર જઇ આ યોજનામાં એનરોલમેન્ટ કરાવી શકાય છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીની લીધી મુલાકાત, મંત્રાલયની આ વિવિધ યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા.

    Annpurna Devi Jharkhand: કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં રાંચીની લીધી મુલાકાત, મંત્રાલયની આ વિવિધ યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા.

    News Continuous Bureau | Mumbai 

    Annpurna Devi Jharkhand: ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડનાં ( Jharkhand ) રાંચીની મુલાકાત લીધી હતી અને મંત્રાલયની વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. 

    રાંચીમાં પ્રોજેક્ટ ભવન, કોન્ફરન્સ રૂમમાં આયોજિત બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના ( PM-JAY ) નાં વ્યાપમાં વધારો થવા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો, જેથી  70 વર્ષથી વધારે ઉંમરનાં લોકોને આવરી લઈ શકાય. આનાથી આયુષ્માન ભારત ( Ayushman Bharat ) યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને શામેલ કરવાની સાથે ભારતમાં વીમા પ્રવેશમાં વધારો થશે.

    તેમણે મીની આંગણવાડી કેન્દ્રોને સંપૂર્ણ એડબલ્યુસીમાં અપગ્રેડ કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી સેવાની ડિલિવરીમાં વધારો સુનિશ્ચિત થઈ શકે. આ દિશામાં ઝારખંડમાં સંપૂર્ણ એડબલ્યુસીમાં 2,551 મિની એડબલ્યુસીને અપગ્રેડ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

    મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મિશન સક્ષમ આંગણવાડીના ભાગરૂપે આ અપગ્રેડેશન સુસજ્જ કેન્દ્રોની રચના કરવા પર કેન્દ્રિત છે, જે બાળ વિકાસ, પોષણ અને સ્વાસ્થ્યમાં સંકલિત સેવાઓ પ્રદાન કરે છે. આ દિશામાં ઝારખંડ રાજ્યમાં 6850 આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    તેમણે પ્રધાનમંત્રીની ખાસ કરીને પીએમ-જનમન યોજના ( PM-Janman Yojana ) મારફતે આદિવાસી સમુદાયનાં ઉત્થાન માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પર પણ વાત કરી હતી. તેને સફળ બનાવવા માટે, ઝારખંડમાં 111 આંગણવાડી કેન્દ્રોને ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જે નોંધપાત્ર અને ખાસ કરીને નબળા, આદિવાસી વસ્તીવાળા વિસ્તારોને આવરી લે છે.

    આ સમાચાર પણ વાંચો :  Mission Mausam: સરકારે ‘મિશન મૌસમ’ પર રાષ્ટ્રીય સ્તરના મીડિયા સંવાદનું કર્યું આયોજન, જાણો આ મિશનનો ઉદ્દેશો શું છે?

    વધુમાં મંત્રીશ્રીએ હાલમાં ચાલી રહેલી પોષણ માહની ઉજવણીને પણ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, દેશભરમાં 3.8 કરોડથી વધુ પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ છે. એકલા ઝારખંડમાં જ “એક પેડ મા કે નામ” ( Ek Ped Maa Ke Naam  ) અભિયાનને કારણે 26 લાખથી વધુ પ્રવૃત્તિઓ થઈ છે.

    આ બેઠકમાં ઝારખંડનાં મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સચિવ શ્રી મનોજ કુમાર તથા ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી જ્ઞાનેશ ભારતી સહિત મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

    મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પીએમ-જનમન યોજનાનો અમલ, આંગણવાડી કાર્યકર્તાઓ (એડબલ્યુડબલ્યુ) અને સુપરવાઇઝર્સ માટે તાલીમમાં સુધારો કરવા અને રાજ્યની સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઇસીડીએસ)માં કાર્યકારી પડકારોનું સમાધાન કરવા જેવા પ્રાથમિકતાના ક્ષેત્રો પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું હતું કે, આ દિશામાં થઈ રહેલાં પ્રયાસો લાંબા ગાળે પ્રધાનમંત્રીનાં વિકસીત ભારતનાં વિઝન અને મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ માટે પ્રદાન કરશે.

    મંત્રીશ્રીએ મિશન સાક્ષમ આંગણવાડી, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ જેવી મંત્રાલયની વ્યૂહાત્મક પહેલો મારફતે મહિલાઓ અને બાળકોના સશક્તીકરણ પ્રત્યે સરકારની કટિબદ્ધતાની પુષ્ટિ સાથે બેઠકનું સમાપન કર્યું હતું તથા સમીક્ષા દરમિયાન ઓળખાયેલા પડકારોને પહોંચી વળવા સમયસર પગલાં લેવા જણાવ્યું હતું.

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો :  Jammu and Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સેનાએ આટલા આતંકીઓને કર્યા ઠાર

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • દેશમાં આટલા કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થશે ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આપી મંજૂરી; જાણો તમને શું થશે લાભ

    દેશમાં આટલા કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થશે ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આપી મંજૂરી; જાણો તમને શું થશે લાભ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

    શનિવાર,

    કેન્દ્રીય કેબિનેટે શનિવારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનના રાષ્ટ્રીય રોલ-આઉટને મંજૂરી આપી છે

    1600 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષ સુધી આ યોજના ચલાવવામાં આવશે 

    આ યોજના યોજના લોન્ચ થયા બાદ લોકોને ગુણવત્તાસભર સારી સેવાઓ મળી રહેશે. 

    આયુષ્માન ભારત ડિઝિટલ મિશન છ રાજ્યોમાં ખુબ જ સફળ નીવડી હોવાથી હવે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવી રહી છે. 

    છ રાજ્યોમાં  લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ દીવ, પુડુચેરી, આંદોમાન અને નિકોબાર દ્વિપસમૂહ તથા લક્ષ્યદીપ સામેલ છે.

    કેબિનેટ બેઠકનો મોટો નિર્ણય, દેશના સૌથી મોટા આ IPOમાં વિદેશી રોકાણને મળી મોદી સરકારની મંજૂરી, જાણો શું છે કારણ