• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bandra kurla complex - Page 2
Tag:

bandra kurla complex

મુંબઈ

શિવસેનાની પીછેહઠ-દશેરા મેળો શિવાજી પાર્કને બદલે આ મેદાનમાં કરવાની યોજના

by Dr. Mayur Parikh September 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું(Chief Minister Eknath Shinde )ગ્રપ દશેરા(Dussera) મેળો શિવાજી પાર્ક(Shivaji Park) મેદાનમાં યોજાશે કે પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shiv Sena President Uddhav Thackeray) યોજશે એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી. પરંતુ શિવાજી પાર્કમાં પરવાનગી ન મળી હોય તો ઉદ્ધવ ઠાકરેએ બેકઅપ તરીકે અન્ય સ્થળ  તપાસ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી મુજબ શિવસેનાએ MMRDAને પત્ર મોકલીને બાંદ્રા કુર્લા સંકુલ(Bandra Kurla Complex) વિસ્તારમાં MMRDA મેદાનમાં ઠાકરેની દશેરાની સભા યોજવાની પરવાનગી માંગી છે. 

શિવસેનાએ BKC ખાતે દશેરા મેળાનું આયોજન કરવા MMRDAને પત્ર લખ્યો છે. MMRDA એ શહેરી વિકાસ વિભાગ(Department of Urban Development) હેઠળની સરકારી એજન્સી છે. એટલે કે ઠાકરેએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શહેરી વિકાસ વિભાગને પત્ર લખ્યો છે. આ પહેલા શિવાજી પાર્ક મેદાન માટે શિવસેના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. જોકે હવે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે BKC મેદાન માટે પત્ર લખ્યો  હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મલાડ-મઢમાં ગેરકાયદે સ્ટુડિયો પર મહાનગર પાલિકાની મોટી કાર્યવાહી. હાથ ધરી આ કામગીરી- જાણો વિગતે 

મુંબઈ મહાનગરપાલિકા(BMC) શિવાજી પાર્ક ખાતે શિવસેનાના દશેરાની સભા યોજવા માટે 'પહેલા આવો તેને પ્રાધાન્ય'નો સિદ્ધાંત અપનાવે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે સોમવારે કહ્યું હતું કે જો શિવાજી પાર્કમાં દશેરા મેળાવડાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ બાંદ્રા-કુર્લા સંકુલના MMRDA મેદાનમાં તેનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ મંગળવારે શિંદે જૂથની બેઠક મળી હતી અને દશેરાનો મેળાવડો શિવાજી પાર્કમાં યોજવાનું નક્કી કરાયું હતું. તેથી ઠાકરે દ્વારા સાવચેતીભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ દરિમયાન શિવસેના દ્વારા એવી સ્પષ્ટતા આપવામાં આવ છે કે "અમે બે જગ્યાએ પરવાનગી માટે અરજી કરી છે – શિવાજી પાર્ક અને BKC. જ્યાં પણ પરવાનગી મળશે ત્યાં ભવ્ય દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવશે. અમે તેના માટે કામ શરૂ કરી દીધું છે. જો શિવાજી પાર્કમાં પરવાનગી નહીં મળે તો અમે BKC ખાતે મેળાવડાનું આયોજન કરીશું. પરંતુ અમારી પસંદગી શિવાજી પાર્ક છે. શિવાજી પાર્ક "જો પરવાનગી આપવામાં ન આવે તો અમે મેળાવડાને રદ કરવાનો નિર્ણય લીધો નથી. 
 

September 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ચૂંટણી આવતા જ ગુજરાતીઓને મસ્કા પોલીશ ચાલુ- મુખ્યમંત્રીએ વડાપ્રધાનની હાજરીમાં કહી આ વાત- જાણો વિગત

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોને(political parties) હવે ગુજરાતી મતદારો(Gujarati voters) યાદ આવી ગયા છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) હાજરીમાં એશિયાના(Asia) સૌથી જૂના અખબારની(oldest newspaper) દ્વિશતાબ્દી મહોત્સવની(Bicentennial Festival) ઉજવણી મંગળવારે થઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) ગુજરાતીઓને ગુજરાતીઓ ભારોભાર વખાણ કર્યા હતા. એટલું જ નહીં પણ ગુજરાતીઓ દૂધમાં સાકરની માફક મરાઠી સાથે ભળી ગયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

મુંબઈમાં પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) ગુજરાતીઓ દબદબો છે. ગુજરાતીઓનો વોટ બહુ મહત્વ રાખે છે. 2017ની ચૂંટણીમાં પશ્ચિમ ઉપનગરમા ગોરેગામથી લઈને દહિસર સુધીના વિસ્તારમાં ગુજરાતીઓનો વોટ ભાજપને(BJP) ફાળે જતા શિવસેનાને(Shivsena) ભારે નુકસાન સહન કરવું પડયું હતું. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિવસેનાને પણ હવે ગુજરાતી મતદારો યાદ આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : કલાનગર અને BKCથી આવતા રેલવે પ્રવાસીઓને રાહત-વેસ્ટર્ન રેલવેએ ટિકિટ માટે કરી આ સુવિધા ઉપલબ્ધ-જાણો વિગત

બાંદરા-કુર્લા-કોમ્પ્લેક્સ(Bandra-Kurla-Complex) માં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી પૂરાવી હતી. લાંબા સમય બાદ મોદી અને ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતી લોકોના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે આ જ તો આપણો પ્રેમ છે, મરાઠી અને ગુજરાતી બંને દુઘમાં સાકરની માફક એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે.

ગુજરાતી ભાષાને લઈને ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે તેમને ગુજરાતી ભાષા સમજાય છે. પરંતુ તેઓ બોલી શકતા નથી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતી અને મરાઠીઓનો સંબંધ વધુ મજબૂત બને એ જ મારી ઈચ્છા છે.
 

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો- આ બધા રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મહારાષ્ટ્રની મુલાકાતે(Maharashtra Visit)છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં બાંદ્રા-કુર્લા- કોમ્પ્લેક્સમાં(Bandra-Kurla-Complex) (બીકેસી)માં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં(jio World Center) એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે બીકેસી જતા આવતા મોટાભાગના રસ્તાના સાંજના ચાર કલાક માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. 

બીકેસી પોલીસના(BKC Police) જણાવ્યા મુજબ જીઓ વર્લ્ડ સેન્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજના એક કાર્યક્રમમાં હાજર રહવાના છે. તેથી તેમની સુરક્ષા અને પ્રોટોકોલ(Protocol) મુજબ બીકેસીની હદમાં આવતા અને જતા તમામ રસ્તા બંધ કરવામાં આવવાના. તેથી આ વિસ્તારમાં આવેલી ઓફિસ તથા સામાન્ય નાગરિકો તકલીફ થઈ શકે છે. 

 આ સમાચાર પણ વાંચો :  રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવું મુંબઈગરાને ભારે પડ્યુ- 3 મહિનામાં આટલા લોકો સામે નોંધાયા કેસ- અંધેરીથી મલાડમાં સૌથી વધુ FIR નોંધાઈ

પોલીસના જણાવ્યા મુજબ લગભગ ચાર કલાક સુધી બીકેસી હદમાં આવેલા રસ્તાઓ ટ્રાફિક(Traffic) માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વડા પ્રધાનનો કાર્યક્રમ પૂરો થાય નહીં ત્યાં સુધી એટલે કે સાંજના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ રસ્તા પૂર્ણ રીતે બ્લોક કરવામાં આવશે. 
 

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

પૂર્વ ઉપનગરના કુર્લામાં મકાનના છજ્જાએ લીધો પાંચ વર્ષના બાળકનો ભોગ, જાણો વિગતે

by Dr. Mayur Parikh February 28, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

સોમવાર,

કુર્લા(વેસ્ટ) બેઠી ચાલમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળાના મકાનના છજ્જાનો ભાગ સોમવારે બપોરના અચાનક તૂટી પડયો હતો, જેમાં કાટમાળ હેઠળ દબાઈને પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. તો અન્ય  ત્રણ જણ જખમી થયા હતા.

કુર્લા(વેસ્ટ)માં વિનોબા ભાવે પોલીસ સ્ટેશન નજીક રામ મનોહર લોહીયા માર્ગ પર  સોમવારે બપોરના લગભગ ૨.૪૦ વાગે મકાનના સિલિંગનો હિસ્સો અચાનક જોશભેર તૂટી પડયો હતો.

મુંબઈમાં આગનું સત્ર ચાલુ, કાંજુરમાર્ગમાં હાઈ રાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ; જુઓ વિડીયો, જાણો વિગત 

સિલિંગના કાટમાળ હેઠળ ચાર લોકો ફસાઈ ગયા હતા. ચારેય જખમીઓને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષના અફાક ખાન નામના બાળકનું મોત થયું હતું. તો અન્ય ત્રણ પર સારવાર ચાલી રહી છે.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના આ વિસ્તારમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ; જુઓ વીડિયો 

by Dr. Mayur Parikh September 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે અને બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં એક નિર્માણાધીન ફ્લાયઓવરનો હિસ્સો ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જેમને સાંતાક્રુઝની વીએન દેસાઈ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈ વ્યક્તિ ગુમ નથી થઈ.
 
પ્રાપ્ત જાણકારી મુજબ અકસ્માત આજે (શુક્રવારે) વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ થયો હતો અને મુંબઈના પૉશ વિસ્તારમાં બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ પાસે એક બાંધકામ હેઠળના પુલનો ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દિલ્હી! આટલા કરોડ લિટર ઈંધણની થશે બચત; જાણો કેટલા કરોડના ખર્ચે તૈયાર થશે આ હાઇવે

 

September 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક