Tag: Bareli

  • UP:  હલાલા અને ટ્રિપલ તલાકથી પરેશાન યુવતીએ ઈસ્લામ છોડી, અપનાવ્યો સનાતન ધર્મ, પછી કર્યું આ કામ.. જાણો શું છે આ આખો કિસ્સો…

    UP: હલાલા અને ટ્રિપલ તલાકથી પરેશાન યુવતીએ ઈસ્લામ છોડી, અપનાવ્યો સનાતન ધર્મ, પછી કર્યું આ કામ.. જાણો શું છે આ આખો કિસ્સો…

    News Continuous Bureau | Mumbai

     UP: ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાક ( Tripal Talaq ) પીડિતાએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે અને બરેલી ( Bareilly ) ના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હવે તે નસીમા ખાતૂનમાંથી મીનાક્ષી શર્મા ( Meenakshi Sharma )  બની ગઈ છે. હું પૂર્ણિયા, બિહારની રહેવાસી છું. થોડા મહિના પહેલા મારી બરેલીના એક યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે તેઓએ સનાતન ધર્મ અપનાવ્યો અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

    મીનાક્ષીએ વધુમાં કહ્યું હતું કે, તેના પરિવારે તેની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે તેના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તેને સાસરિયાંમાં એક દિવસ પણ સુખ ન મળ્યું અને જ્યારે તેણે અત્યાચારનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર નસીમા ખાતૂનને બરેલીના મનોજ શર્માના સંપર્કમાં આવી હતી.

     સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી..

    સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી અને બંનેએ એકબીજાની લાગણીઓને સમજીને જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું. તેના શૈક્ષણિક રેકોર્ડ્સ રજૂ કરતી વખતે, નસીમાએ કહ્યું કે શરૂઆતથી જ તે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. હાલમાં તે 22 વર્ષની છે અને પોતાના સારા-ખરાબ વિશે વિચારવા સક્ષમ છે. તેઓ કોઈપણ દબાણ કે લાલચ વગર હિંદુ ધર્મ અંગીકાર કરીને ઘર વાપસી કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Train travel time: રેલવેનો મોટો નિર્ણય, હવે મુંબઈથી આ રુટ પર વંદે ભારત અને શતાબ્દી ક્લાસ ટ્રેન 160 kmphની ગતિએ દોડશે, પ્રવાસીઓ 30 મિનિટ વહેલા પહોંચશે…

    ધર્મ પરિવર્તન બાદ નસીમાએ બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા. નસીમામાંથી મીનાક્ષા શર્મા બનેલી યુવતીએ એસએસપી બરેલીને પત્ર મોકલીને જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેના હિંદુ ધર્મમાં પાછા ફરવા અને આ લગ્નથી ખુશ નથી અને તેઓ તેના અને તેના સાસરિયાઓના જીવના દુશ્મન બની ગયા છે. ઓનર કિલિંગનો ડર વ્યક્ત કરીને તેણે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

    નોંધનીય છે કે, થોડા મહિનાઓમાં જ બરેલીમાં ડઝનેક મુસ્લિમ છોકરીઓએ ટ્રિપલ તલાક અને હલાલા જેવા દુષણોને કારણે ઈસ્લામ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને સનાતન ધર્મ અપનાવ્યો છે અને આ સિલસિલો ચાલુ જ જોવા મળી રહ્યો છે.

  • શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે

    શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. ભાજપના પ્રેમમાં બરેલીની આ મહિલાનું ઘર ભાંગી ગયું હોવાનો ગણણગાટ થઈ રહ્યો છે. તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે એવી ફરિયાદ તેણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

    પીડિત મહિલાએ  એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેણે પોલીસને કરેલી ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કેસ નોંધી તપાસ ચાલુ કરી છે. આ બનાવની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે અને મહિલાના પતિ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. તેમ જ તેનો રિપોર્ટ સાત દિવસમાં આપવા કહ્યું છે.

     આ સમાચાર પણ વાંચો :  RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે

    પીડિત મહિલા ઉઝમા બરેલીના એઝાઝનગર ગૌંટિયાની રહેવાસી છે. તેણે વર્ષ પહેલા તસ્લીમ અંસારી સાથે નિકાહ કર્યા હતા. વિધાનસભાની 14 ફેબ્રુઆરીના ચૂંટણી હતી, તેના બે દિવસ પહેલા તેના પતિના મામાએ આવીને તેને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને વોટ આપવા કહ્યું હતું, છતાં તેણે ભાજપને વોટ આપ્યો હતો.  ભાજપે મુસ્લિમ મહીલાઓને ટ્રીપલ તલાકથી બચાવી હોવાથી તેણે ભાજપને વોટો આપ્યો હોવાનું કહેતા  પતિએ તેને ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ઉઝમાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પતિ તેને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો હોવાનું પણ ઉઝમાએ કહ્યું હતું.