Tag: behaviour

  • Aishwarya rai daughter: ઐશ્વર્યા ની દીકરી નું સાઉથ સુપરસ્ટાર અભિનેતા સાથે નું વર્તન જોઈ લોકો થયા ગુસ્સા માં લાલચોળ, આરાધ્યા થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ

    Aishwarya rai daughter: ઐશ્વર્યા ની દીકરી નું સાઉથ સુપરસ્ટાર અભિનેતા સાથે નું વર્તન જોઈ લોકો થયા ગુસ્સા માં લાલચોળ, આરાધ્યા થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ

    News Continuous Bureau | Mumbai 

    Aishwarya rai daughter: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તેવામાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે દુબઇ એક એવોર્ડ ફંકશન માં ભાગ લેવા ગઈ હતી.આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા ખુબ જ સુંદર જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યા ના ઘણા વિડીયો સામે આવ્યા હતા હવે આ વિડીયો માંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જે જોયા બાદ લોકો ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા ને ટ્રોલ કરી રહ્યા છે

    આ સમાચાર પણ વાંચો : KBC 16: નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા એ અમિતાભ બચ્ચન ની કલ્કિ ફિલ્મ ને લઈને કહી હિટ આવી વાત, બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

    આરાધ્યા બચ્ચન થઇ ટ્રોલ 

    ઐશ્વર્યા અને આરાધ્યા દુબઈમાં SIIMA પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવી હતી.જેમાં ઐશ્વર્યા રાયને ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો હતો.આ ફંક્શન ના ઘણા વિડીયો સામે આવ્યા હતા પરંતુ તેમાંથી એક વિડીયો એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાયરલ થયેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સાઉથ સુપરસ્ટાર અભિનેતા ચિયાન વિક્રમ આ ફંક્શન માં પહોંચે છે ત્યારે તે બધાને મળે છે ત્યારબાદ તે તેની કો સ્ટાર ઐશ્વર્યા સાથે હાથ મિલાવે છે અને તે આરાધ્યા ને મળવા તેની પાસે જાય છે આરાધ્યા પણ સહજતા થી તેને મળે છે. આ વિડીયો જોયા બાદ લોકો આરાધ્યા ને ટ્રોલ કરી રહ્યા છે.

     

    View this post on Instagram

     

    A post shared by Manav Manglani (@manav.manglani)


    આરાધ્યા નું આ રીતે ચિયાન વિક્રમ સાથે મળવું લોકો ને પસંદ નહોતું આવ્યું  લોકો કહે છે કે આટલા મોટા કલાકાર તમને મળવા આવ્યા છે અને તમે ઊભા થઈને મળતા નથી, આ કેવું વર્તન છે? આ સાથે જ વીડિયો પર કોમેન્ટ કરતા લોકોએ લખ્યું હતું કે, ‘શું તે શાળાએ નથી જતી.’ 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Adhir Ranjan Chowdhury : અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો, જાણો શું છે કારણ..

    Adhir Ranjan Chowdhury : અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો, જાણો શું છે કારણ..

    News Continuous Bureau | Mumbai 

    Adhir Ranjan Chowdhury : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના(congress leader) સાંસદ અધીર રંજન ચૌધરીને ‘અનિયમિત’ વર્તન બદલ લોકસભામાંથી(lok sabha) સસ્પેન્ડ(suspend) કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા સસ્પેન્શનની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. લોકસભાએ તેમના વ્યવહાર(behaviour) અને મર્યાદા વિરૂદ્ધના વર્તનને ધ્યાનમાં રાખીને મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સમિતિનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

    તેમના પ્રસ્તાવમાં, પ્રહલાદ જોશીએ(Prahlad joshi) અધીર રંજન ચૌધરી પર સંસદની કાર્યવાહી દરમિયાન સતત વિક્ષેપ ઉભો કરવાનો અને દેશ અને તેની છબીને બદનામ કરવાનો આરોપ મૂક્યો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ આ બાબતે પોતાનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે.

    આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 11 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    પ્રસ્તાવને આગળ વધારતા સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું, “તેઓ હંમેશા તેમના નિવેદનોથી પાયાવિહોણા આક્ષેપો કરે છે. આ અંગે તેને વારંવાર ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તેની આદતમાં કોઈ સુધારો થયો નથી. તેઓ આ માટે માફી પણ માગતા નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધીર રંજન ચૌધરી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.તે

    મંત્રીએ કહ્યું કે બુધવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે પણ તેમણે આવું જ વર્તન કર્યું હતું. જોશીએ પછી અધિરનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની દરખાસ્ત દાખલ કરી અને માંગણી કરી કે જ્યાં સુધી સમિતિ તેનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ પ્રસ્તાવને સંસદે સ્વીકારી લીધો હતો.

  • જેનિફર, મોનીકા બાદ હવે ‘રીટા રિપોર્ટર’ એ સંભળાવી પોતાની આપવીતી, શો ના મેકર્સ વિશે કહી આ વાત

    જેનિફર, મોનીકા બાદ હવે ‘રીટા રિપોર્ટર’ એ સંભળાવી પોતાની આપવીતી, શો ના મેકર્સ વિશે કહી આ વાત

    News Continuous Bureau | Mumbai

    એક પછી એક સ્ટાર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ બોલવા લાગ્યા છે. પહેલા જેનિફર મિસ્ત્રી, પછી મોનિકા ભદોરિયા અને હવે રિપોર્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા પણ ખુલ્લેઆમ સામે આવી છે. પ્રિયા શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી હતી અને તેની ભૂમિકા નિયમિત ન હોવા છતાં પણ તેને દર્શકો દ્વારા યાદ કરવામાં આવે છે. પ્રિયાએ કહ્યું છે કે તે શોમાં મળેલી ટ્રીટમેન્ટથી ખુશ નથી.

     

    તારક મહેતા ના કલાકારો ને માનસિક સતામણી નો કરવો પડતો હતો સામનો 

    મીડિયા  સાથેની વાતચીતમાં પ્રિયા એ જણાવ્યું કે કેવી રીતે તેની સાથે અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો અને થોડા સમય પછી તેને દૂધ માં પડેલી માખીની જેમ બહાર ફેંકી દેવામાં આવી. પ્રિયાએ કહ્યું, “હા, કલાકારોને તારક મહેતામાં કામ કરતી વખતે માનસિક સતામણીમાંથી પસાર થવું પડે છે. બહુ થયું.” પ્રિયા આહુજાએ કહ્યું, “ત્યાં કામ કરતી વખતે મને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ તેની મને બહુ અસર થઈ નહીં કારણ કે માલવ, મારા પતિ 14 વર્ષ સુધી તે શોના ડિરેક્ટર હતા, તેઓ પૈસા કમાતા હતા. અસિત કુમાર મોદી ભાઈ, રામાણીએ ક્યારેય મારી સાથે ગેરવર્તણૂક કરી નથી. પરંતુ જ્યાં સુધી કામની વાત છે ત્યાં સુધી વર્તન ઘણીવાર અન્યાયી હતું. માલવ સાથે લગ્ન પછી તેણે મારો ટ્રેક ઓછો કર્યો. મેં આસિત ભાઈને મારા ટ્રેક અંગે ઘણી વાર મેસેજ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો.”

     

    તારક મહેતા ના મેકર્સ તરફથી નહોતું મળતું સન્માન 

    પ્રિયાએ કહ્યું કે ઘણી વખત અસિત તેને કહેતો હતો કે તારે કામ કરવાની શી જરૂર છે? પતિ કમાય છે, તું રાણીની જેમ જીવ માલવ છે ને? પ્રિયાએ કહ્યું કે કારણ કે માલવ પાસે કામ હતું અને તે બાકીના શો પકડી લેતી હતી, તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ માલવે શો છોડી દીધો ત્યારથી અસિત મોદીએ તેને કોઈ જવાબ આપ્યો ન હતો અને ન તો મેકર્સે તેનો સંપર્ક કર્યો હતો. પ્રિયાએ કહ્યું કે છેલ્લા 6-8 મહિનામાં તેમના વલણને કારણે મને ખાતરી છે કે તે લોકો મને ક્યારેય બોલાવશે નહીં.પ્રિયાએ કહ્યું કે તેના પતિએ 14 વર્ષ સુધી નિર્માતાઓ સાથે કામ કર્યું છે પરંતુ તેમ છતાં તેમને મૂળભૂત સન્માન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં તેને લાગે છે કે મોનિકા ભદોરિયા જેવા લોકો ખોટું નથી બોલી રહ્યા. કારણ કે મારા મેસેજનો જવાબ આપવા માટે મને આટલું માન આપવું તેઓ યોગ્ય નહોતા માનતા. પ્રિયાએ કહ્યું, “તમે મને 9 મહિના સુધી શોમાં આમંત્રણ નહોતું આપ્યું કારણ કે માલવ સાથેનો તમારો સંબંધ ખતમ થઈ ગયો હતો. તે પછી તમે મને માખીની જેમ બહાર ફેંકી દીધી.”