Tag: bhabhi

  • Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ

    Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. બિગ બોસ ના ઘરમાં જ્યારથી અંકિતા અને વિકી આવ્યા છે ત્યારથી તેમના સંબંધ માં ખટાશ આવી છે. અંકિતા અને વિકી ના ફેન્સ ની સાથે સાથે તેમના ઘરવાળાઓ ને પણ તેઓ ઝગડે છે તે પસંદ નથી. ફેમિલી વીક દરમિયાન, અંકિતા ની સાસુએ અભિનેત્રીને કેટલીક કડવી વાતો કહી હતી તેમજ બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ને તેના વિશે ઘણી વાતો પણ મીડિયા ને જણાવી હતી.હવે  વિકેન્ડ  કા વારમાં, વિકીની ભાભી તેમજ અંકિતા ની માતા આવી છે. બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર ખાસ બનવાનો છે. આ એપિસોડ માં લાઈવ ઓડિયન્સ પણ આવશે અને તેઓ તેમના વોટ પણ આપશે. તેમજ તે વોટ ના આધારે કોઈ એક સ્પર્ધક ઘર ની બહાર જશે. 

     

    બિગ બોસ 17 નો પ્રોમો 

    બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સલમાન ખાન શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે મસ્તી કરી રહ્યો છે. ત્યારબાદ અનિલ કપૂર આવે છે અને સલમાન ખાન ને કહે છે કે આ હવે એક વોર રૂમ બની ગયો છે.સલમાન ખાન  વિકી જૈન ની ભાભી ને પૂછી રહ્યો છે કે તમારો પોઇન્ટ ઓફ વ્યુ શું છે વિકી અને અંકિતા ના સંબંધ ને લઈને તો તેના જવાબ માં વિકી ની ભાભી કહે છે જે દેખાઈ રહ્યું છે તે બંને વચ્ચે ન થવું જોઈએ. ત્યારબાદ સલમાન ખાન તેની ભાભી ને પૂછે છે કે વિકી ની માતા એ કહ્યું કે તેમને પહેલેથી અંકિતા અને વિકી નો સંબંધ પસંદ નહોતો તો આના પર અંકિતા ની માતા વચ્ચે જવાબ આપે છે કે તેને પણ આશ્ચર્ય થયું કે તેણી આમ કેમ કહી રહી છે.


    આ અઠવાડિયે અંકિતા લોખંડે, વિકી જૈન, આયેશા ખાન અને ઈશા માલવિયા નોમિનેટ થયા હતા. તેથી રોસ્ટ એપિસોડમાં, પ્રેક્ષકોના લાઇવ વોટિંગ મુજબ આયેશા ઘરમાંથી બહાર નીકળી જાય છે. મીડિયા માં એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે,ઈશા પણ બહાર જશે કારણ કે આ અઠવાડિયે ડબલ ઇવિક્શન થયું હતું.  

    આ સમાચાર પણ વાંચો : Rohit shetty: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ગોલમાલ 5, રોહિત શેટ્ટી એ આપ્યું ફિલ્મ પર અપડેટ

     

  • ‘એશ’ નહીં આ છે ઐશ્વર્યા રાય નું નિકનેમ, ભાભી શ્રીમા રાયે જાહેર કર્યું અભિનેત્રી નું સુંદર ઉપનામ

    ‘એશ’ નહીં આ છે ઐશ્વર્યા રાય નું નિકનેમ, ભાભી શ્રીમા રાયે જાહેર કર્યું અભિનેત્રી નું સુંદર ઉપનામ

    News Continuous Bureau | Mumbai

    ભૂતપૂર્વ ‘મિસ વર્લ્ડ’ ઐશ્વર્યા રાય બચ્ચને સાબિત કર્યું છે કે સુંદરતા કાયમ ટકી શકે છે. 49 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીને આજે પણ દુનિયાની ખૂબસૂરત મહિલા કહેવામાં આવે છે. તેણીએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે, તેમ છતાં તે હંમેશા ડાઉન ટુ અર્થ રહી છે. તેણે તેની પુત્રી આરાધ્યા બચ્ચનને પણ જમીન પર રહેવાનું શીખવ્યું છે.દુનિયા ઐશ્વર્યા રાય બચ્ચનને ‘બ્લુ-આઈડ બ્યુટી’, ‘ઐશ’ ના જાણે બીજા કેટલાય નામો થી જાણે છે, પરંતુ સાધારણ મહિલા ઐશ્વર્યાને માત્ર તેનો પરિવાર જ જાણે છે. ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007માં પોતાના જીવનના પ્રેમી અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. 2011માં દીકરી આરાધ્યાના જન્મ બાદ દંપતીએ પરેન્ટહુડ અપનાવ્યું હતું.

     

    ઐશ્વર્યા રાય બચ્ચનનું ઉપનામ

    ઐશ્વર્યા રાય બચ્ચન તેના ભાઈ આદિત્ય રાયની પત્ની શ્રીમા રાય સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. એકવાર શ્રીમાએ ઐશ્વર્યાનું સૌથી સુંદર ઉપનામ જાહેર કર્યું. હા, અભિનેત્રીનું હુલામણું નામ છે અને તે ‘એશ’ નથી. એકવાર ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન દરમિયાન, ઐશ્વર્યાની ભાભી શ્રીમાએ શેર કર્યું કે ઐશ્વર્યા હંમેશા તેના બાળકોની ‘ગુલુ મામી’ રહી છે. ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય વિશે વાત કરીએ તો, તે અને શ્રીમા એક ડિનર પાર્ટી દરમિયાન મળ્યા હતા. પહેલી જ મુલાકાતમાં બંનેએ એકબીજાને દિલ આપી દીધું હતું. બરાબર એક વર્ષ પછી, આદિત્ય અને શ્રીમાએ સગાઈ કરી અને પછી તેમના પરિવારની હાજરીમાં લગ્ન કર્યા. હાલ બંને બે બાળકોના માતા-પિતા છે.

    aish

    ઐશ્વર્યા રાયે દીકરી વિશે વાત કરી

    આપણે બધા જાણીએ છીએ કે ઐશ્વર્યા એક બિન્દાસ માતા છે અને તેણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે તેની પુત્રી વિના જીવી શકતી નથી. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કબૂલાત કરી હતી કે તે તેની પુત્રી આરાધ્યામાં પોતાનું એક મિની વર્ઝન જુએ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું આરાધ્યામાં એક મીની-મી જોઈ શકું છું. હું તેને દરરોજ શાળાએ લઈ જાઉં છું. હું તે કરું છું કારણ કે મને તે કરવાનું ગમે છે. મને તે સમયનો આનંદ આવે છે, જે અમે સાથે વિતાવીએ છીએ.”ઐશ્વર્યા અંદરથી એક મીઠી વ્યક્તિ છે અને તેના નજીકના પરિવારના સભ્યો સાથે તેનું બોન્ડિંગ ખૂબ જ ખાસ છે.