• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bhopal
Tag:

Bhopal

PM Modi Bhopal Visit If you fire a bullet, it will be answered with a cannon ball PM Modi’s bold warning to Pakistan
Main PostTop Postદેશ

PM Modi Bhopal Visit : ભોપાલથી પીએમ મોદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી… કહ્યું- ‘ગોળીઓનો જવાબ તોપમારાથી આપવામાં આવશે’

by kalpana Verat May 31, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 PM Modi Bhopal Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો અને અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. આ દરમિયાન, જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેનું સૌથી મોટું ઓપરેશન છે. આપણી સેનાએ સેંકડો કિલોમીટર અંદર આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો.

 

#WATCH | Bhopal, Madhya Pradesh | PM Narendra Modi says, “Be it an operation against Naxalites or cross-border terrorism, today, India’s daughters are becoming the shield of India’s security.”

“Today, the world is seeing the capability of Indian women in national defence. For… pic.twitter.com/8hBgsBt9FG

— ANI (@ANI) May 31, 2025

 PM Modi Bhopal Visit : આતંકવાદીઓએ માત્ર ભારતીયોનું લોહી જ નથી વહાવ્યું…

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પહેલગામમાં, આતંકવાદીઓએ માત્ર ભારતીયોનું લોહી જ નથી વહાવ્યું, તેમણે આપણી સંસ્કૃતિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આપણા સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ ભારતની નારી શક્તિને પડકાર ફેંક્યો છે. આ પડકાર આતંકવાદીઓ અને તેમના માસ્ટર માટે મૃત્યુઘંટ બની ગયો છે. ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ સામે ભારતના ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી સફળ ઓપરેશન છે. જ્યાં પાકિસ્તાની સેનાએ તેના વિશે વિચાર્યું પણ ન હતું, ત્યાં આપણી સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. સિંદૂર આપણી પરંપરાનું પ્રતીક છે, હવે તે ભારતની બહાદુરીનું પ્રતીક છે. ‘ઓપરેશન સિંદૂર એ મહિલા શક્તિની શક્તિનું પ્રતીક છે 

તેમણે વધુમાં કહ્યું,  ઓપરેશન સિંદૂર આપણી મહિલા શક્તિની શક્તિનું પ્રતીક બની ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે BSF એ ઓપરેશનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. BSF ની દીકરીઓ કાશ્મીરથી ગુજરાત સુધી કમાન સંભાળી રહી હતી. તેઓએ સરહદ પારથી થતી ગોળીબારનો જવાબ આપ્યો છે. BSF ની બહાદુર દીકરીઓએ અદ્ભુત બહાદુરી દર્શાવી છે. દીકરીઓની બહાદુરી આખી દુનિયા જોઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Operation Shield: આજે ફરી ભારત બતાવશે પોતાની તાકાત, ઓપરેશન શીલ્ડ હેઠળ આ 5 રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ..

 PM Modi Bhopal Visit : ‘લોકમાતા અહિલ્યાબાઈએ ક્યારેય ભગવાનની સેવા અને લોકોની સેવાને અલગ માન્યા ન હતા’

PM મોદીએ કહ્યું,  250-300 વર્ષ પહેલાં જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં બંધાયેલો હતો, ત્યારે તે સમયે એવા મહાન કાર્ય કર્યા હતા કે આવનારી ઘણી પેઢીઓ તેના વિશે વાત કરશે, કહેવું સરળ છે, પણ કરવું સરળ નથી. લોકમાતા અહિલ્યાબાઈએ ક્યારેય ભગવાનની સેવા અને લોકોની સેવાને અલગ માન્યા ન હતા. એવું કહેવાય છે કે તે હંમેશા પોતાની સાથે શિવલિંગ રાખતી હતી. તે પડકારજનક સમયગાળામાં, કાંટાથી ભરેલો રાજ્યનું નેતૃત્વ કરતી, પરંતુ લોકમાતા અહિલ્યાબાઈએ પોતાના રાજ્યની સમૃદ્ધિને નવી દિશા આપી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi MP Bihar visit PM Modi will visit Madhya Pradesh, Bihar and Assam
દેશ

PM Modi MP Bihar visit: PM મોદી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે, યાત્રા દરમિયાન આ કાર્યક્રમોમાં લેશે ભાગ, જાણો સંપૂર્ણ વિગત

by khushali ladva February 22, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે
  • પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે
  • પ્રધાનમંત્રી બિહારના ભાગલપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે તથા પીએમ કિસાન યોજનાનો 19માં હપ્તાનું વિમોચન કરશે
  • પ્રધાનમંત્રી આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે
  • પ્રધાનમંત્રી આસામનાં ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની (મેગા ઝુમોઈર) 2025નાં કાર્યક્રમમાં ભાગ લેશે
PM Modi MP Bihar visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.

PM Modi MP Bihar visit: પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં

પ્રધાનમંત્રી છતરપુર જિલ્લાનાં ગઢા ગામમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. તમામ વર્ગોના લોકો માટે સારી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે 200 કરોડ રૂપિયાથી વધુની કિંમતે બનનારી કેન્સર હોસ્પિટલમાં વંચિત કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવશે. આ હોસ્પિટલ અત્યાધુનિક મશીનોથી સજ્જ હશે અને તેમાં નિષ્ણાત ડોકટરો પણ હશે.

પ્રધાનમંત્રી ભોપાલમાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (GIS) 2025નું ઉદઘાટન પણ કરશે. મધ્ય પ્રદેશને વૈશ્વિક રોકાણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપતા, જીઆઇએસમાં વિભાગીય શિખર સંમેલન; ફાર્મા અને મેડિકલ ડિવાઇસીસ, પરિવહન અને લોજિસ્ટિક્સ, ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ, પ્રવાસન અને એમએસએમઇ વગેરે પર વિશેષ સત્રો સામેલ હશે. તેમાં ગ્લોબલ સાઉથ કન્ટ્રીઝ કોન્ફરન્સ, લેટિન અમેરિકા અને કેરેબિયન સત્ર જેવા આંતરરાષ્ટ્રીય સત્રો અને મુખ્ય ભાગીદાર દેશો માટે વિશેષ સત્રો પણ સામેલ હશે.

સમિટ દરમિયાન ત્રણ મોટા ઔદ્યોગિક પ્રદર્શનો યોજાશે. ઓટો શો મધ્યપ્રદેશની ઓટોમોટિવ ક્ષમતાઓ અને ભવિષ્યના ગતિશીલતા ઉકેલોને પ્રદર્શિત કરશે. ટેક્સટાઇલ અને ફેશન એક્સ્પો પરંપરાગત અને આધુનિક કાપડ ઉત્પાદન બંનેમાં રાજ્યની કુશળતાને પ્રકાશિત કરશે. “વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ” (ODOP) વિલેજ રાજ્યની વિશિષ્ટ કારીગરી અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે.

આ સમિટમાં 60થી વધુ દેશોના પ્રતિનિધિઓ, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ, ભારતના 300થી વધારે અગ્રણી ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ સામેલ થશે.

આ સમાચાર પણ વાંચો:  Kisan Sanmaan Samaroh: ગાંધીનગર ખાતે ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે, આટલા લાખ ગુજરાતના ખેડૂત પરિવારોને મળશે લાભ

PM Modi MP Bihar visit: પ્રધાનમંત્રી બિહારમાં

પ્રધાનમંત્રી ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમને અનુરૂપ ભાગલપુરમાં તેમના દ્વારા કેટલીક મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવશે. તેઓ ભાગલપુરમાં પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર કરશે. દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 21,500 કરોડથી વધુનો સીધો નાણાકીય લાભ મળશે.

પ્રધાનમંત્રીનું નોંધપાત્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે કે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારું મહેનતાણું મળે. આ બાબતને ધ્યાનમાં રાખીને, 29 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમણે 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FPO)ની રચના અને સંવર્ધન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરી હતી, જે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોનું સામૂહિક માર્કેટિંગ અને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. પાંચ વર્ષની અંદર પ્રધાનમંત્રીની ખેડૂતો પ્રત્યેની આ પ્રતિબદ્ધતા પૂર્ણ થઈ છે, જેમાં તેમણે આ કાર્યક્રમ દરમિયાન દેશમાં 10,000માં એફપીઓની રચનાના સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત નિર્મિત મોતિહારીમાં સ્વદેશી જાતિઓ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદઘાટન કરશે. તેના મુખ્ય ઉદ્દેશોમાં અત્યાધુનિક આઇવીએફ ટેકનોલોજીની રજૂઆત, વધુ પ્રચાર-પ્રસાર માટે સ્વદેશી જાતિઓના ચુનંદા પ્રાણીઓનું ઉત્પાદન અને આધુનિક પ્રજોત્પતિ તકનીકમાં ખેડૂતો અને વ્યાવસાયિકોને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. તેઓ બરૌનીમાં દૂધ ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે, જેનો ઉદ્દેશ 3 લાખ દૂધ ઉત્પાદકો માટે સંગઠિત બજાર બનાવવાનો છે.

કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી 526 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનો વારિસાલીગંજ – નવાદા-ટિલૈયા રેલવે સેક્શન અને ઇસ્માઇલપુર-રફીગંજ રોડ ઓવર બ્રિજને બમણો કરવા દેશને સમર્પિત કરશે.

આ સમાચાર પણ વાંચો: Dandi Sea-Food Festival 2025: દાંડી બીચ ખાતે સી-ફુડ ફેસ્ટિવલ-૨૦૨૫નો પ્રારંભ, ગામના લોકો માટે સર્જાશે નવી રોજગારની તકો..

PM Modi MP Bihar visit: પ્રધાનમંત્રી આસામમાં

પ્રધાનમંત્રી ઝુમોઇર બિનાન્દિની (મેગા ઝુમોઇર) 2025માં ભાગ લેશે, જે એક અદભૂત સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં 8,000 કલાકારોએ ઝુમોઇર નૃત્યમાં ભાગ લીધો છે, જે આસામ ટી ટ્રાઇબ અને આસામના આદિવાસી સમુદાયનું લોકનૃત્ય છે, જે સર્વસમાવેશકતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને મૂર્તિમંત કરે છે તથા આસામની સમકાલીન સાંસ્કૃતિક મેલેંગનું પ્રતીક છે. મેગા ઝુમોઇર ઇવેન્ટ ચા ઉદ્યોગના 200 વર્ષ અને આસામમાં ઔદ્યોગિકરણના 200 વર્ષનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી 25થી 26 ફેબ્રુઆરી દરમિયાન ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન પણ કરશે. તેમાં ઉદઘાટન સત્ર, સાત મંત્રીસ્તરીય સત્રો અને 14 વિષયોના સત્રો સામેલ હશે. તેમાં રાજ્યના આર્થિક પરિદ્રશ્યને દર્શાવતા એક વ્યાપક પ્રદર્શનનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં તેના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી, તેજીવાળા ઉદ્યોગો અને વાઇબ્રન્ટ એમએસએમઇ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં 240થી વધુ પ્રદર્શકો દર્શાવવામાં આવશે.

આ સમિટમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સહિત અન્ય સંસ્થાઓ ભાગ લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan bhopal property may come under government control
મનોરંજન

Saif ali khan: હોસ્પિટલ માંથી ઘરે પરત ફર્યા બાદ સૈફ અલી ખાન ને લાગશે 440 વોલ્ટ નો ઝટકો, પટૌડી પેલેસ સાથે જોડાયેલો છે મામલો

by Zalak Parikh January 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Saif ali khan: સૈફ અલી ખાન ને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૈફ અલી ખાન એ ભારતીય ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી નો દીકરો છે આ હિસાબે તે પટૌડી પરિવાર નો વારસદાર છે. હવે સૈફ અલી ખાન ને 440 વોલ્ટ નો ઝટકો લાગી શકે છે. વાસ્તવ માં  મધ્યપ્રદેશના ભોપાલમાં સ્થિત પટૌડી પરિવારની મિલકત સરકારના નિયંત્રણમાં આવી શકે છે. હાઈકોર્ટે 2015માં પટૌડી પરિવારની સંપત્તિ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી દીધો છે. હવે સરકાર આ મિલકત જપ્ત કરી શકે છે. સરકાર દુશ્મન સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ તેને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો  : Saif Ali Khan Attack Update: 35 ટીમો, 72 કલાકની તપાસ… સૈફ પર હુમલો કરનાર આરોપી આખરે ઝડપાયો; જણાવ્યું હુમલો કરવાનું કારણ..

સૈફ અલી ખાન ની મિલકત ખતરામાં આવી  

મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાનના પરિવાર સાથે જોડાયેલી આ મિલકતોમાં ફ્લેગ સ્ટાફ હાઉસ જેવા અગ્રણી સ્થળોનો સમાવેશ થાય છે, જ્યાં ખાને પોતાનું બાળપણ વિતાવ્યું હતું. આ ઉપરાંત, તેમાં નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ અને અન્યનો પણ સમાવેશ થાય છે. આદેશ જાહેર કરતી વખતે, ન્યાયાધીશ એ જણાવ્યું હતું કે સુધારેલા દુશ્મન સંપત્તિ અધિનિયમ, 2017 હેઠળ કાનૂની ઉપાયો ઉપલબ્ધ છે, અને સંબંધિત પક્ષોને 30 દિવસની અંદર રજૂઆતો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv)


 

દુશ્મન સંપત્તિ અધિનિયમ કેન્દ્ર સરકારને ભાગલા પછી પાકિસ્તાન સ્થળાંતર કરનારા લોકોની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપે છે. ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લાહ ખાનને ત્રણ પુત્રીઓ હતી. તેમની મોટી પુત્રી આબિદા સુલતાન ૧૯૫૦માં પાકિસ્તાન સ્થળાંતર કરી ગઈ. બીજી પુત્રી, સાજિદા સુલતાન, ભારતમાં રહી, નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા અને મિલકતના હકદાર વારસદાર બન્યા.સાજિદા સુલ્તાનના પૌત્ર સૈફ અલી ખાનને મિલકતનો એક ભાગ વારસામાં મળ્યો હતો. જોકે, સરકારે આબિદા સુલતાનના સ્થળાંતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને ‘દુશ્મન મિલકત’ના આધારે મિલકત પર દાવો કર્યો. આ મિલકતની અંદાજિત કિંમત ૧૫,૦૦૦ કરોડ રૂપિયા છે. સરકાર દુશ્મન સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ તેને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Income Tax RaidIT recovers 52 kg gold worth over ₹40 cr from abandoned car in Bhopal forest
રાજ્ય

Income Tax Raid: ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગ્યું; જુઓ વિડિયો..

by kalpana Verat December 20, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Income Tax Raid: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો છે. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Income Tax Raid: જંગલોમાં એક કાર પર દરોડો પાડવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં એક કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાંથી કુલ રૂ.9.86 કરોડની રોકડ મળી આવી હતી.

🚨#BHOPAL : Income Tax department and police recovered 52 Kg Gold and ₹10 crore in cash from an Innova Car lying abandoned in the jungle of Mendori in the Ratibad area. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area.

The gold is worth ₹42 Crore Rupee pic.twitter.com/imyrVmTUaq

— Amitabh Chaudhary (@MithilaWaala) December 20, 2024

Income Tax Raid: 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા

આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.

આ સમાચાર પણ વાંચો  : Meerut Stampede: મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ..

Income Tax Raid: આટલી મોટી રોકડ અને સોનું આવ્યું ક્યાંથી ?

મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગે આ સંદર્ભે તપાસ તેજ કરી છે અને સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો. આ સિવાય લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદી તેમજ 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
why abhishek bachchan not go to aishwarya rai cousin party know the reason
મનોરંજન

Aishwarya and Abhishek: આ કારણે ઐશ્વર્યા ના કઝીન ની બર્થડે પાર્ટી માં નહોતો ગયો અભિષેક બચ્ચન, બચ્ચન પરિવારે કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

by Zalak Parikh October 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધું બરાબર નથી. ઘણા મીડિયા રિપોર્ટ માં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેક એ ગ્રે ડિવોર્સ લીધા છે. તાજેતર માં ઐશ્વર્યા રાય ની તસવીર વાયરલ  થઇ હતી જેમાં તે તેના કઝીન ની બર્થડે પાર્ટી માં જોવા મળી હતી પરંતુ આ તસવીર માંથી અભિષેક ગાયબ હતો જેને લઈને બંને ના છુટા થવાના સમાચારે જોર પકડ્યું હતું હવે અભિષેક ના પાર્ટી માં ના જવાનું કારણ સામે આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: પાપારાઝી ને જોઈ અભિષેક બચ્ચને આપ્યું એવું રિએક્શન કે થઇ માતા જયા બચ્ચન સાથે તેની તુલના

અભિષેક આ કારણે પાર્ટી માં નહોતો ગયો 

અભષેક બચ્ચન તેની બીમાર નાની ની ખબર જોવા ભોપાલ ગયો હતો. તેની નાની ને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિષેક તેની નાની ની ખુબ નજીક છે. આજ કારણ છે કે અભિષેક ઐશ્વર્યા ના કઝીન ની બર્થડે પાર્ટીમાં નહોતો પહોંચ્યો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આ સાથે જ બચ્ચન પરિવારે એક નિવેદન માં લખ્યું, ‘તેના ભોપાલમાં તેની નાની સાથે હોવાના સમાચાર ચાહકોને ઊંડી અસર કરે છે. તે એક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે ખ્યાતિ અને જાહેર જીવનને ધ્યાનમાં લીધા વિના, કુટુંબ હંમેશા પ્રથમ આવે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lok Sabha Election 2024 In Bhopal's Hydari Masjid, slogans of 'Modi hai to mumkin hai' and Abki bar 400 or more echoed, the video went viral..
રાજ્યMain PostTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024: ભોપાલની હૈદરી મસ્જિદમાં ‘મોદી હૈ તો મુમકીન હૈ’ અને અબકી બાર 400 કે પારના નારા ગુંજ્યા, વીડિયો થયો વાયરલ.. જુઓ વિડીયો.

by Hiral Meria April 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: દેશમાં હાલ સર્વ તરફ ચૂંટણી માહોલ સર્જાયો છે. તમામ પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુસ્લિમ બોહરા સમુદાયના કેટલાક લોકો એક કાર્યક્રમમાં ‘મોદી હૈ તો મુમકીન હૈ’ અને ‘અબકી બાર 400ને પાર’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો ભોપાલની હૈદરી મસ્જિદના અલીગંજ ઓડિટોરિયમનો હોવાનું કહેવાય છે. જ્યાં ભોપાલથી બીજેપી ઉમેદવાર આલોક શર્મા શુક્રવારે પોતાના પ્રચારના સંબંધમાં પહોંચ્યા હતા. 

અહીં ભાજપના ઉમેદવાર માત્ર ધાર્મિક ગુરુઓ અને બોહરા સમુદાયના અન્ય લોકોને જ મળ્યા ન હતા પરંતુ તેમનું સમર્થન મેળવવા માટે ભાજપની તરફેણમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન બોહરા સમુદાયના ( Muslim Bohra community ) ઘણા લોકો પણ હાથમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ ના પ્લેકાર્ડ લઈને હાજર રહ્યા હતા.

हर समुदाय की अब एक ही आवाज़..
अबकी बार 400 पार….@narendramodi@BJP4India#ModiAgainIn2024 #ModiKaParivar #LokSabhaElection2024 #ModiHaiToMumkinHai #aloksharmabhopal #BJP4IND #Bhopal pic.twitter.com/rak0sPuPXz

— Alok Sharma (Modi Ka Parivar) (@Alok_SharmaBJP) April 13, 2024

ભાજપના સમર્થનમાં મુસ્લિમ સમુદાયના લોકોએ લગાવેલા નારાઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાના સોશિયલ મીડિયા (X) એકાઉન્ટ પર આ મીટિંગનો વીડિયો શેર કરતી વખતે, ભોપાલના ( Bhopal ) બીજેપી ઉમેદવારે લખ્યું હતું, ‘દરેક સમુદાયનો હવે એક જ અવાજ છે… અબકી બાર 400ને પાર…’ ( Abki baar  400 paar ) 

 મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 4 તબક્કામાં મતદાન થશે..

આ વીડિયોમાં ભોપાલના અલીગંજ ઓડિટોરિયમમાં આયોજિત આ સભામાં મુસ્લિમ બોહરા સમુદાયના લોકો વચ્ચે ભાજપના ઉમેદવારો ( BJP candidates )  જોવા મળે છે, જ્યાં મુસ્લિમ સમાજના લોકો તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. દરમિયાન બોહરા સમુદાયને સંબોધિત કરતી વખતે ઉમેદવારોએ મોદી હૈ તો મુમકીન હૈ ( modi hai to mumkin hai ) અને આ વખતે અમે 400 પાર કરી ગયા જેવા નારા લગાવ્યા હતા, જેમાં ત્યાં બેઠેલા લોકોએ પણ હાથ ઊંચા કરીને તેમને સમર્થન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :   Jagan Mohan Reddy: આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીને રોડ શો દરમિયાન પથ્થરમારો, કપાળ પર ગંભીર ઈજા થઈ..જુઓ વિડીયો…

વીડિયોમાં આગળ, ત્યાં હાજર મુસ્લિમ ધર્મગુરુ ભાજપના ઉમેદવારની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા અને નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અમે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તમને સફળતા આપે, અમે અમારા વડા પ્રધાનનરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરીએ છીએ .પોતાના સૈયદના સાહેબ સાથે એમણે ઘર જેવો સંબંધ બનાવ્યો છે. સૈયદના સાહેબ પણ તેમને ખૂબ માન આપે છે. અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તમને સફળતા આપે.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 4 તબક્કામાં મતદાન થશે. આ દરમિયાન ભોપાલમાં 7મી મેના રોજ મતદાન થશે. આ વખતે ભાજપે પૂર્વ મેયર આલોક શર્માને અહીંથી ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસ તરફથી અરુણ શ્રીવાસ્તવ છે. ભોપાલ લોકસભા બેઠક ભાજપનો મજબૂત ગઢ છે, તેણે અહીંથી સતત 9 ચૂંટણીઓ જીતી છે અને 1989થી આ મતવિસ્તારમાં અજેય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
MP Secretariat Fire A fierce fire broke out in the secretariat in this city of the country, smoke droplets spread in the air..
રાજ્યMain PostTop Post

MP Secretariat Fire: ભોપાલ સચિવાલયની ઇમારતમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી ફેલાયા, ફાયર વિભાગના બંબા ઘટનાસ્થળે હાજર.

by Bipin Mewada March 9, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai 

MP Secretariat Fire: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ( Bhopal ) અત્યંત સુરક્ષિત ગણાતા રાજ્ય સચિવાલયના મુખ્યાલય વલ્લભ ભવનમાં આજે અચાનક આગ ફાટી ( Fire ) નીકળતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીમાં એવી માહિતી મળી છે કે છ માળની ઈમારતના બ્લોકના ત્રીજા માળે આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગના બંબાઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તેથી વધુ તપાસ ચાલુ છે.

વલ્લભ ભવન ( Vallabh Bhawan ) કેટલાય એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં વિશાળ બિલ્ડિંગના અનેક બ્લોક્સ છે. તેમાં મુખ્યમંત્રી કાર્યાલય, સચિવાલય, મુખ્ય સચિવ કાર્યાલય, મંત્રી કાર્યાલય અને તમામ વિભાગોના વડાઓની કચેરીઓ આવેલી છે. જો કે થોડા સમય પહેલા વલ્લભ ભવનની સામે આવેલી અન્ય એક વહીવટી ઈમારત “સતપુરા ભવન”માં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે મોટી માત્રામાં સરકારી દસ્તાવેજો, ફર્નિચર વગેરે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

VIDEO | Fire breaks out at state secretariat building in #Bhopal, Madhya Pradesh. Several fire tenders at the spot. More details are awaited.

(Full video available on PTI – https://t.co/n147TvqRQz) pic.twitter.com/EonjlewVm1

— Press Trust of India (@PTI_News) March 9, 2024

 વલ્લભ ભવનની જૂની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. ..

તો આ ઘટના પર મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) CM મોહન યાદવની પ્રતિક્રિયા હવે સામે આવી છે. સીએમ મોહન યાદવે (  Mohan Yadav ) નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મારી જાણમાં આવ્યું છે કે વલ્લભ ભવનની જૂની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. કલેક્ટર પાસેથી મળેલી માહિતીના આધારે મેં સીએસને આ ઘટનામાં મોનિટરિંગ કરવા કહ્યું છે. સીએસને આ ઘટના અંગે વિગતવાર માહિતી એકઠી કરવા અને રિપોર્ટ સબમિટ કરવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમજ હાલ પ્રાપ્ત માહિતી મુજબ ફાયર વિભાગે ભારે જહેમત બાદ, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

#WATCH | Madhya Pradesh | A massive fire breaks out at Vallabh Bhavan State Secretariat in Bhopal. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/QBto0QSVIy

— ANI (@ANI) March 9, 2024

આ સમાચાર પણ વાંચો : Bengaluru Water Crisis: બેંગલુરુમાં સર્જાઈ પાણીની કટોકટી, રહેવાસીઓને રોજિંદા પ્રવૃત્તિ માટે મોલનો આશરો…

તેમજ મુખ્યમંત્રી મોહન યાદવે વધુમાં કહ્યું હતું કે, ફરી આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેમજ સુરક્ષાના તમામ પગલાઓ હાથ ધરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Big action by CBI in Nagpur and Bhopal, arrest of NHAI officer in bribery case, accused of accepting bribe of 20 lakh rupees.
રાજ્ય

CBI Raid: નાગપુર અને ભોપાલમાં CBIની મોટી કાર્યવાહી, લાંચ કેસમાં NHAI અધિકારીની ધરપકડ, 20 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ

by Bipin Mewada March 4, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

CBI Raid: નાગપુર-ભોપાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ( CBI )એ મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 2 અધિકારીઓ અને ખાનગી કંપનીના 2 ડાયરેક્ટર સહિત 6 આરોપીઓની રૂ.20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. તેમજ અધિકારીઓના ઘરેથી CBI લાંચની રકમ સહિત કુલ રુ. 1.5 કરોડ રૂપિયા ઝડપાયા છે. 

NHAI અધિકારીઓ પર પેન્ડિંગ બિલ ક્લિયર કરવા અને રોડ પ્રોજેક્ટ્સ માટે કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવા સહિતના પેન્ડિંગ કેસ ક્લિયર કરવા માટે કામના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. બંને આરોપીઓ સરકારી અધિકારી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વરિષ્ઠ હોદ્દા ધરાવે છે. આરોપીઓમાંથી એક નાગપુરનો ( Nagpur ) પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, જ્યારે અન્ય આરોપી NHAI, હરદા, મધ્યપ્રદેશનો ડેપ્યુટી જનરલ મેનેજર છે. ભોપાલની ( Bhopal ) એક ખાનગી કંપનીના બે ડિરેક્ટર અને બે કર્મચારીઓ પર પણ લાંચ લેવાનો આરોપ છે.

આ અંગે સીબીઆઈએ NHAI, ખાનગી કંપની અને તેના કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે કે, તેઓ તેમના કર્મચારીઓ દ્વારા NHAI અધિકારીઓને બાકી રહેલા બિલોની પ્રક્રિયા કરવા, પૂર્ણતા પ્રમાણપત્રો જારી કરવા, આપેલા કામોની પ્રગતિના બદલામાં લાંચ ( bribery ) આપતા હતા.

 દિલ્હી સીબીઆઈની ( Delhi CBI ) ટીમ બે દિવસથી નાગપુરમાં છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી..

પ્રોજેક્ટ મેનેજર ખાનગી કંપની પાસેથી લાંચ લીધી હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી સીબીઆઈની ટીમ બે દિવસથી નાગપુરમાં છટકું ગોઠવી રહી હતી. સીબીઆઈએ રવિવારે તક મળતા જ પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ કરી હતી. પ્રોજેક્ટ મેનેજર નાગપુર ડિવિઝનમાં ચાલી રહેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે જવાબદાર હતો. તેમાંથી એક પ્રોજેક્ટ ભોપાલના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. દિલ્હી સીબીઆઈને ફરિયાદ મળી હતી કે પ્રોજેક્ટ મેનેજર પોતાના પદનો દુરુપયોગ કરી કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડી રહ્યો છે. આ ફરિયાદના આધારે દિલ્હી શાખાની એક ટીમ નાગપુર પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : Varanasi : વારાણસીથી ચૂંટણી લડી શકે છે સત્યપાલ મલિક, કોંગ્રેસની કેન્દ્રીય કમીટીને ફીડબેકમાં સૂચન મળ્યું.

નાગપુર શાખાના અધિકારીઓની મદદથી નરેન્દ્રનગરમાં પ્રોજેકટ મેનેજરના ઘરની બહાર જાળ બિછાવી હતી. રવિવારે બપોરે કોન્ટ્રાક્ટર આરોપી પ્રોજેક્ટ મેનેજરના ઘરે આવ્યો હતો. તેણે આરોપી પ્રોજેક્ટ મેનેજરને 20 લાખ રૂપિયાની લાંચ આપી હતી. દરમિયાન સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો. કોન્ટ્રાક્ટરે ચૂકવેલા રૂ.20 લાખ કબજે કર્યા બાદ પ્રોજેક્ટ મેનેજરના ઘરની તલાશી લેવામાં આવી હતી. આ સર્ચમાં લાંચની રકમ સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કેટલાક સોનાના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

CBIની વિવિધ ટીમોએ NHAIની બે ઓફિસો સાથે ભોપાલમાં કોન્ટ્રાક્ટરની ઓફિસ અને ઘરમાં પણ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ કેસમાં કુલ 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ અન્ય આરોપીઓની ધરપકડ અંગે ગુપ્તતા જાળવી રહી છે.

 

March 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi MP Visit PM Modi to unveil Rs 17,500 crore projects in Madhya Pradesh
રાજ્ય

PM Modi MP Visit: PM મોદી આ તારીખના ‘વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કરશે, વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

by kalpana Verat February 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

PM Modi MP Visit : 

  • પ્રધાનમંત્રી સમગ્ર મધ્યપ્રદેશમાં રૂ. 17,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે
  • સિંચાઈ, વીજળી, રોડ, રેલ, પાણી પુરવઠો, કોલસો અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રોને મોટી ગતિ મળશે
  • લોકોને સરકારી સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક પગલું ભરીને પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં સાયબર તહેસિલ પ્રોજેક્ટનો શુભારંભ કરશે
  • આ યોજનાઓનો શુભારંભ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધા, સામાજિક-આર્થિક વિકાસ અને જીવનની સરળતાને પ્રોત્સાહન પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને રેખાંકિત કરે છે
     

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) 29મી ફેબ્રુઆરી, 2024ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શિલાન્યાસ કરશે અને સમગ્ર મધ્યપ્રદેશમાં રૂ. 17,500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ ( projects ) સિંચાઈ, પાવર, રોડ, રેલ, પાણી પુરવઠો, કોલસો, ઉદ્યોગ સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી મધ્યપ્રદેશ ( Madhya Pradesh ) માં રૂ. 5500 કરોડથી વધારેની કિંમતની સિંચાઈ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં ઉપલી નર્મદા યોજના, રાઘવપુર બહુહેતુક પરિયોજના, બસણીયા બહુહેતુક પરિયોજના સામેલ છે. આ યોજનાઓથી ડિંડોરી, અનુપપુર અને મંડલા જિલ્લાઓમાં 75,000 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ મળશે તથા આ વિસ્તારમાં વીજ પુરવઠો અને પીવાના પાણીની સુવિધામાં વધારો થશે. પ્રધાનમંત્રી રાજ્યમાં 800 કરોડથી વધારે મૂલ્યની બે સૂક્ષ્મ સિંચાઈ પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. તેમાં પારસદોહ માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ અને ઔલિયા માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ સામેલ છે. આ સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ બેતુલ અને ખંડવા જિલ્લાઓની 26,000 હેક્ટરથી વધારે જમીનની જરૂરિયાતો પૂર્ણ કરશે.

પ્રધાનમંત્રી રૂ. 2200 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત ત્રણ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ પણ દેશને કરશે. આ પ્રોજેક્ટ્સમાં વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી – જખલૌન અને ધૌરા – અગાસોદ રૂટમાં ત્રીજી લાઇન માટેનો પ્રોજેક્ટ સામેલ છે. ન્યૂ સુમાઓલી-જોરા અલાપુર રેલવે લાઇન પર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ; અને પોવારખેડા-જુઝારપુર રેલવે લાઇન ફ્લાયઓવર માટેનો પ્રોજેક્ટ. આ વિવિધ પ્રોજેક્ટ રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારનાં સામાજિક-આર્થિક વિકાસમાં પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra: મહારાષ્ટ્રમાં હવે આ અનામત નિતીમાં થયો મોટો ફેરફાર, સરકારે જાહેર કર્યો આદેશ.. જાણો વિગતે…

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રધાનમંત્રી સમગ્ર મધ્યપ્રદેશમાં આશરે રૂ. 1000 કરોડનાં મૂલ્યની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં મુરેના જિલ્લામાં સીતાપુરમાં મેગા ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ક્લસ્ટર સામેલ છે. ઇન્દોરમાં ગારમેન્ટ ઉદ્યોગ માટે પ્લગ એન્ડ પ્લે પાર્ક; ઔદ્યોગિક ઉદ્યાન મંદસુર (જગ્ગખેડી તબક્કો-2); અને ધાર જિલ્લામાં ઔદ્યોગિક ઉદ્યાન પીથમપુરનું અપગ્રેડેશન કરશે.

પ્રધાનમંત્રી જયંત ઓસીપી સીએચપી સાઇલો, એનસીએલ સિંગરૌલી સહિત 1000 કરોડથી વધારે મૂલ્યની કોલસા ( coal ) ક્ષેત્રની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. અને દુધીચુઆ ઓસીપી સીએચપી-સાઇલો નો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશમાં વીજ ક્ષેત્રને મજબૂત બનાવતા પ્રધાનમંત્રી પન્ના, રાયસેન, છિંદવાડા અને નર્મદાપુરમ જિલ્લાઓમાં સ્થિત છ સબસ્ટેશનો માટે શિલારોપણ પણ કરશે. આ સબસ્ટેશનોથી રાજ્યના અગિયાર જિલ્લાઓ ભોપાલ ( Bhopal ) , પન્ના, રાયસેન, છિંદવાડા, નર્મદાપુરમ, વિદિશા, સાગર, દમોહ, છતરપુર, હરદા અને સિહોરમાં પ્રદેશના લોકોને લાભ થશે. સબસ્ટેશનોથી મંડીદીપ ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગોને પણ ફાયદો થશે.

પ્રધાનમંત્રી અમૃત 2.0 હેઠળ આશરે 880 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ અને રાજ્યભરના કેટલાક જિલ્લાઓમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધારવા અને તેને મજબૂત બનાવવા માટેની અન્ય યોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ખરગોનમાં પાણીનાં પુરવઠાને વધારવા માટેની રાષ્ટ્રીય યોજના પણ અર્પણ કરશે.

સરકારી સેવાઓની ડિલિવરીમાં સુધારો કરવાની દિશામાં એક પગલું ભરીને, મધ્ય પ્રદેશમાં સાયબર તહેસિલ પ્રોજેક્ટ પેપરલેસ, ફેસલેસ, સંપૂર્ણ ખસરાના વેચાણ-ખરીદીના પરિવર્તનના ઓનલાઇન નિકાલને સમાપ્ત કરવા અને આવકના રેકોર્ડમાં રેકોર્ડ સુધારણા સુનિશ્ચિત કરશે. રાજ્યના તમામ 55 જિલ્લાઓમાં અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટમાં સમગ્ર એમ.પી. તે અરજદારને અંતિમ આદેશની પ્રમાણિત નકલની જાણ કરવા માટે ઇમેઇલ / વોટ્સએપનો ઉપયોગ પણ કરે છે.

પ્રધાનમંત્રી અન્ય પરિયોજનાઓની સાથે-સાથે મધ્ય પ્રદેશમાં પણ કેટલીક મહત્વપૂર્ણ રોડ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

આ યોજનાઓનો શુભારંભ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધા, સામાજિક-આર્થિક વિકાસ અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhopal In Bhopal, stray dogs did this with a seven-month-old sleeping innocent baby.. Police investigation continues
રાજ્ય

Bhopal: ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

by Bipin Mewada January 13, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Bhopal: ભોપાલમાં શુક્રવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ નગર બસ્તી પાસે રહેતી એક મહિલા તેના છ મહિનાના બાળકને સૂતેલું છોડીને થોડીવાર માટે બહાર ગઈ હતી ત્યારે રખડતા કૂતરાઓ ( Stray dogs ) સુતેલા બાળકને ઘરની બહાર ખેંચી ગયા હતા અને કૂતરાઓએ આ સાત મહિનાના બાળકને ( Baby Boy  ) ફાડી ખાધું હતું. તેનો એક હાથ કુતરાઓ ખાઈ ગયા હતા. બાળકના માથા અને પેટ સહિત સમગ્ર શરીર પર કરડવાના નિશાન હતા. પરિવારના સભ્યો બાળકની શોધમાં જ્યારે પહોંચ્યા હતા. ત્યારે બાળકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.  

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર એક મજુર વર્ગ છે. જે કેન્ટોનમેન્ટ પ્લેટો બિલખીરિયામાં તેના પરિવાર સાથે રહે છે. ફરિયાદી માતા પિતા મીનલ રેસિડેન્સી વિસ્તારના ગેટ નંબર ચાર પાસે સફાઈનું કામ કરે છે. બંને ગુરુવારે અહીં કામ કરવા પહોંચ્યા હતા. સવારે 10 વાગે બાળકને દૂધ પીવડાવી સૂતેલુ મુકી મહિલા કામ કરવા બહાર ગઈ હતી. દરમિયાન, આ સુતેલા બાળકને રખડતા કૂતરાઓ તેના ઘરથી દૂર ખેંચી ગયા હતા. માતા જ્યારે પાછી આવી ત્યારે બાળકને ન જોઈને તે ચોંકી ગઈ હતી અને તેણે તરત જ તેના પતિને ઘરે બોલાવ્યો હતો. જે બાદ વિસ્તારના લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં લોકોને બાળક થોડે દૂર મળી આવ્યું હતું પરંતુ તે પહેલાથી જ મૃત્યુ પામેલ હાલમાં હતું. બાળકના સમગ્ર શરીર પર કરડવાના ( Bitten ) નિશાન હતા. તેમજ રખડતા કૂતરાઓ બાળકનો એક હાથ સંપૂર્ણપણે ખાઈ ગયા હતા.

પોલીસ તપાસ ચાલુ થઈ…

મોત બાદ તેના માતા-પિતા આઘાતની સાથે સ્તબ્ધ ગયા હતા. તેથી તેઓએ કંઈપણ જાહેર કર્યા વિના બાળકના મૃતદેહને ( dead body ) દફનાવી દીધો હતો. આ મામલે અયોધ્યા નગર પોલીસ ( Bhopal Police ) સ્ટેશનને કહ્યું હતું કે બાળકના માતા-પિતાનું દિલ ભાંગી પડ્યું છે. એટલા માટે તેઓએ હજુ સુધી જણાવ્યું નથી કે બાળકને ક્યાં દફનાવવામાં આવ્યું છે. તેથી આ મામલે માતા પિતાનું નિવેદન લીધા બાદ જ મૃતદેહને બહાર કાઢવામાં આવશે અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખબર પડશે કે બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું કે અન્ય કોઈ કારણથી.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: અમૃતકાળની આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું સશક્તીકરણ થયું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ન લઈને ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના બન્યા બાદ લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને સોગંદનામું આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ ( Postmortem ) કરાવવાની ના પાડી દીધી હતી. તેથી આ મામલામાં પોલીસે કંઈ કર્યું ન હતું. શુક્રવારે જ્યારે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સાંજે 7.15 વાગ્યે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

January 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક