Tag: BJP workers

  • Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

    Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

    News Continuous Bureau | Mumbai

    Mumbai Congress Office :ડો બાબાસાહેબ  આંબેડકર વિવાદને લઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હોબાળો મચી ગયો છે. આંબેડકર વિવાદ પર ભાજપના કાર્યકરો મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરવાની સાથે ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ  કરી હોવાના પણ અહેવાલ છે.

     

    Mumbai Congress Office : કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

    મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને નારાજગી વ્યક્ત કરી છે. પ્રદર્શન દરમિયાન સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ વધી ગઈ છે.

    Mumbai Congress Office :મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ

    આ મામલાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસે જાહેરમાં માફી માંગવી જોઈએ, જ્યારે કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ઘટનાની નિંદા કરી છે. આવી સ્થિતિમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ માટે કામ કરી રહી છે.

    Mumbai Congress Office : આંબેડકર વિવાદ કેવી રીતે શરૂ થયો?

    મહત્વનું છે કે, અમિત શાહ તેમના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસા પર વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં અમિત શાહે કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે. શાહે આગળ કહ્યું, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે આ ભગવાનનું નામ લીધું હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત.

    આ સમાચાર પણ વાંચો  : Parliament scuffle: સાંસદો વચ્ચે ઘર્ષણ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ, ભાજપે કોંગ્રેસ નેતા વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાવી ફરિયાદ…

    આ વિવાદને લઈને પાર્ટી અને વિપક્ષના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે હવે ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન અને તોડફોડ શરૂ કરી દીધી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ આ બાબતને વિકૃત કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીના ભાજપના નેતા-કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર. હવે રસ્તા કિનારે ડફલી વગાડો….

    BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીના ભાજપના નેતા-કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર. હવે રસ્તા કિનારે ડફલી વગાડો….

    News Continuous Bureau | Mumbai

    BJP Maharashtra Assembly Elections 2024:  રાજનીતિમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશ કરતી હોય છે ત્યારે તેની ઈચ્છા નેતા બનવાની હોય છે. ઉત્તર મુંબઈ પણ આ નીતિ નિયમ અને સિદ્ધાંતથી ઉપર નથી. બોરીવલી માં ગુજરાતી અને અન્ય જમાતના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરે છે. તેઓ પાસે આંદોલનો કરાવવામાં આવે છે તેમજ નિવેદનો લખાવવામાં આવે છે અને બદલીમાં તેઓના નાના મોટા કામ એક ભિખારીની માફક કરવામાં આવે છે. 

    BJP Maharashtra Assembly Elections 2024:  નેતાગીરીની તો વાત જ શું કરવી? 

    ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાઓ એવું સમજે છે કે સમયની સાથે તેમનો રાજનૈતિક ( BJP Maharashtra Assembly Elections 2024 ) વિકાસ થશે. કોઈને મોટું પદ મળશે, કોઈ ચૂંટણી લડશે તો કોઈ સરકારી સિસ્ટમમાં ફિક્સ થશે. પરંતુ બોરીવલીમાં તો આવું કંઈ થતું જ નથી. રસ્તાનો કાર્યકર્તા એટલે ખરેખર રસ્તાનો કાર્યકર્તા. અને તેમાં પણ ધારાસભ્ય બનવાનું સપનું જોવું એ ગુનો છે. કારણ કે ધારાસભ્યતો ( BJP MLA ) એ વ્યક્તિ બને છે જે ભાજપના નેતાનો ચાટુકાર હોય. બોરીવલીમાં ધારાસભ્ય ગમે તે વ્યક્તિ બની શકે છે. માત્ર સ્થાનિક વ્યક્તિ નહીં…

    આ સમાચાર પણ વાંચો :  BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..

    તો સવાલ એ છે કે સ્થાનિક વ્યક્તિએ એટલે કે સ્થાનિક કાર્યકર્તાએ( BJP workers )  શું કરવાનું? જવાબ છે રસ્તાના કિનારે ઊભા રહીને ડફલી વગાડવાની…