Tag: bjp yuva morcha

  • Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે દાપોલીમાં આજે નિકળશે આ અનોખી શોભાયાત્રા..

    Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે દાપોલીમાં આજે નિકળશે આ અનોખી શોભાયાત્રા..

    News Continuous Bureau | Mumbai 

    Ram Mandir Pran Pratishtha: પહેલાના જમાનામાં તહેવારોની ઉજવણી માટે હાથી પર બેસી શહેરભરમાં ખાંડ વહેંચવામાં આવતી હતી. ઈતિહાસના પુસ્તકોમાં ઉલ્લેખ છે કે જીજાબાઈના જન્મ સમયે તેમના પિતા લખુજીરાવ જાધવે હાથી પર બેસીને ખાંડ વહેંચી હતી. ઘણા વર્ષો પછી આજે દાપોલીનો ( Dapoli  ) એક યુવક રામ મંદિરના નિર્માણ માટે ઉજવાતા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ અનોખા ખ્યાલને અમલમાં મૂકવા જઈ રહ્યો છે. તેની પાછળનું કારણ પણ એટલું જ રસપ્રદ છે. 

    અક્ષય ફાટક જેઓ બાંધકામ વ્યવસાયમાં પ્રોફેશનલ છે અને ભાજપ યુવા મોરચાના ( BJP Yuva Morcha ) રાજ્ય કાર્યકારી સભ્ય છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામ મૂર્તિની સ્થાપનાના દિવસે દાપોલીમાં ભવ્ય શોભાયાત્રા ( Shobha yatra ) કાઢવામાં આવી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ દિવસે હાથી પર બેસીને ખાંડ વહેંચવા પાછળની ભાવના શું છે, તો તેમણે કહ્યું હતું કે ‘રામ મંદિર’નું ( Ram Mandir ) નિર્માણ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં રહેતા કોઈપણ ધર્મના રામ ભક્તો માટે સૌથી ખુશીનો દિવસ છે. અમે 5 પેઢીઓથી દાપોલીમાં રહીએ છીએ. 1994થી મારા પિતા શ્રીધર વાસુદેવ ફાટક વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) તાલુકદાર હતા. તે સમયે પરિષદના ઘણા કાર્યક્રમો અહીં થતા હતા. તે સમયે, એક સ્થાનિક કાર્યક્રમમાં મારા પિતાએ કાર્યકરોની સામે કહ્યું હતું કે, ‘જ્યારે રામ મંદિર પૂર્ણ થશે, ત્યારે અમે હાથી પર બેસીને ખાંડ ખવડાવીશું.’ ત્યારબાદ, હવે રામ મંદિરનું સપનું ખરેખર સાકાર થયું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થયા પછી, મે મારા પિતાના કારસેવક મિત્રો અને જાણતા કેટલાક લોકોએ અને મારા પિતાના આ નિવેદનની યાદ અપાવી. મારા પિતા 2010માં મૃત્યુ પામ્યા હતા. તેથી હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે ઉજવાય રહ્યો છે, ત્યારે દાપોલીમાં આજે યોજાનારી આ ભવ્ય ગજરાજ શોભાયાત્રા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

     ઉજવણીનો આ ખ્યાલ કંઈક એવો છે જેના વિશે આપણે ફક્ત સાંભળીએ છીએ…

    આજે પણ કેટલાક શ્રીમંત લોકો લગ્ન, પાર્ટી, ફંક્શન અને તહેવારો માટે હાથી ભાડે રાખે છે અને ખાંડ વહેંચે છે. સમય સાથે વસ્તુઓ બદલાઈ છે. ઉજવણીનો આ ખ્યાલ કંઈક એવો છે જેના વિશે આપણે ફક્ત સાંભળીએ છીએ. રામ મંદિરને પૂર્ણ કરવામાં લગભગ 500 વર્ષનો સંઘર્ષ થયો. આટલા વર્ષો પછી અનેક કાર્યકરો અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે. આથી આ અવર્ણનીય ખુશીને અનોખી રીતે ઉજવવાથી મારા પિતાની ઈચ્છા પૂરી થઈ શકશે.

    આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: આજે દેશમાં દિવાળી, રામલલા થશે બિરાજમાન… જય શ્રી રામ

    રામ મંદિરમાં શ્રી રામની મૂર્તિના સ્થાપન સમારોહની તારીખ નક્કી કર્યા બાદ દાપોલીમાં લક્ષ્મીનારાયણ દેવસ્થાન, ભૈરી દેવસ્થાન, મારુતિ મંદિર અને રામ મંદિરના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ભવ્ય શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. આ શોભાયાત્રામાં હાથી પર બેસીને ગામમાં ખાંડનું વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભાગ છે. આ માટે કર્ણાટકમાંથી હાથીનું બુકિંગ કરવામાં આવ્યું છે. હાથીની સંભાળ લેવા માટે હાથીની સાથે બે-ત્રણ લોકો પણ હાજર રહેશે. હાથી 21 જાન્યુઆરીની રાત્રે દાપોલી પહોંચશે અને 22 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી શોભાયાત્રામાં શરુ થશે. ગજરાજ શોભાયાત્રા માટે વન વિભાગ અને પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી છે. આ શોભાયાત્રા માટે 200 ગ્રામના 7000 ખાંડના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલાપુરથી લાવવામાં આવેલ હલગી વાદ્ય અને કોંકણનું પ્રખ્યાત ખાનુબાજા વાદ્ય વગાડવામાં આવશે.

  • કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

    કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

    News Continuous Bureau | Mumbai

    કર્ણાટકના(Karnatka) દક્ષિણ કન્નડ જિલ્લામાં(Kannad District) બીજેપી યુવા મોરચાના(BJP Yuva Morcha ) જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની(Praveen Nettaru) ક્રૂરતાપૂર્વક ભરી હત્યા(Brutally killed) કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે(Bellari) ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન(Poultry shop) ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી(Sharp weapon) તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત(Injured) થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો. 

    દક્ષિણ કન્નડના એસપીએ(SP) જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે કોઇ સીસીટીવી કેમેરા(CCTV Camera) હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરની શોધ કરવામાં આવશે. પોલીસે યુવા નેતાઓની નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરી છે. હત્યાનું કારણ વિશે હજુ માહિતી મળી નથી.

    દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ(CM  Basavaraj Bommai) બીજેપી યુવા નેતાની(BJP Young Leader) હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ(Tweet) કરીને કહ્યું કે, દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારી પાર્ટીના કાર્યકર્તા પ્રવિણ નેટ્ટારુની બર્બર હત્યા નિંદનીય છે. આ પ્રકારના જધન્ય અપરાધ કરનારની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે અને કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. પ્રવિણની આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 

    આ સમાચાર પણ વાંચો :  હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

    બીજેપી યુવા મોરચાના નેતાની હત્યા પછી બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. પ્રવિણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં રાત્રે જ રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અપરાધીઓની(Criminals) જલ્દી ધરપકડ કરવાની માંગણી કરી છે. કર્ણાટકમાં ૨૩ જૂનના રોજ બીજેપીના નેતા મોહમ્મદ અનવરની(Mohammad Anwar) પણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હત્યારાઓએ ચપ્પાથી પ્રહાર કરી હત્યા કરી હતી. મોહમ્મદ અનવર ચિકમંગલુરના અર્બન યૂનિટના બીજેપીના મહાસચિવ હતા.

  • શું રાહુલ દ્રવિડ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે? આનો જવાબ ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આપ્યો

    શું રાહુલ દ્રવિડ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે? આનો જવાબ ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આપ્યો

    News Continuous Bureau | Mumbai

    જેમ જેમ ચૂંટણી(election) નજીક આવતી જાય તેમ તેમ નવા નવા લોકો વિવિધ રાજકીય પક્ષો(Political Party) માં જોડાય અને પક્ષપલટો પણ થતો જોવા મળે છે. હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં પણ આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી(assembly election) આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ધર્મશાળામાં ૧૨થી ૧૫મી મે સુધી ભાજપ(BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું આયોજન કરાયું છે. જેમાં અનેક મોટી હસ્તીઓ સામેલ થાય તેવી સંભાવના છે. આ દરમિયાન મીડિયામાં એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે રાહુલ દ્રવિડ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

    જોકે હવે ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team)ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul dravid) મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે ધર્મશાળામાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સત્ર (BJP event in Himachal)માં તેઓ હાજરી આપશે. દ્રવિડે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "મીડિયાના એક વિભાગે અહેવાલ આપ્યો છે કે હું હિમાચલ પ્રદેશમાં 12 થી 15 મે દરમિયાન એક મિટિંગમાં હાજરી આપીશ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે આ રિપોર્ટ ખોટો છે.

    આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

    ધર્મશાળાના ભાજપ(BJP)ના ધારાસભ્ય વિશાલ નેહરિયાએ દાવો કર્યો હતો કે દ્રવિડ 12 મે થી 15 મે સુધી ધર્મશાળામાં યોજાનારી ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સત્રમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશના તમામ અગ્રણી નેતાઓ ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સત્રમાં ભાગ લેશે.