• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bmc commissioner - Page 2
Tag:

bmc commissioner

મુંબઈ

ખબરદાર!! રસ્તા પર ગમે ત્યાં શ્વાનોને ખાવાનું આપ્યું તો. શ્વાનો માટે BMCએ લીધો આ નિર્ણય…. જાણો વિગતે

by Dr. Mayur Parikh May 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai ) રખડતા શ્વાનો(Stray dogs) ને ગમે ત્યાં ખાવાનું આપવાને કારણે જે-તે સ્થળ તો ગંદા થાય છે પણ સાથે જ ત્યાં ભેગા થતા શ્વાનોને કારણે લોકોને તેનો ત્રાસ પણ થાય છે. તેથી મુંબઈમાં રસ્તે રખડતાં શ્વાનના ઉપદ્રવને ટાળવા માટે હવે પ્રત્યેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ''(Street Dog eating spot) રહેશે.

BMC કમિશનર(BMC commissioner) દ્વારા દરેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ'' નક્કી કરવાનો આદેશ તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને(Assistant comissioner) આપવામાં આવ્યો છે. આ સંબંધેની પ્રશાસન દ્વારા નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. આ નિયમાવલીમાં કયા સમયે અને કયો ખાદ્યપદાર્થ(Food) નાખવો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં ભટકતા શ્વાનની સંખ્યા લગભગ ૩ લાખ હોવાનો અંદાજ છે. આ શ્વાનોને લીધે રસ્તા પરથી આવતા જતાં નાગરિકો તથા સ્કૂટરો સવારને રાતના સમયે જીવ મૂઠીમાં રાખીને જવું પડે છે કારણ કે શ્ર્વાન તેમની પાછળ પડી જાય છે.

આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

હકીકતમાં રખડતા શ્વાનો(Street dogs) માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં ફેંકવામાં આવતા હોવાને કારણે  જે-તે એરિયામાં શ્વાનનો ઉપદ્રવ વધી જાય છે. 

હવે આવા શ્વાન માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં નહીં નાખવા માટે પાલિકા ખાસ નિયમાવલી તૈયાર કરી છે. પાલિકાએ નિશ્ચિત કરેલી જગા પર જ શ્વાન માટે નક્કી કરેલા સમયે ખાદ્ય પદાર્થ મુકવા એવી અપીલ પ્રાણી પ્રેમીઓને(Animal lovers) કરવામાં આવી હોવાનું પાલિકા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે.

 

May 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બોરીવલીના ફ્લાયઓવરને ખુલ્લો મુકવાને લઈને ઉત્તર મુંબઈના સાંસદે BMC કમિશનરને આપી દીધી આ ચેતવણી.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 6, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈ(north mumbai)ના બોરીવલી(પશ્ચિમ)માં વિસ્તારીત કરાયેલો જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. છતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)તરફથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેની સામે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty)એ પાલિકા કમિશનર શ્રી ઈકબાલ સિંહ ચહલ(BMC commissioner Iqbal Singh Chahal)ને પત્ર લખીને ચેતવણી આપી છે, કે જો આ પુલ તમે ખુલ્લો નહીં મુક્યો તો અમે તેને ટ્રાફિક માટે ખુલ્લો મુકી દઈશું.

પાલિકા કમિશનરને લખેલા પત્રમાં ગોપાલ શેટ્ટીએ માંગણી કરી છે કે બોરીવલી (પશ્ચિમ) સ્થિત એક્સટેન્ડેડ જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનો(kariappa Flyover) ઉદ્ઘાટન સમારોહ(Inaugration Ceremony) 15મી મેના રોજ મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) અને વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ની હાજરીમાં યોજવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!!! ઓનલાઇન લોન સ્કેમે લીધો યુવકનો ભોગ, મોર્ફ કરીને ન્યુડ ફોટો વાયરલ થતા મલાડમાં યુવકની આત્મહત્યા. જાણો વિગતે.

ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે “છેલ્લા અઢી વર્ષમાં, બોરીવલી પશ્ચિમથી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વેને જોડતો બ્રિજ ટ્રાફિક જામનો સામનો કરી રહ્યો છે. હવે જ્યારે આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકી દેવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને લોકોને પણ રાહત થશે.

ગોપાલ શેટ્ટીએ કમિશનરની સાથે તમામ સંબંધિત અધિકારીઓને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે "તમે 15મી મેના રોજ આ વિસ્તૃત જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરો, અન્યથા હું સામાન્ય જનતાની સુવિધા માટે સામાન્ય લોકોની ભાગીદારી સાથે ટ્રાફિક માટે ખોલી નાખીશ. તેમણે આ પત્રની કોપી પાલિકાના ઝોન 7ના ડેપ્યુટી કમિશનર શ્રીમતી ભાગ્યશ્રી કાપસે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આર/સેન્ટ્રલ શ્રી વકાર જાવેદ હાફીઝને પણ મોકલી છે.
 

May 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અંદરખાને મુંબઈ મહાનગરપાલિકા ડરી ગઈ હોય તેવું લાગે છે. દુકાનોના પાટીયા સંદર્ભે આદેશ કાઢીને ડેડલાઈન આપી. પણ કોઈ જ પગલાં લીધા નથી..

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની તમામ દુકાનો(Shops)ના નામના પાટિયા (Name Board)મરાઠી(Marathi)માં દેવનાગરી લિપીમાં લખવાનો સર્ક્યુલર બહાર પાડીને ખાસ્સો સમય નીકળી ગયો છે. પરંતુ હજી સુધી પાલિકા(BMC) દ્વારા ચોક્કસ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી શું મુંબઈ મહાનગરપાલિકા(BMC) ડરી ગઈ કે પછી અન્ય કોઈ કારણથી પાલિકા દુકાનદારો(Shopkeeper) સામે પગલાં લેતા અચકાઈ રહી છે, તેની ચર્ચાએ જોર પક્ડયું છે.

દુકાનોના પાટિયાના નામ મરાઠી ભાષામાં શરૂઆતમાં વંચાય તે મુજબ લખવાનો આદેશ પાલિકાએ આપ્યો છે. હવે પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ(Shop and establishment dept.) દ્વારા દરેક વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવવાનું છે. પાલિકા કમિશનરના આદેશ બાદ દરેક સ્થળે તપાસવા જવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવવાની છે. પરંતુ પ્રત્યક્ષમાં આ વોર્ડ પાસે એટલું મનુષ્યબળ ઉપલબ્ધ નથી. ઈઝ ઓફ ડુઈઁગ બિઝનેસ(IS of doing Business policy) પોલિસી હેઠળ પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગના તમામ લાઈસન્સ ઓનલાઈન મળતા હોવાથી અહીંના કર્મચારીઓને લાઈસન્સ વિભાગમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા છે તેથી અપૂરતા કર્મચારીને કારણે કાર્યવાહી કરવી કેમ એવો સવાલ અધિકારીઓને થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  તારીખ પે તારીખ… એનસીપી નવાબ મલિકને ન મળી કોઈ રાહત, સ્પેશિયલ કોર્ટે ફરી આ તારીખ સુધી લંબાવી અદાલતી કસ્ટડી..

અહીં ઉલ્લેખનીય છે કે દુકાનોના નામ મરાઠી ભાષા(Marathi Language)માં લખવાનો નિર્ણય રાજ્યની કેબિનેટની બેઠકમાં 12 જાન્યુઆરી 2022માં લેવામાં આવ્યો હતો. બે મહિના બાદ પણ તેનો અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો નહોતો. તેથી તેની અમલ બજવણી થઈ શકી નહોતી. જોકે બાદમાં 23 માર્ચ, 2022ના રોજ પાલિકાને તેનો અધ્યાદેશ મળતા મરાઠીમાં પાટિયા પર નામ લખવાની સાથે જ મહાન વ્યક્તિઓ અને ગઢ કિલ્લાના નામથી દારૂની દુકાનના અથવા બિયર બારના નામ રાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આખરે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક કામે લાગ્યા, વિકાસને લગતા આટલા પ્રસ્તાવ કર્યા મંજૂર; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની સાત માર્ચ 2022ના મુદત પૂરી થઈ જતા પાલિકામાં પ્રશાસકના હાથમાં કારભાર છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને જ પ્રશાસક તરીકે નીમવામાં આવ્યા છે. પ્રશાસક તરીકે નીમાઈને આજે મહીનો થયો છે, ત્યારે રહી રહીને તેમણે મુંબઈના વિકાસને લગતા પ્રસ્તાવને મંજૂરી આપવાનું ચાલુ કર્યું છે.

ગયા અઠવાડિયામાં નાળાસફાઈના અને ખોદેલા રસ્તા પૂરવાના પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ બુધવારે તેમણે વધુ આઠ પ્રસ્તાવ મંજૂર કર્યા હતા, જેમાં આરોગ્ય ખાતાના ત્રણ તો સ્ટોર્મ વોટર (વરસાદી પાણીનો નિકાલ) ડ્રેનેજ લાઈનના ચાર પ્રસ્તાવ મંજૂર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શું ઓમીક્રોનનો XE સબ વેરિઅન્ટ મુંબઈમાં મળ્યો?, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહી આ વાત; જાણો વિગતે

ગયા અઠવાડિયાને નાળાસફાઈના અને ખોદી મૂકેલા રસ્તાને પૂરવાના પ્રસ્તાવ નિયમ બહાર જઈને મંજૂર કરવામાં આવ્યા હોવાના આરોપ થયા હતા. છતાં બુધવારે કમિશનરે સ્થાયી સમિતિએ જે 123 પ્રસ્તાવ રાખી મૂક્યા હતા, તેમાંથી 8 પ્રસ્તાવને મંજૂર કર્યા હતા.

પાલિકાની મુદત પૂરી થવા પહેલા સ્થાયી સમિતિમાં 380 પ્રસ્તાવ મંજૂરી માટે લાવવામાં આવ્યા હતા. તેથી 123 પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તેથી તેના પર પ્રશાસક તરીકે કમિશનર ઈકબાલસિંહ ચહેલે નિર્ણય લીધો હતો.

બુધવારે મંજૂર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આરોગ્ય ખાતાના અને ઓક્સિજન લિક્વિડયન પ્રસ્તાવ છે. તો બાકીના પ્રસ્તાવમાં મલાડ અને અંધેરીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના પ્રસ્તાવ છે. બહુ જલદી ટેન્ડર બહાર પાડીને તેના પર કામ ચાલુ કરવામાં આવવાનું છે.

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આ સરકારી ખાતાએ મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને લગાવી દીધા ધંધે…. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં જંબો કોવિડ સેન્ટર અને કોવિડ સેન્ટર ઊભા કરવામાં થયેલા ખર્ચા તથા સ્થાયી સમિતિ અધ્યક્ષની માલમત્તાના સંદર્ભમાં ઈન્કમટેક્સ ડિપાટર્મેન્ટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગી છે. તેથી પાલિકાના મોટાભાગના તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ તેને લગતી માહિતી ભેગી કરવાના કામમાં લાગી ગયા છે.  

કોવિડ સમયગાળામાં જંબો કોવિડ સેન્ટર અને કોવિડ સેન્ટર ઉભા કરવા માટે અને તેની માટે કરવામાં આવેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ભાજપે ફરિયાદ કરી હતી. ભૂતપૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ યશંવત જાધવની મિલિકતને લઈને પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી તમામ માહિતી મંગાવી છે. 

આ સમાચાર પણ વાંચો : ખાનગી એપ સંચાલિત ટેક્સીવાળાઓની દાદાગીરી થશે બંધ, બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ આદેશ… જાણો વિગતે

તેથી કોવિડ સમયગાળા સહિત 2018થી અત્યાર સુધી કરેલા વિકાસ કામ તેમ જ કોવિડ સેન્ટર માટે ખરીદેલા કરેલા કામને લગતી તમામ માહિતી પાલિકાના 24 વોર્ડ સહિત પાલિકા દરેક વિભાગ મારફત ભેગી કરવામાં આવી રહી છે. આ કામમાં મોટાભાગના કર્મચારીઓને લગાવી દેવામાં આવ્યા છે. યશવંત જાધવની મિલકતની તપાસ કર્યા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પણ નોટિસ મોકલી 2018થી અત્યાર સુધી મંજુર કરેલા કામની માહિતી મંગાવી છે. 

જે કોન્ટ્રાક્ટરોને પહેલી એપ્રિલ 2018થી બે માર્ચ 2022 સુધીના સમયગાળામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, તે સંદર્ભમાં પણ ઈન્કમટેક્સ ખાતાએ માહિતી મંગાવી છે. તેથી કમિશનરના આદેશ બાદ પાલિકાના સેક્રેટરીય ખાતા, એકાઉન્ટ્સ ખાતાથી લઈને તમામ ખાતાઓ દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હાશકારો.. ઓક્યુપન્સી સર્ટિફિકેટ વગરની ઈમારતોના રહેવાસીઓને BMCએ આપી આ રાહત; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઓક્યુપન્સી સર્ટિફિકેટ(ઓસી) નહીં ધરાવતી ઈમારતો પાસેથી મુંબઈ મહાનગરપાલિકા પાણી માટે બમણો દર વસૂલે છે. મુંબઈમાં આવી અસંખ્ય ઈમારતો છે, જેની પાસે ઓસી નથી. જોકે ટૂંક સમયમાં જ હવે ઓસી નહીં ધરાવતી ઈમારતોને પણ કાયદેસર રીતે પાણી મળશે. એટલે કે તેમને પણ પાણી માટે સામાન્ય દર જ ચૂકવવા પડશે.

પાણી નાગરિકોને મૂળભૂત અધિકાર છે અને ગેરકાયદે બાંધકામની સાથે તેને જોડી શકાય નહીં એ માન્ય રાખીને પાલિકાએ બધા માટે પાણી ધોરણ (વોટર પોલિસી) તૈયાર કર્યું છે, જેને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મંજૂરી આપી છે.

“માગે એને પાણી પાણી આપો” એવો આદેશ હાઈકોર્ટે થોડા સમય અગાઉ પાલિકાને આપ્યો હતો. ત્યાર બાદ પાલિકાએ વર્ષ 2000 પછીના ઝૂંપડાઓને પાણી આપવા માટે ધોરણ તૈયાર કર્યું હતું. હવે પાલિકા તેનાથી પણ આગળ જઈને વ્યાપક રીતે બધા માટે પાણી ધોરણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર!!! આખરે લોકલ ટ્રેનમાં તમામ મુંબઈગરાને પ્રવાસની છૂટ, સરકારે હટાવ્યા તમામ નિયંત્રણો.જાણો વિગતે

ભાજપના ભૂતપૂર્વ નગરસેવકે 11 જુલાઈ 2017માં પાલિકા સભાગૃહમાં ઓસી નહીં ધરાવતી ઈમારતના રહેવાસીઓ પાસેથી બમણો વેરો લેવાને બદલે માનવતાના ધોરણે સામાન્ય દરે વસૂલવાનો પ્રસ્તાવ મૂકયો હતો, જે બહુમતીએ મંજૂર થયો હતો. કમિશનરે પણ તેને માન્ય રાખી બધા માટે પાણીનું ધોરણ તૈયાર કર્યું હતું. તે મુજબ વર્ષ 2022-23ના બજેટમાં તે અમલ કરવા કહ્યું હતું.  

આ પોલિસીને અમલમાં મૂકવા પર કામ ચાલી રહ્યું છે. બહુ જલદી તેને લાગુ કરવામાં આવશે. તેથી બિલ્ડરની ભૂલને કારણે ઓસી વગરના ઈમારતના રહેવાસીઓ પાણી માટે હવે સામાન્ય દર જ ચૂકવવા પડશે.

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ચોમાસામાં મુંબઈગરા રામભરોસે.. ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે, ભાજપનો પાલિકા પ્રશાસન પર આરોપ; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દર વર્ષે માર્ચ મહિનામાં મુંબઈના નાળાસફાઈનું કામ ચાલું થઈ જતું હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે, છતાં હજી સુધી પાલિકા પ્રશાસને નાળાસફાઈના કામનો કોન્ટ્રેક્ટર આપ્યો નથી, તેથી સફાઈ કામનો આરંભ કર્યો નથી. તેથી આગામી ચોસાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે એવો આરોપ ભાજપે કર્યો છે. 

ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે અન્ય નેતાઓ સાથે ગુરુવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની મુલાકાત લઈને તેમને નાળાસફાઈના કામમાં થઈ રહેલા વિલંબ બાબતે ધ્યાન દોર્યું હતું.

સામાન્ય રીતે મુંબઈમાં ત્રણ તબક્કામાં નાળાસફાઈનું કામ ચાલુ થતું હોય છે. માર્ચર્થી મે સુધીમાં પહેલા તબક્કામાં 75 ટકા જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 15 ટકા અને ચોસાસા બાદ 20 ટકા નાળાની સફાઈ થતી હોય છે. આ વખતે એપ્રિલ ચાલુ થવાને આવી ગયો છે. છતાં મુંબઈના મોટાભાગના નાળાની સફાઈ ચાલુ થઈ હતી. મુંબઈમાં નાના-મોટા મળીને લગભગ 375 કિલોમીટર લંબાઈના નાળા છે.

આ સમાચાર પણ વાંચો :  રેલવેના પાટાને લાગીને રહેનારા થશે બેઘર, તેમના પુનર્વસનને લઈને ઈશાન મુંબઈના સાંસદે કરી આ માંગણી.. જાણો વિગતે

પાલિકા પ્રશાસનના અધિકારીના કહેવા મુજબ પાલિકાની મુદત સાત માર્ચના પૂરી થઈ ગઈ હતી. તેથી સ્થાયી સમિતિમાં નાળા સફાઈના પ્રસ્તાવ મંજૂર થઈ શક્યા નહોતા ફક્ત ઝોન સાતના જ નાળાસફાઈના કામનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. હવે પાલિકા પ્રશાસન પર નીમવામાં આવેલા પ્રશાસકના હાથમાં નાળાસફાઈના કામના કોન્ટ્રાક્ટ આપવાનું છે. બહુ જલદી તેના ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રેક્ટ આપવામાં આવશે અને ત્યારબાદ નાળાસફાઈના કામ ચાલુ થશે.

પાલિકા પ્રશાસનને એપ્રિલના કામ ચાલુ થશે એવો દાવો કર્યો છે ત્યારે  ભાજપે એવો આરોપ કર્યો છે કે નાળાસફાઈના કોન્ટ્રેક્ટ હજી આપવામા આવ્યા નથી. આગામી અઠવાડિયામાં ટેન્ડર બહાર પડે તો પણ 15 એપ્રિલ સુધી કામ ચાલુ થવાનું નથી. તેથી 15 એપ્રિલથી મે સુધીના દોઢ મહિનામાં મુંબઈના નાના-મોટા કુલ મળીને 375 કિલોમીટરના નાળાની સફાઈ કરવી એકદમ મુશ્કેલ કામ છે.

March 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai.

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે. 

શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. 

આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.  

હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….

March 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

BMC ફરી એક્શન મોડમાં.. રસ્તા પર બેવારસ રહેલા આટલા વાહનો કર્યા જપ્ત, અઠવાડિયામાં આપી ૩,૩૮૧ વાહનધારકોને નોટિસ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા ફરી એક વખત એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે મુંબઈમાં રસ્તા પર ગમે ત્યાં ત્યજી દેવામાં આવેલા બિનવારસ વાહનો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી નાખી છે. એક જ અઠવાડિયામાં  પાલિકાએ રસ્તા પર ત્યજેલા  ૭૮૨ વાહનો જપ્ત કર્યા છે.
રસ્તા પર રહેલા બેવારસ વાહનો સામે કાર્યવાહી કરવાની સત્તા કોવિડકાળમાં પાલિકાએ ટ્રાકિફ પોલીસને સોંપી હતી. કોવિડ નિયંત્રણમાં હોઈ હવે પાલિકા આ કાર્યવાહી કરવાની છે. પાલિકાના  અતિક્રમણ ખાતાએ આપેલા આંકડા મુજબ રસ્તા પર ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરનારા ૨,૩૮૧ વાહનધારકોને નોટિસ મોકલી હતી, તેમાંથી ૩૭૯ વાહનચાલકોએ નોટિસ મળ્યા બાદ જાતે વાહન હટાવ્યા હતા. તો ૩૧૪ ટુ વ્હીલર, ૨૮૬ થ્રી વ્હીલર ૧૮૨ ફોર વ્હીલર એણ કુલ ૭૮૨ વાહનો પાલિકાએ જપ્ત કર્યા છે. બાકીના ૧૨૨૦ વાહનો સામે હજી સુધી કોઈ એકશન લેવામાં આવી નથી. 

હાલ કોવિડ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની સાથે જનજીવન સામાન્ય થવાની સાથે જ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. પાલિકાને લાવારિસ વાહનોની ફરિયાદ મોટા પ્રમાણમાં આવી હતી. આ વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી હતી, તેથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રસ્તા પર ગમે ત્યાં લાવારિસ હાલતમાં છોડી મૂકવામાં આવેલા વાહનો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી! લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી ગઈ.. ટ્રેનોમાં કીડિયારું જમા થવા માંડ્યું. જાણો વિગતે

 મુંબઈ તમામ ૨૪ વોર્ડમાં જપ્ત કરેલા વાહનોની લિલામી કરવા માટે ૧૫ દિવસની અંદર આવશ્યક મંજૂરી લઈને શક્ય હોય એટલા જલદી તેને લિલામ કરવાની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે.

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના રસ્તા પરથી કાટમાળ નહીં હટાવનારી કંપનીનું આવું બનશે, નોંધાશે સીધી એફઆઈઆર; જાણો વિગત

by Dr. Mayur Parikh March 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ચોમાસા દરમિયાન રસ્તા પર કાટમાળને કારણે પાણી ભરાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC)  એલર્ટ થઈ ગઈ છે. મુંબઈમાં  જુદી જુદી યુટિલિટીઝ સર્વિસ આપનારી કંપનીઓ રસ્તા અને ફૂટપાથ ખોદયા બાદ તેનો કાટમાળ સમયસર નહીં ઉપાડે તો એવી કંપની સામે પોલીસમાં એફઆઈઆર (FIR) નોંધવાની પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે 

મુંબઈમાં જુદી જુદી યુટિલિટીઝ સર્વિસ એટલે કે પાઇપલાઇન દ્વારા ગેસ, કેબલ, વીજળી, ટેલિફોન સહિત અનેક સેવા આપનારી કંપનીઓ દ્વારા રસ્તા અને ફૂટપાથ ખોદવામાં આવતા હોય છે. ખોદકામ કર્યા બાદ અનેક વખત કાટમાળ રસ્તા પર પડયો હોય છે. સમયસર કાટમાળ હટાવતી ન હોવાને કારણે ચોમાસામાં તેને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ શકે છે. તેથી કામ થયા બાદ તાત્કાલિક કાટમાળ હટાવ્યો નહીં તો સંબંધિત કંપનીઓ સામે મુંબઈ પોલીસમાં એફઆઈઆર નોંધવાની સૂચના કમિશનરે પાલિકા અધિકારીઓને આપી છે.

 આ સમાચાર પણ વાંચો :ઉનાળામાં પણ જોવા મળશે ચોમાસાનો માહોલ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં આગામી 48 કલાક કમોસમી વરસાદનો વર્તારો: IMDએ જારી કર્યું આ ઍલર્ટ

મુંબઈ મહાનગરપાલિકાની સાત માર્ચના મુદત પૂરી થવાની સાથે જ તેનો કારભાર કમિશનર ઈકબાલસિંહ ચહલના હાથમાં આવી ગયો છે. રાજ્ય સરકારે તેમને પ્રશાસક તરીકે નીમ્યા છે. એ સાથે જ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. ચોમાસા પહેલા પાલિકા અધિકારીઓ અને જુદી જુદી એજેન્સીઓ સાથે ચોમાસા પહેલાની તૈયારી માટે એક બેઠક યોજી હતી, જેમાં સામાન્ય નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન થાય તેનું પૂરતું ધ્યાન આપવાની સૂચના આપી હતી, જેમાં ખાસ કરીને વરસાદી પાણી ઠેર ઠેર ભરાય નહીં તેના પર ખાસ ધ્યાન આપવા કહ્યું છે.

March 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક