Tag: burial

  • ઉર્ફી જાવેદ ને મર્યા પછી કબ્રિસ્તાન માં જગ્યા નહિ મળે, ફતવો બહાર પડ્યો, જાણો વિગતે

    ઉર્ફી જાવેદ ને મર્યા પછી કબ્રિસ્તાન માં જગ્યા નહિ મળે, ફતવો બહાર પડ્યો, જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાના કપડા પર એવો પ્રયોગ કરીને સામે આવે છે કે કોઈ પણ દંગ રહી જાય. જો કે ઉર્ફીને પણ આ અંગે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાના કપડાના કારણે ઉર્ફી જાવેદ અત્યાર સુધી ઘણા લોકોના નિશાના પર આવી ચુકી છે. તે જ સમયે, હવે ફરી એકવાર અભિનેત્રીની મુશ્કેલીઓ વધી રહી છે.જણાવી દઈએ કે અભિનેતા ફૈઝાન અંસારીએ ઉર્ફી વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્ફી જાવેદ સામે લડી રહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર આ મામલે જુહુ કબ્રસ્તાનમાં અરજી કરી છે.

     

    ફૈઝાન અન્સારીએ મીડિયા સાથે કરી વાતચીત 

    મીડિયા સાથેની વાતચીત દરમિયાન, ફૈઝાન અન્સારીએ કહ્યું, ‘મને ખૂબ જ શરમ આવે છે જ્યારે કોઈ કહે છે કે મુસ્લિમ છોકરી નગ્ન થઈને ફરે છે. ઉર્ફીએ ઇસ્લામનું અપમાન કર્યું છે, તેથી મેં વિનંતી કરી છે કે તેને કોઈપણ કબ્રસ્તાનમાં દફનાવવામાં ન આવે. હું તેની સામે અંત સુધી લડીશ. એટલું જ નહીં, ફૈઝાને ઉર્ફી જાવેદ ને નામ બદલવાની વાત કરી છે. ફૈઝાને કહ્યું, ‘જ્યારે ઉર્ફીનું મૃત્યુ થશે, ત્યારે તેને કબ્રસ્તાનમાં જગ્યા પણ આપવામાં આવશે નહીં. તે જે પ્રકારનાં કપડાં પહેરે છે તે સમગ્ર વિશ્વમાં મુસ્લિમોને બદનામ કરી રહી છે. જો તેણી કહે છે કે તે ઇસ્લામમાં વિશ્વાસ નથી કરતી, તો સૌ પ્રથમ તેનું નામ બદલો. જ્યારે કોઈ કહે કે મુસ્લિમ છોકરી આવા કપડાં પહેરે છે ત્યારે આપણને બહુ ખરાબ લાગે છે.ફૈઝાન અંસારીએ વધુમાં જણાવ્યું કે, તેણે દિલ્હીના મૌલાના અને મુંબઈના સિટી કાઝીને ફતવો જારી કરવા અંગે ફરિયાદ પણ કરી છે.

     

    આ પહેલા પણ ઉર્ફી વિરુદ્ધ કરવામાં આવી હતી ફરિયાદ 

    જણાવી દઈએ કે આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેના બોલ્ડ અને ખુલ્લેઆમ કપડાંના કારણે તમામ પ્રકારની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જો કે, દરેક વખતે અભિનેત્રી તેના વિશે બિન્દાસ રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, ફૈઝાન અન્સારીના આ નિવેદન પર ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા શું છે તે જોવાનું રહેશે.