• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - c.r. patil
Tag:

c.r. patil

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad
સુરત

Water conservation : કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ

by kalpana Verat March 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Water conservation : 

  • ‘જળસંચય જનભાગીદારી’ પહેલ હેઠળ ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામોમાં ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરના કામોનું ખાતમુહૂર્ત કરતા વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
  • એક વીઘા ખેતરમાં ૮થી ૧૦ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
  • જળસંચયની યોજના એ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે: પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ
  • ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામોમાં ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં સુશાસનમાં જનભાગીદારીથી જળસંચય મહાઅભિયાન હવે જનઆંદોલન બન્યું છે. આવનાર સમયમાં પાણીની સ્થિતિ વિકટ ન બને તે માટે દેશમાં સૌથી વધુ જળસંચયના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે. આ સાથે દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં આવ્યા છે.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

જળ સંગ્રહ માટે ડેમ બનાવવામાં હજારો કરોડનો ખર્ચ થાય છે, તેની સાથે ખેડૂતોની જમીન પણ કપાતમાં જતી હોય છે. અને સમયનો પણ વ્યય થાય છે. તેની સામે એક વીઘા ખેતરમાં ૮થી ૧૦ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે અને ખર્ચ પણ પોષાય તેવો થાય છે એમ જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

પોતાના ૭૧મા જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વન, પાણી પૂરવઠા રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના એક જ મહિનામાં દસ હજાર રેન વોટર હાર્વેસ્ટીંગના કામો પૂર્ણ કરવામાં આવશે. આવનાર સમયમાં જળસંચયની યોજના એ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. સાથે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો આ યોજનાનો હેતુ છે.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

વધુમાં મંત્રીશ્રી એ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં દરેક ગામમાં રિચાર્જ બોરનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કામાં દરેક ગામમાં ૧૦૦ વોટર રિચાર્જ બોર કરવાના કાર્યનો શુભારંભ થઈ ગયો છે. ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેચ ધ રેન અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બન્યું છે. ઓલપાડ તાલુકાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વપરાશ માટે પાણી ભૂગર્ભમાંથી લેવામાં આવતું હતું, જેનું TDSનું સ્તર ઘણું ઊંચુ હતું. ત્યાર બાદ દરેક ગામમાં દરિયામાં વહી જતું પાણી ભૂગર્ભમાં ઉતારવાથી અને જળસ્તર ઊંચા આવ્યા અને TDS નું પ્રમાણ પણ ઘટ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Narmada Water : દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું, રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશ અને રાજ્યમાં પાણીનો અભાવ પણ છે અને પાણીનો પ્રભાવ પણ છે. આવનાર સમયમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની બચત થાય તે પણ ખૂબ જરૂરી છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, સરકારે પાણીની બચત માટે સુજલામ સુફલામ યોજના અમલી બનાવી છે. આવનારી પેઢીને કોઈ ઉમદા ભેટ આપવી હોય તો સોસાયટી, ફળિયા, ગામતળમાં જ્યાં જગ્યા મળે ત્યાં વોટર રિચાર્જ ભૂગર્ભ બોર બનાવી જળસંચય ઝુંબેશમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર સહભાગી બનવા અને પાણીનો સદુપયોગ કરવા સૌને હાંકલ કરી હતી.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ સુમુલ ડેરી ડિરેક્ટર જયેશ પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, કિશન પટેલ, બ્રિજેશ પટેલ, લાલુભાઈ પાઠક, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો તેમજ વિવિધ ગામથી વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકો જોડાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Swachh Bharat Mission Jal Shakti Minister C.R. Patil holds review meeting with Karnataka and Haryana, takes note of progress made by both the states
રાજ્ય

Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી C.R. પાટીલની કર્ણાટક અને હરિયાણા સાથે સમીક્ષા બેઠક, બંને રાજ્યોએ કરેલી પ્રગતિની લીધી નોંધ

by khushali ladva January 8, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે નવી દિલ્હીમાં કર્ણાટક અને હરિયાણા રાજ્યો માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (એસબીએમ-જી)ની સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષામાં 2024-25 ના નાણાકીય વર્ષમાં બંને રાજ્યોએ કરેલી પ્રગતિની નોંધ લેવામાં આવી હતી, જેમાં હરિયાણાના 37% ગામો અને કર્ણાટકના 18% ગામોએ ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યું હતું.

રાજ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરતા શ્રી સી આર પાટિલે જણાવ્યું હતું કે, “હરિયાણા અને કર્ણાટક બંનેએ સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં પ્રગતિ કરી છે, પરંતુ જે ખામીઓ રહેલી છે તેને દૂર કરવી એ તેના સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યાંકો હાંસલ કરવા અને તેમના ગ્રામીણ સમુદાયો માટે સ્વચ્છ, તંદુરસ્ત વાતાવરણનું સર્જન કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.” મંત્રીશ્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન હેઠળ તેમના પ્રયત્નોને વધુ તેજ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત અભિયાનનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે હરિયાણા અને કર્ણાટકે દેશનાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મશાલચી બનવું પડશે, તેમની સિદ્ધિઓને જાળવી રાખવી પડશે અને સાથે-સાથે વધુ પ્રગતિને વેગ આપવો પડશે. તેઓએ આ ખામીઓને અસરકારક રીતે દૂર કરવા માટે વધુ લક્ષિત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.”

 

आज हरियाणा की स्वच्छ भारत मिशन-ग्रामीण (SBM-G) की प्रगति और चुनौतियों पर चर्चा के लिए एक महत्वपूर्ण बैठक आयोजित की। बैठक में हरियाणा के विकास एवं पंचायत मंत्री श्री @KrishanLPanwar जी भी शामिल हुए।

बैठक के दौरान राज्य में ODF प्लस मॉडल गांवों के निर्माण, वित्तीय व्यय की स्थिति… pic.twitter.com/e0Mk95x8YQ

— C R Paatil (@CRPaatil) January 7, 2025

Swachh Bharat Mission:  આ સમીક્ષામાં સમગ્ર રાજ્યોમાં મુખ્ય સીમાચિહ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતોઃ

હરિયાણા

• રાજ્ય સરકારે 6,619 ગામોમાંથી 6,419 (97 ટકા) ઓડીએફ પ્લસ અને 2,500 ગામો (37 ટકા) ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યા છે. આ ઓડીએફ પ્લસ મોડેલ ગામો પૈકી 1,855 ગામોની પણ ચકાસણી કરવામાં આવી છે. હરિયાણાએ તેના 76% ગામોમાં ગ્રે વોટર મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ કવરેજ હાંસલ કર્યું છે. સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સંપત્તિની કાર્યક્ષમતાની ખાતરી કરવા અને જમીની સ્તર પર તેની ઊંડી તપાસ કરવાનાં પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે 65 ટકા ગામડાઓમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અમલ કર્યો છે અને તેમાં 100 ટકા શૌચાલયોની સુવિધા અને તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

કર્ણાટક

• રાજ્યએ 4,873 ઓડીએફ પ્લસ મોડેલ ગામોના લક્ષ્યાંકને હાંસલ કર્યો છે અને તેના 99.3 ટકા ગામો હવે ઘન કચરાનું સફળતાપૂર્વક વ્યવસ્થાપન કરી રહ્યા છે. કર્ણાટક માર્ચ 2025 સુધીમાં તેના તમામ 26,484 ગામોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) પ્લસ મોડેલ સ્ટેટસ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. રાજ્યએ 1,905 ગામોને ફેકલ સ્લજ મેનેજમેન્ટ (એફએસએમ) સાથે જોડ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Antonio Costa: યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ PM મોદીએ સાથે ફોન પર વાત કરી

આગળ વધવાનો માર્ગ

કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ તેમના લક્ષ્યાંકો પર કામ કરવા માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

  • એ સુનિશ્ચિત કરવું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અસ્કયામતો, જેમ કે અલગીકરણ શેડ્સ અને કચરાના પરિવહનના વાહનો, સંપૂર્ણપણે કાર્યરત રહે
  • ફેકલ સ્લજ મેનેજમેન્ટ (એફએસએમ)માં રહેલી ખામીઓ દૂર કરવી અને એ સુનિશ્ચિત કરવું કે વધુ ગામડાંઓ ફેકલ સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એફએસટીપી) સાથે જોડાયેલા છે.
  • ગ્રેવોટર મેનેજમેન્ટ (જીડબ્લ્યુએમ) અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (પીડબલ્યુએમ)માં પ્રયાસોને વિસ્તૃત કરવા
  • વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય (IHHL)ના નિર્માણના લક્ષ્યાંકો તરફ ઝડપથી પ્રગતિ કરવી

હરિયાણાના વિકાસ અને પંચાયત મંત્રી શ્રી કૃષ્ણલાલ પંવાર, કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્ના, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને કર્ણાટકના આઈટી/બીટી મંત્રી શ્રી પ્રિયંક ખડગે, સચિવ (ડીડબલ્યુએસ) શ્રી અશોક કે કે મીના, જેએસ એન્ડ એમડી (એસબીએમ) શ્રી જિતેન્દ્ર શ્રીવાસ્તવ તથા રાજ્ય સરકારોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અંજુમ પરવેઝ, અધિક મુખ્ય સચિવ, આરડીપીઆર; શ્રી નાગેન્દ્ર પ્રસાદ કે. ડિરેક્ટર, આરડીડબલ્યુએસડી; શ્રી એજાઝ હુસૈન, મુખ્ય ઇજનેર; શ્રી એસ.સી. મહેશ, નાયબ સચિવ (વિકાસ); શ્રી જફર શરીફ સુતાર, નાયબ સચિવ (એડમિન); કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર પુલ તૈયાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jal Jeevan Mission achieved the historic achievement of 15 crore rural tap connections out of only 3 crore in a short span of 5 years.
દેશ

Jal Jeevan Mission: જલ જીવન મિશને 5 વર્ષના ટૂંકા ગાળામાં માત્ર 3 કરોડમાંથી 15 કરોડ ગ્રામીણ નળ જોડાણોની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

by Hiral Meria July 24, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Jal Jeevan Mission: નેશનલ જલ જીવન મિશન (જેજેએમ)એ  દેશભરમાં 15 કરોડ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો ( Tap water connections ) આપીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી આ મુખ્ય પહેલે પાંચ વર્ષનાં ટૂંકા ગાળામાં શરૂ થયા પછી ગ્રામીણ નળ જોડાણનું કવરેજ 3 કરોડથી વધારીને 15 કરોડ રૂપિયા કરીને અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલનું પ્રદર્શન કર્યું છે. 

આ પ્રસંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ( C. R. Patil ) આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો નેતૃત્વ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ સોનેરી સીમાચિહ્ને આપણા દેશવાસીઓને માત્ર શુદ્ધ પાણીની ભેટ જ નથી આપી, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ અનન્ય રીતે સુધારો કર્યો છે.”

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ વિકાસલક્ષી ભાગીદારો સાથે સહયોગ સાધીને જેજેએમ કેટલાંક મહત્ત્વપૂર્ણ સિમાચિહ્નો પર પહોંચ્યું છે. આજની તારીખે આઠ રાજ્યો – ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો – પુડુચેરી, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તથા આંદામાન અને નિકોબાર ટાપુઓએ 100 ટકા કવરેજ હાંસલ કર્યું છે. કેટલાક અન્ય રાજ્યો સારી પ્રગતિ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ પોતાને ‘હર ઘર જલ (એચજીજે)’ તરીકે ઓળખાવશે. બિહાર (96.08 ટકા), ઉત્તરાખંડ (95.02 ટકા), લદ્દાખ (93.25 ટકા) અને નાગાલેન્ડ (91.58 ટકા)એ એચજીજેનો દરજ્જો મેળવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

आज हमने माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में 15 करोड़ ग्रामीण घरों में शुद्ध जल पहुँचाने का ऐतिहासिक कीर्तिमान स्थापित किया है। यह हमारे देश के लिए एक महत्वपूर्ण उपलब्धि है और जल शक्ति मंत्रालय के अथक प्रयासों का प्रतिफल है।

हम एक ऐसे स्वर्णिम मील के पत्थर पर… pic.twitter.com/D1JUUOGHFI

— C R Paatil (@CRPaatil) July 23, 2024

આ ઉપરાંત, 2.28 લાખ ગામો અને 190 જિલ્લાઓમાં ‘હર ઘર જલ’ નોંધવામાં આવ્યું છે, જ્યારે 100 જિલ્લાઓ અને 1.25 લાખથી વધુ ગામો ‘હર ઘર જલ’ પ્રમાણિત છે. 23 જુલાઈ, 2024 સુધીમાં 5.24 લાખ ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે અને 5.12 લાખ ગ્રામ કાર્યયોજના (વીએપી) વિકસાવવામાં આવી છે, જેમાં જરૂરી પાણી પુરવઠા ( Water supply )  યોજનાના પ્રકાર, ખર્ચનો અંદાજ, અમલીકરણનો કાર્યક્રમ અને ઓએન્ડએમ વ્યવસ્થાની વિગતો આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  :  Ek Ped Maa Ke Naam: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

જેજેએમ સ્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી નિયમિતપણે પાણીના નમૂનાઓના સખત પરીક્ષણની ખાતરી આપે છે. પાણીના નમૂનાનું સમયસર પરીક્ષણ થાય તે માટે કુલ 2,163 પ્રયોગશાળાઓ છે. ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (એફટીકે)નો ઉપયોગ કરીને 24.59 લાખથી વધુ મહિલાઓને પાણીના નમૂનાના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. પીવાનું સુરક્ષિત પાણી હવે તમામ આર્સેનિક અને ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં ઉપલબ્ધ છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રોને પીવાલાયક પાણી પુરવઠાની વિશ્વસનીયતા અને ટકાઉપણા માટે તમામ પગલાં લેવાની સતત સલાહ આપવામાં આવી છે.

ઘરગથ્થું જોડાણો ઉપરાંત આ મિશને દેશભરમાં 9.28 લાખ (88.91 ટકા) શાળાઓ અને 9.68 લાખ (85.08 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, નળના પાણીની સુલભતા લોકાર્પણ સમયે 21.38 લાખ (7.80 ટકા) ઘરોથી વધીને 23 જુલાઈ 2024 ના રોજ 2.11 કરોડ (77.16 ટકા) ઘરો થઈ ગઈ છે.

‘હર ઘર જલ’ ( har ghar jal ) પહેલ નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો લાવી રહી છે, જે ગ્રામીણ વસ્તીને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, દરરોજ પાણી લાવવાના મુશ્કેલ કાર્યથી મુક્ત કરી રહી છે. જે સમયની બચત થઈ છે તે હવે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને બાળકોના શિક્ષણને ટેકો આપવા તરફ વાળવામાં આવે છે. જલ જીવન મિશન ગ્રામીણ જીવનના વિવિધ પાસાઓને સ્પર્શ કરીને ગ્રામીણ લેન્ડસ્કેપમાં ગહન પરિવર્તન લાવી રહ્યું છે. આ મિશન જીવનની ગુણવત્તાને વધારી રહ્યું છે, સ્વાસ્થ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે તથા સામુદાયિક સશક્તિકરણની ભાવના પેદા કરી રહ્યું છે, ત્યારે ગ્રામીણ જીવનને સાર્થક અને પરિપૂર્ણ બનાવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Water Power Minister Shri C. R. Patil reviewed the progress of Namami Gange Mission projects
દેશ

C. R. Patil: કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે નમામી ગંગે મિશન પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

by Hiral Meria June 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai  

C. R. Patil: કેન્દ્રીય જલ શક્તિ મંત્રી (  Ministry of Jal Shakti ) શ્રી સી. આર. પાટીલે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી તરત જ આજે નવી દિલ્હીમાં નમામી ગંગે મિશન પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. જલ શક્તિ રાજ્યમંત્રી ડૉ. રાજ ભૂષણ ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત સચિવ (જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર), સુશ્રી દેબાશ્રી મુખર્જી, મહાનિદેશક (રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન – એનએમસીજી), શ્રી રાજીવ કુમાર મિતલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું.

સમીક્ષા દરમિયાન એનએમસીજી ( NMCG ) દ્વારા અવિરલ ગંગા ઘટકના ભાગરૂપે વિકસાવવામાં આવેલી એન્વાયર્મેન્ટલ ફ્લોઝ (ઇ-ફ્લોઝ) મોનિટરિંગ સિસ્ટમનો પણ શ્રી પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ઇ-ફ્લો મોનિટરિંગ સિસ્ટમ પ્રયાગ પોર્ટલનો અભિન્ન ઘટક છે, જે પ્રોજેક્ટ્સના આયોજન અને નિરીક્ષણ, નદીના પાણીની ગુણવત્તા અને અન્ય મહત્ત્વપૂર્ણ માપદંડો માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ સેન્ટર છે. આ પોર્ટલ ગંગા તરંગ પોર્ટલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ ડેશબોર્ડ અને ગંગા ડિસ્ટ્રિક્ટ્સ પરફોર્મન્સ મોનિટરિંગ સિસ્ટમ જેવા ઓનલાઇન ડેશબોર્ડ્સ ધરાવે છે.

મંત્રીએ ( C. R. Patil ) નોંધ્યું હતું કે, આ પ્લેટફોર્મ ગંગા, યમુના અને તેમની સહાયક નદીઓની પાણીની ગુણવત્તાનું વાસ્તવિક-સમયનું વિશ્લેષણ કરવાની સુવિધા આપે છે તથા કેન્દ્રીય સ્તરે નમામિ ગંગે ( Namami Gange Programme ) કાર્યક્રમની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. ઓનલાઇન કન્ટિન્યુઅસ એફ્લુઅન્ટ મોનિટરિંગ સિસ્ટમ ( OCEMS  ) મારફતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી)ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમામ એસટીપી તેમની નિર્ધારિત ક્ષમતા પર કામ કરે છે. વિવિધ સ્થળોએ નદીના પાણીની ગુણવત્તા પર પણ નજર રાખવામાં આવે છે.

Union Water Power Minister Shri C. R. Patil reviewed the progress of Namami Gange Mission projects

Union Water Power Minister Shri C. R. Patil reviewed the progress of Namami Gange Mission projects

ઇ-ફ્લો મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ એ ગંગા નદીના ( Ganga River ) સતત અને સ્થાયી પ્રવાહને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ત્રિમાસિક અહેવાલોના ડેટાનો ઉપયોગ કરીને, સિસ્ટમ ગંગા મુખ્ય પ્રવાહના 11 પ્રોજેક્ટ્સમાં ઇન-ફ્લો, આઉટ-ફ્લો અને ફરજિયાત ઇ-ફ્લો જેવા મુખ્ય પરિમાણોને ટ્રેક કરશે.

આ સમાચાર   પણ વાંચો:  Jigra release date: આલિયા ભટ્ટ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ જીગરા ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

શ્રી પાટીલે નમામી ગંગે મિશન હેઠળ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં ગંગા અને તેની સહાયક નદીઓ સામેલ છે. તેમણે નવા પડકારોનું સમાધાન કરવા માટે નવીન સમાધાનોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો અને હાલમાં નદીના કાયાકલ્પ કાર્યક્રમો વિનાના વિસ્તારો માટે નવી વ્યૂહરચનાઓ અને દ્રષ્ટિકોણ વિકસાવવા માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ નમામિ ગંગે કાર્યક્રમ અંતર્ગત ગંગા નદીના અવિરત પ્રવાહ અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે સફાઇ યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.

પાર્શ્વ ભાગ

ભારત સરકારે તેના ગેઝેટ નોટિફિકેશન દ્વારા તા. 9થ ઓક્ટોબર, 2018માં ગંગા નદીનાં વિવિધ વિસ્તારો માટે લઘુતમ ઇ-ફ્લો વર્ષભર જાળવવા ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ જ નોટિફિકેશનમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)એ નદીના ઇકોલોજિકલ સંતુલનને જાળવવા, જળચર જીવનની સુરક્ષા કરવા અને પાણીના વપરાશની વિવિધ માગણીઓ વચ્ચે ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રવાહના સ્પેસિફિકેશન્સ રજૂ કર્યા છે.

Union Water Power Minister Shri C. R. Patil reviewed the progress of Namami Gange Mission projects

Union Water Power Minister Shri C. R. Patil reviewed the progress of Namami Gange Mission projects

ગંગાના ઉપરના તટપ્રદેશથી માંડીને તેના સંગમ સુધી અને તેનાથી આગળ, ઇ-ફ્લો નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કડક પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી વર્તમાન અને ભવિષ્યની બંને યોજનાઓને લાભ થાય છે. નિરીક્ષણ અને નિયમનકારી તંત્રો સાથે, ગંગાની ઇકોલોજિકલ સ્થિતિસ્થાપકતાને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત કરવામાં આવી રહી છે.

આ સમાચાર   પણ વાંચો:  Mobile Sim Cards: શું તમારા ફોનમાં 2 સિમ છે, સરકાર ચાર્જ લગાવી શકે છે! TRAI હવે નિયમોમાં મોટા ફેરફાર કરી શકે છે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. 

મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે(Gujarat Govt) તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ(BJP president) સી.આર. પાટીલે(C.R. Patil) પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી આ જાહેરાત કરી છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) આવી રહી છે, ત્યારે આદિવાસીઓના(tribes) રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :   શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે   

May 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક