• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Chaitra Navratri 2025
Tag:

Chaitra Navratri 2025

Chaitra Navratri 2025 Bhog List Offer These Items to Goddess Durga for Blessings
ધર્મ

Chaitra Navratri 2025 : ચૈત્ર નવરાત્રી 2025 ભોગ લિસ્ટ: નવરાત્રીના 9 દિવસ માં દુર્ગાને આ વસ્તુઓનો ભોગ લગાવો, મળશે આશીર્વાદ

by kalpana Verat April 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Chaitra Navratri 2025 :  નવરાત્રીના 9 દિવસ માં દુર્ગાના (Maa Durga) 9 સ્વરૂપોને તેમના પ્રિય ભોગ અર્પણ કરવાથી આશીર્વાદ મળે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ રહી છે. દરરોજ દેવીના અલગ-અલગ સ્વરૂપોની પૂજા અને ભોગ અર્પણ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે.

 Chaitra Navratri 2025 : માં દુર્ગાના 9 દિવસના ભોગ

1. પ્રથમ દિવસ: માં શૈલપુત્રી (Maa Shailputri) – ઘી (Ghee)
2. બીજો દિવસ: માં બ્રહ્મચારિણી (Maa Brahmacharini) – ખાંડ (Sugar)
3. ત્રીજો દિવસ: માં ચંદ્રઘંટા (Maa Chandraghanta) – દૂધ (Milk)
4. ચોથો દિવસ: માં કુષ્માંડા (Maa Kushmanda) – માલપુઆ (Malpua)
5. પાંચમો દિવસ: માં સ્કંદમાતા (Maa Skandamata) – કેળા (Bananas)
6. છઠ્ઠો દિવસ: માં કાત્યાયની (Maa Katyayani) – મધ (Honey)
7. સાતમો દિવસ: માં કાલરાત્રી (Maa Kalaratri) – ગોળ (Jaggery)
8. આઠમો દિવસ: માં મહાગૌરી (Maa Mahagauri) – નાળિયેર (Coconut)
9. નવમો દિવસ: માં સિદ્ધિદાત્રી (Maa Siddhidatri) – તલ (Sesame Seeds)

 Chaitra Navratri 2025 : માં કુષ્માંડા ની પૂજા વિધિ

 સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને તમારા પૂજન સ્થળને શુદ્ધ કરો. માં કુષ્માંડા ની પ્રતિમા અથવા ચિત્રને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. માંનું ધ્યાન કરીને તેમને આમંત્રિત કરો. આ ધ્યાન કરતી વખતે માંના દિવ્ય સ્વરૂપની કલ્પના કરો. ત્યારબાદ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. પછી માંને સુંદર વસ્ત્ર, ફૂલ, માળા અને આભૂષણ અર્પણ કરો. વિશેષ રૂપે, કુમ્હડો (કદૂ) નો ભોગ માંને અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. માંને ભોગમાં મિષ્ઠાન્ન, ફળ, નાળિયેર અને વિશેષ ભોગ અર્પણ કરો. માં કુષ્માંડા ને સફેદ વસ્તુઓનો ભોગ લગાવવો શુભ હોય છે. અંતે માંની આરતી ઉતારો અને તેમને દીપક, ધૂપ અને સુગંધ અર્પણ કરો.

આ સમાચાર પણ વાંચો: Chaitra Navratri 2025: બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

Chaitra Navratri 2025 :માં કુષ્માંડા ના મંત્ર

 या देवी सर्वभूतेषु मां कुष्मांडा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

 
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chaitra Navratri 2024 Chaitra Navratri 2024 Day 2, Maa Brahmacharini, Puja Vidhi, Mantra and Significance
ધર્મ

Chaitra Navratri 2025: બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

by kalpana Verat March 31, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 Chaitra Navratri 2025: નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તેમને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે.

 Chaitra Navratri 2025: માતા બ્રહ્મચારિણીની પૂજન વિધિ

 માતા બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો. પછી, માતાને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિસરી, સાકર અથવા પંચામૃત. સાથે જ, જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ પણ મંત્ર જપ કરી શકાય છે. પરંતુ માતા બ્રહ્મચારિણી માટે “ઊં ઐં નમઃ” નો જપ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

 Chaitra Navratri 2025: માતા બ્રહ્મચારિણીનો ભોગ

 નવરાત્રીના બીજા દિવસે માતાને સાકરનો ભોગ લગાવો અને ભોગ લગાવ્યા પછી ઘરના તમામ સભ્યોમાં વહેંચો. 

આ સમાચાર પણ વાંચો: Chaitra Navratri 2025: જાણો ઘટસ્થાપનાનો સમય, મા શૈલપુત્રીની પૂજા, મંત્ર અને ભોગ

 Chaitra Navratri 2025: માતા બ્રહ્મચારિણીની કથા

 પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતીએ દક્ષ પ્રજાપતિના ઘરમાં બ્રહ્મચારિણીના રૂપમાં જન્મ લીધો હતો. દેવી પાર્વતીનું આ સ્વરૂપ કોઈ સંત જેવું હતું. એક વખત તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરવાનો પ્રણ લીધો. તેમની તપસ્યા હજારો વર્ષો સુધી ચાલી. ભીષણ ગરમી, કડકડતી ઠંડી અને તોફાની વરસાદ પણ તેમની તપસ્યાનો સંકલ્પ તોડી શક્યા નહીં. કથા છે કે દેવી બ્રહ્મચારિણી ફક્ત ફળ, ફૂલ અને બિલ્વ પત્રની પાંદડીઓ ખાઈને જ હજારો વર્ષો સુધી જીવિત રહી હતી. જ્યારે ભગવાન શિવ માન્યા નહીં, તો તેમણે આ વસ્તુઓનો પણ ત્યાગ કરી દીધો અને ભોજન અને પાણી વિના તેમની તપસ્યાને ચાલુ રાખી. પાંદડીઓ ખાવાનું પણ છોડી દેવાના કારણે તેમનું એક નામ ‘અર્પણા’ પણ છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

March 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chaitra Navratri 2025 Live: Know Ghatsthapana Time, Worship of Maa Shailputri, Mantras, and Offerings
ધર્મMain Post

Chaitra Navratri 2025: જાણો ઘટસ્થાપનાનો સમય, મા શૈલપુત્રીની પૂજા, મંત્ર અને ભોગ

by Zalak Parikh March 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી મા દુર્ગાની ઉપાસનાનો પર્વ છે, જેની શરૂઆત 30 માર્ચથી થશે અને 6 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. જાણો ઘટસ્થાપનાનો સમય, વિધિ, પૂજા, મંત્ર, ભોગ વગેરે.  મા દુર્ગાની પૂજા-ઉપાસના માટે નવરાત્રીનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, એવી માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા ધરતી પર વસે છે અને મા પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે.

 

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપનાનો સમય 

પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રીની શરૂઆત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત રવિવાર, 30 માર્ચ 2025થી થઈ રહી છે અને 6 એપ્રિલ 2025ના રોજ તે સમાપ્ત થશે. પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે અને મા શૈલપુત્રીની પૂજા થાય છે. 30 માર્ચ 2025ના રોજ ઘટસ્થાપના માટે સવારે 06 વાગ્યાને 13 મિનિટથી લઈને સવારે 10 વાગ્યાને 22 મિનિટ સુધીનો સમય શુભ છે. આ ઉપરાંત અભિજીત મુહૂર્તમાં ઘટસ્થાપના માટે બપોરે 12 વાગ્યાને 01 મિનિટથી 12 વાગ્યાને 50 મિનિટનો સમય પણ શુભ રહેશે. આ બંને મુહૂર્તમાં ઘટસ્થાપના કરી શકાય છે.

 

 ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપનાની વિધિ 

ઘટસ્થાપના માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરી સાફ કપડા પહેરી લો, પછી મા દુર્ગાનું આહ્વાન કરો. હવે કલશ સ્થાપનાની તૈયારીઓમાં લાગી જાઓ. જે સ્થાપનામાં કલશ સ્થાપના કરવી છે, તેને સારી રીતે સાફ કરી લો. ઘટસ્થાપના અથવા કલશ સ્થાપના માટે શુદ્ધ માટીમાં જવ મિક્સ કરીને મા દુર્ગાની પ્રતિમાના બાજુમાં રાખો. તેના પર માટીનો કલશ રાખો અને તેમાં ગંગાજળ ભરી દો. હવે કલશમાં લવિંગ, હળદરની ગાંઠ, સુપારી, દુર્વા અને એક રૂપિયાનો સિક્કો નાખો.

આ સમાચાર પણ વાંચો : Hanuman ji Upay: હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો? આ અસરકારક ઉપાયો અપનાવો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે

પૂજા વિધિ

પછી ઉપરથી 5 કેરીના પાન રાખીને કલશ પર માટીનું ઢાકણ લગાવો. ઉપર ચોખા, ઘઉં અને નાળિયેર રાખો. નાળિયેર રાખતા પહેલા તેમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને લાલ રંગની ચુંદડી અથવા કોઈ કપડાથી લપેટો. કલશ સ્થાપના પછી મા દુર્ગા અને મા શૈલપુત્રીની પૂજા કરો. દેવીને સફેદ ફૂલ, સિંદૂર, કુમકુમ, અક્ષત, ભોગ વગેરે લગાવ્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને મંત્રોચ્ચાર કર્યા પછી આરતી કરો.

 

March 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક