News Continuous Bureau | Mumbai
Mumbai Crime: સોમવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના પાલઘર સ્ટેશન (Palghar Station) ના આરપીએફ કોન્સ્ટેબલે (RPF Constable) જયપુર (Jaipur) થી મુંબઈ (Mumbai) જતી ટ્રેનમાં ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આરપીએફ (RPF) ના એએસઆઈ (ASI) અને ત્રણ મુસાફરોના મોત થયા હતા. આરોપી કોન્સ્ટેબલ ચેતનની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલુ છે. દરમિયાન ટ્રેનમાં ચેતન સાથે તૈનાત અન્ય એક જવાને દાવો કર્યો છે કે ચેતને અગાઉ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં ચેતને તેની પાસેથી તેની રાઈફલ પણ છીનવી લીધી હતી. આથી તેણે ફાયરિંગ કર્યું હતું.
આરોપી ચેતન વિરુદ્ધ એફઆઈઆર (FIR) માં આરપીએફ કોન્સ્ટેબલ અમય ઘનશ્યામ આચાર્યનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં અમયે જણાવ્યું હતું કે 30મી જુલાઈના રોજ રાબેતા મુજબ હું મારા સાથીદારો સાથે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન (Saurashtra Mail Train) દ્વારા મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યો હતો. મારી પાસે 20 રાઉન્ડ સાથેની એઆરએમ (MRM) રાઇફલ હતી, ચેતન પાસે 20 રાઉન્ડ સાથેની એઆરએમ રાઇફલ હતી અને એએસઆઇ ટીકારામ મીણા પાસે 10 રાઉન્ડવાળી પિસ્તોલ હતી અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પરમાર પાસે 10 રાઉન્ડ સાથેની પિસ્તોલ હતી.
ઘનશ્યામ આચાર્યએ કહ્યું, “રાત્રે 02:53 વાગ્યે, અમે જયપુર મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પકડીને મુંબઈની અમારી મુસાફરી શરૂ કરી. એએસઆઈ ટીકારામ મીના અને ચેતનસિંહ AC કમ્પાર્ટમેન્ટમાં તૈનાત હતા. જ્યારે હું અને હેડ કોન્સ્ટેબલ સ્લીપર કોચમાં હતા.
ચેતને તેની નાદુરસ્ત તબિયતનું આપ્યુ કારણ
ઘનશ્યામ આચાર્યએ કહ્યું, “જ્યારે હું રિપોર્ટ સોંપવા ટીકારામના ડબ્બામાં ગયો તો તેણે કહ્યું કે ચેતનની તબિયત બગડી ગઈ છે. ચેતન કહી રહ્યો હતો કે તેને વલસાડ સ્ટેશને ઉતારી દો. જ્યારે ASI ટીકારામ મીણાએ તેમને સમજાવ્યું કે બે-ત્રણ કલાકની ડ્યુટી બાકી છે, મુંબઈ સુધી ટ્રેનમાં આરામ કરો. પરંતુ ચેતન સિંહ સાંભળવાના મૂડમાં ન હતો. આવી સ્થિતિમાં ટીકારામે પહેલા ઈન્સ્પેક્ટર અને પછી કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો. કંટ્રોલ રૂમને કહેવામાં આવ્યું હતું કે ચેતનને તેની ડ્યુટી પૂરી કરીને દવા કે આરામ માટે મુંબઈ જવાનું કહો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Rains: હવામાન વિભાગની આગાહી.. ઓગસ્ટમાં સામાન્યથી ઓછો વરસાદ… જાણો વરસાદની હાલ સ્થિતિ….
ચેતને ગુસ્સામાં રાઈફલ છીનવી લીધી
ઘનશ્યામ આચાર્યએ કહ્યું, “આ પછી પણ ચેતન માનવા તૈયાર નહોતો. આ પછી ટીકારામે કહ્યું કે હું ચેતનની રાઈફલ લઈ લઉં અને ચેતનને આરામ કરવા દઉં. આ પછી ચેતન ખાલી સીટ પર સૂઈ ગયો. પરંતુ તે 10-15 મિનિટમાં જ જાગી ગયો. આ પછી તેણે રાઈફલ માંગી તો મેં તે આપવાની ના પાડી દીધી. અનેકવાર પૂછ્યા બાદ ચેતને મારું ગળું દબાવ્યું હતું. એ પછી તેણે મારી રાઈફલ લઈ લીધી. જોકે, બાદમાં મેં તેને કહ્યું કે તે મારી રાઈફલ છે, તેથી તેણે રાઈફલ બદલી નાખી.
આચાર્યના કહેવા પ્રમાણે, “રાઈફલ કબજે કર્યા બાદ પણ ચેતન સિંહ ગુસ્સામાં હતો. તે જ સમયે એએસઆઈ ટીકારામ મીણા તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું પણ ચેતનને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ તે અમારી બંનેની વાત સાંભળતો નહોતો. તેથી મેં ત્યાંથી જવાનું નક્કી કર્યું. આ પછી ચેતન રાઈફલમાંથી ફાયરિંગ કરવાના મૂડમાં જોવા મળ્યો હતો. એટલે મેં ટીકારામને કહ્યું. તેઓ ચેતન પાસે જાય અને પ્રેમથી તેને શાંત રહેવા સમજાવે.”
ઘનશ્યામને જણાવ્યુ, “હું પેન્ટ્રી કારમાં ગયો. કોન્સ્ટેબલ કુલદીપ રાઠોડને લગભગ 05.25 વાગ્યે ફોન આવ્યો, તેણે જણાવ્યું કે ટીમના ઈન્ચાર્જ એએસઆઈ ટીકારામ મીણાને ગોળી મારી દેવામાં આવી છે. આ પછી મેં તરત જ આ અંગે હવાલદાર નરેન્દ્ર કુમારને જાણ કરી
ચેતને ટ્રેનમાં ગોળીબાર કર્યો
ઘનશ્યામ આચાર્યએ જણાવ્યુ, “તેણે કહ્યું કે ત્યારે જ સામેથી બે-ત્રણ મુસાફરો દોડી આવ્યા હતા. તેઓ ભયભીત દેખાતા હતા. ઘનશ્યામે એમ પણ કહ્યું કે મારી સાથે રહેલા ASI ટીકારામ મીણાને મારા સાથી ચેતન સિંહે ગોળી મારી દીધી હતી. મેં હવાલદાર નરેન્દ્ર પરમારને ફોન પર ઘટના વિશે જાણ કરી અને ખાતરી કરી કે તેઓ સુરક્ષિત છે.
ઘનશ્યામ આચાર્યએ કહ્યું, મેં જોયું કે ચેતન સિંહે પોતાની રાઈફલ ટ્રેન તરફ તાકી રાખી હતી. અને વચ્ચે વચ્ચે ફાયરિંગ પણ કરી રહ્યો હતો. મેં ગોળીબારના કેટલાક અવાજો સાંભળ્યા. હું થોડીવાર બાથરૂમમાં સંતાઈ ગયો. આ પછી ચેતન ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો હતો. તેના હાથમાં રાઈફલ હતી. લગભગ 15 મિનિટ પછી, જ્યારે ટ્રેન ફરી શરૂ થઈ, ત્યારે મેં જોયું કે મુસાફરોના મૃતદેહો લોહીના ખાબોચિયામાં પડેલા હતા. 06.20 ની આસપાસ ટ્રેન બોરીવલી સ્ટેશન પર ઊભી રહી અને હું નીચે ઉતર્યો. ટીકારામ મીના અને અન્ય લોકોને ત્યાં ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ટીકારામ મીનાએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
