Tag: christians

  • બાગેશ્વર ધામમાં થયો ચમત્કાર, એક સાથે આટલા બધા લોકોએ હિન્દુ ધર્મમાં કરી ઘરવાપસી

    બાગેશ્વર ધામમાં થયો ચમત્કાર, એક સાથે આટલા બધા લોકોએ હિન્દુ ધર્મમાં કરી ઘરવાપસી

    News Continuous Bureau | Mumbai

    મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં ફરી એકવાર આશ્ચર્યજનક ઘટના બની છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાગર જિલ્લાના તાપરિયાન, બાનાપુર, બમહોરી, ચિતોરા ગામોમાંથી નવકુંડિયા યજ્ઞના સમાપન પ્રસંગે આવેલા 220 લોકોની ઘરવાપસી કરાવી હતી. ઘરવાપસી કરનારા તમામ લોકો સાગર જિલ્લાના ગામના હોવાનું કહેવાય છે. બાગેશ્વધામ પર વિધિવિધાન સાથે તેમની ઘરવાપસી કરાવી હતી.

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અવસર પર બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઘરવાપસી કરવા આવેલા લોકોને પૂછ્યું હતું કે, આપના પર કોઈ પણ પ્રકારનું પ્રેશર તો નથી, શું આપ આપની ઈચ્છાથી આવ્યા છો. તેના પર લોકોએ હાથ ઉંચા કરી કહ્યું કે તેમના પર કોઈ પ્રેશર નથી. આ લોકો હિન્દુ જાગરણ મંચની મદદથી ઘરવાપસી કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ બધા ઈસાઈ બન્યા હતા. અમુક ઈસાઈ ધર્મ અપનાવી લીધો, કોઈ ચર્ચ જવા લાગ્યા હતા. કોઈને આ ધર્મ સારો લાગવા લાગ્યો હતો. આજથી ઘરવાપસી કરી રહ્યા છે. તેમણે ફરી કહ્યુ કે, વિશ્વમાં ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ, બાકી બધા પંથ છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ, સંજય રાઉતના 2,000 કરોડ રૂપિયાની ડીલના આક્ષેપ પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂછ્યા આ સવાલો

  • મીડિયા રિપોર્ટ પર ભડક્યા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ-કહ્યું- જજોને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે-જાણો શું છે સમગ્ર મામલો 

    મીડિયા રિપોર્ટ પર ભડક્યા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ-કહ્યું- જજોને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે-જાણો શું છે સમગ્ર મામલો 

    News Continuous Bureau | Mumbai

    દેશની સર્વોચ્ચ અદાલતમાં(Supreme court) એક મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી. વાય ચંદ્રચૂડે(Justice D. Y Chandrachud) મીડિયા પર આકરી ટિપ્પણી કરતા કહ્યુ કે, જજોને(Judges) ટાર્ગેટ કરવાની પણ એક મર્યાદા હોય છે. જજો તરફથી મામલાની સુનાવણી ન કરવા સાથે જોડાયેલા એક મીડિયા રિપોર્ટને લઈને તેમણે આ ટિપ્પણી કરી છે. 

    હકીકતમાં, વકીલ તરફથી મેન્શન એક કેસમાં માંગ કરવામાં આવી રહી હતી કે ઈસાઈયો(Christians) વિરુદ્ધ હિંસા(Violence) અને હુમલા(Attacks) વિરુદ્ધ દાખલ કેસનું લિસ્ટિંગ(Listing) કરી લેવામાં આવે. તેના પર જસ્ટિસ ચંદ્રચુડ એ કહ્યુ કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા હતા કે કેસને સુનાવણી માટે લેવામાં આવ્યો નથી. ત્યારબાદ જસ્ટિસ ચંદ્રચુડએ કહ્યુ, 'જજોને એક બ્રેક આપો. હું કોરોનાથી(Covid19) પીડિત હતો તેથી આ મામલો સ્થગિત થઈ ગયો હતો. મેં સમાચાર વાંચ્યા કે જજ આ કેસને લઈ રહ્યાં નથી. અમને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે' 

    ઉલ્લેખનીય છે કે આ મામલાની સુપ્રીમ કોર્ટમાં ૧૫ જુલાઈએ સુનાવણી થવાની હતી, પરંતુ બેંચ ઉપલબ્ધ ન હોવાને કારણે થઈ શકી નહીં. આ અરજી બેંગલોરના(Banglore) બિશપ ડો. પીટર મૈકાડો(Bishop Dr. Peter Macado) તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશભરમાં ઈસાઈ પાદરિયો(Christian priest) અને તેની સંસ્થાઓ પર હુમલા અને તેના વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ઝડપથી વધી છે. તેમના તરફથી દાખલ અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી કે તે ઈસાઈયો વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને રોકવા માટે તંત્ર અને રાજ્ય સરકારોને(State govt) આદેશ આપે.

    આ સમાચાર પણ વાંચો : સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ 

    બિશપનું કહેવું હતું કે ઈસાઈયો વિરુદ્ધ થઈ રહેલી હિંસક ઘટનાઓની તપાસ માટે એસઆઈટીની(SIT) રચના થવી જાેઈએ અને તેના સભ્યો તે રાજ્યની બહારના હોવા જોઈએ, જ્યાંનો તે કેસ છે. એટલું જ નહીં તેમનું કહેવું હતું કે ઘણા મામલામાં એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો, પરંતુ પીડિતો વિરુદ્ધ જ કાઉન્ટર એફઆઈઆર દાખલ કરાવી દેવામાં આવી.  

    નોંધનીય છે કે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે આજકાલ એજન્ડાની સાથે ડિબેટ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને ટીવી મીડિયા અને સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે અહીં ખોટી જાણકારી કે અડધું સત્ય પીરસવામાં આવે છે, જે લોકતંત્રને બે ડગલા પાછળ લઈ જાય છે.

  • હવે ખ્રિસ્તી સમાજ પણ ભડક્યો, બિશપે કહ્યું : મુસલમાનો ખ્રિસ્તી છોકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે; જાણો વિગત

    હવે ખ્રિસ્તી સમાજ પણ ભડક્યો, બિશપે કહ્યું : મુસલમાનો ખ્રિસ્તી છોકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

    શનિવાર

    દિવસે ને દિવસે લવ જિહાદનો મુદ્દો વધુ ને વધુને વકરી રહ્યો છે. હિંદુ ધર્મની છોકરીઓને પ્રેમમાં ફસાવીને તેને મુસ્લિમ ધર્મમાં વટલાવવાના બનાવ વધી રહ્યા છે, ત્યાં હવે ખ્રિસ્તી ધર્મની છોકરીઓને પણ પ્રેમમાં ફસાવીને તેમને વટલાવી આતંકવાદમાં ઘસેડવામાં આવતી હોવાની ચોંકાવાનારી વિગત બહાર આવી છે. હાલમાં જ કેરળમાં કૅથલિક બિશપે રાજ્યમાં ખ્રિસ્તી યુવતીઓને મોટા પ્રમાણમાં લવ જિહાદ અને નાર્કોટિક જિહાદમાં ફસાવવામાં આવી રહી હોવાનું ચોંકવનારું નિવદેન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું હતું કે જ્યાં હથિયારોનો ઉપયોગ થતો નથી, ત્યાં ચરમપંથીઓ અન્ય ધર્મની યુવતીઓને ફોસલાવીને બરબાદ કરી રહ્યા છે. જિહાદી પ્રેમ અને યેન કેન પ્રકારેણ બીજા ધર્મની મહિલાઓનો દુરપયોગ કરીને આતંકી ગતિવિધિઓમાં તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમનો ઉદેશ્ય પોતાના ધર્મનો ફેલાવો કરવાનો અને ગેરમુસ્લિમોને ખતમ કરી નાખવાનો છે. ચરમપંથીઓની આ યુદ્ધની રણનીતી છે.

    કમાલ છે! કેવી અક્કલ ચાલે છે દાણચોરીની, દાંત જ સોનાના કરાવ્યા, પકડાયો, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

    સાયરો માલાબાર ચર્ચ સાથે જોડાયેલા પાલા બિશપ માર જોસેફે કલ્લારનગટ્ટે એવો પણ આરોપ કર્યો હતો કે લવ જિહાદ હેઠળ ગેરમુસ્લિમ યુવતીઓ ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમનું ધર્માંતર કરવામાં આવી રહ્યું છે.આ યુવતીઓનું શોષણ કરવામાં આવે છે તેમ જ આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે.