• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cities
Tag:

cities

Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities
રાજ્ય

Gujarat CM Big Decision : મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સર્વગ્રાહી વિકાસ માટે આટલા કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી

by kalpana Verat April 21, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Gujarat CM Big Decision : 

* નવરચિત મહાનગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ-સીટી બ્યુટીફિકેશન જેવા કામો માટે 585.53 કરોડ
*રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ
નવરચિત મહાનગર પાલિકાઓમાં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાંથી 39 કરોડ રૂપિયા અપાશે
*સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

તદઅનુસાર, નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની CNG બસોના સંચાલન માટે 2025થી 2027ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચાર ટી પી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક ના કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે. આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : MEMU Train : અસારવા-ચિતોડગઢ રૂટ પર મેમુ ટ્રેનનો પ્રારંભ, ધારાસભ્ય-સાંસદોની ઉપસ્થિતિમાં અપાઈ લીલી ઝંડી

રાજ્યની સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટેના ગુજરાતના વિકાસ વિઝનમાં નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, વધુ સારો અનુભવ અને શહેરોને સક્રિય, સ્માર્ટ અને ટકાઉ તેમજ ગતિશીલ શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની બાબતોને કેન્દ્ર સ્થાને રાખતાં આ 1202.75 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Property prices have reached the sky in these cities of the world, the names of these two cities of India are in the top 5 report.
આંતરરાષ્ટ્રીયવેપાર-વાણિજ્ય

Global Housing Prices: વિશ્વના આ 5 શહેરોમાં મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો, ભારતના 2 શહેરોનો પણ થાય છે સમાવેશઃ રિપોર્ટ

by Bipin Mewada June 14, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai  

Global Housing Prices: વિશ્વના સૌથી મોંઘા મકાનો ( Expensive houses ) ધરાવતા શહેરોની યાદી હવે જાહેર કરવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દિલ્હી-મુંબઈ જેવા ભારતના મેટ્રો શહેરોના ( metro cities ) લોકો માટે હવે આ શહેરોમાં ઘર ખરીદવું અત્યંત મોંઘું થઈ ગયું છે. શું તમે જાણો છો કે આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન મકાનોની કિંમતોમાં થયેલા વધારાના સંદર્ભમાં, વૈશ્વિક સ્તરે ટોચના 44 શહેરોમાં મુંબઈ ત્રીજા અને દિલ્હી પાંચમા સ્થાને છે. ગયા વર્ષના સમાન સમયગાળાના રિપોર્ટમાં મુંબઈ છઠ્ઠા અને દિલ્હી 17મા ક્રમે હતું. મતલબ છે કે, ટોપ 5 શહેરોમાંથી ( cities ) બે શહેરો ભારતના છે. 

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની નાઈટ ફ્રેન્કના ( knight frank ) એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. નાઈટ ફ્રેન્કનો રિપોર્ટ દર્શાવે છે કે ઘરની કિંમતોમાં ( Housing Prices ) વધારાના સંદર્ભમાં દિલ્હીએ ( Delhi ) મોટી છલાંગ લગાવી છે કે, કારણ કે આ યાદીમાં દિલ્હી ગયા વર્ષે 17મા સ્થાને હતું. જ્યારે આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દિલ્હી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે, આર્થિક રાજધાની મુંબઈ ( Mumbai ) ગયા વર્ષે છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયું છે.

Global Housing Prices: ઘરની કિંમતોની દ્રષ્ટિએ, મનીલા 26.2 ટકાના વાર્ષિક વધારા સાથે પ્રથમ ક્રમે છે..

ઘરની કિંમતોની દ્રષ્ટિએ, મનીલા 26.2 ટકાના વાર્ષિક વધારા સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ટોક્યો 12.5 ટકાના વાર્ષિક વધારા સાથે બીજા ક્રમે છે. નાઈટ ફ્રેન્કે તેના રિપોર્ટ પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ Q1, 2024માં જણાવ્યું છે કે માર્ચ ક્વાર્ટરમાં મુંબઈમાં પ્રાઇમ રેસિડેન્શિયલ સેગમેન્ટના ( prime residential prices ) ભાવમાં વાર્ષિક 11.5 ટકાનો વધારો થયો હતો. 

આ સમાચાર  પણ વાંચો: C. R. Patil: કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે નમામી ગંગે મિશન પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

જો કે, 2024ના પ્રથમ ક્વાર્ટરમાં બેંગલુરુનું રેન્કિંગ ઘટ્યું હતું અને તે 17મા ક્રમે રહ્યું હતું. ગયા વર્ષે સમાન સમયગાળામાં બેંગલુરુ 16માં નંબરે હતું. જાન્યુઆરી-માર્ચમાં બેંગલુરુમાં મકાનોની કિંમતમાં 4.8 ટકાનો વધારો નોંધાયો હતો.

નાઈટ ફ્રેન્કે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ ( PGCI ) એ વેલ્યુએશન-આધારિત ઈન્ડેક્સ છે. જે તેના વૈશ્વિક સંશોધન નેટવર્કમાંથી ડેટાનો ઉપયોગ કરીને વિશ્વના 44 શહેરોમાં મુખ્ય ઘરની કિંમતોની હિલચાલને ટ્રેક કરે છે. નાઈટ ફ્રેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિવેદન આપતા જણાવ્યું હતું કે, રહેણાંક મિલકતની મજબૂત માંગનું વલણ વૈશ્વિક ઘટના છે.

 

June 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
L&T Finance in Gujarat raised Rs. Disbursed SME loans of over 400 crores in the first year of operations
વેપાર-વાણિજ્ય

એલએન્ડટી ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારશે

by Dr. Mayur Parikh May 23, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) 30 જૂન, 2023ના રોજ પૂરા થનારા વર્તમાન ત્રિમાસિક ગાળામાં તેના એસએમઈ ફાઇનાન્સ બિઝનેસને 50 થી વધુ શહેરોમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. નાણા વર્ષ 2022 દરમિયાન મુંબઈ અને પુણે શહેરોમાં પાઇલટ તરીકે એસએમઈ ફાઇનાન્સ બિઝનેસ શરૂ કરાયો હતો અને તેમાં છેલ્લા નાણાકીય વર્ષમાં સાતત્ય વેપાર જોવા મળ્યો છે.

વ્યવસાય સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને વ્યવસાયોની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને સંબોધિત કરવા માટે કામ કરે છે અને એલએન્ડટી ફાઇનાન્સને ટોચની-કક્ષાની ડિજિટલી સક્ષમ રિટેલ ફાઇનાન્સ કંપની તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય 2026ના લક્ષ્યને આગળ ધપાવે છે.

માર્કેટ પ્રેક્ટિસથી વિપરીત, કંપનીએ તેની હાલની મજબૂત ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓના આધારે તેની ઓફરને સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા તરીકે સ્થાન આપ્યું છે. આમ, એવા બજારમાં જ્યાં નાના અને મધ્યમ ઉદ્યોગોને રોકડ પ્રવાહની અનુમાનિતતાની જરૂર હોય છે, એલએન્ડટી ફાઇનાન્સ લોન અરજી પર ત્વરિત મંજૂરી અથવા અસ્વીકાર અપડેટ પ્રદાન કરવા સક્ષમ છે. એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રક્રિયાએ કંપનીને તેના ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુશન ચેનલના ઝડપી વિસ્તરણમાં મદદ કરવા ઉપરાંત ડિફરન્સિયલ ટર્નઅરાઉન્ડ ટાઇમ ઓફર કરવાની પણ મંજૂરી આપી છે.

આ વિષય પર બોલતા એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપ હંમેશા રાષ્ટ્ર નિર્માણ સાથે સંકળાયેલું રહ્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો આપણા દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સૌથી મોટા ફાળો આપનારાઓમાંના એક છે. આ સેગમેન્ટમાં અમારી ડિજિટલ ઑફરિંગ, વધુ મહત્ત્વપૂર્ણ રીતે ટિયર II શહેરોમાં જ્યાં અમે એસએમઈને તેમની વૃદ્ધિની યાત્રામાં મદદ કરવાની યોજના બનાવીએ છીએ, તે ‘Fintech@Scale’ બનવાના અમારા લક્ષ્ય 2026ના સંકલ્પને અનુરૂપ છે. મને એ પણ વિશ્વાસ છે કે લોન લેનારાઓ સાથેની આ ભાગીદારી દેશને તેની પોતાની રીતે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં મદદ કરશે.”

આ સમાચાર પણ વાંચો:  RBI એ ₹ 2,000 ની નોટો પાછી ખેંચી લીધા પછી , Zomato માં 72 ટકા ગ્રાહકો 2000 ની નોટ પકડાવે છે.

ગ્રાહકની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવાના માર્ગદર્શક સિદ્ધાંત સાથે, કંપનીએ નવેમ્બર 2022માં તેના ગ્રાહકો માટે ડ્રોપલાઇન ઓવરડ્રાફ્ટ ઓફર શરૂ કરી છે, જે ગ્રાહકોને ડે-ટુ-ડેની રોકડ જરૂરિયાતને પૂરી કરવા માટે પૂર્વ-ચુકવણી અને લોન ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી આપે છે. આ ઉમેરાથી કંપનીને વિતરણમાં સતત વધારો કરવાની મંજૂરી મળી છે. હાલમાં, કંપની મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદના મુખ્ય બજારો સહિત 16 શહેરોમાં એસએમઈ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે.

ટાયર – II શહેરોમાં એસએમઈ ગ્રાહકોની જરૂરિયાતોને સંબોધવા માટે, કંપની મોટા ભૌગોલિક વિસ્તરણની રાહ જોઈ રહી છે કારણ કે તે આ વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ વૃદ્ધિ માટેનું બળ છે. કંપની પટણા, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ સહિત 50 શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

આ ઉપરાંત, કંપની આ નાણાકીય વર્ષમાં તેની ડાયરેક્ટ ટુ કસ્ટમર (D2C) એપ્લિકેશન – પ્લેનેટ એપ દ્વારા – તેની સીધી ચેનલ ઓફરિંગ વધારવા માટે પણ કામ કરશે.

એલએન્ડટી ફાઇનાન્સની આ પ્રોડક્ટ મુખ્યત્વે નાના વ્યવસાયો અને પ્રેક્ટિસિંગ પ્રોફેશનલ્સ જેવા કે ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેને સર્વિસ પૂરી પાડે છે અને રૂ. 50 લાખ સુધીની લોનનું વિતરણ કરે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો અને વ્યાવસાયિકો કંપનીની વેબસાઈટ અથવા ઈમેલ દ્વારા અથવા નજીકની એલએન્ડટી ફાયનાન્સ શાખાની ફિઝીકલી મુલાકાત લઈને ડિજિટલ રીતે લોન માટે અરજી કરી શકે છે.

May 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Famous street food of india
વધુ સમાચાર

ભારતના આ શહેરોમાં મળે છે સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, જાણો અહીં દરેક વિગતો

by Dr. Mayur Parikh January 30, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈનો વડાપાવ

મુંબઈની વાત આવે ત્યારે સૌથી પહેલા વડાપાવનું નામ આવે છે. તેને બર્ગરની દેશી શૈલી પણ કહી શકાય. ખૂબ ઓછા રૂપિયામાં મળતા વડાપાવ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ સાથે તળેલા લીલા મરચા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

દિલ્હીના છોલે ભટુરે

જો કે છોલે ભટુરે પંજાબની પ્રખ્યાત વાનગી છે, પરંતુ દિલ્હીની છોલે ભટુરે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. વિરાટ કોહલીને પણ દિલ્હીના છોલે ભટુરે ખાવાનું પસંદ છે.

ઈન્દોરના પોહા

લોકો ઘણીવાર નાસ્તામાં હળવો ખોરાક પસંદ કરે છે. આવી સ્થિતિમાં ઈન્દોરના પોહા બેસ્ટ ઓપ્શન છે. દરેક જગ્યાએ લોકો પોહા ખાવાનું પસંદ કરે છે.

આ સમાચાર પણ વાંચો:  1 ફેબ્રુઆરીથી 6 નિયમો બદલાશે, સામાન્ય જનતાને નવા નિયમ કેટલી કરે છે અસર?

જયપુરની કચોરી

જો તમે કચોરી ખાવાના શોખીન છો તો તમે જયપુર જઈને માવા, ડુંગળી અને દાળ કચોરી ટ્રાય કરી શકો છો. તેનો સ્વાદ તમને ખૂબ જ ગમશે.

કોલકાતાનો કાથી રોલ

કાઠી રોલ પ્રેમીઓ માટે કોલકાતા શ્રેષ્ઠ શહેર છે. અહીંના કાથીના રોલ ખૂબ પ્રખ્યાત છે.

પટનાની બાતી ચોખા

જેમને બાતી ચોખા ગમે છે તેઓ બિહાર જઈને તેનો આનંદ લઈ શકે છે. લીલી ચટણી અને ડુંગળી તેનો સ્વાદ વધારે છે.

ઇડલી સાંભાર

સાઉથની સૌથી ફેમસ ડિશ ઈડલી સાંભાર દેશભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. જેના કારણે તેને પસંદ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  રેસિપી / નાસ્તામાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલની થાલીપીઠ બનાવો, દરેકને ગમશે મસાલેદાર સ્વાદ

January 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra to Witness Cold Wave From Jan 29-These Cities to be Worst Hit
રાજ્યMain Post

હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો

by Dr. Mayur Parikh January 26, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ( Maharashtra  ) અનેક ભાગોમાં હાલ કડકડતી ઠંડી ( Cold Wave ) પડી રહી છે. દરમિયાન રાજ્યમાં હવે ઠંડીની સ્થિતિને જોતા હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સપ્તાહે રાજ્યમાં ( Cities  ) શીત લહેર આવે તેવી શક્યતા છે.

મુંબઈમાં પણ પડશે ઠંડી –

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે કોલ્ડવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. તેમજ મુંબઈમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતા નીચે જઈ શકે છે. તેમ જ આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થશે. જો કે આ સાથે દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે બરાબર શું કહ્યું –

હાલ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે 29 જાન્યુઆરી પછી મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ કોલ્ડવેવ 2 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં પહેલી વખત દોડી અંડરગ્રાઉન્ડ મેટ્રો, જુઓ વિડિયો..

પાકને પણ અસર થશે –

દરમિયાન ઉત્તર મહારાષ્ટ્રમાં હજુ પણ ઠંડીનો જોર યથાવત છે. તાપમાનમાં ઘટાડો થતાં રવિ સિઝનના પાક પર તેની અસર જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ડુંગળીના પાકને અસર થઈ છે. જેથી ખેડૂત ચિંતિત છે. ઘઉં, ચણા, મકાઈના પાકને પણ આ વાતાવરણની અસર થશે, તેથી એવું અનુમાન છે કે ઉત્પાદનમાં ઘટાડો થશે.

January 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોંઘવારીની અસર- દેશના આ આઠ મોટા શહેરોમાં ૭-૮૫ લાખ આવાસ વેચાયા વગરના- મુંબઈ સૌથી મોખરે- જાણો આંકડા 

by Dr. Mayur Parikh October 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કાળના(Corona period)  અંત બાદ અર્થતંત્રમાં રીકવરીના સંકેત વચ્ચે એક તરફ ફુગાવાની ચિંતા છે અને બીજી તરફ આ સ્થિતિનો મુકાબલો કરવા માટે ભારત સહિતની વિશ્વની બેન્કો વ્યાજદરમાં વધારો કરી રહી છે, જેના કારણે માંગ પર અસર થશે અને વિશ્વમાં મંદીના પણ ભણકારા છે. જેની સૌથી મોટી અંતર રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી છે અને દેશભરમાં રીયલ એસ્ટેટ પાસે ૭.૮૫ લાખ ઘરો વેચાયા વગરના પડયા છે. જે વેચાતા પૂરા ૩૨ માસ લાગી શકે છે.

પ્રોપરાઈટરના એક રિપોર્ટ મુજબ આમ્રપાલી, જેવી ઇન્ફ્રાટેક તથા યુનિટેક સહિતના અનેક મોટા બિલ્ડર્સ ડિફોલ્ટ થતા દિલ્હી અને એનસીઆરમાં ૧ લાખથી વધુ ઘરો વેચાયા વગરના છે જે સ્ટોક પૂરો કરતા પાંચ વર્ષનો સમય લાગશે અને દેશમાં સપ્ટે. ૨૨માં ૭.૮૫ લાખ ઘરો જે વેચાયા વગરના પડયા છે. તેમાં વધારો થતો જાય છે. ઓગષ્ટ માસમાં આ સંખ્યા ૭.૬૩ લાખની હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ NCBની મોટી કાર્યવાહી- ગુજરાત અને મુંબઈમાંથી અધધ આટલા કરોડનું 60 કિલો MD ડ્રગ્સ કર્યું જપ્ત- જુઓ વિડીયો  

અમદાવાદમાં ૬૫૧૬૦ આવાસ વેચાયા વગરના છે જે ૩૦ માસનો સ્ટોક હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કરોડોની કિંમતના પોશ આવાસ વેચાય છે પણ મધ્યમ કિંમતના ૨.૭૨ લાખ ફલેટ ખાલી છે. જે ૩૩ માસનો સ્ટોક છે. જોકે હવે રેડી ટુ મુવ હાઉસીંગ સેગમેન્ટમાં માંગ વધુ છે. લોકો લાંબી રાહ જોવા તૈયાર નથી. 

October 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 2, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) આગામી વર્ષમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લગભગ 15,000થી વધુ ઘર બાંધવાની છે.

મ્હાડાના 2022-23નું 10,764.99 કરોડ રૂપિયાનું બજેટ છે. બજેટમાં મુંબઈ, પુણે, નાસિક, નાગપુર, અમરાવતી, ઔરંગાબાદ, કોંકણ પ્રાદેશિક બોર્ડ દ્વારા કુલ 15 હજાર 781 ફ્લેટ બનાવવાનો પ્રસ્તાવ છે. આ માટે બજેટમાં 7019.39 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ બોર્ડ માટે 2022-23ના બજેટમાં રૂ. 3738.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ તેમાં 4,623 ફ્લેટ બાંધવાની દરખાસ્ત છે. બોર્ડે BDD પ્લોટની પુનઃવિકાસ યોજના માટે રૂ. 2132.34 કરોડ ફાળવ્યા છે. એન્ટોપ હિલ વડાલા ખાતે આવાસ યોજના માટે રૂ. 29 કરોડ, બોમ્બે ડાઇંગ મિલ વડાલા યોજના માટે રૂ. 64 કરોડ, કોપરી પવઇ ખાતે આવાસ યોજના માટે રૂ. 145.54 કરોડ, મગાથાણે બોરીવલી ખાતે આવાસ યોજના માટે રૂ. 50 કરોડ, ખડકપાડા દિંડોશી ખાતે આવાસ યોજના માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! મુંબઈની આ સ્કૂલોમાં ભણાવાશે શેર બજારના પાઠ, જાણો વિગતે

કોંકણ બોર્ડ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1971.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્તક નગર ખાતે પોલીસ કોલોનીના પુનઃવિકાસ માટે બજેટમાં રૂ.200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મફતલાલ (જિ. થાણે)માં જમીન સંપાદન અને જમીન વિકાસ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1002.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

April 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક