• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - citizens
Tag:

citizens

Drive against plastic Citizens used more than one lakh cloth bags through Bag ATM in just 200 days
રાજ્ય

Drive against plastic: સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

by kalpana Verat July 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Drive against plastic: 

• મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ૨૬૦ કાપડની બેગના નવા વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું
• નવા સ્થાપિત બેગ વેન્ડીંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ કાપડની બેગનું વિતરણ
• મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સ્વ સહાય જુથ પાસેથી બેગની ખરીદી
• રાજ્યના મહત્વના ૧૩ ધાર્મિક સ્થળોએ 30 બેગ વેન્ડીંગ મશીન મુકાયા
• કાપડના બેગ વિતરણ મશીનોની માહિતી માટે ‘પ્રતીગ્યા લાઇવ ડેશબોર્ડ’ વિકસાવાયું
********
આપણા સૌના જીવનમાં પર્યાવરણ કેટલું મહત્વનું છે તે હવે આપણે સૌ સમજી ગયા છે. તેને બચાવવા માટે પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યાં છીએ. પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટીક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટીક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મુકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર ૨૦૦ દિવસમાં એક લાખથી વધુ નાગરીકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કર્યો છે.

Drive against plastic  મંદિરોમાં કાપડની થેલીમાં પ્રસાદની સુવિધા

ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિના નવા યુગની શરૂઆત થઈ છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનના રોજ “પ્લાસ્ટિક મુક્ત ભારત” અભિયાનને વધુ વેગ આપવાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેકવિધ નવીન પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે હવે રાજ્યના મંદિરોમાં કાપડની થેલીમાં પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, ઇસ્કોન મંદિર સહિતના કુલ ૧૩ મંદિરો પર 30 મશીન મુકવામાં આવ્યાં છે. આ મશીન મુકવાથી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ અથવા ૧૦ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને કાપડની થેલી મેળવી શકાય છે.

વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ જૂન ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહાત્મા મંદિર ખાતેથી વધુ ૨૬૦ કાપડની બેગના વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા સ્થાપિત બેગ વેન્ડીંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ કાપડની બેગનું વિતરણ કરવામા આવ્યુ છે.

ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને નાગરીકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના જાહેર સ્થળોએ વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો  :  Air India Flight: મોટી દુર્ઘટના ટળી.. એર ઇન્ડિયાનું બીજું વિમાન ક્રેશ થતા રહી ગયું, ટેકઓફ બાદ તરત જ 900 ફૂટ નીચે આવી ગયું..

રાજ્યના વિવિધ જાહેર સ્થળોએ શરૂ કરવામાં આવેલા બેગ એટીએમ થકી પર્યાવરણના રક્ષણની સાથે મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ મળી રહી છે. એટીએમમાં આપવામાં આવતી બેગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા સ્વ સહાય જૂથ પાસેથી ખરીદવામાં આવે છે જેથી મહિલાઓને પણ રોજગારી મળી રહે છે.

આ ઉપરાંત અમદાવાદ તથા સુરત ખાતે બજારો, યાત્રાધામો, હોસ્પિટલ અને જાહેર બગીચાઓમાં પણ આ મશીનો મુકવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ૨૦ જેટલી હોસ્પિટલોમાં પેપર બેગના વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે જેથી હોસ્પિટલની મેડિકલ શોપ પરથી પેપરની બેગ પણ મળી શકે. આ બાબતે મોનીટરીંગ માટે ‘પ્રતીગ્યા લાઇવ ડેશબોર્ડ’ https://pwm.gpcb.gov.in:8443 પણ વિકસાવવામાં આવ્યું છે જેમાં કાપડના બેગ વિતરણના મશીનોની લાઇવ માહિતી મેળવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની નિર્ભરતા ઘટાડવા માટે દર વર્ષે ૩ જુલાઈને વિશ્વ પ્લાસ્ટીક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Yoga Day More than 11 thousand citizens practiced yoga at 339 Amrit Sarovar in Gujarat and celebrated the 11th International Yoga Day in grand style
રાજ્ય

World Yoga Day : ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય, રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ યોગાભ્યાસ કરી ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Yoga Day : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ તથા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ સાથે આજે ૧૧મા વિશ્વ યોગ દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને આહ્વાનના પગલે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રતીક બની રહ્યાં છે. આ અમૃત સરોવરો આજે યોગમય વાતાવરણથી ગુંજી ઊઠ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા. જેમાં ગ્રામજનો અને શાળાના બાળકોએ યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

• અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા, શિયાળ, સાલજડા, જુવાલ રૂપાવટી, કેસરડી, સાકોદરા, કાવીઠા અને કવલા જેવા કુલ ૮ ગામોમાં આવેલાં અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે આવેલ અમૃત સરોવર નજીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અભ્યાસ કરીને ”વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરી હતી.

• નવસારી જિલ્લાના ૩૭ અમૃત સરોવરો ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૭૩ નગરીકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.

• પાટણ જિલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓ સહભાગી થયા હતા.

• મહીસાગર જિલ્લાના ૩૬ અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૪૬૫ લોકો જોડાયા હતા.

• જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડી, ઉમટવાડા, કુંભડી, કેશોદ તાલુકાના હાંડલા, માંગરોળ તાલુકાના થલી ગામોમાં આવેલ અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• વડોદરા જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અંટોલી, ચાણસદ, મુવાલ, ડેસર, સુવાલજા, ઉતરજ, કંથાડિયા, તુલસીપૂરા, કાયાવરોહણ અને વઢવાણા ખાતેની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

• ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા, રાંચરડા, મીરાપુર, દેવકરણના મુવાડા, આંત્રોલી, કડજોદરા, ધારીસણા ગામના અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

• અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

• સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી, વડાલી દાંત્રોલી, ભાવપુર, વોરાવાવ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી.

• ડાંગના આહવા, સુબીર અને વઘઇ તાલુકાના ૧૪ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણીમાં ૩૫૦થી વધુ નાગરીકો જોડાયા હતા.

• પોરબંદર જિલ્લામાં આવેલા માલણકા, ફરેર, હેલાબેલી, દોલતગઢ, ખીસ્ત્રી, એરડા, રીણાવાડા, બરડિયા, સુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Coaching Assistance Scheme :કોચિંગ સહાય યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો

• ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના છગિયા અને ગોરખમઢી ગામે, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે તેમજ તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે ગ્રામજનોએ યોગ કર્યા હતાં.

• ભાવનગર જિલ્લાના ૨૨ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાંબુડા, ઓથા, ગોરીયાળી, અવાણિયાં, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળાવડ, રોયલ, ભંડારિયા, જુના રતનપર, સેંજળીયા, કુડા, જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી, ઉમરાળા., લીંબડા તેમજ પરવડી – ૨ અમૃત સરોવરનો સમાવેશ થાય છે.

• આ ઉપરાંત બોટાદ જિલ્લાના પસંદગી પામેલા અમૃત સરોવર ખાતે નાગરીકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Israel Iran War India Will Evacuate Citizens Of Nepal And Sri Lanka Operation Sindhu Israel Iran War
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

Israel Iran War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભારતે તક ઝડપી લીધી, આ પડોશી દેશોના નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢશે સરકાર…

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Israel Iran War: ઈરાનમાં ફસાયેલા નેપાળી અને શ્રીલંકાના નાગરિકોને બહાર કાઢવામાં ભારત મોટી મદદ કરશે. ઓપરેશન સિંધુ હેઠળ, ભારત આ બંને દેશોના લોકોને ઈરાનમાંથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ જશે. ભારતે આ કામ એવા સમયે કર્યું છે જ્યારે ચીન દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે નવું જોડાણ તૈયાર કરી રહ્યું છે.

Israel Iran War: દૂતાવાસે ટેલિફોન નંબર જાહેર કર્યો

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, નેપાળ અને શ્રીલંકા સરકારોની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળ અને શ્રીલંકા ભારતના પડોશી દેશો છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે અમે શ્રીલંકા અને નેપાળને પણ મદદ કરીશું. બંને દેશોની સરકારે ઓપરેશન સિંધુ હેઠળ તેમના નાગરિકોને બહાર કાઢવાની ભલામણ કરી હતી. 

ભારતીય દૂતાવાસે આ માટે એક ફોન નંબર જાહેર કર્યો છે. ઉપરાંત, નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને ટેલિગ્રામ અથવા કટોકટી લાઇન +989010144557, +989128109115, અને +989128109109 દ્વારા તાત્કાલિક સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસના આ નંબર પર સંપર્ક કરનારા લોકોની પહેલા ચકાસણી કરવામાં આવશે અને પછી તેમને ઓપરેશન સિંધુ હેઠળ પાછા લાવવામાં આવશે.

Israel Iran War: કુલ 16 નેપાળી નાગરિકો ઈરાનમાં ફસાયેલા

નેપાળ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં તેના 16 નાગરિકો ઈરાનમાં અને 5500 ઇઝરાયલમાં છે. નેપાળ સરકારે કહ્યું કે તેના 5 નાગરિકો ઈરાનમાં કેદ છે. આ 5 લોકો પર આંતરરાષ્ટ્રીય દાણચોરીનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump Nobel Prize : આ ને કહેવાય ટોપ લેવલની ચાપલૂસી.. પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા; અમેરિકી પ્રમુખે આપી આવી પ્રતિક્રિયા..

નેપાળ સરકારે આ નાગરિકોને જાતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ નેપાળ સરકારે ભારત પાસેથી મદદ માંગી છે. હાલમાં ઈરાનમાં કેટલા શ્રીલંકન ફસાયેલા છે તેનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ દર વર્ષે લગભગ 12,000 શ્રીલંકન ઈરાનની મુલાકાત લે છે.

Israel Iran War: ચીન 3 દેશોનું જોડાણ બનાવી રહ્યું હતું

ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મજબૂત જોડાણ બનાવી રહ્યું હતું. ત્રણેય દેશો ભારતના પડોશમાં સ્થિત છે. આવી સ્થિતિમાં, ભારતે શ્રીલંકા અને નેપાળને મદદ કરીને ચીનના એજન્ડાને નષ્ટ કરી દીધો છે. નેપાળમાં 82 ટકા હિન્દુઓ રહે છે અને ચીન અહીં પણ મજબૂત પગપેસારો કરવા માંગે છે. તેવી જ રીતે, ચીન શ્રીલંકામાં પણ નજર રાખી રહ્યું છે. શ્રીલંકાની પાછલી સરકાર સાથે ચીનના સંબંધો ઉત્તમ હતા, પરંતુ હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી.

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Grain Stock India India Urges Citizens To Not Believe Rumors Of Food Shortages
Main PostTop Postદેશ

Grain Stock India : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારે ખાતરી આપી, આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી

by kalpana Verat May 10, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Grain Stock India : 

 કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ભાર મૂક્યો છે કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી.

“હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હાલમાં આપણી પાસે સામાન્ય જરૂરિયાત કરતાં અનેક ગણો વધારે સ્ટોક છે – પછી ભલે તે ચોખા, ઘઉં, કે ચણા, તુવેર, મસૂર કે મગ જેવા કઠોળ હોય. કોઈ અછત નથી અને નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગભરાટમાં ન આવે કે અનાજ ખરીદવા માટે બજારોમાં ઉતાવળ ન કરે,” તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ ભ્રામક અહેવાલોનો શિકાર ન બનવાની કડક ચેતવણી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું, “દેશમાં ખાદ્ય પદાર્થોના સ્ટોક અંગેના પ્રચાર સંદેશાઓ પર વિશ્વાસ ન કરો. આપણી પાસે ખાદ્ય પદાર્થોનો પુષ્કળ સ્ટોક છે, જે જરૂરી ધોરણો કરતાં ઘણો વધારે છે. આવા સંદેશાઓ પર ધ્યાન આપશો નહીં. આવશ્યક ચીજવસ્તુઓના વેપારમાં રોકાયેલા વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અથવા વ્યવસાયિક સંસ્થાઓને કાયદા અમલીકરણ એજન્સીઓને સહયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સંગ્રહખોરી અથવા સંગ્રહખોરીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે આવશ્યક ચીજવસ્તુ કાયદાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.”

આ સમાચાર પણ વાંચો :  SRS Report : ભારતમાં માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો, SDG 2030 લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા તરફ

નોંધપાત્ર રીતે, વર્તમાન ચોખાનો સ્ટોક 135 LMT ના બફર ધોરણ સામે 356.42 લાખ મેટ્રિક ટન (LMT) છે. તેવી જ રીતે, 276 LMTના બફર ધોરણ સામે ઘઉંનો સ્ટોક 383.32 LMT છે. આમ, જરૂરી બફર ધોરણો કરતાં મજબૂત સરપ્લસ દર્શાવે છે, જે રાષ્ટ્રવ્યાપી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

વધુમાં, ભારતમાં હાલમાં આશરે 17 લાખ મેટ્રિક ટન ખાદ્યતેલનો સ્ટોક છે. સ્થાનિક સ્તરે, ચાલુ ટોચના ઉત્પાદન સિઝન દરમિયાન સરસવના તેલની ઉપલબ્ધતા પુષ્કળ હોય છે, જે ખાદ્યતેલના પુરવઠામાં વધુ વધારો કરે છે.

ચાલુ ખાંડ સીઝનની શરૂઆત 79 LMTના કેરી-ઓવર સ્ટોક સાથે થઈ હતી. ઇથેનોલ ઉત્પાદન માટે 34 LMTના ડાયવર્ઝન પછી, ઉત્પાદન 262 LMT થવાનો અંદાજ છે.

અત્યાર સુધીમાં, લગભગ 257 LMT ખાંડનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. 280 LMTના સ્થાનિક વપરાશ અને 10 LMTની નિકાસને ધ્યાનમાં લેતા, બંધ સ્ટોક લગભગ 50 LMT રહેવાની ધારણા છે જે બે મહિનાના વપરાશ કરતા વધુ છે. અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે 2025-26 ખાંડ સીઝન માટે ઉત્પાદનનો અંદાજ પણ આશાસ્પદ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Caste Census Centre’s Caste Census How Is It Different From Karnataka, Bihar Surveys How Will It Help Citizens
Main PostTop Post

  Caste Census: વિપક્ષના પગલાથી કેન્દ્ર પર દબાણ; બિહાર સહિત આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં જાતિ સર્વેક્ષણને કારણે બદલાઈ ગઈ પરિસ્થિતિ…

by kalpana Verat May 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Caste Census: ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરીને વિપક્ષ અને રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે, એક તરફ, કોંગ્રેસ આ પગલાનો શ્રેય લઈ રહી છે અને કહી રહી છે કે ભાજપ રાહુલ ગાંધીના સતત દબાણ સામે ઝૂકી ગઈ. બીજી તરફ, ભાજપના સમર્થકો આ પગલાને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષના મુખ્ય ચૂંટણી મુદ્દાની ધાર ખરબચડી થઈ ગઈ છે.

Caste Census: જાતિ ગણતરીના પરિણામો અંગે નિષ્ણાતો વિભાજિત

આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો કેન્દ્રનો નિર્ણય રાષ્ટ્રીય નીતિમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે, પરંતુ રાજકીય નિષ્ણાતો કેન્દ્રના નિર્ણય પાછળ બિહાર, કર્ણાટક અને તેલંગાણા દ્વારા કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણોના પરિણામોને જવાબદાર માને છે. નિષ્ણાતોના મતે, આ ત્રણ રાજ્યોની પહેલ અને ત્યારબાદ વિપક્ષ દ્વારા તેને સતત ચૂંટણી મુદ્દો બનાવવાને કારણે, કેન્દ્ર સરકારને જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરવાની ફરજ પડી. જોકે, જાતિ ગણતરીના પરિણામો અંગે નિષ્ણાતો વિભાજિત છે. એક જૂથ માને છે કે આનાથી રાજકીય અને સામાજિક પરિદ્રશ્યને આકાર આપવામાં તેમજ કલ્યાણકારી યોજનાઓ અને ચૂંટણી વ્યૂહરચનાઓના અમલીકરણમાં ઘણી મદદ મળશે, તો બીજી જૂથ માને છે કે આના કારણે સામાજિક દુશ્મનાવટ વધવાનો ભય છે.

Caste Census: કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસનું શાસન

જાતિ વસ્તી ગણતરી હાથ ધરનારા ત્રણ રાજ્યોમાંથી, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે ત્રીજા રાજ્ય, બિહારમાં, જ્યારે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ તત્કાલીન નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની મહાગઠબંધન સરકારનો ભાગ હતી.

મહત્વનું છે કે જાતિગત વસ્તી ગણતરી સત્તાવાર રીતે કરવામાં બિહાર મોખરે હતું. ફેબ્રુઆરી 2020 માં, વિધાનસભાએ સર્વાનુમતે રાષ્ટ્રીય જાતિ વસ્તી ગણતરી માટેનો ઠરાવ પસાર કર્યો. મહાગઠબંધન ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે તેને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમયે બિહારના રાજકીય ઇકોસિસ્ટમનો ભાગ રહેલી ભાજપે પણ તેને ટેકો આપવો પડ્યો.

જણાવી દઈએ કે ભાજપ સહિત તમામ પક્ષોના સભ્યોનું એક પ્રતિનિધિમંડળ 2021 માં વડા પ્રધાન મોદીને મળ્યું અને દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરીની માંગ કરી. આ મામલે કેન્દ્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવ્યા બાદ, બિહાર સરકારે પોતાનો સર્વે હાથ ધર્યો. 2 ઓક્ટોબર, 2023 ના રોજ જાહેર કરાયેલા પરિણામો દર્શાવે છે કે અન્ય પછાત વર્ગો (OBC) અને EBC (આર્થિક રીતે પછાત વર્ગો) મળીને વસ્તીના 63% થી વધુ હિસ્સો ધરાવે છે. રાજ્યની કુલ વસ્તી 13.07 કરોડ જણાવવામાં આવી હતી. આમાંથી, OBC ની સંખ્યા 3.54 કરોડ (27%) હતી અને EBC ની સંખ્યા 4.7 કરોડ (36%) હતી. આગળની જાતિઓની સંખ્યા 15.5%, અનુસૂચિત જાતિઓની 20% અને અનુસૂચિત જનજાતિઓની 1.6% નોંધાઈ હતી. જાતિના ડેટા ઉપરાંત, સર્વેક્ષણમાં ગંભીર આર્થિક વાસ્તવિકતાઓનો પર્દાફાશ થયો. બિહારમાં એક તૃતીયાંશથી વધુ પરિવારો દરરોજ 200 રૂપિયા પર ગુજરાન ચલાવતા હતા. અનુસૂચિત જાતિના પરિવારોમાં, આ પ્રમાણ વધીને લગભગ 44% થયું. બિહારમાં લગભગ 2.97 કરોડ પરિવારોમાંથી, 94 લાખ (34.13%) ની માસિક આવક 6,000 રૂપિયા કે તેથી ઓછી છે. શિક્ષણના આંકડા દર્શાવે છે કે બિહારની વસ્તીના માત્ર 7% લોકો પાસે સ્નાતકની ડિગ્રી છે, જે રાજ્યના બેરોજગારીના સંકટની ઊંડાઈ દર્શાવે છે.

Caste Census: તેલંગાણા: જાતિ જાગૃતિના આધારે રાજકીય પરિવર્તન

તેલંગાણાના સર્વેક્ષણનો વ્યાપ ખૂબ વ્યાપક હતો. આમાં જાતિ, સામાજિક-આર્થિક સ્થિતિ અને રાજકીય ભાગીદારીનો સમાવેશ થતો હતો. આ સર્વે, જેમાં માત્ર 50 દિવસમાં 96.9% ઘરોને આવરી લેવામાં આવ્યા હતા, તે ૨૦૨૩ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું એક મુખ્ય ચૂંટણી વચન હતું. બીઆરએસ પર પાર્ટીનો જંગી વિજય ગૌડ, મુન્નુરુ કાપુ અને યાદવ જેવા પછાત સમુદાયોના સમર્થનને આભારી હતો. સર્વે રિપોર્ટમાં પછાત વર્ગો (BC) ની વસ્તી 56.33%, SC 17.43% અને ST 10.45% દર્શાવવામાં આવી છે, જ્યારે અન્ય જાતિઓ (OC) ની વસ્તી 15.79% હોવાનો અંદાજ છે. પછાત વર્ગોની વાસ્તવિક સંખ્યા લગભગ 2 કરોડ હતી, જેમાં 35 લાખથી વધુ પછાત મુસ્લિમોનો સમાવેશ થતો હતો. અનુસૂચિત જાતિઓની સંખ્યા લગભગ 61.8 લાખ હતી અને અનુસૂચિત જનજાતિઓની સંખ્યા લગભગ 37 લાખ હતી. પછાત સમુદાયોની સંખ્યા આશરે 44 લાખ હતી. કુલ મુસ્લિમ વસ્તી 44.57 લાખ અથવા કુલ વસ્તીના 12.56% હતી. આમાંથી, 10.08% બીસી મુસ્લિમો હતા અને ૨.૪૮% ઓસી મુસ્લિમો હતા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, BRS એ પછાત જાતિના ઉમેદવારોને 22 બેઠકો ફાળવી હતી, જ્યારે કોંગ્રેસ અને ભાજપે અનુક્રમે 34 અને 45 પછાત જાતિના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : જીએસટી કલેક્શને નવો રેકોર્ડ બનાવ્યો, નવા નાણાકીય વર્ષે એપ્રિલમાં અધધ આટલા લાખ કરોડનું રેકોર્ડ બ્રેક GST કલેક્શન; જાણો આંકડા..

Caste Census: કર્ણાટક: જાતિ સર્વે રાજકીય રીતે ખૂબ જ જટિલ રહ્યો

કર્ણાટકનો જાતિ સર્વેક્ષણ વધુ લાંબો અને રાજકીય રીતે જટિલ રહ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2015 માં શરૂ કરાયેલા સામાજિક-આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણના તારણો ઘણા વર્ષો પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યા હતા. વિલંબ પાછળ કોંગ્રેસની અંદરના આંતરિક ઝઘડાને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું. લિંગાયત અને વોક્કાલિગા જેવા પ્રભાવશાળી સમુદાયોએ આ તારણોને અવૈજ્ઞાનિક અને જૂના ગણાવીને નકારી કાઢ્યા. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, જે પોતે વોક્કાલિગા હતા, તેમણે રિપોર્ટના પ્રકાશનનો વિરોધ કર્યો. સિદ્ધારમૈયા મંત્રીમંડળે ૧૧ એપ્રિલના રોજ તારણોની સમીક્ષા કરી. આ સર્વેક્ષણમાં એક ચોંકાવનારો આંકડા સામે આવ્યા – રાજ્યની વસ્તીના 69.6% ઓબીસી છે, જે અગાઉના અંદાજો કરતા ઘણા વધારે છે. રિપોર્ટમાં OBC ક્વોટા 32% થી વધારીને 51% કરવાની ભલામણ કરવામાં આવી છે.

Caste Census: આંધ્રપ્રદેશ: જગન રેડ્ડીનું વચન જે તેઓ પૂર્ણ કરી શક્યા નહીં

આંધ્રપ્રદેશમાં વાયએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની પાછલી સરકારે 19 જાન્યુઆરી, 2024 થી જાતિ ગણતરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમ કહ્યું હતું તેમ, તેનો ધ્યેય લોકોના જીવનની ગુણવત્તામાં ફેરફાર કરવાનો હતો. જોકે, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વર્તમાન અધિકારીઓના મતે, વચન આપેલ અહેવાલ ક્યારેય પ્રકાશમાં આવ્યો નહીં. YSRCP એ આ વિલંબ માટે આદર્શ આચારસંહિતા લાગુ થવાના કારણે, તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને જવાબદાર ગણાવી હતી.

May 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mahakumbh 2025 PM Modi PM Modi pens blog on Maha Kumbh, thanks citizens for participating in grand event
દેશ

Mahakumbh 2025 PM Modi : ‘એકતાનો મહાયજ્ઞ’ પૂર્ણ થયો…: મહાકુંભના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ,  વ્યક્ત કર્યા વિચારો.. 

by kalpana Verat February 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025 PM Modi :  પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં  આપણી  ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી કરતા, શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું:

“પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે. મારો બ્લોગ અંગ્રેજીમાં વાંચો.”

As the Mahakumbh in Prayagraj concludes, penned few thoughts on this landmark gathering, which wonderfully illustrated the cultural, societal and spiritual strength of our land. Do read my blog in English.https://t.co/vOycQ4urzI

— Narendra Modi (@narendramodi) February 27, 2025

આ સમાચાર પણ વાંચો:  Mahakumbh 2025 : ગર્વ સે કહો હમ હિંદુ હૈ… 45 દિવસના મહાકુંભનું સમાપન, અનેક રેકોર્ડ તૂટ્યા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
S Jaishankar America News India set to take back 18,000 citizens from US to placate Trump
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

S Jaishankar America News: USAમાં ફરી ટ્રમ્પનું શાસન, 18,000 ભારતીયોની અમેરિકામાંથી હકાલપટ્ટી? જાણો શું છે કારણ..

by kalpana Verat January 23, 2025
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

S Jaishankar America News: વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દરમિયાન, એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે નવી દિલ્હી અમેરિકા સહિત વિદેશમાં ‘ગેરકાયદેસર’ રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર ભારતનું વલણ સૈદ્ધાંતિક રહ્યું છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને આ અંગે સ્પષ્ટપણે જાણ કરવામાં આવી છે.

જોકે, જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત બંને દેશો વચ્ચે “કાનૂની ગતિશીલતા” ને ખૂબ સમર્થન આપે છે અને ઇચ્છે છે કે ભારતીય કુશળતા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ તકો મળે. તેમણે કહ્યું કે ભારત ગેરકાયદેસર સ્થળાંતરનો સખત વિરોધ કરે છે, તે ‘પ્રતિષ્ઠા માટે સારું’ નથી અને તે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે.

S Jaishankar America News: અમેરિકામાં કેટલા ભારતીયો પાસે માન્ય દસ્તાવેજો નથી?

અમેરિકન વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અનુસાર, અમેરિકામાં લગભગ 18 હજાર ભારતીયો છે જેમની પાસે અમેરિકામાં રહેવા માટે પૂરતા માન્ય દસ્તાવેજો નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર આવા ભારતીયોને નવી દિલ્હી પાછા મોકલી શકે છે. આ નવી દિલ્હીની ચિંતાનું કારણ છે.

યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના ડેટા અનુસાર, નવેમ્બર 2024 સુધીમાં, 20,407 લોકો એવા હતા જેમને યુએસ ‘દસ્તાવેજો વિના’ અથવા ‘અપૂર્ણ દસ્તાવેજો’ તરીકે વર્ણવે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની આ ભારતીયો પર તીખી નજર છે. આ ભારતીયો અંગે ‘અંતિમ નિકાલનો આદેશ’ ગમે ત્યારે આવી શકે છે. આમાંથી 2,467 ભારતીયો યુએસ ઇમિગ્રેશન ડિટેન્શન કેમ્પમાં બંધ છે. જ્યારે અમેરિકા 17,940 ભારતીયોને ‘પેપરલેસ’ જાહેર કરે છે.

S Jaishankar America News: ભારતીયો યુ.એસ.માં ત્રીજો સૌથી મોટો સમુદાય 

આ આંકડા દર્શાવે છે કે રાષ્ટ્રીયતાના આધારે અમેરિકન અટકાયત શિબિરોમાં રહેતા લોકોની સંખ્યામાં ભારતીયો ચોથા ક્રમે છે. પ્યુ રિસર્ચના 2024ના અહેવાલ મુજબ, ભારતીયો યુ.એસ.માં ત્રીજો સૌથી મોટો સમુદાય છે જેને યુ.એસ. બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ તરીકે ગણે છે. આ કિસ્સામાં, અમેરિકાના પાડોશી મેક્સિકન લોકો નંબર વન છે અને સાલ્વાડોરના નાગરિકો બીજા નંબરે છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ટ્રમ્પે ઓબામાનો આદેશ રદ કર્યો, ઉત્તર અમેરિકાના આ સૌથી ઊંચા શિખરનું નામ બદલ્યું..

વર્ષ 2024 માં, યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે 2 લાખ 70 હજાર ઇમિગ્રન્ટ્સને 192 દેશોમાં દેશનિકાલ કર્યા છે. આમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2024 માં, અમેરિકાએ 1529 ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ’ ભારતીયોને ભારત પાછા મોકલ્યા છે.

S Jaishankar America News: ભારત ગેરકાયદેસર સ્થળાંતરનો સખત વિરોધ

મહત્વનું છે કે પોતાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પાછા મોકલવાની વાત કરી હતી. તે જ સમયે, એસ જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ભારત ગેરકાયદેસર સ્થળાંતરનો સખત વિરોધ કરે છે. આ પ્રતિષ્ઠા માટે સારું નથી અને ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. વિદેશ મંત્રીએ યુએસ વિઝા મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંબંધો માટે સારું નથી.

 

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kite Festival Citizens donate food to animals out of religious sentiment on the occasion of Uttarayan festival
રાજ્ય

Kite Festival: ઉતરાયણ પર્વ નિમિત્તે ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો

by khushali ladva January 9, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Kite Festival:  મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન પુણ્ય કરતા હોય છે. જેમાં મુખ્યત્વે ગાયોને ઘુઘરી (બાફેલી બાજરી), અનાજ, તલ-મમરાના લાડવા, ચીકી, ગોળની ભેલીઓનો સમાવેશ થાય છે, જે ખરેખર પશુઓનો આહાર નથી અને તે ખવડાવવાના લીધે જાનવરોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન (અપચો, આફરો, ઝાડા અને આમ્લપિત્ત) થાય છે અને અમુક નબળા પશુઓને આ પ્રકારનો વધુ ખોરાક ખાવાને લીધે સ્વાસ્થ્ય બગડતા મૃત્યુનું કારણ બની શકે તેમ છે.
ઉપરોક્ત હકીકત જોતા જીવદયા પ્રેમીઓ/જાહેર જનતાને નીચે મુજબની વિનંતી છે.
(૧) ગાયોને ઘુઘરી (બાફેલી બાજરી), કાચું અનાજ, તલ-મમરાના લાડવા, ચીકી, ગોળની ભેલીઓ, પેંડા વિગેરે ખવડાવવા નહીં.
(૨) પ્લાસ્ટિકની કોથળીઓમાં ઉપરોક્ત ખોરાકી વસ્તુઓ મૂકી પશુઓને ખવડાવવી નહિ તેમજ પશુઓના રહેઠાણના સ્થળે ફેંકવી નહીં.
(૩) ગાયો તથા અન્ય જાનવરોને ઉપરોક્ત વસ્તુના બદલે સુકો-લીલો ચારો અને પશુદાણ ખવડાવવા વધુ યોગ્ય રહેશે.
(૪) જાહેર રસ્તા ઉપર ફાટેલા પતંગોના કાગળ, બગડેલા માંજાના ગુચ્છાઓ વિગેરે ફેંકશો નહિ અને ગંદકી કરશો નહિ.

આ સમાચાર પણ વાંચો :  Harsh Sanghvi: આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઘરઆંગણે,ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

પશુઓનો આહાર માત્ર ઘાસચારો, પશુદાણ હોય છે, જેથી અન્ય ભોજન ન ખવડાવી અબોલ જીવોનું રક્ષણ કરીએ એમ સુરત મનપાના આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

Syria War: ભારતે સીરિયામાંથી આટલા નાગરિકોને બહાર કાઢ્યા… 44 કાશ્મીરીઓનો સમાવેશ, લેબનોન થઈને તેમના દેશ પરત ફરશે

by kalpana Verat December 11, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Syria War: સીરિયામાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર છે. બશર અલ-અસદની સરકાર વિરુદ્ધ બળવા પછી ભારતે પોતાના 75 નાગરિકોને સુરક્ષિત રીતે પોતાના દેશમાં પાછા બોલાવ્યા છે. બળવાખોરોએ બશર અલ-અસદની સરકારને સત્તા પરથી હટાવ્યાના બે દિવસ બાદ ભારતે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર પ્રક્રિયાનું સંકલન કર્યું.

Syria War:  75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા

વિદેશ મંત્રાલય તરફથી મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે આજે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે. જેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સૈયદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર ભારત પરત ફરશે.

Syria War: વિદેશ મંત્રાલયે આ વાત કહી

ભારત સરકારે જણાવ્યું હતું કે દમાસ્કસ અને બેરૂતમાં ભારતના દૂતાવાસ દ્વારા સંકલિત સ્થળાંતર, સુરક્ષા પરિસ્થિતિના અમારા મૂલ્યાંકન અને સીરિયામાં ભારતીય નાગરિકોની વિનંતીઓને પગલે હાથ ધરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખશે.

Syria War: રશિયાએ અસદ અને તેના પરિવારને આશ્રય આપ્યો

જણાવી દઈએ કે સીરિયામાં 2011માં શરૂ થયેલ ગૃહયુદ્ધનો અંત 8 ડિસેમ્બર 2024ના રોજ વિદ્રોહી દળો દ્વારા બશર અલ-અસદને હટાવવાની સાથે થયો હતો. વિદ્રોહીઓએ રાજધાની દમાસ્કસ પર કબજો કર્યા બાદ અસદ પરિવાર સાથે સીરિયા ભાગી ગયો હતો. એવા અહેવાલો પણ હતા કે તે જે વિમાન દ્વારા ભાગી ગયો હતો તેનો રડાર સંપર્ક તૂટી ગયો હતો. એવી પણ અટકળો હતી કે તેનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું હશે. જો કે રોઈટર્સના અહેવાલ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. રશિયાના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી છે કે સીરિયાના રાષ્ટ્રપતિને આશ્રય આપવો એ પુતિનનો વ્યક્તિગત નિર્ણય હતો.

આ સમાચાર પણ વાંચો : No-confidence motion :બહુમતી નથી, છતાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ ; જાણો શું છે કારણ..

Syria War: શા માટે સૈયદા ઝૈનબ મઝાર શિયાઓ માટે મહત્વપૂર્ણ છે?

સૈયદા ઝૈનબ ફાતિમા અને અલીની પુત્રી છે, જે પ્રોફેટ મોહમ્મદની પુત્રી છે. તેનો અર્થ એ કે તે પ્રોફેટ મોહમ્મદના વંશજ છે. શિયાઓ માને છે કે તેમની કબર દમાસ્કસ સ્થિત સૈયદા ઝૈનબ મસ્જિદમાં છે. શિયાઓ આ મંદિરને તેમનું પવિત્ર ધાર્મિક સ્થળ માને છે. વિશ્વભરમાંથી શિયા મુસ્લિમો આ દરગાહ પર પ્રણામ કરવા આવે છે. બશર અલ-અસદ શિયા સમુદાયમાંથી આવે છે, જે સીરિયામાં લઘુમતી છે. સીરિયા સુન્ની બહુમતી દેશ છે. અસદના શાસનના અંત સાથે સીરિયામાં શિયાઓ માટે મોટું સંકટ ઊભું થયું છે. શિયાઓ હવે સૈયદા ઝૈનબ મઝાર વિશે ચિંતિત છે કે બહુમતી સુન્ની બળવાખોરો તેને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, મંદિરની આસપાસ સશસ્ત્ર શિયા લડવૈયાઓ તૈનાત છે. હિઝબુલ્લાહ લડવૈયાઓ પણ આ મંદિરની સુરક્ષા કરી રહ્યા છે. શિયાઓ કહે છે કે સૈયદા ઝૈનબ દરગાહની સુરક્ષા કરવી તેમની ફરજ છે.

 

December 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Syria Aleppo Civil War: તાત્કાલિક છોડો આ દેશ, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી 

by kalpana Verat December 7, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Syria Aleppo Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ઈઝરાયેલનું તણાવ વધી ગયું છે. ત્યારપછી ઈઝરાયેલ સીરિયાની સરહદ પર વધારાના સૈનિકો અને હવાઈ દળોને તૈનાત કરી રહ્યું છે. જેહાદી બળવાખોરો ઝડપથી ફાયદો ઉઠાવી રહ્યા છે, જે ભય ફેલાવે છે કે અસદ શાસનનું પતન યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં વધુ અનિશ્ચિતતા પેદા કરી શકે છે. બળવાખોરોએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાંથી અસદ શાસનના ગઠબંધન દળોને બહાર કાઢ્યા ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.

Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB

— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024

Syria Aleppo Civil War:ભારત સરકારે જારી કરી એડવાઈઝરી 

દરમિયાન સીરિયામાં વિદ્રોહીઓના વધતા હુમલા અને નાગરિકોના મોતને જોતા ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.”

આ સમાચાર પણ વાંચો:  Israel Gaza War :  શપથ લીધા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ, હમાસને ચેતવણી આપી, તારીખ નક્કી કરી

Syria Aleppo Civil War: હેલ્પલાઈન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે

MEA એડવાઈઝરી આગળ લખ્યું છે, “હાલમાં સીરિયામાં હાજર ભારતીયોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ +963 993385973 (વોટ્સએપ પર પણ) પર ભારતીય દૂતાવાસના ઇમરજન્સી હેલ્પલાઈન નંબર પર કૉલ  અને  અપડેટ માટે hoc.damascus@mea.gov.in પર મેઇલ દ્વારા સંપર્ક કરી શકો છો  .

શક્ય હોય તો સીરિયા છોડવાની સલાહ

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પણ સલાહ આપી છે કે જેઓ પરત ફરી શકે છે તેઓને જલદી ઉપલબ્ધ વ્યાપારી ફ્લાઇટ્સ દ્વારા આવું કરવાની સલાહ આપવામાં આવે છે અને અન્ય લોકોને તેમની સલામતી અંગે અત્યંત સાવધાની રાખવા અને તમારી પ્રવૃત્તિઓને ઓછામાં ઓછી મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે.

 

 

December 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક