• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - claim
Tag:

claim

USA India Trade Deal Nothing decided S Jaishankar after Trump's 'India's zero tariffs offer' claim
Main PostTop Postદેશવેપાર-વાણિજ્ય

USA India Trade Deal : શું ભારતે અમેરિકાને શૂન્ય ટેરિફ ઓફર કરી હતી? ટ્રમ્પના દાવા પર આવ્યું વિદેશ મંત્રી એસ. જયશંકરનું નિવેદન ; જાણો શું કહ્યું…

by kalpana Verat May 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

USA India Trade Deal :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન ઉત્પાદનો પર “શૂન્ય ટેરિફ” ઓફર કરી છે. આ દરમિયાન, તેમણે ભારતમાં એપલના ઉત્પાદન પર પણ નારાજગી વ્યક્ત કરી, જ્યાં તેમણે કંપનીને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કંપની ભારતમાં તેનું ઉત્પાદન કરે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે, અને આગામી દિવસોમાં આ અંગે કોઈ કરાર થવાની અપેક્ષા છે.

#WATCH | EAM Dr S Jaishankar says, “Between India and the US, trade talks have been going on. These are complicated negotiations. Nothing is decided till everything is. Any trade deal has to be mutually beneficial; it has to work for both countries. That would be our expectation… pic.twitter.com/qiDroEHzQD

— ANI (@ANI) May 15, 2025

USA India Trade Deal :ભારતમાં કંઈપણ વેચવું ખૂબ મુશ્કેલ છે…

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે, ભારતમાં કંઈપણ વેચવું ખૂબ મુશ્કેલ છે, અને તેઓ અમને સોદો ઓફર કરી રહ્યા છે, પ્રમાણિકપણે તેઓ અમને શૂન્ય ટેરિફ ઓફર કરી રહ્યા છે.” ટ્રમ્પ હાલમાં મધ્ય પૂર્વના પ્રવાસ પર છે, અને તેમણે કતારની રાજધાની દોહામાં આ વાત કહી. અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદ્યો હતો, પરંતુ તેમણે બધા દેશો માટે તેના પર 90 દિવસ સુધી રોક લગાવી દીધી, અને ભારતને પણ તેનો ફાયદો થયો – જ્યાં હાલમાં ભારતીય ઉત્પાદનો પર 10% ટેરિફ લાદવામાં આવી રહ્યો છે.

USA India Trade Deal :વેપાર કરાર પર ભારતીય વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?

વિદેશ મંત્રી એસ જયશંકરે  કહ્યું કે કોઈપણ વેપાર કરાર સામેલ પક્ષો માટે પરસ્પર ફાયદાકારક હોવો જોઈએ. તેમણે દ્વિપક્ષીય વેપાર કરાર પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ સરકાર અને યુએસ વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય પક્ષને આશા છે કે વેપાર કરાર બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. “કોઈપણ વેપાર કરાર બંને દેશો માટે ફાયદાકારક હોવો જોઈએ; તે બંને દેશો માટે કાર્ય કરે તેવો હોવો જોઈએ. વેપાર કરારમાંથી આપણે આ જ અપેક્ષા રાખીશું. હાલ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ વાટાઘાટો છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ પણ નક્કી થતું નથી… જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી, આ અંગે કોઈ નિર્ણય લેવો ખૂબ જ વહેલો ગણાશે. 

આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ ઉચ્ચ-સ્તરીય વ્યાપાર ચર્ચાઓ માટે આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સની તેમની બીજી મુલાકાતે જવાના છે.

આ સમાચાર પણ વાંચો : Share Market High : ટ્રમ્પનું આ એક નિવેદન… અને શેરબજારમાં આવી જોરદાર તેજી, સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરો અધધ આટલા લાખ કરોડની કમાણી

USA India Trade Deal :ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની બીજી મુલાકાતે 

17 મેના રોજ થનારી આ મુલાકાત ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ કરવામાં આવેલી પ્રતિબદ્ધતાને અનુસરે છે, જ્યાં બંને દેશોએ 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા સંમતિ આપી હતી. વર્તમાન મુલાકાતનો હેતુ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટોને આગળ વધારવા અને ભારતીય નિકાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા 26 % ટેરિફ સહિત મુખ્ય વેપાર-સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે.

 

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ajmer Sharif Dargah Ajmer dargah sharif claimed to be hindu temple court accept plea of hindu sena notice issued
રાજ્યMain PostTop Post

  Ajmer Sharif Dargah:  શાહી જામા મસ્જિદ બાદ હવે આ દરગાહમાં શિવ મંદિરનો દાવો, રાજસ્થાન કોર્ટે અરજી સ્વીકારી; થશે વધુ સુનાવણી.. 

by kalpana Verat November 27, 2024
written by kalpana Verat

   News Continuous Bureau | Mumbai

Ajmer Sharif Dargah: ઉત્તર પ્રદેશ સંભલ માં શાહી જામા મસ્જિદના સર્વે બાદ થયેલી હિંસાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. ત્યારે આજે રાજસ્થાનના અજમેર સ્થિત પ્રસિદ્ધ દરગાહને હિંદુ મંદિર જાહેર કરતી અરજીને નીચલી અદાલતે સ્વીકારી લીધી છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણીની તારીખ 5 ડિસેમ્બર નક્કી કરી છે. વાસ્તવમાં, હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને હિન્દુ પૂજા સ્થળ તરીકે જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

Ajmer Sharif Dargah:  દરગાહ સમિતિ, લઘુમતી બાબતો અને ASIને સમન્સ નોટિસ જારી

અજમેર પશ્ચિમ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટ દ્વારા આજે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. દરમિયાન, વાદી વિષ્ણુ ગુપ્તાના દાવાની સંજ્ઞાન લેતા, ન્યાયાધીશ મનમોહન ચંદેલે દરગાહ સમિતિ, લઘુમતી બાબતો અને ASIને સમન્સ નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો અને તેમને આગામી તારીખે હાજર થવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Aadhaar card update deadline:મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાઈ, હવે આ તારીખ સુધી ઉપલબ્ધ રહેશે સેવા.. જાણો આખી પ્રોસેસ..

Ajmer Sharif Dargah: હિન્દુ સંગઠનો દરગાહને હિન્દુ મંદિર ગણાવી રહ્યાં છે.

મહત્વનું છે કે હિન્દુ સંગઠનો ઘણા સમયથી અજમેર દરગાહને મંદિર ગણાવી રહ્યાં છે. વર્ષ 2022માં હિન્દુ સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ તેને મંદિર હોવાનો દાવો કરીને રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેન્દ્ર સરકારને પત્ર લખીને તેની તપાસ કરાવવા માટે કહ્યું હતું. મહારાણા પ્રતાપ સેનાના અધિકારીઓએ એક ફોટોગ્રાફ મોકલ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજમેર દરગાહની બારીઓ પર સ્વસ્તિકના નિશાન છે. સંસ્થાના સ્થાપક રાજવર્ધન સિંહ પરમારે દાવો કર્યો હતો કે અજમેર દરગાહ એક શિવ મંદિર હતું જેને દરગાહમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.

November 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa aicwa claims makers are not cooperative after death of light man
મનોરંજન

Anupamaa controversy: અનુપમા ના મેકર્સ ની વધી મુશ્કેલી, AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે મૂકી આવી માંગણી

by Zalak Parikh November 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupamaa controversy: અનુપમા છેલ્લા ઘણા સમય થી ચર્ચામા છે. પહેલા અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી હતી. ત્યારબાદ સિરિયલ નું રેટિંગ પણ ઘટી ગયું હતું હવે ફરી એકવાર અનુપમા ચર્ચામાં આવી છે. તાજેતર માં અનુપમા ના સેટ પર એક લાઇટમેન નું કરંટ લાગવાને કારણે નિધન થયું હતું હવે AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા આ નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે કેટલીક માંગ કરી છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ મેકર્સ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે અનુપમા સિરિયલના નિર્માતાઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.  

આ સમાચાર પણ વાંચો : Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય આ દિવસે લેશે શોભિતા સાથે સાત ફેરા! કપલ નું વેડિંગ કાર્ડ થયું લીક,લગ્ન ની વિગતો આવી સામે

અનુપમા ના મેકર્સ ની મુશ્કેલી વધી 

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખે સિરિયલ અનુપમાને લઈને કહ્યું કે ‘અનુપમાના સેટ પર એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે. 14 નવેમ્બરના રોજ સેટ પર 32 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સેટ પર ખોટી મેન્ટેનન્સને કારણે આ વ્યક્તિ ને વીજ કરંટ લાગ્યો હતો. આ વ્યક્તિ સાથે અકસ્માત થયા પછી પણ સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું. ટીમના સભ્યો આ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના મૃત્યુ બાદથી શોના મેકર્સ આ વ્યક્તિની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેટ પર કોઈ સહકાર આપવા તૈયાર નથી.’

#AICWA president appeals to #CMEknathShinde to suspend #Anupamaa shoot after crew member’s death, start investigationhttps://t.co/xmPyQzozJf

— SCREEN (@ieEntertainment) November 18, 2024


અનુપમા ના મેકર્સ નું આવું વર્તન જોઈને ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને એકનાથ શિંદેને પત્ર લખીને સમગ્ર મામલાની માહિતી આપી છે. એટલું જ નહીં, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને માંગ કરી છે કે રાજન શાહીએ મૃતક વ્યક્તિ ના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kedarnath Dham Kedarnath Temple trust head hits back at Shankaracharya over 'gold scam' claim
રાજ્ય

Kedarnath Dham : બદરી કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અને શંકરાચાર્ય આમને -સામને, પડકાર આપતા કહ્યું- પુરાવા રજૂ કરો કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ચોરાયું છે…

by kalpana Verat July 17, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

 Kedarnath Dham : બદરી કેદાર મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામસામે છે. મામલો 228 કિલો સોનાની ચોરીનો છે. હાલમાં જ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે 228 કિલો સોનાની ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે બદરી કેદાર મંદિર સમિતિના પ્રમુખે તેમને ખુલ્લો પડકાર આપ્યો છે અને તેમને સાબિત કરવા કહ્યું છે કે આ સોનું ખરેખર ચોરાયું છે? તેમણે કહ્યું, હું તેમનું સન્માન કરું છું પરંતુ તેમણે સાબિત કરવું જોઈએ કે તે કયા આધારે આ દાવો કરી રહ્યા છે.

 Kedarnath Dham :સબૂત હોય તો તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ

જણાવી દઈએ કે બદરી કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદના દાવાના જવાબમાં તેમણે કહ્યું કે, હું તેમનું સન્માન કરું છું પરંતુ સમાચારોમાં રહેવું તેમની આદત બની ગઈ છે. તેઓ વિવાદોમાં રહે છે અને સનસનાટી મચાવે છે. જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે પોલીસ અથવા સત્તાવાળાઓ પાસે જવું જોઈએ. જો તેમને કોઈ પર વિશ્વાસ ન હોય તો તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેઓએ તપાસની માંગ કરવી જોઈએ પરંતુ તેઓ આખો દિવસ પ્રેસ કોન્ફરન્સ કરે છે. રાજકારણીઓ પણ એટલી બધી પ્રેસ કોન્ફરન્સ કરતા નથી.

 Kedarnath Dham : કેદારનાથની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી

અજેન્દ્ર અજયે વધુમાં કહ્યું કે, ‘તેમને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો અને કેદારનાથની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. તેઓ કોંગ્રેસના એજન્ડાને ફેલાવવાનું કામ કરે છે. આ કમનસીબ છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગર્ભગૃહને સુવર્ણમય બનાવવામાં મંદિર સમિતિ કે રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી. ગોલ્ડ પ્લેટિંગનું કામ મુંબઈના એક દાતા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે મંદિર સમિતિને કોઈ સોનું આપ્યું ન હતું. આ કામ તેણે પોતે પોતાના કારીગરો દ્વારા કરાવ્યું હતું. તેમણે દેશના તમામ મંદિરોમાં સોનાનું કામ કરાવ્યું છે. તેઓ બહુ મોટા દાતા છે. આવા આક્ષેપોથી તેમની લાગણીઓને પણ ઠેસ પહોંચી છે. અવિમુક્તેશ્વરાનંદને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારના આક્ષેપો ન કરે.

આ સમાચાર પણ વાંચો : Ghatkopar hoarding collapse: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રેલવે એક્શનમાં, પાલિકાના નિયમોનું કરશે પાલન; હટાવશે ઓવરસાઇઝડ હોર્ડિંગ્સ..

મંદિરના ગર્ભગૃહમાં 23 કિલો સોનું ચડાવવામાં આવ્યું હતું. પ્રથમ ચાંદીની બનેલી પ્લેટ સ્થાપિત કરવામાં આવી હતી. કેદારનાથ ધામમાં 23 કિલો સોના સાથે 1000 કિલો તાંબુ ભેળવવામાં આવ્યું છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. એક સંત તરીકે તેમણે સમરસતાનો સંદેશ આપવો જોઈએ.

July 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
NDA Govt Formation Narendra Modi-led NDA alliance to stake claim to form govt
દેશMain PostTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

NDA Govt Formation : ફિર એકબાર મોદી સરકાર! એનડીએ ગઠબંધનને સરકાર બનાવવાનો મુક્યો પ્રસ્તાવ…

by kalpana Verat June 7, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

NDA Govt Formation : દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ ઘટક પક્ષોએ નરેન્દ્ર મોદીને તેમના સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર તમામ પક્ષોના નેતાઓ સહમત થયા હતા. આ પછી પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં હાજર ભાજપ અને એનડીએ નેતાઓ અને નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કર્યા.

NDA Govt Formation : સરકાર બનાવવાનો દાવો કર્યો

સંબોધન પૂરું કર્યા પછી તરત જ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન મોદી સાથે ચિરાગ પાસવાન સહિત NDAના 15થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા. મોદી સાથે રાષ્ટ્રપતિ ભવન જવાના તેમના ઘટકોના નેતાઓમાં રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, પ્રફુલ પટેલ, સુદેશ મહતો, અનુપ્રિયા પટેલ, એચડી કુમારસ્વામી અને ચિરાગ પાસવાનનો સમાવેશ થાય છે.  

આ સમાચાર પણ વાંચો : NDA Govt Formation: એનડીએ સંસદીય દળની યોજાઈ બેઠક; નીતિશ કુમાર એવું તો શું બોલ્યા કે હસી પડ્યા નરેન્દ્ર મોદી? જુઓ આ વીડિયોમાં..

NDA Govt Formation :  નરેન્દ્ર મોદી  સાંજે 4.30 કલાકે રાષ્ટ્રપતિ મુર્મુને મળવા જશે

અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે 4.30 કલાકે રાષ્ટ્રપતિ મુર્મુને મળવા જશે. નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોમાં, એનડીએ જૂથને 293 બેઠકો મળી હતી, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતાં વધુ છે. જો કે, આ વખતે એનડીએનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકથી ઘણી ઓછી પડી ગઈ હતી, તેથી મનોબળના મુદ્દાને લઈને લાંબી બેઠકો થઈ હતી.

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
rakhi sawant ex husband adil durrani big claim after her hospitalised
મનોરંજન

Rakhi sawant: આ કારણ થી પોતાની બીમારી નું નાટક કરી રહી છે રાખી સાવંત! અભિનેત્રી ના પૂર્વ પતિ આદિલ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો

by Zalak Parikh May 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ને હૃદય સંબંધિત બીમારી ને કારણે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. રાખી નો એક્સ પતિ રિતેશ સિંહ સતત મીડિયા ને અભિનેત્રી ની તબિયત ને લઈને હેલ્થ અપડેટ આપતો રહે છે.રિતેશે મીડિયા ને જણાવ્યું હતું કે, રાખીની હાલત નાજુક છે અને તેની એન્જિયોગ્રાફીની તૈયારીઓ ચાલી રહી છે. હવે રાખીના પૂર્વ પતિ આદિલ ખાને રાખીની બીમારીને ડ્રામા ગણાવી છે.જેને લઈને આદિલે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: રાખી સાવંત ની તબિયત થઇ ખરાબ, આ બીમારી ને કારણે હોસ્પિટલમાં થઇ દાખલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

રાખી ની બીમારી એક  ડ્રામા છે.- આદિલ ખાન 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા આદિલે કહ્યું, ‘રાખી લીક વીડિયો કેસમાં જેલ જવાથી બચવા માટે આ બધું કરી રહી છે. કોઈ મેડિકલ રિપોર્ટ નથી. ડોકટરોએ કશું કહ્યું નથી. અમને ખબર નથી કે તે કઈ હોસ્પિટલમાં દાખલ છે. જો તે હાર્ટ એટેક હોય, તો મને લાગે છે કે દર્દીઓને સામાન્ય રીતે ઓક્સિજન માસ્કની જરૂર હોય છે, પરંતુ તેની પાસે તે પણ નથી. તે આવું એટલા માટે કરી રહી છે કારણ કે તેણે જલ્દી જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. જેલમાં જવાથી બચવા માટે આ માત્ર ડ્રામા છે.’

 

View this post on Instagram

 

A post shared by News18.com (@cnnnews18)


આ પહેલા રિતેશે મીડિયા ને જણાવ્યું હતું કે રાખી ને પેટ માં અને છાતી માં તીવ્ર દુખાવો ઉપડતા તેન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં રાખી ના ગર્ભાશય માં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. રિતેશ ના કહેવા પ્રમાણે રાખી ને કેન્સર છે. આવી સ્થિતિમાં રિતેશની વાત સાંભળીને આદિલે કહ્યું, ‘એવું કંઈ નથી. હું જ્યારે રાખી સાથે રિલેશનશીપમાં હતો ત્યારે તેણે ફુલ બોડી ટેસ્ટ કરાવ્યો હતો. તેને કોઈ સમસ્યા ન હતી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fact Check The viral screenshot claiming that the Dainik Bhaskar survey predicts I.N.D.I.A bloc lead in 10 states is fake
FactcheckMain PostTop Postલોકસભા ચૂંટણી 2024

Fact Check : શું દૈનિક ભાસ્કરના સર્વેમાં ભારત ગઠબંધનને 10 રાજ્યોમાં લીડ મળી? જાણો શું છે વાયરલ સ્ક્રિનશોટની સત્યતા..

by kalpana Verat April 20, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થઈ ગયું છે. દરમિયાન, દૈનિક ભાસ્કરના  ચૂંટણી 13 એપ્રિલના રોજનો કથિત સર્વે રિપોર્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કથિત સર્વે અનુસાર, વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનને 10 રાજ્યોમાં લીડ મળવાની આશા છે. સાથે જ દક્ષિણ ભારતના રાજ્યોના પરિણામો બાદ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં એનડીએનો સફાયો થઈ જશે.

Fact Check The viral screenshot claiming that the Dainik Bhaskar survey predicts I.N.D.I.A bloc lead in 10 states is fake

 Fact Check :કથિત સર્વેનો સ્ક્રીનશોટ થયો વાયરલ

આ કથિત સર્વેનો સ્ક્રીનશોટ શેર કરતા એક યુઝરે લખ્યું છે કે, ‘દૈનિક ભાસ્કરે લોકસભા ચૂંટણી પર એક મેગા સર્વે કર્યો છે, જેમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત બ્લોકને 326 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે, જે બહુમતથી ઘણી આગળ છે. ઉત્તર પ્રદેશમાં ભારત ગઠબંધનને 22 બેઠકો મળી રહી છે. આ વખતે જનતાએ પરિવર્તન માટે પોતાનું મન બનાવી લીધું છે કારણ કે ભારતનું ગઠબંધન ‘લોકોના મુદ્દાઓ’ વિશે વાત કરી રહ્યું છે અને ભાજપ માત્ર ‘મોદી’ વિશે વાત કરી રહ્યું છે.”  

જોકે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ એડિટ કરવામાં આવ્યો છે. દૈનિક ભાસ્કરે 13 એપ્રિલે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા ન હતા.

Fact Check : The viral screenshot claiming that the Dainik Bhaskar survey predicts I.N.D.I.A bloc lead in 10 states is fake

Fact Check :આ સર્વેની સત્યતા કેવી રીતે સાબિત થઇ

હવે વાત એ આવે છે કે આ સર્વેની સત્યતા કેવી રીતે સાબિત થઇ… વાયરલ સ્ક્રીનશોટને જો આપણે ધ્યાનથી જોઈએ તો તેમાં “ભારત” શબ્દની જોડણી ખોટી છે. અને આ સ્ક્રીનશૉટ ને વધુ ચકાસતા ખબર પડે છે કે આ વાયરલ સ્ક્રીનશોટ 13 એપ્રિલના રોજ ભોપાલથી પ્રકાશિત થયેલા અખબારના પહેલા પૃષ્ઠનો છે. હવે આપણે તેની વેબસાઈટ પર 13મી એપ્રિલના રોજ દૈનિક ભાસ્કરનું ઈ-પેપર જોઈએ.

Fact Check : The viral screenshot claiming that the Dainik Bhaskar survey predicts I.N.D.I.A bloc lead in 10 states is fake

આ ઉપરોક્ત તસવીરમાં જોઈ શકાય છે કે 13 એપ્રિલના રોજ કોઈ ચૂંટણી સર્વે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો ન હતો. આ દિવસે ભાજપની જાહેરાત અને ભોપાલમાં વરસાદ સાથે જોડાયેલા સમાચાર પહેલા પેજ પર જોઈ શકાય છે. ઉપરાંત જો અન્ય તમામ શહેરોમાંથી પ્રકાશિત દૈનિક ભાસ્કરની આવૃત્તિઓ જોઈએ તો તેમાં પણ I.N.D.I.A. ગઠબંધનની લીડનો અંદાજ આપતો કોઈ સર્વે પ્રકાશિત થયો નથી. એટલે અહીં તે સ્પષ્ટ થઈ જાય છે કે વાયરલ સ્ક્રીનશોટ એડિટ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનની બહાર યુવકે ફેંક્યું ગુટખાનું રેપર, કૃત્ય પર શરમાવાને બદલે આપ્યો ઉલટો જવાબ; કહ્યું- હું રેલ્વેને મેન્ટેનન્સ આપું છું… જુઓ વિડીયો

 Fact Check :અખબારે પણ આ સ્ક્રીનશોટને નકલી જાહેર કર્યો

દૈનિક ભાસ્કરની વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કર્યા પછી ખબર પડે છે કે અખબારે પણ આ સ્ક્રીનશોટને નકલી જાહેર કર્યો છે.

 

#FakeNews : यह सर्वे फेक है, जिसे कुछ असामाजिक तत्वों ने तैयार किया है… दैनिक भास्कर ऐसे किसी भी कंटेंट का दावा नहीं करता है… ऐसे लोगों पर सख्त कार्रवाई होनी चाहिए#DainikBhaskar #ElectionCommission @ECISVEEP pic.twitter.com/ahKD5dFWQC

— Dainik Bhaskar (@DainikBhaskar) April 13, 2024

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે 13 એપ્રિલના અખબારના પહેલા પેજને એડિટ કરવામાં આવ્યું છે અને તેના પર આ નકલી સર્વે મૂકવામાં આવ્યો છે.

 Fact Check : દૈનિક ભાસ્કરે “મેરા વોટ મેરી મરઝી” સર્વે કર્યો 

વાસ્તવમાં, મીડિયા હાઉસ દૈનિક ભાસ્કરે 14 એપ્રિલે અખબારે તેના પ્રથમ ચૂંટણી સર્વેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. “મેરા વોટ મેરી મરઝી” નામનો આ સર્વે 12 રાજ્યોની 308 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. આ મુજબ, 48% મતદારો નરેન્દ્ર મોદીને ફરીથી પીએમ તરીકે પસંદ કરવા માંગે છે, જ્યારે 37% લોકો વધતી બેરોજગારીથી ચિંતિત છે. આનો અર્થ એ થયો કે  દૈનિક ભાસ્કરે “નીલસન” સાથે મળીને આવો કોઈ ચૂંટણી સર્વે કર્યો નથી. જેમાં 10 રાજ્યોમાં I.N.D.I.A. મહાગઠબંધનની લીડ માટે કોઈ અંદાજ લગાવવામાં આવ્યો હોય.

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa kinjal aka nidhi shah on paras kalnawat claims
મનોરંજન

‘અનુપમા’ શો છોડવા પર સમર-કિંજલ આવ્યા આમને-સામને, પારસના આરોપો પર નિધિએ આપી પ્રતિક્રિયા

by Zalak Parikh May 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’નો ભાગ રહી ચુકેલા અભિનેતા પારસ કલનાવત આ દિવસોમાં શોની સ્ટાર કાસ્ટ અને શૂટિંગ સેટ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાનો શો છોડવાનું કારણ આપતા કહ્યું હતું કે જો વધુ સારી તક મળશે તો શોના 80 ટકા કલાકારો તે શો છોડી દેશે. ઇન્સ્ટાગ્રામ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં પારસે કહ્યું કે દરેક વ્યક્તિમાં જોખમ ઉઠાવવાની અને જે યોગ્ય છે તેના માટે લડવાની તાકાત હોતી નથી. હવે શોમાં કિંજલનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી નિધિ શાહે જવાબ આપ્યો છે.

 

 નિધિ એ પારસના જવાબ પર આપી પ્રતિક્રિયા 

નિધિ આ બાબતે પારસના વિચારો સાથે સહમત નથી. તેણે કહ્યું, “શો ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેનું એક કારણ છે. શોના દરેક સભ્ય તેઓ જે પણ કરી રહ્યા છે તેનો આનંદ માણી રહ્યા છે અને આ જ કારણ છે કે બધું જ આટલી તેજસ્વી રીતે બહાર આવી રહ્યું છે.” પારસ કલનાવતના શો છોડવાની વાત પર નિધિ શાહે સવાલ ઉઠાવતા જવાબ આપ્યો કે, છેલ્લા ત્રણ વર્ષથી નંબર વન રહેલો શો કોઈ શા માટે છોડશે?નિધિ શાહે કહ્યું, “તમે અન્ય શોની લાઈફ જુઓ. મને લાગે છે કે કદાચ માત્ર 3 કે 4 જ શો છે જે આટલો લાંબો સમય ચાલ્યા છે. મોટાભાગના શો 6 કે 7 મહિનામાં બંધ થઈ જાય છે.” પારસે કહ્યું હતું કે જો કોઈને વધુ સારી તક આપવામાં આવે તો કોઈ પણ શો છોડી દેશે, પરંતુ નિધિ શાહે અસંમત થતાં કહ્યું, “મને નથી લાગતું કે અમારા સેટ પર કોઈ એવું છે જે શો છોડવા માંગે છે. કોઈ પણ પ્રકારનું દબાણ નથી. અને જો કોઈને જવું હશે તો તે જશે.”

આ સમાચાર પણ વાંચો: શું અનુપમા ની સ્ટારકાસ્ટ છોડવા માંગે છે શો?અનુપમાના સમરે શો વિશે જણાવી ચોંકાવનારી વાતો

નિધિ એ શો વિશે કહી આ વાત 

કિંજલનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી નિધિ શાહે કહ્યું, “કોઈ કોઈને કહેવાનું નથી કે મહેરબાની કરીને રોકાઈ જાઓ, તારા વિના શૂટિંગ આગળ નહીં ચાલે. ત્યાં બધું બરાબર છે. મને સમજાતું નથી કે પારસ આવું કેમ કરી રહ્યો છે.” જ્યારે તેની કોઈ જરૂર નથી ત્યારે દરેક શા માટે વાત કરે છે?” શુટિંગ દરમિયાન નિધિને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે, “એવું કંઈ નથી. દરેક ઓફિસમાં, દરેક જગ્યાએ લોકોનો પોતાનો દૃષ્ટિકોણ હોય છે.”

May 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક