• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - complaint
Tag:

complaint

Complaint Filed Against Ranveer Singh for Hurting Religious Sentiments by Mimicking 'Kantara' Daiva Scene
મનોરંજન

Ranveer Singh: ‘કાંતારા’ ફિલ્મના સીનની નકલ ઉતારવી રણવીર સિંહ ને પડી ભારે, અભિનેતા વિરૃદ્ધ નોંધાઈ ફરિયાદ

by Zalak Parikh December 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: રણવીર સિંહ વિવાદોમાં છે. ફિલ્મ ‘કાંતારા’માં દૈવના સીનની નકલ ઉતારવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો છે, અને હવે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. બેંગલુરુ સ્થિત એક વકીલે હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રણવીર સિંહ પર ફિલ્મ ‘કાંતારા’માં બતાવેલી પરંપરાગત તુલુ પૂજાની પ્રથાનું અપમાન કરવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે માફી માંગી, વિવાદિત નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો

રણવીર સિંહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

વકીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિનેતાએ કથિત રીતે પંજુરલી/ગુલિગા દૈવની નકલ ઉતારી. વકીલનો દાવો છે કે આ પર્ફોર્મન્સ અશ્લીલ અને અપમાનજનક હતું, જેનાથી હિંદુ ધાર્મિક ભાવનાઓને, ખાસ કરીને તુલુ બોલતા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ, હિન્દુ જનજાગૃતિ સમિતિએ રણવીર સિંહ વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી હતી. આ આરોપ હતો કે રણવીરે ગોવામાં આયોજિત ૫૬મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન ચામુંડા દેવીનું અપમાન કર્યું હતું અને દૈવના દિવ્ય રૂપની નકલ ઉતારી તેને “મહિલા ભૂત” કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by NEWS9 (@news9live)


ગોવામાં આયોજિત આઈએફએફઆઈના સમાપન સમારોહમાં રણવીર સિંહે ઋષભ શેટ્ટીની ખૂબ પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેણે ઋષભની ફિલ્મ ‘કાંતારાના’ દૈવ સીનની નકલ ઉતારી અને દૈવને ‘ભૂત’ કહ્યું. ત્યારથી જ તે વિવાદોમાં ઘેરાઈ ગયો છે.વિવાદ વધતો જોઈ રણવીર સિંહે માફી પણ માંગી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
complaint filed against youtuber ranveer allahbadia samay raina and others
મનોરંજન

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ની મુશ્કેલી માં થયો વધારો, બંને વિરુદ્ધ કેસ થયો દાખલ, પોલીસે શરૂ કરી કાર્યવાહી

by Zalak Parikh February 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શો માં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સામે આવ્યા પછી, મુંબઈ પોલીસની એક ટીમ ખાર સ્ટુડિયો પહોંચી જ્યાં શોનું શૂટિંગ થઈ રહ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: જાણો અમિતાભ બચ્ચને તેમની તાજેતર ની પોસ્ટ માં એવું તે શું લખ્યું કે તેમના ચાહકો ને થઈ ચિંતા

રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 

મીડિયા રિપોર્ટ મુજબ રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પત્રમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

#WATCH | Maharashtra | The team of Mumbai Police leaves from the Khar studio where the show, ‘India’s Got Latent’ was shot

Earlier, A complaint was filed against YouTuber Ranveer Allahabadia, social media influencer Apoorva Makhija, comedian Samay Raina and the organisers of the… pic.twitter.com/qULpbNDZeu

— ANI (@ANI) February 10, 2025


‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના લેટેસ્ટ શો માં ણવીર અલ્હાબાદિયાએ તેના માતા-પિતા પર એવી અભદ્ર ટિપ્પણી કરી કે તેની ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અને હવે તેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament scuffle Rahul Gandhi Booked After BJP Complaint Over Injuries To MPs During Parliament Protests
દેશ

Parliament scuffle: સાંસદો વચ્ચે ઘર્ષણ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ, ભાજપે કોંગ્રેસ નેતા વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાવી ફરિયાદ…

by kalpana Verat December 19, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Parliament scuffle: વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે મારામારીના આરોપો વચ્ચે ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત NDAના ત્રણ સાંસદોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમણે આજે સંસદમાં બનેલી સમગ્ર ઘટનાની માહિતી આપી છે.

Parliament scuffle: હત્યાના પ્રયાસ સહિતની આ કલમો લગાવવામાં આવી 

રાહુલ ગાંધીનું જે પ્રકારનું વલણ છે તેનાથી લાગે છે કે તેઓ ઉપરના છે. ગાંધી પરિવાર પોતાને કાયદાથી ઉપર માને છે. ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી મારામારી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે.  

આ સમાચાર પણ વાંચો  : No-Confidence Notice:વિપક્ષને મોટો ઝટકો, ઉપપ્રમુખ જગદીપ ધનખડ સામેની અવિશ્વાસની દરખાસ્તની નોટિસ ફગાવી; જાણો શું છે કારણ..

 અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલમ 109 હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે, જ્યારે કલમ 117 ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવા સાથે સંબંધિત છે.

Parliament scuffle: ભાજપની મહિલા સાંસદે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને ધક્કો મારીને નીચે પાડી દીધા, જેના કારણે તેઓ ઘાયલ થયા. જો કે રાહુલ ગાંધીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. બીજેપી નાગાલેન્ડની મહિલા સાંસદ ફેનન કોન્યાકે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ખૂબ જ નજીક ઉભા હતા, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, જ્યારે રાહુલ ગાંધી આવ્યા અને મારા પર બૂમો પાડવા લાગ્યા. તેમને મહિલા પર બૂમો પાડવી યોગ્ય નથી.  

December 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Allu Arjun Arrest Actor Allu Arjun arrested in Sandhya Theatre stampede case
Main PostTop Postમનોરંજન

Allu Arjun Arrest : પુષ્પા 2ની સફળતા વચ્ચે અલ્લૂ અર્જુનની ધરપકડ, આ કેસમાં પોલીસ અભિનેતાને ઉઠાવીને લઈ ગઈ; જુઓ વિડીયો

by kalpana Verat December 13, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Allu Arjun Arrest :  

  • હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.   પોલીસે તેની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. 

  • પોલીસ અલ્લુ અર્જુનને ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. 

  • અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલીઝ દરમિયાન થયેલી ભાગદોડની ઘટનામાં એક મહિલાનું મોત થયુ હતુ. 

  • મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે બાદમાં ફરિયાદ નોંધાતા હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : Village Wedding Video: લ્યો બોલો… લગ્નમાં ઢોસા માટે મચી લૂંટ, લોકો તવા પરથી જ ગરમ ઢોસા લઈ ભાગ્યા.. જુઓ વિડીયો..

 

Actor #AlluArjun    arrested days after a woman was killed in a stampede at a ‘Pushpa 2’ screening in Hyderabad.

But what’s his fault? Isn’t crowd control the police’s responsibility? pic.twitter.com/bZoPa0LIdh

— Prayag (@theprayagtiwari) December 13, 2024

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Sunil Pal kidnapping: કોમેડિયન સુનીલ પાલે નોંધાવી અપહરણની ફરિયાદ, અપહરણકારોએ આઠ લાખ રૂપિયા વસૂલ્યા; મુંબઈ પોલીસ તપાસમાં લાગી

by kalpana Verat December 7, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Sunil Pal kidnapping: જાણીતા કોમેડિયન સુનીલ પાલની ફરિયાદ પર મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો કેસ નોંધ્યો છે. સુનીલ પાલની ફરિયાદ પર મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે આ કેસને ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સ્થિત લાલકુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ 138, 140(2), 308(2), 308(5) હેઠળ પાંચ-છ અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.

Sunil Pal kidnapping: સુનીલ પાલે ફરિયાદમાં આ દાવો કર્યો 

સુનીલ પાલની ફરિયાદ અનુસાર, આ ઘટના 2 ડિસેમ્બરની સાંજે 6.30 વાગ્યાથી 3 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાની વચ્ચે બની હતી. કોમેડિયને પોતાની ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે જ્યારે તે કોમેડી શો માટે મેરઠ પહોંચ્યો હતો ત્યારે પાંચ-છ લોકોએ તેનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

મહત્વનું છે કે સુનીલ પાલની પત્ની સરિતાએ મંગળવારે (3 ડિસેમ્બર) મુંબઈ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ થોડા કલાકો પછી તેઓએ જાહેરાત કરી હતી કે તે સુરક્ષિત છે અને ઘરે પહોંચી ગયો છે. સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે તે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યો છે.

Sunil Pal kidnapping:અપહરણ દિલ્હીમાં મેરઠની સરહદ પર થયું 

સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં પાલે કહ્યું હતું કે 2 ડિસેમ્બરે મારું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હું સુરક્ષિત રીતે ઘરે પાછો આવી ગયો છું. મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, હું વધુ વિગતો શેર કરીશ. તેમણે કહ્યું કે અપહરણ દિલ્હીમાં મેરઠની સરહદ પર થયું હતું. તેણે તેના ચાહકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી.

આ સમાચાર પણ વાંચો: Sunil Pal: ગાયબ થયા બાદ ઘરે પરત ફર્યો સુનિલ પાલ, કોમેડિયન એ પોલીસ ને જણાવી હકીકત

જો આપણે સુનીલ પાલની કારકિર્દી પર નજર કરીએ, તો તે વર્ષ 2005માં ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લઈને અને જીત્યા બાદ પ્રખ્યાત થયો હતો. આ પછી, પાલે ‘ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ જેવા શો હોસ્ટ કર્યા અને ‘કોમેડી ચેમ્પિયન્સ’, ‘કોમેડી સર્કસ કે સુપરસ્ટાર્સ’નો પણ ભાગ હતો. પાલે ‘બોમ્બે ટુ ગોવા’, ‘ભાવનાઓ કો સમજો’, ‘મની બેક ગેરંટી’, ‘કિક’, ‘ક્રેઝી 4’, ‘ફિર હેરા ફેરી’, ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

 

December 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UP By Election 2024 Election Commission takes action against policemen after Akhilesh Yadav's complaint; 2 suspended
રાજ્યMain PostTop Post

UP By Election 2024: ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ એક્શનમાં, અખિલેશ યાદવની ફરિયાદ બાદ આટલા ઈન્સ્પેક્ટરોને કર્યા સસ્પેન્ડ..

by kalpana Verat November 20, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

UP By Election 2024: આજે યુપીની 9 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગેરરીતિના આરોપો પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચે યુપીના કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ અધિકારીઓ પર આરોપ છે કે તેઓ મતદાન કરવા જતા મતદારોના વોટર કાર્ડ ચેક કરી રહ્યા છે અને તેમને મતદાન કરતા અટકાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીની ફરિયાદ પર ચૂંટણી પંચે પહેલાથી જ યુપી પોલીસ અધિકારીઓને મતદારોના આઈડી કાર્ડ ન ચેક કરવાનો આદેશ આપ્યો હતો. કોઈપણ રીતે, આ અધિકાર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા અધિકારીઓનો છે, પોલીસ અધિકારીઓ કે સૈનિકોનો નહીં.

 

हमारी उन सभी मतदाताओं से अपील है कि फिर से जाकर वोट डालने की कोशिश करें, जिनको पहले वोट डालने से रोका गया था। देश के मुख्य चुनाव आयुक्त श्री राजीव कुमार जी से बात होने के बाद वीडियो और फ़ोटो सबूतों के आधार पर भ्रष्ट और पक्षपाती पुलिस अधिकारियों को सस्पेंड कर दिया गया है और बाक़ी… pic.twitter.com/EOxMqOocoW

— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024

UP By Election 2024: કરવામાં આવશે કડક કાર્યવાહી 

ચૂંટણી પંચે કહ્યું છે કે તમામ ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપો અને તાત્કાલિક પગલાં લો અને ફરિયાદ કરનારને ટેગ કરીને સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરો. કોઈપણ પ્રકારનું પક્ષપાતી વલણ સાંખી લેવામાં આવશે નહીં અને ફરિયાદ મળ્યા બાદ જો કોઈ દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

UP By Election 2024: અધિકારીઓ સામે પગલાં લેવાયા

ચૂંટણી પંચે કહ્યું છે કે તમામ 9 જિલ્લામાં તૈનાત પોલીસ અને સામાન્ય નિરીક્ષકોને પણ કડક નજર રાખવા અને મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે થાય તે સુનિશ્ચિત કરવા કડક સૂચના આપવામાં આવી છે. કાનપુરમાં અખિલેશ યાદવની ફરિયાદની નોંધ લેતા સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે માહિતી આપી હતી કે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી પેટાચૂંટણીમાં મળેલી વિવિધ ફરિયાદો પર કાર્યવાહી કરતા, ચૂંટણી પંચે મતદારોની ચકાસણી અને મતદારોને મતદાન કરતા અટકાવવા અંગે ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

 

આ સમાચાર પણ વાંચો :  Meerapur By Election: મુઝફ્ફરનગરની આ બેઠક પર હંગામો, પોલીસ પર થયો પથ્થરમારો; જુઓ વીડીયો…

UP By Election 2024:  અખિલેશ યાદવે કર્યો આ આક્ષેપ

લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે કુંડારકી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ સેહરાવત, એડીએમ મુરાદાબાદ, કમિશનર અંજનેયા, સિસામાઉ ડીએસપી દિનેશ ત્રિપાઠી, ઈન્સ્પેક્ટર ચમન ગંજ દિનેશ બિષ્ટ, રમેશ શ્રીવાસ્તવ ઈન્સ્પેક્ટર કર્નલગંજના નામ કોણ નથી જાણતું. અહીં તમામ મત એસપીને મળી રહ્યા છે, પરંતુ આ અધિકારીઓ વિક્ષેપ ઉભો કરી રહ્યા છે. ભાજપ કરતાં જુઠ્ઠું કોઈ નથી. બીજેપીના મતદારો પોતાની મેળે ફરી રહ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
neighbors complained noise problem from sachin tendulkar
ખેલ વિશ્વમુંબઈ

Sachin Tendulkar : સચિન તેંડુલકરથી પાડોશીઓ પરેશાન, મોડી રાત્રે કન્સ્ટ્રક્શનના કામની ફરિયાદ.

by Hiral Meria May 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Sachin Tendulkar :  સચિન તેંડુલકરનું નિવાસ્થાન બાંદ્રામાં ( Bandra ) હિલ રોડ ખાતે આવેલું છે.  અહીં સચિન તેંડુલકરના ઘરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.  ત્યારે પાડોશીઓએ ફરિયાદ કરી છે કે સચિન તેંડુલકર ના ઘરેથી કન્સ્ટ્રક્શનનો ઊંચો અવાજ આવે છે અને તે પણ  મોડી રાત્રે. 

Dear @sachin_rt, it’s nearly 9pm and the cement mixer that’s been outside your Bandra home all day making a loud noise is still there, still making a loud noise.
Please could you ask the people working on your home to stick to reasonable hours? Thank you so much.

— Dilip D’Souza (@DeathEndsFun) May 5, 2024

Sachin Tendulkar :  સચિન તેંડુલકર સંદર્ભે શું ફરિયાદ થઈ છે?

 સચિન તેંડુલકર બાંદ્રા ખાતે રહે છે અને અહીં રાત્રે 9:00 વાગે તેના ઘરે સિમેન્ટ મિક્સ કન્ટેનર આવ્યું અને તે પૂરજોશમાં કામ ( construction work ) કરી રહ્યું હતું.  આ સમયે પાડોશી ( neighbor ) દિલીપ ડિસુઝા એ  ટ્વિટર પર સચિન તેંડુલકરને ફરિયાદ ( complaint )  કરી કે મહેરબાની કરીને અવાજ ઓછો કરો કારણ કે અમને પરેશાની થઈ રહી છે.  આખરે એક કલાક પછી તે પાડોશી એ ફરી એકવાર  ટ્વીટ  કર્યું કે  સચિન તેંડુલકર ( Sachin Tendulkar house ) ની ઓફિસથી મને ફોન આવ્યો હતો અને મેં આખી વાત તેમને સમજાવી દીધી છે.  સચિન તેંડુલકર ની ઓફિસ તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે આગળથી તકલીફ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો: Mumba Devi Temple: મુંબા દેવી મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે ઉજવાશે તેનો વાર્ષિક કેરી મહોત્સવ..

 આમ દરેક પાડોશીઓને એકબીજા સાથે તકલીફ રહેતી જ હોય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
LS polls More than 79,000 violations reported so far through C-Vigil app, says EC
દેશ

LS polls: ECIની સી-વિજિલન્સ એપને મોટી સફળતા, એપથી 79 હજાર ફરિયાદો મળી, આટલા ટકા ઉકેલાઈ

by kalpana Verat March 30, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

LS polls: ભારતની ચૂંટણી પંચની સીવિજિલ એપ લોકોના હાથમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને ચિન્હિત કરવા માટે એક અસરકારક ઉપકરણ બની ગયું છે. સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ આજ દિવસ સુધીમાં 79,000થી વધુ ફરિયાદો મળી છે. 99%થી વધુ ફરિયાદોનું સમાધાન કરી દેવાયું છે અને તેમાંથી લગભગ 89% ફરિયાદોનું સમાધાન 100 મિનિટની અંદર કરાયું છે. ગતિ અને પારદર્શિતા cVIGIL એપ્લિકેશનનો પાયાના પથ્થર સમાન છે.  

58,500થી વધુ ફરિયાદો (કુલ ફરિયાદોના 73 ટકા) ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો સામે છે. મળી આવેલી 1400થી વધુ ફરિયાદો, પૈસા, ભેટસોગાદો અને દારૂ વિતરણને લગતી છે. લગભગ 3% ફરિયાદો (2454) મિલકતના નુકસાન સાથે સંબંધિત છે, હથિયારોના પ્રદર્શન અને ધાક-ધમકીના માટે પ્રાપ્ત થયેલી 535 ફરિયાદોમાંથી 529નો નિવેડો પહેલા જ કરવામાં આવ્યો છે. નોંધાયેલી 1000 ફરિયાદો પ્રતિબંધિત સમયગાળાથી વધુના પ્રચાર માટે હતી, જેમાં માન્ય સમય કરતા વધુ વક્તાઓનો ઉપયોગ શામેલ છે.

cVIGIL એપ્લિકેશન ચૂંટણીની દેખરેખ અને ઝુંબેશની અવ્યવસ્થા ઘટાડવામાં એક મહત્વપૂર્ણ છલાંગ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત માટેની પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે નાગરિકોને સતર્ક રહેવા અને આદર્શ આચારસંહિતાના ભંગની જાણ કરવા અને મતદારોને કોઈ પણ પ્રકારની પ્રલોભનોની વહેંચણી માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

cVIGIL એ યુઝર-ફ્રેન્ડલી અને ઓપરેટ કરવા માટે સરળ એપ્લિકેશન છે, જે જાગૃત નાગરિકોને જિલ્લા નિયંત્રણ કક્ષ, રિટર્નિંગ ઓફિસર અને ફ્લાઇંગ સ્ક્વોડ ટીમો સાથે જોડે છે. આ એપનો ઉપયોગ કરીને નાગરિકો રાજકીય ગેરવર્તણૂંકની ઘટનાઓ અંગે ગણતરીની મિનિટોમાં રિપોર્ટ કરી શકે છે અને રિટર્નિંગ ઓફિસરની કચેરીએ જવાની પણ જરુર નથી. જેવી જ ફરિયાદ cVIGIL એપ પર મોકલવામાં આવશે, ફરિયાદકર્તાને એક યુનિક આઇડી મળશે જેના દ્વારા તે વ્યક્તિ પોતાના મોબાઇલ પર ફરિયાદને ટ્રેક કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan : PM શાહબાઝ શરીફ પાકિસ્તાનના આ ‘નાના બ્લોગર’ને મળ્યા, તેને ખુરશી પર પણ બેસાડ્યો; જુઓ વિડીયો..

એક સાથે કામ કરતા પરિબળોની ત્રિપુટી cVIGILને સફળ બનાવે છે. વપરાશકર્તાઓ વાસ્તવિક સમયમાં ઓડિયો, ફોટા અથવા વીડિયોઝ કેપ્ચર કરે છે, અને ફરિયાદોના સમયબદ્ધ પ્રતિસાદ માટે “100-મિનિટ” કાઉન્ટડાઉન સુનિશ્ચિત કરવામાં આવે છે. જેવો જ ઉપયોગકર્તા ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા માટે cVIGILમાં તેમના કેમેરાને સ્વિચ ઓન કરે કે તરત જ આ એપ્લિકેશન આપમેળે જીઓ-ટેગિંગ સુવિધાને સક્ષમ કરે છે. જેનો અર્થ એ છે કે ફ્લાઇંગ સ્ક્વોડ નોંધાયેલા ઉલ્લંઘનનું ચોક્કસ સ્થાન જાણી શકે છે, અને નાગરિકો દ્વારા કબજે કરવામાં આવેલી છબીનો કાયદાની અદાલતમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. નાગરિકો અનામી રીતે પણ ફરિયાદોની જાણ કરી શકે છે.

આ એપ્લિકેશન તકનીકીનો લાભ લેવા અને મતદારો અને રાજકીય પક્ષોને સુવિધા આપવા માટે પંચ દ્વારા બનાવવામાં આવેલું એક અમોઘ શસ્ત્રમાંથી એક છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lok Sabha Election 2024 Karnataka Minister says ‘slap students who chant Modi Modi’, BJP files complaint
દેશMain PostTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024: કર્ણાટકના મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મોદી-મોદીના નારા લગાવનારાઓને થપ્પડ મારો’, ભાજપે કર્યો પલટવાર..

by kalpana Verat March 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: કર્ણાટકના મંત્રી શિવરાજ તંગદગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. કોંગ્રેસના નેતા શિવરાજે કહ્યું કે જે યુવાનો કે વિદ્યાર્થીઓ ‘મોદી-મોદીના નારા’ લગાવે છે તેમને થપ્પડ મારવી જોઈએ. આ ટિપ્પણીની ભારતીય જનતા પાર્ટી દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ તંગદગી વિરુદ્ધ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  શું કહ્યું શિવરાજ તંગદગીએ ??

કોપ્પલ જિલ્લાના કરતગી ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠકને સંબોધતા કોંગ્રેસના મંત્રીએ કહ્યું કે ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં મત માંગવામાં શરમ આવવી જોઈએ કારણ કે તે વિકાસના મોરચે નિષ્ફળ ગઈ છે. મંત્રીએ કહ્યું કે ભાજપને શરમ આવવી જોઈએ, તેઓ કયા મોઢે વોટ માંગવા આવે છે. તેઓ એક પણ વિકાસ કામ કરવા અસમર્થ છે.

કોંગ્રેસ મંત્રી શિવરાજ તંગદગીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓએ બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. તેમણે સવાલ કર્યો કે, શું ભાજપે કોઈને નોકરી આપી? શિવરાજે કહ્યું કે જ્યારે તેમને નોકરી માટે કહેવામાં આવે છે ત્યારે તેઓ (ભાજપ) તેમને પકોડા વેચવાનું કહે છે.

આ પણ વાંચો : Gaj Kesari Yog: બનવા જઈ રહ્યો છે અદ્દભુત ગજકેસરી રાજયોગ, હોળી બાદ આ 3 રાશિઓના સારા દિવસો..

શિવરાજ તંગદગીએ કહ્યું કે, જો હજુ પણ કોઈ વિદ્યાર્થી કે યુવક ‘મોદી, મોદી’ના નારા લગાવે છે તો તેને થપ્પડ મારવી જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી બધું જુઠ્ઠાણાના આધારે ચાલે છે. કોંગ્રેસના મંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીની ભાજપના નેતાઓએ આકરી ટીકા કરી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ તેને શરમજનક ગણાવ્યું છે.

  ભાજપના નેતા અમિત માલવિયાએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના મંત્રીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું,  કોંગ્રેસના મંત્રી શિવરાજ તંગદગી, જે કર્ણાટક સરકારમાં સંસ્કૃતિ મંત્રી છે. પીએમ મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓને થપ્પડ મારવાનું કહે છે, કારણ કે યંગ ઈન્ડિયાએ રાહુલ ગાંધીને વારંવાર નકારી કાઢ્યા છે અને પીએમ મોદી દેશનું નેતૃત્વ કરવા માંગે છે, શું કોંગ્રેસ તેમના પર હુમલો કરશે? તે શર્મજનક છે.

અમિત માલવિયાએ આગળ લખ્યું, આ વિરોધાભાસ આનાથી વધુ સ્પષ્ટ ન હોઈ શકે, વડાપ્રધાન મોદી યંગ ઈન્ડિયામાં રોકાણ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ તેમને થપ્પડ મારવા માંગે છે. કોઈપણ રાજકીય પક્ષ કે જેણે યુવાનોને નિશાન બનાવ્યા છે તે ક્યારેય ટકી શક્યા નથી. યુવાનો આપણી સામૂહિક આકાંક્ષાઓ ધરાવે છે અને તેમને આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડવાનું કામ સોંપવામાં આવે છે.

ગુંડાગીરીના નિવેદનથી યુવાનોમાં ભય પેદા થઈ શકે છે 

ભાજપે શિવરાજ તંગદગી વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની સંબંધિત કલમો હેઠળ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે અને તેમના પર યુવા મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે ચૂંટણી પંચને કહ્યું છે કે ગુંડાગીરીના નિવેદનથી યુવાનોમાં ભય પેદા થઈ શકે છે અને તેઓ મતદાનથી દૂર રહી શકે છે. ભાજપે શિવરાજ તંગદગીની ટિપ્પણીઓને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી છે અને કહ્યું છે કે તેમને ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરતા રોકવા જોઈએ. બીજેપીના વરિષ્ઠ નેતા સીટી રવિએ કહ્યું કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી ખૂબ જ ખરાબ રીતે હારી જવાની છે. કોંગ્રેસીઓને આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે, તેથી જ તેઓ દરરોજ નવા નીચા તરફ ઝૂકી રહ્યા છે.

March 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor complaint filled against him for hurt religious sentiments
મનોરંજન

Ranbir kapoor: રણબીર કપૂર ની મુશ્કેલી વધી, આ આરોપસર અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh December 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હાલમાં રણબીર કપૂર તેના કપૂર પરિવાર સાથે ક્રિસમસ લંચ ની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રણબીર અને આલિયા એ પહેલીવાર તેમની દીકરી રાહા ની ઝલક બતાવી હતી.હવે રણબીર કપૂર નો ક્રિસમસ સેલિબ્રેશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે રણબીર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

 

રણબીર કપૂર નો વાયરલ વિડીયો 

રણબીર કપૂર ના ક્રિસમસ સેલિબ્રેશન ના વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે. આ વિડીયો માં પૂરો કપૂર પોરિવાર ડાઇનિંગ ટેબલ પર બેઠો છે. અને જહાન કપૂર કેક પર શરાબ રેડે છે અને રણબીર કપૂર લાઇટર વડે કેક ને આગ લગાવતા જય માતાજી બોલે છે.રણબીર ની આ હરકત લોકો ને બિલકુલ પસંદ આવી નથી. રણબીર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત તેને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Saying “Jai mata di” while cutting cake, the way Ranbir Kapoor is giving us pure sanatan dharma vibes 👑❤️pic.twitter.com/W1YB9cP1vE

— Sia⋆ (@siappaa_) December 25, 2023


રણબીર કપૂર ના વાયરલ વિડીયો જોયા બાદ આ અંગે મુંબઈના પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક વ્યક્તિ એ પોતાના બે વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ માં કહેવામાં આવ્યું છે કે,હિંદુ ધર્મમાં, અન્ય દેવતા નું આહવાન કરતા પહેલા અગ્નિ દેવતા નું આહવાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ જાણી જોઈને નશીલા પદાર્થ નો ઉપયોગ કર્યો હતો અને અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જય માતાજી ના નારા લગાવ્યા હતા. આરોપ છે કે આનાથી ફરિયાદીની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.જો કે આ કેસમાં હજુ સુધી કોઈ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: કપૂર પરિવાર ની ક્રિસમસ લંચ પાર્ટી માં રણબીર કપૂરે કર્યું એવું કામ કે થઇ ગયો ટ્રોલ, જુઓ વિડીયો

December 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક