• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - corona care center
Tag:

corona care center

રાજ્ય

ખર્ચ ઘટાડવા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાશે.. જાણો સ્થાનિકોનું શું કહેવું છે..

by Dr. Mayur Parikh September 1, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

01 સપ્ટેમ્બર 2020

એક બાજુ મુંબઈના અમુક પરાઓમાં રિકવરી રેટ વધી રહ્યો છે. તેને કારણે કોરોનાના કેર સેન્ટરો મનપા બંધ કરી રહી છે. તો બીજી બાજુ ઉત્તર મુંબઈમાં કાંદીવલી સહિત અમુક વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ વધુ ઘેરાયું છે . આવા સમયે બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં કોરોના નું કેર સેન્ટર બંધ કરવાની વાત સામે આવતા લોકો રોષે ભરાયા છે. કારણ કે હાલ આ વિસ્તારમાં બીજી કોઇ સરકારી હોસ્પિટલ નથી. મલાડ કાંદીવલી થી લઈને દહીંસર સુધીના લોકો માટે ભગવતી હોસ્પિટલ જ સૌથી નજીક હોવાથી લોકોએ સારવાર ચાલુ રાખવાની માંગ કરી છે.  સ્થાનિક જનપ્રતિનિધિઓ એ પણ જનતાની માંગણી સામે ધ્યાન ન આપવામાં આવે તો જોરદાર વિરોધ કરવાના સંકેતો આપ્યા છે.. 

અત્રે એ જાણવું જરૂરી છે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં જ બીએમસી કમિશનરે ખર્ચમાં ઘટાડો કરવા માટે મોટા ભાગના કોવિડ19 કેર સેન્ટરની સુવિધા બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. હાલ રિકવરી રેટ વધ્યો હોવાને કારણે મનપા દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓને પોતાના ઘરમાં જ કવોરોન્ટીન થવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટાભાગના સેન્ટરો ખાલી પડયા છે. આથી આ ખર્ચા ઓછા કરવા માટે મનપા એ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનામત રાખવામાં આવેલા સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લીધો છે..  પરંતુ ઉત્તર મુંબઈના બોરીવલીમાં આવેલા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલુ રાખવાની સ્થાનિકોની માંગ સામે હજુ સુધી મનપાયે કોઈ પ્રત્યુતર આપ્યો નથી..  આના કારણે સ્થાનિક જનપ્રતિનિધિઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

September 1, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પહેલા કરોડોના ખર્ચે કોરોના કેર સેંટર બનાવ્યા, હવે 67 હજાર બેડ ખાલી. આ પૈસાના ગેરવાપર માટે જવાબદાર કોણ?

by Dr. Mayur Parikh August 12, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 ઓગસ્ટ 2020 

મુંબઈમાં કોરોના નિયંત્રણ માટે પાલિકાએ 403 ‘કોરોના કેર સેન્ટરો’ ચાલુ કર્યા હતાં.. જેમાં કુલ 73,000 પથારીમાંથી 67,574 પથારી ખાલી છે. પરિણામે, ઘણા સ્થળોના કોરોના આરોગ્ય કેન્દ્રો, જેવા કે હોટલ, શાળાઓ, મોટી ઇમારતોમાં હતાં તે તબક્કાવાર બંધ થઈ રહ્યા છે. જો કે, બીકેસી, ગોરેગાંવ નેસ્કો, એનએસસીઆઈ વરલી, મહાલક્ષ્મી, દહિસર, મુલુંડ ખાતેના જમ્બો કોરોના આરોગ્ય કેન્દ્રો ચાલુ રહેશે. એવી માહિતી એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આપી હતી.

લગભગ 98,000 દર્દીઓ 10 મી ઓગસ્ટ સુધીમાં કોરોનાથી મુક્ત થઈ ઘરે પરત ફર્યા છે. ફક્ત 19,190 સક્રિય દર્દીઓ બાકી છે. આમાં 80 ટકાથી વધુ દર્દીઓની સ્થિતિમાં સારો સુધારો છે. મુંબઇમાં ઇલાજ દર 78 ટકા જેટલો વધી ગયો હોવાથી પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવેલા કોરોના કેર સેન્ટર મોટા પ્રમાણમાં ખાલી છે. આથી જ વધારાના આરોગ્ય કેન્દ્રો બંધ રહેશે અને પ્રત્યેક વોર્ડમાં બે થી ચાર કેન્દ્રો જાળવવામાં આવશે.

એડિશનલ કમિશનર કાકાનીએ એમ પણ કહ્યું હતું કે દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તાત્કાલિક બંધ આરોગ્ય કેન્દ્રો ફરીથી ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી જ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્થળની ઓક્સિજન, વેન્ટિલેટર, ડોકટરો-નર્સો, મેડીકલ સ્ટાફની સુવિધાઓ 24×7 ઉપલબ્ધ રહેશે. દરમિયાન, 10 ઓગસ્ટ સુધીમાં મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા વધીને કુલ 1,24,322 પર પહોંચી ગઈ છે, જેમાં આજ દિન સુધી 6,842 લોકોનાં મોત નીપજ્યાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

August 12, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

સાંસદ ગોપાલ શેટ્ટી અને ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દીપક સાવંતના હસ્તે કાંદિવલીમાં શરૂ થયું કોરોના કેર સેન્ટર

by Dr. Mayur Parikh June 6, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

6 જુન 2020

વૈશ્વિક સમસ્યા કોરોના થી બચવા માટે ઉત્તર મુંબઈમાં એક સારું કામ થયું છે. કાંદિવલી પશ્ચિમ માં મહાવીર નગર વિસ્તારમાં સ્થિત પાવનધામ મંદિરમાં 75 ખાટલાની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે.આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તમામ બેડની સાથે ઓક્સિજન તેમજ અન્ય અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલને માત્ર ત્રણ દિવસમાં બનાવીને તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલને કાંદિવલીની સાર્વજનિક સંસ્થા પોઇસર જીમખાના આર્થિક સહયોગ થી બનાવવામાં આવી છે. જૈન મુનિ નમ્રમુનિ મહારાજ ના આશીર્વાદ થી આ હોસ્પિટલ નું સ્થાન પાવનધામ છે.આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે મહારાષ્ટ્રના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડો દિપક સાવંત અને ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી હાજર રહ્યા હતા. 

ખૂબીની વાત એ છે કે આ હોસ્પિટલમાં અન્ય હોસ્પિટલોના મુકાબલે ઓછા પૈસામાં ઈલાજ કરવામાં આવશે. સાંસદ ગોપાલ શેટ્ટીના અથાગ પ્રયત્નોને કારણે ટૂંક સમયમાં હોસ્પિટલ બની શકી છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ડોક્ટર દિપક સાવંતે કહ્યું કે આ હોસ્પિટલ જેટલા ટૂંક સમયમાં બની છે તે એક સુખદ આશ્ચર્ય છે. જો આ હોસ્પિટલને કોઈપણ પ્રકારની મદદની જરૂર હશે તો રાજ્ય સરકાર તેને જરૂર પૂરી પાડશે. તેમજ ગોપાળ શેટ્ટીએ કહ્યું કે ઉત્તર મુંબઈમાં લોકોની સુવિધા માટે જનપ્રતિનિધિઓ સહદેવ તત્પર છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે અમારું લક્ષ્ય છે.

આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી અને શિવસેનાના નેતા ડોક્ટર દિપક સાવંત  ઉપરાંત ધારાસભ્ય પરાગ શાહ, ભાઈ ગિરકર, પ્રવીણ દરેકર, વિલાસ પોતનીસ, સુનિલ રાણે, મનીષા ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાવન ધામ ના ટ્રસ્ટી દિનેશ મોદી, નિરવભાઈ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ માં ડોક્ટર વાડીવાલા, ડોક્ટર બીપીન દોષી, ડોક્ટર બ્રિજેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા..

June 6, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક