• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - country
Tag:

country

Iran Israel Conflict Iran will not surrender, Israel made a huge mistake, says country's supreme leader Ayatollah Ali Khamenei
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Iran Israel Conflict :ખામેનીએ અમેરિકાને આપ્યો કડક જવાબ, કહ્યું – ઈરાન હાર નહીં સ્વીકારે, ઇઝરાયલને ચૂકવવી પડશે કિંમત..

by kalpana Verat June 18, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે  બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી સમગ્ર વિશ્વનું ધ્યાન મધ્ય પૂર્વ તરફ ખેંચાયું છે.  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે ‘સર્વોચ્ચ નેતા’ ક્યાં છુપાયેલા છે. અમે તેમને મારવાના નથી. ટ્રમ્પે કહ્યું કે અમારી ધીરજ ખૂટી રહી છે. તેમણે કહ્યું છે કે ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ.

Iran Israel Conflict :ઈરાન કડક જવાબ આપશે

હવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ અમેરિકાને જવાબ આપતા કહ્યું છે કે તેમનો દેશ ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. તેમણે અમેરિકાને ચેતવણી આપી હતી કે ઈરાન તેના શહીદોના લોહીને ક્યારેય ભૂલશે નહીં. ખામેનીએ કહ્યું હતું કે અમેરિકનોએ જાણવું જોઈએ કે ઈરાન અમેરિકા દ્વારા કરવામાં આવતી  દખલનો કડક જવાબ આપશે. ખામેનીએનું લાઈવ પ્રસારણ મેહર ન્યૂઝ એજન્સી પર હતું. આ લાઈવ પ્રસારણ દરમિયાન, ખામેનીએ ઈઝરાયલને કડક ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે તેને ‘તેની ભૂલ માટે સજા’ મળશે.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War : અમેરિકાનો ચોંકાવનારો દાવો… ઇઝરાયલના સૌથી અસરકારક શસ્ત્રો માત્ર આટલા દિવસ પછી થઈ જશે ખતમ

ખામેનીએ કહ્યું કે, ઝાયોનિસ્ટ શાસનને ખબર હોવી જોઈએ કે હિટ-એન્ડ-રનનો યુગ હવે પૂરો થઈ ગયો છે અને તેમને તેમના ગુનાઓ માટે સજા મળશે. ઈરાની નેતાની ટિપ્પણી તેમના અગાઉના ટેલિવિઝન સંબોધનના થોડા કલાકો પછી આવી હતી.

Iran Israel Conflict : પ્રાદેશિક ચિંતાઓમાં વધારો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ સાથે, ખામેનીની તાજેતરની ટિપ્પણીઓ પ્રાદેશિક ચિંતાઓમાં વધુ વધારો કરે તેવી શક્યતા છે. ઈરાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વએ વારંવાર કોઈપણ આક્રમણનો કડક જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.

 

June 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mission Schools Of Excellence : Gujarat’s ‘Mission Schools Of Excellence’ Emerges As India’s Largest Education Initiative
રાજ્ય

Gujarat :ગુજરાતે દાખલો બેસાડ્યો, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત..

by kalpana Verat May 16, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Gujarat :વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
 
રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. શ્રી સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે.

ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ૬૩.૪૬ લાખ રૂપિયાની મિલ્કત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.

મંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેમની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ—રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, રહે. મંકલેશ્વર, અંજાર—સામે કાર્યવાહી કરી. આ આરોપીઓએ “Organized Crime Syndicate” બનાવી, આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Gujarat News :ગુજરાત સરકાર કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી,આ તારીખ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી

જપ્ત કરાયેલી મિલ્કતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (૨.૫૨ લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (૧૪.૭૯ લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (૧૨.૪૨ લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (૬.૪૫ લાખ); તેમજ આરોપીઓની માતાનાં નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (૦.૬૦ લાખ અને ૧૨.૯૪ લાખ) અને અંજારમાં ગંગોત્રી-૦૨માં પ્લોટ (૧૩.૭૧ લાખ)નો સમાવેશ થાય છે. આ કુલ મિલ્કતોની કિંમત ૬૩.૪૬ લાખ રૂપિયા છે.

આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો, જેમાં અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મિલ્કતોની ઝડતી અને જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Castor Production Gujarat contributes more than 81 percent to the country's total castor oil production.
Agricultureરાજ્ય

Gujarat Castor Production : વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા યથાવત, દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકાથી વધુ

by kalpana Verat May 3, 2025
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai 
Gujarat Castor Production :
  • ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાનો અનુક્રમ જાળવ્યો
  • ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
  • એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ
  • દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકાથી વધુ
  • ભારતમાં વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન
ગુજરાતે સમગ્ર વિશ્વમાં “વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ” તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક રાજ્ય છે. એટલા માટે જ, ગુજરાતના એરંડા અને એરંડિયા તેલની (દિવેલની) વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા આજે પણ વૈશ્વિક બજારમાં અકબંધ છે.    
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સાંભળતાની સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કૃષિ ક્ષેત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટેના નવતર પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કરેલા માળખાકીય અને નીતિગત પ્રયાસોથી ગુજરાતનું કૃષિ ક્ષેત્ર ગતિશીલ બન્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું એરંડા ક્ષેત્ર પણ વધુ સુદ્રઢ અને સક્ષમ બન્યું છે.

Gujarat Castor Production : એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત અવ્વલ

વર્ષ ૨૦૦૩માં રાજ્યનો એરંડા પાકનો કુલ વાવેતર વિસ્તાર માત્ર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને બમણો એટલે કે, ૬.૪૬ લાખ હેકટર થયો છે. માત્ર વાવેતર વિસ્તાર જ નહિ, એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ ગુજરાતે સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એરંડા ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે વર્ષ ૨૦૨૪માં આશરે ત્રણ ગણા વધારા સાથે ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. તેવી જ રીતે, એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ ૨૦૦૩માં ૧,૮૬૪ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ ૨૦૨૪માં ૨,૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઇ છે.

Gujarat Castor Production : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો પ્રતિભાવ

આ સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દાયકાઓથી પ્રથમ રહેવાનું મુખ્ય કારણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓ છે. એરંડાના ઉત્પાદન અને આવકમાં વધારો મેળવવા માટે રાજ્યના મોટાભાગના એરંડા પકવતા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી એરંડાની સુધારેલી અને હાઈબ્રીડ જાતોનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં એરંડાનું પુષ્કળ વાવેતર થાય છે. 

Gujarat Castor Production : એરંડાના મહત્વપૂર્ણ ઉપયોગ

ભારતીય જાતનાં એરંડામાં તેલનું પ્રમાણ ૪૮ ટકા હોય છે. આ ૪૮ ટકામાંથી લગભગ ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. જ્યારે, બાકીનો ૬ ટકા ભાગ ખોળમાં રહી જાય છે. આ તેલમાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપૂર હોય છે. એટલા માટે જ, એરંડાના તેલનો ઉપયોગ કાચા માલ તરીકે પેઇન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પણે વધી રહ્યો છે. આ ઉપરાંત  એરંડાના તેલનો ઉપયોગ હાઇ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં, પશુ ચિકિત્સામાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે.
 
આ સમાચાર પણ વાંચો : iKhedut Portal : અમદાવાદમાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ, આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો

એરંડામાંથી તેલ કાઢ્યા બાદ બચેલા એરંડાના ખોળનો ઉપયોગ કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે થાય છે.  ભારત સહિત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઘઉં, ચોખા અને કઠોળ જેવા ખાદ્યાન્નને સડતા અટકાવવા માટે તેને એરંડાના તેલ લગાવીને સાચવવામાં આવે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આજે વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન કરી રહ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧ ટકા ફાળા સાથે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું છે. વર્ષ ૧૯૬૦માં સમગ્ર વિશ્વનું એરંડા ઉત્પાદન ૫.૮ લાખ મેટ્રિક ટન હતું, જેમાં ભારતનો ફાળો ૧.૦૯ લાખ મેટ્રિક ટન હતો. જ્યારે, વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક એરંડા ઉત્પાદન ૨૦.૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું, જેમાં ભારતનો ફાળો ૧૮.૪૨ લાખ મેટ્રિક ટન રહ્યો હતો.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
May 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi Bihar Visit PM Modi will address Gram Sabhas across the country from Madhubani, Bihar tomorrow on the occasion of National Panchayati Raj Day
રાજ્ય

PM Modi Bihar Visit : PM મોદી આવતીકાલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારનાં મધુબનીથી દેશવ્યાપી ગ્રામસભાઓને કરશે સંબોધન

by kalpana Verat April 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

PM Modi Bihar Visit : 24 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (એનપીઆરડી)ની ઉજવણી કરશે. જેમાં 73માં બંધારણીય સુધારા કાયદા, 1992ના 32 વર્ષ પૂર્ણ થશે, જેણે પંચાયતોને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે બંધારણીય દરજ્જો આપ્યો છે. મુખ્ય સમારંભનું આયોજન બિહારનાં મધુબની જિલ્લામાં ઝંઝરપુર બ્લોકમાં લોહાણા ઉત્તરપ્રદેશ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) અને ગ્રામસભાઓને સંબોધિત કરશે તથા વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 પણ એનાયત કરશે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને “સંપૂર્ણ સરકાર” અભિગમ મારફતે એક મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં છ કેન્દ્રીય મંત્રાલયો સામેલ છે: ગ્રામીણ વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, ઊર્જા મંત્રાલય, રેલવે મંત્રાલય અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે આ મંત્રાલયો સાથે જોડાયેલી કેટલીક મુખ્ય માળખાગત અને કલ્યાણકારી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. તેમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ, હાઉસિંગ યોજનાઓ, રેલવેનું માળખું અને માર્ગ વિકાસ સામેલ છે, જે અંદાજે રૂ.13,500 કરોડ છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) તથા ડીએવાય–એનઆરએલએમ હેઠળ નાણાકીય સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. આ પહેલો સાથે ગ્રામીણ ભારત, ખાસ કરીને બિહારનાં ગ્રામીણ વિસ્તારોને કનેક્ટિવિટી, સેવાઓ અને આર્થિક તકો વધારવાથી ઘણો લાભ થશે.

આ કાર્યક્રમમાં બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી, શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય કુમાર સિંહા, બિહારનાં નાયબ મુખ્યમંત્રીઓ, શ્રી કેદાર પ્રસાદ ગુપ્તા, પંચાયતી રાજ મંત્રી, બિહાર, શ્રી અમૃતલાલ મીના, મુખ્ય સચિવ, બિહાર અને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ તેમજ સહભાગી મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને તમામ પંચાયતોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ગ્રામ પંચાયત સ્તરેથી એનપીઆરડી 2025નું પાલન સરકારની એ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતા પર ભાર મૂકે છે કે વિકસીત પંચાયતો વિકસિત ભારતનો મજબૂત પાયો રચે છે.

આ સમાચાર પણ વાંચો :  પહેલગામમાં આતંકી હુમલો કરનારા 4 શંકાસ્પદ આતંકીઓના ફોટા એજન્સીઓ દ્વારા જાહેર!!! સુરક્ષા એજન્સીઓ શોધખોળમાં લાગી..

PM Modi Bihar Visit :વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 વિશે

આ પુરસ્કારોમાં ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ પંચાયત એવોર્ડ (સીએએસપીએ), આત્મનિર્ભર પંચાયત વિશેષ પુરસ્કાર (એએનપીએસએ) અને પંચાયત વિદ્યાર્થી નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કાર (પીકેએનએસએસપી)નો સમાવેશ થાય છે. આ પુરસ્કારોનો ઉદ્દેશ ગ્રામ પંચાયતો અને સંસ્થાઓને માન્યતા આપવાનો છે. જેમણે આબોહવાની સ્થિતિસ્થાપકતા, રાજકોષીય સ્વનિર્ભરતા અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં અનુકરણીય કામગીરી દર્શાવી છે. બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને આસામ સહિતના રાજ્યોમાંથી પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છમાંથી ત્રણ ગ્રામ પંચાયતો – મોતીપુર (બિહાર), દાવ્વા એસ (મહારાષ્ટ્ર) અને હાટબદ્રા (ઓડિશા)નું નેતૃત્વ મહિલા સરપંચો દ્વારા કરવામાં આવે છે, જે તળિયાના સ્તરે સર્વસમાવેશક નેતૃત્વનું પ્રતિબિંબ પાડે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Farmer Smartphone Gujarat is the first state in the country to provide assistance to farmers on the purchase of smartphones...
રાજ્ય

Farmer Smartphone : ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય…

by kalpana Verat March 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Farmer Smartphone : 

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય…

છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત સરકારનું કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય અપાઈ

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ પણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Trail Running Marathon Two youths from Surat achieved success in the country's longest-distance trail running marathon.
સુરત

Trail Running Marathon : મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ મેળવી સિદ્ધિ

by kalpana Verat March 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Trail Running Marathon : 

  • વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોન’માં મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ ૧૬૧ કિમીની દોડ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂરી કરી 
  • સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી એટલે અલ્ટ્રામેરેથોન ટ્રેલ રનિંગ 
  • વર્ષ ૨૦૧૭ થી દોડવીરોને પ્રોત્સાહિત કરતું સુરતનું ‘રનિંગ ફોર હેપ્પીનેસ’ ગ્રુપ: લાંબા અંતરની અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે આપે છે કોચિંગ

 મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ સિદ્ધિ મેળવી છે. ટ્રેલ મેરેથોનમાં સુરતના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો, જે પૈકી મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ ૧૬૧ કિમીની દોડ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ સ્થિત સહ્યાદ્રી ફાર્મ ખાતે બ્લુબ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ કેટેગરીઓ હતી. ૩૩૮ કિમીની દોડ ૭૨ કલાકમાં, ૨૨૦ કિમીની દોડ ૪૮ કલાકમાં, ૧૬૧ કિમીની દોડ ૩૦ કલાકમાં, ૧૦૦ કિમીની દોડ ૨૦ કલાકમાં, ૭૫ કિમીની દોડ ૧૪ કલાકમાં અને ૫૦ કિમીની દોડ ૮ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. આ છ કેટેગરીમાં આયોજિત દોડમાં ભાગ લઈને સુરતના બંને દોડવીરોએ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.

ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મગદલ્લાના દિનેશભાઈ અરવિંદભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરો જોડાયા હતા. ૧૬૧ કિમીની દોડમાં ભોજન, પાણી પીવું, ન્હાવું, કુદરતી હાજત દોડ દરમિયાન જ પૂરી કરવાની હોય છે. અમે દોડ માટે સખ્ત પ્રેક્ટિસ કરી હતી. વર્ષોથી દોડવામાં રસ અને પ્રેક્ટિસ હોવાથી દોડ નિયત સમયે પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. તા.૯મી ફેબ્રુ.એ સવારે ૯.૦૦ વાગ્યે દોડ શરૂ થઇ ત્યારે ૨૪ ડિગ્રી તાપમાન હતું, જે બપોરે વધીને ૪૦ ડિગ્રીએ પહોંચ્યું હતું. સખ્ત ગરમીમાં સ્ટેમિના જાળવી દોડવામાં મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર હોય છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી, ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા..

અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે

વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોન’માં દોડવીરોના મોનિટરીંગ માટે GPS આધારિત અદ્યતન ટેકિંગ સિસ્ટમ કાર્યરત હોય છે, જે સ્પર્ધકના મિનીટ ટુ મિનીટ ટ્રેકિંગ કરીને રિયલ ટાઈમ ડેટા વેબપોર્ટલ પર ડિસ્પ્લે કરે છે એમ સિદ્ધિ મેળવનાર અર્પણ ઝાલા જણાવે છે. કોચ તેજલભાઈ લલિતભાઈ મોદીએ દોડવીરોને સખ્ત તાલીમ આપીને દોડ માટે તૈયાર કર્યા હતા. તેજલભાઈ જણાવે છે કે, વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોનનો ૭૦ ટકા રૂટ ધૂળવાળા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ૩૦ ટકા પાકા રસ્તાઓ પર હોય છે. આસપાસ ફળો અને શાકભાજીની ખેતીની જમીન વચ્ચે આવેલા કાચાપાકા રસ્તાઓ પર દોડવાનું હોય છે. દિવસ દરમિયાન ૩૦ થી ૩૫ ડિગ્રીની તીવ્ર ગરમી વચ્ચે દોડવીરો દોડ લગાવે છે. તેમણે કહ્યું કે, અમે વર્ષ ૨૦૧૭ થી ‘રનિંગ ફોર હેપીનેસ ગ્રુપ’ ચલાવીએ છે, જેમાં નિયમિત રનિંગ કરતા ૨૦૦ સભ્યો છે. જેમાં ૬૦ મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ગ્રુપના સભ્યો દર શનિવારે એસવીઆરથી ડુમ્મસ સુધી દોડ કરે છે. અમારૂં ગ્રુપ લાંબા અંતરની અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

દોડથી શરીરને અનેક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય માટે કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટી ફાયદાકારક હોય છે. રનિંગ માટે કોચિંગનો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો. સ્નાયુ અને ઘૂંટણ મજબૂત કરે છે. જીવનમાં શિસ્ત આવે છે ડાયાબિટીસની અસર ઓછી થાય છે. એન્ડોર્ફિન રિલીઝ કરી સ્ટ્રેસ ઘટાડે છે. ઘૂંટણ, સ્નાયુ મજબૂત કરે છે એમ તેજલભાઈ જણાવે છે.

આ સિદ્ધિમાં મહત્વનો ભાગ ભજવનાર સપોર્ટ ટીમમાં કોચ તેજલભાઈ મોદી, મેઘા મોદી, મેઘના ઝાલા, મનન ઝાલા, સ્મિતા પટેલ, નિમિષા બોડાવાલા, આરવ પટેલે જહેમત ઉઠાવી હતી. મહારાષ્ટ્રમાં ટ્રેલ રનિંગ લોકપ્રિય છે. સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી સમાન અલ્ટ્રામેરેથોનમાં ગુજરાતીઓ પણ ભાગ લેતા થયા છે.

લાંબા અંતરની ટ્રેલ રનિંગ શું હોય છે?

ટ્રેલ રનિંગ એટલે ધૂળના રસ્તાઓ, જંગલની પગદંડી, પર્વતીય માર્ગો અને ખડકાળ ભૂપ્રદેશ પર કરવામાં આવતી દોડ. તે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાવા અને મનોહર દૃશ્યોનો આનંદ માણવાની તક આપે છે. વૈવિધ્યસભર ગ્રામ્ય રસ્તાઓ પર દોડવામાં વધુ ચપળતા, સાતત્ય, સંતુલન અને તાકાતની જરૂર પડે છે. ફીટ રેહવ, સ્વાસ્થ્ય જાળવવા માટે ચાલવું અને દોડવું ખૂબ જરૂરી છે. આ મેરેથોનના કારણે કેન્દ્ર સરકારના ‘ફીટ ઇન્ડિયા’ અભિયાનને પણ વેગ મળી રહ્યો છે, અને યુવાનોને પ્રકૃત્તિ તરફ લઈ જવા સાથે સ્વસ્થ અને સક્ષમ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે.

 

March 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat has 21% of country’s wetland area says State govt
રાજ્ય

Gujarat Wetlands : વન્યજીવનની સાથે ‘જળપ્લાવિત’ વિસ્તારના સંવર્ધનમાં ગુજરાતની અનોખી પહેલ, ભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ ૨૧ ટકા હિસ્સો ગુજરાત પાસે

by kalpana Verat February 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat Wetlands :

  •  ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં
  • દેશની કુલ ૮૫ રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે
  • ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ ૧૭,૬૧૩ વેટલેન્ડ્સ ઉપલબ્ધ

વન્યજીવનની સાથેસાથે ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે સમગ્ર દેશમાં અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે, જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો ૨૧ ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે.

ગુજરાતના વેટલેન્ડ્સ ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકાનો સમાવેશ કરે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO, ૨૦૨૧ દ્વારા ભારતીય વેટલેન્ડ્સના અવકાશ આધારિત અવલોકન મુજબ, ગુજરાતમાં કુલ ૧૭,૬૧૩ વેટલેન્ડ્સ છે, જે કુલ ૩,૪૯૯,૪૨૯ હેક્ટર વિસ્તારને આવરી લે છે. તેમાં મુખ્યત્વે અંતરિયાળ-કુદરતી વેટલેન્ડ્સ, અંતરિયાળ-માનવ નિર્મિત વેટલેન્ડ્સ, દરિયાકાંઠાના માનવ નિર્મિત વેટલેન્ડ્સ ઉપરાંત દરિયાકાંઠાના કુદરતી વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહત્તમ ૬૭ ટકા વિસ્તાર ખાડીઓનો, ત્યારબાદ ૪૬.૮ ટકા વિસ્તાર કળણો, ૯૧.૬ ટકા સોલ્ટ માર્શ અને ૭૫.૫ ટકા વિસ્તાર મીઠાના અગરો ધરાવે છે.

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. ૨જી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૫માં ‘વિશ્વ જળ પ્લાવિત દિવસ’ની વિષયવસ્તુ “પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર” એટલે કે “આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ”નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૩ માર્ચને “વિશ્વ વન્યજીવન દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણી દ્વારા વિશ્વની વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતિ લાવી તેના સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં વિવિધ પ્રવૃતિઓ- અભિયાન ચલાવવામાં આવે છે.

Gujarat Wetlands : ગુજરાતમાં મહત્વના રાષ્ટ્રીય વેટલેન્ડ્સ

MoEFCC દ્વારા NWCP પ્રોગ્રામ હેઠળ ભારતમાં કુલ ૧૧૫ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ જાહેર કરવામાં આવી છે. જેમાંથી નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડિયા અને પરીએજ સહિત કુલ ૮ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે. વધુમાં, ગુજરાતમાં ૧૯ વેટલેન્ડ્સ છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવવિવિધતા વિસ્તારો તરીકે ઓળખાય છે.

Gujarat Wetlands : રામસર સાઇટ્સ

ભારતની કુલ ૮૫ રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ
થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.

આ સમાચાર પણ વાંચો: Gujarat Pocso Case : પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા

આ ઉપરાંત ગુજરાતમાં બીજી ઘણી મહત્વની વેટલેન્ડ્સ છે, જે જૈવવિવિધતાના દૃષ્ટિકોણથી સમૃદ્ધ છે જેમાં પોરબંદર જિલ્લામાં ગોસાબારા-મોકર સાગર, બરડાસાગર, અમીપુર ડેમ, ઝવેર-કુછડી વેટલેન્ડ, મેઢા ક્રીક, સુરેન્દ્રનગર જિલ્લામાં નવા તળાવ/સાવડા, ભાસ્કરપુરા વેટલેન્ડ, વડલા વેટલેન્ડ, ભાવનગર જિલ્લામાં કુંભારવાડા, મીઠાની તપેલીઓ અને આંબલા બંધારા, ખેડા જિલ્લામાં નારદા અને પરીએજ વેટલેન્ડ, પાટણ જિલ્લામાં સિંધડા, છણોસરા અને ગરામડી વેટલેન્ડ, કચ્છના જખૌ બંધારા તેમજ દેવભૂમિ જિલ્લામાં ચરકલા વેટલેન્ડ આવેલો છે.

Gujarat Wetlands : વેટલેન્ડ સંરક્ષણમાં ગીર ફાઉન્ડેશનનું યોગદાન

ભારતના દરેક રાજ્યમાં સ્ટેટ વેટલેન્ડઓથોરીટીની સ્થાપના થઈ જે અંતર્ગત ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરીટીની સ્થાપના કરવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન તેની નોડલ એજન્સી તરીકેની સેવાઓ આપી રહ્યું છે. આ ઓથોરિટીના કાર્યો હેઠળ સેવ વેટલેન્ડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત ગીર ફાઉન્ડેશનના આર.એસ.જી.આઈ.એસ. યુનિટ દ્વારા ૧૫,૨૦૧ વેટલેન્ડનું વેલીડેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત, ગીર ફાઉન્ડેશન ૪૫૮ વેટલેન્ડ હેલ્થ રિપોર્ટ કાર્ડ બનાવ્યા. ૨૦૦૦થી પણ વધુ વેટલેન્ડ મિત્રોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. મિશન લાઈફ પહેલ અંતર્ગત ૨૨૦ જેટલા વેટલેન્ડને લગતા કાર્યક્રમ કરવામાં આવ્યા. ઉપરાંત સેવ વેટલેન્ડ અંતર્ગત ગીર ફાઉન્ડેશને આઠ જેટલા MoU પણ કર્યા છે. ગીર ફાઉન્ડેશને ગુજરાતની ચાર રામસર સાઈટનું કાર્બન સંગ્રહ આકારણીનો અભ્યાસ પણ કર્યો છે. ગીર ફાઉન્ડેશન દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રાથમિક નોલેજ પાર્ટનર પણ છે. ગીર ફાઉન્ડેશનને રાજસ્થાન, ગોવા, તેલંગાણા, આસામ, મેઘાલય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ખાતે વિવિધ તાલીમ અને કાર્યશાળાઓ યોજીને વેટલેન્ડ સંદર્ભે નાગરિકોને માહિતગાર કર્યા છે.

આમ, ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી-GSWA માટે નોડલ એજન્સી અને દેશભરના અનેક રાજ્યોમાં નોલેજ પાર્ટનર તરીકે, ફાઉન્ડેશન વેટલેન્ડ્સના દસ્તાવેજીકરણમાં અને વેટલેન્ડ સંરક્ષણ-વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રયાસો સાથે સંક્ષિપ્ત અહેવાલો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
New Chief Election Commissioner Gyanesh Kumar becomes the new Chief Election Commissioner of the country
Main PostTop Postદેશ

New Chief Election Commissioner: જ્ઞાનેશ કુમાર બન્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, લેશે રાજીવ કુમારની જગ્યા; કોંગ્રેસે ઉઠાવ્યો સખત વાંધો..

by kalpana Verat February 18, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

New Chief Election Commissioner: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ એટલે કે આજે નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વરિષ્ઠ અમલદાર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ રાજીવ કુમારના સ્થાને છે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા.  

New Chief Election Commissioner: જ્ઞાનેશ કુમાર બન્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર 

જ્ઞાનેશ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન લેશે. આ સાથે હરિયાણાના મુખ્ય સચિવ વિવેક જોશીને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચૂંટણી કમિશનર તરીકે પહેલાથી જ નિયુક્ત સુખબીર સિંહ સંધુ તેમના પદ પર રહેશે. 

New Chief Election Commissioner: 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે કાર્યકાળ 

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે. આનું કારણ એ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. આ રીતે, જ્ઞાનેશ કુમાર 26 જાન્યુઆરી, 2029 ના રોજ 65 વર્ષની ઉંમર પૂર્ણ કરશે. એટલા માટે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો તેમનો કાર્યકાળ ફક્ત 26 જાન્યુઆરી, 2029 સુધી જ રહેશે. જોકે, તેઓ 2029ની લોકસભા ચૂંટણી પહેલા નિવૃત્ત થશે. ચૂંટણી પંચ તેમની નિવૃત્તિના થોડા દિવસો પછી જ 2029ની લોકસભા ચૂંટણીનો સમયપત્રક જાહેર કરી શકે છે.

New Chief Election Commissioner: નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર

મહત્વનું છે કે જ્ઞાનેશ કુમાર નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ નવા કાયદામાં, ચૂંટણી પંચના વડાની નિમણૂકની પ્રક્રિયામાં, મુખ્ય ન્યાયાધીશને બદલે ગૃહમંત્રીને પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પસંદગી સમિતિ દ્વારા તેમનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિને ભલામણ માટે મોકલવામાં આવી હતી. આ સમિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.  

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash : ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત… નાણામંત્રીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો, શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનું જણાવ્યું કારણ..

New Chief Election Commissioner: કોંગ્રેસે નવી નિમણૂક મુલતવી રાખવાની માંગ કરી  

સોમવારે સાંજે કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી હતી કે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટેની બેઠક સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સુનાવણી થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચના અધિકારીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.  

New Chief Election Commissioner: જ્ઞાનેશ કુમાર કોણ છે?

61 વર્ષીય જ્ઞાનેશ કુમાર અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કાર્યરત હતા. તેમની મુખ્ય જવાબદારીઓમાં ઓગસ્ટ 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરનારા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરનારા બિલનો મુસદ્દો તૈયાર કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. તે સમયે, તેઓ ગૃહ મંત્રાલયના કાશ્મીર વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા. 

 

 

February 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
BIS 684 products have been brought under mandatory BIS certification in the country by the Bureau of Indian Standards
દેશ

BIS : ભારતીય માનક બ્યુરો દ્વારા દેશમાં અત્યાર સુધીમાં આટલા ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા

by kalpana Verat March 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

BIS  : ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947 (જ્યારે તે ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું) માં તેની શરૂઆતથી જ તેની અનુરૂપતા મૂલ્યાંકન, લેબોરેટરી સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય યોજનાઓ દ્વારા ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે ‘ગુણવત્તા’ શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10000 સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા પર છે.

BIS દ્વારા, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, આજ સુધીમાં 22644 ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે. BIS દ્વારા સ્થાપિત ભારતીય માનકો એ પ્રોડક્ટ સર્ટિફિકેશન સ્કીમ્સ માટેનો આધાર બને છે, જે ગ્રાહકોને ઉત્પાદનોની ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતાની તૃતીય પક્ષકાર ખાતરી પૂરી પાડે છે.

BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે. જો કે, સંખ્યાબંધ ઉત્પાદનો માટે, વિવિધ વિચારણાઓ જેમ કે. જાહેર હિત, માનવ, પ્રાણી અથવા છોડના સ્વાસ્થ્યનું રક્ષણ, પર્યાવરણની સલામતી, અનુચિત વ્યાપાર આચરણનું નિવારણ અને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ભારતીય માનકોનું પાલન કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવે છે. આવા ઉત્પાદનો માટે, કેન્દ્ર સરકાર QCOs જારી કરીને BIS ના લાયસન્સ અથવા સર્ટિફિકેટ ઑફ કન્ફર્મિટી (CoC) હેઠળ સ્ટાન્ડર્ડ માર્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપે છે. 

 684 ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા

આજની તારીખ સુધીમાં, ભારત સરકાર દ્વારા જારી કરાયેલા 164 QCO દ્વારા 684 ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર, BIS સાથે પરામર્શ કર્યા પછી, કલમ 16 ના પેટા-વિભાગો (1) અને (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કલમ 17 અને કલમ 25 ની પેટા કલમ (3) સાથે સંલગ્ન BIS એક્ટ, 2016 હેઠળ QCO પ્રકાશિત કરે છે. આ રીતે ઉત્પાદનોને BIS ફરજિયાત પ્રમાણન હેઠળ લાવવામાં આવે છે. આ QCOs ગ્રાહક દ્વારા ખરીદી કરેલ ઉત્પાદનો એ સંબંધિત ભારતીય માનકોની નિર્ધારિત જરૂરિયાતોને અનુરૂપ છે તેની ખાતરી કરીને ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો : Water cut: મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરજો! આજથી આ તારીખ સુધી શહેરના પાણી પુરવઠામાં મુકાયો 5 ટકા પાણીકાપ..

QCO હેઠળના ઉત્પાદનો QCO માં ઉલ્લેખિત અનુરૂપ ભારતીય માનકોને અનુરૂપ હોવા જોઈએ અને ઓર્ડરમાં સૂચિત કર્યા મુજબ BIS (અનુરૂપ મૂલ્યાંકન) નિયમન, 2018 ની સંબંધિત યોજના અનુસાર BIS ના લાઇસન્સ અથવા CoC હેઠળ માનક ચિહ્ન ધરાવશે.

QCO કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ સંબંધિત મંત્રાલયો (નિયમનકારો) દ્વારા ઓર્ડર દ્વારા નિયમન કરવામાં આવતા ઉત્પાદન(ઓ)/ઉત્પાદન શ્રેણીઓના આધારે હિતધારકોની સાથે પરામર્શ કર્યા પછી, જારી કરવામાં આવે છે. QCO ની શરૂઆતની તારીખ સ્પષ્ટપણે ઓર્ડરમાં જ ભારપૂર્વક જણાવવામાં આવે છે જેથી જરૂરી ઉત્પાદન અને પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ભારતીય માનકોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનના અનુપાલનના સંદર્ભમાં તેના અમલીકરણ માટેની સમયરેખાથી હિતધારકો સારી રીતે વાકેફ હોય.

 ભારતીય માનકોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે

QCO ની શરૂઆતની તારીખ પછી, કોઈપણ વ્યક્તિ માનક ચિહ્ન વિના QCO હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ ઉત્પાદન(ઓ)નું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, લીઝ, સંગ્રહ અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં, સિવાય કે તે BIS દ્વારા માન્ય લાઇસન્સ અથવા CoC હેઠળ હોય.

સ્થાનિક રીતે ઉત્પાદિત માલને લાગુ પડતા સ્થાનિક કાયદા/નિયમો/ઓર્ડર/વિનિયમો, એ આયાત પર પણ લાગુ થશે, સિવાય કે ખાસ મુક્તિ આપવામાં આવી હોય. જો સ્થાનિક ઉત્પાદન(ઓ) એ ભારતીય માનકોના ફરજિયાત પાલનને આધીન હોય, તો આવા ઉત્પાદન(ઓ) જો આયાત કરવામાં આવે તો તેણે પણ ભારતીય માનકોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આમ, આ ઉત્પાદનો માટે, વિદેશમાં ઉત્પાદકે BIS ની ફોરેન મેન્યુફેક્ચરર્સ સર્ટિફિકેશન સ્કીમ (FMCS) હેઠળ BIS પાસેથી લાઇસન્સ અથવા CoC મેળવવાની જરૂર પડશે.

ઓર્ડરની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ BIS એક્ટ, 2016ની કલમ 29 ની પેટા-કલમ (3) ની જોગવાઈઓ હેઠળ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે.

QCO ની જોગવાઈઓના અમલીકરણ માટે, BIS પ્રમાણન ઓથોરિટી તરીકે કાર્ય કરે છે અને સંબંધિત અનુરૂપ મૂલ્યાંકન યોજના મુજબ ઉત્પાદકોને લાઇસન્સ અથવા CoC આપે છે. BIS QCO માં નિર્દિષ્ટ ઉત્પાદનો માટે અમલીકરણ ઓથોરિટી તરીકે પણ કાર્ય કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ QCOs પરની માહિતી BIS વેબસાઇટ હેઠળ નીચે અનુસાર લિંક પરથી મેળવી શકાય છે અનુરૂપ મૂલ્યાંકન -> ઉત્પાદન પ્રમાણપત્ર -> ફરજિયાત પ્રમાણપત્ર હેઠળની પ્રોડક્ટ્સ.

આ સમાચાર પણ વાંચો : Petrol Diesel Price : ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું; જાણો નવા ભાવ.

BIS માર્ક્સનો દુરુપયોગ અને ગુણવત્તાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદો નોંધવાની પણ સુવિધા

BIS એ BIS માર્ક, હોલમાર્ક અને CRS રજીસ્ટ્રેશન માર્ક જેવા BIS માર્ક ધરાવતા ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે ગ્રાહકોનું સશક્તિકરણ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન BIS કેર એપ્લિકેશન પણ વિકસાવી છે. તે ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો, BIS માર્ક્સનો દુરુપયોગ અને ગુણવત્તાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદો નોંધવાની પણ સુવિધા આપે છે.

ગ્રાહકોને BIS-ચિહ્નિત ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટેનો માર્ગ પ્રદાન કરીને, BIS કેર એપ્લિકેશન તેમને જાણીતી પસંદગીઓ કરવામાં અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી ટાળવામાં મદદ કરે છે.

ભારતીય માનક બ્યૂરો એ, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, તેની વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.

આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગ રૂપે, BIS અમદાવાદ, સમગ્ર ગુજરાત રાજ્યમાં અન્ય હિતધારકો સાથે સમન્વય સાધીને માર્ચમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે તથા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ 2024 ના રોજ ડબલટ્રી હિલ્ટન અમદાવાદ ખાતે માનક મહોત્સવનું પણ આયોજન કરી રહ્યું છે.     

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi farmers Farmers' faith is the main strength of the country PM Narendra Modi
દેશ

PM Modi farmers : પરિવર્તનના 10 વર્ષ, મોદી સરકાર લાવી કૃષિમાં ક્રાંતિ; ખેડૂતોનું સશક્તિકરણ માટે કર્યા અભૂતપૂર્વ પહેલો અને પ્રયાસો

by kalpana Verat March 6, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

PM Modi farmers :

  • ખેડૂતો ( Farmers ) નો વિશ્વાસ દેશની મુખ્ય તાકાત છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

રાષ્ટ્રના ખેડૂતોની શક્તિ અને જીવનશક્તિ, જેને ઘણીવાર ‘અન્નદાતા’ તરીકે ઓળખવામાં આવે છે, તે દેશના એકંદર સશક્તિકરણ અને સમૃદ્ધિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. સમાજના આ નિર્ણાયક વર્ગને ઉત્થાન આપવા માટે ભારત સરકારના નિષ્ઠાવાન પ્રયત્નો પ્રશંસા અને માન્યતાની બાંયધરી આપે છે. ભારત ( India ) જેવા ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્રમાં ઉદ્યોગોના પરિવર્તન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ( digital infrastructure ) ની

image002CIE6.jpg (637×173)

સાથે સાથે કૃષિ ક્ષેત્રને પોષવાનું પણ એટલું જ મહત્ત્વ છે.

આજે, દેશભરના ખેડૂતો આર્થિક સુરક્ષા અને ખાતરીની નવી ભાવનાનો અનુભવ કરી રહ્યા છે.

  • સરકારનું ખેડૂતકેન્દ્રી ધ્યાન કેન્દ્રિત કરતાં, કૃષિ માટે અલગ રાખવામાં આવેલું બજેટ ૨૦૦૭-૧૪ દરમિયાન ₹૧.૩૭ લાખ કરોડથી પાંચ ગણું વધીને ૨૦૧૪-૨૫ દરમિયાન ₹૭.૨૭ લાખ કરોડ થયું હતું.
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) ખેડૂતોની નોંધણીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજના તેમજ વીમા પ્રીમિયમની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી યોજના બની ગઈ છે.
  • ખેતરોની નજીકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ખેડૂતોના કલ્યાણની ચાવી છે. તેની શરૂઆતથી જ એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ48,352 પરિયોજનાઓ માટે 35,262 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. એઆઇએફ હેઠળ મંજૂર કરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં 11,165 વેરહાઉસ, 10,307 પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, 10,948 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, 2,420 સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, 1,486 કોલ્ડ સ્ટોર પ્રોજેક્ટ્સ, 169 એસેઇંગ યુનિટ્સ અને આશરે 11,857 અન્ય પ્રકારના પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સામુદાયિક ખેતીની અસ્કયામતોનો સમાવેશ થાય છે.
  • એમએસપીમાં ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વખત તમામ 22 પાકોનાં લઘુતમ ટેકાનાં ભાવ ખર્ચ કરતાં લઘુતમ 50 ટકા વધારે નક્કી કરવામાં આવ્યાં હતાં.
  • સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને તેમની જમીનની પોષક સ્થિતિ અને તેની રચના પ્રદાન કરે છે. 19 ડિસેમ્બર, 2023 સુધીમાં ખેડૂતોને 23.58 કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • 100% નીમ કોટેડ યુરિયાની રજૂઆત.  છેલ્લા 10 વર્ષમાં યુરિયાનું ઉત્પાદન વધીને થયું છે 310 લાખ મેટ્રિક ટન જે ૨૦૧૪માં ૨૨૫ લાખ મેટ્રિક ટન હતું.
  • પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી – વર્ષ 2015-16થી અત્યાર સુધીમાં (31.01.2024 સુધી) કુલ રૂ. 1980.88 કરોડનું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 37,364 ક્લસ્ટર (પ્રત્યેક 20 હેક્ટર)ની રચના કરવામાં આવી છે, 8.13 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે (એલએસી સહિત) અને 16.19 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે.
  • એફપીઓને પ્રોત્સાહન – 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, 7,950 એફપીઓ નોંધાયેલા છે. 3,183 એફપીઓને રૂ. 142.6 કરોડની ઇક્વિટી ગ્રાન્ટ રીલિઝ કરવામાં આવી છે. 1,101 એફપીઓને રૂ. 246.0 કરોડનું ક્રેડિટ ગેરંટી કવર ઇશ્યૂ કરવામાં આવ્યું છે.
  •  કૃષિ યાંત્રિકરણ – વર્ષ 2014-15થી ડિસેમ્બર, 2023 સુધીના સમયગાળા દરમિયાન કૃષિ યાંત્રિકરણ માટે 6405.55 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. સબ-મિશન ઓન એગ્રિકલ્ચરલ મિકેનાઇઝેશન (એસએમએએમ)ના ભંડોળની અંદરથી, કિસાન ડ્રોન પ્રમોશન માટે અત્યાર સુધીમાં રૂ. 141.41 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે, જેમાં 79070 હેક્ટર જમીનમાં તેમના પ્રદર્શન માટે 317 ડ્રોનની ખરીદી અને સબસિડી પર ખેડૂતોને 527 ડ્રોનનો પુરવઠો આપવાનો સમાવેશ થાય છે.
  • 31 જાન્યુઆરી, 2024 સુધીમાં ઇ-નામ પોર્ટલ પર 1.77 કરોડ ખેડૂતો અને 2.53 લાખ વેપારીઓની નોંધણી થઈ છે.
  • કિસાન રેલની શરૂઆત – 28 ફેબ્રુઆરી 2023 સુધી 167 રૂટ પર 2359 સેવાઓ ચલાવવામાં આવી છે.

અર્થતંત્રને આગળ વધારવામાં ખેડૂતોની અમૂલ્ય ભૂમિકાને માન્યતા આપીને ભારત સરકારે ( Modi govt )  અસંખ્ય નીતિઓ અને યોજનાઓ મારફતે મદદનો હાથ લંબાવ્યો છે. આ નીતિઓ ખેડૂતોને નિર્ણાયક નાણાકીય સહાય પૂરી પાડે છે, તેમની મુશ્કેલીઓને દૂર કરે છે અને રાષ્ટ્રના કલ્યાણમાં ફાળો આપવાની સાથે સાથે તેમના પરિવારોને ટકાવી રાખવા માટે સક્ષમ બનાવે છે.

કૃષિની આર્થિક અસર: રાષ્ટ્રને આકાર આપવો

નાણાકીય વર્ષ 2024માં ભારતના જીવીએમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 18 ટકા હોવાનો અંદાજ છે, જે દેશના અર્થતંત્ર ( Economy ) નો પાયો છે. વૈશ્વિક આરોગ્ય કટોકટી અને આબોહવાની સ્થિતિમાં ભિન્નતાને કારણે ઊભા થયેલા પડકારો છતાં, આ ક્ષેત્રએ નોંધપાત્ર દ્રઢતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે, જેણે ભારતની આર્થિક પુનઃપ્રાપ્તિ અને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

નાણાકીય વર્ષ 2023માં અનાજનું કુલ ઉત્પાદન 329.7 મિલિયન ટન હતું, જે અગાઉના વર્ષની તુલનામાં 14.1 મિલિયન ટનનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 23માં દર વર્ષે સરેરાશ અનાજનું ઉત્પાદન 289 મિલિયન ટન હતું, જે નાણાકીય વર્ષ 2005થી નાણાકીય વર્ષ 2014માં 233 મિલિયન ટન હતું. ચોખા, ઘઉં, કઠોળ, પોષક/બરછટ અનાજ અને તેલીબિયાંના ઉત્પાદનમાં વિક્રમી વધારો જોવા મળ્યો હતો. ભારતનું વૈશ્વિક પ્રભુત્વ કૃષિ કોમોડિટીઝમાં વિસ્તર્યું છે, જે તેને વિશ્વભરમાં દૂધ, કઠોળ અને મસાલાઓનું સૌથી મોટું ઉત્પાદક બનાવે છે.

આ ઉપરાંત ભારત ફળો, શાકભાજી, ચા, માછલીઓ, શેરડી, ઘઉં, ચોખા, કપાસ અને ખાંડના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. બાગાયતી ખેતીનું ઉત્પાદન 355.25 મિલિયન ટન હતું, જે ભારતીય બાગાયત માટે (ત્રીજા આગોતરા અંદાજ મુજબ) અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે.

સુધારેલો દેખાવ કૃષિ નિકાસમાં નોંધપાત્ર ઉછાળામાં પણ પ્રતિબિંબિત થાય છે, જે નાણાકીય વર્ષ 2023માં ₹4.2 લાખ કરોડ પર પહોંચ્યો છે, જે પાછલા વર્ષના રેકોર્ડને વટાવી ગયો છે. તકો અને યોગ્ય નીતિ નિર્ધારણને ધ્યાનમાં રાખીને, ભારતના ખેડૂતોએ બાકીના વિશ્વની ખાદ્ય માંગને પહોંચી વળવા માટે તેમની ક્ષમતા દર્શાવી છે. સંભવિતતા હજી પણ વિશાળ છે.[1]

ખેડૂતોનું સશક્તિકરણઃ અભૂતપૂર્વ પહેલો અને પ્રયાસો

image003CKHZ.jpg (692×230)

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY), પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN), અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) જેવી નીતિગત પહેલ કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) જેવી નીતિગત પહેલ કરવામાં આવી છે. [2]

દર વર્ષે પીએમ-કિસાન સન્માન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે, જેમાં સીમાંત અને લઘુ ખેડૂતો સામેલ છે.[3] આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 2.80 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. [4]

image004XSV1.jpg (637×303)

આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે.[5] આ વિસ્તૃત પાક વીમા નીતિ એ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતોને બિન-અટકાવી શકાય તેવા કુદરતી કારણો સામે રક્ષણ મળે, તેમની આજીવિકાનું રક્ષણ થાય અને અણધાર્યા આફતોનો સામનો કરીને નાણાકીય વિનાશને અટકાવી શકાય.  આ યોજના હેઠળ ખેડૂતોએ 30 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું હતું. તેના બદલામાં તેમને 1.5 લાખ કરોડ રૂપિયાનો ક્લેમ મળ્યો છે. સરકાર પીએમ-કેએમવાય હેઠળ નોંધાયેલા 23.4 લાખ નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન લાભ પણ પ્રદાન કરે છે.[6] છેલ્લા 10 વર્ષોમાં, બેંકોમાંથી ખેડૂતો માટે સરળ લોનમાં ત્રણ ગણો વધારો થયો છે.[7] આ ઉપરાંત, અન્ય ઘણા કાર્યક્રમો ઉપરાંત, દેશ અને વિશ્વ માટે ખોરાકના ઉત્પાદનમાં ‘અન્નદાતા’ને સહાય કરી રહ્યા છે.

10 વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવા માટે કરવામાં આવ્યો છે. સરકારે ૧.૭૫ લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં આશરે 8,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના કરવામાં આવી છે.[8]

આ સમાચાર પણ વાંચો : Adam Osborne : 6 માર્ચ 1939ના રોજ જન્મેલા, એડમ ઓસ્બોર્ન થાઈ લેખક, સોફ્ટવેર પ્રકાશક અને કોમ્પ્યુટર ડિઝાઇનર હતા..

ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ અને સ્થિતિ સ્થાપકતાને વેગ આપવા માટે અનેક વ્યૂહાત્મક પગલાં અમલમાં મૂક્યા છે. એક નોંધપાત્ર હસ્તક્ષેપ એ છે કે 22 ખરીફ અને રવિ પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં સતત વધારો કરવામાં આવ્યો છે.[9]. છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને ડાંગર અને ઘઉંનાં પાક માટે એમએસપી (લઘુતમ ટેકાનાં ભાવ) સ્વરૂપે આશરે રૂ. 18 લાખ કરોડ મળ્યાં છે. આ ૨૦૧૪ પહેલાના ૧૦ વર્ષ કરતા ૨.૫ ગણા વધારે છે. અગાઉ તેલીબિયાં અને કઠોળના પાકની સરકારી ખરીદી નહિવત્ હતી. વીતેલા દાયકામાં તેલીબિયાં અને કઠોળનું ઉત્પાદન કરતાં ખેડૂતોને એમએસપી સ્વરૂપે રૂ. 1.25 લાખ કરોડથી વધારે રકમ મળી છે. [10]

કૃષિ વર્ષ 2018-19 થી, સરકારે એમએસપી હેઠળ આવરી લેવાયેલા દરેક પાક માટે અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછું 50 ટકા માર્જિન સુનિશ્ચિત કર્યું છે. આ ભાવ સમર્થનનો ઉદ્દેશ ભારતની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવાનો અને કઠોળ, તેલ અને વાણિજ્યિક પાકો તરફના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાનો પણ છે. તદનુસાર, એમએસપીમાં સૌથી વધુ વધારો મસૂર (મસુર) માટે ક્વિન્ટલ દીઠ ₹425ના દરે મંજૂર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 2023-24માં રેપસીડ અને સરસવને ક્વિન્ટલ દીઠ ₹200ના દરે મંજૂરી આપવામાં આવી હતી.

ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવી એ સરકારી નીતિઓનો પાયો છે, ખાસ કરીને નબળા લોકો માટે. અનાજની સમયસર અને કાર્યક્ષમ ખરીદી અને વિતરણ સર્વોચ્ચ છે. એમએસપી કામગીરી હેઠળ 19 જૂન, 2023 સુધીમાં સેન્ટ્રલ પૂલ માટે 830 લાખથી વધુ મેટ્રિક ટન (એલએમટી) ડાંગરની ખરીદી કરવામાં આવી છે. વર્ષ 2022-23ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે ચાલી રહેલી ડાંગરની ખરીદીની કામગીરીથી 1.2 કરોડથી વધારે ખેડૂતોને લાભ થયો છે, જેમાં રૂ. 1.7 લાખ કરોડનો એમએસપી આઉટફ્લો સીધો જ તેમના ખાતામાં હસ્તાંતરિત થયો છે. ચાલુ સિઝનમાં ઘઉંની ખરીદી, 19 જૂન, 2023 સુધી, ગયા વર્ષની કુલ ખરીદીને 74 એલએમટી દ્વારા વટાવી ગઈ છે, જે 262 એલએમટી પર પહોંચી ગઈ છે. ઉપરાંત ખેડૂતોને તેમના ઉત્પાદન માટે પોષણક્ષમ કિંમતો સુનિશ્ચિત કરવા માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજના શરૂ કરી હતી.

ઉત્પાદકતામાં સુધારો કરવા અને ઉત્પાદન પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) અને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય) મારફતે લણણી પછીનાં માળખાગત રોકાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય-પીડીએમસી)ના પર ડ્રોપ મોર ક્રોપ ઘટક જેવી સ્થાયી કૃષિ પદ્ધતિઓનો સ્વીકાર અને કૃષિમાં પરિવર્તન લાવવા માટે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાથી તે વધુ સ્થિતિસ્થાપક બની રહી છે.[11].

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને લાભ થયો છે અને 10 લાખ રોજગારીનું સર્જન થયું છે. માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ યોજનાના પ્રધાનમંત્રી ઔપચારિકરણથી 2.4 લાખ એસએચજી અને 60,000 વ્યક્તિઓને ક્રેડિટ લિન્કેજમાં સહાય કરવામાં આવી છે. અન્ય યોજનાઓ લણણી પછીના નુકસાનને ઘટાડવા અને ઉત્પાદકતા અને આવકમાં સુધારો કરવાના પ્રયત્નોને પૂરક બનાવે છે.[12]

આવતીકાલે ખેતી: કૃષિ ક્રાંતિ

ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે સક્રિયપણે ડિજિટલ સમાવેશ અને યાંત્રિકરણને પ્રોત્સાહન આપ્યું છે. વર્ષ 2016માં ડિજિટલ પ્લેટફોર્મ ઇ-એનએએમ (નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ)ની શરૂઆતથી એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીઝ (એપીએમસી) મંડીઓને સંકલિત કરવાની સુવિધા મળી છે અને તેનાથી ખેડૂતો, ખેડૂત-ઉત્પાદક સંસ્થાઓ (એફપીઓ), ખરીદદારો અને વેપારીઓને બહુઆયામી લાભો મળ્યા છે. ઇ-નામ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા બજારોની સંખ્યા વર્ષ 2016માં 250થી વધીને વર્ષ 2023માં 1,389 થઈ છે, જે 209 કૃષિ અને બાગાયતી ચીજવસ્તુઓનાં ઓનલાઇન વેપારની સુવિધા પ્રદાન કરે છે.

આ પ્લેટફોર્મ પર 1.8 કરોડથી વધુ ખેડૂતો અને 2.5 લાખ વેપારીઓની નોંધણી જોવા મળી છે., પારદર્શક કિંમત શોધ પ્રણાલી અને ઓનલાઇન ચુકવણી સુવિધા દ્વારા બજારની તકોને પ્રોત્સાહન આપવું. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર વેપારનું મૂલ્ય ઓગસ્ટ 2017માં ₹ 0.3 લાખ કરોડથી વધીને નવેમ્બર 2023માં ₹ 3 લાખ કરોડથી વધુ થઈ ગયું છે.

image005B2TI.jpg (470×334)

ડ્રોન તકનીકને ખેડૂતોને પોસાય તેવા બનાવવાના તેના પ્રયત્નોમાં તકનીકી અપનાવવા માટે સરકારનું દબાણ સ્પષ્ટ છે. ખેડૂતોના ખેતરો પર પ્રદર્શન માટે ડ્રોન ખર્ચના ૧૦૦ ટકા અને આકસ્મિક ખર્ચ પર આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત સરકાર પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)નું કમ્પ્યુટરાઇઝિંગ કરીને સહકારી આંદોલનને મજબૂત બનાવવા પગલાં લઈ રહી છે. સિંગલ નેશનલ સોફ્ટવેર નેટવર્ક મારફતે નાબાર્ડ સાથે 62,318 કાર્યરત પીએસીએસનું જોડાણ ગ્રામીણ વિસ્તારોમાં ક્રેડિટ ડિલિવરી સિસ્ટમને સુધારવાની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

સરકારે પણ બનાવી છે અગ્રીસ્ટેક, અસરકારક આયોજન, દેખરેખ, નીતિ-નિર્માણ, વ્યૂહરચના ઘડવા અને યોજનાઓના અમલીકરણ માટે એક સંઘીય માળખું. સામૂહિક રીતે, આ પહેલો ખેડૂતોની ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ, સમયસર માહિતી, ધિરાણ, વીમો અને બજારની તકો સુધી પહોંચ વધારવામાં પ્રદાન કરે છે, જે તમામ ઓછા ખર્ચે અને ઉચ્ચ સુવિધા પર છે. [13]

આ સમાચાર પણ વાંચો : Global Space Economy Share : વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય

ખેડૂતોનું સશક્તિકરણઃ બજારલક્ષી પહેલો અને પ્રયાસો

સરકારે પહેલીવાર દેશમાં કૃષિ નિકાસ નીતિ બનાવી છે. જેના કારણે કૃષિ નિકાસ 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સરકાર કૃષિમાં સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી રહી છે. એટલે દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ગ્રેઇન સ્ટોરેજ યોજના શરૂ કરવામાં આવી છે. જે ગામોમાં સહકારી મંડળીઓ નથી ત્યાં 2 લાખ મંડળીઓ સ્થપાઇ રહી છે.[14]

આ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે સરકાર લણણી પછીની પ્રવૃત્તિઓમાં ખાનગી અને જાહેર રોકાણને પ્રોત્સાહન આપશે, જેમાં એકત્રીકરણ, આધુનિક સ્ટોરેજ, કાર્યક્ષમ સપ્લાય ચેઇન, પ્રાથમિક અને ગૌણ પ્રક્રિયા તથા માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સામેલ છે.[15]

 

કૃષિ સમન્વયને પોષવોઃ આનુષંગિક ક્ષેત્રોને સશક્ત બનાવવા

માછીમારોને સહાય કરવાના મહત્વને સમજીને વર્ષ 2019માં મત્સ્યપાલન માટે એક અલગ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આના પરિણામે આંતરિક અને જળચર ઉછેર બંનેનું ઉત્પાદન બમણું થયું છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં 38 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે માછલીનું ઉત્પાદન ૯૫ લાખ મેટ્રિક ટનથી વધીને ૧૭૫ લાખ મેટ્રિક ટન એટલે કે છેલ્લા દસ વર્ષમાં લગભગ બમણું થયું છે. આંતરિક મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન ૬૧ લાખ મેટ્રિક ટનથી વધીને ૧૩૧ લાખ મેટ્રિક ટન થયું છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં નિકાસ બમણાથી વધુ એટલે કે 30 હજાર કરોડ રૂપિયાથી વધીને 64 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આનુષંગિક ક્ષેત્રોને સશક્ત બનાવવાના વિઝન સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય)ના અમલીકરણને વેગ આપવામાં આવશે, જેથી જળચરઉછેરની ઉત્પાદકતા હાલના હેક્ટરદીઠ 3થી વધારીને 5 ટન, નિકાસ બમણી કરીને રૂ. 1 લાખ કરોડ થશે અને નજીકના ભવિષ્યમાં 55 લાખ રોજગારીની તકોનું સર્જન થશે. તેમજ પાંચ ઇન્ટિગ્રેટેડ એક્વાપાર્ક ઊભા કરવામાં આવશે.[16]

દેશમાં સૌપ્રથમવાર પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. છેલ્લા એક દાયકામાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં 40 ટકાનો વધારો થયો છે. પ્રાણીઓને પગ અને મોઢાના રોગોથી બચાવવા માટે પ્રથમ નિ:શુલ્ક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર તબક્કામાં પ્રાણીઓને 50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.[17]

ભવિષ્યના પ્રયત્નો

  • નેનો DAP: નેનો યુરિયાના સફળતાપૂર્વક સ્વીકાર પછી તમામ કૃષિ-આબોહવા ઝોનમાં વિવિધ પાકો પર નેનો ડીએપીના ઉપયોગનું વિસ્તરણ કરવામાં આવશે.
  • ખનિજતેલ બીજ અભિયાનઃ 2022માં જાહેર કરવામાં આવેલી પહેલને આધારે, સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલબીજ માટે ‘શૂન્યતા’ પ્રાપ્ત કરવા માટે એક વ્યૂહરચના બનાવવામાં આવશે. આમાં ઊંચી ઉપજ આપતી જાતો માટે સંશોધન, ખેતીની આધુનિક ટેકનિકોનો વ્યાપક સ્વીકાર, બજાર સાથે જોડાણ, પ્રાપ્તિ, મૂલ્ય સંવર્ધન અને પાક વીમાને આવરી લેવામાં આવશે.
  • ડેરી વિકાસ: ડેરી ખેડુતોને ટેકો આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ બનાવવામાં આવશે. પગ અને મોઢાના રોગને કાબૂમાં લેવાના પ્રયત્નો પહેલાથી જ ચાલુ છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, પરંતુ દૂધાળા પ્રાણીઓની ઓછી ઉત્પાદકતા સાથે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય પશુધન મિશન અને ડેરી પ્રોસેસિંગ અને પશુપાલન માટે માળખાગત વિકાસ ભંડોળ જેવી વર્તમાન યોજનાઓની સફળતા પર બનાવવામાં આવશે.

કૃષિ ક્ષેત્રે સતત સારો દેખાવ કર્યો છે, ત્યારે વૈવિધ્યસભર અને પૌષ્ટિક આહાર બાસ્કેટની વધતી જતી માંગને પહોંચી વળવા માટે કૃષિ પદ્ધતિઓમાં સતત નવીનતા, પાકની વિવિધતામાં સુધારો અને તકનીકી અપનાવવી આવશ્યક છે. વધુમાં, નીતિની સાતત્યતા અને સાતત્ય કે જે ખેડૂતો માટે બજાર અને ઉત્પાદનની પસંદગીઓને વિસ્તૃત કરે છે, જે તે જ સમયે, વ્યાપક પર્યાવરણીય અને ઇકોલોજીકલ વિચારણાઓ અને દેશમાં કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા અને માંગને જાળવી રાખે છે, તે ખેડૂતોને નવી તકનીકીઓ અને પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં ઉપયોગી થશે.

આ સમાચાર પણ વાંચો :  Super Tuesday : ‘સુપર ટ્યુઝડે’ પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે આટલા રાજ્યમાં મેળવી જીત, નવેમ્બરમાં બિડેનને આપી શકે છે ટક્કર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક