• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Court Cases
Tag:

Court Cases

District Legal Authority-Surat will hold National Lok Adalat on this date, the targeted cases will be resolved through conciliation.
સુરત

National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત આ તારીખે યોજશે રાષ્ટ્રીય લોકઅદાલત, સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું કરાશે નિરાકરણ.

by Hiral Meria September 28, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

National Lok Adalat: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. 

                  સુરત ( Surat ) જિલ્લામાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ (ચેક બાઉન્સ) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો ( Court Cases ) સંપર્ક કરવો. 

           ઉપરાંત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-સુરત ( District Legal Authority Surat ) કચેરી દ્વારા આવા કેસોના સુખદ નિરાકરણ માટે બેચનું ગઠન કરાયું છે. જે બેચ વિશેષ લોકઅદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાનથી નિકાલ કરશે. પક્ષકારો તથા તેમના વકીલોએ વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના CONCILIATION માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે. જેથી સમાધાનના માધ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતના ચેરમેન શ્રી આર.ટી. વચ્છાણીએ અપીલ કરી છે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવાયુ છે.

આ સમાચાર પણ વાંચો :  Best Tourism Villages Competition 2024: પર્યટન મંત્રાલયે કરી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજીસ કોમ્પિટિશન – 2024’ના વિજેતાઓની જાહેરાત, વિજેતા ગામોમાં ગુજરાતનું આ ગામ પણ સામેલ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Lok Adalat held in every court of Surat
સુરત

Surat National Lok Adalat : સુરતની દરેક કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત, કુલ આટલા કેસોનો નિકાલ કરી રૂા. ૫૨.૩૪ લાખના દંડની કરી વસુલાત.

by Hiral Meria September 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat National Lok Adalat :  ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત ( Surat  ) દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, બેન્ક નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર તકરાર, પાણી અને વિજ બિલ, લગ્ન વિષયક તકરાર, રેવન્યુ તથા સિવીલના કેસો મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર.ટી.વચ્છાણીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ આ તમામ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરાયું હતું.  

            લોક અદાલતમાં ( National Lok Adalat ) કુલ ૬,૯૭૭ કેસો મૂકાયા હતાં, જે પૈકી ૪૪૧૨ કેસોમાં સુખદ સમાધાન હુકમો કરાયા હતા. સ્પેશયલ સીટિંગમાં મૂકવામાં આવેલ ૪૩,૩૦૯ કેસો પૈકી ૩૧,૦૧૨ કેસોનું ( Surat Court ) નિરાકરણ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah Farmers: ખેડૂતોનાં કલ્યાણ માટે મોદી સરકારે લીધા આ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો ઉલ્લેખ

            લોક અદાલતમાં ( Lok Adalat ) કુલ ૩૫,૪૨૪ કેસોનો ( Court Cases ) નિકાલ કરી રૂા.૧,૩૯,૨૨,૯૮,૩૨૬ રકમનું સેટલમેન્ટ તેમજ રૂા. ૫૨,૩૪,૧૩૦/- રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-ચલણના કેસોમાં રૂા. ૪,૬૦,૦૩,૬૩૦/- ની વસુલાત કરાઈ છે. પ્રિ-લીટીગેશનમાં કુલ ૭૪,૦૭૮ કેસોનો સમાધાનથી નિકાલ કરી તેમાં રૂ.૭,૦૪,૨૪,૭૭૫ ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

Surat National Lok Adalat :  લોકઅદાલતની ઉપલબ્ધિઓ:-

  • (૧) MACP EXECUTION ના એક કેસમાં રૂ.૨, ૩૪,૭૪, ૯૪૬/- માં સમાધાન.
  • (૨) ૧૦ વર્ષ કે તેથી વધુ જુના ૨૪૫ સિવીલ અને ફોજદારી કેસોનો નિકાલ 
  • (૩) નિયત કરેલા ૩૪૦ ટાર્ગેટેડ કેસો પૈકી ૪૮ કેસોનો નિકાલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Lok Adalat will be held on 14th September by District Legal Authority Board-Surat
સુરત

Surat National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા યોજાશે રાષ્ટ્રીય લોકઅદાલત, આ કેસોનો કરવામાં આવશે નિકાલ.

by Hiral Meria September 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat National Lok Adalat:  સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૧૪/૦૯/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત ( National Lok Adalat ) યોજાશે.

                    આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત ( Surat  ) શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારના (છુટાછુડા સિવાયના) કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો સહિત અન્ય દિવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) વિગેરે કેસોનો ( Court Cases ) નિકાલ કરવામાં આવશે.

                        વધુમાં, સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનિશીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી, રૂબરૂ તથા ટેલિફોનીક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી, જેનો પણ લોકો લાભ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  International Solar Festival: પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ માટે PM નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળપાઠ વાંચો અહીં.

           રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોકઅદાલતમાં મૂકી શકશે એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરતના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવવામાં આવ્યું  છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Lok Adalat was organized by Surat District Legal Services Authority on 22nd June in every court of the district.
સુરત

National Lok Adalat: સુરત જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

by Hiral Meria June 24, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

National Lok Adalat: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત ( Surat ) દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

                લોક અદાલતમાં ક્રીમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેન્કના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર તકરારના કેસો, વોટર અને ઈલેકટ્રીસીટી બીલના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, રેવન્યુ તથા સીવીલના કેસો મુકવામાં આવેલ અને જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અઘ્યક્ષશ્રી અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી અતુલ આઈ. રાવલ સાહેબશ્રીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ લોક અદાલતમાં ( Lok Adalat ) મુકવામાં આવેલ તમામ કેસોમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવેલ જેમા પક્ષકારોએ તેમજ વકીલશ્રીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

              આ લોક અદાલતમાં કુલ ૯,૫૧૧ કેસો ( Court Cases ) મુકવામાં આવ્યા હતાં જે પૈકી લોક અદાલતમાં ૪,૯૫૯ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું. છે. જયારે સ્પેશયલ સીટીંગમાં કુલ ૪૫,૦૯૨ કેસો મુકવામાં આવેલ હતાં જે પૈકી ૪૩,૮૯૯ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર  પણ વાંચો:  Surrogacy New Rule in India: કેન્દ્ર સરકારે સરોગસી નિયમોમાં કર્યો મોટો સુધારો, સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા 180 દિવસ સુધી લંબાવી..જાણો વિગતે

       નેશનલ લોક અદાલતમાં કુલ ૪૮,૮૫૮ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂા. ૧,૭૪,૫૭,૨૯,૩૯૦/- ૨કમનું સેટલમેન્ટ થયુ હતું અને રૂા.૬૫,૨૪,૦૦૦ રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. તદ્દઉપરાંત ઈ-ચલણના કેસોનો ( e-challan cases ) નિકાલ કરેલ જેમાં રૂા.૩,૨૭,૪૯,૭૦૦ રકમની વસુલાત કરવામાં આવી તેમજ પ્રિ-લીટીગેશનમાં કુલ ૬૯,૫૧૩ કેસોનો સમાધાનથી નિકાલ કરી  રૂ. ૬,૪૬,૯૮,૦૭૨/- ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

National Lok Adalat: લોક અદાલતની ઉપલબ્ધિઓ :-

(૧) MACP ના એક કેસમાં રૂ.૭૦,૦૦,૦૦૦/- માં સમાધાન કરવામાં આવ્યું હતું.

(૨) આ લોક અદાલતમાં ૧૦ વર્ષ કે તેથી વધુ જુના સીવીલ કેસો ( Civil cases ) અને ફોજદારી કેસો ( Criminal case ) મળી કુલ – ૧૬૯ નો નિકાલ કરવામાં આવ્યો હતો.

(૩) નેગો. કેસમાં કુલ ૧૫ ચેકની રકમ રૂ. ૩૭,૬૮,૪૩૯/- ની રકમ જતી કરવામાં આવી હતી. તેમ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સી. આર. મોદીની યાદીમાં જણાવાયું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક