Tag: csmt station

  • Mumbai Local Train Update : મોટી દુર્ઘટના ટળી… મધ્ય રેલવેના આ સ્ટેશન ના રેલવે ટ્રેક પર પડી ગયું પ્લેટફોર્મ સફાઈ મશીન, લોકલ ટ્રેનો થઇ પ્રભાવિત..

    Mumbai Local Train Update : મોટી દુર્ઘટના ટળી… મધ્ય રેલવેના આ સ્ટેશન ના રેલવે ટ્રેક પર પડી ગયું પ્લેટફોર્મ સફાઈ મશીન, લોકલ ટ્રેનો થઇ પ્રભાવિત..

    News Continuous Bureau | Mumbai

     Mumbai Local Train Update :મધ્ય રેલ્વેના છત્રપતિ શિવાજી મહારાજ રેલ્વે સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પ્લેટફોર્મ સાફ કરવા માટે વપરાતું એક મશીન અચાનક રેલ્વેના પાટા પર પડી ગયું. આ મશીનમાં ઇલેક્ટ્રિક બેટરીનો સમાવેશ થાય છે. સદનસીબે, કોઈ મોટી ઘટના બની નહીં.  

     

     Mumbai Local Train Update : મોટરમેનની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી

    સીએસએમટીના પ્લેટફોર્મ નંબર 7 પર હંમેશની જેમ પ્લેટફોર્મ સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. પ્લેટફોર્મ સાફ કરવા માટે વપરાતું મશીન પ્લેટફોર્મ પરથી સીધું રેલ્વે ટ્રેક પર પડી ગયું. ઘટના બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મશીનને હટાવી લીધું હતું. ઘટના બની ત્યારે લોકલ ટ્રેન પણ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. મોટરમેને સમયસર લોકલ ટ્રેન રોકી દીધી હોવાથી અકસ્માત ટળી ગયો. જોકે મશીનને ટ્રેક પરથી દૂર કરવામાં ઘણો સમય લાગતો હોવાથી તે લાંબા સમય સુધી લોકલ સ્ટેશનની બહાર મોડી પડી હતી.  

    આ સમાચાર પણ વાંચો : Maharashtra SSC Result 2025 : મહારાષ્ટ્ર ધોરણ 10ના પરિણામો જાહેર, ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી; જાણો મુંબઈની ટકાવારી..

     Mumbai Local Train Update : દરરોજ લાખો લોકો કરે છે મુસાફરી 

    મહત્વનું છે કે સીએસએમટી મધ્ય રેલ્વેનું મુખ્ય મથક છે. આ સ્ટેશન પરથી દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેથી, આ સ્ટેશન હંમેશા ભીડવાળું રહે છે. આ ઘટનાને કારણે, પ્લેટફોર્મ 7 પરની સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરવી પડી. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mock Drill Mumbai :  મુંબઈના ક્રોસ મેદાન અને CSMT ખાતે યોજાઈ મોકડ્રીલ, યુદ્ધની સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અપાઈ તાલીમ

    Mock Drill Mumbai : મુંબઈના ક્રોસ મેદાન અને CSMT ખાતે યોજાઈ મોકડ્રીલ, યુદ્ધની સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અપાઈ તાલીમ

    News Continuous Bureau | Mumbai

    Mock Drill Mumbai : યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી તરીકે આજે દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના પર 7 મેના રોજ આયોજિત આ કવાયતમાં મહારાષ્ટ્રના 16 શહેરોનો સમાવેશ થાય છે. મુંબઈના ક્રોસ મેદાનમાં મોકડ્રીલ યોજાઈ છે. લોકોને હુમલો થાય તો તાત્કાલિક લાઇટ બંધ કરવાનું, ખુલ્લી જગ્યાઓ ટાળવાનું અને 5-10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચવાનું શીખવવામાં આવ્યું છે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે તૈયાર કરવાનો છે. મોક ડ્રીલનો વિડીયો જુઓ

     

    Mock Drill Mumbai : રેલવેએ મુંબઈમાં એક કવાયત હાથ ધરી

    સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) ડૉ. સ્વપ્નિલ નીલાએ માહિતી આપી હતી કે સિવિલ ડિફેન્સ યુનિટ દ્વારા CSMT ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, રેલ્વેની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સામાન્ય લોકોને સતર્ક રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 1971 પછી પહેલી વાર આ કવાયત આટલા મોટા પાયે થઈ રહી છે. તેને ગંભીરતાથી લેતા, મહારાષ્ટ્ર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું હતું.  

     

    Mock Drill Mumbai : મોક ડ્રીલમાં પોતાને બચાવવા માટે શું કરવું અને શું ન કરવું

    • સાયરન સાંભળ્યા પછી ગભરાશો નહીં, તમારા પરિવારના બધા સભ્યોને ભેગા કરો અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો.
    • સરકારી રેડિયો, ટેલિવિઝન અથવા ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરો.
    • જો તમે ઘરે હોવ, તો બારીઓ અને દરવાજા બંધ રાખો; જો તમે બહાર હોવ તો નજીકના બંકર અથવા સલામત સ્થળે જાઓ.
    • પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહો, જો કટોકટી સેવાઓની જરૂર હોય, તો સ્થાનિક કટોકટી નંબરો પર કૉલ કરો,
    • રસ્તા પર વાહન ચલાવતી વખતે, ટ્રાફિક સિગ્નલો અને પોલીસની સૂચનાઓનું પાલન કરો, ઇમરજન્સી વાહનોને રસ્તો આપો

    આ સમાચાર પણ વાંચો : Ahmedabad Mock drill : અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત ૯ સ્થળોએ યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ

    Mock Drill Mumbai : ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર

    મંગળવારે રાત્રે, ભારતીય સેનાએ હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્રણેય સેનાઓની આ સંયુક્ત કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં પ્રવેશ્યા વિના, ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની અંદર 100 કિમી દૂર આવેલા બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર બોમ્બમારો કરીને નાશ કર્યો છે. આ ઉપરાંત, પાકિસ્તાનમાં કુલ ચાર અને પીઓકેમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • ઠંડા ઠંડા કુલઃ આજથી મુંબઈગરાનો એસી લોકલ ટ્રેનનો પ્રવાસ થયો સસ્તો..  જાણો વિગતે.

    ઠંડા ઠંડા કુલઃ આજથી મુંબઈગરાનો એસી લોકલ ટ્રેનનો પ્રવાસ થયો સસ્તો.. જાણો વિગતે.

     

    News Continuous Bureau | Mumbai

    આજથી મુંબઈ અને તેની આસપાસના સ્થાનિક પ્રવાસીઓ માટે એરકંડિશન્ડ (એસી) લોકલ ટ્રેનની(AC local train) મુસાફરી સસ્તી થઈ ગઈ છે. રેલવેએ(Railway) એસી લોકલના ભાડા ઘટાડવાનો નિર્ણય લીધો હતો, તે આજથી લાગુ થઈ ગયો છે. તે મુજબ હવેથી પાંચ કિલોમીટર સુધીની મુસાફરી માટે એસી લોકલની ટિકિટ(Train ticket) 30 રૂપિયા થઈ ગઈ છે.  અગાઉ ટિકિટની કિંમત 65 રૂપિયા હતી. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

    મુંબઈમાં એસી લોકલની ટિકિટના ઊંચા ભાવને કારણે તેને બહુ મોળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી રેલવે પ્રશાસનને(Railway department) એસી લોકલની ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની લાંબા સમયથી પ્રવાસીઓ(Commuters) ડીમાન્ડ કરી રહ્યા હતા. ભીડના સમયે પણ એસી લોકલ ખાલી જતી હતી. તેથી એસી લોકલના ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી હતી. છેવટે રેલવે પ્રશાસને એસી લોકલના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. તેથી મુંબઈવાસીઓને આજથી એસી લોકલમાં સસ્તામાં મુસાફરી કરવા મળવાની છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈ થશે પ્રદૂષણ મુક્ત: નવા બાંધકામ માટે BMCએ લીધો નિર્ણય, ઇલેક્ટ્રિક વેહિકલ પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન ફરજિયાત. જાણો વિગતે.

    એસી લોકલની સાથે જ  ફર્સ્ટ ક્લાસ ટિકિટના ભાવમાં ઘટાડો પણ આજથી અમલી થયો છે. હાલમાં થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) સુધીની ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 140 રૂપિયા છે. રેલવે ભાડામાં ઘટાડો કરવાના મોટા નિર્ણય બાદ 140 રૂપિયાની ટિકિટ હવે ઘટીને 85 રૂપિયા અથવા લગભગ 50 ટકા થઈ ગઈ છે. જોકે એસી લોકલ અને ફર્સ્ટ ક્લાસના માસિક પાસના દર માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

     

  • એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

    એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    રાષ્ટ્રવાદી કોંગ્રેસના (NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar)ના ઘર પર હુમલા પ્રકરણમાં તાબામાં લેવામાં આવેલા બે આરોપી વચ્ચે થયેલા સંવાદની ક્લીપ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બંને વચ્ચે થયેલા સંવાદ પરથી શરદ પવારના ઘર પરનો હુમલો પૂર્વનિયોજિત હોવાનું જણાઈ આવે છે.

    મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઘર પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અભિષેક પાટીલ અને નાગપૂરનો એસટી કર્મચારી સંદીપ ગોડબોલે વચ્ચે ફોન પર થયેલા સંવાદની કલીપ હાથમાં લાગી છે. તેના પરથી જાણવા મળ્યું છે કે પવારના ઘર પર હુમલા બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.

    શરદ પવારના ઘર પર હુમલા બાદ આઝાદ મેદાન(Azad Ground)માં જમા થયેલા એસટીના જવાનોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને ત્યારપછી ઘણા પ્રદર્શનકારીઓએ સીએસએમટી(CSMT) સ્ટેશન તરફ કૂચ કરી હતી. અભિષેક અને સંદીપ વચ્ચેની ફોન પર થયેલી વાતચીતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રદશર્નકારીઓને સ્ટેશનની ટિકિટ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો  : અમરાવતીના સાંસદ નવનીત રાણાના જીવને જોખમ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી 'આ' કેટેગીરીની સુરક્ષા; જાણો વિગતે
    પોલીસે અભિષેક પાટીલ અને નાગપુરથી કસ્ટડીમાં લેવામાં આવેલા સંદીપ ગોડબોલે વચ્ચેની વાતચીતની ક્લિપ જપ્ત કરી છે. બંને વચ્ચે થયેલા સંવાદ મુજબ અભિષેક ફોન પર સંદીપ સાથે શરદ પવારના ઘર પર જમા થયા બાદ ત્યાં છોડવામાં આવેલી ચપ્પલને લઈ વાત કરે છે. તેમ જ વિરોધ પ્રદર્શન તેમના દ્વારા જ કરવામાં આવે છે અન્ય લોકો કંઈ કરતા નથી તેના પર પર પણ વાત કરી હતી. એ સિવાય તેમના સંવાદમાં હુમલા સમયે મિડિયાની હાજરીને લઈને પણ ચર્ચા થઈ હતી. તેમ જ સીએસટી સ્ટેશન પર જમા થયેલી તમામ મહિલાઓ અને પુરુષોને ટિકિટના પૈસા પણ આપવામાં આવ્યા હોવાને મુદ્દે ચર્ચા થઈ હોવાનું ટેપમાં જણાયું હોવાનો મીડિયામાં અહેવાલ છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવારના ઘર પર હુમલાના કેસમાં એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપી અભિષેક પાટીલ અને ચંદ્રકાંત સૂર્યવંશીને 16 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સાતારા પોલીસને સદાવર્તેને 17 એપ્રિલ સુધી કસ્ટડીમાં લેવાની મંજૂરી પણ આપવામાં આવી છે. સદાવર્તે વિરુદ્ધ સતારામાં અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.