Tag: currency

  • તાલિબાનોનું શાસન આવતાં જ અફઘાનિસ્તાને પોતાની આઇડેન્ટિટી પણ છોડી દીધી, હવે પોતાનું ચલણ પણ દેશને સરન્ડર કર્યું; જાણો વિગત

    તાલિબાનોનું શાસન આવતાં જ અફઘાનિસ્તાને પોતાની આઇડેન્ટિટી પણ છોડી દીધી, હવે પોતાનું ચલણ પણ દેશને સરન્ડર કર્યું; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

    શનિવાર

    અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા સાથે જ પાકિસ્તાને તેની મેલી મુરાદ પાર પાડવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે અફઘાનિસ્તાન પર પોતાનો સકંજો જમાવાનું ચાલુ કરી દીધું છે, જેમા પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે પોતાની કરન્સીમાં જ વેપાર કરવાનો નિર્ણય લીધો છે, જેને તાલિબાન શાસને પણ માન્ય કરી નાખ્યું છે.

    પાકિસ્તાનના કેન્દ્રીય નાણાપ્રધાન શૌકત તારીકે કહ્યું હતું કે તેમની સરકાર અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાની કરન્સીમાં જ વેપાર કરવાની છે. અફઘાનિસ્તાન પાસે ડૉલરની અછત છે, એથી પાકિસ્તાન પોતાની કરન્સી હેઠળ તેમની સાથે વેપાર કરશે.

    તાલિબાનના રાજ બાદ હાલ અફઘાનિસ્તાનમાં હજી પણ અફરાતફરીનો માહોલ છે ત્યારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર પાકિસ્તાન સતત નજર રાખી રહ્યું છે અને ત્યાંની અર્થવ્યવસ્થા પાટે ચઢાવવામાં તેમને મદદ કરશે. એવું શૌકતે કહ્યું હતું. પાકિસ્તાને પોતાની એક ટીમ પણ અફઘાનિસ્તાન મોકલવી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે વર્ષોથી અફઘાનિસ્તાનનો કારભાર વિદેશથી મળતી નાણાકીય મદદથી જ ચાલતો હતો. તાલિબાનના શાસનની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરથી મળતી નાણાકીય મદદ પર પ્રતિબંધ આવી ગયો છે તેમ જ તેમની સંપત્તિ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. એથી તાલિબાનોએ આર્થિંક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એવા વખતમાં અફઘાનિસ્તાનમાં પોતાનો પગ વધુ મજબૂત કરવા પોતે આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે, છતાં પાકિસ્તાન અફઘાનિસ્તાનને મદદ કરવા આગળ આવી રહ્યું છે.

    હલકી માનસિકતા: સરકારમાં મહિલાઓની ભાગીદારીને લઈને તાલિબાની પ્રવક્તાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન ; જાણો વિગતે 

    પાકિસ્તાનના નાણાપ્રધાનના કહેવા મુજબ આગામી સપ્તાહમાં અફઘાનિસ્તાન સાથેના વેપારનું પરિણામ જોવા મળશે. સરકાર પાકિસ્તાનનો જીડીપી ગ્રોથને ચાલુ આર્થિક વર્ષમાં ચાર ટકાથી વધારીને 4.8 ટકા કરવા માગે છે.

  • શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

    શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 21 જૂન 2021

    સોમવાર

    કોરોના પર નિયંત્રણ લાવવા માટે નાગરિકો તેમ જ વેપારીઓ પાસેથી મદદની આશા રાખનારી સરકારને જોકે લોકોની ફરિયાદ સાંભળવા માટે સમય નથી. કરન્સી નોટો દ્વારા શું ખરેખર કોરોના ફેલાય છે એવો સવાલ છેલ્લા છ મહિનાથી ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT) દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન તેમ જ આરોગ્ય ખાતાને  એનો જવાબ આપવાનો હજી સુધી સમય મળ્યો નથી. એની સામે વેપારીઓએ નારાજગી જાહેર કરી છે

    CAMIT દ્વારા નૅશનલ પ્રેસડિન્ડ પ્રવીણ ખંડેલવાલના કહેવા મુજબ સરકાર પાસે કોરોનાને લગતા સવાલનો જવાબ આપવાનો સમય નથી. એકતરફ સરકાર લોકો પાસે કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે મદદની અપેક્ષા રાખે છે. એની સામે સરકાર કોઈ પ્રકારની મદદ કરવા તૈયાર નથી. ગયા વર્ષે જ્યારે કોરોનાના કેસ ભારતમાં નોંધાયા ત્યારે જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધનને પત્ર મોકલીને કરન્સીથી કોરોના ફેલાય છે એવો સવાલ કર્યો હતો. ત્યાર બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને પણ પત્ર મોકલવામાં આવ્યો હતો. જોકે છ મહિના બાદ પણ બંને પક્ષ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ વાતને લગભગ સવા વર્ષનો સમય વીતી ગયો છે. છતાં હજી તેમની પાસેથી કોઈ જવાબ મળ્યો નથી.

    કોરોનાની બીજી લહેર પર કાબૂ! દેશમાં 88 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા  

    અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ આ વિષય પર અનેક રિસર્ચ થયાં છે. જેમાં કરન્સી નોટ પર  વિષાણુ લાંબા સમય સુધી રહેતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે કરન્સી નોટો રોજના હજારો લોકોના હાથમાં ફરતી હોય છે ત્યારે એનાથી કોરોના ફેલાવાનું જોખમ પણ વધારે છે. એમાં પણ દેશના 130 કરોડ લોકો પોતાની તમામ જરૂરિયાતની વસ્તુઓ વેપારીઓ પાસેથી ખરીદતા હોય છે. એથી વેપારીઓને તેમના વર્કરોને કરન્સી નોટને કારણે કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોવાનું ફરિયાદ પણ CAMIT કરી હતી.