• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - dahisar - Page 5
Tag:

dahisar

મુંબઈ

ચોમાસું નજીક ત્યારે BMC જાગી પૂરથી બચવા પોઈસર નદી પાસે કરશે આ કામ..જાણો વિગતે

by Dr. Mayur Parikh May 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચોમાસા(Monsoon)માં ભારે વરસાદ પડ્યો તો મુંબઈ(MUmbai)માં પાણી ભરાવાનું જ છે એવી કબૂલાત મહારાષ્ટ્ર(Mahrashtra)ના પર્યટન, પર્યાવરણ પ્રધાન અને મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray) કર્યા બાદ વિરોધપક્ષ તેમના પર તેમ જ પાલિકા પ્રશાસન પર તુટી પડી છે. ત્યારે જાણે જાગી હોય તેમ પાલિકા(BMC) હવે મુંબઈની નદીઓના તટ પાસે રહેલા બાંધકામને સફાયો કરવાનું ચાલુ કરી દીધું છે.

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન નદીઓમાં પૂર (Flood in river)આવવાની શક્યતા છે અને તેને કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. તેથી મુંબઈની મહત્વની નદી ગણાતી પોઇસર નદી(Poisar river)ના પરિસરમાં રહેલા ગેરકાયદે બાંધકામને પાલિકાએ હટાવી દીધા છે અને હવે ચોમાસા પહેલા ત્યાં સેફટી વોલ બાંધવાની છે.

આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે

પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ આર-સાઉથ વોર્ડ એટલે કે કાંદિવલી(વેસ્ટ) પરિસરમાં મંગુભાઈ દત્તાજી પુલ પાસે રહેલા લાલજી પાડા(Lalji Pada) પરિસરમાંથી પોઇસર નદી વહે છે. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ દરમિયાન નદી(River)ની પાસે રહેલા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય છે. તેથી જુદી જુદી યોજના અંતર્ગત નદીના કિનારા પર સેફટી વોલ બાંધવામાં આવવાની છે. આ વોલ બાંધવાને આડે નદીના કિનારે પાસે રહેલા ઝૂંપડા આડે આવી રહ્યા હતા. તેથી પાલિકાએ સંબંધિત લોકો સાથે બેઠક કર્યા બાદ પહેલા તબક્કામાં શુક્રવારે 16 ઝૂંપડા હટાવ્યા હતા

ઝોન-સાતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસેના જણાવ્યા મુજબ આર-દક્ષિણ પરિસરમાંથી વહેતી પોઈસર નદીના કાંઠે દીવાલ બાંધવી જરૂરી છે. દીવાલ બાંધવાને આડે 130 બાંધકામ-ઝૂંપડા આડે આવી રહ્યા છે. ચોમાસા પહેલા અહીં દીવાલ બાંધવી આવશ્યક છે. તેથી પહેલા તબક્કામાં 29 બાંધકામ હટાવવામાં આવવાના છે, તેમાંથી શુક્રવારે 16 બાંધકામ હટાવ્યા હતા. બાકીના ઝૂંપડા હટાવવાની સાથે જ દીવાલ બાંધવાનું કામ પણ ચાલુ કરવામાં આવવાનું છે.

May 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 કમાલ કહેવાય! 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ દહીસર પોલીસે ધરફોડી કરનારા ચોરટાઓ પકડી પાડ્યા; જાણો વિગતે

by Dr. Mayur Parikh May 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દહીસર (Dahisar)અને બોરીવલી  (Borivali) વિસ્તારમાં મિનિટોમાં જ ઘરના દરવાજાના તાળા તોડીને ઘર સફાચટ કરી જનારી ટોળકીને પકડી પાડવામાં દહીસર પોલીસને(Dahisar Police) સફળતા મળી છે. પોલીસે નહીં નહીં તો લગભગ 78 જગ્યા પર રહેલા સીસીટીવી ફુટેજ(CCTv footage) તપાસની અજાણ્યા તસ્કરોન પકડી પાડ્યા હતા. ચોરટાઓને(Robbers) માથે ઘરફોડીના અનેક ગુના નોંધાયેલા છે.

ઝોન 12ના ડેપ્યુટી પોલીસ કમિશનર(Deputy police commissioner) સોમનાથ ધાર્ગે(Somnath Dharge), દહીસર વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર(Assistant police commissioner) વસંત પીંગળે(Vasant Pingle) અને દહીસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર(Senior police inspector) પ્રવિણ પાટીલના(Pravin patil) નેતૃત્વમાં પોલીસે ઘરફોડી કરનારા આરોપીને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના(Crime branch) આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રણજીત ચવ્હાણ(Ranjeet chauhan) અને  તેમની ટીમને આ કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે. 

કેસની વિગત મુજબ બોરીવલી(પૂર્વ)માં  શ્રીકૃષ્ણ નગર રોડ નંબર -2માં આવેલા યાશિકા એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષના વિલાસ મોતીરામ મ્હામુણકર 20 એપ્રિલના સાંજે પોતાની પત્ની સાથે ગોરેગામ તેમના સબંધીના ઘરે ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં રહેલા લોખંડનો પલંગ તોડીને તેમાંથી 728 ગ્રામ વજનના સોનાના દાગીના(Gold jewellery) અને 1.75 કિલો ચાંદીની (Silver)વસ્તુ ચોરીને ભાગી છૂટ્યા હતા. બીજા દિવસે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.

પોલીસના કહેવા મુજબ બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરીના બનાવ રાતના 11 વાગ્યાથી બીજા દિવસે બપોરના 2 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું અનુમાન હતું. 

આ સમાચાર પણ વાંચો : ભિવંડીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ચારોતરફ આગના ધુમાડા.. જુઓ વિડીયો, જાણો વિગતે

ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રણજીત ચવ્હાણ અને તેમની ટીમે ઘટના સ્થળની આજુબાજુની 9 ખાનગી ઈમારતના સીસીટીવી કેમેરા ચેક કરી નાખ્યા હતા. સતત 4 દિવસ તપાસ કર્યા બાદ બે અજાણ્યા તસ્કરો કેમેરામાં દેખાયા હતા. આરોપીઓ ટુ વ્હીલર માં હેલ્મેટ પહેરીને આવ્યા હોવાથી તેમને ઓળખવું મુશ્કેલ હતું. ઘરમાં ચોરી કરવા અગાઉ આરોપીમાંનો એક શખ્સ પહેલા રેકી કરી ગયો હોવાનું સીસીટીવી કેમેરામાં જણાયું હતું. ત્યારબાદ તે તેની સાથે બીજા આરોપીને દહીસર(વેસ્ટ)માંથી સાથે લાવ્યો હોવાનું સીસીટીવીના ફુટેજમાં જણાયું હતું. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપીને શોધવું મુશ્કેલ હતું.

આરોપીઓને પકડવા માટે દહીસર, બોરીવલી, કાશિમીરા, કાસારવડવલી, થાણેમાં લગભગ 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાંથી આરોપીઓના અસ્પષ્ટ ફોટા મળ્યા હતા. પોલીસ ઈન્સ્પેકટર(ક્રાઈમ) સંજય બાંગુર અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર ચવ્હાણે સીસીટીવી ફુટેજમાંથી મળેલા ફોટા અને તેમના સુત્રો પાસેથી મળેસી ગુપ્ત બાતમીને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. ત્યારબાદ ચવ્હાણ અને તેમની ટીમે  52 વર્ષના અનંત ભીકુ કાંબળે અને 37 વર્ષના જ્ઞાનેશ્ર્વર બાંગરેને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 12,53,100 રૂપિયાની કિંમતનું 374.460 કિલોગ્રામ સોનુ અને 1225 ગ્રામ ચાંદીની વસ્તુ તથા મોબાઈલ જપ્ત કર્યા હતા.

આરોપીઓના માથે નવી મુંબઈમાં(navi mumbai) ઘરફોડી અને ચોરીના 26 ગુના દાખલ છે. આરોપીઓ બિલ્ડિંગમાં સીસીટીવી અને વોચમેન નહી હોય એવી બિલ્ડિંગની રેકી કરીને દિવસના 11થી બપોરના 3 વાગ્યા દરમિયાન બંધ ઘરના તાળા તોડીને લૂંટ કરતા હતા.
 

May 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 શાબ્બાશ!! સીસીટીવી ફુટેજના આધારે 48 કલાકની અંદર દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા..

by Dr. Mayur Parikh May 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દહીસર(Dahisar)માં ચેન સ્નેચિંગ(Chain snatching)ખાસ કરીને રસ્તે ચાલતા સિનિયર સિટઝનો(senior citizen)ની ચેન ખેંચી જવાના તથા ઘરફોડીના બનાવ વધી ગયા હતા. ત્યારે દહિસર પોલીસ(Dahisar Police)ને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસના જણાવ્યાં મુજબ 10 મેના દહીસર (પૂર્વ)માં ઘરતન પાડામાં બન્યો હતો જ્યારે આરોપીએ રસ્તો કયા હોવાનું પૂછવાને બહાને ઘરની બહાર ઊભા રહેલા 75 વર્ષીય સિનિયર સિટિઝન મહિલા ઉર્મિલા રાણે(Urmila Rane)ની સોનાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યો હતો. તેમની ફરિયાદ બાદ, દહિસર પોલીસે(Dahisar Police) તપાસ શરૂ કરી અને ઉર્મિલા રાણેના ઘર પાસેના સીસીટીવી ફૂટેજ(CCTV footage) ચેક કર્યા.

આસામમાં પૂરનો કહેર, 20 જિલ્લામાં પૂરની સ્થિતિ, આટલા લોકો થયા પ્રભાવિત.. જાણો વિગતે 

ઝોન-12ના ડેપ્યુટી પોલીસ કમિશનર સોમનાથ ધાર્ગે(Somnath Dharge, Deputy Commissioner of Police, Zone-12)ના માર્ગદર્શનમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. દહિસર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર ઓમ તોટાવારના જણાવ્યા મુજબ સિનિયર સિટિઝન મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં કરવામાં આવેલા વર્ણન મુજબ, આરોપીએ કાળો શર્ટ અને કાળો પેન્ટ પહેર્યો હતો અને તેણે સફેદ માસ્કથી ચહેરો ઢાંક્યો હતો. પોલીસ અધિકારી તોટાવારના કહેવા મુજબ તેઓની ટીમે દહિસર ચેક નાકા સુધીના 35 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.

તેમાં દહિસર ટોલનાકા(Dahisar Tolnaka), મીરા રોડMeera Road), વાલીવ ફાટા પાસે ખાનગી સીસીટીવીના ફૂટેજમાં આરોપી નાલા સોપારા (Nalasopara) દિશામાં ગયો હોવાનું જણાયું હતું. સીસીટીવી મદદથી ગુનાના 48 કલાકની અંદર નાલાસોપારાના ધનિવ બાગમાં રહેતા આરોપીને શોધી કાઢીને તેને પકડી પાડ્યો હતો.  તેણે ચોરેલી સંપત્તિ પાછી મેળવી લીધી હતી. આરોપી 32 વર્ષીય સંદીપ ધનબાર વિરુદ્ધ  વિરાર, જોગેશ્ર્વરી, અકોલા,વસઈમાં અનેક કેસ નોંધાયેલા છે.  

 

May 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

BMCને હાઈકોર્ટની ફટકાર, દુકાનદારોને મળ્યો ન્યાય. મુંબઈના આ વિસ્તારમાં તોડી પડાયેલી દુકાનોને આપવું પડશે 100 ટકા વળતર..  

by Dr. Mayur Parikh May 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના( Mumbai) દહિસર(dahisar) પરામાં ગેરકાયદે રીતે દુકાનો તોડી પાડનારી મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને 100 ટકા વળતર આપવાનો બોમ્બે હાઈકોર્ટે(Bombay hgh court) આદેશ આપ્યો છે. તેમ જ ત્રણ વર્ષ સુધી તેમને થયેલા નુકસાન અને યાતના બદલ 25 ટકા નુકસાન ભરપાઈ(Compensation) કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે, સાથે જ હાઈકોર્ટે પાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી.

દહિસરમાં પાલિકાએ લગભગ 11 દુકાનો તોડી પાડી હતી. 2017માં આ દુકાનદારોએ(Shopkeepers) કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં કરેલી અરજી મુજબ આ દુકાનો 20થી 80 ચોરસફૂટની હતી. તો બે દુકાનો 300 ચોરસ ફૂટની આસપાસ હતી. દુકાનો તોડી પાડતાં લગભગ 3 વર્ષ સુધી દુકાનદારોનો વ્યવસાય(Buisness) બંધ રહ્યો હતો અને તેમને ભારે નુકસાન થયું હતું.

હાઈકોર્ટે પાલિકાને નિર્દેશ આપીને અરજદારોને 20 જૂન, 2018 સુધીમાં તોડી પડાયેલી જગ્યા જેટલી જ જગ્યા ફાળવવાનો આદેશ આપ્યો હતો. ચોથી મેના આદેશમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે પાલિકાએ તેમના આદેશનું પાલન કર્યું નથી. સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશ છતાં દુકાનદારોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  શાબ્બાશ! માત્ર બે દિવસમાં વેસ્ટર્ન રેલવેમાં પોલીસે પકડી આટલાં ચોરટાઓ; પ્રવાસીઓનો કિંમતી માલ કર્યો જપ્ત…

પાલિકા એક યા બીજા બહાને આદેશનો અમલ કરવાનું ટાળી રહી છે. પાલિકાના આવા કારભારને કારણે જો આવું જ ચાલતું રહ્યું તો ન્યાયની પ્રક્રિયામાં લોકોને વિશ્વાસ રહેશે નહીં એવું પણ કોર્ટે નોંધ્યું હતું.

પાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી કરીને ચાર અઠવાડિયામાં દુકાનદારોને વળતર ચુકાવવાનો આદેશ આપ્યો હતો. જેમાં દુકાન ઉપરાંત આર્થિક વળતર ચૂકવવા કહ્યું હતું. સાથે જ આઠ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
 

May 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના આ વિસ્તારથી પકડયા બંટી-બબલી.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

લગભગ 35 લાખ રૂપિયાના ડ્રગ્સ(Drugs)ના જથ્થા સાથે હેરોઈનના(Heroin) જથ્થા સાથે મુંબઈ(Mumbai)ની દહિસર પોલીસે(dahisar police) બંટી-બબલીની ધરપકડ કરી હતી. વર્ષોથી આ પતિ-પત્નીની જોડી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી હતી અને રેલવે લાઈન પર લોકોને ડ્રગ્સ વેચતી હતી. પોલીસે તેમની પાસેથી 295 ગ્રામ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્નીની આ જોડી દહિસરના આંબાવાડી વિસ્તારમાં રહે છે. બંને જણ ડ્રગ્સ વેચવાના કારોબારમાં સંકળાયેલા હતા. તેમની ઉપર પહેલા પણ ડ્રગ્સ વેચવાનો આરોપ થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે.

લાખો રૂપિયાના #ડ્રગ્સના જથ્થા સાથે #મુંબઈના આ #દહિસરમાંથી પકડયા બંટી-બબલી.. જાણો વિગતે.#mumbai #dahisarpolice #drugs #buntybabli pic.twitter.com/XSiCrwwLSz

— news continuous (@NewsContinuous) May 7, 2022

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ડીસીપી સ્કવોડની(DCP squad) એટીસી ટીમે(ATC Team) દહિસર(પૂર્વ)ના આંબાવાડી જંકશન પર પુષ્પ વિહાર કોલોનીમાં છાપો મારીને બંને આરોપીની ધરપકડ કરી હતી. તેમના ઘરેથી 295 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની કિંમત 35 લાખ 40 હજાર છે. બંનેની ધરપકડ બાદ તેમને 11 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. તપાસમાં પોલીસને જણાયું હતું કે  પતિ-પત્ની રેલવે પાટા પર સવારના 11  વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી ડ્રગ્સ વેચવાનું કામ કરતા હતા.
 

May 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બોરીવલી – દહિસર આ દિવસે પાણીનો પુરવઠો બંધ રહેશે. જાણી લો સમય… જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(Mumbai) દ્વારા બોરીવલી(Borivali)માં મંગળવારે પાણીની પાઈપલાઈન(Water pipeline)નું કામ કરવામાં આવવાનું છે. તેથી આખો દિવસ બોરીવલી અને દહિસર(Borivali and Dahisar)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(Water supply) બંધ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મંગળવાર, 10 મે, 2022 ના રોજ સવારે 11 વાગ્યાથી બોરીવલી (પૂર્વ)માં સંજય ગાંધી નેશનલ પાર્ક (નેશનલ પાર્ક)ની સામે વેસ્ટર્ન એક્સપ્રેસ વેની(Western express way) પૂર્વમાં સર્વિસ રોડ પર 1050 મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન (જૂનું દહિસર આઉટલેટ) બંધ કરવાનું કામ કરવાની છે. જે રાતના 12.00 વાગ્યા સુધી યોજાશે. તેથી આ સમયગાળા દરમિયાન એટલે કે મંગળવાર 10 મેના રોજ સવારે 11:30 થી રાતના 12:00 વાગ્યા સુધી 'આર સેન્ટ્રલ' અને 'આર નોર્થ'ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠાનો સમય ઘટાડવામાં આવશે. તો  'આર નોર્થ' વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

'આર સેન્ટ્રલ' વિભાગ: સંત જ્ઞાનેશ્વર માર્ગ (શાંતિવન), શ્રીકૃષ્ણ નગર, અભિનવ નગર, સાવરપાડા, કાજુપાડા, ઈશ્વર નગર, સુદામ નગર, ચોગલે નગર – (સવારે 8.30 થી 10.45) નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જો કે, કામ દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.

'આર ઉત્તર' વિભાગમાં  ઓવરીપાડા (આંશિક રીતે), રાજેશ કુંપણ, શાંતિ નગર, અશોકવન, શિવ વલ્લભ માર્ગ (દક્ષિણ બાજુ), સંત જ્ઞાનેશ્વર માર્ગ, નેન્સી ડેપો, ચોગલે નગર, સાવરપાડા, સંભાજી નગર, શિવ હિલ, સંતોષ નગર, ગણેશ નગર, શુક્લા કુંપણ, પાંડે નગર – (સવારે 8.30 થી 10.45 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય. જો કે, કામના સમય દરમિયાન પાણી પુરવઠો સવારે 8.30 થી સવારે 10.00 સુધી રહેશે).

'આર સેન્ટ્રલ' વિભાગમાં કાજુપાડામાં કમ્પાઉન્ડ, પાટીલ કમ્પાઉન્ડ, જાગરદેવ કમ્પાઉન્ડ, ઓમ સિદ્ધરાજ કોમ્પ્લેક્સ, ગિરીશિખર કોમ્પ્લેક્સ પરિસરમાં  10.45 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર નોર્થ' વિભાગમાં  અશોક વન, દેશમુખ રેસીડેન્સી, સાંઈ શ્રદ્ધા ફેઝ-1 અને ફેઝ-2માં 10.45 am થી 12.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાના કલાકો છે. જો કે, કામ દરમિયાન સવારે 10.00 થી 11.30 સુધી પાણી પુરવઠો રહેશે.

'આર ઉત્તર' વિભાગ: શિવ વલ્લભ માર્ગ (ઉત્તર બાજુ), મારુતિ નગર, રાવલપાડા, એસ. એન. દુબે માર્ગ, સંત કબીર માર્ગ, કોકણીપાડા, ધારખાડી, સુહાસિની પાવસ્કર માર્ગ, વૈશાલી નગર, કેતકીપાડા, એકતા નગર, દહિસર ટેલિફોન એક્સચેન્જ, ઘરતનપાડા નંબર 1 અને 2, સંત મીરાબાઈ માર્ગ, વાઘદેવી નગર, શિવાજી નગર – કેતકીપાડા વિસ્તારમાં સાંજે 5.30 થી 7.40 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે, જો કે, કામ દરમિયાન આ વિસ્તારમા પાણી પુરવઠો બંધ રહેશે.

‘આર નોર્થ’ વિભાગ: આનંદ નગર, આશિષ સંકુલ, એન. એલ. સંકુલ, વીર સંભાજી નગર, છત્રપતિ શિવાજી સંકુલ, ભાબલીપાડા, અવધૂત નગર, વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સુધીન્દ્ર નગર, કેતકીપાડા ઓનલાઈન પમ્પિંગ  વિસ્તારમાં રાત્રે 9.30 થી 11.30 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે. જોકે આ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે.

મંગળવારના આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક કરી રાખવા અપીલ કરવામાં આવી છે.
 

May 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહીંસરમાં ભાજપની પોલ-ખોલ યાત્રામાં આવ્યું વિધ્ન, શિવસેના-ભાજપ સામ-સામે બાખડી પડ્યાં.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચેંબુરમાં ભાજપ(BJP)ની પોલ-ખોલ યાત્રા(Pol-Khol Champaign)માં તેમની મોબાઈલ વેન પર પથ્થરમારાના બનાવ હજુ તાજો છે ત્યા દહીંસર(Dahisar)માં સ્ટેજ બાંધવાને લઈને  બુધવારે શિવસેના(Shiv Sena) અને ભાજપના કાર્યકર્તા(BJP worker) સામ-સામે થઈ ગયા હતા. છેવટે પોલીસે વચ્ચે પડીને મામલો શાંત કરાવવો પડ્યો હતો.

મુંબઈ મહાગનરપાલિકા (BMC Election)ની ચુંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી શિવસેના(Shivsena) સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપે (BJP)સમગ્ર મુંબઈ(Mumbai)માં પોલ ખોલ યાત્રા(Pol-Khol Champaign) ચાલુ કરી છે. મંગળવારથી તેમનું આ અભિયાન ચાલુ થયું છે, તેના બીજા દિવસે દહીંસરમાં સ્ટેજ ઊભો કરવાને લઈને શિવસેના અને ભાજપ(Shiv Sena-BJP workers)ના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશનનું નામ ઉર્દૂમાં પણ લખાય છે. વિશ્ર્વાસ નથી થતો? જુઓ આ ફોટોગ્રાફ

શિવસેનાના ભુતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રે(Sheetal Mhatre)એ ભાજપના સ્ટેજ બાંધવા સામે વિરોધ દર્શાવ્યો હતો. મામલો મારા-મારી સુધી પહોંચી ગયો હોવાનું કહેવાય છે. શિવસેના(Shiv sena)ના કાર્યકર્તાઓએ સ્ટેજ ઊભો કરવા નહીં દેતા ભાજપ ગિન્નાયો હતો. 

ભાજપની આ પોલખોલ યાત્રાને મંજૂરી મળે તે મે ભાજપના સ્થાનિક ધારાસભ્ય મનીષા ચૌધરીને પાલિકાની ઓફિસે મંજૂરી લેવા માટે દોડી જવાની નોબત આવી હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે પોલીસને આવીને મામલો શાંત કરવો પડ્યો હતો. પૂરા બનાવ બાદ ભાજપે કહ્યું હતું કે કોઈ પણ હિસાબે દહિસરમાં પોલ-ખોલ યાત્રા(Pol-Khol Champaign) કરીને જ જંપશુ.

April 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મેટ્રોના મુસાફરો માટે ફૂટપાથ પહોળા કરવામાં આવ્યા, હવે ત્યાં ફેરિયાઓ અડ્ડો જમાવે છે, જુઓ વિડિઓ જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાની સુવિધા અને આરામદાયક પ્રવાસ માટે મેટ્રો-સાત અને મેટ્રો- 2એ  ચાલુ કરવામાં આવી છે. મેટ્રો ચાલુ થવાની સાથે જ દહિસરથી અંધેરી અને આરે કોલોની વચ્ચે ફૂટપાથને પહોળી કરવામાં આવી છે. પરંતુ આ હવે પહોળી કરેલી ફૂટપાથ પર ફેરિયાઓએ અંડિગો જમાવાનું ચાલુ કરી દીધું છે. 

મુંબઈની મોટાભાગની ફૂટપાથ અને ફૂટ ઓવરબ્રિજ પર ગેરકાયદે રીતે ફેરિયાઓએ અતિક્રમણ કરી નાખ્યું છે. પોલીસ અને પાલિકાના ભ્રષ્ટ અઘિકારી અને કર્મચારીઓની રહેમનજર હેઠળ ફેરિયાઓ રસ્તા અને ફૂટપાથ સુદ્ધા છોડી નથી.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વર્સિસ નમાઝ: કોલાબામાં સમાજવાદી પાર્ટીની પોસ્ટરબાજી.. જાણો વિગતે

Footpath under dindoshi station of #MumbaiMetro line 7 (red line) has already been encroached by slum dwellers.@Sahilinfra2 @sssaaagar @RoadsOfMumbai @MumbaiPolice @sanjayp_1 pic.twitter.com/7ZFVxWFk79

— k (@pkalp01) April 2, 2022

તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી બે નવી મેટ્રો લાઈનને કારણે રસ્તા પર પ્રવાસીઓની સંખ્યા પણ વધવાની છે. ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓને નીચે ઉતરશે એ સાથે જ તેમની ભીડ થશે. તેથી તેમને ચાલવા માટે સ્ટેશનો પાસેથી ફૂટપાથ પહોળી કરવાની સાથે તેનું સુશોભીકરણ પણ કરવામાં આવ્યું છે. જોકે  અનેક જગ્યાએ ફૂટપાથ પર ફેરિયોએ કબજો જમાવી દીધો હોવાનું જણાઈ આવ્યું છે. 

 

 

સોશિયલ મીડિયા ટ્વીટર પર તાજેતરમાં  જાગૃત નાગરિક દ્વારા અપર દહીસર મેટ્રો સ્ટેશન બહારની ફૂટપાથના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં ફૂટપાથ પર ખાવા-પીવાના સ્ટોલ લગાવી દીધા હોવાનું જણાયું હતું.

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
south-side foot overbridge at Marine Lines station to be closed from Wednesday
મુંબઈ

પશ્ચિમ ઉપનગરના આ બે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા નવા ફૂટ ઓવરબ્રિજ, જુઓ તસવીરો જાણો વિગતે

by Dr. Mayur Parikh April 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં દક્ષિણ મુંબઈનો ચન્ની રોડ રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર રીનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે પશ્ચિમ રેલ્વેએ દહિસર અને વિલે પાર્લે સ્ટેશનો પર વધારાના બે નવા ફૂટ ઓવર બ્રિજને ખુલ્લા મુક્યા છે.

પશ્ર્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વિવિધ માળખાકીય અપગ્રેડેશન કામ હાથમાં લીધા છે. પશ્ર્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, મુંબઈ ઉપનગરીય વિભાગમાં બે નવા FOB કાર્યરત કરવામાં આવ્યા છે, એક દહિસર ખાતે અને બીજું વિલે પાર્લે ખાતે.

આ સમાચાર પણ વાંચો :મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે

 દહિસર સ્ટેશન પર ખુલ્લુ મુકવામાં આવેલો  નવો ઉત્તર ફૂટ ઓવર બ્રીજ 53.85 મીટર લાંબો અને 10 મીટર પહોળો છે અને તેનું નિર્માણ રૂ. 5.23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તેવી જ રીતે  વિલે પાર્લે સ્ટેશન પર 6 મીટર પહોળો અને 55 મીટર લાંબો નવો ફૂટ ઓવરબ્રિજ કાર્યરત કરવામાં આવ્યો છે. તે પૂર્વ બાજુ આવેલી સીડીને જોડે છે અને પ્લેટફોર્મ નંબર 1/2 અને પશ્ચિમ બાજુના સ્કાયવોકને જોડે છે, સાથે જ પ્લેટફોર્મ  નંબર 1/2, 3/4 અને 5/6 ઉપર ઉત્તર બાજુના જૂના FOB સાથેના જોડાણો સાથે જોડે છે. આ ફૂટ ઓવર બ્રીજનું રૂ. 2.80 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

April 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

પર્યાવરણનું નિકંદન! બે અઠવાડિયાથી સળગી રહ્યા છે મુંબઈના આ વિસ્તારમાં આવેલા મેનગ્રોન્ઝ. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એક તરફ મહાવિકાસ આઘાડી પર્યાવરણના જતન માટે મોટા મોટા દાવા કરી રહી છે. તો બીજી તરફ ખુલ્લેઆમ મુંબઈમાં અનેક જગ્યાએ પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે.

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે તાજેતરમાં એવી ફરિયાદ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે અનેક વખત સરકારી એજન્સીઓને ફરિયાદ કર્યા બાદ પણ આગ લગાડનારા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મીડિયા ટ્વીટર પર એવી ફરિયાદ કરતી ટ્વીટ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે તેઓએ ટ્વીટર પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. 

 

Mangroves on fire in Mumbai since two weeks. Multiple complaints yet no action by Government. pic.twitter.com/3ssVxhr1TK

— Dahisar Residents Forum (@DahisarF) March 26, 2022

સોશિયલ મીડિયા ટ્વીટર પર અમુક લોકોએ  કોઈ સ્થાનિક બિલ્ડરનો હાથ મેનગ્રોવ્ઝમાં લાગેલી આગ પાછળ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. 
દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મિડિયા ટ્વીટર પર મેનગ્રોવ્ઝમાં લાગેલી આગનો વિડીયો પણ નાખ્યો છે અને આ સોશિયલ મિડિયા પર તેમણે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ ટેગ કર્યા છે. 

March 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક