• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - dahisar - Page 6
Tag:

dahisar

મુંબઈ

અરે વાહ, મુંબઈમાં ટૂંક સમયમાં બે નવા રૂટ પર દોડશે મેટ્રો ટ્રેન, એપ્રિલ મહિનાની આ તારીખે ઉદ્ઘાટનની શક્યતા; જાણો વિગતે 

by Dr. Mayur Parikh March 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ટૂંક સમયમાં વધુ બે મેટ્રો શરૂ થવા જઈ રહી છે. વર્સોવાથી ઘાટકોપર રૂટ પર મુંબઈ મેટ્રો શરૂ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. હવે બે નવી લાઇન પર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ મહિનાના અંત સુધીમાં સેફ્ટી ક્લિયરન્સ મળી જશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી આ બે મેટ્રો કોરિડોરને તૈયાર કરી રહી છે. હવે મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને DN નગરથી દહિસર ઈસ્ટ અને અંધેરી ઈસ્ટથી દહિસર ઈસ્ટ સુધી મેટ્રો 2-A લાઇનનો પ્રથમ તબક્કો શરૂ કરવા માટે મહત્વના મેટ્રો રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી મળી ગઈ છે. આ મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન ગુડી પાડવા પર એટલે કે 2જી એપ્રિલે થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

MMRDA દ્વારા અપગ્રેડ કરાયેલા બે મેટ્રો કોરિડોરના 35 કિલોમીટરના સ્ટ્રેચનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમાં દહિસર અને ડીએન નગર વચ્ચેની લાઇન 2A અને દહિસર પૂર્વ અને અંધેરી પૂર્વ વચ્ચેની લાઇન 7નો સમાવેશ થાય છે. આ બંને લાઇન પર 20 ફેબ્રુઆરીએ ટેસ્ટિંગ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટને હવે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. સીએમઆરએસએ 20 ફેબ્રુઆરીથી આ બંને લાઇન પર પરીક્ષણ કાર્ય શરૂ કર્યું અને વ્યવસાયિક કામગીરી માટે લીલી ઝંડી આપી CMRSએ એક કે બે વાર નિરીક્ષણ કર્યું હતું અને MMRDAને જરૂરી ક્ષતિઓ અને સુધારાઓ વિશે પણ જાણ કરી હતી જે MMRDAએ સુધારી હોવાનો દાવો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.

આ બે નવી મેટ્રો લાઇન, 2A અને 7, ઉપનગરની પૂર્વ અને પશ્ચિમ બાજુએ સમાંતર ચાલશે. એકવાર આખો 35-કિમીનો કોરિડોર કાર્યરત થઈ જાય પછી, વ્યક્તિ મેટ્રો સ્ટેશન છોડ્યા વિના દહિસર અને ઘાટકોપર વચ્ચે મેટ્રો દ્વારા મુસાફરી કરી શકે છે. આ બંને લાઇનને બે તબક્કામાં ચલાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 2A અને 7 મેટ્રો લાઇનમાં 18 સ્ટેશન હશે. બંને લાઇન એકબીજા સાથે જોડાયેલ હશે. 

March 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શોકિંગ! દહિસરમાં માથા પર સ્લેબ તૂટી પડતા વડાપાવ વિક્રેતાનું ઘટના સ્થળે જ મોત.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai.

દહિસરમાં (Dahisar) વિચિત્ર બનાવ બન્યો હતો, જેમા એક બિલ્ડિગની નીચે ઊભા રહીને વડાપાવ વેચનારા યુવકનું માથા પર ગ્રેનાઈટનો ભારે ટુકડો પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ 38 વર્ષીય યુવક વડાપાવ વેચવાનો ધંધો કરતો હતો. બુધવારે જ્યારે તે તેના મિત્રને મળવા તેના ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો.

પોલોસના જણાવ્યા મુજબ બુધવારે બપોરે દહિસર વિસ્તારના ઓરી પાડા વિસ્તારમાં મહાલક્ષ્મી બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાનો ભોગ બનનારો યુવક કલ્યાણ ગિરી તેના ઘરની બહાર નીકળ્યો હતો અને તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક  બિલ્ડિંગમાંથી ગ્રેનાઈટનો ટુકડો તૂટીને તેના માથા પર પડ્યો હતો. તેના માથા પર ભારે ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તે મૃત્યુ પામ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે

આ ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દુઘર્ટના બની ત્યારે  ગિરીના મિત્રએ મદદ માટે બૂમો પાડી ત્યારે પીડિતાના માતા-પિતા તેમના ઘરની બહાર આવી ગયા. તેઓ ગિરીને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં દાખલ થતાં પહેલાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન 12) સોમનાથ ઘરઘેએ જણાવ્યા મુજબ “પ્રાથમિક માહિતીના આધારે  ભારતીય દંડ સંહિતાની કલમ 304 (ગુનેગાર હત્યા પરંતુ હત્યાની રકમ નહીં) હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. પથ્થરનો ટુકડો કયા ફ્લોર કે ફ્લેટ પરથી પડ્યો તેની તપાસ ચાલી રહી છે.

March 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આ મુંબઈનું પ્રવેશદ્વાર છે કે પછી ડ્રગ્સનો એન્ટ્રી પોઇંટ? દહિસરમાં આટલા કરોડનું હેરોઈન પકડાયું. 

by Dr. Mayur Parikh March 14, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દહિસર ચેકનાકા પાસે મુંબઈ પોલીસે 6 કીલોથી વધુ ચરસ પકડી પાડ્યું છે.

પકડાયેલા ચરસની કિંમત આશરે 2 કરોડ રુપીયા જેટલી થાય છે. મળતી માહિતી પ્રમાણે આ ચરસ નેપાળથી લાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત મહિને મુંબઈ શહેરમાંથી અલગ-અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયાના કુલ 97 કેસ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 250 થી ઉપર. શું ભારતમાં પણ ભાવ ગમે ત્યારે વધશે?

March 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ!! દહિસર-ભાયંદર વચ્ચેનું અંતર થશે દૂર, પાંચ મહિનાની અંદર બનશે લિંક રોડ.. જાણો વિગત

by Dr. Mayur Parikh March 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ, 2022,          

શુક્રવાર, 

મુંબઈનો છેવાડો ગણાતા દહિસર અને ભાયંદર વચ્ચેનું અંતર બહુ જલદી ઘટવાનું છે. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે દહિસર લિંક રોડથી ભાયંદર (પશ્ચિમ) સુધીનો 5.6 કિમી લાંબો રોડ બાંધવામાં આવવાનો છે. આ લિંક રોડથી દહિસર-ભાયંદર વચ્ચે મુસાફરીનો સમય ઘટવાની સાથે જ  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના પરની ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે. આ રસ્તો બનવામાં લગભગ પાંચ મહિનાનો સમય લાગશે.

લાંબા સમયથી  મુંબઈ-મીરા ભાયંદરને જોડતો રોડ બનાવવા માટે માગણી થઈ હતી. છેવટે પાલિકાએ લગભગ  3000 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડ મુંબઈને MMR સાથે જોડતો છઠ્ઠો રસ્તો બની રહેશે. હાલ દહિસર (પશ્ચિમ) સુધી રહેલો લિંક રોડ આગળ ભાયંદર (પશ્ચિમ) સુધી જોડાઈ જશે. 

 

આ રસ્તાનું કામ જૂન મહિનાથી ચાલુ થશે અને ઓક્ટોબર 2022માં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. એટલે કે પાંચ મહિનામાં આ રસ્તો બની જશે. બે દિવસ પહેલા પાલિકાએ તેના ટેન્ડર બહાર પાડ્યા હતા. 

પ્રસ્તાવિત રસ્તો મેન્ગ્રોવ્સ અને સોલ્ટ પાન(મીઠાના આગાર) જમીનમાંથી પસાર થાય છે. તેથી  સંબંધિત સરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી પર્યાવરણને લગતી મંજૂરી મેળવવી પડશે. BMC અધિકારીના જણાવ્યા પ્રમાણે  મેન્ગ્રોવ્ઝને કારણે આ વિસ્તાર માટે એલિવેટેડ કોરિડોર ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

મૂળમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ 2016માં દહિસર (પશ્ચિમ) અને ભાયંદર (પશ્ચિમ) વચ્ચે ખૂટતો લિંક રોડ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કારણે હાલના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી ભાયંદર જવામાં 10 કિલોમીટરનું અંતર ઘટાડી દેશે. જોકે હવે આ પ્રોજેક્ટ BMC હાથ ધરવાની છે. તેમ જ BMCના અધિકારક્ષેત્રમાં જે વિસ્તાર નથી આવતો ત્યા બનનારા રોડમાં થનારો ખર્ચ MMRDA ચૂકવશે. 

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી વેલરાસુના કહેવા મુજબ આ પ્રોજેક્ટ WEH પર ટ્રાફિકનો ભાર હળવો કરવા ઉપરાંત મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મીરા-ભાઈંદર શહેરની વસ્તી 10 લાખથી વધુ છે. હાલ દહિસર પશ્ચિમથી ભાયંદર પશ્ચિમ અને મીરા રોડ પશ્ચિમ સુધી કોઈ મોટરેબલ રોડ ઉપલબ્ધ નથી.

 દહિસર પશ્ચિમથી ભાઈંદર સુધીની કનેક્ટિવિટી બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડવામાં તેમજ ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. મુંબઈથી ભાઈંદરની સાથે જ વસઈ-પાલઘરની સાથે સાથે ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતા ટ્રાફિક માટે રસ્તો ઉપયોગી સાબિત થશે. ઘોડબંદર રોડની સાથે જ દહિસર ચેકનાકા પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક હોય છે. 

 

March 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહીસર અને બોરીવલીમાં આજે પણ આ કારણથી પાણીના ધાંધિયા, જાણો વિગત

by Dr. Mayur Parikh February 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022          

શનિવાર.

મુંબઈ મેટ્રોના ઠેર ઠેર ચાલી રહેલા કામને કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાઈ રહી છે પણ તેને મેટ્રોના ખોદકામને કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા વધી ગઈ છે. તેને કારણે પાણી પુરવઠો પણ સતત ખોરવાતો રહ્યો છે. પશ્ચિમ ઉપનગરમાં દહીસર અને બોરીવલીમાં બે દિવસ અહીં મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે,

દહીસર અને બોરીવલીમાં કાયમ નાગરિકો ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ કરતા હોય છે, તેમા પાછું હાઈવે પર મેટ્રો રેલના કામ ચાલી રહ્યા છે. તેને કારણે ત્યાં સતત ખોદકામ થતું હોય છે. તેમાં અનેક વખત પાણીની પાઈપલાઈન પણ ફૂટી જતી હોય છે. થોડા સમય પહેલા જ અહીં પાણીની પાઈપ લાઈન ફૂટી ગઈ હતી. હવે ફરી શુક્રવારે આર-ઉત્તર વોર્ડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ગોકુલ આનંદ હોટલ પાસે માઉલી હોસ્પિટલ પાછળ શુક્રવારે 750 મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં મેટ્રોના કામને કારણે ભંગાણ પડયું હતું.

ભારતને મળી મોટી સફળતા, 29 વર્ષ બાદ UAEમાં ગિરફ્તાર થયો 1993ના મુંબઈ બ્લાસ્ટનો આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી; જાણો વિગતે

આર-ઉત્તર વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે પાઈપલાઈન  ફૂટી જતા બોરીવલી અને દહિસરના પાણી પુરવઠાને અસર થઈ છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથમાં લેવામાં આવ્યું છે. જે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે અને મોડી સાંજથી પાણી પુરવઠો પૂર્વવત થાય એવી શક્યતા છે.

February 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આવક ઉભી કરવા મુંબઈના જકાત નાકાને લઈને BMCએ લીધો આ નિર્ણય, જાણો વિગત

by Dr. Mayur Parikh February 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

શુક્રવાર

કોરોના મહામારીમાં સામાન્ય નાગરિક જ નહીં પણ એશિયાની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાને પણ મોટો ફટકો પડયો હતો. તેથી આવકના નવા નવા સ્ત્રોત પાલિકા શોધી રહી છે, જેમાં હવે મુંબઈના નાકા પર આવેલા જકાત નાકાઓ પર બિઝનેસ હબ અને બસ ટર્મિનલ ઊભા કરીને પૈસા ઊભા કરવાની જાહેરાત પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે 2022-23ના બજેટમાં કરી છે.

2017માં જકાત રદ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)  અમલમાં આવ્યો હતો. ત્યારથી  જકાત નાકાની જમીન પડી રહી છે. હવે ખાલી પડી રહેલી સોનાની લગડી સમાન જમીનનો ઉપયોગ કરીને પૈસા ઊભા કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. આ જગ્યા  પર બસ ટર્મિનસ, બિઝનેસ હબ ઊભા કરવામાં આવશે. તે મુજબ માટે મુંબઈની હદ કહેવાતા માનર્ખુદ અને દહિસરના જકાત નાકાનો ઉપયોગ થશે.

મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં કરવામાં આવી આ મહત્વની જાહેરાતો; જાણો વિગત

મુંબઈમાં બહારગામથી આવનારી લકઝરી બસને પાર્ક કરવા જકાત નાકાની જગ્યા વપરાશે. મુંબઈમાં પૂર્વ ઉપનગરમાં ચાર અને પશ્ર્ચિમ ઉપનગરમાં બે એમ કુલ  છ જકાત નાકા છે. જકાત નાકા પર બિઝનેસ હબ ઊભો કરવા પાલિકાના ડેવલપમેન્ટ પ્લાનમાં જોગવાઈ કરવામાં આવી છે.  

February 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બનાવટી ભારતીય ચલણ છાપનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ, ઉત્તર મુંબઈના આ વિસ્તારમાંથી સાત કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત, સાતની ધરપકડ. જાણો વિગત

by Dr. Mayur Parikh January 27, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,27 જાન્યુઆરી 2022  

ગુરુવાર.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 11એ દહીસરમાંથી લગભગ સાત કરોડ રૂપિયાની બનાવટી ભારતીય કરન્સી જપ્ત કરી હતી. બનાવટી ભારતીય ચલણ છાપીને તેને બજારમાં ફેરવાનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરીને ગેંગના સાત લોકોની ધરપકડ કરી હતી.

મળેલી ટીપને આધારે મંગળવારે મોડી સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દહીસર ચેકનાકા પાસે એક કારને આંતરી હતી. કારમાં રહેલા ચાર લોકોની પોલીસે પૂછતાછ કરી હતી. તેમ જ કારની તલાશી લીધી હતી, જેમાંથી 250 નોટના બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયાની આસપાસ જણાઈ હતી.

કારમાં રહેલા લોકોની પૂછતાછ કરતા તેમના અન્ય ત્રણ સાથીદાર પણ હોવાની તેમણે કબૂલાત કરી હતી. મળેલી માહીતીને આધારે પોલીસે અંધેરી(પશ્ચિમ)માં આવેલી એક હોટલમાં રેડ પાડી હતી અને તેમની પાસેથી વધુ નોટના 100 બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત બે કરોડ રૂપિયા થતી હતી.

મુંબઈ મહાનગર પાલિકાને રાહત, શહેરમાં કોરોનાના દૈનિક દર્દીઓનો આંક થયો સ્થિર; આજે આટલા નવા કેસ આવ્યા સામે

બનાવટી નોટોની સાથે જ પોલીસે તેમની પાસેથી લેપટોપ, સાત મોબાઈલ અને 28,170 રૂપિયા, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ વગેરે મળી આવ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ભારતીય ચલણની બનાવટી નોટો છાપીને તેને દેશભરમાં માર્કેટમાં ડિસ્ટ્રિબ્યૂટ કરતી આખી આંતરરાજ્ય ટોળકી આમા સંડોવાયેલી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જયાં તેમને 31 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

January 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ! હવે દહિસર-ભાઈંદર વધુ નજીક આવશે. BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh December 31, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021 

  શુક્રવાર.  

મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ  દહિસર લિંક રોડથી ભાયંદર (પશ્ચિમ) સુધીનો છ કિમી લાંબો 45-મીટર પહોળો રોડ બાંધવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડને પગલે મુસાફરીનો સમય તો ઘટશે. જ પણ સાથે જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) પર સમાંતર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. 

લાંબા સમયથી  મુંબઈ-મીરા ભાયંદરને જોડતો રોડ બનાવવા માટે માગણી થઈ હતી. છેવટે  પાલિકાએ લગભગ  3000 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડ મુંબઈને MMR સાથે જોડતો છઠ્ઠો રસ્તો બની રહેશે. હાલ દહિસર (પશ્ચિમ) સુધી રહેલો લિંક રોડ આગળ ભાયંદર (પશ્ચિમ) સુધી જોડાઈ જશે. પ્રસ્તાવિત રસ્તો મેન્ગ્રોવ્સ અને સોલ્ટ પાન(મીઠાના આગાર) જમીનમાંથી પસાર થાય છે. તેથી સંબંધિત સરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી પર્યાવરણને લગતી મંજૂરી મેળવવી પડશે. BMC અધિકારીના જણાવ્યા પ્રમાણે  મેન્ગ્રોવ્ઝની હાજરીને આ વિસ્તાર માટે એલિવેટેડ કોરિડોર ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

મૂળમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ 2016માં દહિસર (પશ્ચિમ) અને ભાયંદર (પશ્ચિમ) વચ્ચે ખૂટતો લિંક રોડ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કારણે હાલના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી ભાયંદર જવામાં 10 કિલોમીટરનું અંતર ઘટાડી દેશે.  જોકે હવે આ  પ્રોજેક્ટ  BMC હાથ ધરવાની છે. તેમ જ BMCના અધિકારક્ષેત્રમાં જે વિસ્તાર નથી આવતો ત્યા બનનારા રોડમાં થનારો ખર્ચ MMRDA ચૂકવશે. 

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી વેલરાસુના કહેવા મુજબ આ પ્રોજેક્ટ WEH પર ટ્રાફિકનો ભાર હળવો કરવા ઉપરાંત મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મીરા-ભાઈંદર શહેરની વસ્તી 10 લાખથી વધુ છે. હાલ દહિસર પશ્ચિમથી ભાયંદર પશ્ચિમ અને મીરા રોડ પશ્ચિમ સુધી કોઈ મોટરેબલ રોડ ઉપલબ્ધ નથી.

મુંબઈગરાઓ માટે સારા સમાચાર : કોસ્ટલ રોડનું 50 ટકા કામ પૂરું; આ વર્ષના અંત સુધીમાં કાર્યાન્વિત થઈ જશે

જોકે અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ રસ્તા પર સામે હાલ વિરોધ દર્શાવ્યો છે. પર્યાવરણવાદી અને દહિસરમાં ન્યુ લિંક રોડ રેસિડેન્ટ્સ ફોરમ (NLRRF) ના સભ્ય હરીશ પાંડેએ એક મિડિયા હાઉસને  જણાવ્યા મુજબ BMCએ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સ્થાનિક રહેવાસીઓને વિશ્વાસમાં લેવાની જરૂર છે. પર્યાવરણીય જોખમોને લગતા ઘણા પ્રશ્નો છે કારણ કે આ રસ્તો મેન્ગ્રોવ્સ અને મીઠાના આગારની જમીનમાંથી પસાર થાય છે. 
આ દરમિયાન પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે ટ્વીટ કર્યું: "આ પ્રસ્તાવિત નોર્થ કોસ્ટ રોડનો એક ભાગ છે, પરંતુ તે જરૂરી હોવાથી આ રોડ યુદ્ધના ધોરણે બનાવવામાં આવશે. દહિસર પશ્ચિમથી ભાઈંદર સુધીની કનેક્ટિવિટી બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડવામાં તેમજ ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. અને દહિસર પૂર્વ અને WEH પર દબાણ ઘટાડશે."

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

માત્ર ૧ મિનિટ અને ‌૨૭ સેકન્ડ‌ ચાલી દહીસરની રોબરી. સનસનીખેજ વીડિયો સામે આવ્યો. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh December 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,30 ડિસેમ્બર 2021

ગુરુવાર.  

દહીસર માં થયેલી બેંક રોબરી નો સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો માત્ર એક મિનિટ 27 સેકન્ડનો છે. ૨ લૂંટારૂઓએ ભેગા મળીને કેશિયર પાસેથી પૈસા કઈ રીતે છીનવ્યા અને એક વ્યક્તિની હત્યા કરી તે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જુઓ વિડિયો.

 

December 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

શુક્રવાર

ટૂંક સમયમાં અંધેરીના ડી એન નગરથી દહિસર સુધીની મેટ્રો 2 શરૂ થવાની શક્યતા છે. ત્યારે આનંદ નગર વિસ્તારમાં આવેલા મેટ્રો-2ના સ્ટેશનના નામ બાબતે થોડા સમય પહેલાં દહિસર વાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેથી સ્ટેશનનું નામ અપર દહિસરને બદલે હવે આનંદ નગર કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિવિધ પક્ષોના લોકોએ MMRDA વહીવટીતંત્રમાં અરજી કરી હતી અને સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી. તે મુજબ નામ બદલવામાં આવ્યું છે અને સ્થાનિકોએ તેના માટે વહીવટીતંત્રનો આભાર માન્યો છે.

ઈરાન બાદ હવે આ દેશમાંથી આવ્યા કાંદા, ગ્રાહકોની સાથે જ ખેડૂતોને પણ રડાવી રહ્યા છે; જાણો વિગત

અંધેરી પશ્ચિમ ડીએન નગર દહિસર મેટ્રો 2 ની ટ્રાયલ રનનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ દહિસરના સ્થાનિક લોકો સ્ટેશનના નામથી નારાજ હતા. દહિસર વિસ્તાર પહોળો હોવા છતાં મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે આનંદ નગરની હદમાં છે. તેથી અહીંના મેટ્રો સ્ટેશનને અપર દહિસર નામ આપવું સ્થાનિક લોકોને સ્વીકાર્ય ન હતું. એટલા માટે તેના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

આ સંદર્ભે વિવિધ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ એમએમઆરડીએના કમિશનરને મળ્યું હતું અને સ્ટેશનનું નામ બદલવા વિનંતી કરી હતી. સ્થાનિક લોકોની આ માગને લઈને MMRDA કમિશનરે 15 નવેમ્બર 2021ના રોજ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનને પત્ર લખ્યો હતો.જેના જવાબમાં તેઓએ વિનંતી સ્વીકારી અને 24મી નવેમ્બર 2021ના રોજ આ સ્ટેશનનું નામ અપર દહિસરથી બદલીને આનંદનગર મેટ્રો સ્ટેશન કરવામાં આવ્યું અને આગળની તમામ સત્તાવાર પ્રક્રિયાઓ માટે આ જ નામનો ઉપયોગ થશે.

November 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક