• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Dayabhabhi
Tag:

Dayabhabhi

tmkoc popular dialogue of jethalal got banned in show dilip joshi tell the reason
મનોરંજન

TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ

by Zalak Parikh March 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં લોકો ને જેઠાલાલ અને દયાભાભી ની નોકઝોક ખુબ પસંદ આવતી હતી. જેઠાલાલ ના એવા ઘણા ડાયલોગ છે જે આઇકોનિક છે. પરંતુ શું તમને ખબર છે જેઠાલાલ નો એક ડાયલોગ ‘એ પાગલ ઔરત’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જી હા દિલીપ જોશી એ તાજેતર માં આ પ્રતિબંધ મુકવા પાછળ નું કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બાઘા ના પાત્ર એ બદલી તન્મય વખારિયા ની જિંદગી, અભિનેતા એ શેર કર્યો દિલીપ જોશી સાથે કામ કરવાનો અનુભવ

દિલીપ જોશી એ સંભળાવ્યો કિસ્સો 

દિલીપ જોશી એ તાજેતર માં એક પોડકાસ્ટ માં હાજરી આપી હતી આ દરમિયાન તેને જણાવ્યું કે, ‘એ પાગલ ઔરત’ સંવાદ મેં જાતે જ બનાવ્યો હતો.. સેટ પર એક એવી પરિસ્થિતિ હતી જ્યારે દયાએ આવી પ્રતિક્રિયા આપી હતી, તેથી દ્રશ્ય કરતી વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ.આ સંવાદ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કારણ કે તેમને લાગ્યું કે આ એક મહિલા નું અપમાન કરવાનું વાક્ય છે. તે સ્ત્રી મુક્તિ ચળવળ હતી કે કંઈક બીજું અને મને કહ્યું હતું કે આ સંવાદ ફરી ક્યારેય ન બોલો.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોને ઘણીવાર આ વાક્ય સાંભળવા મળતું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah producer asit kumarr mod revelations dayaben aka disha vakani entry
મનોરંજન

TMKOC Asit modi: શું ખરેખર તારક મહેતા માં વાપસી કરી રહી છે દયા ભાભી? દિશા વાકાણી વિશે વાત કરતા અસિત મોદી એ જણાવી હકીકત

by Zalak Parikh January 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Asit modi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્ર એ લોકો ના દિલ્મ માં ખાસ જગ્યા બનાવી છે. આ શો માં લોકો ને જેઠાલાલ અને દયા ભાભી ની જોડી ખુબ પસંદ આવી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષ થી દયા ભાભી નું પાત્ર આ શો માંથી ગાયબ છે. દિશા એ તેની પ્રેગ્નન્સી ને કારણે શો માંથી બ્રેક લીધો હતો. ચાહકો હજુ પણ શો માં દયા ભાભી ના પાત્ર ને મિસ કરે છે. તાજેતર માં અસિત મોદી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન દયા ભાભી ની વાપસી અને દિશા વાકાણી વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Ranbir and Alia: પરિવાર સાથે નવા વર્ષ ની ઉજવણી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, પપ્પા એ તેડેલી જોવા મળી નાની રાહા, જુઓ તસવીરો

તારક મહેતા માં દયા ભાભી ની વાપસી પર અસિત મોદી એ કરી વાત 

અસિત મોદી એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને દિશા વાકાણી ની વાપસી પર કહ્યું કે, “અમે હજી પણ દિશાને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાચું કહું તો મને પણ દિશા માટે આ શોમાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે, પરંતુ આજે પણ અમને આશા છે. દિશા હાલમાં તેના પરિવાર સાથે વ્યસ્ત છે. તેને બે નાના બાળકો છે. દિશા અને તેના પરિવાર સાથે વર્ષોથી અમારો ગાઢ સંબંધ છે. તે મને રાખડી બાંધે છે, હું તેને બહેન માનું છું. મારા માટે માત્ર દિશા જ નહીં, તેનો ભાઈ અને તેનો પતિ એક પરિવાર છે. અમે 17 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Gupshup Official (@gupshupofficial)


પોતાની વાત ને આગળ વધારતા અસિત મોદી એ કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે દયા બેનની એન્ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ શોના ચાહકોની સાથે અમે પણ તેને યાદ કરીએ છીએ. અમે આ પાત્રની એન્ટ્રી માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
daya bhabhi jethalal aka disha vakani dilip joshi pair worked together before taarak mehta
મનોરંજન

dilip joshi-disha vakani: તારક મહેતા પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે દયા ભાભી અને જેઠાલાલ,દિલીપ જોષી અને દિશા વાકાણી ના વાયરલ ફોટા થી થયો ખુલાસો

by Zalak Parikh August 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં 15 વર્ષ પૂર્ણ કર્યા છે. લોકો આ શોની આખી સ્ટાર કાસ્ટને પસંદ કરે છે. મોટા ભાગના લોકોને દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ગમે છે. દિશા ભલે વર્ષોથી શોમાં જોવા ન મળી હોય, પરંતુ તેના ચાહકો હજુ પણ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે દયા ભાભી ટૂંક સમયમાં કમબેક કરવા જઈ રહી છે. આ દરમિયાન દયા ભાભી એટલે કે દિશા વાકાણી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

દિલીપ જોષી અને દિશા વાકાણી ની જૂની તસ્વીર થઇ વાયરલ 

દિશા વાકાણી અને દિલીપ જોષી ની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં દિશા વાકાણી શરમાળ લાગી રહી છે. તે જ સમયે દિલીપ જોશી હાથ ઉંચો કરીને તેમને બોલાવતા જોવા મળે છે. બંનેની જોડી ખૂબ જ રોમેન્ટિક લાગી રહી છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ તસવીર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની છે, તો ચોક્કસ એવું નથી. આ તસવીર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કરતાં પણ જૂની છે, જ્યારે બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું. આનો સીધો અર્થ એ થયો કે બંનેની જોડીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા પણ એક શો માં સાથે કામ કર્યું છે.

daya bhabhi jethalal aka disha vakani dilip joshi pair worked together before taarak mehta

daya bhabhi jethalal aka disha vakani dilip joshi pair worked together before taarak mehta

દિલીપ જોષી અને દિશા વાકાણી એ તારક મહેતા પહેલા આ શો માં કર્યું છે કામ 

દિલીપ જોષી અને દિશા વાકાણી એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા ‘જલસા કરો જયંતિલાલ’ નાટકમાં સાથે કામ કર્યું હતું. આ નાટકમાં પણ બંનેની જોડી લોકોને પસંદ આવી હતી. દિશા વાકાણી અને દિલીપ જોષી બંનેએ થિયેટરમાં ઘણું કામ કર્યું છે, પરંતુ બંને એક જ નાટકમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ નાટકમાં દિશા વાકાણી પહેલા અન્ય કોઈને ભૂમિકા આપવામાં આવી હતી, પરંતુ લાઈવ નાટકમાં દિશા સાથે દિલીપ જોષીએ અભિનય કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : ghoomar: આરાધ્યા બચ્ચન બની પિતા અભિષેકની ચીયર લીડર, જુનિયર એબી એ ઐશ્વર્યા સાથે આ રીતે કરી ‘ઘૂમર’ ની ઉજવણી

 

August 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
After Mehta Saheb, Bavari and Tappu in Taarak Mehta Ka Oolta Chashma, will it be the turn of Daya Bhabhi entry
મનોરંજન

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મહેતા સાહેબ, બાવરી અને ટપ્પુ બાદ આવશે હવે દયાભાભી ની એન્ટ્રી નો વારો?

by Zalak Parikh February 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક સમયથી શો ના ઘણા પાત્રો એ શો ને અલવિદા કહ્યું છે તેમજ આ દરમિયાન શો માં કેટલાક નવા પાત્રો ની પણ એન્ટ્રી થઇ છે. તારક મહેતા માં શૈલેષ લોઢા ની જગ્યા એ નવા મહેતા સાહેબ એટલે કે સચિન શ્રોફ ની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ શો માં બાવરી ની પણ એન્ટ્રી થઇ હતી. હાલમાં જ તારક મહેતા માં નવા ટપ્પુ તરીકે નીતીશ ભલુની ની એન્ટ્રી થઇ છે. 

 

દર્શકો જોઈ રહ્યા છે દયા ભાભી ની રાહ 

છેલ્લા કેટલાક સમયમાં તારક મહેતા શો માં ‘મહેતા સાહેબ’, ‘બાવરી’ તેમજ ‘ટપ્પુ’ ની એન્ટ્રી થઇ છે. આમ શો માં બેક ટૂ બેક પાત્રો ની એન્ટ્રી જોતા ચાહકો માં આશા જાગી રહી છે કે હવે શો માં દયાભાભી ની પણ એન્ટ્રી થશે. તાજેતરમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે દર્શકોને ટૂંક સમયમાં દયા ભાભી પણ જોવા મળશે.હવે શોમાં ટપ્પુ ની એન્ટ્રી તો થઈ હવે દયા ભાભી કોણ બને છે અને તેમની એન્ટ્રી ક્યારે થાય છે એ જોવું રહ્યું.

 

February 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક