• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - died - Page 4
Tag:

died

રાજ્ય

ગોધરકાંડના આ મુખ્ય આરોપીનું થયું મોત; ગોઝારી ઘટનાનું કાવતરું તેણે આ રીતે ઘડ્યું હતું..

by Dr. Mayur Parikh November 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
27 ફેબ્રુઆરી 2002ની કાળી રાત આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. જેમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારાની ભાવના સળગી હતી. આ તે દિવસ હતો જ્યારે ગુજરાતના ગોધરામાં મુસ્લિમ બદમાશો દ્વારા એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં 90થી વધુ કાર સેવકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. તે ગોધરાકાંડના મુખ્ય આરોપી હાજી બિલાલનું મોત થયું છે. હાજી બિલાલ ઘણા દિવસોથી બીમાર હતો. બીમારીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. વર્ષ 2011માં SIT કોર્ટે 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં કોર્ટે 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોરોનાનો નવો વેરિઅન્ટ વિશ્વમાં તબાહી મચાવી શકે; આટલા દેશોમાં મળી આવ્યો; ભારત સરકારે રાજ્યોને સતર્ક કર્યા
 

પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ‘હાજી બિલાલને છેલ્લા ત્રણ ચાર વર્ષથી શારીરિક સમસ્યાઓના કારણે નાની મોટી સારવાર ચાલુ રહેતી હતી. વચ્ચે પેરોલ પર ગયેલો ત્યારે પણ તેની સારવાર ચાલુ હતી. જેલમાં હાજર થયા બાદ 22 નવેમ્બરથી તબિયત બગડતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તબક્કે બીમારીના કારણે તેનું મોત થયું હોવાનું પ્રસ્થાપિત થયું છે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.’

એક રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરી 2002ની આગલી રાત્રે એક ગેસ્ટ હાઉસમાં કાવતરું ઘડાયું હતું અને ટ્રેન સળગાવવા માટે 140 લિટર પેટ્રોલ એકત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગેસ્ટહાઉસમાં કાવતરું ઘડતી વખતે હાજી બિલાલે હાજર તમામને ઉશ્કેરતા કહ્યું હતું કે, મૌલવી હુસૈન હાજી ઇબ્રાહીમ ઉમરજીએ આદેશ કર્યો છે કે અયોધ્યાથી આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 માં કારસેવકો આવી રહ્યા છે, તેથી તે ડબ્બાને સળગાવી દેવાનો છે.’
 

November 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

દુખદ સમાચાર : તારક મહેતા સીરીયલ ના સુપર સ્ટાર નું નિધન થયું. આખું નાટ્ય જગત શોકમગ્ન.

by Dr. Mayur Parikh October 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03/10/21

રવિવાર

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર ઘનશ્યામ નાયકનું દુઃ ખદ અવસાન થયું છે. તેમનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 

તારક મહેતા સીરીયલ માં તેમણે નટુકાકા નો રોલ નિભાવ્યો હતો. તેમનો આ કિરદાર લોકોએ ખુબ વખાણ્યો. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા અને તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા તારક મહેતાના સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.

તેમના નિધન પર નાટ્ય જગતે શોક વ્યક્ત કર્યો છે.

October 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘જોધા અકબર’ સીરિયલની સલીમા બેગમનું મૃત્યુ થયું

by Dr. Mayur Parikh October 3, 2021
written by Dr. Mayur Parikh

 

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 ઓક્ટોબર, 2021

રવિવાર

 

 

અમુક સમય પહેલાં પ્રચલિત થયેલા ટીવી શો 'જોધા અકબર'ની અભિનેત્રી મનીષા યાદવનું અવસાન થયું છે. 

 

મળેલી માહિતી મુજબ પહેલી ઓકટોબરે બ્રેન હેમરેજ થવાને લીધે નાની વયે મનીષાનું મૃત્યુ થયું હતું. તેના એક વર્ષના દીકરાએ માતાનું છત્ર ગુમાવી દીધું. 

 

જોધા અકબર સીરિયલમાં મનીષા સલીમા બેગમના પાત્રમાં જોવા મળી હતી. આ પાત્રને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યું હતું. મનીષાના અવસાનની ખબર આ ધારાવાહિકમાં જોધાનું પાત્ર ભજવનારી અભિનેત્રી પરિધિ શર્માએ ઈન્સ્ટાગ્રામની પોસ્ટમાં આપી હતી.  તેણે મનીષાનો ફોટો શેર કરીને નીચે લખ્યું હતું કે, મનીષાના મૃત્યુના સમાચારથી પૂર્ણ રીતે ભાંગી પડી છું. હજી સુધી પણ વિશ્વાસ થતો નથી.

October 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ ભાજપના વરિષ્ઠ નગરસેવક – નેતા નું નિધન થયું.

by Dr. Mayur Parikh September 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, તા. ૨૬/૦૯/૨૧

રવિવાર

ભારતીય જનતા પાર્ટીના ઉત્તર મુંબઈના ફેમસ ફેસ એવા રામ બારોટનું નિધન થયું છે. તેઓ મલાડ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર્તા હતા. 

પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ઉપમેયર, સુધારણા સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1992થી તેઓ સતત નગરસેવક પદ પર ચૂંટાઇ આવતા રહ્યા. તેઓ મલાડ વિધાનસભા ક્ષેત્રથી વિધાનસભા માટે ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

તેમના નિધન પર ભાજપના વરિષ્ઠ નેતાઓએ શોક સંદેશ પાઠવ્યો છે.

September 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉત્તર પ્રદેશમાં ભાજપને જોરદાર ફટકો, કોરોના ને કારણે ત્રણ ધારાસભ્યો મૃત્યુ પામ્યા.

by Dr. Mayur Parikh April 29, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 30 એપ્રિલ 2021.
  ઉત્તર પ્રદેશમાં વધતાં કરોના સંક્રમણને કારણે થયેલું નુકસાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એ ભરપાઈ કરવું પડ્યું છે. બુધવારે બરેલીના નવાબગંજ મતદાર સંઘના ભાજપના એમ.એલ.એ કેસર સિંગ ગંગવારનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. તેમની નોએડાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં  ભાજપના ત્રણ એમ.એલ.એના એક પછી એક કોરોનાને કારણે  મૃત્યુ થવાથી ખળભળ મચી ગઇ છે. આ દરમિયાન, એમ.એલ.એ કેસર સિંઘ ગંગવાર ના પુત્ર વિશાલ સિંઘ ગંગવારે રાજ્ય સરકાર પર પોતાના જ એમ.એલ.એનો ઉપચાર કરી શકતા નથી તેવો ગંભીર આરોપ મૂક્યો હતો.


  એમ.એલ.એ કેસર સિંઘ ગંગવારને થોડા દિવસ પહેલા કોરોના થતાં તેમને બરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. તેમની પરિસ્થિતિ અંગે તેમના દીકરા વિશાલે  સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી. બરેલીની હોસ્પિટલમાં તેમની તબિયતમાં સુધારો ન નોંધાતા તેમને નોએડા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની પરિસ્થિતિ વધુ કથળતા બુધવારે તેમનું મૃત્યુ થયું હતું.

મધ્યમ વર્ગ જ્યાં કોરોના સામે લડી રહ્યો છે. ત્યાં જ શ્રીમંત વર્ગની પરદેશ ભણી દોટ…
 

 આ પહેલા ઔરૈયા જિલ્લાના ભાજપના એમ.એલ.એ રમેશ ચંદ્ર દિવાકર અને લખનઉના એમ.એલ.એ સુરેશ ચંદ્ર શ્રીવાસ્તવનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.

April 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલીવુડથી આવ્યા વધુ એક માઠા સમાચાર, અભિનેતા અને નિર્દેશકનું ટૂંકી માંદગી બાદ નિધન

by Dr. Mayur Parikh April 3, 2021
written by Dr. Mayur Parikh
  • બોલીવૂડ જગતથી વધુ કે માઠા સમાચાર આવ્યા છે. જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન થયું છે. 
  • તેઓએ મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • શાહે બહાર આને તક, મુંબઇ સેન્ટ્રલ, એહસાસ, ગુમનામ હે કોઇ જેવી ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા. માત્ર એક્ટર જ નહીં પરંતુ નિર્દેશક તરીકે તેમને જન્મ કુંડલી, બહાર આને તક અને કડવા સચમાં પોતાના હુનરનો દમ દેખાડ્યો હતો.

April 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક