Tag: district administration

  • Narmada : માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા  આ તારીખથી શરૂ થશે, વૈકલ્પિક રૂટનું કરાયું નિરીક્ષણ

    Narmada : માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આ તારીખથી શરૂ થશે, વૈકલ્પિક રૂટનું કરાયું નિરીક્ષણ

    News Continuous Bureau | Mumbai

    Narmada  : નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ( Narmada Parikrama ) યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ ગઇકાલે કરવામાં આવ્યું હતું. 

    પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેકટરશ્રીએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે  પરિક્રમા સબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ પરિક્રમા રૂટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો, સાધુસંતો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. પરિક્રમાવાસીઓને સુગમતા-સલામતી રહે તે બાબતે ભાર મુકાયો હતો. વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનશે. તે અંગે પણ માહિતી મેળવી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું  અને સબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. આ હંગામી કાચો પુલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે. 

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

    તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.  પરંતુ નદીમાં પાણી ઉંડુ અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રધ્ધાળુઓની ( devotees ) સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે. જે યાત્રાળુઓ માટે હોડીઓ મારફત વહન-આવન-જાવન કરવું મૂશ્કેલ બને છે અને કોઇ પણ જાતની ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા નિર્ધારીત કરાઇ છે. આ વેળાએ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસના આશ્રમના સાધુ સંતો પણ જોડાયા હતા.

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

    રામપુરા- કીડી મંકોડી-રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર ( District Administration ) દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે. તે માટેના રૂટનું નિરીક્ષણ ( Route inspection ) ગઇકાલે સાંજે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રામપુરા ખાતે શ્રદ્ધાળુઓના વાહનોના પાર્કિંગ સુવિધા, ટ્રાફીક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો :   Mukhtar Ansari death: મુખ્તાર અન્સારીનું મોત સવાલોથી ઘેરાયું, બાંદા જેલ પ્રશાસન સામે FIRની માંગ, કોર્ટમાં આપી અરજી

    ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. ત્રીજા વૈકલ્પિક રૂટમાં થોડું અંતર વધારે કાપવાનું રહે છે. પણ તે સલામતી-સાવધાની માટે જરૂરી જણાય છે. તેમાં સૌએ સહયોગ આપવા અપિલ કરાઇ હતી અને યાત્રા સુખરૂપ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાં અમે પુરેપુરો સહયોગ કરીશું, તેમ જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતુ.

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

    મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા, બેરીકેટીંગ, સાઇન બોર્ડ, છાયડાની વ્યવસ્થા, ચેંજીગ રૂમ, મોબાઇલ ટોયલેટ, કંટ્રોલ રૂમ, પીવાના પણીની વ્યવસ્થા, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા સેવાકેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ કરાવવા અંગે સ્થાનિક આગેવાનો સાધુસંતો સાથે પરામર્શ કરાયું હતું. અને પરિક્રમા રૂટ અંગેની માહિતી ક્યૂ આર કોડ દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા અંગે પણ સૂચન કર્યુ હતુ. પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરાશે.

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

     નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

    પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ પણ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને જિલ્લા વહિવટીતંત્ર આમાં પૂરતો સહયોગ આપી સહભાગી થશે.

    આ સમાચાર પણ વાંચો :    Ambani-Adani collaboration: પ્રથમ વખત અંબાણી-અદાણી વચ્ચે કરાર પર થયા હસ્તાક્ષર, રિલાયન્સ જૂથે આ પ્રોજેક્ટમાં 26% હિસ્સો ખરીદ્યો.. 

    આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. અને એક મહિનો ચાલશે તે પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વૈકલ્પિક રૂટના નિરીક્ષણ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, સુપર ન્યુમિરી નાયબ કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાયબ કલેકટરશ્રી પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, નાંદોદ – તિલકવાડા ગરૂડેશ્વર તાલુકાના મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જોડાયા હતા. 

    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.
    Narmada Collector Smt. Shweta Tevatia inspected the alternative route of Narmada Parikrama of Uttara Vahini.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Narmada : એપ્રિલ મહિનાની આ તારીખથી શરૂ થશે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

    Narmada : એપ્રિલ મહિનાની આ તારીખથી શરૂ થશે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

    News Continuous Bureau | Mumbai

    Narmada :  નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે અને તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ ( Devotees ) વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.

    આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. તે પૂર્વે નર્મદા કિનારા પરના સેવાભાવી આશ્રમો, મંદિરોના સાધુ-સંતો ગ્રામજનો, અગ્રણીઓ સાથે ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ઉત્તરવાહિની પરિક્રમા સૂચારૂ સંચાલન-વ્યવસ્થાપન માટે પરામર્શ- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, મામલતદારશ્રીઓ, નાંદોદ-તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

    Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector's office auditorium.
    Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector’s office auditorium.

     

    જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ ( shweta teotia ) સૌને આવકારી જણાવ્યું હતું કે, મા નર્મદાની પરિક્રમા (  Narmada  parikrama ) શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ( District Administration ) મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

    Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector's office auditorium.
    Narmada District Collector Shri Shweta Tevatia chaired a review meeting regarding Uttaravahini Parikrama in the collector’s office auditorium.

    આ સમાચાર પણ વાંચો :  Lok Sabha General Election 2024: 7 મેના યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી આટલા લાખ મતદારો પોતાના કરશે મતાધિકારનો ઉપયોગ..

    કલેક્ટરશ્રી સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે. અહીં આવતા પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાતા સહયોગને કલેક્ટરશ્રીએ બિરદાવ્યો હતો.

    નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરાઈ હતી.

    પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

    ઉક્ત બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, શ્રી સ્વામી સહજાનંદ મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના શ્રી અમિતાબહેન, શ્રી આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Rahul Gandhi: આ પ્રતિબંધો વચ્ચે આજે મણિપુરથી શરુ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા.. આટલા શહેરોથી થશે પસાર..

    Rahul Gandhi: આ પ્રતિબંધો વચ્ચે આજે મણિપુરથી શરુ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા.. આટલા શહેરોથી થશે પસાર..

    News Continuous Bureau | Mumbai

    Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજથી (14 જાન્યુઆરી) ના રોજ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ( Bharat Jodo Nyay Yatra ) શરૂ કરી દીધી છે. આ યાત્રા મણિપુરના ( Manipur ) થોબલ જિલ્લામાંથી શરૂ થઈ ગઈ છે અને આ યાત્રા મુંબઈ સુધી પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. આ યાત્રા બે મહિના સુધી ચાલશે.

    રાહુલ ગાંધી 60 થી 70 મુસાફરો સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે મણિપુરના ખોંગજોમ વોર મેમોરિયલથી શરુ થઈ છે. જોકે, અગાઉ તે રાજધાની ઇમ્ફાલથી શરૂ થવાની હતી.

    એક અહેવાલ મુજબ, મણિપુર કોંગ્રેસના ( Congress ) પ્રમુખ કીશમ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીએ રાજ્ય સરકારને ઇમ્ફાલમાં હપ્તા કાંગજીબુંગ સાર્વજનિક મેદાનમાં ભારત જોડો ન્યાય યાત્રાને ઝંડી પાડવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે એ પણ જાહેરાત કરી હતી કે યાત્રા ઇમ્ફાલથી ( imphal ) શરૂ થશે અને જે મુંબઈમાં સમાપ્ત થશે.

     જિલ્લા પ્રશાસને આ કાર્યક્રમ પર કેટલાક નિયંત્રણો પણ લાદી દીધા છે…

    રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ટાંકીને જિલ્લા પ્રશાસને ( District Administration ) આ કાર્યક્રમ પર કેટલાક નિયંત્રણો પણ લાદી દીધા છે. ઉદાહરણ તરીકે, આ યાત્રાનો સમયગાળો એક કલાકથી વધુ ન હોવો જોઈએ અને સહભાગીઓની સંખ્યા 3,000 થી વધુ ન હોવી જોઈએ. તેથી આ યાત્રા મણિપુરમાં માત્ર એક દિવસ જ ચાલશે અને આ દરમિયાન 100 કિમીથી વધુનું અંતર કાપશે. કોંગ્રેસની આ યાત્રા ઉત્તર-પૂર્વ ભારતના વધુ ચાર રાજ્યોને પણ આવરી લેશે.

    આ સમાચાર પણ વાંચો :  Cleanliness Campaign: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થયા

    ઉલ્લેખનીય છે કે યાત્રાના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, તેના પ્રારંભિક બિંદુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 6,713 કિલોમીટરનું અંતર કવર કરીને આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. આ સમયગાળા દરમિયાન તે 15 રાજ્યોના 110 જિલ્લાઓને આવરી લેશે.

    આ અંગે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ અને અન્ય નેતાઓએ યાત્રાની શરૂઆતના એક દિવસ પહેલા રાજધાની ઇમ્ફાલમાં પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ સમયે દેશની સામે સૌથી મોટો પડકાર લોકોનું ધ્રુવીકરણ, આર્થિક અસમાનતા અને રાજકીય સર્વોપરિતા છે.

    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, “છેલ્લા 10 વર્ષમાં થયેલા રાજકીય, આર્થિક અને સામાજિક અન્યાયને ધ્યાનમાં રાખીને આ યાત્રા કાઢવામાં આવી રહી છે.” તેમણે કહ્યું, “વડાપ્રધાન ‘અમૃતકાલ’ના સોનેરી સપના બતાવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં, 10 વર્ષની વાસ્તવિકતા ‘અન્યાયકાળ’ છે. આ અન્યાયના સમયગાળાનો કોઈ ઉલ્લેખ નથી.

  • Surat: સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

    Surat: સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

    News Continuous Bureau | Mumbai

    Surat: સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ( Adajan Riverfront ) ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના ( District Administration ) સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના ( Daksheshbhai Mavani ) અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪”  યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૭ અને ભારતના ત્રણ રાજ્યોના ૧૪ પતંગબાજો તેમજ સુરતના ૩૯, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત ૯૭ પતંગબાજોએ ( kite flyers ) અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા.  નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.       

    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1
    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1

                 આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણીએ ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ ( International Kite Festival-2024 ) બનાવીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાંદેરના પતંગોની વિદેશોમાં માંગ રહે છે જેથી રોજગારીનું પણ સર્જન થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નીત-નવી ઉચાઈઓ સર કરી રહ્યું છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા. 

    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1
    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1

                  આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી હતી. 

    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1
    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1

    આ સમાચાર પણ વાંચો : Telangana: તેલંગાણામાં 2023માં દર કલાકે ટ્રાફિક ઉલ્લંઘન મામલે આટલા કેસ નોંધાયા…. રિપોર્ટના આંકડા ચોંકવનારા..

                      પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ,  કંબોડીયા, સ્પેન, તુર્કી, ડેન્માર્ક, બ્રાઝિલ જેવા દેશોના ૩૭ પતંગબાજો તથા ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા. ભગવાન શ્રીરામની ઝાંખી કરાવતી પતંગે આકર્ષણ જમાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ગરબે ઘુમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું. 

    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1
    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1

                 આ પ્રસંગે ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, , શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલા, ઉદ્યાન સમિતિના ગીતાબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1
    The International Kite Festival was held at Adajan Riverfront in Surat under the chairmanship of Mayor Dakseshbhai Mavani. 1

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને લોકભાગીદારી સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

    Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની અને લોકભાગીદારી સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

    News Continuous Bureau | Mumbai

    Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ( rural areas ) જન-પ્રતિનિધિઓની આગેવાની અને મહત્તમ લોકભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ( swachhata hi seva ) અંતર્ગત ‘ગાર્બેજ ફ્રી ભારત’ની ( Garbage free India) થીમ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ ( Cleanliness campaign ) યોજાશે. જિલ્લાના તમામ ગ્રામીણ વિસ્તાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના ગામો તથા પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ, તેમજ નાળા જેવા સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર ( District Administration ) દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને આ મહા-શ્રમદાનમાં જોડાવવા અનુરોધ છે. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકા થી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ છે.

    આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: પંકજા મુંડેની મુશ્કેલીઓ વધી .. હવે બેંક દ્વારા આ મામલામાં પિતા દ્વાર સ્થાપિત સુગર ફેક્ટરીની થશે હરાજી….

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • પંજાબમાં સરકારી ગેસ્ટ હાઉસને બદલે હોટલમાં રોકાયા અરવિંદ કેજરીવાલ- જિલ્લા પ્રશાસનને પકડાવ્યું અધધ-આટલા લાખનું બિલ

    પંજાબમાં સરકારી ગેસ્ટ હાઉસને બદલે હોટલમાં રોકાયા અરવિંદ કેજરીવાલ- જિલ્લા પ્રશાસનને પકડાવ્યું અધધ-આટલા લાખનું બિલ

     News Continuous Bureau | Mumbai

    15 જૂને દિલ્હીના મુખ્યમંત્રી પંજાબ(punjab) ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) અને પંજાબના સીએમ ભગવંત માન(Punjab CM Bhagwant mann) સહિત AAPના ઘણા નેતાઓએ જલંધરથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jalandhar to Indira Gandhi International Airport) સુધી 'લક્ઝરી' બસને લીલી ઝંડી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેજરીવાલ એક હોટલમાં રોકાયા હતા અને હોટેલે લાખો રૂપિયાનું બિલ જિલ્લા પ્રશાસનને સોંપ્યું હતું.

    શહેરની એક ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાક માટેના રોકાણની વ્યવસ્થા બદલ સરકારને ૨.૧૮ લાખનું બિલ પકડાવ્યું છે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત અન્ય કેટલાક સિનિયર નેતાઓ સામેલ હતા. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મામલે આરટીઆઈ કરી માહિતી મેળવી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જાલંધર પ્રશાસનને કેવી રીતે બિલને ભરપાઈ કરવું તે પડકારરૂપ લાગી રહ્યુ છે. મહત્ત્વનું છે કે, આ બિલની તસવીર સામે આવી હતી. જેમાં એક સૂપની કિંમત ૩૦૫૯ રૂપિયા બતાવવામાં આવી છે. 

    આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસમાં પણ બળવો- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને લીધી ફડણવીસની મુલાકાત

    RTI એક્ટિવિસ્ટ જસપાલ માને આ મામલે આરટીઆઈ દાખલ કરી માહિતી મેળવી હતી. ત્યારે જાલંધર જિલ્લા પ્રશાસને માત્ર હોટેલના બિલની જ માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હોટેલે ૨.૧૮ લાખનું બિલ ફટકાર્યું છે. જેમાં ૧.૩૭ લાખ રૂપિયા છ રૂમના, ૮૦,૭૧૨ રૂપિયા ૩૮ લંચ બોક્સના ગણ્યાં છે. આ સિવાય દિલ્હીના આપના મંત્રી રામ કુમાર ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૫૦,૯૦૨ રૂપિયા ગણવામાં આવ્યો છે. વધુમાં અરવિંદ કેજરીવાલના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૭,૭૮૮ રૂપિયા, ભગવંત માનના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૮૩૬ રૂપિયા, દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન મંત્રી કૈલાસ ગેહલોતના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૫,૪૬૦ રૂપિયા, પર્વેશ ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૪૧૬ રૂપિયા અને દિલ્હીના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીના રૂમ અને સર્વિસનો ચાર્જ ૮,૬૦૨ રૂપિયા ગણ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, આપના નેતાઓ જે હોટેલમાં રોકાયા હતા, ત્યાંથી સરકારી અતિથિ ભવન ખૂબ જ નજીક હતો. છતાં પણ લક્ઝુરિયસ સવલતો મેળવવા માટે નેતાઓ ફોર સ્ટાર હોટેલમાં રોકાયા હતા. આ મામલે જાલંધરના ડેપ્યૂટી કમિશનર જસપ્રીત સિંઘે જણાવ્યુ હતુ કે, ‘જુલાઇમાં જ તેઓની અહીં બદલી કરવામાં આવી છે અને આ બિલ અંગે તેમને કોઈ જાણકારી નથી. હું આ મામલે જવાબદાર અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને જણાવી શકીશ.’

    આ સમાચાર પણ વાંચો : દિલ્હીના મુખ્ય પ્રધાનનો ચોંકાવનારો આરોપ- કહ્યું- ભાજપ દેશના આટલા ધારાસભ્ય ખરીદી ચૂકી છે

  • મોડક બાદ હવે આ તળાવ છલકાવાની તૈયારીમાં-પ્રશાસનને આપી આ કારણથી ચેતવણી-જાણો વિગત

    મોડક બાદ હવે આ તળાવ છલકાવાની તૈયારીમાં-પ્રશાસનને આપી આ કારણથી ચેતવણી-જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    મુંબઈને(Mumbai) પાણી પૂરું પાડનારા તળાવોમાંથી(Lakes) એક મોડક સાગર(modak sagar) બુધવારે છલકાઈ ગયું હતું. બહુ જલદી હવે તાનસા ડેમ(Tansa Dam) પણ ઓવરફ્લો(Overflow) થવાની શક્યતા છે. તેથી જિલ્લા પ્રશાસને(District Administration) સ્થાનિક રહેવાસીઓને(local residents) ચેતવણી જાહેર કરી છે.

    બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) તાનસા ડેમનું હાલનું પાણીનું સ્તર(Water Level) 128.17 મીટર છે. તોતાનસા ડેમનું ઓવરફ્લો લેવલ 128.63 મીટર છે. તાનસા ડેમ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી વરસાદને જોતા તાનસા ડેમ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની સંભાવના છે.

    આ સમાચાર પણ વાંચો : આ તારીખે વિધાનભવનથી એરપોર્ટ સુધીનો રસ્તો આરક્ષીત રસ્તો હશે-આ છે કારણ સાચવીને ટ્રાવેલ કરજો- જાણો વિગત

    તેથી તાનસા ડેમ નીચે અને તાનસા નદી(Tansa River) કિનારે આવેલા ગામોના રહેવાસીઓને તાનસા ડેમ ઓવરફ્લો થવાની ચેતવણી આપવામાં આવી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. માણિક ગુરસાલે પણ તમામ સંબંધિત સરકારી એજન્સીઓ, તાલુકા કચેરીઓ, પોલીસ અને તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
     

  • અમરનાથ યાત્રા બાદ હવે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પર રોક- પ્રશાસને આ કારણે યાત્રા પર લગાવી રોક

    અમરનાથ યાત્રા બાદ હવે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પર રોક- પ્રશાસને આ કારણે યાત્રા પર લગાવી રોક

    News Continuous Bureau | Mumbai 

    જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) અમરનાથ યાત્રાને(Amarnath Yatra) હંગામી ધોરણે સ્થગિત કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં(Uttarakhand) કેદારનાથ યાત્રા(Kedarnath Yatra) પણ રોકી દેવામાં આવી છે. 

    રુદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લા પ્રશાસને(District Administration) જણાવ્યું કે સોનપ્રયાગમાં(Sonprayag) ભારે વરસાદની(Heavy rain) સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

    ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અને યાત્રાળુઓની સુરક્ષાને(Pilgrim safety) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ(Uttarakhand Police) સાથે સતત સંપર્કમાં રહો.

    આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

  • જમ્મુ-કાશ્મીરમાં એક સાથે 300 સ્કૂલો બંધ કરવા સરકારનો આદેશ-15 દિવસમાં થઈ જશે સીલ-જાણો શું છે સમગ્ર મામલો

    જમ્મુ-કાશ્મીરમાં એક સાથે 300 સ્કૂલો બંધ કરવા સરકારનો આદેશ-15 દિવસમાં થઈ જશે સીલ-જાણો શું છે સમગ્ર મામલો

     

     News Continuous Bureau | Mumbai

    સરકારે જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી(Jamaat-e-Islami) સંલગ્ન ફલાહ-એ-આમ(Falah-e-Aam) દ્વારા સંચાલિત તમામ શાળાઓને(Schools) બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. 

    આ તમામ શાળાઓને 15 દિવસમાં સીલ(Sealed) કરવામાં આવશે. 

    અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને(Students) નજીકની શાળાઓમાં એડમિશન(Admission) આપવામાં આવશે. 

    નવા સત્રમાં(new session) આ શાળાઓમાં કોઈ પ્રવેશ થશે નહીં.

    રાજ્ય તપાસ એજન્સીએ(State Investigation Agency) શરુ કરેલી તપાસ બાદ, શાળા શિક્ષણ વિભાગના(Department of School Education) અગ્ર સચિવ બીકે સિંહ(Front Secretary BK Singh) દ્વારા આદેશમાં જારી કરાયો છે કે જિલ્લા વહીવટીતંત્ર(District Administration) સાથે ચર્ચા કરીને આ શાળાઓને સીલ કરવામાં આવે.

    આ સમાચાર પણ વાંચો :  ભારતમાં મોટો સાયબર હુમલો- મહારાષ્ટ્રમાં 70 સહિત દેશની 500થી વધુ વેબસાઈટ હેક – આ દેશોના હેકર્સની આશંકા

  • રુદ્રદેવના ધામમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર  લગાવી બ્રેક, આ સેવા પણ કરી બંધ… 

    રુદ્રદેવના ધામમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર  લગાવી બ્રેક, આ સેવા પણ કરી બંધ… 

     

     News Continuous Bureau | Mumbai

    હવામાન વિભાગની(meteorological department) ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ(Kedarnath Dham) સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં(Rudraprayag) સવારથી જ વરસાદ ચાલુ છે. 

    સતત થઈ રહેલા વરસાદના કારણે જિલ્લા પ્રશાસને(district administration) રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ(Gaurikund) સુધી મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે.

    સાથે પ્રશાસને હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર સેવા(Helicopter service) પણ બંધ કરી દીધી છે.

    હવે હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને(Pilgrims) કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. 

    તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ(Sonprayag), ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.

    આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે..