News Continuous Bureau | Mumbai
ભારતીય રિયલ્ટી સેક્ટરની કિંગ ગણાતા હિરાનંદાની સમૂહ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડો. નિરંજન હિરાનંદાનીના નેજા હેઠળના રિયલ્ટી સમૂહ હિરાનંદાની ગ્રુપ પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તપાસ એજન્સીની વિવિધ ટીમોએ મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુમાં લગભગ 24 સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કંપની પરિસર અને ઓફિસની સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓના ઘર પર પણ કાર્યવાહી ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : વાહ! ગુજરાતીઓને કોઈ ના પહોંચે, ટેક્સ ચૂકવવામાં પણ અગ્રેસર, 41 ટકા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો.. જાણો વિગતે
