Tag: electric vehicles

  • Mumbai Green Transport: રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું.– પરિવહન મંત્રી સરનાઈક

    Mumbai Green Transport: રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું.– પરિવહન મંત્રી સરનાઈક

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં થતા વધઘટ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને આજે એક મોટા સમાચાર મળ્યા છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે મુંબઈને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે આગામી દિવસોમાં સરકારે અનેક પરિણામલક્ષી પગલાંઓ લેવાનું નક્કી કર્યું છે. મુંબઈ ખાતે વ્હીલ્સ ઓફ ચેન્જ – અન્ડરસ્ટેન્ડીંગ ઈવી એડોપ્શન ફોર મુંબઈઝ ઓટો એન્ડ ટેક્સી ડ્રાઈવર્સ આ કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું.
    આ કાર્યક્રમમાં ઈ-વાહનોના પ્રસાર, ડ્રાઈવરોનું આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ મુંબઈની કલ્પના પર ચર્ચા કરવામાં આવી. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે “ઈ-વાહન ક્રાંતિ એ માત્ર પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સક્ષમ મુંબઈ બનાવવા માટે એક નવી દિશા છે.”

    પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. આ પ્રસંગે પરિવહન કમિશનર વિવેક ભીમનવાર, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ ડૉ. અવિનાશ ઢાકણે, અને વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટીટ્યુટ ના ભારત ખાતેના મુખ્ય કાર્યકારી અધિકારી માધવ પાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    મંત્રી સરનાઈકે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની સક્રિય ભાગીદારી આ પહેલની સફળતાનો પાયો બનશે. તેમણે એ પણ જણાવ્યું કે ઈ-વાહનો માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ તે ડ્રાઈવરોને ઈંધણના ખર્ચમાંથી મુક્તિ અને વધુ આવકની તકો પણ આપે છે. જોકે બીજી તરફ એવી ફરીયાદ ઉઠી છે કે રિક્ષા અને ટેક્સીને ઈ-વિહીકલ ચાર્જીંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે જો સરકાર ઇન્ફ્રાસ્ટક્ચરમાં સુધાર કરવામાં સમય લગાડે તો આ સ્થિતીમાં અપુરતી સુવિધાના અભાવે લોકો ઈ-વિહીકલને પ્રાથમિકતા નહીં આપી શકે.

  • Toll Tax Free Vehicle :મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સમૃદ્ધિ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, અટલ સેતુ પર આ વાહનો માટે ટોલ માફી; જાણો કોને થશે ફાયદો..

    Toll Tax Free Vehicle :મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સમૃદ્ધિ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, અટલ સેતુ પર આ વાહનો માટે ટોલ માફી; જાણો કોને થશે ફાયદો..

     News Continuous Bureau | Mumbai  

    Toll Tax Free Vehicle :મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ 2025 ની જાહેરાત કરી છે. આ અંતર્ગત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, સમૃદ્ધિ હાઇવે અને શિવરી-ન્હાવા શેવા અટલ સેતુ પર પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોને સંપૂર્ણ ટોલ માફી આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક નીતિ રજૂ કરી છે. આ નીતિને 29 એપ્રિલના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ નીતિ અંગે સરકારી નિર્ણય જારી ન થવાને કારણે ટોલ માફી લાગુ કરવામાં આવી ન હતી. આ આદેશ 24 દિવસ પછી જારી કરવામાં આવ્યો છે.

     Toll Tax Free Vehicle :ઇલેક્ટ્રિક વાહનો પર વાહન દીઠ મહત્તમ પ્રોત્સાહન રકમ

    • ટુ-વ્હીલર રૂ. 10 હજાર
    • ત્રણ પૈડાવાળા વાહનો રૂ. 30 હજાર
    • ત્રણ પૈડાવાળા માલવાહક વાહનો રૂ. 30 હજાર
    • ફોર-વ્હીલર (પરિવહન સિવાયના) રૂ. 1.50  લાખ
    • ફોર-વ્હીલર (પરિવહન) રૂ. 2 લાખ
    • ચાર પૈડાવાળા હળવા માલસામાનના વાહનો રૂ.  1 લાખ
    • બસ (M3, M4) (રાજ્ય પરિવહન ઉપક્રમ STU) રૂ. 20 લાખ
    • બસ (M3, M4) ખાનગી રાજ્ય/શહેરી પરિવહન ઉપક્રમ રૂ. 20 લાખ

    રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહનો આપશે. આ રકમ રાજ્ય સરકાર દ્વારા વાહન ઉત્પાદક કંપનીઓને આપવામાં આવશે, અને કંપનીઓ વાહન ખરીદી પર ઓછી રકમ વસૂલશે.

    Toll Tax Free Vehicle :ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ માફ

    રાજ્યમાં જાહેર બાંધકામ વિભાગના અધિકારક્ષેત્ર હેઠળના બાકીના રાજ્ય માર્ગો પર 50 ટકા ટોલ માફી આપવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. જોકે, શુક્રવારે જારી કરાયેલા એક આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રૂટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ માફ કરવાનો નિર્ણય મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સ્ટીયરિંગ કમિટી દ્વારા લેવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : RBI dividend: RBIએ મોદી સરકાર માટે ખોલ્યો ખજાનો, અધધ આટલા લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત..

    Toll Tax Free Vehicle :દર 25 કિમીએ EV ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું ફરજિયાત

    સરકાર રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દર 25 કિમીએ EV ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે. બધા હાલના અને નવા પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછી એક EV ચાર્જિંગ સુવિધા હશે. આ માટે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અને પરિવહન વિભાગ વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. દરેક એસટી બસ ડેપો અને સ્ટેશન પર ફાસ્ટ ચાર્જિંગ સુવિધાઓ પણ ફરજિયાત બનાવવામાં આવશે. આ નીતિ મુંબઈ-પુણે અને મુંબઈ-નાગપુર રૂટ વચ્ચે ટકાઉ પરિવહન મોડેલોને પણ પ્રોત્સાહન આપશે.

  • E-Vehicles : PM મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ, આ યોજના અંતર્ગત રાજ્યમાં  અત્યાર સુધીમાં કુલ ૫૩ હજાર વિદ્યાર્થીઓએ ખરીદ્યા ઈ-વાહનો.

    E-Vehicles : PM મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ, આ યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩ હજાર વિદ્યાર્થીઓએ ખરીદ્યા ઈ-વાહનો.

    News Continuous Bureau | Mumbai

    E-Vehicles : સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર ( Gujarat Govt ) કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે.  

    આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ માં ધોરણ ૯ થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત ‘દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના’  ( Financial assistance scheme for two wheelers ) અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ-વાહનો ખરીદ્યા છે. જેમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી – GEDA દ્વારા અંદાજે રૂ. ૫૬ કરોડથી વધુની સહાય ડારેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવાઈ છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવાયું હતું. 

     મંત્રી શ્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો ( Electric vehicles ) પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર રૂ. ૪૮ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. ૧૨ હજારની સહાય DBT દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે, દ્વિચક્રી વાહન ચલાવવાનો ખર્ચ માત્ર ૨૦ પૈસા પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. આ સિવાય ક્રુડ ઓઈલને આયાત કરાતું હોવાથી તેના હુંડીયામણમાં પણ જંગી ખર્ચ થાય છે.આમ  કલાઈમેટ ચેન્જની સમસ્યા વચ્ચે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ, પર્યાવરણનું જતન અને રાષ્ટ્રહિત એમ તમામ રીતે લાભદાયી છે. વિશ્વભરમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા આપણે ઈ-વાહનોનો ઉપયોગ વધારવો પડશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.  

    કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, રાજ્યના ( Gujarat  ) રિક્ષાચાલકો, મહિલા અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો, બેરોજગારોને રોજગારી આપવા તેમજ સહકારી મંડળીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ., યાત્રાધામો જેવી સંસ્થાઓને પણ લાભ મળે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી બેટરી સંચાલિત ‘ત્રિચક્રીય વાહન સહાય યોજના’ અમલી બનાવી છે. આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિ વાહન રૂ. ૪૮ હજારની નાણાકીય સહાય પણ DBT દ્વારા આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯૨૫ લાભાર્થીઓને રૂ. ૪ કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. આ યોજનાઓને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વવાળી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દ્રિચક્રીય વાહનો માટે ૭,૫૦૦ તેમજ ત્રિચક્રીય વાહનો માટે ૧,૦૦૦ નો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે.

      આ સમાચાર પણ વાંચો: GST Council Meet: કેન્સરના દર્દીઓને થશે રાહત! ઘટ્યો દવાનો દર, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણયો

    રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા માટે તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનના વિકાસકારોને નાણાકીય પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ ૨૦૨૧થી અમલી બનાવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 

     E-Vehicles : ઇલેક્ટ્રિક વાહનોના મુખ્ય લાભ

    ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી ઉપરાંત, ગ્લોબલ વર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે. 

    સાથે જ ઊર્જાની નોંધપાત્ર બચત, પેટ્રોલ-ડિઝલના વધુ ખર્ચથી મુક્તિ, બેટરી, મોટર કંટ્રોલર, ચાર્જર જેવા ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોવાથી ઓછો મેઇન્ટેનન્સ તેમજ મોબાઈલની જેમ બેટરીને ચાર્જ પણ કરી શકાય છે. આ ઉપરાંત બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનના ઉપયોગથી પેટ્રોલની બચત સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

      આ સમાચાર પણ વાંચો:   Realme Narzo 70 Turbo 5G:  Realme નો નવો ગેમિંગ સ્માર્ટફોન  રિયલમી નારઝો 70 ટર્બો 5G લોન્ચ, જાણો પ્રારંભિક કિંમત અને ફીચર્સ..

  • Electric Vehicles: બજેટ 2024માં ઓટો સેક્ટર માટે કરાઈ મોટી જાહેરાત, લિથિયમ બેટરી સસ્તી થતા હવે ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં આવશે ઘટાડો.. જાણો વિગતે..

    Electric Vehicles: બજેટ 2024માં ઓટો સેક્ટર માટે કરાઈ મોટી જાહેરાત, લિથિયમ બેટરી સસ્તી થતા હવે ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં આવશે ઘટાડો.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    Electric Vehicles: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ ( Union Budget 2024 ) રજૂ કર્યું હતું . આ બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેથી સરકારે હવે લિથિયમ, કોપર અને કોબાલ્ટ પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આનાથી દેશમાં લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનને વધુ વેગ મળશે. તેના કારણે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધશે. 

    લિથિયમ આયર્ન બેટરીના ( lithium ion batteries ) ઉત્પાદનમાં લિથિયમ અને કોબાલ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. આ ઘટકો પરની કસ્ટમ ડ્યુટી ( Customs duty ) ઘટાડવાથી ભારતમાં હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને વેગ મળશે. આ બજેટમાં, 2024-25માં, દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવા અને આ વાહનોના મહત્તમ ઉત્પાદન માટે, ઓટો ઉદ્યોગ માટે લાવવામાં આવેલા કુલ બજેટનો લગભગ અડધો ભાગ આ વાહનો માટે રાખવામાં આવ્યો છે. 

    Electric Vehicles: ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘટાડવાથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ખાસ કરીને ટુ-વ્હીલર કેટેગરીમાં મોટો વધારો થશે…

    નિર્મલા સીતારમણે (  Nirmala Sitharaman ) FY24 માં FAME II ના ખર્ચને બમણો કરીને રૂ. 5,172 કરોડ કર્યો હતો. FAME યોજના સૌપ્રથમ 2015માં લાગુ કરવામાં આવી હતી. આ યોજનાએ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપ્યું છે. આ વૃદ્ધિ ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં વધુ જોવા મળી છે.

    આ સમાચાર પણ વાંચો  :  Gems & Jewellery Export: GJEPC એ વૈશ્વિક સ્તરે નિકાસ વધારવા માટે કાશ્મીરી જેમ્સ એન્ડ જ્વેલર્સના વેપારીઓ સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ શરૂ કરી.. જાણો વિગતે..

    ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘટાડવાથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ખાસ કરીને ટુ-વ્હીલર કેટેગરીમાં મોટો વધારો થશે. ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરીની કિંમત EV ઉત્પાદકો માટે એક પડકાર છે, કારણ કે નિયમિત વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો વચ્ચેના ભાવમાં તફાવત છે. તેમજ આ બજેટમાં શું સસ્તુ થયું છે અને શું મોઘું થયું છે તેની યાદી આ પ્રમાણે રહેશે..

  • Electric Bike: એપ્રિલ મહિનામાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલ વાહનોના વેચાણમાં આવ્યો મોટો ઘટાડો, વેચાણ અડધુ થઈ ગયું.. જાણો શું છે તેનું કારણ…

    Electric Bike: એપ્રિલ મહિનામાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલ વાહનોના વેચાણમાં આવ્યો મોટો ઘટાડો, વેચાણ અડધુ થઈ ગયું.. જાણો શું છે તેનું કારણ…

    News Continuous Bureau | Mumbai 

    Electric Bike: એપ્રિલ મહિનામાં ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો 1 એપ્રિલથી લાગુ સબસિડીમાં થયેલા ફેરફારોને આભારી છે.

    ગયા મહિને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્કૂટરના ( electric two-wheeler scooters ) માત્ર 64,000 યુનિટનું વેચાણ થયું હતું. માર્કેટ લીડર ઓલા દ્વારા માત્ર 33,000 એકમોનું વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ માર્ચમાં આ આંકડો 50,000 યુનિટથી વધુ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારના વાહન પોર્ટલના વાહન રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, ( Electric Vehicles ) ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ  ( Electric Vehicles ) ઇલેક્ટ્રિકમાર્ચમાં 136,000 થી વધુ યુનિટ વેચ્યા હતા. જે એક મહિનામાં સૌથી વધુનો રેકોર્ડ છે.

      Electric Bike: 31 માર્ચે સરકાર દ્વારા FAME-II સબસિડી નાબૂદ કરવામાં આવી હતી…

    ઈકોનોમીક ટાઈમ્સના અહેવાલ મુજબ, Ola, Bajaj, TVS અને Ather જેવી કંપનીઓને પણ આનાથી મોટો ફટકો પડ્યો છે. બજાજે એપ્રિલમાં 7,500 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે અગાઉના મહિનામાં 18,000 કરતાં વધુ યુનિટ્સનું વેચાણ થયું હતું. તો TVSનું વેચાણ ( electric two-wheeler sales ) માર્ચમાં લગભગ 26,000થી ઘટીને એપ્રિલમાં 7,600 યુનિટ થયું હતું. તે જ સમયે, Atherએ એપ્રિલમાં લગભગ 4,000 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તો માર્ચમાં આ આંકડો 17,000 કરતાં વધુ હતો.

    આ સમાચાર પણ વાંચો :  Shri Banke Bihari: અક્ષય તૃતીયા પર બાંકે બિહારીના થાય છે દિવ્ય ચરણ દર્શન, ભક્તોને વર્ષમાં માત્ર એક જ વાર આવું સૌભાગ્ય મળે છે..

    નોંધનીય છે કે, 31 માર્ચે સરકાર દ્વારા FAME-II સબસિડી નાબૂદ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર દરેક ટુ-વ્હીલર પર યુનિટ દીઠ 10,000 રૂપિયાની સબસિડી આપી રહી હતી. પરંતુ 1 એપ્રિલથી સબસિડી ન મળવાને કારણે વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.

    નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ( electric two-wheelers ) વેચાણમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તમામ કંપનીઓ દ્વારા 9.40 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું.

  • Critical Minerals Summit : ખાણ મંત્રાલય  આજથી બે દિવસીય ક્રિટિકલ મિનરલ્સ સમિટનું આયોજન કરશે

    Critical Minerals Summit : ખાણ મંત્રાલય આજથી બે દિવસીય ક્રિટિકલ મિનરલ્સ સમિટનું આયોજન કરશે

    News Continuous Bureau | Mumbai 

    Critical Minerals Summit : ખાણ મંત્રાલય ( Ministry of Mines ) , શક્તિ સસ્ટેઇનેબલ એનર્જી ફાઉન્ડેશન (શક્તિ), ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ (સીઇઇડબલ્યુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ( IISD )ના સહયોગથી, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે 29 એપ્રિલથી 30 એપ્રિલ, 2024 સુધી “ક્રિટિકલ મિનરલ્સ સમિટઃ એન્હાન્સિંગ બેનિફિશિએશન એન્ડ પ્રોસેસિંગ ક્ષમતાઓ”નું આયોજન કરશે. 

    ક્રિટિકલ મિનરલ્સ સમિટ મહત્ત્વપૂર્ણ ખનિજ લાભ અને પ્રોસેસિંગના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા, જ્ઞાન વહેંચવા અને નવીનતાને વેગ આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલ એક મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે. આ શિખર સંમેલન ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે અક્ષય ઊર્જા પ્રણાલીઓ અને ઇલેક્ટ્રિક વાહનો ( Electric vehicles ) સહિત મુખ્ય ટેકનોલોજીઓ માટે આવશ્યક મહત્ત્વપૂર્ણ કાચા માલ (સીઆરએમ)નો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.

    Critical Minerals Summit : આ સમિટ વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને એકમંચ પર લાવશે

    આ સમિટ વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને એકમંચ પર લાવશે, જેમાં ઉદ્યોગજગતનાં અગ્રણીઓ, સ્ટાર્ટ-અપ્સ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને નીતિગત નિષ્ણાતો સામેલ છે. સહભાગીઓ સક્રિય સંવાદ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપમાં જોડાશે, જે ખનીજ હરાજીની પ્રગતિ, સીઆરએમ ઇકોસિસ્ટમ વિકાસ માટે નીતિગત પ્રોત્સાહનો અને વ્યાવસાયિક રીતે વ્યવહારિક અને પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સની પ્રગતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    આ સમાચાર પણ વાંચો :  Massive Sea Op: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની તરાપ, અધધ 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે આટલા પાકિસ્તાની પકડાયા; જુઓ વિડિયો

    આ સમિટની મુખ્ય લાક્ષણિકતાઓમાં આઠ મુખ્ય ખનિજો ( Minerals ) પરના ટેકનિકલ સત્રોનો સમાવેશ થાય છેઃ ગ્લાઉકોનાઇટ (પોટાશ), લિથિયમ – રેર અર્થ એલિમેન્ટ્સ (લેટરાઇટ), ક્રોમિયમ, પ્લેટિનમ ગ્રૂપ, ગ્રેફાઇટ, ટંગસ્ટન જે ગ્રેફાઇટ સાથે સંકળાયેલા છે, રેર અર્થ્સ (આરઇ), અને ગ્રેફાઇટ સાથે સંકળાયેલા વેનેડિયમ. આ સત્રો બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગ અને જ્ઞાનની વહેંચણી માટે મૂલ્યવાન તકો પ્રદાન કરશે.

    ક્રિટિકલ મિનરલ્સ સમિટનો ઉદ્દેશ સરકાર અને ઉદ્યોગનાં હિતધારકોને સીઆરએમનાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે જરૂરી જાણકારી, જોડાણો અને જરૂરી સાધનોથી સજ્જ કરવાનો છે, જે ભારતની આર્થિક વૃદ્ધિ અને સ્થાયીત્વનાં ઉદ્દેશોને ટેકો આપશે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ  ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..

    Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..

    News Continuous Bureau | Mumbai

    Electric Vehicles : દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇલેક્ટ્રિક વાહન ( Electric vehicles ) સેગમેન્ટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને ઉદ્યોગના નિષ્ણાતોને વિશ્વાસ છે કે આવનારો સમય વધુ સારો હશે. દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોને સસ્તું બનાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય સાથે સંકળાયેલ સંસદીય સમિતિએ લિથિયમ-આયન બેટરી ( Lithium-ions Batteries ) પર જીએસટી ( GST ) એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( Goods And Services Tax ) ઘટાડવાની ભલામણ કરી છે જેથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ખર્ચ ઘટાડી શકાય. સાથે જ સંભવિત ખરીદદારો ( Buyers ) માટે ઇલેક્ટ્રિક વાહનોને પોસાય તેવા બનાવી શકાય, જે તેની સ્વીકૃતિ વધારવામાં મદદ કરશે. 

    ઇલેક્ટ્રિક વાહનો પરવડે તેમ નથી

    સરકાર પર્યાવરણને શુદ્ધ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ ઇંધણ વાહનોની ( fuel vehicles ) તુલનામાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય લોકો માટે તે પરવડે તેમ નથી. ઇંધણવાળા વાહનોની સરખામણીમાં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ મોંઘા હોય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી પેક વાહનની કુલ કિંમતના 40-45 ટકા હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે સમિતિએ લિથિયમ આયન બેટરી પર જીએસટી ઘટાડવાની ભલામણ કરી છે.

    EV લોન ( EV Loans ) પર કર મુક્તિ

    સંસદીય સમિતિના ( Parliamentary Committee ) અધ્યક્ષ તિરુચિ સિવાના નેતૃત્વ હેઠળની સમિતિએ સરકારને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે લોન પર રૂ. 1.5 લાખ સુધીના વ્યાજની ચુકવણી પર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80EEB હેઠળ કરમાં છૂટ આપવાની ભલામણ કરી છે. 80EEB ના નિયમ હેઠળ, ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લોનના વ્યાજ પર કર મુક્તિ નો લાભ 1 જાન્યુઆરી, 2019 થી માર્ચ 31, 2023 સુધી ઉપલબ્ધ હતો. સંસદીય સમિતિએ 80EEB હેઠળ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લીધેલી લોન પરના વ્યાજની ચુકવણી પર કર મુક્તિની જોગવાઈને 31 માર્ચ, 2025 સુધી લંબાવવાની ભલામણ કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  Wild Animal Video : દીપડાએ પકડી લીધું હરણનું બચ્ચું, અને દીપડાએ પછી કર્યું કંઈક એવું કે, તમે વિચારમાં પડી જશો, જુઓ આ વીડિયો..

    ફેમ-2 હેઠળ પ્રમોશન મળ્યું

    સ્ટેન્ડિંગ કમિટીએ FAME-2 (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ) સ્કીમને 3 વર્ષ માટે લંબાવવાની પણ ભલામણ કરી છે. સમિતિએ જણાવ્યું હતું કે FAME-2 હેઠળ ઇલેક્ટ્રિક વ્હીકલ હેઠળ વાહનોની સંખ્યાને ટેકો આપવાનો લક્ષ્યાંક અગાઉ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે FAME-2ને 3 વર્ષ માટે લંબાવવો જોઈએ અને તેનો વ્યાપ પણ વધારવો જોઈએ. સમિતિએ જણાવ્યું હતું કે અગાઉ સરકારે FAME-2 તરીકે 55,000 E-4 વાહનોને ટેકો આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જે ઘટાડીને 11,000 કરવામાં આવ્યું હતું. FAME-2 હેઠળ વધુ ઈલેક્ટ્રિક વાહનોને ટેકો આપવાની સાથે સમિતિએ વાહનની કિંમત અને બેટરી ક્ષમતાના આધારે ખાનગી E-4 વાહનોને ટેકો આપવાની પણ ભલામણ કરી છે.

    સરકારે E-2 વ્હીલર્સને પણ ટેકો આપવો જોઈએ

    સંસદીય સમિતિએ કહ્યું કે 1 જૂન, 2023થી સબસિડીમાં ઘટાડાથી E-2 વ્હીલર્સના વેચાણને અસર થઈ છે. સમિતિએ ફરીથી સરકારને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સબસિડીની જોગવાઈ ચાલુ રાખવા જણાવ્યું છે. સમિતિએ ઈ-ક્વાડ્રિસાઈકલને FAME-2 હેઠળ લાવવાની પણ ભલામણ કરી છે, જેનાથી દેશમાં રોજગારીની તકો વધશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે. ક્વાડ્રિસાઈકલ એવા વાહનો છે જે આકારમાં થ્રી-વ્હીલર જેવા હોય છે પરંતુ તેમાં ચાર ટાયર હોય છે અને તે કારની જેમ ઢંકાયેલા હોય છે.

  • Electric Vehicles: આ વાહનો વિશ્વમાં ઓઈલની માંગમાં ઘટાડો લાવશે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

    Electric Vehicles: આ વાહનો વિશ્વમાં ઓઈલની માંગમાં ઘટાડો લાવશે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Electric Vehicles: દુબઈમાં COP28 ક્લાઈમેટ કોન્ફરન્સની ( COP28 Climate Conference ) ધીમી ગતિને લઈને ઘણી ટીકા થઈ હતી. આબોહવા પરિવર્તન સામે લડવા માટે અશ્મિભૂત ઇંધણનો વપરાશ ( Fuel consumption ) ઘટાડવો જોઈએ… પરંતુ એક સકારાત્મક વાત કે જે પ્રતિનિધિઓ નિર્દેશ કરી શકે છે તે એ છે કે વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ( electric vehicles ) વધતો કાફલો જે પહેલેથી જ માંગમાં આશ્ચર્યજનક રીતે તેલની માંગમાં ( oil demand ) મોટો ઘટાડો કરી રહ્યો છે.

    તાજેતરના વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતા વેચાણે આગાહીકારોને વૈશ્વિક તેલનો ઉપયોગ ક્યારે ટોચ પર આવશે તેનો અંદાજ વધારવા માટે પ્રેરિત કર્યા છે, કારણ કે જાહેર સબસિડી અને બહેતર ટેક્નોલોજી ગ્રાહકોને કેટલીકવાર આર્શ્યચક્તિ કરી દે છે. તેથી જ બેટરીથી ચાલતી કાર વધારવામાં આવી રહી છે.

    પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ( IEA ), જે 29 ઔદ્યોગિક રાષ્ટ્રોનું જૂથ છે, તે અપેક્ષા રાખે છે કે આ દાયકાના અંતમાં વિશ્વમાં તેલનો વપરાશ તેની પરાકાષ્ઠાએ 103 મિલિયન બેરલ પ્રતિ દિવસની સપાટીએ પહોંચશે, તેના 2017 ની લગભગ આગાહીમાં નિયમિત ગોઠવણો કર્યા પછી. 2040 માં 105 મિલિયન bpd ટોચ પહોંચી શકે છે.

    વિશ્વની તેલની માંગના લગભગ 60% માટે પરિવહન જવાબદાર..

    તેલની માંગને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે ઇલેક્ટ્રીફિકેશન તરફના પોલિસી સપોર્ટ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાંથી ( Policy Support Transportation Sector ) શિફ્ટ ગેમ-ચેન્જર છે, જે વૈશ્વિક તેલની માંગ વૃદ્ધિના મુખ્ય સ્ત્રોત છે,” એમ IEA ખાતે ઊર્જા મોડેલર એપોસ્ટોલોસ પેટ્રોપોલોસે જણાવ્યું હતું. .

    આ સમાચાર પણ વાંચો :  Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજા બર્થડે સ્પેશિયલ.. શા માટે સર જાડેજા છે ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ.. જાણો અહીં આ 5 કારણો..

    ઓઇલ જાયન્ટ BP (BP.L) એ તેના વૈશ્વિક પીક ઓઇલ માંગ અનુમાનોમાં વધારો કર્યો છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બંનેની સરકારો – વિશ્વના બે સૌથી મોટા તેલ વપરાશકારો – તેમના સ્થાનિક વપરાશની આગાહીઓ પાછી ખેંચી છે.

    IEA મુજબ, વિશ્વની તેલની માંગના લગભગ 60% માટે પરિવહન જવાબદાર છે, જેમાં એકલા યુનાઇટેડ સ્ટેટ્સ લગભગ 10% હિસ્સો ધરાવે છે. તે હિસ્સો ઘટવો જોઈએ, કારણ કે IEA અપેક્ષા રાખે છે કે EVs 2030 સુધીમાં વિશ્વની તેલની માંગમાં દરરોજ લગભગ 5 મિલિયન બેરલનો ધટાડો નોંધાશે.

    વૈશ્વિક EV વેચાણ હવે તમામ વાહનોના વેચાણમાં લગભગ 13% છે અને દાયકાના અંત સુધીમાં બજારના 40%-45% ની વચ્ચે થવાની સંભાવના છે, IEA મુજબ. તે 1.5 ની અંદર ગ્લોબલ વોર્મિંગ રાખવા માટે 2015 પેરિસ કરાર પછીથી વિશ્વની વિવિધ સરકારો દ્વારા રજૂ કરવામાં આવેલા વધુને વધુ કડક કાર્યક્ષમતા ધોરણો અને સબસિડીના મિશ્રણને આભારી છે.

    સબસિડીના નવીનતમ પગલાં યુએસ ગ્રાહકોને નવા EV ખરીદવાની મંજૂરી આપે છે. ફુગાવાના ઘટાડા અધિનિયમમાંથી $7,500ની ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષે પસાર થયો હતો અને ઉચ્ચ સ્ટીકર કિંમતોને સરભર કરવામાં મદદ કરવાનો હેતુ હતો.

     2030 સુધીમાં બજારના 70%ના ક્રમ પર – EV વેચાણ વધુ હોવું જરૂરી છે…

    જ્યારે આ સંખ્યાઓ મોટી છે, ત્યારે IEA કહે છે કે ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવા માટે પેરિસ કરારના લક્ષ્યાંકોને પહોંચી વળવા – 2030 સુધીમાં બજારના 70%ના ક્રમ પર – EV વેચાણ વધુ હોવું જરૂરી છે.

    જનરલ મોટર્સ (GM.N), ફોર્ડ (F.N) અને સ્ટેલાન્ટિસ (STLAM.MI) એ તાજેતરના અઠવાડિયામાં વધતા શ્રમ ખર્ચ અને ઊંચા ભાવના સંકેતો વચ્ચે ઉત્પાદન વધારવાની યોજના વિલંબિત અથવા રદ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાજ દરો વૃદ્ધિ ધીમી કરી રહ્યા છે.

    ઉદ્યોગના નિષ્ણાતોના મતે ભાવિ EV અપનાવવાનો દર EV કિંમતો અને ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા પર ઘણો આધાર રાખે છે. ચીનને બંને બાબતોમાં ફાયદો છે.

    યુકે રિસર્ચ ફર્મ JATO ડાયનેમિક્સ અનુસાર, 2023ના મધ્યમાં ચીનમાં સરેરાશ ઇલેક્ટ્રિક વાહનની કિંમત 31,165 યુરો ($33,964) હતી. ચીનમાં સૌથી સસ્તી EV સૌથી સસ્તી ગેસોલિન-સંચાલિત સમકક્ષ કાર કરતાં 8% ઓછી મોંઘી હતી, JATOએ શોધી કાઢ્યું હતું. તે જંગી સરકારી સબસિડી અને EV ઉત્પાદનમાં નિર્ણાયક એવા દુર્લભ પૃથ્વીની સરળ ઉપલબ્ધતાને આભારી છે. જો કે, લાંબા ગાળે, EV બેટરીની ઘટતી કિંમત કેટલાક સંશોધકોને આશાવાદી લાગે છે.

    આ સમાચાર પણ વાંચો :  Cyclone Michaung: ભારે તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ નબળું પડ્યું, આ રાજ્યોમાં રહેશે વરસાદની શક્યતા.. હવામાન વિભાગની આગાહી..

    ઉદ્યોગના નિષ્ણાતોના મતે, ભાવિ EV દત્તક લેવાના દરો મોટાભાગે EV કિંમતો અને ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. ચીનને બંને મોરચે ફાયદા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, તેનાથી વિપરિત, ઓટોમોટિવ રિસર્ચ કંપની કેલી બ્લુ બુક અનુસાર, EVની સરેરાશ કિંમત $53,000 કરતાં વધુ છે, જે ગેસોલિનથી ચાલતી કાર કરતાં લગભગ $5,000 વધુ છે.

    EVs 2030 સુધીમાં 50% સુધી નવી U.S. કાર રજિસ્ટ્રેશન સુધી વધવાની ધારણા..

    યુનાઇટેડ સ્ટેટ્સ જાહેર ચાર્જિંગ સ્ટેશનોની કુલ સંખ્યામાં ચીનથી પણ પાછળ છે. ઇલેક્ટ્રિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા ઉદ્યોગ-ફંડવાળા શ્વેતપત્રમાં નોંધવામાં આવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 52,000 જાહેર ચાર્જિંગ સ્ટેશન છે, યુરોપમાં લગભગ 400,000 અને ચીનમાં લગભગ 1.2 મિલિયન છે.

    તેમ છતાં, IEA અનુસાર, EVs 2030 સુધીમાં 50% સુધી નવી U.S. કાર રજિસ્ટ્રેશન સુધી વધવાની ધારણા છે, કારણ કે ડ્રાઇવરો સુધરતી ટેક્નોલોજી, ભાવમાં ઘટાડો અને ગેસ પંપ પર અસ્થિર ભાવોને સાઇડસ્ટેપ કરવાની સંભાવના તરફ આકર્ષાયા છે.

    “રાજકીય બાજુ પર પરિવર્તન સંક્રમણમાં વિલંબ કરી શકે છે,” IEA ના પેટ્રોપોલોસે જણાવ્યું હતું કે, કેટલાક EV નિર્માતાઓમાં ચિંતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આગામી વર્ષની યુ.એસ.ની ચૂંટણી નીતિઓના નવા સેટની શરૂઆત કરી શકે છે. “પરંતુ આખરે સંક્રમણ હવે થઈ રહ્યું છે.”

  • લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

    લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

    News Continuous Bureau | Mumbai

    વર્ષ 2023માં લિથિયમની કિંમત ઘટશે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોનો (EV) મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટશે, જેને કારણે તેની કિંમત પણ કેટલાક અંશે ઘટવાની શક્યતા છે. લીથિયમ એક મહત્વપૂર્ણ બેટરી મેટલ છે. નવેમ્બરના મધ્યમાં તેની કિંમત ટનદીઠ $86,173 (રૂ.71.37 લાખ)ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

    ગુરુવારે સતત પાંચમાં દિવસે તેમાં ઘટાડો થયો હતો અને કિંમત અંદાજે ટનદીઠ રૂ.62 લાખ રહી હતી. લિથિયમ સપ્લાયર સિનોમાઇન રિસોર્સ ગ્રુપના ચેરમેન વાંગ પિંગવેઇએ કહ્યું કે, બે વર્ષથી લિથિયમની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજીનું વલણ હતું. માર્જીન સારું હોવાથી લિથિયમનું માઇનિંગ તેમજ સપ્લાય વધી છે. પરિણામે કિંમતો ઘટવા લાગી છે. નવા વર્ષમાં લિથિયમની કિંમત અંદાજે એક ચતુર્થાંશ વધુ ઘટીને ટનદીઠ રૂ.47 લાખની આસપાસ પહોંચી શકે છે. વાંગની કંપની ઝિમ્બાબ્વે અને કેનેડામાં માઇનિંગ કરે છે. આ વર્ષે અંદાજે એક દાયકામાં પહેલી વાર ઇવી બેટરીની કિંમતો ઘટી છે. ઇવીના વધતા ટ્રેન્ડને કારણે લિથિયમની માંગ સપ્લાયથી વધુ છે. જેના લીધે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ પણ વધારો થયો છે જે માર્કેટ માટે વરદાન સાબિત થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

  • ઇલેક્ટ્રિક વ્હીકલ ક્યારે થશે સસ્તા-1 વર્ષ જુઓ રાહ- પછી પેટ્રોલ કારની બરાબર થશે કિંમત

    ઇલેક્ટ્રિક વ્હીકલ ક્યારે થશે સસ્તા-1 વર્ષ જુઓ રાહ- પછી પેટ્રોલ કારની બરાબર થશે કિંમત

     News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી(Union Minister of Road Transport and Highways) નીતિન ગડકરીએ(Nitin Gadkari) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી એક વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત(Price of electric vehicle) પેટ્રોલ વ્હીકલની(Petrol Vehicle) જેમ જ નીચે આવી જશે. આનું કારણ દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી જતી માંગ છે, જેના કારણે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્શનની(electric vehicle production) કિંમત ઘટી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર ભારતમાં વેચાતા ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં દરેક સેગમેન્ટમાં 800 ટકાનો વધારો થયો છે.

    ઇલેક્ટ્રિક વ્હીકલનું બમ્પર વેચાણ(Bumper sales)

    આ વર્ષે ભારતમાં લગભગ 17 લાખ ઈલેક્ટ્રીક વ્હીકલનું રજીસ્ટ્રેશન(Registration of electric vehicles) થયું છે. આ આંકડો ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ લોકોનો વધતો ઝોક દર્શાવે છે. આ આંકડો પણ પ્રશંસનીય છે કારણ કે અત્યાર સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ લિમિટેડ છે. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું છે કે હાલમાં દેશમાં ચાર્જિંગ સ્ટેશનની અછત છે. મોટા શહેરોમાં પણ તેમનું ચાર્જિંગ થાય છે. પરંતુ દૂરના વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ઈ- વ્હીકલ સફળ થતા નથી. તેમણે કહ્યું કે હાલમાં EV કારની કિંમત પેટ્રોલ અથવા ડીઝલ વેરિઅન્ટની તુલનામાં ઘણી વધારે છે જે તેમના ઓછા વેચાણનું એક મોટું કારણ છે. આ સાથે ચાર્જિંગ પોઈન્ટની સંખ્યા વધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.

    ભારતમાં ઇલેક્ટ્રિક બસો(electric buses) દોડશે

    ગડકરીના જણાવ્યા અનુસાર ભારતમાં 1.5 લાખ બસો છે જેમાંથી 93% ડીઝલ પર ચાલે છે. જેમાંથી ઘણી બસો જૂની અને ખરાબ છે. ગડકરીએ જણાવ્યું હતું કે નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવા માટે સરકાર આ તમામ બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહી છે. ગડકરીએ કહ્યું કે સરકાર પાસે દેશભરમાં ઈલેક્ટ્રિક બસો ચલાવવાની વિગતવાર યોજના પણ છે, જેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર- 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ- જાણો તેની ખાસિયતો 

    દેશમાં ડબલ ડેકર બસોની સંખ્યામાં વધારો થશે

    ગડકરીના જણાવ્યા અનુસાર સરકાર ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ડબલ ડેકર બસોની સંખ્યામાં વધારો કરવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર એસી ડબલ-ડેકર બસોની ટિકિટની કિંમત ઘટાડવાની યોજના ધરાવે છે જેથી કરીને તેને લોકો માટે વધુ સસ્તું બનાવી શકાય.

    ભારતમાં હાઇડ્રોજન કાર પર કામ શરૂ થયું

    ગડકરીએ કહ્યું કે ભારતમાં હાઇડ્રોજનથી ચાલતી કારના ઉત્પાદન માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં હાઇડ્રોજન બ્લેક હાઇડ્રોજન બ્રાઉન હાઇડ્રોજન અને લીલો હાઇડ્રોજન બનાવવા માટે ત્રણ પ્રોસેસનો ઉપયોગ થાય છે. બ્લેક હાઇડ્રોજન બનાવવા માટે કોલસાની જરૂર પડે છે. બ્રાઉન હાઇડ્રોજન બનાવવા માટે પેટ્રોલ અને ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે પાણીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે જેમાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ઘણી મોટી કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો :  આજે ઓફીસે જનારા નોકરિયાતોને લાગશે લેટમાર્ક- આ રેલવે લાઇનની લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

    ઈ-ટુ-વ્હીલરનું(e-two-wheelers) વેચાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું 

    ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી જતી માંગ વચ્ચે હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું માર્કેટ(Electric two-wheeler market) તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેમાં પણ સૌથી વધુ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરના સેલમાં જોવા મળી રહી છે. જો કે જો આપણે સમગ્ર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ વિશે વાત કરીએ તો ઓક્ટોબરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન 68 હજાર 324 યુનિટના સર્વોચ્ચ ઉચ્ચલેવલે પહોંચ્યું હતું. આ આંકડો સપ્ટેમ્બરમાં લગભગ 51,000 યુનિટ કરતાં 29 ટકા વધુ છે. આ પછી જાન્યુઆરી-ઓક્ટોબરમાં કુલ ટુ-વ્હીલર વેચાણમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો હિસ્સો વધીને 4 ટકા થઈ ગયો છે.

    ઓછી કિંમત-સબસિડીએ વેચાણમાં વધારો કર્યો

    ઈ-સ્કૂટરનું વેચાણ વધવાનું સૌથી મોટું કારણ તેનું માઈલેજ છે. જો પેટ્રોલ સ્કૂટર સાથે સરખામણી કરવામાં આવે તો તેની કિંમત પ્રતિ કિલોમીટર રૂ.2.25ની નજીક આવે છે. જ્યારે ઈ-સ્કૂટર ચલાવવાનો સરેરાશ ખર્ચ માત્ર 30 પૈસા પ્રતિ કિલોમીટર છે. અત્યારે સમસ્યા તેમના મોંઘા ભાવની છે, જેનો ઉકેલ અમુક અંશે કેન્દ્ર અને રાજ્ય સરકાર(Central and State Govt) તરફથી કસ્ટમરને સબસિડી આપીને છે. જેમ જેમ તેમનું વેચાણ વધે છે અને કંપનીઓ ઉત્પાદનમાં વધારો કરે છે, તેમ તેમ તેમની કિંમતો પણ નીચે આવવા લાગશે અને તે કસ્ટમરના બજેટમાં આવવા લાગશે.

    આ સમાચાર પણ વાંચો :  તમારું પેન કાર્ડ આવી રીતે બની શકે છે મોટી મુસીબત- થઈ શકે છે 10 હજાર રૂપિયાનો દંડ- જાણો નિયમ