• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - fair
Tag:

fair

Job Fair 2025 Veer Narmad South Gujarat University's job recruitment fair on March 11
સુરત

Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક, આ તારીખે યોજાશે નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર

by kalpana Verat March 4, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક: ઉમેદવારો અને કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું

સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Stock Markets Falls: ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજારમાં ફરી કડાકો, 9 મહિનાના સૌથી ખરાબ સ્તરે; રોકાણકારો રાતા પાણીએ રોયા..

રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતી મેળામાં ભાગ લેવા માટે https://rb.gy/y34qzz અને કંપનીઓએ ભાગ લેવા માટે https://rb.gy/ce3iue પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ભાગ લેનાર તમામ ઉમેદવારોએ બાયોડેટાની નકલ સાથે ભરતી મેળામાં હાજર રહેવું, ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલી જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦મી માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેઝ- MCCSURAT અને ટેલિગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
shamlaji temple
દિવાળી 2023પર્યટન

Shamlaji temple: દિવાળીના દિવસે શામળાજીના મંદિરે યોજાય છે મેળો, જાણો આ મંદિરની ખાસ વિશેષતા

by NewsContinuous Bureau November 11, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

દિવાળી(Diwali)ના દિવસો ચાલી રહ્યા છે તેવામાં એક દિવસ ફરવા જવાનુ વિચારી રહ્યા છો તો શામળાજીના દર્શન કરો. શામળાજી એક અગ્રણી હિન્દુ ધર્મસ્થાન છે અને તે અરવલ્લીના ભિલોડામાં આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેનું નિર્માણ 11મી સદી દરમિયાન ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરને ગુજરાત રાજ્યમાં ભગવાન વિષ્ણુ(Lord Vishnu)ના ટોચના ત્રણ મંદિરોમાંથી એક ગણવામાં આવે છે. શામળાજી તેની ભવ્ય ભવ્યતા અને સાદગીને કારણે પુરાતત્વવિદોમાં મનપસંદ ગણાય છે. પ્રવાસી(tourist)ઓ વીતેલા યુગની જીવનશૈલી અને સમયરેખાને દર્શાવતી કેટલીક અદ્ભુત કલાકૃતિઓ અને ચિત્રો જોઈ શકે છે.

 

નાની દિવાળીના દિવસે યોજાય છે મેળો

શામળાજી મંદિર વાર્ષિક મેળા(fair)નું આયોજન કરવા માટેનું પ્રાથમિક સ્થળ પણ છે. જેનું આયોજન કારતક સુદ પુનમે (નાની દિવાળી) થાય છે. આ મંદિર દ્વારા દેશભરમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વિષ્ણુ પાસેથી પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા માટે આવે છે. આ દિવસે અહિં ભૂત પ્રેત ભગાડવા અને પુર્વજોની આત્માને શાંતિ માટેની પુજાઓ જેવી અનેક માન્યતા પ્રમાણે લોકો અહીં આવે છે.

 

મંદિરનો ભવ્ય ઈતિહાસ

શામળાજી મંદિર(Shamlaji temple)નું નિર્માણ 11મી સદી દરમિયાન ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તે છેલ્લા ઘણા સમયથી જૈન સમાજના શાસન હેઠળ હતું. ઇડર રાજ્યના શાસકોએ એકવાર દેવદર, નાપાડા, ખાલસા, સુણસર, રેવદર અને મોધારી જેવા અન્ય ગામો સાથે મંદિર માધુરી રાવ સાહેબને સોંપ્યું હતું. શામળાજી મંદિર સાંજે 6 વાગ્યાની આસપાસ જાહેર જનતા માટે ખોલવામાં આવે છે અને 8:30 વાગ્યે બંધ થાય છે.

 

શામળાજી મંદિર ભારતા 154 અગ્રણી હિન્દુ ધર્મસ્થાનોમાંનું એક

ભગવાન વિષ્ણુનું ચિત્રણ બાલગોપાલ એ પ્રાથમિક મૂર્તિ છે. જેની અહીં પૂજા (Puja)કરવામાં આવે છે. તે ભારતનું એકમાત્ર મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુની મુખ્ય મૂર્તિ સાથે ગાયની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવે છે. ગાયની મૂર્તિઓ ગોવાળ તરીકે ભગવાન વિષ્ણુના પ્રારંભિક બાળપણના દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. શામળાજી(Shamadaji) ભારતના 154 અગ્રણી હિન્દુ ધર્મસ્થાનો(Dharmasthal)માં સામેલ છે.
આ સમાચાર પણ વાંચોઃ દિવાળીમાં રંગોળી ડિઝાઇનને લઇ કન્ફ્યુઝ છો, તો અહીં છે સિંપલ આઈડિયા-જુઓ ફોટોઝ
November 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Madhya Pradesh: Sri Krishna stays in this famous temple of Madhya Pradesh for 3 days
જ્યોતિષ

Madhya Pradesh: મધ્યપ્રદેશના આ પ્રખ્યાત મંદિરમાં 3 દિવસ રોકાય છે શ્રી કૃષ્ણ, લાગે છે ભવ્ય મેળો

by Hiral Meria September 20, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Madhya Pradesh: દેશમાં એવા ઘણા મંદિરો ( Temples ) છે, જે પોતાની માન્યતાઓ અને પરંપરાઓને ( beliefs and traditions ) કારણે પ્રખ્યાત છે. આ મંદિરોમાં દૂર-દૂરથી લોકો ભગવાનના દર્શન કરવા આવે છે. પરંતુ, મધ્યપ્રદેશમાં એક એવું મંદિર છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ( Sri Krishna ) ભક્તોને ( devotees ) દર્શન આપવા વર્ષમાં એક વાર દ્વારકાધીશ બનીને પધારે છે અને સાડા ત્રણ દિવસ મંદિરમાં રહે છે. આ મંદિર સાથે જોડાયેલી આ માન્યતા માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. વાસ્તવમાં, અમે મધ્ય પ્રદેશના મોરેનામાં સ્થિત દાઉજીના મંદિરની વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના આ પ્રખ્યાત મંદિરમાં ભગવાન કૃષ્ણને દાઉજી કહીને બોલાવાય છે. આવો તમને જણાવીએ આ પ્રખ્યાત મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

મંદિરમાં દર વર્ષે આવે છે શ્રી કૃષ્ણ

તમને જણાવી દઈએ કે દિવાળી પછી, ગોવર્ધન પૂજા પછીના ત્રણ દિવસ અહીં ખૂબ જ ખાસ હોય છે. કારણ કે આ સમય દરમિયાન ગોકુળમાં આયોજિત ગોવર્ધન પૂજા માટે જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાથી ગોકુળ આવે છે, ત્યારે આ ઉત્સવ પછી તેઓ સીધા મોરેનાના દાઉજી મંદિરે જાય છે. એવું માનવામાં આવે છે કે તે 3 દિવસ સુધી મંદિરમાં આતિથ્યનો આનંદ માણે છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ જ કારણ છે કે દર વર્ષે ગોવર્ધન પૂજા પછી સાડા ત્રણ દિવસ સુધી ઉત્સવ હોય છે અને લાખો લોકો દ્વારકાધીશ મહારાજના દર્શન કરવા આ મંદિરે આવે છે.

બીજી રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતનું દ્વારકાધીશ મંદિર સાડા ત્રણ દિવસ બંધ રહે છે. તમને જણાવી દઈએ કે 300 થી વધુ વર્ષોથી અહીં સાડા ત્રણ દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણની યજમાની કરવાની પરંપરા ચાલી આવે છે.

સમાચાર પણ વાંચો : Sonia Gandhi in Parliament: સોનિયા ગાંધીનું સંસદમાં નિવેદન, કહ્યું- હું મહિલા અનામત બિલના સમર્થનમાં, મોદી સરકાર પાસે કરી આ માંગ…

લાગે છે મેળો

તમને જણાવી દઈએ કે આ દરમિયાન ગામમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં આસપાસના ગામડાઓમાંથી લોકો આવે છે અને મંદિરમાં વિશેષ પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, આ લીલા મેળામાં સાડા ત્રણ દિવસ સુધી ભગવાન દ્વારકાધીશના રથની અદભૂત સવારી કાઢવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી બીજી માન્યતા એ છે કે સેંકડો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ મુરેના ગામના મહંત ગોપારામને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મહંતને પોતાની સાથે બ્રહ્મલોક લઈ જશે. જેના પર મહંતે કહ્યું કે જો હું આ રીતે જતો રહીશ તો ગામમાં કોઈ માનશે નહીં કે તમે પોતે મને લેવા આવ્યા હતા. આવી સ્થિતિમાં ભગવાને તેને વચન આપ્યું કે દિવાળી પછી તે દર વર્ષે પડવાથી ચોથ સુધી દાઉજીના મંદિરમાં રોકાશે. તેથી દર વર્ષે પરંપરા મુજબ અહીં દ્વારકાધીશના આતિથ્ય સાથે સાડા ત્રણ દિવસ સુધી લીલા મેળો ભરાય છે.

September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surendranagar: As many as 170 cattle compete in swimming fair
રાજ્ય

Surendranagar: તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા: ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

by Hiral Meria September 19, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surendranagar: સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લાના થાનગઢ તાલુકાના ( thangadh taluka ) તરણેતર ગામમાં ( Tarnetar ) , ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ( fair ) ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા આજે આ મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ ( cattle compete ) નિહાળી હતી અને પશુપાલકોને ( herdsmen ) પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રી મુળુભાઈએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું પરંપરાગત પૂજન કર્યું હતું. એ પછી તેમણે પશુ પ્રદર્શન ( Animal exhibition ) રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો વગેરે અંગે માહિતગાર કર્યા હતા.

આ પશુ પ્રદર્શનમાં ગીરની ગાય, જાફરાબાદી ભેંસો, પાડા વગેરે મળીને ૧૭૦ જેટલા પશુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરનો રાજનાથ નામનો ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ તકે મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજાય છે. જેમાં પશુપાલકો રાજ્યના ખૂણે-ખૂણેથી ઉચ્ચ ઓલાદનાં લક્ષણો ધરાવતા પશુઓ નિહાળી શકે છે.

પશુઓના નિભાવ અને પરિવહન પાછળ થતા ખર્ચને ધ્યાને રાખી વિજેતા પશુઓ માટે નિભાવ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત પશુના પરિવહનનો ખર્ચ પણ આપવામાં આવે છે.

સમાચાર પણ વાંચો : Morbi: મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાયો, બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ.

આ તકે વઢવાણના ધારાસભ્ય તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર કે.વી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પશુપાલન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૧૧.૩૭ લાખનાં કુલ ૨૨૦ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.૫૧,૦૦૦/- નું ઈનામ આપવામાં આવે છે.

September 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોરોના ગ્રહણ : બાંદ્રાનો લોકપ્રિય માઉન્ટ મેરી મેળો આ વર્ષે પણ રદ, ચર્ચમાં આવ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો  

by Dr. Mayur Parikh September 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર 
વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના ખતરાને જોતાં સતત બીજા વર્ષે પણ બાંદ્રાનો લોકપ્રિય માઉન્ટ મેરી મેળો રદ કરવામાં આવ્યો છે. 

મધર મેરીના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે સપ્ટેમ્બરમાં આ મેળો યોજાય છે અને સપ્તાહ સુધી ચાલતા મેળામાં તમામ સંપ્રદાયના લોકો ભાગ લે છે. મંગળવાર એટલે કે 8 સપ્ટેમ્બરના ઘણા ભક્તો વાર્ષિક તહેવાર પહેલાં પ્રાર્થના કરવા માટે માઉન્ટ મેરી બેસિલિકા પર ઊમટી પડ્યા હતા. કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. માઉન્ટ મેરી બેસિલિકા છેક ઈસ 1570ની છે, જ્યારે ખ્રિસ્તીઓ પ્રથમ વાર અહીં પ્રાર્થના કરવા આવ્યા હતા. 

અહીંનું હાલનું ચર્ચ 1904માં બંધાયું હતું. બાન્દ્રાનો આ મેળો 350 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે.1669ના જૂના દસ્તાવેજ દર્શાવે છે કે છેક 350 વર્ષ પહેલાં સેંકડો યાત્રીઓ બળદગાડાથી અહીં ઉજવણી કરવા આવતા હતા.  

જોકે 1895માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે આ મેળો રદ કરવામાં આવ્યો હતો. એ વર્ષે ગણેશોત્સવ પણ રદ કરાયો હતો.

September 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક