• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - fdi
Tag:

fdi

ED BBC India ED slaps Rs 3.44 crore penalty on BBC India for FEMA violations
Main PostTop Postદેશ

ED BBC India : BBC India ઇડીની રડાર પર, BBC ઈન્ડિયાને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ: 3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી..

by kalpana Verat February 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ED BBC India : કેન્દ્રીય તપાસ એજન્સી ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર ₹3.44 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં બીબીસીના ત્રણ ડિરેક્ટરો  ₹1.14 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ED BBC India : 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

EDના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે શુક્રવારે એક નિર્ણય આદેશ જારી કર્યો છે, જેમાં FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999 ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ 15.10.2021 પછી પાલનની તારીખ સુધી દરરોજ 5000 રૂપિયા દંડ સાથે BBC WS India પર 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં, ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીના સંચાલનની દેખરેખ રાખવામાં તેમની ભૂમિકા બદલ ડિરેક્ટરો – ગાઇલ્સ એન્ટની હંટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબન્સ પર 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ED BBC India : FEMA નું ઉલ્લંઘન

FEMA હેઠળ વિવિધ ઉલ્લંઘનો માટે 4 ઓગસ્ટ, 2023 ના રોજ BBC WS India, તેના ત્રણ ડિરેક્ટરો અને નાણાકીય વડાને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવ્યા બાદ નિર્ણયની કાર્યવાહી શરૂ થઈ. ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે 100% FDI ધરાવતી કંપની, BBC WS India, તેના FDI ને ફરજિયાત 26% મર્યાદા સુધી ઘટાડ્યા વિના ડિજિટલ મીડિયા દ્વારા સમાચાર અને વર્તમાન બાબતો અપલોડ અને સ્ટ્રીમ કરવાનું ચાલુ રાખ્યું.

આ સમાચાર પણ વાંચો : Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ

ED BBC India : FDI ને 26% સુધી મર્યાદિત કરવું જરૂરી

આ મર્યાદા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટ 4 માં નક્કી કરવામાં આવી હતી, જે મુજબ ડિજિટલ મીડિયા એન્ટિટીઓએ સરકારી મંજૂરી માર્ગ હેઠળ FDI ને 26% સુધી મર્યાદિત કરવું જરૂરી છે. ફેબ્રુઆરી 2023 માં આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેના તારણો બાદ, ED એ એપ્રિલ 2023 માં BBC India સામે FEMA તપાસ શરૂ કરી. 

આ સર્વેમાં વિવિધ બીબીસી સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવેલી આવક અને ભારતમાં તેમની કામગીરીના પ્રમાણ વચ્ચે વિસંગતતાઓ સૂચવવામાં આવી હતી, જે કેટલાક રેમિટન્સ પર કરચોરીની શક્યતા દર્શાવે છે. અત્યાર સુધી, બીબીસીએ તાજેતરના ED ચુકાદાના આદેશ અંગે કોઈ જાહેર નિવેદન બહાર પાડ્યું નથી.

February 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2025 Finance Minister Nirmala Sitharaman presented the Budget 2025-26 in Parliament.
દેશ

Union Budget 2025: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025-26 રજૂ કર્યું. અહીં વાંચો તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ
  • નવી કર વ્યવસ્થામાં પગારદાર વર્ગે વાર્ષિક ₹12.75 લાખ સુધી શૂન્ય આવક વેરો ચુકવવાનો રહેશે
  • કેન્દ્રીય અંદાજપત્રએ વિકાસના 4 એન્જિનો તરીકે કૃષિ, MSME, રોકાણ અને નિકાસને ઓળખ્યાં છે
  • 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે, ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ અંતર્ગત 100 ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને આવરી લેવામાં આવશે
  • તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને “કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન” શરૂ કરવામાં આવશે
  • સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ KCC દ્વારા રૂપિયા 5 લાખ સુધીની લોન
  • નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ 4.8% રહેવાનો અંદાજ, નાણાકીય વર્ષ 2026માં તેને ઘટાડીને 4.4% કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
  • MSMEsને ₹ 5 કરોડથી ₹ 10 કરોડ સુધી ગેરંટી કવર સાથે ક્રેડિટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
  • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય વિનિર્માણ મિશન
  • આવનારા 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે
  • હસ્તપ્રતોના સર્વેક્ષણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનમાં એક કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેવામાં આવશે
  • વીમા માટે FDIની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી
  • વિવિધ કાયદાઓમાં 100 કરતાં વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવા માટે જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરવામાં આવશે
  • અપડેટ કરેલું આવક વેરા રિટર્ન ભરવાની મુદત બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી
  • TCSની ચુકવણીમાં વિલંબનું નિરાપરાધીકરણ કરવામાં આવ્યું
  • ભાડા પરના TDSની મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધીને રૂપિયા 6 લાખ કરવામાં આવી
  • કેન્સર, દુર્લભ અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને દવાઓ પર BCD મુક્તિ
  • IFPD પર BCD 20% સુધી વધારી અને ઓપન સેલ પર 5% સુધી ઘટાડી
  • ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઓપન સેલના ભાગો પર BCDમાંથી મુક્તિ આપવામાં આવી
  • બૅટરીનું ઉત્પાદન વધારવા માટે, ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ બૅટરી વિનિર્માણ માટે વધારાના મૂડી માલ પર મુક્તિ આપવામાં આવી
  • જહાજ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ અને ઘટકો પર 10 વર્ષ માટે BCD મુક્તિ
  • ફ્રોઝન ફિશ પેસ્ટ પર લાગતો BCD 30% થી ઘટાડીને 5% અને ફિશ હાઇડ્રોલાઇસેટ પર 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો
Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે;

ભાગ – A

નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું હતું જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરે છે.

આ થીમને અનુરૂપ, નાણામંત્રીએ વિકાસ ભારતના વ્યાપક સિદ્ધાંતોની રૂપરેખા આપી હતી જેમાં નીચે ઉલ્લેખિતનો સમાવેશ થાય છે:

a) શૂન્ય ગરીબી;

b) સો ટકા સારી ગુણવત્તા સાથે શાળાકીય શિક્ષણ;

c) ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળની સુલભતા;

d) અર્થપૂર્ણ રોજગાર સાથે સો ટકા કૌશલ્યવાન શ્રમદળ;

e) આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી સિત્તેર ટકા; અને

f) ખેડૂતો આપણા દેશને ‘વિશ્વનું ખાદ્યાન્ન બાસ્કેટ’ બનાવી રહ્યા છે.

કેન્દ્રીય અંદાજપત્ર 2025-2026માં સરકાર દ્વારા વિકાસને વેગ આપવા, સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા, ખાનગી ક્ષેત્રના રોકાણોને પ્રોત્સાહન આપવા, પારિવારિક ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતના ઉભરી રહેલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના પ્રયાસોને ચાલુ રાખવાનું વચન આપવામાં આવ્યું છે. અંદાજપત્રમાં ગરીબ, યુવાનો, ખેડૂત (અન્નદાતા) અને મહિલાઓ (નારી) પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ સંબંધિત પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અંદાજપત્રનો ઉદ્દેશ્ય કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓમાં પરિવર્તનકારી સુધારાની શરૂઆત કરવાનો છે જેથી ભારતની વિકાસની ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શકે.

કૃષિ, MSME, રોકાણ અને નિકાસ એ વિકસિત ભારતની આગેકૂચમાં એન્જિનની ભૂમિકા ભજવી રહ્યાં છે એવું કેન્દ્રીય અંદાજપત્રમાં ભારપૂર્વક ટાંકવામાં આવ્યું છે, જેમાં સુધારાઓનો ઉપયોગ સમાવેશીતાની ભાવનાથી પ્રેરિત ઇંધણ તરીકે થાય છે.

આ સમાચાર પણ વાંચો:  SMR: 2033 સુધી 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત થશે, સરકારે 2025-26 બજેટમાં અધધ આટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા

Union Budget 2025: પ્રથમ એન્જિન: કૃષિ

અંદાજપત્રમાં 100 જિલ્લાઓને આવરી લેતા રાજ્યો સાથે ભાગીદારીમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ જાહેર કરવામાં આવી છે જેથી ઉત્પાદકતામાં વધારો થઈ શકે, પાક વૈવિધ્યકરણ અપનાવવામાં આવે, લણણી પછીનો સંગ્રહ વધે, સિંચાઈની સુવિધાઓમાં સુધારો થાય અને લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાને સરળ બનાવી શકાય.

કૌશલ્ય, રોકાણ, તકનીકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં અલ્પ રોજગારીની સ્થિતિને દૂર કરવા માટે તેમજ ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરીને એક વ્યાપક બહુ-ક્ષેત્રીય ‘ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં પુષ્કળ તકો ઊભી કરવાનું છે, જેમાં ગ્રામીણ મહિલાઓ, યુવા ખેડૂતો, ગ્રામીણ યુવાનો, સીમાંત અને નાના ખેડૂતો તેમજ પોતાની માલિકીની જમીન ન ધરાવતા હોય તેવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા તુવેર, અડદ અને મસૂર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષ માટે “કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન” શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ (NAFED અને NCCF) ખેડૂતો પાસેથી આગામી 4 વર્ષ દરમિયાન આ 3 કઠોળ જેટલી પણ માત્રામાં પૂરું પાડવામાં આવે તે ખરીદવા માટે તેઓ તૈયાર રહેશે.

અંદાજપત્રમાં શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ, ઉચ્ચ ઉપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન અને કપાસની ઉત્પાદકતા માટે પંચવર્ષીય મિશન જેવા પગલાંને રેખાંકિત કરવામાં આવ્યા છે જેથી કૃષિ અને તેનાથી સંલગ્ન પ્રવૃત્તિઓને મુખ્ય રીતે પ્રોત્સાહન મળી શકે.

શ્રીમતી સીતારમણે સુધારેલી વ્યાજ સહાય યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી લોન માટે લોનની મર્યાદા 3 લાખ રૂપિયા હતી તે વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4T2.jpg

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Gujarat: બજેટ 2025-26માં ગુજરાત માટે ખાસ જાહેરાત, ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો મૂકવામાં આવ્યો પ્રસ્તાવ

Union Budget 2025: બીજું એન્જિન: MSMEs

નાણાં મંત્રીએ MSME ક્ષેત્રને વિકાસ માટે બીજું પાવર એન્જિન ગણાવ્યું કારણ કે તેઓ આપણી નિકાસમાં 45% હિસ્સો ધરાવે છે. MSMEને વ્યાપકતાની ઉચ્ચ કાર્યક્ષમતા, તકનીકી અપગ્રેડેશન અને મૂડીની વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાના ઉદ્દેશ સાતે, તમામ MSMEsના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદામાં અનુક્રમે 2.5 અને 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેરંટી કવર સાથે ધીરાણની ઉપલબ્ધતા વધારવા માટેના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બનનારા લોકો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની મુદતી લોન પૂરી પાડવામાં આવશે.

શ્રીમતી સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, સરકાર ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમકડાં માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પણ એક યોજના અમલમાં મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતા રાષ્ટ્રીય વિનિર્માણ મિશનની સ્થાપના કરશે.

Union Budget 2025: ત્રીજું એન્જિન: રોકાણ

કેન્દ્રીય મંત્રીએ દેશના વિકાસની આગેકૂચમાં રોકાણને ત્રીજા એન્જિન તરીકે પરિભાષિત કરીને લોકો, અર્થતંત્ર અને આવિષ્કારમાં રોકાણને પ્રાથમિકતા આપી છે.

લોકોમાં રોકાણ હેઠળ, તેમણે જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, ભારતનેટ પરિયોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવા માટે ભારતીય ભાષાપુસ્તક યોજના અમલમાં મૂકવામાં આવશે.

આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” વિનિર્માણ માટે જરૂરી હોય તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે વૈશ્વિક કૌશલ્ય અને ભાગીદારી સાથે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

અંદાજપત્રમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પીએમ જન આરોગ્ય યોજના હેઠળ ગિગ કામદારોના ઓળખ કાર્ડ, ઇ-શ્રમ પોર્ટલ પર તેમની નોંધણી તેમજ આરોગ્ય સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં રોકાણ હેઠળ, માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો દ્વારા પીપીપી મોડમાં 3 વર્ષની પરિયોજના પાઇપલાઇન રજૂ કરવામાં આવશે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહન આપવા માટે 50 વર્ષની મુદત માટે વ્યાજ મુક્ત લોન આપવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

તેમણે નવી પરિયોજનાઓમાં રૂપિયા 10 લાખ કરોડની મૂડી પાછી મેળવવા માટે બીજી અસ્કયામત મુદ્રીકરણ યોજના 2025-૩0ની જાહેરાત પણ કરી હતી.

“જન ભાગીદરી” દ્વારા ગ્રામીણ પાઇપલાઇન પાણી પુરવઠા યોજનાની માળખાગત સુવિધાઓની ગુણવત્તા અને સંચાલન તેમજ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને જળ જીવન મિશનની મુદત 2028 સુધી લંબાવવામાં આવી છે.

‘વિકાસ કેન્દ્રો તરીકે શહેરો’, ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ અને ‘પાણી અને સ્વચ્છતા’ માટેના પ્રસ્તાવોને અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા રૂપિયા 1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ સ્થાપિત કરવામાં આવશે.

આવિષ્કાર માટે રોકાણ અંતર્ગત, ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન, વિકાસ અને આવિષ્કાર પહેલને અમલમાં મૂકવા માટે રૂપિયા 20,000 કરોડના ભંડોળની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ શહેરી આયોજનને લાભ મળી શકે એવી પાયાની ભૂ-અવકાશી માળખાકીય સુવિધાઓ અને ડેટાનો વિકાસ કરવા માટે નેશનલ જીયો સ્પેશ્યીલ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અંદાજપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રહકો સાથે મળીને 1 કરોડથી વધુ હસ્તપ્રતોના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના આદાનપ્રદાન માટે ભારતીય જ્ઞાન પ્રણાલીઓનો રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

Union Budget 2025: ચોથું એન્જિન: નિકાસ

શ્રીમતી સીતારમણે નિકાસને વિકાસનું ચોથું એન્જિન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સંચાલિત નિકાસ પ્રોત્સાહન મિશનથી MSMEને નિકાસ બજારમાં પ્રવેશવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડિજિટલ જાહેર માળખા, ‘ભારત ટ્રેડનેટ’ (BTN)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નાણાં મંત્રીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે આપણા અર્થતંત્રનું સંકલન સ્થાપિત કરવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવાના ઉદ્દેશથી સમર્થન પૂરું પાડવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકાર ઇન્ડસ્ટ્રી 4.0 સંબંધિત તકોનો લાભ લેવા માટે સ્થાનિક ઇલેક્ટ્રોનિક સાધનો ઉદ્યોગને સમર્થન આપશે. ઉભરતા ટિઅર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

સરકાર ઉચ્ચ મૂલ્યના નાશવંત બાગાયતી ઉત્પાદનો સહિત હવાઇ કાર્ગો માટે માળખાગત સુવિધાઓ અને ગોદામોના અપગ્રેડેશનની કામગીરીની સુવિધા પૂરી પાડશે.

Union Budget 2025: ઇંધણ તરીકે કામ કરતા સુધારા

સુધારાઓને એન્જિનના ઇંધણ તરીકે પરિભાષિત કરતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેમ કે ફેસલેસ આકારણી, કરદાતા અધિકારપત્ર, ઝડપી રિટર્ન, લગભગ 99 ટકા રિટર્નની સ્વ-આકારણી અને વિવાદ સે વિશ્વાસ યોજના. આ તમામ પ્રયાસો ચાલુ રાખીને, તેમણે કર વિભાગની “પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો”ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

Union Budget 2025: નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવતા, કેન્દ્રીય નાણાં મંત્રીએ ભારતમાં નાણાકીય પરિદૃશ્યની વ્યાપકતામાં ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી અનુપાલન સરળ બનાવી શકાય, સેવાઓનું વિસ્તરણ થઈ શકે, મજબૂત નિયમનકારી માહોલનું નિર્માણ થાય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણને પ્રોત્સાહન મળે તેમજ જૂની કાનૂની જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરી શકાય.

કેન્દ્રીય નાણાં મંત્રીએ વીમા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તે એવી કંપનીઓ માટે ઉપલબ્ધ બને જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે.

શ્રીમતી સીતારમણે ઉત્પાદકતા અને રોજગારીને આગળ ધરાવવા માટે સિદ્ધાંતો અને વિશ્વાસ પર આધારિત હળવાશભર્યા નિયમનકારી માળખાની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે 21મી સદી માટે અનુકૂળ હોય તેવા આ આધુનિક, લવચિક, લોકો માટે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસ આધારિત નિયમનકારી માળખાનો વિકાસ કરવા માટે ચાર ચોક્કસ પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે, જે આ મુજબ છે:

i. નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

• બધા બિન-નાણાકીય ક્ષેત્રના નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને પરવાનગીઓની સમીક્ષા કરવી.

• વિશ્વાસ આધારિત આર્થિક શાસનનું મજબૂતીકરણ કરવું અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં વધારો કરવા માટે પરિવર્તનકારી પગલાં લેવા, જેમાં ખાસ કરીને નિરીક્ષણ અને અનુપાલનની બાબતોમાં આ પગલાં લેવા.

• એક વર્ષની અંદર ભલામણો કરવી

• રાજ્યોને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

 

ii. રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક

• સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક શરૂ કરવામાં આવશે.

 

iii. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) હેઠળનું વ્યવસ્થાતંત્ર

• વર્તમાન નાણાકીય નિયમનો અને પેટાકંપની સૂચનાઓની અસરનું મૂલ્યાંકન કરવાનું વ્યવસ્થાતંત્ર.

• નાણાકીય ક્ષેત્રની તેમની પ્રતિભાવશીલતા અને વિકાસમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવું.

 

iv. જન વિશ્વાસ વિધેયક 2.0

• વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવું.

આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

Union Budget 2025: રાજકોષીય દૃઢીકરણ

કેન્દ્રીય નાણાં મંત્રીએ રાજકોષીય દૃઢીકરણ માટેનો માર્ગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું GDPની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે અને આગામી 6 વર્ષ માટેની વિગતવાર ભાવિ રૂપરેખા FRBM નિવેદનમાં આપવામાં આવી છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2024-25માં રાજકોષીય ખાધનું સુધારેલું અનુમાન GDPના 4.8 ટકા છે, જ્યારે 2025-26 માટે અંદાજપત્રીય અનુમાન GDPના 4.4 ટકા હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-011240324BSV.png

Union Budget 2025: સુધારેલા અંદાજો 2024-25

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઋણ સિવાયની કુલ આવકનો સુધારેલો અંદાજ રૂપિયા 31.47 લાખ કરોડ છે, જેમાંથી કરમાંથી થતી ચોખ્ખી આવક રૂપિયા 25.57 લાખ કરોડ છે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ ખર્ચનો સુધારેલો અંદાજ રૂપિયા 47.16 લાખ કરોડ છે, જેમાંથી લગભગ રૂપિયા 10.18 લાખ કરોડનો મૂડી ખર્ચ કરવામાં આવશે.

Union Budget 2025: અંદાજપત્રીય અંદાજો 2025-26

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂપિયા ૩4.96 લાખ કરોડ અને રૂપિયા 50.65 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. ચોખ્ખી કર આવક અંદાજે રૂપિયા 28.૩7 લાખ કરોડ રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-01124049PPTD.png

આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

ભાગ – B

રાષ્ટ્ર નિર્માણમાં મધ્યમ વર્ગ પર વિશ્વાસ દાખવીને કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં આવકવેરા સંબંધિત નવી વ્યવસ્થા હેઠળ નવા પ્રત્યક્ષ કર સ્લેબ અને દરોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના કારણે મૂડી લાભ જેવી ખાસ દરની આવક સિવાય, દર વર્ષે રૂપિયા 12 લાખ સુધીની કુલ આવક માટે, એટલે કે સરેરાશ દર મહિને રૂપિયા 1 લાખની આવક માટે કોઈ આવકવેરો ચુકવવાની જરૂર નહીં પડે. વાર્ષિક રૂપિયા 12.75 લાખ સુધીની કમાણી કરી રહેલા પગારદાર વ્યક્તિઓએ રૂપિયા 75,000ની પ્રમાણભૂત કપાતને કારણે કોઈ કરવેરો ચુકવવો નહીં પડે. નવા કર માળખા અને અન્ય પ્રત્યક્ષ કર દરખાસ્તો સામે, સરકાર લગભગ રૂપિયા 1 લાખ કરોડની આવક ગુમાવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સરકારે લોકોની જરૂરિયાતોને સમજવા માટે વિવિધ પગલાં લીધાં છે. પ્રત્યક્ષ કર દરખાસ્તોમાં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આવકવેરા સુધારા, TDS/TCSનું તર્કસંગતીકરણ, સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન તેમજ અનુપાલનના બોજમાં ઘટાડો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

અંદાજપત્રમાં નવી કર વ્યવસ્થા હેઠળ સુધારેલા કર દર માળખાનો પ્રસ્તાવ નીચે દર્શાવ્યા અનુસાર છે;

વાર્ષિક કુલ આવક કરનો દર
₹ 0 – 4 લાખ NIL
₹ 4 – 8 લાખ 5%
₹ 8 – 12 લાખ 10%
₹ 12 – 16 લાખ 15%
₹ 16 – 20 લાખ 20%
₹ 20 – 24 લાખ 25%
₹ 24 લાખ કરતાં વધુ 30%

TDS/TCSને તર્કસંગત બનાવવાના હેતુથી, અંદાજપત્રમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દ્વારા થતી કમાણી પર કર કપાતની મર્યાદા હાલમાં રૂપિયા 50,000 છે તેને વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાડા પર TDSની મર્યાદા વાર્ષિક રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી છે. અન્ય પગલાંઓ અંગર્ગત TCS વસૂલવા માટેની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે અને ફક્ત પેન (PAN) સિવાયના કિસ્સામાં જ ઉચ્ચ TDS કપાત ચાલુ રાખવામાં આવી છે. TDSની ચુકવણીમાં થતા વિલંબને નિરાપરાધીકરણમાં લાવવાની જાહેરાત કર્યા પછી, TCSની ચુકવણીમાં થતા વિલંબને પણ હવે નિરાપરાધીકરણની શ્રેણીમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Union Budget 2025: સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં કોઈપણ આકારણી વર્ષ માટે અપડેટ કરેલું રિટર્ન ફાઇલ કરવાની હાલની સમયમર્યાદા બે વર્ષ છે તેને વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે. 90 લાખથી વધુ કરદાતાઓએ તેમની આવક અપડેટ કરવા માટે વધારાનો કર ચુકવ્યો છે. નાના સખાવતી ટ્રસ્ટ/સંસ્થાઓને તેમની નોંધણીનો સમયગાળો 5 થી વધારીને 10 વર્ષ કરીને લાભ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના પરથી અનુપાલનનો બોજ હળવો થયો છે. આ ઉપરાંત, કરદાતાઓ હવે કોઈપણ શરત વિના બે સ્વ-કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્યનો દાવો શૂન્ય (NIL) તરીકે કરી શકે છે. ગયા અંદાજપત્રની વિવાદ સે વિશ્વાસ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 33,000 કરદાતાઓએ તેમના વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાનો લાભ લીધો છે. વરિષ્ઠ અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવા માટે 29 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના ખાતાઓમાંથી કરવામાં આવેલા ઉપાડને મુક્તિ આપવામાં આવી છે. NPS વાત્સલ્ય ખાતાઓને પણ આના જેવો જ લાભ મળશે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે, અંદાજપત્રમાં ત્રણ વર્ષના બ્લૉક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારોની આર્મ્સ લંબાઇ કિંમત નક્કી કરવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે. તેમજ, આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પૂરી પાડવા માટે સેલ્ફ-હાર્બર નિયમોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ સુવિધા સ્થાપિત કરતી અથવા ચલાવતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-નિવાસીઓ માટે એક પૂર્વાનુમાનિત કરવેરા વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલની ટનેજ કર યોજનાના લાભો આંતરિક જહાજોને પણ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, નિગમન (ઇનકોર્પોરેશન)નો સમયગાળો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. માળખાગત સુવિધા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ સુધી લંબાવીને 31 માર્ચ, 2030 સુધી કરવામાં આવી છે.

ઔદ્યોગિક માલસામાનના કસ્ટમ્સ શુલ્કને તર્કસંગત બનાવવાના ભાગ રૂપે, અંદાજપત્રમાં (i) સાત શુલ્ક દૂર કરવાનો, (ii) અસરકારક ડ્યૂટી ભારને જાળવી રાખવા માટે યોગ્ય સેસ (ઉપકર) લાગુ કરવાનો અને (iii) એક કરતા વધુ સેસ (ઉપકર) અથવા સરચાર્જ ન વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025: દવાઓ/મેડિસિનની આયાત પર રાહત આપવા માટે, કેન્સર, દુર્લભ રોગો અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને મેડિસિનને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળ 13 નવી દવાઓ અને મેડિસિન સાથે, 37 દવાઓ જો દર્દીઓને મફતમાં પૂરી પાડવામાં આવે તો તેને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી મુક્તિ આપવામાં આવી છે.

સ્થાનિક ઉત્પાદન અને મૂલ્યવર્ધનને સહકાર આપવા માટે, જુલાઈ 2024માં 25 એવી મહત્વપૂર્ણ ખનિજો પરથી BCDમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે ઘરેલુ રીતે ઉપલબ્ધ ન હતી. અંદાજપત્ર 2025-26માં કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બૅટરીનો ભંગાર, સીસું, ઝીંક અને અન્ય 12 મહત્વપૂર્ણ ખનિજોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. સ્થાનિક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી કાપડ મશીનરીમાં બે વધુ પ્રકારના શટલ-લેસ લૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ, નવ ટેરિફ લાઇનને આવરી લેતા ગૂંથેલા કાપડ પર BCD “10% થી 20%” હતું તેને સુધારીને “20% અથવા રૂપિયા 115 પ્રતિ કિલોમાંથી જે વધારે હોય તે” કરવામાં આવ્યું છે.”

ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને “મેક ઇન ઇન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (IFPD) પર BCD વધારીને 20% અને ઓપન સેલ (ખુલ્લા કોષો) પર 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓપન સેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, ઓપન સેલના ભાગો પર લાગતા BCDને મુક્તિ આપવામાં આવી છે.

દેશમાં લિથિયન-આયન બૅટરીના વિનિર્માણને વેગ આપવા માટે, EV બૅટરી ઉત્પાદન માટે 35 વધારાના મૂડી માલ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાના મૂડી માલને મુક્તિ આપવામાં આવેલા મૂડી માલની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજ નિર્માણ માટેના ભાગો પર BCD પર મુક્તિ બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવામાં આવી છે. અંદાજપત્રમાં કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચો પર BCD 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે જેથી તેને નોન-કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચોની સમકક્ષ બનાવી શકાય.

નિકાસને પ્રોત્સાહન આવા માટે, અંદાજપત્ર 2025-26 હસ્તકળાની નિકાસની સુવિધા પૂરી પાડવામાં આવી છે, મૂલ્યવર્ધન અને રોજગાર માટે વેટ બ્લુ ચામડા પર લાગતા BCDને સંપૂર્ણપણે મુક્તિ આપી છે, ફ્રોઝન ફિશ પેસ્ટ પર BCD 30% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે અને માછલી તેમજ ઝીંગા ફીડના ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાયસેટ પર BCD 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોકશાહી, વસ્તી વિષયકતા અને માંગ વિકસિત ભારત યાત્રાના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગ ભારતના વિકાસને મજબૂતી આપી રહ્યો છે અને તેમના દ્વારા આપવામાં આવતા યોગદાનને બિરદાવવા માટે સરકારે માટે સમયાંતરે ‘શૂન્ય કર’ સ્લેબમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રસ્તાવિત નવા કર માળખાથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં આવશે જેથી વપરાશ, બચત અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Make in India completes 10 years, growth in these sectors including foreign investment, employment. Know in detail
દેશવેપાર-વાણિજ્ય

Make In India: મેક ઈન ઈન્ડિયાને 10 વર્ષ પૂરાં, વિદેશી રોકાણ, રોજગાર સહિત આ ક્ષેત્રોમાં થઈ વૃદ્ધિ. જાણો વિગતે

by Hiral Meria September 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Make In India:  ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે સશક્ત બનાવવાનો સીમાચિહ્નરૂપ દાયકો પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવામાં, કૌશલ્ય વિકાસ વધારવામાં અને વિદેશી રોકાણને સરળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

Make In India:  અસરના 10 વર્ષ: એક સ્નેપશોટ

પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ): વર્ષ 2014થી અત્યાર સુધીમાં ભારતે વર્ષ 2014-24માં 667.4 અબજ ડોલરનો સંચિત એફડીઆઇ ( FDI )  પ્રવાહ આકર્ષ્યો છે, જે અગાઉના દાયકા (2004-14)ની સરખામણીમાં 119 ટકા વધારે છે. રોકાણનો આ પ્રવાહ 31 રાજ્યો અને 57 ક્ષેત્રોમાં ફેલાયેલો છે, જે વિવિધ ઉદ્યોગોમાં વૃદ્ધિને વેગ આપે છે. કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને બાદ કરતાં મોટા ભાગનાં ક્ષેત્રો ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા એફડીઆઇ માટે ખુલ્લાં છે. છેલ્લા એક દાયકામાં (2014-24) મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એફડીઆઈ ઇક્વિટી પ્રવાહ 165.1 અબજ ડોલરે પહોંચ્યો હતો, જે અગાઉના દાયકા (2004-14)ની તુલનામાં 69 ટકાનો વધારો દર્શાવે છે, જેમાં 97.7 અબજ ડોલરનો પ્રવાહ જોવા મળ્યો હતો.

પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના: 2020માં રજૂ કરવામાં આવેલી પીએલઆઈ યોજનાઓના પરિણામે રોકાણમાં 1.32 લાખ કરોડ રૂપિયા (16 અબજ ડોલર) અને જૂન 2024 સુધીમાં ₹10.90 લાખ કરોડ (130 અબજ ડોલર)ના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પહેલને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૮.૫ લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે.

નિકાસ અને ( Employment ) રોજગાર: નાણાકીય વર્ષ 2023-24માં ભારતની ચીજવસ્તુઓની નિકાસ 437 અબજ ડોલરને વટાવી ગઈ છે. નિકાસમાં વધારો થયો છે, જેમાં પીએલઆઈ યોજનાઓને ( PLI schemes ) કારણે વધારાના ₹4 લાખ કરોડનું સર્જન થયું છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કુલ રોજગારી 2017-18માં 57 મિલિયનથી વધીને 2022-23માં 64.4 મિલિયન થઈ ગઈ છે.

વેપાર-વાણિજ્યમાં સુગમતા : વેપાર-વાણિજ્યની ( Trade Commerce ) સ્થિતિ સુધારવા માટેની ભારતની પ્રતિબદ્ધતા, વર્ષ 2014માં 142મા ક્રમથી વધીને વર્ષ 2019માં 63મા ક્રમથી વિશ્વ બેંકનાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે. 42,000થી વધુ અનુપાલનમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 3,700 જોગવાઈઓને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવી છે. જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) કાયદો, 2023, લોકસભા  27 જુલાઈ, 2023ના રોજ અને 2 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેણે 42 કેન્દ્રીય કાયદાઓમાં 183 જોગવાઈઓને નાબૂદ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Maharashtra: આવતીકાલે PM મોદી લેશે મહારાષ્ટ્રની મુલાકાત, વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ સહિત આ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

Make In India:  ચાવીરૂપ સુધારાઓ

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ: સેમીકોન ઇન્ડિયા પ્રોગ્રામ, જેની કિંમત રૂ. 76,000 કરોડ છે, તે મૂડી સહાય અને તકનીકી સહયોગની સુવિધા દ્વારા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન પૂરું પાડવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતે સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના ( Semiconductor ecosystem ) દરેક સેગમેન્ટને ટેકો આપવા માટે નીતિઓ વિકસાવી છે, જે માત્ર ફેબ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ પેકેજિંગ, ડિસ્પ્લે વાયર, ઓએસએટી, સેન્સર્સ અને અન્ય બાબતોનો સમાવેશ કરે છે.

નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ ( NSWS ): સપ્ટેમ્બર, 2021માં શરૂ કરવામાં આવેલી આ પ્લેટફોર્મ રોકાણકારોનાં અનુભવને સરળ બનાવે છે, જેમાં 32 મંત્રાલયો/વિભાગો અને 29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મંજૂરીઓને સંકલિત કરવામાં આવી છે, જે ઝડપથી મંજૂરીઓની સુવિધા પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી ગતિશક્તિ : પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (એનએમપી) જીઆઈએસ આધારિત મંચ છે, જે સરકારનાં વિવિધ મંત્રાલયો/વિભાગોનાં પોર્ટલો ધરાવે છે, જેની શરૂઆત ઓક્ટોબર, 2021માં થઈ હતી. તે મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંકલિત આયોજન સાથે સંબંધિત ડેટા-આધારિત નિર્ણયોને સરળ બનાવવા માટે પરિવર્તનકારી અભિગમ છે, જેથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે.

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી): લોજિસ્ટિક્સ ખર્ચઘટાડવા અને કાર્યદક્ષતા વધારવાનાં ઉદ્દેશ સાથે વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલી એનએલપી ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે વધારે સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

ઔદ્યોગિક કોરિડોર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 11 ઔદ્યોગિક કોરિડોરના વિકાસને રૂ. 28602 કરોડના અંદાજિત રોકાણ સાથે 12 નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. આ કોરિડોર વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓ પ્રદાન કરીને ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે.

વન-ડિસ્ટ્રિક્ટ-વન-પ્રોડક્ટ (ઓડીઓપી): સમગ્ર ભારતમાં સ્વદેશી ઉત્પાદનો અને કારીગરીને પ્રોત્સાહન આપતી ઓડીઓપી પહેલે સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, જેમાં આ વિશિષ્ટ ઉત્પાદનો માટે પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે 27 રાજ્યોમાં યુનિટી મોલ્સની સ્થાપના કરવામાં આવી છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા : નવીનતાને પ્રોત્સાહન આપવા અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવાની ઇચ્છા સાથે સરકારે 16મી જાન્યુઆરી, 2016નાં રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ સરકાર દ્વારા સતત પ્રયાસોને પગલે 30 જૂન, 2024ના રોજ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 1,40,803 થઈ ગઈ છે, જેણે 15.5 લાખથી વધુ સીધી રોજગારીનું સર્જન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Ramleela Utsav: હવે મુંબઇમાં રામલીલા ઉત્સવનું આયોજન બનશે વધુ સરળ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની આ પહેલથી આડેના અવરોધો થયા દૂર..

ભારત સરકારે સ્થાનિક અને વિદેશી એમ બંને પ્રકારનાં રોકાણોને વેગ આપવા વિસ્તૃત અને બહુઆયામી અભિગમ અપનાવ્યો છે, જે મજબૂત અને ગતિશીલ આર્થિક વાતાવરણને પ્રોત્સાહન આપશે. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવા સીમાચિહ્નરૂપ સુધારાઓ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી માંડીને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા લાવવા અને એફડીઆઇ નીતિઓને સરળ બનાવવાના ઉદ્દેશથી દૂરગામી પગલાં લેવા સુધી, દરેક પગલું રોકાણને અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફ અગ્રેસર છે. ફેઝ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ (પીએમપી), પબ્લિક પ્રોક્યોરમેન્ટ ઓર્ડર્સ અને ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ (ક્યુસીઓ) જેવી પહેલો સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ઉત્પાદનની ગુણવત્તા વધારવા પર કેન્દ્રિત છે.

કોવિડ-19 દ્વારા ઊભા થયેલા પડકારો સામે સરકારની સક્રિય પ્રતિક્રિયા, ભારત પેકેજીસ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) અને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (એનએમપી) હેઠળ લક્ષિત રોકાણો મારફતે પ્રતિકૂળતાઓને વૃદ્ધિની તકમાં પરિવર્તિત કરી છે. ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ લેન્ડ બેંક (આઇઆઇએલબી), ઇન્ડસ્ટ્રિયલ પાર્ક રેટિંગ સિસ્ટમ (આઇપીઆરએસ) અને નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (એનએસડબલ્યુએસ) જેવા સાધનો રોકાણકારો માટે પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરે છે. વધુમાં, વિવિધ મંત્રાલયોમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ (પીડીસી) એ સુનિશ્ચિત કરે છે કે રોકાણની દરખાસ્તો ઝડપથી આગળ વધે, જે ભારતને વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો માટે વધુ આકર્ષક સ્થળ બનાવે છે. આ પ્રયાસો સામૂહિક રીતે ઉત્પાદન અને નવીનતા માટે ભારતની વધતી જતી સ્થિતિના રૂપમાં મજબૂત કરે છે.

જ્યારે ભારત તેના વિકાસના આગામી દાયકામાં આગળ વધી રહ્યું છે, ત્યારે મેક ઇન ઇન્ડિયા 2.0 સ્થિરતા, નવીનતા અને આત્મનિર્ભરતાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા, હરિત ટેકનોલોજી અને અત્યાધુનિક ઉત્પાદનમાં વ્યૂહાત્મક હસ્તક્ષેપો સાથે આ પહેલ એ સુનિશ્ચિત કરી રહી છે કે ભારતીય ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Gold Silver Price: સોનાની ચમક વધી, તહેવાર પહેલા સોનુ ઓલટાઈમ હાઈ , ચાંદીમાં કોઈ ખાસ ઘરાકી નહીં; જાણો લેટેસ્ટ રેટ..

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Prime Minister Narendra Modi met with Ms. Alina Posluszny, MD of TZMO India
દેશ

PM Narendra Modi: PM મોદીએ કરી TZMO ઇન્ડિયાના MD એલિના પોસ્લુઝ સાથે મુલાકાત ,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા..

by Hiral Meria August 23, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai   

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈવિધ્યસભર સ્વચ્છતા ઉત્પાદનોના અગ્રણી પોલિશ ઉત્પાદક TZMO ઈન્ડિયાના ( TZMO India )  એમડી સુશ્રી એલિના પોસ્લુઝની ( Alina Posluszny ) સાથે મુલાકાત કરી. 

પ્રધાનમંત્રીએ ભારતમાં લેવામાં આવી રહેલી ‘મેક ઇન ઇન્ડિયા’ ( Make in India ) ઝુંબેશ અને તાજેતરના વિદેશી સીધા રોકાણ (FDI) નીતિઓમાં ઉદારીકરણ જેવી વિવિધ નીતિઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારતમાં સમૃદ્ધ બજાર અને રોકાણની તકોને ધ્યાનમાં રાખીને TZMO ની વિસ્તરણ યોજનાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું.

Boosting business ties!

PM @narendramodi met Ms. Alina Posluszny, MD of TZMO India, a Polish manufacturer of diversified hygiene products and Mr. Gawel Lopinski, CEO of Billenium Pvt. Ltd., a leading Polish IT company. The PM highlighted the economic reforms and policy measures… pic.twitter.com/4AC1up6QkL

— PMO India (@PMOIndia) August 22, 2024

આ સમાચાર પણ વાંચોઃ   Surat Metro :  મોટી દુર્ઘટના ટળી, ગુજરાતના આ શહેરમાં મેટ્રોની મહાકાય ક્રેન ઘર પર પડી, જુઓ 12 સેકન્ડનું ભયાનક મંજર!

 શ્રીમતી પોસ્લુઝનીએ ભારતમાં ઓફર કરેલા સમર્થન અને તકો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

August 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
in-principle approval of allocation of Rs 1470 crore for road-infrastructure upgrading-strengthening of industrial areas and quarry areas of the gujarat
રાજ્ય

Gujarat Road Infrastructure: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

by Hiral Meria July 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat Road Infrastructure: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel )  રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને ( Quarry areas ) જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  

         મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ ( Department of Industries and Mines )  સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે.

         ગુજરાત ( Gujarat ) દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.

         વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની ( Vibrant Global Summit ) ફલશ્રુતિએ રાજ્યમાં મોટાપાયે ઉદ્યોગો આવતાં અપ્રતિમ ઔદ્યોગિક વિકાસ થયેલો છે.

         આવા ઉદ્યોગો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના વિઝનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક વધુ સુદ્રઢ કરવાના હેતુથી છેલ્લા બે વર્ષમાં રોડ સેક્ટરની નાણાંકીય જોગવાઈઓની ફાળવણીમાં ૮૦ ટકાથી વધુનો વધારો કરવાની પહેલ કરી છે.

         મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

         આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે. આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. 

આ સમાચાર પણ વાંચો: Express Train: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ ને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.

         ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.

         મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.

         આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

         માર્ગોના મજબૂતીકરણ અને અપગ્રેડેશન માટે નાણાં ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે ભવિષ્યમાં ઉદ્યોગો માટે રો-મટીરીયલ, ફિનિશ્ડ પ્રોડક્ટસ તેમજ મુખ્ય અને ગૌણ ખનિજોના આવા-ગમનની સરળતામાં વધારો થતાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે.

         રાજ્યમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપનાનો માર્ગ મોકળો થશે અને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતામાં ગુજરાત ‘વિકસિત ગુજરાત’ના નિર્ધારથી અગ્રીમ યોગદાન આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  Cooperation among Cooperatives: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?

July 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat leads the way in FDI inflows, 55 percent more FDI inflows in FY 2023-24
વેપાર-વાણિજ્યTop Postરાજ્ય

FDI : FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ

by Hiral Meria July 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

FDI : ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ( Ministry of Commerce and Industry ) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ( DPIIT ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં ( Gujarat ) આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. 

ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને FDI પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022,2023,2024)માં અનુક્રમે $2.7, $4.7 અને $7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ( Foreign investment ) મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે. 

ગુજરાતને સતત પ્રાપ્ત થનાર FDIના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્વિત કરી રહ્યા છે કે ગુજરાતમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.”

આ સમાચાર પણ વાંચો:  BIS: સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું અનુપાલન ફરજિયાત

FDI : ગુજરાતમાં સતત FDI પ્રવાહની વૃદ્ધિના કારણો

ગુજરાતમાં FDIના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે GIFT સિટી, સાણંદ GIDC, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી SIR પણ FDIના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત કર્યું છે. 

તે સિવાય, છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ FDIનો પ્રવાહ વધ્યો છે. ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો, જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં FDIના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે.

FDI :  FDI પ્રવાહમાં દેશના ટોચના 5 રાજ્ય

નાણાકીય વર્ષ 2024માં કુલ $15.1 બિલિયન ડોલરના FDIના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત $7.3 બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે $6.6 બિલિયન, $6.5 બિલિયન અને $3 બિલિયનના FDI ના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૬ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

July 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Foreign Direct Investment What is the role of FDI in the country's economy, why is it so important.. Know the complete history..
વેપાર-વાણિજ્ય

Foreign Direct Investment: દેશની અર્થવ્યવસ્થામાં FDનીI શું છે ભૂમિકા, કેમ છે તેનું આટલુ મહત્ત્વ.. જાણો સંપુર્ણ ઈતિહાસ..

by Bipin Mewada June 29, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Foreign Direct Investment: એફડીઆઇ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દુનિયાભરના દેશોના અર્થતંત્રને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દેશો વચ્ચે મજબૂત અને કાયમી સંબંધ બનાવે છે. વિદેશી બજારોમાં પ્રવેશ સરળ બને છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થાય છે.

નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં આવતા વિદેશી રોકાણમાં ( Foreign Investment ) છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં થોડો ઘટાડો થયો છે. એકંદરે, આ વર્ષે 44.4 અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું છે. જે ગયા વર્ષે આવેલા 46 અબજ ડોલરથી થોડી ઓછી છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં ( Economy ) અનિશ્ચિતતા અને દરેક દેશ તેના પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે બે મુખ્ય કારણો છે જેના કારણે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો થયો છે.

એફડીઆઈ ( FDI ) એટલે દેશમાં સીધા શેર દ્વારા કરવામાં આવતું રોકાણ. આ કામ કોઈ કંપનીમાં સીધા જ શેર ( Stock Market ) ખરીદીને કરી શકાય છે. વિદેશી કંપની ( foreign company  ) જે નફો કમાય છે તેનો આ એક તે ભારતમાં અન્ય રોકાણ તરફ વાળે છે. સાથે જ તેમાં કંપનીના શેર ખરીદવા સિવાય અન્ય કોઈ વસ્તુમાં રોકવામાં આવેલા પૈસાનો પણ સમાવેશ થાય છે. જેમ કે જમીન ખરીદવી કે નવા મશીન લગાવવામાં કરવામાં આવે છે.

 Foreign Direct Investment: જ્યારે એક દેશની કંપની બીજા દેશની કંપનીમાં રોકાણ કરે છે…

સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે એક દેશની કંપની બીજા દેશની કંપનીમાં રોકાણ ( Investment ) કરે છે અને તે કંપનીના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અથવા તેના પર નોંધપાત્ર નિયંત્રણ ધરાવે છે ત્યારે એફડીઆઈ થાય છે. 

1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થામાં ( Indian economy ) એફડીઆઈની શરૂઆત કરી હતી. પોતાના ઐતિહાસિક બજેટ ભાષણમાં તેમણે ભારતના અર્થતંત્રમાં ‘મોટા ફેરફારો’ લાવવાની જાહેરાત કરી હતી. આ સુધારાઓએ ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વીકરણનો માર્ગ મોકળો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Rajkot Airport : દિલ્હી બાદ વધુ એક એરપોર્ટની છત તૂટી પડી, આ હવાઈ મથક પર વરસાદ વચ્ચે થયો અકસ્માત; જુઓ વીડિયો

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ  હેઠળ ભારતમાં વિદેશી મૂડીરોકાણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી, દેશમાં રોકાણના વાતાવરણમાં નોંધપાત્ર સુધારો થયો છે. આજે ભારત ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં ટોચના 100 દેશોમાં સામેલ છે.

 Foreign Direct Investment: ભારતે વિવિધ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ પર પણ મર્યાદા નક્કી કરી છે..

શરૂઆતમાં ભારતે વિદેશી કંપનીઓને સીધું રોકાણ કરવાની મંજૂરી આપી ન હતી. ભારતે વિવિધ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ પર પણ મર્યાદા નક્કી કરી છે. ઉદાહરણ તરીકે, ઉડ્ડયન અને વીમા ક્ષેત્રોમાં, વિદેશી રોકાણની મર્યાદા હજી પણ 49% સુધી મર્યાદિત છે.

આ કાયદા હેઠળ, સરકારે કેટલાક સુધારાઓ રજૂ કર્યા હતા, જેમાં કેટલાક ઉદ્યોગોમાં 51% સુધીની વિદેશી માલિકી ધરાવતા પ્રોજેક્ટ્સને સ્વચાલિત મંજૂરીનો સમાવેશ થાય છે. 2000થી સરકારે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે હજુ વધુ માર્ગો ખોલ્યા હતા.

એક સર્વેમાં ભારતને 2012માં ચીન બાદ બીજા નંબરનું સૌથી પસંદગીનું સ્થળ ગણવામાં આવ્યું હતું, જ્યાં વિદેશી કંપનીઓ પોતાના પૈસા લગાવી શકતી હતી. આંકડાઓ અનુસાર, તે સમયગાળા દરમિયાન ભારતમાં સૌથી વધુ વિદેશી નાણાં સેવા ક્ષેત્ર, ટેલિકોમ, બાંધકામ અને કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રોમાં આવ્યા હતા. મોરેશિયસ, સિંગાપોર, અમેરિકા અને યુકે એવા દેશો હતા જ્યાંથી ભારતને સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું હતું.

Foreign Direct Investment: નાણાકીય વર્ષ 2011-12માં ભારતમાં સૌથી વધુ વિદેશી સીધું રોકાણ 35.1 અબજ ડોલર હતું….

નાણાકીય વર્ષ 2011-12માં ભારતમાં સૌથી વધુ વિદેશી સીધું રોકાણ 35.1 અબજ ડોલર હતું. જો કે થોડા વર્ષો બાદ રોકાણમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ 2015માં ભારત ચીન અને અમેરિકાને પાછળ છોડીને સૌથી મોટું વિદેશી રોકાણ સ્થળ બની ગયું હતું.

માર્ચ 2024 સુધીના લગભગ 24 વર્ષ દરમિયાન ભારતને 678 અબજ ડોલરનું વિદેશી રોકાણ મળ્યું છે. આમાંથી લગભગ અડધો ભાગ મોરેશિયસ અને સિંગાપોરનો છે. 25.31 ટકા રોકાણ મોરેશિયસ અને 23.56 ટકા સિંગાપોરથી આવ્યું છે. આ ઉપરાંત અમેરિકા, નેધરલેન્ડ અને જાપાન પણ ભારતમાં રોકાણ કરનારા ટોચના દેશોમાં સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  Mobile Number Port: 1 જુલાઈથી સિમ કાર્ડ સંબંધિત આ નિયમો બદલાશે, હવે દેશમાં સિમ પોર્ટ કરાવવું હવે સરળ નહી રહે.. જાણો વિગતે..

ગુજરાતે નાણાકીય વર્ષ 2023-24માં સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને સીધા રોકાણ માટે ૭.૩ અબજ ડોલર મળ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ 55 ટકાનો જબરદસ્ત વધારો છે. આટલા ઊંચા રોકાણને કારણે ગુજરાતે કર્ણાટક અને દિલ્હીને પાછળ છોડી દીધું છે. ગુજરાતની સફળતાનો શ્રેય મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણને આભારી છે. ઉદાહરણ તરીકે, માઇક્રોનના નવા સેમીકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવાનો નિર્ણય.

Foreign Direct Investment: કર્ણાટકમાં છેલ્લા બે વર્ષથી ઘટાડો જોવા મળી રહ્યો છે…

ગુજરાત ઉપરાંત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ એફડીઆઈ વધ્યું છે. ગત વર્ષની સરખામણીએ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 12 ટકાનો વધારો અને 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું વધતું રોકાણ છે. ફોક્સકોન અને પેગાટ્રોન જેવી કંપનીઓએ તેમની ફેક્ટરીઓ વિસ્તૃત કરી છે.

કર્ણાટકમાં છેલ્લા બે વર્ષથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે એફડીઆઈમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું કારણ સ્ટાર્ટઅપ ફંડિંગમાં આવેલી મંદી અને ટેક્નોલોજી સેક્ટરમાં પહેલેથી જ પૂરતી કંપનીઓ હોવાને કારણે થઈ રહ્યું છે. દિલ્હીમાં વિદેશી રોકાણમાં પણ 13.4 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં એફડીઆઈના મામલે દિલ્હી ચોથા નંબર પર હતું.

June 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra received the highest FDI for the second year in a row Devendra Fadnavis explained..
રાજ્યવેપાર-વાણિજ્ય

Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સૌથી વધુ FDI આવ્યું, દેવેન્દ્ર ફડણવીસે કર્યો ખુલાસો.

by Bipin Mewada June 1, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Devendra Fadnavis: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને સતત બીજા વર્ષે સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ ( FDI ) મળ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના તાજેતરના અહેવાલને ટાંકીને ફડણવીસે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે 2022-23માં FDI આકર્ષવામાં પ્રથમ આવ્યા બાદ મહારાષ્ટ્રે 2023-24માં આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.

ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે માહિતી આપતા લખ્યું હતું કે, DPIIT દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં ( Maharashtra ) ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ FDI આવી છે. અમારા શબ્દોને અનુસરવા, કામ કરવા અને અમારી જાતને સાબિત કરવા માટે હિંમતની જરૂર હોય છે. પરંતુ માત્ર બકવાસ બોલવાથી આ હિંમત નથી મળતી. તેથી સતત બીજા વર્ષે, મહારાષ્ટ્ર પછી નંબર પર છે. સૌથી વધુ FDI આકર્ષવામાં 1, મહારાષ્ટ્ર ફરી એકવાર ટોચ પર છે.

આ સમાચાર પણ વાંચો:  Hardik Pandya Net Worth: હાર્દિક પંડ્યા દર મહિને કેટલી કમાણી કરે છે? તેની કુલ સંપત્તિ કેટલી છે? જો 70% મિલકત નતાશાને આપવામાં આવે તો શું થશે હાર્દિકનું..

Devendra Fadnavis: નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યમાં 1,18,422 કરોડ રૂપિયાનું FDI આવ્યું હતું…

નાયબ મુખ્યમંત્રીએ ( Deputy Chief Minister ) વધુમાં કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યમાં 1,18,422 કરોડ રૂપિયાનું FDI આવ્યું હતું. જ્યારે 2023-24માં તે વધીને 1,25,101 કરોડ રૂપિયા થઈ ગયું હતું. તેમણે દાવો કર્યો હતો કે વર્તમાન નાણાકીય વર્ષમાં મેળવેલ રોકાણ ગુજરાતને મળેલા કુલ રોકાણ ( investment ) કરતાં બમણા કરતાં વધુ છે અને બીજા ક્રમે રહેલા ગુજરાત અને ત્રીજા ક્રમે આવેલા કર્ણાટકના કુલ રોકાણ કરતાં પણ વધુ છે.

‘X’ પર ફડણવીસ દ્વારા શેર કરાયેલ DPIIT રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રે 2021-22માં રૂ. 1,14,964 કરોડનું વિદેશી રોકાણ ( Foreign investment ) આકર્ષ્યું હતું, જ્યારે કર્ણાટકમાં રૂ. 1,63,964 કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત થયું હતું

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The country's space sector will now become self-sufficient! The Cabinet has relaxed these rules of FDI for making satellites..
દેશ

Space Sector: દેશનું અવકાશ ક્ષેત્ર હવે આત્મનિર્ભર બનશે! કેબિનેટે સેટેલાઇટ બનાવવા માટે FDIના આ નિયમોમાં આપી છૂટ..

by Bipin Mewada February 22, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai    

Space Sector: સ્પેસ સેક્ટરમાં વધુને વધુ વિદેશી કંપનીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ( Central Government ) ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ( FDI ) ના નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેરફાર પછી, સેટેલાઇટ પેટા-ક્ષેત્રોને ( satellite sub-regions ) ત્રણ અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને દરેક ક્ષેત્ર માટે વિદેશી રોકાણની ( foreign investment ) મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. હાલમાં, સેટેલાઇટ ઇન્સ્ટોલેશન ( Satellite installation  ) અને ઓપરેશન સંબંધિત સ્પેસ સેક્ટરમાં એફડીઆઈની મર્યાદા માત્ર સરકારી માર્ગ દ્વારા 100 ટકા છે.

પોલિસીમાં થયેલા ફેરફારોની વાત કરીએ તો, આ અંતર્ગત સ્પેસ સેક્ટરમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે FDI મર્યાદા નક્કી કરવામાં આવી છે. સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ અને ઑપરેશન, સેટેલાઇટ ડેટા પ્રોડક્ટ્સ અને ગ્રાઉન્ડ અને યુઝર સેગમેન્ટ્સની જેમ, 74% સુધી એફડીઆઈની મંજૂરી છે. જો આનાથી વધુ રોકાણ મર્યાદા હશે તો તેના માટે સરકારની મંજૂરી લેવી પડશે.

એ જ રીતે, પ્રક્ષેપણ વાહનો અને સંલગ્ન પ્રણાલીઓ અથવા સબ-સિસ્ટમ સાથે સ્પેસપોર્ટના નિર્માણ માટે, ઓટોમેટિક રૂટ હેઠળ 49% સુધી એફડીઆઈની પરવાનગી છે. આનાથી વધુ રોકાણ માટે સરકારની મંજૂરી લેવી પડશે. જ્યારે, સેટેલાઇટ સિસ્ટમ્સ અને સબ-સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ અને યુઝર સેગમેન્ટ્સ માટે 100% રોકાણ લઈ શકાય છે.

 ખાનગી ક્ષેત્રની આ વધેલી ભાગીદારી રોજગારમાં વધારો કરશે..

ભારતીય અવકાશ નીતિ 2023 ના બદલાયેલા નિયમો હેઠળ, તે અવકાશ ક્ષેત્રમાં દેશની શક્તિઓને સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક, સર્વગ્રાહી અને ગતિશીલ માળખા તરીકે બનાવવામાં આવી હતી. આ નીતિનો ઉદ્દેશ અવકાશ ક્ષમતાઓને વધારવાનો અને અવકાશમાં સફળ વ્યાવસાયિક હાજરી વિકસાવવાનો છે. ટેક્નોલોજી ડેવલપમેન્ટ તરીકે જગ્યાનો ઉપયોગ કરીને સંબંધિત ક્ષેત્રોમાં લાભ મેળવો. આ સિવાય આંતરરાષ્ટ્રીય સંબંધોને આગળ વધારવું અને સારી અવકાશ ઇકોસિસ્ટમ બનાવવી છે.

આ સમાચાર પણ વાંચો :  Model Tania Singh Suicide Case: ફેમસ મોડલ તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં, પોલીસે હવે આ IPL સ્ટાર બેટ્સમેનને સમન્સ પાઠવ્યું

વર્તમાન એફડીઆઈ નીતિ મુજબ, ઉપગ્રહોની સ્થાપના અને સંચાલનને માત્ર સરકારની પરવાનગી દ્વારા જ એફડીઆઈ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. ભારતીય અવકાશ નીતિ 2023 હેઠળ, કેન્દ્રીય મંત્રીમંડળે વિવિધ પેટા-ક્ષેત્રો/પ્રવૃત્તિઓ માટે ઉદાર FDI મર્યાદા નક્કી કરીને અવકાશ ક્ષેત્ર સંબંધિત નીતિને સરળ બનાવી છે.

ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધવાથી આ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી થશે. તેમજ ભારત અવકાશ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બની શકશે. ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલને પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે સ્પેસ ડિપાર્ટમેન્ટે FDI પોલિસીમાં સુધારા તૈયાર કરવા માટે ઘણી સંસ્થાઓ અને નિષ્ણાતોની સલાહ લીધી હતી. IN-SPACE, ISRO , NSIL અને વિવિધ અવકાશ ઉદ્યોગોના નિષ્ણાતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. FDI મર્યાદાના ઉદારીકરણથી આ ઉદ્યોગમાં વિશ્વાસ વધશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્ત્રોતોમાંથી રોકાણ આકર્ષશે તેવી અપેક્ષા છે.

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Haryana This most dangerous weapon in the world will be made in Haryana.. Know what this weapon is
દેશ

Haryana: હરિયાણામાં બનશે દુનિયાનું આ સૌથી ખતરનાક હથિયાર.. જાણો શું છે આ હથિયાર..વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 6, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Haryana: સ્વીડિશ કંપની ( Sweden Company ) SAABએ ભારત ( India ) માં સંરક્ષણ ક્ષેત્ર ( Defence Sector ) માં પ્રથમ 100 ટકા FDI મળ્યું છે. આ કંપની હરિયાણા (Haryana) માં પોતાની ફેક્ટરી સ્થાપે તેવી શક્યતા છે. જ્યાં દુનિયાનું સૌથી ખતરનાક એન્ટી ટેન્ક હથિયાર ( Anti-tank weapon ) બનાવવામાં આવશે. આ હથિયારનું નામ કાર્લ ગુસ્તાફ એમ4 ( Carl Gustaf M4 ) છે. જો તે રોકેટ લોન્ચર હોય તો તેને કહેવામાં આવે છે રાઈફલ.

જો આ હથિયાર ભારતમાં બને તો ઘણા ફાયદા થશે. કાર્લ ગુસ્તાફ M4 એક રીકોઈલલેસ રાઈફલ છે. આ વેપન સિસ્ટમ સાબ (SABB) ની નવી સબસિડિયરી કંપની સાબ એફએફવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. આ કંપની પહેલીવાર સ્વીડનની બહાર મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જઈ રહી છે.

સાબના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જ્યોર્જન જોહાન્સને કહ્યું કે અમે કાર્લ ગુસ્તાફ M4 રોકેટ લોન્ચરની ટેક્નોલોજી ભારતને ટ્રાન્સફર કરીશું. ભારતમાં બનેલું પહેલું  ( Made in India ) હથિયાર 2024માં તૈયાર થઈ જશે. ભારતીય સેનાએ પહેલાથી જ સાબ પાસેથી M4 વેરિઅન્ટનો ઓર્ડર આપ્યો છે. ભારતના ઉત્પાદનનો મોટો હિસ્સો પહેલા ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોને આપવામાં આવશે.

કાર્લ ગુસ્તાફ M4નું ઉત્પાદન 2014માં થયું હતું..

હથિયારોને સ્વીડન પણ લઈ જવામાં આવશે અને ત્યાંથી તેની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીલ કરવામાં આવશે. કાર્લ ગુસ્તાફ એમ4 રાઈફલને ખભા રાખીને ચલાવવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે. M1 1946માં બનાવવામાં આવ્યું હતું. M2 1964માં બનાવવામાં આવ્યું હતું. M3 1986માં બનાવવામાં આવ્યું હતું.

ભારતીય સેના પાસે આ પ્રકારના હથિયાર પહેલેથી જ છે. તેનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. M3 ભારતમાં મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ અને એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવે છે. ભારતનું ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ ભારતમાં જ કાર્લ ગુસ્તાફ એમ3નું ઉત્પાદન કરી રહ્યું છે. તેની રેન્જ 1200 મીટર છે. ભારતમાં પણ તેને બનાવવાનું કામ ચાલુ રહેશે.

કાર્લ ગુસ્તાફ M4નું ઉત્પાદન 2014માં થયું હતું. આ વિશ્વના સૌથી અદ્યતન રોકેટ લોન્ચરમાંનું એક છે. તેનું વજન 6.6 કિલો છે. લંબાઈ 37 ઇંચ છે. તેને ચલાવવા માટે બે લોકોની જરૂર છે. એક ગનર અને બીજો લોડર. તે 84 મીમી વ્યાસ અને 246 મીમી લાંબા રોકેટનો ઉપયોગ કરે છે. તે એક મિનિટમાં 6 રાઉન્ડ ફાયર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Chief Information Commissioner : રાજસ્થાનના હીરાલાલ સામરિયાએ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ ગ્રહણ કર્યા.. જાણો કોણ છે હીરાલાલ સામારિયા.. વાંચો વિગતે અહીં..

આ રોકેટ લોન્ચરથી ફાયરિંગ કર્યા પછી, તેના શેલો મહત્તમ 840 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપે વાર કરવા આગળ વધે છે. એટલે કે 918 કિમી પ્રતિ સેકન્ડની ઝડપ. જો દુશ્મન ચાલતા વાહનમાં હોય તો તેની ચોક્કસ રેન્જ 400 મીટર છે. જો ધુમાડો અને ઉચ્ચ વિસ્ફોટક શેલનો ઉપયોગ કરવામાં આવે તો રેન્જ 1000 મીટર છે. જો રોકેટ બુસ્ટેડ લેસર ગાઈડેડ હથિયારો છોડવામાં આવે તો અસ્ત્ર 2000 મીટર સુધી જાય છે.

 સાબ કંપનીના કાર્લ ગુસ્તાફ એમ ફોરએ સૈનિકોને આપવામાં આવશે…

કાર્લ ગુસ્તાફ M4 10 પ્રકારના શસ્ત્રોથી સજ્જ થઈ શકે છે. એટલે કે સિંગલ વેપન સિસ્ટમથી દુશ્મન પર દસ પ્રકારના હથિયારો ફાયર કરી શકાય છે. એન્ટિ પર્સનલ HE અને ADM, સપોર્ટ વોરહેડ એટલે કે સ્મોક, ઇલમ, હીટ, એન્ટી આર્મર હીટ 551, 551C, 751. આ સિવાય, મલ્ટી રોલ એન્ટી સ્ટ્રક્ચર વોરહેડમાં ASM 509, MT 756, HEDP 502, 502 RSનો સમાવેશ થાય છે. તેમનું વજન હોઈ શકે 1.7 કિગ્રા સુધીનું રહેશે.

ભારતમાં બનેલ સાબ કંપનીના કાર્લ ગુસ્તાફ એમ ફોરએ (M4A) સૈનિકોને આપવામાં આવશે, જેઓ ચીનની સરહદ નજીક એલએસી પર તૈનાત છે. આનો અર્થ એ છે કે ચીન ક્યારેય નજીકની લડાઇનો પ્રયાસ કરી શકશે નહીં. ગોર્ગેન જોહાન્સને કહ્યું કે માત્ર હથિયાર જ નહીં પરંતુ તેના પાર્ટ્સ પણ ભારતમાં બનાવવામાં આવશે.

ગોર્ગેન જોહાન્સને કહ્યું કે અમે ભારતમાં અત્યાધુનિક અને સ્ટેટ ઓફ ધ આર્ટ હથિયારો બનાવીશું. ભારતીય સેનાને ભારતમાં બનેલી કાર્લ ગુસ્તાફ M4 રોકેટ લોન્ચર સિસ્ટમ મળશે. તેનાથી ભારતના યુવાનોને રોજગારી મળશે. કન્સ્ટ્રક્શનથી લઈને રિપેરિંગ, પ્રોડક્શનથી લઈને સર્વિસિંગ. તમામ કામ અહીં થશે.

November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક