• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - finance minister
Tag:

finance minister

On GST Day, the new logo of the State Tax Department was unveiled by Finance Minister Shri Kanubhai Desai.
ગાંધીનગર

1 July GST Day: તા. ૧ જુલાઈ – GST દિવસના રોજ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું

by kalpana Verat July 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

1 July GST Day: ગાંધીનગર ખાતે આજે તા. ૧ જુલાઈ – GST દિવસ નિમિત્તે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીશ્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ અવસરે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નાણા વિભાગ દ્વારા રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારાઓ લાવવા માટે કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને વિશ્વાસની સ્થાપના, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ (પાલનની સરળતા) અને ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગ દ્વારા વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

1 July GST Day: રાજ્ય કર વિભાગના નવા લોગોની વિશેષતા:

રાજ્ય કર વિભાગનો નવો લોગો વિભાગની વિકસતી ઓળખને સ્પષ્ટપણે રજૂ કરે છે. આ લોગો પારદર્શિતા, ટેક્નોલોજી-આધારિત સુધારાઓ અને ‘નાગરિક પ્રથમ’ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે. આ લોગો ડિજિટલ શાસનના યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ અને કરદાતા-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેના વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે.

આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે. લોગોમાં દર્શાવેલ વાદળી રંગ કમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવે છે. જ્યારે, સોનેરી રંગ કરવેરા (Taxation) અને વિકાસનું પ્રતિક છે. આ નવો લોગો નાણા વિભાગની આધુનિક અને જન-કેન્દ્રિત શાસન પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે.

આ સમાચાર પણ વાંચો Aarogya Samiksha Kendra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું નેશનલ ડોક્ટર્સ ડે એ લોકાર્પણ કર્યું

1 July GST Day: રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ:

રાજ્ય કર વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિક અહેવાલ નાણા વિભાગની કાર્યક્ષમતા, આવક, સુધારાઓ અને વિવિધ મહત્વપૂર્ણ માપદંડો પર કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીનું દસ્તાવેજીકરણ કરે છે. આ અહેવાલ વિભાગની પ્રગતિ સ્પષ્ટ રીતે દર્શાવે છે.

આજે GST દિવસના પ્રસંગે રાજ્ય કર વિભાગે જવાબદારી, નવીનતા અને જનસહભાગિતાની પ્રતિબદ્ધતાને પુનઃ દ્રઢ કરી છે અને વિકસિત ભારતના સામૂહિક પ્રયાસોમાં વિભાગની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.

આ લોગો અનાવરણ પ્રસંગે નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનો, નાણાં વિભાગના સચિવ શ્રી આરતી કંવર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Import Duty Electric Vehicle Government Removes Import Duty on Electric Vehicle Batteries and Mobile Parts
વેપાર-વાણિજ્ય

Import Duty Electric Vehicle: સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર આયાત શુલ્ક ખસેડવામાં આવ્યો.

by kalpana Verat March 26, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Import Duty Electric Vehicle:કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) બેટરી અને મોબાઇલ (Mobile) પાર્ટ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 35 ઉત્પાદનો પર આયાત શુલ્ક દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ ફોન (Mobile Phone) બનાવતી કંપનીઓને મોટી રાહત મળશે. મંગળવારે આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

Import Duty Electric Vehicle: ઇલેક્ટ્રિક વાહન બેટરી માટે આયાત શુલ્ક ખતમ થયો

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને નિકાસ સ્પર્ધાને મજબૂત બનાવવામાં મદદ મળશે. આ વ્યાપક શુલ્ક ઘટાડાનો એક ભાગ છે, જેનાથી ટેરિફના સંભવિત પ્રભાવને ઘટાડવામાં મદદ મળશે.

Import Duty Electric Vehicle: મોબાઇલ પાર્ટ્સ માટે પણ રાહત

 મોબાઇલ ફોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 28 ઉત્પાદનો પર પણ હવે કોઈ આયાત શુલ્ક નહીં લાગે. આ નિર્ણયથી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મોટી રાહત મળશે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

આ સમાચાર પણ વાંચો: US Tariff Steel Aluminum Imports: ટ્રમ્પે ફરી ચલાવ્યો ટેરિફ ચાબુક, હવે આ વસ્તુઓની આયાત પર લાદ્યો 25% ટેરિફ…

Import Duty Electric Vehicle: અમેરિકાના ટેરિફના પ્રભાવને ઘટાડવા માટેનો પ્રયાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા 2 એપ્રિલથી રિસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર યુદ્ધની સંભાવના છે. ભારતે અમેરિકન ઉત્પાદનો પર લાગતા આયાત શુલ્કમાં છૂટ આપવાની સંકેત આપી છે. આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rashtriya Raksha University will celebrate its fourth convocation ceremony.
ગાંધીનગર

Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરશે

by Akash Rajbhar January 10, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તે સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરના 12:00 કલાકથી તેનો ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. આ કાર્યક્રમ યુનિવર્સીટીના લવાડ-દહેગામ (ગાંધીનગર, ગુજરાત) કેમ્પસ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં  માનનીય કેન્દ્રીય નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ મુખ્ય અતિથી તરીકે હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાત સરકારના માનનીય નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ, મંત્રી શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ અતિથિ વિશેષ તરીકે હજાર રેહશે.

આરઆરયુને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે આરઆરયુને ઉલ્લેખિત કરવામાં આવી છે, જે ગૃહ મંત્રાલય દ્વારા અમૃતકાળ દરમિયાન આ આંતરિક સુરક્ષા, સુધારાત્મક વહીવટ અને પોલીસિંગના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવે તે માટે બનાવવામાં આવી હતી.

દીક્ષાંત સમારોહ આશરે 447 વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમને આ મહત્વપૂર્ણ અવસર દરમિયાન તેમના સ્નાતક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ પ્રસગ સ્નાતક વર્ગમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સમર્પણની ઉજવણી તરીકે સેવા આપે છે.

આ સમાચાર પણ વાંચો :Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનારની ધરપકડ કરી

પુરસ્કાર મેળવનારનું વિસ્તરણ

સમારંભ દરમિયાન RRU સ્નાતકોના વિવિધ જૂથને ડિગ્રીઓ એનાયત કરશે:

  • પીએચડી ડિગ્રી: કુલ 3 વિદ્યાર્થીઓને તેમના વ્યાપક સંશોધન યોગદાન અને શૈક્ષણિક સિદ્ધિઓને માન્યતા આપીને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે.
  • ગોલ્ડ મેડલિસ્ટ: પીએચડી પ્રાપ્તકર્તાઓ ઉપરાંત, 13 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન તેમના અસાધારણ પ્રદર્શન માટે સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે ઓળખવામાં આવશે.
  • નૌકાદળના અધિકારીઓ: 11 નૌકાદળના અધિકારીઓ તેમના ડિપ્લોમા/PG ડિપ્લોમા પ્રાપ્ત કરશે, સશસ્ત્ર દળોમાં સેવા આપતી વખતે તેમના શિક્ષણને આગળ વધારવા માટે તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાને સ્વીકારશે.
  • વિવિધ શૈક્ષણિક પ્રવાહો: બાકીના સ્નાતકો RRU ખાતે ઓફર કરવામાં આવતા વિવિધ શૈક્ષણિક પ્રવાહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ અભ્યાસ સાથે સંબંધિત ક્ષેત્રોમાં વ્યાપક શિક્ષણ પ્રદાન કરવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

RRU આ યુવા વિદ્વાનોના જીવનમાં આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણીમાં જોડાવા માટે ફેકલ્ટી સભ્યો, સ્નાતકોના પરિવારો અને રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિ સમુદાયના સભ્યો, પ્રેસ, મીડિયા સહિત તમામ હિતધારકોને આમંત્રિત કરે છે. પ્રેસ અને મીડિયાના સભ્યોને આ પ્રતિષ્ઠિત ઇવેન્ટને કવર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે કારણ કે અમે અમારા સ્નાતકોની મહેનત અને સમર્પણની ઉજવણી કરીએ છીએ.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે:

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુરક્ષા અભ્યાસ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવા માટે સમર્પિત છે. RRUનો હેતુ સમકાલીન સુરક્ષા પડકારોને સંબોધવા માટે જ્ઞાન અને કુશળતાથી સજ્જ કુશળ વ્યાવસાયિકો વિકસાવવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nitin GadkariNitin Gadkari urges FM Nirmala Sitharaman to remove 18 per cent GST on life, medical insurance premiums
વેપાર-વાણિજ્ય

Nitin Gadkari: લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર GST હટાવવાની માગ, આ કેન્દ્રીય મંત્રી એ નિર્મલા સીતારમણને લખ્યો પત્ર..

by kalpana Verat July 31, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Nitin Gadkari: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ( Nirmala Sitharaman ) ને પત્ર લખ્યો છે. અહેવાલ છે કે આ પત્રમાં તેમણે જીવન વીમા અને તબીબી વીમા પ્રિમીયમ ( Insurance premium ) પર 18 ટકા GST હટાવવાની અપીલ કરી છે. પત્રને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નીતિન ગડકરીએ કહ્યું કે GST એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા સમાન છે. તેનાથી આ સેક્ટરનો ગ્રોથ અટકી જશે.

Nitin Gadkari: આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાના સૂચનને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવા વિનંતી છે, કારણ કે તે વરિષ્ઠ નાગરિકો માટે બોજારૂપ બની જશે. તેવી જ રીતે, આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST આ સેગમેન્ટના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે જે સામાજિક રીતે આવશ્યક છે.

નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયને તેમને આ મુદ્દાઓ પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. ગડકરીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે યુનિયન માને છે કે વ્યક્તિ પરિવારને કેટલીક સુરક્ષા પૂરી પાડવા માટે જીવનની અનિશ્ચિતતાના જોખમને આવરી લે છે. આ જોખમ સામે કવર માટે તે જે પ્રીમિયમ ખરીદે છે તેના પર તેને ટેક્સ લગાવવો જોઈએ નહીં.

આ સમાચાર પણ વાંચો :  પીયૂષ ગોયલે તેમના મતવિસ્તારમાં આવેલી આ BMC હોસ્પિટલોની લીધી મુલાકાત, અને હોસ્પિટલની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરી.. જાણો વિગતે..

Nitin Gadkari:અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત

નીતિન ગડકરીએ તેમના પત્રમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુનિયન દ્વારા જીવન વીમા દ્વારા બચતની સારવાર, તબીબી વીમા પ્રીમિયમ માટે IT કપાતની પુનઃ રજૂઆત અને જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓના એકીકરણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રુવહન મંત્રીની અપીલમાં વીમા ક્ષેત્રના અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઊંચા GST દરોને કારણે આવતી અવરોધોનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આ મુદ્દે શું પગલાં લે છે અને આ ક્ષેત્રના વિકાસ અને સામાજિક સુરક્ષા માટે જરૂરી વીમા પ્રિમિયમ પર GSTમાં કોઈ રાહત મળી શકે છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે.

Nitin Gadkari: બજેટની અનેક પક્ષો દ્વારા ટીકા

મહત્વનું છે કે કેન્દ્રીય નીતિન ગડકરીએ નાણામંત્રીને આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ ( Budget 2024 )ની અનેક પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે વિપક્ષે કેન્દ્ર પર તેના મુખ્ય સાથી પક્ષો TDP અને JDU શાસિત રાજ્યો પ્રત્યે ઉદાર હોવાનો આરોપ મૂક્યો છે, ત્યારે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વિભાગે પગારદાર વર્ગ માટે ઊંચા કર દરો તરફ ધ્યાન દોર્યું છે. વિપક્ષના આરોપોને ફગાવી દેતા નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્રએ તમામ રાજ્યોને ભંડોળ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે જો બજેટ ભાષણમાં કોઈ રાજ્યનું નામ ન લેવાય તો તેનો અર્થ એ નથી કે તેને આવરી લેવામાં આવ્યું નથી.
 

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2024 Bihar And Andhra Pradesh Get Major Funding
India Budget 2024દેશરાજ્ય

Union Budget 2024: જેમના સમર્થનથી બનાવી સરકાર, તેમના માટે ખૂલ્યા ભંડાર; આંધ્રપ્રદેશ-બિહાર પર પૈસા-પ્રોજેક્ટનો વરસાદ. જાણો શું મળ્યું..

by kalpana Verat July 23, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે  (Union Finance Minister) આજે સતત સાતમી વખત દેશનું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે   (Nirmala Sitharaman) લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરી છે. મોદી સરકારે બજેટ 2024 ભાષણમાં બિહાર માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ યોજનાઓ “પૂર્વોદય” નામની મોટી યોજનાનો એક ભાગ છે, જે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના પૂર્વ રાજ્યોના સર્વાંગી વિકાસને આવરી લે છે.

Union Budget 2024: બિહાર માટે મોટી જાહેરાત

નાણામંત્રીએ બિહારને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે બિહારમાં રોડ, વીજળી અને રેલવેનું નેટવર્ક બિછાવવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં નવી મેડિકલ કોલેજ અને એરપોર્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ વૈશાલી-બોધગયા એક્સપ્રેસવે, પટના-પૂર્ણિયા એક્સપ્રેસવેને લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ગંગા પર બે નવા પુલ પણ બનાવશે.

નાણામંત્રીએ કહ્યું કે બિહારમાં વિકાસ કાર્યો માટે 26 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહારમાં પૂરની આફત માટે 11 હજાર 500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે પીરપેઈન્ટીમાં 2400 મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. 21,400 કરોડનો ખર્ચ થશે.

Union Budget 2024: આંધ્રપ્રદેશને શું મળ્યું?

 બિહાર ઉપરાંત આંધ્રપ્રદેશ માટે નાણામંત્રી ના પિટારામાંથી 15 હજાર કરોડ રૂપિયા નીકળ્યા. આંધ્રપ્રદેશને વિશેષ આર્થિક મદદ આપવામાં આવશે. આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના નિર્માણ માટે બજેટ 2024માં 15,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આંધ્રપ્રદેશના ભંડોળની જરૂરિયાતને સમજીને સરકાર વિવિધ વિકાસ એજન્સીઓ દ્વારા મદદ કરશે. 15 હજાર કરોડ આપવામાં આવશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ પુનઃનિર્માણ કાયદા હેઠળ રાજ્યને વધારાની રકમ પણ આપવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો  : Union Budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાઈ મહત્વની જાહેરાતો; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું

Union Budget 2024: પોલાવરમ પ્રોજેક્ટ માટે આંધ્રપ્રદેશને મદદ મળશે

નાણાપ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને ધિરાણ અને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. પોલાવરમ પ્રોજેક્ટથી આંધ્રપ્રદેશના ખેડૂતોને ફાયદો થશે.

Union Budget 2024: બિહાર-આંધ્ર સાથે અન્ય રાજ્યોને શું મળ્યું?

કેન્દ્ર સરકાર બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ‘પૂર્વોદય’ યોજના લાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પૂર્વીય ક્ષેત્રમાં વિકાસ માટે ઔદ્યોગિક કોરિડોરને સમર્થન આપશે. આ સિવાય સરકાર દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને સીધા જ ઈ-વાઉચર આપશે, જેમાં લોનની રકમ પર ત્રણ ટકા વ્યાજ સબસિડી પણ સામેલ હશે.

July 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Modi 3.0 Budget Finance Minister Nirmala Sitharaman will present the entire budget of the country on this day, not on July 1! .
વેપાર-વાણિજ્યMain PostTop Postદેશ

Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ નહીં, આ દિવસે રજૂ કરશે દેશનું સંપુર્ણ બજેટ! ..

by Bipin Mewada June 14, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Modi 3.0 Budget: દેશમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી પણ કરવામાં આવી ગઈ છે. જેમાં આ વખતે પણ નિર્મલા સીતારમણને ( Nirmala Sitharaman ) નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. જો કે, મોદી 3.0 નું પ્રથમ સંપૂર્ણ બજેટ આ વખતે 1 જુલાઈએ રજૂ થવાની અપેક્ષા નથી, તેના બદલે તે હવે જુલાઈ 2024 ના મધ્યમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.  

નાણા મંત્રાલય ( Finance Ministry ) સાથે સંકળાયેલા સૂત્રોએ મિડીયાને જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર (  central government ) જુલાઈના મધ્ય સુધીમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે તેનું સંપૂર્ણ બજેટ ( Budget 2024 ) રજૂ કરી શકે છે. આ માટે આગામી સપ્તાહથી મેરેથોન બેઠકોનો રાઉન્ડ પણ શરૂ થશે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય 17 જૂન સુધીમાં વિવિધ મંત્રાલયો અને હિતધારકો સાથે તેની પ્રી-બજેટ મીટિંગ શરૂ કરી શકે છે. મિડીયા અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર કદાચ તેના વિકાસના એજન્ડાને ચાલુ રાખશે અને વધારાના ખર્ચ માટેની હાલ તકો શોધી શકે છે.

 Modi 3.0 Budget: બીજા સત્રમાં આર્થિક સર્વેની રજૂઆત સાથે નાણાકીય વર્ષ 25નું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકાય છે. ..

ઉલ્લેખનીય છે કે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજુજુ ( kiren rijiju ) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ પણ સૂચવે છે કે બજેટ જુલાઈના મધ્યમાં રજૂ થઈ શકે છે. કિરેન રિજુજુએ પોતાના ટ્વિટરમાં લખ્યું છે હવે બીજા સત્રમાં જલ્દી જ  બજેટ રજૂ થઈ શકે છે.

આ સમાચાર  પણ વાંચો:  T20 World Cup 2024: શું પાકિસ્તાન સુપર-8માં નહીં પહોંચી શકશે? શું આજે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે?? હવે ICC બની શકે છે એકમાત્ર આધાર… જાણો શું છે આ સમીકરણ..

સત્રનું આ શેડ્યૂલ દર્શાવે છે કે, બીજા સત્રમાં આર્થિક સર્વેની રજૂઆત સાથે નાણાકીય વર્ષ 25નું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકાય છે. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી આગામી બજેટ વિશે કોઈ માહિતી શેર કરી નથી. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. વાસ્તવમાં, નાણામંત્રી ( Finance Minister ) તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 

 

June 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
I don't have money to contest elections, Finance Minister Nirmala Sitharaman said why she is not contesting Lok Sabha elections..
દેશરાજકારણલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024: મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી કેમ નથી લડી રહ્યા..

by Bipin Mewada March 28, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પક્ષો તેમની ઉમેદવારી યાદી જાહેર કરી રહ્યા છે. તેમજ તમામ પાર્ટીઓ વિપક્ષોને હરાવવા કમર કરી રહ્યા છે. આવા સમયે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman )  બુધવારે નિવેદન આપતા કહ્યું હતું કે, તેમણે ભારતીય જનતા પાર્ટી ( BJP ) ના ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો, એમ કહીને કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી સંસાધનો નથી. તેમજ ચૂંટણી લડવા માટે પર્યાપ્ત નાણું નથી. 

નાણામંત્રીએ કહ્યું કે ભાજપના ( BJP  ) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. ભાજપના નેતા સીતારમણે ટાઈમ્સ નાઉ સમિટ 2024માં નિવેદન આપતા કહ્યું હતું કે, એક અઠવાડિયા કે દસ દિવસ સુધી વિચાર્યા પછી, મેં જવાબ આપ્યો… ના. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મને આંધ્ર પ્રદેશ કે તમિલનાડુમાં જીતવા માટેના વિવિધ માપદંડોના પ્રશ્નમાં પણ સમસ્યા છે… તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું.

 ભારતના કોન્સોલિડેટેડ ફંડ એ મારી મિલકત નથી: નિર્માલા સીતારમણ..

નાણામંત્રી ( Finance Minister ) નિર્મલા સીતારમણે કહ્યું, “હું ખૂબ આભારી છું કે તેમણે મારી દલીલો સ્વીકારી… એટલા માટે હું ચૂંટણી લડી રહી નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે પણ લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા કેમ નથી, તો તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ ( India Consolidated Fund ) તેમનું પોતાનું નથી.

આ સમાચાર પણ વાંચો : Rain Tax in Canada: હવે કેનેડાના લોકો વરસાદના પાણી માટે ભરશે રેઈન ટેક્સ! જાણો શા માટે સરકારે આ પગલું ભરવું પડ્યું…

તેણે કહ્યું, “મારો પગાર, મારી આવક, મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડ એ મારી મિલકત નથી.” પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ભાજપે ઘણા રાજ્યસભા સભ્યોને લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્ણાટકથી રાજ્યસભાના સભ્ય છે. તેણીએ કહ્યું કે તે વિવિધ ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેણીએ કહ્યું, ‘હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં પણ ભાગ લઈશ. હું અભિયાનમાં સામેલ થઈશ. પરંતુ આ ચૂંટણી લડી શકીશ નહિં.

March 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Local Nirmala Sitharaman Takes Mumbai Local From Ghatkopar To Kalyan, Interacts With Commuters
મુંબઈવેપાર-વાણિજ્ય

Mumbai Local: નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈની લોકલ ટ્રેનમાં કરી મુસાફરી, મુસાફરો સાથે કરી વાતચીત; જુઓ વિડિયો..

by kalpana Verat February 24, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Mumbai Local: લોકલ ટ્રેનને મુંબઈગરાની લાઈફલાઈન માનવામાં આવે છે, જેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ ( Nirmala Sitharaman ) પણ એ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા, જેની તસવીરો પણ સામે આવી છે. આજે (24 ફેબ્રુઆરી) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરો ( Passengers ) સાથે વાતચીત પણ કરી હતી. 

Smt @nsitharaman interacts with commuters while travelling from Ghatkopar to Kalyan in a Mumbai local train. pic.twitter.com/T15BdC3f5V

— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) February 24, 2024

Hon’ble FM Smt. Nirmala Sitharaman Ji travels on a local train from Ghatkopar to Kalyan, interacting with youngsters in Mumbai.@nsitharaman @FinMinIndia #NirmalaSitharaman #Mumbai #Ghatkopar #Kalyan #LocalTrain pic.twitter.com/5J1jk16oUP

— Vishwas Pathak (@vishwasvpathak) February 24, 2024

લોકલ ટ્રેનમાં મુસાફરોથી ઘેરાયેલા

નાણામંત્રીએ  ઘાટકોપરથી ( Ghatkopar ) કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં ( Local Train ) મુસાફરી કરી હતી. નિર્મલા સીતારમણની ઓફિસના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર તેમની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકલ ટ્રેનમાં મુસાફરોથી ( Commuters ) ઘેરાયેલા છે. તેઓ હસતાં હસતાં તેમની સાથે વાત કરી રહ્યા છે.

મુસાફરોએ નાણામંત્રી ( Finance Minister ) સીતારમણ સાથે લીધી સેલ્ફી

આ સમય દરમિયાન, ઘણા મુસાફરો પણ સીતારમણ સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત જોવા મળે છે. બાળકો, યુવાનો અને મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમની સાથે ફોટોગ્રાફ્સ લીધા. નાણામંત્રી ઘાટકોપર સ્ટેશનથી લોકલ ટ્રેનમાં બેઠા અને કલ્યાણ સુધી મુસાફરી કરી. કલ્યાણ સ્ટેશન પહોંચતા જ કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ પાટીલે ( Kapil Patil ) તેમનું સ્વાગત કર્યું.

આ સમાચાર પણ વાંચો : New Criminal Laws: 1 જુલાઈથી દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવશે, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

મોદી સરકારના ઘણા નેતાઓએ કરી છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી

આ પહેલા પણ મોદી સરકારના ઘણા નેતાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરીને મુસાફરો સાથે સામસામે આવી ચુક્યા છે. પીએમ મોદી પોતે પણ ઘણી વખત દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. આ સિવાય તે મુંબઈ મેટ્રોમાં પણ મુસાફરી કરતો જોવા મળ્યો છે.

પીએમ મોદીએ મુંબઈ મેટ્રોમાં સફર કરી હતી

ગયા વર્ષે જ્યારે પીએમ મોદીએ મુંબઈ મેટ્રોમાં કેટલીક નવી સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તે દરમિયાન પીએમ મોદીએ ગુંદાવલી અને મોગરા સ્ટેશન વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
RBI Office Blast Threat Bomb threat in 11 places in Mumbai was traced from this city of Gujarat.. 3 people arrested.
મુંબઈMain Post

RBI Office Blast Threat: મુંબઇમાં 11 જગ્યાએ બોમ્બ મુક્યા છે.. RBI ને ધમકીભર્યો ઈમેલ કરનારા વડોદરામાંથી ઝડપાયાં.. આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે..

by Bipin Mewada December 28, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

RBI Office Blast Threat: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા ( RBI ) ઑફિસને મંગળવારે (26 ડિસેમ્બર) એક ઈમેલ મોકલીને બોમ્બ ( Bomb ) ની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ( Mumbai Crime Branch ) ઈમેલ ( Email ) મોકલનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે  આ કેસમાં ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. 

Mumbai Crime Branch arrested the person from Vadodara, Gujarat who sent a threatening email to the RBI office. The crime branch is questioning the accused as to why the threatening email was sent: Mumbai Police https://t.co/Z5WxXBdkaI

— ANI (@ANI) December 27, 2023

આરબીઆઈને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉતાવળમાં પોતાની તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ગુજરાતના ( Gujarat ) વડોદરામાંથી ( Vadodara )  ત્રણ લોકોને ઝડપી લીધા હતા. ખાસ વાત એ છે કે આ ત્રણેય લોકો મિત્રો અને સંબંધીઓ છે. જાણકારી અનુસાર અટકાયતમાં લેવાયેલા વ્યક્તિઓમાંથી એકની ઓળખ આદિલ રફીક તરીકે થઈ છે, જ્યારે બીજી વ્યક્તિ તેનો સંબંધી છે અને ત્રીજો તેનો મિત્ર છે. ત્રણેયની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધમકીભર્યા ઇમેઇલ મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણને પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે.

પોલીસે આ તમામ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો કંઈ વાંધાજનક મળ્યું ન હતું…

મંગળવારે મોકલવામાં આવેલા મેલમાં આરોપી વ્યક્તિએ RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ ( Shaktikanta Das ) અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના ( Nirmala Sitharaman ) રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. મુંબઈમાં 11 સ્થળોએ બોમ્બની ધમકી મળી હતી. બપોરે 1.30 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : MPhil: વર્ષ 2024-25માં આ ડિગ્રી માટે નહીં મળે પ્રવેશ, UGCએ માન્યતા કરી રદ.. જાણો વિગતે..

જ્યારે પોલીસે આ તમામ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો કંઈ વાંધાજનક મળ્યું ન હતું. મુંબઈના એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી, આ કેસની તપાસ ઝડપથી શરૂ થઈ.

FIR મુજબ, ઈમેલમાં લખ્યું છે કે, “મુંબઈમાં વિવિધ સ્થળોએ 11 બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને ફોર્ટમાં RBIની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ, ચર્ચગેટમાં HDFC હાઉસ અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ICICI બેંક ટાવરમાં 1:30 વાગ્યે વિસ્ફોટ કરવામાં આવશે”. તમામ 11 બોમ્બ એક પછી એક વિસ્ફોટ થશે.

December 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Budget 2024 Upcoming Budget just a vote on account, says FM at CII Summit 2023
વેપાર-વાણિજ્ય

Budget 2024: આ તારીખે સરકાર રજૂ કરશે વચગાળાનું બજેટ, જાણો કેવું હશે આ વખતનું બજેટ.. નાણામંત્રીએ આપ્યા સંકેત

by kalpana Verat December 7, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણના ( Nirmala Sitharaman ) એક નિવેદનથી મોદી સરકારના વચગાળાના બજેટની લોકપ્રિય જાહેરાતોની રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા છે. નાણામંત્રીએ ( Finance Minister ) કહ્યું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ વોટ-ઓન-એકાઉન્ટ ( Vote-on-Account ) હશે. આમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. ચૂંટણીનું ( election ) વર્ષ છે તેથી વચગાળાનું બજેટ રજૂ કરવું પડ્યું. લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) અને નવી સરકારની રચના બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી આપણે મોટી જાહેરાતની રાહ જોવી પડશે.

વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાતો નથી

CII ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ફોરમ 2023ને ( CII Global Economic Policy Forum 2023 ) સંબોધતા નાણાં મંત્રીએ કહ્યું કે, હું તમારી આશાઓ તોડવા નથી માંગતી, પરંતુ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થનારું બજેટ માત્ર વોટ ઓન એકાઉન્ટ છે. નવી સરકારની રચના સુધી સરકારના ખર્ચને પહોંચી વળવા માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આમાં કોઈ મોટી જાહેરાત થવાની નથી. આ માટે તમારે સામાન્ય બજેટ પછી રાહ જોવી પડશે. નાણામંત્રીના આ નિવેદન બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે આવકવેરામાં કોઈ નક્કર ફેરફાર જોવા નહીં મળે. 2024માં લોકસભાની ચૂંટણી બાદ રચાનારી નવી સરકાર જૂન અથવા જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સેક્ટર અથવા મંત્રાલયો માટે ફાળવણી કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીની રાહ જોવી પડશે

નિષ્ણાંતોનું કહેવું છે કે ચૂંટણી બાદ ફરી એકવાર સરકાર સત્તામાં આવશે ત્યારે નાણાકીય વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં આવકવેરાના નિયમોમાં ફેરફાર કરી શકે છે. વર્ષ 2109માં પણ સરકારે લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 2019ની ચૂંટણીમાં જીત બાદ, કેન્દ્રમાં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બની અને 5 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2019-20 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો : BJP: ભાજપ સરકાર જીત બાદ ત્રણ રાજ્યોમાં લઈ શકે છે મોટો નિર્ણય, નારી શક્તિને સોંપી શકે છે મોટો પદભાર

વોટ-ઓન-એકાઉન્ટ શું છે?

વોટ-ઓન-એકાઉન્ટ એટલે કે આ વચગાળાનું બજેટ હશે. આમાં, સરકાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ કેટલાક મહિનાઓ માટે તેના ખર્ચ પ્રસ્તાવ પર સંસદની મંજૂરી માંગશે. એટલા માટે તેને વોટ ઓન એકાઉન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમય બે મહિનાનો હોય છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, તે નવા નાણાકીય વર્ષના ચાર મહિનાના ખર્ચ માટે સંસદની મંજૂરી મેળવે છે.

December 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક