• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - financial assistance
Tag:

financial assistance

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years
સુરત

World Oceans Day 2025: આવતીકાલે ૮મી જૂન:વિશ્વ મહાસાગર દિવસ, સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ મત્સ્ય લાભાર્થીઓને ત્રણ વર્ષમાં રૂ.૨.૮૭ કરોડની સાધન-સહાય આપી

by kalpana Verat June 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Oceans Day 2025:

  • બ્લુ ઈકોનોમીને વેગ આપવા સાગરખેડૂઓને સુરતની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે
  • સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ મત્સ્ય લાભાર્થીઓને ત્રણ વર્ષમાં રૂ.૨.૮૭ કરોડની સાધન-સહાય આપીઃ
  • સુરત જિલ્લાના મત્સ્ય લાભાર્થીઓને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧.૧૨ કરોડની સાધન-સહાય આપવામાં આવી
  • સુરત જિલ્લો ૩૬ કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવે છે

આ વર્ષે તા.૮ જૂન- વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનો હેતુ માનવજીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. 

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

 

              આપણે સૌ જાણીએ છીએ કે, પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. મહાસાગરો દરિયાઈ નાના-મોટા દરિયાઈ જીવોનું આશ્રયસ્થાન છે. બ્લુ ઈકોનોમીને વેગ આપવા માટે સમુદ્રમાંથી માછલીઓ પકડી મત્સ્યપાલન કાર્ય કરતા સાગરખેડૂઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલ મૂકી છે. સુરતની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા મત્સ્યપાલકોને વિવિધ યોજનાઓના લાભો અપાયા છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૩૪ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩૭.૮૭ લાખ અને ૨૦૨૪-૨૫માં રૂ.૧.૧૨ કરોડ એમ ત્રણ વર્ષમાં કુલ રૂ.૨.૮૭ કરોડ ખર્ચ કરી લાભાર્થીઓને સાધન-સહાય આપવામાં આવી છે.

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

 

         મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તન્વી.એન.ચૌધરીએ જણાવ્યું કે, સુરત જિલ્લો ૩૬ કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવે છે. સુરત જિલ્લામાં મત્સત્ય લેન્ડિંગ કેન્દ્રો ૬, ભરતીવાળા મત્સ્ય કેન્દ્ર ૧૪, નદીના મત્સ્યકેન્દ્ર ૪૨, ડેમ-જળાશય કેન્દ્રો ૫ છે. સુરત જિલ્લામાં કુલ રજિસ્ટર્ડ માછીમારોની સંખ્યા ૨૮,૯૯૫ છે, જેમાં ૧૦,૬૫૩ સક્રિય માછીમારો છે. ૧૭૨ માછીમાર બોટ, ૧૪૬ યાંત્રિક બોટ, ૨૬ બિનયાંત્રિક બોટ છે. ૦૧ આઈસ ફેક્ટરી, ૦૧ બોટ બિલ્ડીંગ યાર્ડ, ૦૩ ફ્રિજીંગ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. સુરત જિલ્લામાં ૨૩ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ છે, જેના ૧૮૯૯ સભ્યો છે. સુરત જિલ્લામાં વલણ અને કાકરાપાર એમ બે મત્સ્યદ્યોગ કેન્દ્ર તેમજ પીપોદરા અને કોસમાડા એમ બે સ્થળ પર મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલા છે.

            વધુમાં તન્વીબેને જણાવ્યું કે, મત્સ્યોદ્યોગને મુખ્ય ત્રણ વિભાગ; આંતરદેશીય મત્સ્યોઉદ્યોગ (મીઠા પાણીનો મત્સ્યોદ્યોગ), ભાંભરા પાણીનો મત્સ્યોદ્યોગ(ઝીંગા ઉછેર) અને દરિયાઈ મત્સ્યોદ્યોગમાં વહેંચવામાં આવ્યો છે. 

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

 

             આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં મત્સ્ય બીજ ઉત્પાદન, સ્થાનિક માછીમાર યુવાનો દ્વારા મત્સ્યબીજનો ઉછેર(ગ્રામ્ય રોજગારી), ગ્રામ્ય તળાવોમાં મત્સ્યોદ્યોગ(સ્થાનિક માછીમારોને રોજગારી) અને સ્થાનિકો દ્વારા છૂટક મત્સ્ય વેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.

             ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગમાં રાજ્ય સરકારની પોલિસી મુજબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ મારફતે જમીન ફાળવણી, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એક્ટ મુજબ એક્વાકલ્ચર ફાર્મનું રજિસ્ટ્રેશન, આનુષંગિક માળખાકીય સવલતો જેવી કે રોડ, વીજલાઈન, પીવાનું પાણી પૂરૂ પાડવું. લાભાર્થીઓને ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠે માછલીઓનું પ્રમાણ ઘણીવાર ઓછું જણાતા કેન્દ્રીય મત્સ્ય વિભાગ ગુજરાત સરકાર આર્ટિફિશીયલ રિફ્ટ, સી રેન્ચિંગ અને કેજ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

 

આ સમાચાર પણ વાંચો : Helicopter Emergency Landing: કેદારનાથમાં હેલિકોપ્ટરનું રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ, એક ગાડીને તથા હેલિકોપ્ટરને નુકસાન; શ્રદ્ધાળુઓના જીવ પડીકે બંધાયા; જુઓ વિડીયો 

World Oceans Day 2025: માછીમારો માટે સરકારની અઢળક કલ્યાણકારી યોજનાઓ

           દરિયાઈ મત્સ્યોદ્યોગમાં પરંપરાગત માછીમારોને સહાય (પગડીયા માછીમાર સહાય, નાની હોડીઓ માટે, બહારના યંત્રો માટે સહાય, ગીલનેટની ખરીદી પર સહાય), સલામત અને નફાકારક મત્સ્યોદ્યોગ (લાઈફ સેવિંગના સાધનો તથા GPS, ફિશફાઈન્ડર જેવા આધુનિક સાધનો પર સહાય), આધુનિક સાધનો જેવા કે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, સોલાર લેન્ટર્ન, સી.એલ.એફ. વગેરે પર સહાય, પાકિસ્તાન કસ્ટડીમા રહેલા માછીમારોના કુંટબોને આર્થિક સહાય, માછીમારોને ડિઝલની ખરીદી ઉપર ચૂકવેલ વેટની રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત, ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસિન ખરીદી, મત્સ્યપાલન પ્રક્રિયા, જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ વધારાની યોજના, માછીમાર મહિલાને હાથલારીની ખરીદી, મત્સ્યોદ્યોગ સ્થાપવા પ્રોસેસિંગ યુનિટની ખરીદી, આઈસ પ્લાન્ટ, કોલ્ડસ્ટોરેજ અને ફિશ માર્કેટ સ્થાપવા, પ્રધાનમંત્રી મસ્ત્ય સંપદા યોજના હેઠળ રેફ્રિઝરેટર વાન, ડીપફ્રિઝર, ઈન્સ્યુલેટેડ વ્હીકલનો લાભ આપવામાં આવે છે. ઉપરાંત, બોટ રજિસ્ટ્રેશન, મત્સ્યોદ્યોગ સ્થાપવા માટે લાયસન્સ આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

 

World Oceans Day 2025: માછીમારોના વિકાસ માટે અલાયદું મત્સ્ય મંત્રાલય કાર્યરત

             ભારત ૧૧૦૯૮.૮૧ કિમીનો વિશાળ સાગરતટ ધરાવે છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને દરિયો ખેડતા માછીમારોના સામાજિક-આર્થિક વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખવા માટે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અલાયદા મત્સ્ય મંત્રાલયની રચના કરવામાં આવી હતી. આ મંત્રાલય હેઠળ પ્રગતિશીલ મત્સ્ય કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ, PM  મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રિજરેટેડ વાન, મોટર સાયકલ વિથ આઈસબોક્ષ સહિતની વિવિધ સાધનસહાય, ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સહાય આપવામાં આવે છે. 

World Oceans Day 2025 Surat Fisheries Directorate Office provided financial assistance of Rs. 2.87 crore to fisheries beneficiaries in three years

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Government 6 years of Pradhan Mantri Kisan Samman Nidhi Yojana have been completed
Agriculture

Gujarat Government: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ થયા પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યા આટલા કરોડ રૂપિયા

by khushali ladva February 24, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Gujarat Government: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ચાર પિલ્લર એટલે કે ગરીબ, યુવા અન્નદાતા અને નારીશક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે. 2019માં વડાપ્રધાનશ્રીએ અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને ₹18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

યોજનાના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરી છે. આ પ્રણાલીનો ઉદ્દેશ યોજનાના અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવાનો છે. 12મા હપ્તાથી જમીન વાવણીને ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી ફક્ત પાત્રતા ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે. આ અંતર્ગત, ખેડૂતોએ પોતાની જમીનને પોર્ટલ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે

ભ્રષ્ટાચારને અટકાવવા માટે આધાર લિંકિંગ, ઈ-કેવાયસી અને ભૌતિક ચકાસણી ફરજિયાત
આ યોજનાના પારદર્શક અમલીકરણ માટે 13મા હપ્તાથી આધાર લિંકિંગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી, જેના દ્વારા નાણાંકીય સહાય સીધી ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બૅન્ક ખાતાઓમાં મોકલવામાં આવે છે. 15મા હપ્તાથી ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેનાથી યોજનાના લાભાર્થીઓની ઓળખ અને સુરક્ષામાં વધારો થયો છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના ઓળખ સંબંધિત દસ્તાવેજોને ઓનલાઈન વેરિફાઈ કરી શકે છે. ગ્રામ્ય સ્તરે નોડલ અધિકારી 5% અને 10% ફિઝિકલ વેરિફિકેશન પણ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ફક્ત પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળે. આ પ્રક્રિયા અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરે છે.

Gujarat Government: અયોગ્ય લાભાર્થીઓ પાસેથી વસૂલાત અને જન સંવાદ દ્વારા પારદર્શિતામાં વધારો થયો
ગુજરાત સરકાર કોઈ ખેડૂતે ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવ્યો હોય, તો આ લાભોની વસૂલાત પણ કરે છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના જમીન માલિકીના દસ્તાવેજો અને આધાર વિગતોનો ઉપયોગ કરીને પીએમ-કિસાન પોર્ટલ પર સ્વ-નોંધણી પણ કરાવી શકે છે. મુખ્યમંત્રી ડેશબોર્ડ હેઠળ, જન સંવાદ કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓ સીધો પ્રતિસાદ આપી શકે છે, જેથી યોજનાના રિયલ-ટાઇમ નિરીક્ષણ સાથે તેનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય છે.

ખેડૂતોના બૅન્ક ખાતામાં DBT દ્વારા જમા થાય છે નાણાંકીય સહાય
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી નાણાંકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પીએમ-કિસાન પોર્ટલ પર તેમનું પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. આ પોર્ટલ પર તેઓને બૅન્કનું નામ, એકાઉન્ટ નંબર, વ્યવહારની તારીખ અને યુટીઆર નંબર જેવી વિગતો જોવા મળશે. ખેડૂતોને નાણાંકીય સુરક્ષા પૂરી પાડીને, રાજ્ય કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યું છે અને અવિરત વિકાસને પ્રેરિત કરી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Livestock Insurance This scheme has been launched for cattle farmers in Gujarat
રાજ્ય

Livestock Insurance: ગુજરાતમાં પશુપાલકો માટે આ યોજના શરૂ, ICICI લોમ્બાર્ડ અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ MOU પર હસ્તાક્ષર કર્યા

by khushali ladva February 14, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Livestock Insurance: ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલી બનાવી છે.
યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ લઇ શકે છે. પોર્ટલ પર અરજી કરવાની જાહેરાત વર્તમાનપત્રોમાં પ્રસારિત થતી હોય છે. પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય મળવાપાત્ર છે. નોંધનીય છે કે, યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે MOU થયા છે.

આ સમાચાર પણ વાંચો:  National Social Assistance: ચોર્યાસી તાલુકામાં યોજાઈ સામાજિક ઓડિટની ગ્રામસભા, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PACS Computerization New digital destination in the agricultural industry
Agriculture

PACS Computerization: કૃષિ ઉદ્યોગમાં નવો ડિજિટલ મુકામ, ગુજરાતમાં PACS કમ્પ્યુટરાઇઝેશન દ્વારા ગુજરાતમાં ખેતરમાં નવો ડિજિટલ મુકામ શરુ થયો

by khushali ladva February 8, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય
  • ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 5,754 PACS કમ્પ્યુટરાઇઝેશન હેઠળ, 2,900થી વધુ ટૂંક સમયમાં થશે લાઇવ

PACS Computerization: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સહકારી પહેલો દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે. આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

PACS Computerization:  PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના: ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન

સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (PACS)ને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) પ્લેટફૉર્મ પર એકીકૃત કરવા માટે PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બૅન્કો (StCBs) અને જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (DCCBs)ના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક (NABARD) સાથે જોડે છે.

આ સમાચાર પણ વાંચો:  Immigration Clearance: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ વ્યકતિઓને રાહત, ગુજરાત પોલીસે આટલા નાગરિકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા

PACS Computerization:  અગ્રેસર ગુજરાત: 5,754 પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન ટૂંક સમયમાં થશે પૂર્ણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ 2023-24થી રાજ્યમાં PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5,754 પેક્સમાં કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે.

PACS Computerization:  ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંકીય સહાય

પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના અંતર્ગત પેક્સને જરૂરી તમામ હાર્ડવેર જેમકે, ડેસ્કટોપ, મલ્ટી-ફંક્શન પ્રિન્ટર્સ (MFPs), ભૌતિક VPN ઉપકરણો, બાયોમેટ્રિક સ્કેનર્સ, વેબ કૅમેરા, UPS સિસ્ટમ્સ અને જરૂરી સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત, PACSના તમામ ડેટાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને એક વ્યાપક સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ માટે દરેક PACSને આશરે ₹4 લાખની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. અત્યારસુધીમાં તમામ PACSને હાર્ડવેરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 2900થી વધુ પેક્સ ટૂંક સમયમાં લાઇવ થશે. આગામી છ મહિનામાં, તમામ પેક્સ ઈ-પેક્સ તરીકે કાર્યરત થઈ જશે.

આ સમાચાર પણ વાંચો:   Ropeway Service: ગુજરાતમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા સરકારની વિશેષ સુવિધા ,ચાર વર્ષમાં આટલા લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો

PACS Computerization:  પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજનાથી અનેક ફાયદા થશે

પેક્સ કમ્પ્યુટરાઇઝેશનના ફાયદા એ છે કે, તે પેક્સની કામગીરીની ઝડપ, પારદર્શિતા અને જવાબદારી વધારશે તેમજ પેક્સ સ્તરે સભ્યોને આપવામાં આવતી ક્રેડિટ અને નોન-ક્રેડિટ સેવાઓમાં સુધારો કરશે. આ ઉપરાંત, e-PACS દ્વારા નાણાંકીય અનિયમિતતાઓને સમયસર અટકાવી શકાશે, પેક્સ સ્ટાફની કાર્યક્ષમતામાં વધારો થશે, સભ્યો માટે નાણાંકીય સમાવેશ અને વ્યવસાયની તકોનો વ્યાપ વધશે તથા આંગળીના એક જ ટેરવે તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shravan Tirth Darshan Yojana Gujarat Government's Shravan Tirth Darshan Yojana received a huge response
રાજ્ય

Shravan Tirth Darshan Yojana: ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાને મળ્યો બહોળો પ્રતિસાદ, આટલા લાખથી વધુ વરિષ્ઠ નાગરીકોએ કરાવ્યું રેજીસ્ટ્રેશન

by khushali ladva February 5, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ ઓફલાઈન નોંધણી કરાવવાની રહેશે
  • યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોનો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં લાભ લઇ શકશે

Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ મે ૨૦૧૭ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે રૂ.૧,૧૨૮ લાખથી વધુનો ખર્ચ કર્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ એમ ૭૨ કલાક અથવા ૨,૦૦૦ કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા ૨૭ યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો: Road safety rally: દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું, રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેડેટ્સ જોડાયા

Shravan Tirth Darshan Yojana: આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની ૭૫ ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં ૨૭ થી ૩૫ યાત્રાળુઓ સુધી મીની બસનું તથા ૩૬ થી ૫૬ યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.
વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.૫૦/- અને રહેવાના રૂ.૫૦/- એમ કુલ રૂ.૧૦૦/- અને વધુમાં વધુ રૂ.૩૦૦/-ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

– પ્રિન્સ ચાવલા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Karnataka Prime Minister expresses grief over Uttara Kannada accident in Karnataka, announces Rs 100 crore assistance for families of deceased and injured
રાજ્ય

Karnataka: પ્રધાનમંત્રીએ કર્ણાટકના ઉત્તર કન્નડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, મૃતકના પરિવારો અને ઘાયલો માટે આટલા રૂપિયાંના સહાય ની કરી જાહેરાત

by khushali ladva January 23, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Karnataka: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.

X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું: “કર્ણાટકનાં ઉત્તર કન્નડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત દરેક મૃતકનાં પરિવારજનોને કરવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

Deeply saddened by the loss of lives in the accident in the Uttara Kannada district of Karnataka. Condolences to those who lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…

— PMO India (@PMOIndia) January 22, 2025


આ સમાચાર પણ વાંચો :  Pension Court: ટપાલ વિભાગના નિવૃત કર્મચારીઓ માટે આ તારીખે પેન્શન અદાલતનું આયોજન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Under Gujarat government's 'Namo Lakshmi Yojana' financial assistance of 138 crore has been given to 10 lakh female students
રાજ્ય

Namo Laxmi Yojana: ગુજરાત સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને અપાઈ ₹138 કરોડથી વધુની આર્થિક સહાય, જાણો લાભાર્થીની પાત્રતા..

by Hiral Meria November 28, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Namo Laxmi Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેઓએ કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક શૈક્ષણિક પહેલ શરૂ કરી હતી, જેના પરિણામસ્વરૂપે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. આ જ દિશામાં આગળ વધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે.  

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, આર્થિક અક્ષમતાઓને કારણે દીકરીઓને ( Girl Students ) શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુ ને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે, તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષના બજેટમાં આ યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષો દરમિયાન કુલ ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, યોજના અમલી થયેથી અત્યારસુધીમાં રાજ્યની ( Gujarat Government ) લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને કુલ ₹138.54 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. 

Namo Laxmi Yojana:  નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે રાજ્યની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. યોજના હેઠળ સહાય મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ છે:

  1. a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
  2. b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
  3. c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય 

આ સમાચાર પણ વાંચો:  ESIC AB-PMJAY: તબીબી સંભાળના લાભો પ્રદાન કરવા માટે આ બે સૌથી મોટા આરોગ્ય સેવા પ્રદાતાઓ આવી રહ્યા છે એકસાથે, 14 કરોડ ESI લાભાર્થીઓને મળશે લાભ..

Namo Laxmi Yojana:  નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય 

આ યોજના હેઠળ ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવા પર પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે: 

  1. a) ધોરણ 9 અને 10ની મળીને કુલ ₹20,000ની આર્થિક સહાય ( Financial assistance ) ચૂકવવામાં આવશે.

આ સહાય પૈકી, ધોરણ 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 મહિના માટે માસિક ₹500 મુજબ વાર્ષિક ₹5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે.

  1. b) ધોરણ 11 અને 12ની મળીને કુલ ₹30,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

આ સહાય પૈકી, ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 મહિના માટે માસિક ₹750 મુજબ વાર્ષિક ₹7500 પ્રમાણે, બંને વર્ષના મળી કુલ ₹15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે.

Namo Laxmi Yojana:  નમો લક્ષ્મી યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી

રાજ્યની વિવિધ શાળાઓ દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે અલાયદું ‘નમો લક્ષ્મી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12માં ભણતી તમામ વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં થતી હોય છે, જેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઇ જવામાં આવે છે. સંબંધિત શાળાઓના વર્ગશિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થિનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગશિક્ષકો વિદ્યાર્થિનીના આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ, જન્મતારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગશિક્ષકે વિદ્યાર્થિનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે.

પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઇ માસમાં જૂન અને જુલાઇની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે-તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો:  Gandhi Family Parliament : પહેલીવાર ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદમાં, ભાઈ રાહુલની જેમ બંધારણની નકલ હાથમાં રાખી પ્રિયંકાએ લીધા સાંસદ પદના શપથ; જુઓ વિડીયો…

વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.

આ યોજના આ વયજૂથની દીકરીઓની ઉંમર મુજબની સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે, જેથી તેમના માનસિક અને શારીરિક વિકાસમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે. આ યોજના દીકરીઓના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં વ્યાપક સમર્થન પ્રદાન કરે છે, જેથી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવી શકાય. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat
સુરત

Ganga Swarupa Arthik Sahay Yojana: નિરાધાર મહિલાઓનો આર્થિક આધાર આપતી ગુજરાત સરકારની ‘આ’ યોજના, દર મહિને મળતી સહાય લાભાર્થીઓ માટે બની અતિ મૂલ્યવાન.

by Hiral Meria October 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ganga Swarupa Arthik Sahay Yojana: ગુજરાતમાં નારી સશક્તિકરણ માટે ગુજરાતની મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ અપ્રતિમ પગલાં લઈને જે અભિનવ માર્ગ કંડાર્યો છે. ગુજરાત સરકાર મહિલા સુરક્ષાથી લઈને સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ લઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે, ત્યારે પરિવારના મોભીનો આધાર ન હોય તેવી હજ્જારો ગંગા સ્વરૂપા બહેનોને સરકારે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ થકી સ્વમાનભેર જીવન જીવવા માટે માર્ગ આપ્યો છે. 

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

                    ઓલપાડના ( Surat ) લવાછા ગામના મોટા ફળિયામાં રહેતા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે, દરિયાકાંઠાના છેવાડા ગામોની ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય આપીને મુશ્કેલીઓમાં આધારરૂપ બન્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આજથી ૧૪ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું હતું. એટલે એક દિકરો અને બે દીકરીની ચિંતા થતી હતી. પેટે પાટા બાંધીને પણ દિકરા-દીકરીઓને ભણાવ્યા છે. દિકરો ITI માં ભણે છે. એક દીકરી હીરાની ફેક્ટરીમાં નોકરી કરે છે અને બીજી  દીકરી માસ્ટર ડિગ્રી કરી છે. જ્યારે પુત્ર ITI માં વાયરમેનની તાલીમ લઈ રહ્યો છે. મને ૧૪ વર્ષથી ગંગા સ્વરૂપા આર્થિક યોજનાના ( Financial assistance ) લાભ થકી દર મહિને રૂ.૧૨૫૦ મળે છે. આ સાથે પીએમ આવાસ યોજનામાં પોતાનું મકાન અને કિશાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે ૬૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. રાજ્ય સરકારના દ્વારા રાંધણ ગેસની બોટલ અને દર મહિને અનાજ  વિના મૂલ્યે મળે છે. સરકારે અમારા  જેવા મધ્યમ વર્ગીય પરિવારો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એટલે અમારું જીવન ધોરણ સરળ બન્યું છે એ બદલ સરકારશ્રીના અમે ઋણી રહીશું.

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder: …એટલે જ શૂટરોને ઉત્તર પ્રદેશથી બોલાવવામાં આવ્યા હતા, બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, અત્યાર સુધીમાં 9 ધરપકડ..

Ganga Swarupa Arthik Sahay Yojana:  ગંગા સ્વરૂપા બહેનોને ( Gujarat Women ) મળતી આર્થિક સહાય પીઠબળ સમાન: લાભાર્થી શશિકલાબેન પટેલ

 લવાછા ગામના ગંગા સ્વરૂપા ( Ganga Swarupa Arthik Sahay Yojana ) લાભાર્થી શશિકલાબેન પટેલે કહ્યું હતું કે, પરિવારમાં પુત્ર- પુત્રી છે. દિકરો અભ્યાસ કરે છે અને દીકરી નોકરી કરે છે. ઉપસરપંચ અશોકભાઈએ બંને બાળકોના અભ્યાસમાં મદદરૂપ થયા હતા. વન મંત્રીશ્રી પણ ઘણી મદદ કરી છે. વિધવા સહાય મેળવવામાં તેમજ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો હોવાનું જણાવી સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાય ઘણી ઉપકારક અને પીઠબળ સમાન બની રહી છે તે બદલ રાજ્ય સરકાર ( Gujarat  Government ) પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

October 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UDID Card Disabled persons with yellow and blue UDID cards in the Maharashtra will get this amount of assistance every month
રાજ્યમુંબઈ

UDID Card: મહારાષ્ટ્રમાં પીળા અને વાદળી UDID કાર્ડ ધરાવતા વિકલાંગોને મળશે દર મહિને આટલી સહાય… જાણો કઈ રીતે અરજી કરવી..

by Bipin Mewada July 25, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai

UDID Card:  વિકલાંગોના જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને નાણાકીય સહાય ( Financial assistance ) પૂરી પાડવા માટે મહિલા અને બાળ કલ્યાણ યોજના હેઠળ, મુંબઈમાં લગભગ 40 થી 80 ટકા વિકલાંગોને ધરમવીર આનંદ દિઘે દિવ્યાંગ અર્થસહાય યોજના ( Dharmaveer Anand Dighe Divyang Arth Sahay Yojana )  હેઠળ નાણાકીય સહાય આપવામાં આવશે.  આ યોજના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિભાવનાથી મુંબઈમાં લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાથી લગભગ 60 હજાર વિકલાંગ લાભાર્થીઓને આગામી પાંચ વર્ષ સુધી આ આનો લાભ મળશે. આ માટે દર વર્ષે 111.83 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, ફેબ્રુઆરી મહિનામાં મંજૂર કરાયેલી આ દરખાસ્ત હવે જુલાઈ મહિનામાં અમલ બનવામાં આવશે અને મુખ્યમંત્રી સહયોગ યોજના પહેલા તેની મંજુરી મળી ગઈ હતી. તેથી કહેવામાં આવી રહ્યું હતું કે આ યોજના 1લી એપ્રિલ 2024થી લાગુ કરવામાં આવશે યોજના બાદ વાસ્તવિક સહાય વિકલાંગોના હાથમાં પહોંચશે. પરંતુ બાદમાં મરાઠા આરક્ષણ સર્વેક્ષણ, ચૂંટણી આચારસંહિતા વગેરે જેવી અડચણોને કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો. 

મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) તત્કાલીન કમિશનરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ( CM Eknath Shinde ) સંકલ્પના મુજબ વિકલાંગોને ( disabled ) નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરવાનું સૂચન કર્યું હતું. આ અંતર્ગત મહાપાલિકા કમિશનરે મહાનગરપાલિકાના વર્તમાન બજેટમાં આ માટેની જોગવાઈ કરી હતી અને આ યોજનાની જાહેરાત કરી હતી. આથી પૂર્વ મહાનગરપાલિકા કમિશનર અને એડમિનિસ્ટ્રેટર, એડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ)ના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં આ યોજના લાગુ કરવામાં આવી રહી છે.

 UDID Card: 80 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને દર છ મહિને રૂ. 3,000ના દરે કુલ રૂ. 18,000નું વિતરણ કરવામાં આવશે…

આ યોજના હેઠળ 40 ટકા વિકલાંગતા ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને એક હજાર રૂપિયાનું વિતરણ કરવામાં આવશે. એટલે કે તમને વાર્ષિક 12 હજાર રૂપિયા મળશે.

આ સમાચાર પણ વાંચો  : CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

ઉપરાંત, 80 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને દર મહિને રૂ. 3,000ના દરે દર 6 મહિને કુલ રૂ. 18,000નું વિતરણ કરવામાં આવશે. એટલે કે વાર્ષિક 36 હજાર રૂપિયા મળશે. આ બંને જૂથના વિકલાંગોને આગામી પાંચ વર્ષ સુધી આ લાભ મળશે. મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગ વ્યક્તિ પાસે પીળા અથવા ઓરેન્જ યુનિવર્સલ આઈડેન્ટિટી કાર્ડ (UDID કાર્ડ) હોવું આવશ્યક છે.

 UDID Card: અરજી ફોર્મ મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે…

આ યોજના હેઠળ, વિકલાંગ વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેઓ  મહાનગરપાલિકા વિસ્તારના કાયમી રહેવાસી છે. આ યોજના માટે પાત્રતાના માપદંડ, નિયમો, શરતો, જરૂરી દસ્તાવેજો અને અરજી ફોર્મ મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ માટેની વેબસાઇટ https://portal.mcgm.gov.in છે. BMC વિશે – વિભાગ – વિભાગ મેન્યુઅલ – મદદનીશ કમિશનર આયોજન – દસ્તાવેજો – ધરમવીર આનંદ દિઘે દિવ્યાંગ અર્થસહાય યોજના (વર્ષ 2024-25 થી વર્ષ 2028-29) માટે વિકલાંગ વ્યક્તિઓ’ જો તમે ત્યાં ક્લિક કરો, તો અરજી ફોર્મ ઉપલબ્ધ થશે. આ યોજના માટે અરજી ભરવા માટે કોઈ સમય મર્યાદા નથી.

વિકલાંગતાની ગંભીરતાના આધારે UDIDકાર્ડ જારી કરવામાં આવે છે.

  • સફેદ કાર્ડ: જો અપંગતા 40 ટકાથી ઓછી હોય તો.
  • પીળું કાર્ડ: વિકલાંગતાનું સ્તર 40 ટકાથી વધુ હોય તો.
  • ઓરેન્જ કાર્ડઃ વિકલાંગતા 80 ટકાથી વધુ હોય તો.

આ સમાચાર પણ વાંચો  :  Dharavi Redevelopment: ધારાવીમાં સર્વેક્ષણ પ્રક્રિયામાં વિક્ષેપ પાડતા કાર્યકારો સામે સ્થાનિકો બન્યા હવે આક્રમણ.. જાણો વિગતે…

UDID Card: વિકલાંગોને આર્થિક સહાય કેવી રીતે મળશે?

  • કાર્ડનો પ્રકાર: પીળો કાર્ડ ધારક
  • વિકલાંગોની ટકાવારી: 40 થી 80 ટકા
  • દિવ્યાંગોના UDID કાર્ડ ધારકોની સંખ્યાઃ 42,078
  • નાણાકીય સહાય: દર છ મહિને રૂ. 6,000, એટલે કે રૂ. 12 હજાર પ્રતિ વર્ષ
  • કાર્ડનો પ્રકાર: ઓરેન્જ કાર્ડ ધારક
  • વિકલાંગોની ટકાવારી: 80 ટકાથી ઉપર
  • દિવ્યાંગોના UDID કાર્ડ ધારકોની સંખ્યા : 17,037
  • નાણાકીય સહાય: દર છ મહિને 12,000 રૂપિયા, એટલે કે વાર્ષિક 36 હજાર રૂપિયા (UDID કાર્ડ)

આ સમાચાર પણ વાંચો  : CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Financial assistance up to two and a half lakhs to Ghatkopar accident victims Cabinet Minister Lodha
મુંબઈ

Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર દુર્ઘટનાનાં ઘાયલોને અઢી લાખ સુધીની આર્થિક સહાય: કેબિનેટ મંત્રી લોઢા

by Hiral Meria May 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Collapse: વાવાઝોડામાં થયેલી તબાહીના પગલે ઘાટકોપરમાં ( Ghatkopar  ) પેટ્રોલપંપ ઉપર હોર્ડિંગ્ તુટી પડવાથી ઘાયલ થયેલા દર્દીઓની ઉપરનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ રાજાવાડી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તથા તેમના પરિવાર જનોને પણ સાંત્વના આપી હતી. આ ઉપરાંત દુર્ઘટનામાં ઘાયલ થનારાઓને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

અસરગ્રસ્તોની મુલાકાત બાદ પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાઐ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે હાલમાં, એક વ્યક્તિ રાજાવાડી હોસ્પિટલમાં આઈસીયુમાં છે અને અન્યોની સ્થિતિમાં સંતોષકારક સુધારો થઈ રહ્યો છે, તેમણે જાહેરાત કરી હતી કે ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે અને  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ ઘાયલોને કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય આર્થિક વળતર પણ આપવામાં આવશે. ૬૦ ટકા કરતા ઓછી ઇજા ધરાવતા દર્દીને ૭૫૦૦૦ રૂપિયા અને ૬૦ ટકાથી વધુ ઇજા થઇ હોય તેવા વ્યક્તિઓને ૨૫૦૦૦૦ રૂપિયાનું વળતરની ( Financial assistance ) જોગવાઇ હોવાનું પાલક મંત્રી લોઢાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય ઘાયલ લોકોને ૫૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો :  Best 7 Seater Car: મોટા પરિવાર માટે યોગ્ય, લોકો જોરશોરથી ખરીદી રહ્યા છે આ 7 સીટર ફેમિલી કારો… જાણો અહીં સંપુર્ણ યાદી..

આ જાહેરાતનું મોટું હોર્ડિંગ પેટ્રોલ પંપ ( Petrol pump Collapse ) પાસે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ પાઠવ્યા બાદ પણ આ વિસ્તારનાં હોર્ડિંગ હટાવાયા ન હતા. આ હોડિગનું સલામતી ઓડિટ થયું હોવાનું પણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને પકડી તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે એમ પત્રકારો સાથે વાત કરતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે  આ અકસ્માત નથી પરંતુ હત્યા છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક