• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - g20 - Page 3
Tag:

g20

G20માં ભારતની યાત્રા પર દીવમાં પ્રદર્શનનું આયોજન
દેશ

G20માં ભારતની યાત્રા પર દીવમાં પ્રદર્શનનું આયોજન

by kalpana Verat May 19, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

G20 સચિવાલય એજ્યુકેશન હબ કેમ્પસ, દીવ ખાતે G20 RIIG WG મીટિંગની સાથે G20માં ભારતની યાત્રા પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 18મી મે 2023ના રોજ શ્રી પ્રફુલ્લ પટેલ, દમણ અને દીવ અને દાદરાનગર અને હવેલીના પ્રશાસક અને G20 શેરપા શ્રી અમિતાભ કાંતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રદર્શન RIIG મીટિંગના પ્રથમ દિવસથી શરૂ કરીને એક સપ્તાહ માટે યોજવામાં આવી રહ્યું છે, એટલે કે. 18 મે 2023, અને 19 મે 2023 ના રોજ RIIG મીટિંગના સમાપન બાદ આ પ્રદર્શન સામાન્ય લોકોના જોવા માટે ખુલ્લું રાખવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Bihar Caste Census : સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્ણયને યથાવત રાખ્યો, બિહાર સરકારને મોટો ફટકો

આ પ્રદર્શન ભારતની ઐતિહાસિક G20 પ્રેસિડેન્સી વિશે જાગરૂકતા પેદા કરવા માટે એક માહિતીપ્રદ અને આકર્ષક પ્લેટફોર્મ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વયસ્કોમાં-જનભાગીદારીની ભાવનાને આગળ ધપાવવા કામ કરશે.

એજ્યુકેશન હબ ખાતે આવેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ દીવની સ્થાનિક શાળાઓ પણ આગામી સપ્તાહમાં પ્રદર્શનની મુલાકાત લેશે. શાળાના બાળકો માટે ખાસ બનાવેલ બ્રોશર, G20નો પરિચય, પણ સ્થળ પર વિતરિત કરવામાં આવશે. G20 ફ્રેમવર્ક સાથે લોકોના જોડાણને પ્રોત્સાહિત કરવા માટે સ્થળ પર સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યું છે.

May 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nagpur police ban beggars from gathering in public places to beg
રાજ્ય

વાસ્તવિકતા પર પડદો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં G20ની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ, પકડાયા તો થશે કડક કાર્યવાહી…

by Dr. Mayur Parikh March 9, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર્ના જિલ્લા નાગપુરમાં પોલીસે 9 માર્ચથી એટલે કે આજથી 30 એપ્રિલ સુધી શહેરના રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે નાગપુર પોલીસે સીઆરપીસી કલમ-144 હેઠળ એક સૂચના બહાર પાડી છે, જે વ્યક્તિઓ અથવા જૂથોને ભીખ માંગવા અથવા પસાર થતા લોકોને પૈસા ચૂકવવા દબાણ કરવા પર પ્રતિબંધ મૂકે છે. નાગપુર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભિખારી અથવા અન્ય કોઈ વ્યક્તિ પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ભિખારીઓ પર પ્રતિબંધ શા માટે?

જો ભિખારીઓ ભીખ માંગતા પકડાશે તો તેમની સામે પોલીસમાં કેસ નોંધવામાં આવશે. શહેરમાં 9 માર્ચથી 30 એપ્રિલ સુધી રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ અને આંતરછેદ પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભિખારીઓ જાહેર સ્થળોએ ભેગા થાય છે અને ટ્રાફિકને અવરોધે છે. આવા ભિખારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : હાશ.. મુંબઈમાં ક્લીન અપ માર્શલોની દાદાગીરી ખતમ, પાલિકાએ હવે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આ લોકોને સોંપી.

જણાવી દઈએ કે માર્ચમાં G-20 મીટિંગ માટે લગભગ 200 વિદેશી મહેમાનો નાગપુર આવશે. જોકે આ નિર્ણય માત્ર 19 અને 20 માર્ચે યોજાનારા G20 અને C20ને કારણે નથી લેવાયો પરંતુ આ આદેશનો ઉદ્દેશ્ય જનતા માટે ઉપદ્વવ અને જોખમને ઘટાડવા માટે અને રોકવા માટે છે. આ આદેશથી સામાન્ય પરિસ્થિત જળવાઈ રહેશે અને લોકો શાંતિથી અવરજવર કરી શકશે.

March 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Put issues related to border in proper place Chinas FM Qin to Jaishankar
દેશMain Post

ચીનને જયશંકરની સલાહ બાદ ડ્રેગન આવ્યું લાઇન પર, ચીની વિદેશ મંત્રીએ કહ્યું…

by Dr. Mayur Parikh March 3, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતના વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય નથી. બંને દેશો વચ્ચે સરહદને લઈને કેટલીક અડચણો છે. આ દરમિયાન ચીન અને ભારતના વિદેશ મંત્રીઓની અપેક્ષિત બેઠક થઈ છે. આ બેઠક G20 સમિટની બાજુમાં થઈ છે. ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને કહ્યું છે કે ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો માં સરહદ મુદ્દાને “યોગ્ય સ્થાને” રાખવો જોઈએ અને તેમની સરહદો પર પરિસ્થિતિને વહેલી તકે સામાન્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી. ચિને નવી દિલ્હીમાં આયોજિત G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ગુરુવારે જયશંકર સાથે વ્યક્તિગત મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. તેમણે આ વાત પૂર્વી લદ્દાખમાં 34 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે કહી હતી. ચિન ગેંગને ડિસેમ્બરમાં વાંગ યીની જગ્યાએ ચીનના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ભારત કહેતું રહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. જયશંકરે ચિનને કહ્યું કે ભારત-ચીન સંબંધોની સ્થિતિ “અસામાન્ય” છે. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે તેમની વાતચીત દ્વિપક્ષીય સંબંધોમાં પ્રવર્તી રહેલા પડકારો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પર કેન્દ્રિત છે.

આ સમાચાર પણ વાંચો : મને લાગ્યું કે રાહુલ ‘ભારત જોડવા’ માટે કરાચી કે લાહોર જશે……રાજનાથે કર્યો કટાક્ષ

તેમણે કહ્યું, “G20 માં શું થઈ રહ્યું છે તેની અમે ટૂંકમાં ચર્ચા કરી. પરંતુ આ બેઠકમાં ખરેખર અમારા દ્વિપક્ષીય સંબંધો અને તેમની સામેના પડકારો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.” ચીનની સત્તાવાર સમાચાર એજન્સીએ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનને ટાંકીને કહ્યું કે, “ચિને જયશંકરને કહ્યું કે બંને પક્ષોએ બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી મહત્ત્વપૂર્ણ સહમતિનો અમલ કરવો જોઈએ, વાતચીત જાળવી રાખવી જોઈએ, વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોના સુધારણાને પ્રોત્સાહન આપવા અને તેને સતત મજબૂત કરવા જોઈએ.” ચિને કહ્યું, “દ્વિપક્ષીય સંબંધોમાં સીમા મુદ્દાને તેના યોગ્ય સ્થાને મૂકવો જોઈએ.” તેમણે કહ્યું કે સરહદો પર સ્થિતિ વહેલી તકે સામાન્ય થવી જોઈએ.

 

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
S Jaishankar Holds Meet With China's FM Qin Gang Over LAC Situation
દેશMain Post

G20માં LACની સ્થિતિનો મુદ્દો ગરમાયો, જાણો એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને શું કહ્યું?

by Dr. Mayur Parikh March 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

G-20 કોન્ફરન્સમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની વર્તમાન સ્થિતિ નો મુદ્દો ગરમ રહ્યો હતો. ભારતે માત્ર ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગ સાથે સરહદ ની સ્થિતિ અને તેના કારણો વિશે વાત કરી એટલું જ નહીં, સખત વાંધો પણ ઉઠાવ્યો. તમને જણાવી દઈએ કે જૂન 2020થી ભારત અને ચીન વચ્ચે LAC ની સ્થિતિ ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. સૌથી પહેલા જૂન 2020 માં ચીને ગલવાન ખીણમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય સૈનિકો સાથે સૌથી વધુ હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. આ પછી નવેમ્બર 2022માં પણ ચીને તવાંગ વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિશ નું પુનરાવર્તન કર્યું, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ખદેડીને અને સરહદથી ભગાડી દીધા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગ સાથે મુલાકાત કરી, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ચર્ચા G20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને મળ્યા. અમારી વાતચીત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ માટેના વર્તમાન પડકારો પર કેન્દ્રિત હતી.” ડિસેમ્બરમાં ચીનના વિદેશ મંત્રી બન્યા બાદ ચિન ગેંગની જયશંકર સાથે આ પ્રથમ મુલાકાત છે.

આ સમાચાર પણ વાંચો  :  આમ જનતાને વધુ એક ઝટકો, મોંઘા થઈ જશે રિચાર્જ પ્લાન, આ કંપનીએ શરૂ કરી દીધી તૈયારી..

જયશંકર લગભગ આઠ મહિના પહેલા બાલીમાં જી-20 બેઠક દરમિયાન તત્કાલીન ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. તેમણે પૂર્વી લદ્દાખ ના તમામ પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત વિશે 7 જુલાઈએ એક કલાકની બેઠક દરમિયાન વાંગને જણાવ્યું હતું. વાંગ ગયા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત અને ચીને 22 ફેબ્રુઆરીએ બીજિંગમાં સીધી રાજદ્વારી વાટાઘાટો કરી હતી અને પૂર્વી લદ્દાખમાં એલએસી સાથેના બાકીના ઘર્ષણ બિંદુઓથી સૈનિકોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર “ખુલ્લી અને સકારાત્મક ચર્ચાઓ” કરી હતી.

March 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
UPI could become a template for digital payments for other countries PM at G20
વેપાર-વાણિજ્યTop Post

ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમે બદલી વહીવટની રીત, વડાપ્રધાને G20 બેઠકમાં ગણાવ્યા UPIના ફાયદા

by Dr. Mayur Parikh February 24, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ખૂબ જ સુરક્ષિત, ભરોસાપાત્ર અને સસ્તું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને કારણે લોકોના સામાન્ય જીવનમાં ઝડપી વહીવટ, નાણાકીય સમાવેશ અને લોકોનું જીવન સરળ બનાવ્યું છે.

વર્ચ્યુઅલ રીતે મીટિંગને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને ઉત્પાદકો ભવિષ્ય વિશે આશાવાદી છે. અમે આશા રાખીએ છીએ કે તમે આ સકારાત્મકતાને વૈશ્વિક અર્થતંત્રમાં ફેલાવશો. વડા પ્રધાને કહ્યું કે G20 ના પ્રમુખપદ દરમિયાન અમે એક એવું ફિનટેક પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની મદદથી G20 સભ્ય દેશોના મહેમાનો ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPIનો ઉપયોગ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે અદાણી કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, કહી દીધી આવડી મોટી વાત

G20ની આ બેઠક બેંગલુરુમાં થઈ રહી છે અને શુક્રવારે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ હાજર હતા. તમને જણાવી દઈએ કે ઘણી સરકારી યોજનાઓના પૈસા પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ રહ્યા છે. આ સાથે સામાન્ય લોકો પણ રોજબરોજની વસ્તુઓ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. ભારતનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI અને Pay Now હવે સિંગાપોરમાં પણ કામ કરશે. જણાવી દઈએ કે ભારત અને સિંગાપોરે તેમની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લિંક કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે દર વર્ષે એક અબજ ડોલરથી વધુનું આદાનપ્રદાન થાય છે.

 

February 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

by Dr. Mayur Parikh July 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારે(Central govt) ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G-20) જૂથના ભારતના શેરપા તરીકે નીતી આયોગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતાભ કાંત(Amitabh Kant)ની નિમણૂક કરવાની જાહેરાત ગુરુવારે કરી છે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયુષ ગોયલ(Piyush Goyal)ની જગ્યા લેશે.

દેશમાં પ્રથમ વખત 2023ની સાલમાં G-20 સમિતનું આયોજન કરવામાં આવવાનું છે. આ નિમણૂક મહત્વની ગણાય છે કે કારણે 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી ભારતમાં G-20ની અધ્યક્ષતામાં ભારત(India)માં 2023ની સાલમાં પહેલી વખત G-20 સમિટનું આયોજન કરવામાં આવવાનું છે.

G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક અને ઉભરતા અર્થતંત્ર માટેનું પ્રીમિયર ફોરમ(premium forum) છે અને વૈશ્વિક આર્થિક શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

અમિતાભ કાંત, બ્યુરોક્રેટ હતા અને સરકારી નોકરી આયોગમાંથી ગયા મહિને જ રિટાયર્ડ થયા છે.  તેઓ G-20 સમિટમાં સરકારના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના વ્યક્તિગત પ્રતિનિધિ બનશે.

શેરપા તરીકે અમિતાભ કાંત(Amitabh Kant) વિવિધ નીતિના મુદ્દાઓ પર ભાગીદાર દેશો સાથેની  પ્રી સમિટ મીટિંગ્સ અને વાટાઘાટો માટે જવાબદાર રહેશે.

પીયુષ ગોયલ, જે કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન અને ટેક્સટાઇલ્સના કેન્દ્રીય પ્રધાન પણ છે. તેમની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શેરપાની નિમણૂક કરવામાં આવી હતી.

નિષ્ણાતોના કહેવા મુજબ આ વર્ષે ડિસેમ્બરથી G-20નું અધ્યક્ષપદ ભારત પાસે આવવાનું હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં યોજાનારી અસંખ્ય બેઠકોમાં સમય ફાળવવા માટે સંપૂર્ણ સમયના શેરપાની જરૂર હતી.

પીયૂષ ગોયલને પહેલેથી જ રાજ્યસભા(rajya Sabha)ના નેતા જેવી અન્ય દબાણયુક્ત ફરજો સોંપવામાં આવી છે, તેથી તેઓ વધુ સમય શેરપા તરીકે આપી શકે તેમ નહોતા.

G-20 દેશો વિશ્વના કુલ સ્થાનિક ઉત્પાદનના 80 ટકાથી વધુ, આંતરરાષ્ટ્રીય વેપારના 75 ટકા અને વિશ્વની વસ્તીના 60 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. 1999 માં તેની સ્થાપના પછીથી ભારત G-20 નો સભ્ય રહ્યો છે.

July 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સોનેરી અવસર! G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, સરકારે લોગો બનાવવા માટે રાખી આ હરીફાઈ, મંગાવાયા આઈડિયાઝ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 7, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ભારત(India) વિશ્વના સૌથી વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાના(Economics) ગ્રુપ G-20ની અધ્યક્ષતા કરશે. 

ભારત 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી જી-20ની અધ્યક્ષતા કરશે. 

સાથે જ તે જી 20 સમિટની(Summit) 2023માં મેજબાની કરશે. 

આમાં ભારતને સૌથી અનોખા અંદાજમાં રિપ્રેજેંટ(Represent) કરવામા આવે, તેના માટે વિદેશ મંત્રાલયે(MEA)(Foreign ministry) એક ખાસ લોગો ડિઝાઈન(Logo design) કરવાની હરીફાઈ રાખી છે. જેમાં આઈડિયા(Idea) માગવામાં આવ્યા છે.

જી 20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું(International Economic Cooperation) એક મુખ્ય મંચ છે, જે વૈશ્વિક આર્થિક ગવર્નેંસમાં(Global economic governance) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે આ મુદ્દાઓ પર કરી વાત.. જાણો વિગતે

May 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક