Tag: ganesha devotees

  • પર્યાવરણનું જત-  મુંબઈમાં અધધ- આટલા ટકા ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું કૃત્રિમ તળાવોમાં

    પર્યાવરણનું જત-  મુંબઈમાં અધધ- આટલા ટકા ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું કૃત્રિમ તળાવોમાં

     News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં દિવસેને દિવસે વધુ ગણેશભક્તો(Ganesha devotees) પોતાની બાપ્પાની મૂર્તિનું વિસર્જન(Ganesh Murti Visarjan) ઈકો ફ્રેન્ડલી પદ્ધતિએ(Eco friendly method) કરવાનું પસંદ કરી રહ્યા છે. ગુરુવારે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિના વિસર્જન(Ganesh Visarjan) દરમિયાન 40 ટકા ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યા હતા.

    કુદરતી પાણીના સ્ત્રોત(Natural water sources) ગણાતા તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું(Plaster of Paris) મૂર્તિઓ વિસર્જનને કારણે તળાવોમાં રહેલા જળજીવોને નુકસાન થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મુંબઈમાં ગણેશમૂર્તિના વિસર્જન માટે વર્ષોથી આર્ટિફિશ્યલ લેક (Artificial lake ) ઉભા કરતી આવી છે. તેમાં ગણેશભક્તોને તેમની મૂર્તિનું વિસર્જન કરવાની અપીલ કરતી હોય છે. મુંબઈગરાને પણ પાલિકાનો આ કોન્સેપ્ટ પસંદ પડી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : ગણેશ દર્શન સાથે નજર પાલિકા ચૂંટણી પર- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાતે- આ પ્લાન મૂકશે અમલમાં

    ગુરુવારે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન હતું. મોટી સંખ્યામા ઘરના ગણપતિમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ મોડી સાંજ સુધીમાં 34,122 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તેમાથી 40 ટકા એટલે કે 13,362 મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. ગુરુવારના મોટાભાગના ઘરના ગણપતિનું વિસર્જન થયું હતું. લગભગ 33,962 ગણેશમૂર્તિ ઘરના ગણપતિની હતી. જ્યારે બાકીની સાર્વજનિક અને હરતાલિકાની મૂર્તિઓ હતી.
     

  • લો બોલો- હવે વિઘ્નહર્તાની મૂર્તિ ને પણ GST નું વિઘ્ન-મૂર્તિઓના ભાવમાં થયો જબ્બર વધારો

    લો બોલો- હવે વિઘ્નહર્તાની મૂર્તિ ને પણ GST નું વિઘ્ન-મૂર્તિઓના ભાવમાં થયો જબ્બર વધારો

    News Continuous Bureau | Mumbai

    સામાન્ય માણસોને પરેશાન કરનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)નું ગ્રહણ હવે ગણેશ મૂર્તિને(Ganesh Idols) પણ નડી રહ્યું છે. GSTને કારણે મૂર્તિઓના ભાવમાં(Price of Idols) લગભગ 40 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

    કોરોના મહામારીને(Corona epidemic) પગલે છેલ્લા બે વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી(Celebration of festivals) થઈ શકી નહોતી. આ વખતે તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. તો મોંઘવારી અને GSTને કારણે ગણેશોત્સવની ઊજવણી થોડી ઠંડી જણાઈ રહી છે. ગણેશમૂર્તિઓ પર પણ GST લાગુ પડ્યો છે, તેથી ગણેશભક્તો(Ganesha devotees) માં ભારે નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે(Central Govt) અનેક વસ્તુઓ પર GST લાદી દીધો હતો.

    આ સમાચાર પણ વાંચો : દેશની આ સરકારી બેંક ખાનગીકરણ ના માર્ગે-. સરકાર બેંકનો 51થી વધુ હિસ્સો વેચી મારશે

    સરકારના આ નિર્ણયને પગલે મૂર્તિ બનાવવામાં વપરાતા રો-મટિરિયલ(raw material) ને GST લાગુ પડી રહ્યો છે, તેને કરણે મૂર્તિઓના ભાવ વધી ગયા છે. મૂર્તિ માટે વપરાતી માટીની કિંમત પ્રતિ 20 કિલોના 180 રૂપિયા હતા. આ વર્ષે રો- મટિરિયલ પર GST લાગવાથી તેની કિંમત 250થી 300 રૂપિયા થઈ ગઈ છે.

    મુંબઈ સહિત દેશભરમાં ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. જોકે મૂર્તિના ભાવ વધવાની સાથે જ સજાવટની વસ્તુઓ(Decorations) પણ મોંધી થઈ ગઈ છે.  અગાઉ બાપ્પાની  મૂર્તિ માટે વપરાતા કપડાં 35થી 40 રૂપિયા રહેતા હતા. GSTને કારણે પ્રતિ મીટર કપડાંનો ભાવ 55થી 60 રૂપિયા થઈ ગયો છે. મૂર્તિના સજાવટ માટે વપરાતા ઓઈલ પેઈન્ટના ભાવમાં 20 ટકાનો વધારો તો કલર કરવા માટેના બ્રશમાં પણ વધારો થયો છે. ફૂલ, ધૂપ સહિત અન્ય પૂજાના સામાનના ભાવમાં પણ વધારો થયો છે. મૂર્તિ બનાવનારા લેબર કોસ્ટમાં પણ વધારો થયો છે.