Tag: gir forest

  • Wolf census: ભારતીય વરુના સંરક્ષણ માટે રાજ્ય સરકારના વચન અને ‘ગીર’ ફાઉન્ડેશનની નવી પહેલ

    Wolf census: ભારતીય વરુના સંરક્ષણ માટે રાજ્ય સરકારના વચન અને ‘ગીર’ ફાઉન્ડેશનની નવી પહેલ

    News Continuous Bureau | Mumbai

    Wolf census: વરુ વસ્તી ગણતરી-૨૦૨૩ મુજબ રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ, સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા. ‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ

    વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી   અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરાઈ;

    જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ

     

    ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વરુના  સંરક્ષણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલી બનાવવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદનું વાતાવરણ છે.

     

    Wolf census: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આ પહેલો વધુ સુદ્રઢ અને મજબુત બની છે. જેના પરિણામે ગુજરાત વન વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. મંત્રીશ્રીઓની આગેવાનીમાં તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે.

     

    જેના પરિણામ વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં વરુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ નોંધાયા છે.

    આ સમાચાર પણ વાંચો  :Maha Kumbh: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

    જેમાં સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે ૩૯ નર્મદા જિલ્લામાં, ૩૬ બનાસકાંઠામાં, ૧૮ સુરેન્દ્રનગરમાં, ૧૨-૧૨ જામનગર અને મોરબીમાં તેમજ ૦૯ કચ્છ જિલ્લામાં વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મેહસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.

     

    આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાઓની એક નકશાપોથી (એટલાસ) – રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ એટલાસ ભારતીય વરુના સંરક્ષણના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે એક મુખ્ય પ્રજાતિ છે જે પર્યાવરણીય સંતુલન જાળવવા અને કૃષિ ટકાઉપણાને સમર્થન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

     

    Wolf census: ‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ઉપલબ્ધ રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ આ એટલાસ તારીખ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ‘સુ-શાસન’ના દિવસે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં વરુના આવાસોનો એટલાસ વિમોચન કરવામાં આવ્યું છે. 

     

    ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એટલાસનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વરુના અનુકૂળ આવાસોને ઓળખવાનો છે. જેથી જો વરુના અનુકૂળ આવાસોને સંરક્ષણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે તો વરુનું અને અન્ય વન્યજીવોનું પણ સંરક્ષણ થશે અને પરિણામ સ્વરૂપ વરુની વસ્તીમાં પણ વધારો થશે. આ અનુકૂળ વિસ્તારો વિષેની વિસ્તૃત માહિતી આ એટલાસમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં  રાજ્યના ૧૩ જીલ્લાઓમાં વરુની હાજરી અને તેના આવાસોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ આવાસો અસરકારક સંરક્ષણ વરુના સંરક્ષણ દ્વારા તેની વધતી વસ્તીને અનુકૂળ વિસ્તારો પ્રાપ્ત થઇ શકે.

     

    Wolf census: વરુના વસવાટ માટે ગુજરાત આદર્શ નિવાસસ્થાન

    ગુજરાતમાં વરુ મુખ્યત્વે જંગલ તેમજ રણ વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી છૂપાઇવાળા અને વૃક્ષોથી ભરેલા વિસ્તારોમાં વસવાટ કરે છે. આ એટલાસ મુજબ વરુ માટે અનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વે ખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અને પાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતા સાથેના ઘાસના મેદાનોથી બનેલા છે, જે ભારતીય વરુ માટે આદર્શ નિવાસ સ્થાન છે.

     

    આ ઉપરાંત, કચ્છના નાના અને મોટા રણને પણ ભારતીય વરુ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે. સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે, તે બીજું એક મુખ્ય સ્થાન છે જ્યાં વરુ એ કુદરતી શિકારી તરીકે કાળિયારની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

    આ સમાચાર પણ વાંચો  :State GST :સ્ટેટ જીએસટી ખાતા દ્વારા કરચોરી કરતા મોબાઇલ ફોનનાં વેપારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી

    Wolf census: ‘ગીર’ ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશાપોથી (એટલાસ), તેના મુખ્ય નિવાસ સ્થાનોને જોડતા મહત્વપૂર્ણ ‘કોરિડોર’ને ઓળખવામાં પણ મદદરૂપ સાબિત થશે. આ કોરિડોર ભારતીય વરુની હિલચાલ અને આનુવંશિક વિવિધતા માટે મહત્વપૂર્ણ છે, જે તેના લાંબા ગાળાના અસ્તિત્વ માટે જરૂરી છે. આ એટલાસ ભાવિ સંરક્ષણની વ્યૂહરચનાઓની યોજના બનાવવા અને સુરક્ષાની જરૂરિયાતવાળા વિસ્તારોને પ્રાધાન્ય આપવા માટે એક નિર્ણાયક સાધન તરીકે જરૂરી છે.

     

    ‘ગીર’ ફાઉન્ડેશન આ એટલાસ ગુજરાતમાં ભારતીય વરુના નિવાસસ્થાનોને અસરકારક રીતે સંચાલિત અને સંરક્ષિત કરવા માટે માર્ગદર્શક સંસાધન તરીકે સેવા આપશે. આ એટલાસ વર્ષોના ક્ષેત્રિય માહિતી, વન વિભાગના સ્ટાફના સતત અવલોકનો, સંશોધન અને સંરક્ષણના કારણ માટે પ્રતિબદ્ધ નિષ્ણાતોના સામૂહિક જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત વરુઓનું જતન તેમજ ખોટી માન્યતાઓને દૂર કરવા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને  દ્વારા જંગલો, રણ પાસે વસવાટ કરતા નાગરિકોને વરુને બચાવવા અને તેમનું જતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

     

    Wolf census: વરુની ઓળખ

    વરુ (Wolf)એ પ્રકૃતિમાં પામેલા બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ “Canis lupus pallipes” છે. વરુના શરીરનો માપ ૦૩ થી ૦૫ ફૂટ લાંબો અને તેનો વજન ૩૦ થી ૮૦ કિલોગ્રામ સુધી હોય છે. તેના ચોખ્ખા શરીર, ચમકીલી આંખો અને લાંબી પૂંછડી તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. તેની રૂંવાટીમાં ભૂખરો, કાળો, સફેદ અથવા ખાખી જેવા રંગો હોય છે, જે તેને તેના પર્યાવરણમાં છુપાઈ રહેવા સહાય કરે છે.

     

    વરુના સમૂહને “પેક” નામથી ઓળખાય છે. સામાન્ય રીતે એક સમૂહમાં ૦૬ થી ૧૫ વરુ હોય છે. જેમાં એક આલ્ફા નર અને આલ્ફા માદા જે આખા સમૂહના અગ્રણી હોય છે. તેઓ સાથે શિકાર કરે છે, ખોરાક વહેંચે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.

     

    Wolf census: વરુ માત્ર એક શિકારી પ્રાણી નથી, પરંતુ તે પ્રકૃતિના સંગઠનનું એક અનિવાર્ય અંગ છે. તેની બુદ્ધિ, સામાજિક વ્યવસ્થાથી ભજવાતી ભૂમિકા અને પ્રકૃતિમાં તેનું સ્થાન માણસને પ્રકૃતિ સાથેના સંબંધને વધુ ગાઢ બનાવવાની પ્રેરણા આપે છે. ગુજરાતના ઇકોસિસ્ટમમાં વરુની શિકાર ટેવ અને તેમની તંદુરસ્ત વસ્તી પર્યાવરણના સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ ઘટના, સિંહ અને સિંહબાળ સાથે મસ્તી કરતો આવ્યો નજર.. જુઓ વિડીયો..

    ભાગ્યે જ જોવા મળે તેવી વિરલ ઘટના, સિંહ અને સિંહબાળ સાથે મસ્તી કરતો આવ્યો નજર.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    સોશિયલ મીડિયા પર જંગલમાં સિંહ – સિંહણ તથા તેના બચ્ચાના અવનવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલમાં ભાગ્ય જોવા મળતી પળ એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે તેના કેમેરામાં કેદ કરી છે. જેમાં સિંહ પોતાના સિંહબાળ સાથે ગમ્મત કરતો જોવા મળી રહ્યો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Karim Kadiwar (@kadiwarkarim)

    કેમ કહેવાય છે આ ક્ષણ અનોખી?

    સામાન્ય રીતે સિંહબાળ પોતાની રીતે શિકાર માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી મોટેભાગે બચ્ચા સિંહણ સાથે જોવા મળે છે. પરંતુ પુખ્ત સિંહ અને સિંહબાળ ગમ્મત કરતું હોય જેને ખૂબ જ અદ્ભુત ઘટના માનવામાં આવે છે. સિંહ મોટાભાગે સિંહબાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક હકીકત સિંહ પરિવારમાં સામાન્ય માનવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો:  ગિટાર અને બાંસુરી ની અનોખી જુગલબંધી, મેટ્રો ટ્રેનમાં એક બે સહયાત્રીઓએ વગાડી સુંદર ધૂન.. તમે પણ સાંભળો..

  • ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા સાવજ  

    ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા સાવજ  

    News Continuous Bureau | Mumbai

    સિંહો (lion) ને દોડાવી દોડાવીને હંફાવી દીધા ગીર નજીક જંગલ (Gir) માં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં ગાયે (Cow) મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગાયે મોત સામે લડી ડાલામથ્થાને ભગાડ્યા ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરંતુ તેમ હોવા છતાં ઇજાગ્રસ્ત ગાયે (Cow) પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા. આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૈદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે.

    મેધાણીએ તેનું વર્ણન જે રીતે કર્યુ તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં હતા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. તેઓ સહેલાઇથી શિકાર (Fight) પણ મેળવી લેતા હોય છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી મહામુસીબતે ઉભી થઇ હતી. અને સિંહોની પાછળ દોટ મુકતા બન્ને સિહોને ઉભી પુચડીએ ભગાડ્યા હતા. આવી ઘટના ક્યારેક જોવા મળતી હોય છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: રિયલ લાઈફમાં પણ ગ્લેમરસ ક્વીન છે ફિલ્મ ફ્રેડીની એક્ટ્રેસ, ખુબ જ બોલ્ડ અંદાજમાં આપ્યા પોઝ.. જુઓ ફોટોઝ

  • આ બુથ પર 100% મતદાન પૂર્ણ: ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ મતદાન બુથ ઉપર મહંતે મતદાન કર્યું; રાજ્યનું પ્રથમ 100 ટકા મતદાન થનાર બુથ બન્યું

    આ બુથ પર 100% મતદાન પૂર્ણ: ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ મતદાન બુથ ઉપર મહંતે મતદાન કર્યું; રાજ્યનું પ્રથમ 100 ટકા મતદાન થનાર બુથ બન્યું

     News Continuous Bureau | Mumbai

    ગીર સોમનાથના એક એવા મતદાર જે પોતાના મતાધિકારને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. આ મતદાર છે ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ ગીર જગ્યાના મહંત કે જેઓ મતદાન કરે એટલે 100 ટકા મતદાન થઈ જાય છે. ત્યારે આજે મતદાનના દિવસે મહંતે મત આપીને લોકશાહીના પર્વમાં સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. એક વ્યક્તિ માટે તૈયાર થાય છે બુથ ભારત દેશની અંદર આ એકમાત્ર એવું મતદાન બુથ છે, અહીં માત્ર એક જ મંદિરના મહંતના મત માટે ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિ.મી. દુર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીર ખાતે મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે. ચુંટણી પંચ દ્વારા આ બુથમાં 15 વ્યક્તિઓને મતદાન સંબંધી કામગીરી માટે મોકલી બુથ ઉભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસબાપુ અચૂક મતદાન કરે છે.

    ચૂંટણી પંચ દ્વારા કયા બૂથ પર કયા પક્ષને કેટલા વોટ મળ્યા તે જાહેર કરવામાં આવતું હોય છે, જેના કારણે હરિદાસ બાપુનો મત એ ગુપ્ત રહેતો નથી એ પણ રસપ્રદ વાત આ બુથની છે

    2002થી પોલિંગ બુથની શરૂઆત

    ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ.ભરતદાસ બાપુ માટે પોલિંગ બુથ ઉભુ કરવામાં આવતું હતું. પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. જેમનો ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત સમયે પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે હરિદાસ બાપુએ જણાવ્યું કે, અહીં કોઈ નેતા પ્રચાર માટે ક્યારેય આવ્યા નથી. એક મત છે અને તે પણ જંગલની અંદર 25 કિમી દૂર નેશનલ પાર્ક વિસ્તારમાં.

    આ સમાચાર પણ વાંચો : Shraddha Walkar Murder Case : શ્રદ્ધાના હાડકાં, કપડાં ક્યાં ફેંક્યા? આફતાબે નાર્કો ટેસ્ટમાં આપ્યો જવાબ…

    અહીં નેશનલ પાર્ક હોવાના કારણે કોઈ સુવિધા ન મળે પરંતુ શ્રદ્ધાળુઓને 25 કિમી જંગલનો ઉબડ ખાબડ રસ્તો પસાર કરી અહીં પહોચવું પડે છે. વર્ષો જૂની માંગ છે રસ્તાની મરામત થાય પરંતુ હજુ સુધી તે સંતોષાય નથી. અહીં સિંહ, દિપડા સહિતના હિંચક પ્રાણીઓ સાથે પણ રૂબરૂ થવું પડે છે. જો કે તેમ છતાં ચૂંટણી પંચ એક મત માટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. નવાયની વાત એ છે કે દર ચૂંટણીમાં અહીં 100 ટકા મતદાન નોંધાય છે.

     

  • જલસો પડી ગયો બાપુ- ગીર જંગલ સફારીમાં 15 સિંહોને નિહાળી પ્રવાસીઓ બન્યા રોમાંચિત

    જલસો પડી ગયો બાપુ- ગીર જંગલ સફારીમાં 15 સિંહોને નિહાળી પ્રવાસીઓ બન્યા રોમાંચિત

    News Continuous Bureau | Mumbai

    એશિયાટિક સિહોના(Asiatic Lions) એકમાત્ર નિવાસ સ્થાન જંગલની સફારી(Jungle Safari) ચોમાસાના (monsoon) કારણે ચાર માસ બંધ રહ્યા બાદ અનેક પ્રવાસીઓ સિંહ દર્શન(lion sighting) માટે આતુર બન્યા હતા. આજથી ફરી ગીર જંગલ(Gir forest) સફારીની વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. સાસણ(Sasan) ખાતે વન વિભાગના(Forest Department) ડી સી એફ સરપંચ(D C F Sarpanch) વગેરે શણગારેલી ત્રણ જીપસીઓ સહિતની પ્રથમ ટ્રીપ ને લીલી ઝંડી બતાવી અલગ અલગ રૂટ પર રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ડેડકડી વિસ્તાર તરફ ગયેલ પ્રવાસીઓને સિહોના બે ગ્રુપ જોવા મળ્યા હતા. જીપ્સી રૂટ પર આવેલ ડેડકડી નજીકના ગડક બારી વિસ્તારમાં 9 પાથડાઓ ચાર માદા અને બેનર સિંહ મળી એક સાથે ૧૫ સિંહ પૈકી અમુક મરણની બીજબાની માણતા હતા. અમુક પાઠડા સિંહણ અને સિંહ મરણની આસપાસ આરામ ફરમાવી રહ્યા હતા. ઉપર કાગડાઓ ઉડતા હતા અને મારણ ખાવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે સિંહ કાગડાની પાછળ દોડતા હતા. આ દ્રશ્ય જોઈ એ પ્રવાસીઓ ખૂબ જ આકર્ષિત થયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારમાં બે મોટા નર અને બે માદા પણ પાણીના પોઇન્ટ નજીક ની રોડની બંને બાજુ પર જોવા મળી રહ્યા હતા

    આ સમાચાર પણ વાંચો : પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો

     

  • પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

    પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ઉનાળાના વેકેશનમાં મુંબઈથી સોમનાથ અને ગીરના જંગલો ફરવા જવા ઈચ્છતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. હવે મુંબઈથી ટૂંકા સમયમાં જ સોમનાથ ગીરના જંગલમાં પહોંચી શકાશે.

    આગામી 16 એપ્રિલથી મુંબઈથી કેશોદની સીધી ફલાઈટ ચાલુ કરવામાં આવવાની છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia) હસ્તે આ નવી ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે.

    આ ફ્લાઈટ કેન્દ્ર સરકારની UDAN યોજનાનો ભાગ છે, જેમાં 50 ટકા સીટની ટિકિટ ડિસ્કાઉન્ટ રેટ (Discont Rate) પર ઉપલબ્ધ હોય છે. આ ફ્લાઈટનું ઉદ્ઘટાન 16 એપ્રિલ, 2022ના બપોરના બે વાગે થવાનું છે. ત્યારબાદ મુંબઈથી બપોરના 3.30વાગે ફ્લાઈટ ઉપડશે.

    આ સમાચાર પણ વાંચો  : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત

    શરૂઆતમાં આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે. જેમાં બુધવાર, શુક્રવાર અને શનિવારે ફ્લાઈટ ઉપડશે. કેશોદ એરપોર્ટ જગવિખ્યાત ગીર અને સોમનાથ મંદિર નજીક આવેલું છે. એરપોર્ટ બનવાના લગભગ 21 વર્ષ બાદ અહીંથી કોર્મશિયલ ફ્લાઈટ શરૂ થઈ રહી છે.