• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - god
Tag:

god

Message From God Release of Gujarati book 'Paramatmano Sandesh' by Shri Pradeep Mukherjee..
Gujarati Sahitya

Message From God : ગુજરાતી પુસ્તક ‘પરમાત્માનો સંદેશ’નું શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા વિમોચન..

by kalpana Verat May 16, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Message From God : 

  • “જ્યારે પરમાત્મા કહે છે તમારા ભગવાન એ ભગવાન નથી” પરમાત્માનો સંદેશ પુસ્તકનું વિમોચન શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા.
  • મનુષ્યની પીડાનું કારણ એ જ ભગવાન છે જે ભગવાનની તેઓ ભક્તિ કરે છે. સત્ય God જે પરમાત્મા જ છે. માત્ર પરમાત્મા જ માનવોના જીવનમાં શાંતિ અને સરળતા લાવી શકે છે.

પરમાત્માનો સંદેશ ગુજરાતી પુસ્તક (Message From God) એક પ્રસ્તાવ આપે છે, માનવ જાતિ ની પીડા અને વેદના ને હીલ (heal) કરવાનું. આ પુસ્તકનું વિમોચન પુસ્તકના લેખક શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા શાહ ઓડિટોરિયમ માં થયું હતું, જે ગુજરાતી સમાજના પ્રાંગણમાં સિવિલ લાઇન એરિયા, નેશનલ કેપિટલ માં આવેલ છે. આ પુસ્તક નો ગુજરાતી અનુવાદ શ્રીમતી ફાલ્ગુની પાઠક દ્વારા કરવામાં આવ્યો છે, અને તેઓ (ફાલ્ગુની બેન) સ્વયં ઉપસ્થિત હતા. પુસ્તકના વિમોચનના અવસરે મુખ્ય આદરણીય મહેમાન ડોક્ટર સોનલબેન માનસિંહ હતા. તેઓ પદ્મવિભૂષણ પુરસ્કિત છે અને પાર્લામેન્ટ અને રાજ્યસભાના માનનીય સભ્ય પણ છે.

શ્રી પ્રદીપ સર અનુસાર મનુષ્ય જેમનો વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે તેઓ સત્ય પરમાત્મા નથી તેઓ કહે છે આપણી તમામ પીડા, વેદના, દુઃખ અને શારીરિક તકલીફો નું મૂળ કારણ તેવો જ છે જે અલગ અલગ ભગવાનને આપણે પૂજીએ છીએ. તેઓ પ્રાર્થનાની ચાહ કરે છે અને તેની સામે બ્રાહ્મક ભરોસો આપે છે, અને દરેક ધર્મ, અધ્યાત્મિકતા અને તત્વજ્ઞાન ની રચના જ એવી રીતે થઈ છે કે સત્ય પરમાત્માનું અસ્તિત્વ ઉજાગર જ ના થાય કે આપણે સત્ય પરમાત્મા સાથે જોડાઈ શકીએ.

આ પુસ્તક કોઈપણ આધ્યાત્મિકતા ધર્મ કે દિવ્યતા વિષે નથી.

Message From God : શ્રી પ્રદીપજી જણાવે છે :

ધર્મ અને અધ્યાત્મિકતામાં મને કોઈ રસ નથી મને હીલિંગ( healing) માં રસ છે. હું શું કરી શકું મારી શારીરિક અને માનસિક બંને પીડાઓને હીલ (heal) કરવા માટે, આટલું કહી તેઓ આગળ ઉમેરે છે કે મારું કાર્ય એની અચૂક પણે ખાતરી રાખવાનું છે કે પરમાત્માનો સંદેશ સમગ્ર માનવ જાતિ સુધી પહોંચે જે તેઓની રોજબરોજની જિંદગીમાં સરળતા અને શાંતિ લાવે.

શ્રી પ્રદીપ મુખર્જીએ સ્વયંના પુસ્તકના વિમોચન વિશે જણાવ્યું કે “હું આ વિશ્વનો પ્રથમ લેખક છું જે કહે છે મારું પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી અને આપ આ પુસ્તકનો ઉપયોગ વાંચ્યા વગર કરો, માત્ર પુસ્તક સાથે આપ સૌ વાતચીત કરો અને આ પુસ્તક આપની જિંદગીમાં હીલિંગ(healing) લાવશે.”

વાસ્તવમાં આ પુસ્તક “Message From God” નાં તમામ વિષય વસ્તુઓના ત્રણ દિવસના વર્કશોપ શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા સાત વર્ષ – ઓગસ્ટ 2023 સુધી લેવામાં આવ્યા હતા.

આ પુસ્તક અંગ્રેજી હિન્દી તેલુગુ અને હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. જેમ કે શ્રી પ્રદીપ સર કહે છે કે પુસ્તકમાં આપેલ વિષયનો વિશ્વાસ કરવાની જરૂર નથી. તેને બદલે માત્ર આપ તેને અજમાવી જુઓ. આ અવસરે પરમાત્મા ના હીલિંગ કાર્ડસ (cards) નું પણ દરેકને નિ:શુલ્ક વિતરણ થયું હતું જેથી વ્યક્તિઓ 30 દિવસ માટે તેને અજમાવી જોઈ શકે કે જીવન કેવું બદલાય છે.

શ્રી પ્રદીપજી સ્વયં નાં અંતઃજ્ઞાનને લોકો સમક્ષ લાવવા માટે અમદાવાદથી દિલ્હી સુધી પ્રવાસ કર્યો તે માટે તેમનો આભાર માનતા SSLT ગુજરાત સ્કુલના ચેરમેન અને દિલ્હી ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ આચાર્યએ જણાવ્યું કે પ્રદીપ સર નો સંદેશો જે સમગ્ર મનુષ્ય જાતિને પીડા અને વેદનામાં રાહત આપવાનો છે અને તેઓ એ વિવિધ god વિષે કરેલી તેમની સ્પષ્ટતા તેમના હ્રદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ છે અને તેઓએ કહ્યું કે પ્રદિપજી એ સત્ય પરમાત્મા તરફ જવાની દિશા બતાવી છે અને આગળ ઉમેર્યું કે હું પણ વ્યક્તિગત રીતે 30 દિવસ માટે આ અજમાવી જોઇશ.

  આ પુસ્તક AlakhGod.com પર ઉપલબ્ધ છે.

Message From God : “શ્રી પ્રદીપ મુખર્જી વિષે”

શ્રી પ્રદીપ મુખર્જી ને તમે ક્યારેય પણ મળો તો તેઓ અત્યંત સાદગીપૂર્ણ અને સૌમ્ય વ્યક્તિ છે . અને તેઓ અત્યંત વિનમ્રતાથી કહે છે : તેઓ ના ધાર્મિક છે, ના આધ્યાત્મિક છે, અને ના કોઈ વિદ્વાન છે . તેઓ કહે છે કે તેઓ પવિત્ર નથી અને દિવ્ય પણ નથી. તેમને પરમાત્માના નામ પર કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવામાં કોઈ રસ નથી, પરંતુ જ્યારે પરમાત્મા તેઓની પાસે આવ્યા તો એક કુતુહલતાથી તેઓશ્રીએ પરમાત્માના કાર્યમાં આગળ વધવાનો નિર્ધાર કર્યો. તેઓ એક ગહન આંતરિક સમજશક્તિ અને અંતઃજ્ઞાન ની અનોખી ક્ષમતા ધરાવે છે. તે જ કારણે તેઓ પરમાત્મા સહ અને અન્ય કોઈપણ જે પરમાત્મા નથી તેઓ સાથે સંવાદ-સંપર્ક કરી શકે છે.

શ્રી પ્રદીપજી એ છેલ્લા આઠ વર્ષથી સંપૂર્ણપણે અને અવિરત પરમાત્માની ઈચ્છા નું અનુસરણ કરીને પરમાત્મા ના કાર્યમાં પોતાનું જીવન પસાર કર્યું છે. જે કાર્ય ને માનવ જાતિ સાથે કોઈ લાગતું વળગતું જ ન હતું. પરંતુ આજે તેઓ માનવ જાતિ અર્થે કાર્ય કરી રહ્યા છે. સત્ય પરમાત્માને માનવો સુધી લાવીને જે મિથ્યા ભગવાન છે તેઓનું અસત્ય બહાર લાવી રહ્યા છે. જે તમામ માનવીઓની પીડા અને વેદના નું મૂળ કારણ છે.

પ્રશ્ન હોય તો સંપર્ક કરશે :

રોહિત વોરા : ૯૮૭૧૯૯૨૭૫૦

(rohit48ge@gmail.com)

શિવાની ગાલા : ૯૮૧૯૯૨૩૫૫

May 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
HN Golibar (24)_11zon
ઇતિહાસ

Meher Baba: 1894 માં 25 ફેબ્રુઆરીના રોજ જન્મેલા, મેહર બાબા એક ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા જેમણે કહ્યું હતું કે તે યુગના અવતાર અથવા માનવ સ્વરૂપમાં ભગવાન છે.

by NewsContinuous Bureau February 22, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai  

Meher Baba: 1894 માં 25 ફેબ્રુઆરીના રોજ જન્મેલા, મેહર બાબા એક ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા જેમણે કહ્યું હતું કે તે યુગના અવતાર અથવા માનવ સ્વરૂપમાં ભગવાન છે. 20મી સદીના એક મુખ્ય આધ્યાત્મિક વ્યક્તિ, તેમના સેંકડો હજારો લોકોના અનુયાયીઓ હતા, મોટાભાગે ભારતમાં, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં નોંધપાત્ર સંખ્યા સાથે.

 

 

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chhattisgarh News Brahma And Vishnu Not God Government School Head Master Converted Hindu Dharma Student
રાજ્ય

Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ, પોલીસે કરી કડક કાર્યવાહી..

by kalpana Verat January 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Chhattisgarh News:છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.  મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ  અહીં બિલાસપુરમાં એક મુખ્ય શિક્ષક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પછી, પોલીસે મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.

જુઓ વિડીયો 

सरेआम-खुलेआम मैं ब्रह्मा विष्णु महेश को……

सरकारी स्कूल के हेडमास्टर ने कराया धर्मान्तरण। हिंदू देवी देवताओं को नहीं मानने की दिलाई शपथ। हेड मास्टर रतन लाल सरोवर ने हिंदू देवी-देवताओं के खिलाफ दिलाई अभद्र शपथ। बिलासपुर के शासकीय स्कूल का मामला। 22 जनवरी को अयोध्या में राम… pic.twitter.com/m0IO4c5nr6

— Shubham Shukla (@ShubhamShuklaMP) January 29, 2024

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 27 જાન્યુઆરી 2024નો હોવાનું કહેવાય છે. જેમાં બિલાસપુર બિલહા બ્લોકની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં ન માનવાની અને તેમની પૂજા ન કરવાના શપથ લેવડાવતા જોવા મળે છે.

હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો

વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. સંગઠનોએ મુખ્ય શિક્ષકના પૂતળાનું દહન કરી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત રતનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

મહત્વનું છે કે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મુખ્ય શિક્ષકનું પૂતળું બાળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે  આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી બિલાસપુર વિસ્તારમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધનો અંત આવ્યો.

આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..

કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. 

જિલ્લા શિક્ષણ અધિકારીએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા અને આ બાબતે તપાસ કરવાના આદેશો જારી કર્યા છે. આજે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ પૂર્ણ કરીને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકને ચાર્જશીટ જારી કરવામાં આવશે અને તેનો જવાબ માંગવામાં આવશે, તેના આધારે કમિટીની તપાસ આગળ વધશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Namo Bhagavata Objective
નીતિ -નિયમ

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧

by Akash Rajbhar January 18, 2023
written by Akash Rajbhar

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

શ્રી શ્રી ગણેશાય નમ:શ્રી સરસ્વત્યૈ નમ:
શ્રી ગુરુભ્યો નમ:

ૐ નમો ભગવતે વાસુદેવાયભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય.

સચ્ચિદાનન્દરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે ।

તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: ।।

મનુષ્ય અવતાર પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.

પરમાત્મા નાં દર્શન કરવા માટે મનુષ્યનો જન્મ છે. માનવ ભગવાનનાં દર્શન કરી શકે છે. પશુને પોતાના સ્વરૂપનું પણ
ભાન નથી, તો તે પરમાત્માનાં દર્શન તો ક્યાંથી કરી શકે? પરમાત્માનાં દર્શન વિના જીવન સફળ થતું નથી. જે પરમાત્માનાં
દર્શન કરે છે, તેનું જીવન સફળ થાય છે. આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે છતાં તેને શાંતિ મળી નથી. તેને શાંતિ
ત્યારે મળે કે જ્યારે જીવને પરમાત્માનાં દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ પરમાત્માનાં દર્શન નથી થતા.
ભગવાનના દર્શન કરવાની ઇચ્છા રાખીને સાધના કરશો તો ઘણી શાંતિ મળશે.
મંદિર અને મૂર્તિમાં પરમાત્માનાં દર્શન થાય તે સાધારણ દર્શન છે.
દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે.
મનુષ્ય મંદિરમાં પ્રભુદર્શન કરે છે, પણ તેને શાંતિ ક્યાં છે? જેથી એ સિદ્ધ થાય છે કે એ ઉત્તમ નથી.
ઇશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે, સ્થાવર, જંગમ અને સર્વ માં પરમાત્માનાં દર્શન કરો. એ ઉત્તમ દર્શન છે.
પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર
રાખો.
મનુષ્યમાં ઈશ્ર્વર દર્શન તે અસાધારણ, આત્મસ્વરૂપમાં દર્શન તે અપરોક્ષ, પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર જ્યારે
થાય ત્યારે જીવન સફળ થાય છે.
વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે:-
(૧) પરોક્ષ જ્ઞાન, (૨) અપરોક્ષ જ્ઞાન, ઇશ્વર કોઇક ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે, ઇશ્વર વિના બીજુ
કાંઈ નથી, ઇશ્વર જ બધું છે. હું પણ ઈશ્વરથી અલગ નથી એ ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જેને હું પોતે બ્રહ્મ છું, એવું જ્ઞાન
થાય તેને સાક્ષાત્કાર થયો તેમ કહેવાય. જોનારો ઈશ્વરને જોતો ઈશ્વરમય બને, ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે.
ઇશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઇશ્વરનાં પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને
અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે. બહાર દર્શન કરનારને પ્રભુનો વિયોગ પણ થાય, પણ આત્મસ્વરૂપમાં દર્શન કરનારને કોઈ દિવસ
વિયોગ થતો નથી.
ઇશ્વર જગતમાં અમુક જ ઠેકાણે છે તે જ્ઞાન અપૂર્ણ છે. ઇશ્વર સર્વ વ્યાપક છે, તે એક જ મૂર્તિ કે એક મંદિરમાં જ પ્રત્યક્ષ
રહી શકે નહિ.
મંદિરમાં પ્રભુનાં દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષોની જયાં દ્રષ્ટિ જાય ત્યાં ભાગવત સ્વરૂપનો અનુભવ કરે છે. મંદિરમાં
પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી મનુષ્યમાં પરમાત્માનાં દર્શન કરો. મન જ્યાં જાય ત્યાં ઇશ્વરનાં દર્શન કરે એ જ
ઈશ્વરનું અસાધારણ દર્શન. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે, એ પ્રમાણે સંપૂણ જગત જેને બ્રહ્મરૂપે દેખાય તે જ્ઞાની છે.
સર્વમાં પરમાત્માનો અનુભવ થતાં તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. પરમાત્માનાં પરોક્ષ દર્શનથી બહુ
લાભ નથી, પણ જીવ જયારે પરમાત્માનાં અપરોક્ષ દર્શન કરે ત્યારે કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપમાં પણ
ભગવાન દેખાય છે. આ જ અદ્વૈત છે. શ્રીકૃષ્ણલીલા એટલા માટે છે કે એ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં
પરમાત્માનો અનુભવ કરે. ગોપીઓને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું અને બોલે છે હું જ કૃષ્ણ છું. કૃષ્ણનો સર્વમાં અનુભવ થતાં
ગોપીઓ કૃષ્ણમય બની છે. જેને પોતાની અંદર પરમાત્માનાં દર્શન થાય તે જીવ ઇશ્વરમાં મળી જાય છે. પોતાની અંદર જેને
પરમાત્મા દેખાય તે પછી ઇશ્વરથી જુદો રહી શકતો નથી. તે ઇશ્વરમાં મળી જાય છે. આ જ ભાગવતનું ફળ છે.

January 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

વાસ્તુ ટિપ્સ- દેવી-દેવતા ને ધરાવેલો પ્રસાદ ક્યારેય ભગવાન પાસે ના મૂકી રાખો-રૂઠી જશે કિસ્મત

by Dr. Mayur Parikh October 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે વ્યક્તિ પૂજા, ઉપવાસ વગેરે કરે છે. જેથી ભગવાનની કૃપા મળી શકે. ભગવાનને ભોગ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભગવાનનો પ્રિય ભોગ તેમને અર્પણ કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. પરંતુ વાસ્તુમાં ભગવાનને ભોગ ચઢાવવા અંગે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોની બિલકુલ અવગણના કરવામાં આવે અથવા તો તેની પર ધ્યાન આપવામાં ના આવે તો તમારું નસીબ(destiny) બદલાતા  વધુ સમય નહીં લાગે.ઘણી વખત લોકો ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદ ત્યાં જ છોડી દે છે. આમ કરવાથી તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર(jyotish shastra)અનુસાર આવું કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે અને સુખની ખોટ થાય છે. ચાલો જાણીએ ભગવાનને નૈવેદ્ય અથવા પ્રસાદ ચઢાવવાના  વાસ્તુ નિયમો.

– વાસ્તુ નિષ્ણાતો કહે છે કે નૈવેદ્ય ધાતુના વાસણમાં રાખવું જોઈએ જેમ કે સોનું, ચાંદી, તાંબુ, પથ્થર, લાકડું અથવા માટીના વાસણ. આ ધાતુઓને હિન્દુ ધર્મમાં (Hindu dharm)સૌથી પવિત્ર માનવામાં આવે છે.

– હિન્દુ ધર્મમાં નૈવેદ્યને પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ પૂજામાં દેવતાને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. પણ ઘણી વખત લોકોને ખબર નથી પડતી કે એ નૈવેદ્ય ચડાવ્યા પછી શું કરવું, ખાવું, કોઈને આપવું, ત્યાં રાખવું? વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનનો પ્રસાદ તરત જ ત્યાંથી લઇ લેવો જોઈએ.

– શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનને અર્પણ કરવામાં આવેલ ભોજન તરત જ શુદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક ત્યાંથી લઇ લેવો જોઈએ. પ્રસાદ પોતે લેવો જોઈએ અને બને તેટલો બીજામાં વહેંચવો જોઈએ. કહેવાય છે કે ભગવાન પાસે રાખવામાં આવેલ પ્રસાદ નકારાત્મક ઉર્જા (negative vinbes)છોડી દે છે. આવી સ્થિતિમાં દેવતાને ભોગ ચઢાવ્યા પછી તરત જ પ્રસાદ લઇ લેવો યોગ્ય છે. જો પ્રસાદ દૂર લઇ લેવામાં ન આવે તો વિશ્વકસેન, ચંડેશ્વર, ચંદાંશુ અને ચાંડાલી નામની નકારાત્મક શક્તિઓ ત્યાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- દીપાવલીમાં દીવા પ્રગટાવતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો-દેવી લક્ષ્મી થશે પ્રસન્ન અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

 

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

મંદિરે જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન-નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન 

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બધી વાતો લખેલી છે, જેને અપનાવીએ તો આપણને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી, વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ભાવનાઓ ઓછી થાય છે. વાસ્તુમાં ઘરની દિશાથી લઈને ઘરના રંગ સુધીની ઘણી માહિતી આપવામાં આવી છે. એ જ રીતે મંદિર જવાને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જો આપણે તે નિયમોનું પાલન નહીં કરીએ તો જીવનમાં નુકસાન સહન કરવું પડી શકે છે.

જો તમે મંદિર જાવ છો તો ઘરેથી જ પાણી લઈ જાઓ

જો તમે મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છો, તો હંમેશા તમારા ઘરેથી જ પાણી લઈને જાવ, મંદિર જઈ ને અને ત્યાં પાણી ભરીને ભગવાનને ના ચઢાવો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સંપત્તિ રહે છે અને ગરીબી આવતી નથી. બીજી તરફ, જો તમે મંદિરથી પાછા ફરો છો, તો ધ્યાન રાખો કે પાણીનો લોટો ખાલી ન હોવો જોઈએ, ત્યાંથી આવતી વખતે માત્ર પાણી લઈને જ પાછા ફરો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ખાલી લોટા લાવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને ઘરમાં પૈસાની અછત રહે છે.

પૂજા માટે કપડાં અલગ રાખો

પૂજા કરતી વખતે એક જોડી કપડા બાજુ પર રાખો, જે તમે પૂજા દરમિયાન જ પહેરો શકો, તો તેના ઘણા ફાયદા છે. ફક્ત તમારે એ કપડાં પહેરીને પૂજા કરવાની છે, એ પહેરીને તમારે ખાવાનું, સૂવાનું કે મોબાઈલ ફોન નો ઉપયોગ ના કરવો. આ કરવાથી તમે જે વસ્ત્રો પહેરીને પૂજા કરશો તેમાં ઘણી સકારાત્મક ઉર્જા આવશે, તો તમને લાભ થશે.

સાંજે ઘરમાં દીવો પ્રગટાવો

જો સાંજે દીવો પ્રગટાવીને તેને આખા ઘરમાં ફેરવવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેથી સાંજની પૂજા પછી ઘરમાં દીવો પ્રગટાવો અને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારા ઘરમાં સકારાત્મકતા આવવા લાગશે અને નકારાત્મક વાઇબ્સ ઓછા થશે.

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક